CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 40 of 42 - CIA Live

June 18, 2018
sudixa-copy.jpg
1min14150

જયેશ બ્રહ્મભટ્ટ

આજકાલ ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોના સંતાનોમાં નહીં ભણવા માટેનું જો કોઇ સોલિડ કારણ હોય તો એ પરિવારની આર્થિક સ્થિતિ છે, મા-બાપને ફી પોષાય તેમ નથી. આવી બહાનાબાજીથી ઉપર ઉઠીને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની એક અત્યંત ગરીબ પરિવારની દિકરી સુદીક્ષા ભાટીએ જે કરી બતાવ્યું છે એ કોઇપણ કરી શકે છે, પણ કરવા માટેની શુદ્ધ દાનત હોવી જોઇએ. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી સુદીક્ષાએ અમેરિકામાં ભણવું હતું અને તેને ખબર હતી કે જો તે અવ્વલ દરજ્જા સાથે ધો.12 પાસ થશે તો સેંકડો સ્કોલરશીપ્સ એવી છે કે એ જાત મહેનતથી મેળવીને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. સુદીક્ષાએ પોતાના આ ઇમેજિનેશનને રિયાલિટીમાં કન્વર્ટ કરતા ધો.12 સેન્ટ્રલ બોર્ડમાં 98 ટકા સાથે પાસ કરીને અમેરિકાની પ્રસિદ્ધ બોબસન કોલેજમાં પ્રવેશ અરજી કરી હતી, પરીક્ષા આપી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે સુદીક્ષાને બોબસન કોલેજની ભણવાની પૂરેપૂરી ફીની રકમ એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મળી છે.

સુદીક્ષા ભાટી જેણે સીબીએસઇમાં ધો.12 98 ટકા લાવીને અમેરિકાની કોલેજની રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મેળવી

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતી સુદીક્ષા ભાટીને અમેરિકાની પ્રતિષ્ઠિત બોબસન કોલેજમાં અભ્યાસ માટે સંપૂર્ણ ફીની સ્કોલરશિપ મળી હોવાના સમાચાર સમગ્ર ભારતમાં વાઇરલ થઇ રહ્યા છે. અત્યંત સામાન્ય પરિવાર એટલે કે સુદીક્ષાના પપ્પા ચાની લારી ચલાવીને પરિવારનું પેટીયું રળે છે એવા પરિવારમાંથી આવીને . 12માં સીબીએસઈમાં 98% માર્ક મેળવનાર તેમજ બુલંદ જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થનાર સુદીક્ષા માટે આ પરીક્ષા બિલકુલ સરળ નહતી.

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ શું

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ એ જ છે કે  પરિવારની આર્થિક સ્થિતિ અને સામાજિક બાબતોને કોરાણે મુકીને સુદીક્ષાએ અભ્યાસમાં મન પરોવાયેલું રાખ્યું એટલું જ નહીં પરંતુ હવે તે યુએસની નામાંકિત કોલેજમાં અભ્યાસ માટે જઈને પોતાનું સપનું સાકાર કરી રહી છે.

સુદીક્ષા માતા-પિતા સાથે

વંચિતો માટેની શાળામાં ભણી સુદીક્ષા

સુદીક્ષાએ કહ્યું કે, ‘પહેલા મારા માટે અભ્યાસનું સપનું સાકાર કરવાનું સરળ નહતું. 2011માં મને વિદ્યાજ્ઞાન લીડરશિપ એકેડમી સ્કૂલમાં એડમિશન મળ્યું. આ શાળામાં મોટેભાગે વંચિત સમુદાયના બાળકો ભણે છે અને મને પણ ત્યાં ભણવાની તક મળી હતી. શરૂઆતમાં મારા પરિવાર અને સંબંધિઓને વાંધો હતો, પરંતુ મારા માતા-પિતાએ અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું.’

