CIA ALERT
02. May 2024
April 19, 20193min7210

Related Articles



હનુમાન મંદિર વિશેષ : જ્યાં દર્શનમાત્રથી દૂર થઈ જાય છે પાપ

Share On :
Print Friendly, PDF & Email

ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિના નામે ઉજવવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે રામભક્ત હનુમાનને માતા અંજનીએ જન્મ આપ્યો હતો. આ પર્વ પર દેશ-વિદેશમાં આવેલા હનુમાન મંદિરોમાં પૂજન-કિર્તન કરવામાં આવે છે.

કળિયુગના એકમાત્ર જાગૃત દેવતા તરીકે પૂજાનારા હનુમાનજીના ઘણા પ્રસિદ્ધ મંદિરો છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે. આજે અમે તમને સમગ્ર દેશના જુદા-જુદા ભાગોમાં આવેલા પ્રસિદ્ધ હનુમાન મંદિરો વિશે જણાવવા જઈ રહ્યાં છે જેના દર્શનમાત્રથી દરેક પ્રાણીને તેના તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે.

કહેવામાં આવે છે કે, હનુમાનજીની પૂજાથી શનિ દેવના પ્રભાવમાંથી મુક્તિ મળે છે. જ્યારે હનુમાાનજીએ શનિદેવનું ઘમંડ તોડ્યું હતું ત્યારે સૂર્યપૂત્ર શનિદેવે તેમને વચન આપ્યું હતું કે, તેમના ભક્તોને તેઓ ક્યારેય પીડા નહીં આપે. કન્યા, તુલા, વૃશ્ચિક અને શનિની અઢૈયા વાળા કર્ક, મીન રાશિના જાતકોએ હનુમાન જયંતિ પર વિશેષ પૂજા-આરાધના કરવી જોઈએ. હનુમાનજી ભક્તિ અને શક્તિનું બેજોડ સંગમ છે.
ઈલાહાબાદ

ઈલાહાબાદના સંગમના કિનારે આવેલા કિલ્લા પાસે આવેલું આ મંદિર સૂતેલા હનુમાનજીની પ્રતિમાવાળું પ્રાચીન મંદિર છે. આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી સૂતેલા છે. આ પ્રતિમા 20 ફૂટ લાંબી છે.

અયોધ્યા

સરયૂ નદીના કિનારે સ્થિત શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં સૌથી મુખ્ય શ્રીહનુમાન મંદિર, હનુમાનગઢી છે. જમીનથી 60 સીડી ઉપર આવેલું આ મંદિર બહુ વિશાળ છે. હનુમાનગઢીના દક્ષિણમાં સુગ્રીવ ટીલા અને આનંદ ટીલા નામના સ્થળ છે. આ મંદિરની સ્થાપના આશરે 300 વર્ષ પહેલા સ્વામી અભયા રામદાસજીએ કરી હતી.
રાજસ્થાન ચૂરુ
રાજસ્થાનના ચૂરુ જિલ્લાના સાલાસરમાં આવેલા આ મંદિરમાં હનુમાનજી દાઢી અને મૂંછથી સુશોભિત છે. આ મંદિરના સંસ્થાપક મોહનદાસજી હતા. માનવામાં આવે છે કે, હનુમાનજીની આ પ્રતિમા એક ખેડૂતને જમીન ખોદતી વખતે મળી હતી.

ઉત્તર પ્રદેશ સીતાપૂર

ઉત્તર પ્રદેશના સીતાપુર નજીક આ હનુમાન મંદિર સ્થાપિત છે. પહાડના સહારે હનુમાનજીની એક વિશાળ મૂર્તિના માથા પર બે વિશાળ જળકુંડ છે, જે હંમેશા પાણીથી છલોછલ રહે છે અને તેમાં નિરંતર પાણી વહેતુ રહે છે. આ પાણીની ધારનો હનુમાનજીને નિરંતર સ્પર્શ થતો રહે છે.

વારાણસી

વારાણસીમાં આવેલા આ મંદિરના પ્રાંગણમાં હનુમાનજીની દિવ્ય પ્રતિમા સ્થાપિત છે. એવી માન્યતા છે કે, હનુમાનજીની આ મૂર્તિ ગોસ્વામી તુલસીદાસજીના તપ અને પૂણ્યથી સ્વયંભૂ રીતે પ્રગટ થઈ હતી. મૂર્તિમાં હનુમાનજીની જમણા હાથમાં ભક્તોને અભયદાન કરી રહ્યાં છે અને ડાબો હાથ તેમના હૃદય પર સ્થિત છે.

બેટ દ્વારકા

બેટ દ્વારકાથી ચાર માઈલ દૂર મકર ધ્વની સાથે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. કહેવાય છે કે, પહેલા મકરધ્વજની મૂર્તિ નાની હતી પરંતુ હવે બંને મૂર્તિઓ એકસમાન ઊંચી થઈ ગઈ છે. કેટલાક ધર્મગ્રંથો અનુસાર મકરધ્વજને હનુમાનજીના પુત્ર કહેવામાં આવ્યા છે, જેમનો જન્મ હનુમાનજીના પરસેવાથી એક માછલી દ્વારા થયો હતો.

દૌસા રાજસ્થાન

રાજસ્થાનના દૌસા જિલ્લાની પાસે બે પહાડની મેહંદીપુર નામનું એક સ્થળ છે. કહેવામાં આવે છે કે, અહીં એક વિશાળ ખડગમાં હનુમાનજીની આકૃતિ આપમેળે ઉભરી આવી હતી. તેને જ હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમના ચરણોમાં નાનકડી કુંડી છે, જેમાં ક્યારેય પાણી ખતમ થતું નથી.

ગણેશપેઠ, પૂના

પૂનાના ગણેશપેઠમાં સ્થિત આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ડુલ્યા મારુતિનું મંદિર આશરે 350 વર્ષ જૂનું છે. મૂળરૂપે ડુલ્યા મારુતિની મૂર્તિ એક કાળા પથ્થર પર અંકિત કરવામાં આવી છે. આ મૂર્તિ પાંચ ફૂટ ઊંચી અને અઢીથી ત્રણ ફૂટ પહોળી છે.

સાળંગપુર, ગુજરાત
અમદાવાદ-ભાવનગર રેલવે લાઈન પર સ્થિત બોટાદ જંક્શનથી સારંગપુર લગભગ 12 માઈલ દૂર છે. મહાયોગિરાજ ગોપાલાનંદ સ્વામીએ આ મૂર્તિની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905 આશ્વિન કૃષ્ણ પંચમીના દિવસે કરી હતી. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું એકમાત્ર હનુમાન મંદિર છે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :