હનુમાન મંદિર વિશેષ : જ્યાં દર્શનમાત્રથી દૂર થઈ જાય છે પાપ
ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિના નામે ઉજવવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે રામભક્ત હનુમાનને માતા અંજનીએ જન્મ આપ્યો હતો. આ પર્વ પર દેશ-વિદેશમાં આવેલા હનુમાન મંદિરોમાં પૂજન-કિર્તન કરવામાં આવે છે.
કળિયુગના એકમાત્ર જાગૃત દેવતા તરીકે પૂજાનારા હનુમાનજીના ઘણા પ્રસિદ્ધ મંદિરો છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે. આજે અમે તમને સમગ્ર દેશના જુદા-જુદા ભાગોમાં આવેલા પ્રસિદ્ધ હનુમાન મંદિરો વિશે જણાવવા જઈ રહ્યાં છે જેના દર્શનમાત્રથી દરેક પ્રાણીને તેના તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે.
ઈલાહાબાદના સંગમના કિનારે આવેલા કિલ્લા પાસે આવેલું આ મંદિર સૂતેલા હનુમાનજીની પ્રતિમાવાળું પ્રાચીન મંદિર છે. આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી સૂતેલા છે. આ પ્રતિમા 20 ફૂટ લાંબી છે.
અયોધ્યા
ઉત્તર પ્રદેશ સીતાપૂર
ઉત્તર પ્રદેશના સીતાપુર નજીક આ હનુમાન મંદિર સ્થાપિત છે. પહાડના સહારે હનુમાનજીની એક વિશાળ મૂર્તિના માથા પર બે વિશાળ જળકુંડ છે, જે હંમેશા પાણીથી છલોછલ રહે છે અને તેમાં નિરંતર પાણી વહેતુ રહે છે. આ પાણીની ધારનો હનુમાનજીને નિરંતર સ્પર્શ થતો રહે છે.
વારાણસી
વારાણસીમાં આવેલા આ મંદિરના પ્રાંગણમાં હનુમાનજીની દિવ્ય પ્રતિમા સ્થાપિત છે. એવી માન્યતા છે કે, હનુમાનજીની આ મૂર્તિ ગોસ્વામી તુલસીદાસજીના તપ અને પૂણ્યથી સ્વયંભૂ રીતે પ્રગટ થઈ હતી. મૂર્તિમાં હનુમાનજીની જમણા હાથમાં ભક્તોને અભયદાન કરી રહ્યાં છે અને ડાબો હાથ તેમના હૃદય પર સ્થિત છે.
બેટ દ્વારકા
બેટ દ્વારકાથી ચાર માઈલ દૂર મકર ધ્વની સાથે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. કહેવાય છે કે, પહેલા મકરધ્વજની મૂર્તિ નાની હતી પરંતુ હવે બંને મૂર્તિઓ એકસમાન ઊંચી થઈ ગઈ છે. કેટલાક ધર્મગ્રંથો અનુસાર મકરધ્વજને હનુમાનજીના પુત્ર કહેવામાં આવ્યા છે, જેમનો જન્મ હનુમાનજીના પરસેવાથી એક માછલી દ્વારા થયો હતો.
દૌસા રાજસ્થાન
રાજસ્થાનના દૌસા જિલ્લાની પાસે બે પહાડની મેહંદીપુર નામનું એક સ્થળ છે. કહેવામાં આવે છે કે, અહીં એક વિશાળ ખડગમાં હનુમાનજીની આકૃતિ આપમેળે ઉભરી આવી હતી. તેને જ હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમના ચરણોમાં નાનકડી કુંડી છે, જેમાં ક્યારેય પાણી ખતમ થતું નથી.
ગણેશપેઠ, પૂના
પૂનાના ગણેશપેઠમાં સ્થિત આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ડુલ્યા મારુતિનું મંદિર આશરે 350 વર્ષ જૂનું છે. મૂળરૂપે ડુલ્યા મારુતિની મૂર્તિ એક કાળા પથ્થર પર અંકિત કરવામાં આવી છે. આ મૂર્તિ પાંચ ફૂટ ઊંચી અને અઢીથી ત્રણ ફૂટ પહોળી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now