વિદ્યાવાન સ્કોલશિપ એકેડમીની સ્થાપના 2009માં શિવ નાડાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. તે વખતે બુલંદશહેર અને સીતાપુરમાંથી 1900થી વધુ પરિવારના બાળકો આ કાર્યક્રમ હેઠળ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી શક્યા હતા. સુદીક્ષા બીજા બાળકોને એટલું કહેવા માંગે છે કે કોઈપણ પોતાના સપનાને સાકાર કરી શકે છે બસ માત્ર મહેનત કરવાનું બંધ ના કરવું જોઈએ.

June 13, 2018
namo1.jpg
1min14860

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર નિવાસ્થાને બગીચામાં યોગ અને કસરત કરતો વિડીયો શેર કરીને ફિટનેશ ચેલન્જમાં ભાગ તો લીધો જ પરંતુ, કુમારસ્વામીને પણ ચેલેન્જ ફેંકી

તા.13 જૂન 2018, બુધવારની સવારે નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર આ રીતે પોતાનો ફિટનેસ વિડીયો રજૂ કરીને કર્ણાટકના સી.એમ., મોનિકા બત્રા અને 40 વર્ષથી વધુ વય ધરાવતા આઇ.એ.એસ. ઓફિસર્સને નોમિનેટ કર્યા હતા

ઓલલમ્પિક મેડલ વિજેતા અને હાલમાં કેન્દ્ર સરકારના મંત્રી રાજસ્થાનના રાજ્યવર્ધનસિંહે ભારતમાં શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જ હવે ખાસ્સી પ્રચલિત બની રહી છે. ભારતીયોને ફિટ એન્ડ ફાઇન રાખવાના આશયથી શરૂ કરાયેલી આ ફિટનેસ ચેલેન્જનો વ્યાપ ત્યારે વધ્યો જ્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટનેસ ચેલેન્જ સ્વીકારી, ફિટનેસ ચેલેન્જ પૂરા કરતા વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા અને તેમણે આ મિશન અાગળ વધારતા કર્ણાટકના નવા મુખ્યમંત્રી કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ ફેંકી છે. પીએમ મોદીએ કુમારસ્વામી ઉપરાંત ટેબલ ટેનિસ પ્લેયર મોનિકા બત્રા અને દેશના એવા તમામ આઈપીએસ અધિકારીઓ જેમની ઉંમર 40 પ્લસ હોય તેમને ફિટનેસ ચેલેન્જ આપી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય વિરોધી હોવા છતાં પણ ખેલદિલીની ભાવના વ્યક્ત કરીને કર્ણાટકના મુખ્યમંત્રી બનેલા એચડી કુમારસ્વામીને ફિટનેસ માટે ચેલેન્જ પણ આપી. નરેન્દ્ર મોદીએ બુધવાર, તા.13મી જૂને સોશ્યલ મિડીયા ટ્વિટર પર મોર્નિંગ એક્સરસાઈઝ કરતો તેમજ યોગ કરતો પોતાનો વીડિયો પોસ્ટ છે.

કુમારસ્વામીએ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

કુમારસ્વામીએ આ ચેલેન્જનો જવાબ આપતું ટ્વીટ કર્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમે મને ફિટનેસ ચેલેન્જ માટે નોમિનેટ કર્યો તે બદલ આભાર. હું સ્વાસ્થ્ય પ્રત્યે ઘણો ચિંતિત છું અને હું માનું છું કે શારીરિક ફિટનેસ જરૂરી છે. યોગા તેમજ ટ્રેડમીલ એ મારા ડેઈલી વર્કઆઉટનો ભાગ છે. પરંતુ હું મારા રાજ્યના સર્વાંગી વિકાસ માટે વધુ ચિંતિત છું અને આ માટે તમારા સહયોગની અપેક્ષા છે.’

 

કોણ કોણ ફિટનેસ ચેલેન્જ સ્વીકારી ચૂક્યું છે

માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જમાં વિરાટ કોહલી, સાયના નહેવાલ સહિતના સ્પોર્ટ્સ આઈકન્લ ચેલેન્જ સ્વીકારી ચૂક્યા છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાનો ફિટનેસ વીડિયો શેર કર્યો હતો અને તેણે પીએમ નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ ઈન્ડિયન કેપ્ટન એમ એસ ધોનીને ચેલેન્જ આપી હતી.

June 12, 2018
ramresp.png
1min15400

મુલુંડના નવભારત નૂતન વિદ્યાલયમાં ૪૨ વર્ષ સેવા આપનાર પ્યુન મૂળ નેપાળના રામસિંહ રાઉતનું સ્કૂલના પરિસરમાં જ મૃત્યું થયું એ પછી તેમને માનભેર આપવામાં આવી અાખરી વિદાય

 

૧૯૭૫માં નેપાલથી આવીને મુંબઇના મુલુંડ વેસ્ટ ખાતે આવેલા નવભારત નૂતન વિદ્યાલયમાં પહેલાં પ્રાઇવેટ પ્યુન તરીકે નોકરી શરૂ કરનાર રામસિંહ રાઉતે 42 વર્ષ સુધી શાળાન નિષ્ઠાપૂર્વક ફરજ તો બજાવી પણ નિવૃતિ પછી પણ શાળાની કામગીરીમાં જોતરાયેલા રહ્યા અને જીંદગીનો આખરી શ્વાસ પણ શાળા પરિસરમા ંજ લીધો હતો, તેમની આવી સેવાની કદર રૂપે શાળા પરિવારે રામસિંહ રાઉતની સ્મશાનયાત્રા પણ શાળા પરિસરમાંથી જ કાઢવાનો નિર્ણય લીધો હતો.

૪૨ વર્ષ સુધી ઈમાનદારીથી મુલુંડ (વેસ્ટ)ની નવભારત નૂતન વિદ્યાલય સ્કૂલમાં સેવા આપનાર ૬૮ વર્ષના રામસિંહનું સ્કૂલના પરિસરમાં મૃત્યુ થયા બાદ તેમની અંતિમયાત્રા સ્કૂલમાંથી જ માનભેર નીકળી હતી. આ અંતિમયાત્રામાં સ્કૂલના ટ્રસ્ટીઓ, ટીચરો, સ્ટાફ અને સ્ટુડન્ટ્સે મોટી સંખ્યામાં હાજરી આપી હતી એટલું જ નહીં, સ્કૂલના મૅનેજમેન્ટ અને સ્ટાફે રામસિંહના મૃતદેહને કાંધ પણ આપી હતી. કોઈ પ્યુનને સ્કૂલ તરફથી આટલી માનભેર અને ભાવભરી વિદાય અપાઈ હોય એવી કદાચ મુંબઈની સ્કૂલોની આ પહેલી ઘટના છે.

ગઇ તા.9મી જૂનને શનિવારે સાંજે રામસિંહને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. સ્કૂલની સામે જ એક પ્રાઇવેટ ડૉક્ટરે રામસિંહને ઇન્જેક્શન અને દવા આપ્યાં હતાં. ત્યારે તેમને રાહત લાગી હતી. જોકે થોડા સમય પછી રામસિંહ સ્કૂલના ઓટલા પર બેઠા ત્યારે તેમને ઊલટી થઈ હતી અને છાતીમાં સખત દુખાવો ઊપડ્યો હતો. રામસિંહને હૉસ્પિટલમાં લઈ જવામાં આવે એ પહેલાં જ તેમનું સ્કૂલના પરિસરમાં જ મૃત્યુ થયું હતું.

રામસિંહ તેમના પ્રેમાળ સ્વભાવને કારણે અને રાઉન્ડ ધ ક્લૉક સ્કૂલને સેવા આપતા હોવાથી ટીચરો, સ્ટાફ અને સ્ટુન્ડટ્સમાં લોકપ્રિય હતા. તેમની સ્કૂલ અને કામ પ્રત્યેની વફાદારી અને ઈમાનદારીને કારણે મેનેજમેન્ટે તેમને નિવૃત્તિ પછી પણ પ્રાઇવેટ પ્યુન તરીકે નોકરીમાં રાખ્યા હતા એટલું જ નહીં, સ્કૂલના જ પાછળના ભાગમાં રહેવાની જગ્યા પણ આપી હતી. ત્યાં રામસિંહ તેમની પત્ની સાથે રહેતા હતા. તેમના બે પુત્રો નેપાલમાં જ રહે છે અને કામ કરે છે.

 

June 10, 2018
sp3.jpg
12min15540

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સમગ્ર વિશ્વમાં વુમન એમ્પાવરન્મેન્ટમાં કામ ઓછું અને વાતો ઝાઝી થાય છે. સમ ખાઇ શકાય તેવા કામો કર્યા બાદ તેના બણગાં ફૂંકવામાં આવે છે. વિશ્વમાં સ્ત્રી સશક્તિકરણનો સૌથી પ્રચંડ પુરાવો જો કોઇએ આપ્યો હોય અને વુમન એમ્પાવરન્મેન્ટનું ધી બેસ્ટ એક્ઝામ્પલ કોઇએ સેટ કર્યુ હોય તો એ સ્પેશની નવી સરકાર છે.

સ્પેનમાં ગયા ગુુરુવાર તા.7મી જૂન 2018ના રોજ નવી ચૂંટાયેલી સરકારની શપથવિધી સમારોહ યોજાયો હતો. સૌના આશ્ચર્ય વચ્ચે સ્પેન સરકારના નવા પ્રધાનમંડળમાં 11 મહિલાઓ અને ફક્ત 6 પુરુષોને સ્થાન આપવામાં આવ્યું હતું. ટૂંકમાં કહીએ તો સ્પેન આખો દેશ હવે મહિલાઓ ચલાવશે. સ્ત્રી સશક્તિકરણ તો ઠીક પણ મહિલાઓને પુરુષ સમોવડી દરજ્જો આપીને સ્પેનએ સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રત કર્યું છે.

સ્પેનના પ્રધાનમંડળમાં 11 મહિલા મંત્રીઓને અગત્યના ખાતાઓ જેવા કે રાષ્ટ્રીય અર્થતંત્ર, નાણાં અને સંરક્ષણ સહિતના અનેક મહત્ત્વનાં ખાતાં મહિલા મંત્રીઓને જ સોંપાયા છે. સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાન્ચેઝના નવા પ્રધાનમંડળમાં મહિલાઓની ટકાવારી 64.7 ટકા છે. અગાઉ, ફિનલેન્ડની સરકારે 2015માં આ માટે કરેલા 62.5 ટકાના વિક્રમને સ્પેનના આ નવા પ્રધાનમંડળે તોડ્યો છે.

વડા પ્રધાનપદે મારિયાનો રાજોયને સ્થાને સાન્ચેઝની નિમણૂક થઇ હતી. તેમણે પોતાના પ્રધાનમંડળને મહિલાઓના વર્ચસ્વવાળું, પ્રગતિશીલ અને યુરોપ-તરફી ગણાવ્યું હતું. મહિલાઓની બહુમતી ધરાવતા પ્રધાનમંડળે રાજા ફિલિપ છઠ્ઠાની સમક્ષ તા.7મી જૂન 2018ના રોજ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. કારમેન કાલ્વોએ સોરાયા સાએન્ઝ ડી સાન્તામારિયા પાસેથી નાયબ વડાં પ્રધાનપદ સંભાળી લીધું હતું.

સ્પેનના ચાર દાયકાના લોકતાંત્રિક શાસનમાં અને યુરોપના દેશોના ઇતિહાસમાં પ્રધાનમંડળમાં મહિલાઓની આ ટકાવારી પુરુષોની સરખામણીમાં સૌથી વધુ છે.

સ્ટેટિસ્ટિક્સ ઑફ ધિ ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કૉઑપરેશન એન્ડ ડેવલપમેન્ટે આ સંબંધમાં માહિતી પૂરી પાડી હતી.

અગાઉ, સ્પેનમાં 2011થી વડા પ્રધાનપદ સંભાળતા મારિયાનો રાજોય સામે તાજેતરમાં અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરાઇ હતી. અહીંની એક અદાલતે રૂઢિચુસ્ત પોપ્યુલર પાર્ટીને સંડોવતા કૉન્ટ્રેક્ટ આપવા બદલ લાંચ લેવાના આરોપમાં સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.

બંધારણ અને કાયદાનાં નિષ્ણાત તેમ જ ભૂતપૂર્વ સાંસ્કૃતિક પ્રધાન કારમેન કાલ્વો નાયબ વડાં પ્રધાન તરીકે કામગીરી બજાવશે. તેઓ સ્પેનમાં ફરી શરૂ કરાયેલું સમાનતા માટેનું મંત્રાલય પણ સંભાળશે.

નાયબ વડાં પ્રધાનપદ સંભાળતા કારમેન કાલ્વોએ તા.8મી જૂને યોજાયેલા સમારંભમાં જણાવ્યું હતું કે સરકારે પુરુષો અને મહિલાઓ વચ્ચેની અસામનતા દૂર કરવા કાર્ય કરવું જોઇએ.

For our English Readers

Pedro Sánchez’s New PSOE Government

Deputy Prime Minister, Relations With Parliament & Equality Minister—Carmen Calvo (Córdoba, Andalusia 1957)—A doctor of constitutional law, Ms. Calvo was formerly Culture Minister in the government of José Luis Rodriguez Zapatero from 2004-2007 and the regional culture minister in Andalusia from 1996-2004. She was also the Deputy Speaker of Congress for a few years. A strong defender of women’s rights, she also formed part of Pedro Sánchez’s team to coordinate the suspension of home rule in Catalonia with the Popular Party following the declaration of independence last year.

Government Spokeswoman, Education & Professional Training Minister—Isabel Celaá (Bilbao, Basque Country, 1949)—A professor of English, Ms. Celaá also holds a law degree and was the regional minister of education in the Basque Country in Patxi López’s socialist government from 2009-2012. She presided, as chairwoman of the party’s Ethics & Guarantees Commission, over the primary process that saw Pedro Sánchez come back and beat Susana Díaz as leader of the PSOE in 2017, after touring Spain to obtain grassroots socialist support. ABC reported Ms. Celaá had lived for a time in both Belfast and Dublin.

Home Secretary—Fernando Grande Marlaska (Bilbao, Basque Country, 1962)—A senior judge, Marlaska has been chief justice of the criminal bench of the National High Court in Madrid since 2012. He has also been a member of Spain’s Judicial Council since 2013. He investigated cases against Basque terror group ETA and the Yak-42 plane crash that killed 62 Spanish soldiers in Turkey in 2003, while they were returning from a tour in Afghanistan.

Justice Minister—Dolores Delgado (Madrid, 1962)—A public prosecutor specialising in anti-terrorism investigations at the National High Court in Madrid, and more specifically the fight against jihadi terror. Europa Press characterised Ms. Delgado as “a firm defender of universal justice”. She worked as a prosecutor on the International Criminal Court against Muammar Gaddafi in 2011. On July 26, 2017, the day Mariano Rajoy appeared before the National High Court as a witness in the Gürtel corruption case, Ms. Delgado tweeted: “This systemic corruption is unbearable. What we have seen today is pathetic, sad and outrageous”.

Foreign Affairs, European Union & Cooperation Minister (Foreign Secretary)—Josep Borrell (Lérida, Catalonia, 1947)—An aeronautical engineer, Mr. Borrell was formerly Public Works Minister in the government of Felipe González from 1991-1996. He also won the PSOE primary to be their candidate in the general election in 2000, but stepped back in favour of Joaquín Almunia. He was also President of the European Parliament from 2004-2007. During the separatist crisis in 2017, Mr. Borrell strengthened his reputation as a statesman-like, constitutionalist debater against Catalan nationalist rhetoric. Former Catalan First Minister Carles Puigdemont—still a fugitive from Spanish justice—wondered ironically on Twitter if Mr. Borrell’s appointment was the “deescalating brotherly message” the PSOE had in mind.

Defence Minister—Margarita Robles (León, Castilla y León, 1956)—Formerly the PSOE’s spokeswoman in Spain’s lower house of parliament, Congress, Ms. Robles has been an MP since 2016 and used to be a Supreme Court judge and a member of the country’s Judicial Council, and was a secretary of state in Felipe González governments in the 1990s. On June 5, El Mundo described Ms. Robles as the PSOE’s “highway to the Basque Nationalist Party (PNV)” during the recent negotiations to oust Mr. Rajoy, and that she is also very close to senior Podemos leaders.

Public Works Minister—José Luis Ábalos (Valencia, 1959)—A schoolteacher by profession, Mr. Ábalos has been Mr. Sánchez’s secretary of organisation in the Socialist Party since he came back to power in 2017. He held several local and regional political posts in Valencia in the 1980s, 1990s and 2000s, and has been an MP since 2009. Part of Mr. Sánchez’s political inner circle, Mr. Ábalos introduced the new Prime Minister at the no-confidence debate that ousted Mariano Rajoy last week in Congress.

Finance Minister—María Jesús Montero (Seville, Andalusia, 1966)—Ms. Montero holds a medical degree and has been the regional finance and public administration minister in Andalusia since 2013, so is considered close to regional socialist leader Susana Díaz. Mrs. Montero was previously the regional health minister from 2004-2013 and is an MP in the regional parliament. The Diario de Sevilla reported the PSOE in Andalusia was happy with her appointment, as she would provide a key national link and is considered to be well-read on the intricacies of regional financing in Spain.

Economy & Business Minister—Nadia Calviño (La Coruña, Galicia, 1968)—Ms. Calviño holds degrees in law and economics and held a string of posts in Spanish ministries before being appointed Director-General for Budget at the European Commission in 2014. Spanish business daily Expansión reported Pedro Sánchez had notified Jean Claude Juncker, the President of the European Commission, in person of the appointment of Ms. Calviño “as a sign of economic stability”. The chairwoman of Banco Santander, Ana Botín, tweeted her congratulations to Mrs. Calvino on Tuesday “at a key moment for the European Union”; she would be “a guarantee Spain would continue to increase its weight in European institutions”.

Employment, Migration & Social Security Minister—Magdalena Valerio (Cáceres, Extremadura, 1959)—Ms. Valerio holds a degree in law and is a civil servant by profession, specialising in social security. She was an MP in Congress from 2011-2016 and served as a regional minister in the socialist government in Extremadura until 2010. She is a member of the PSOE’s Federal Executive Committee. Spanish media reported she is considered very close to Mr. Sánchez, supporting him in the leadership race last year against the candidate from neighbouring Andalusia, Susana Díaz.

Industry, Commerce & Tourism Minister—Reyes Maroto (Valladolid, Castilla y León, 1973)—Ms. Maroto holds an economics degree and is a university lecturer and an MP in the regional parliament in Madrid, where she works as a spokesperson on the budget committee. She has been responsible for sustainable development policies at the Madrid Socialist Party.

Health, Consumers & Social Welfare Minister—Carmen Montón (Valencia, 1976)—Ms. Montón has until now been the regional health minister in Valencia and is a political ally of the new Prime Minister, supporting him through his fight to regain power in the Socialist Party. She is considered a supporter of public healthcare and a critic of preferential treatment for pharmaceutical companies, and was an MP in Congress from 2004-2015. In a short description of herself on the PSOE website, Ms. Montón said she was most proud of having worked on legislation to bring about gay marriage and improvements in civil rights for LGBTI citizens, and abortion for women.

Agriculture, Fisheries & Food Minister—Luis Planas (Valencia, 1952)—An employment inspector who holds a law degree, Mr. Planas was briefly considered as a rival for First Minister of Andalusia against Susana Díaz, but did not receive enough support to move forward with his challenge. He has been an MP in Congress, an MEP, a senator and a regional MP in Andalusia, and Spanish Ambassador to Morocco. He served as the regional agriculture minister for just over a year from 2012-2013. Since 2014, Mr. Planas has been the secretary general of the European Economic and Social Committee

Territorial Policy & Civil Service Minister—Meritxell Batet (Barcelona, Catalonia, 1973)—Ms. Batet holds a law degree and has taught administrative and constitutional law as a university lecturer. She will be in charge of working out what to do about Catalonia after the separatist crisis in 2017. She has been an MP in Congress since 2004. “Meritxell is a person who works hard”, Pedro Sánchez told La Vanguardia for a 2015 interview with Ms. Batet: “She is a woman of her time and, above all, a woman who has made herself, which not many people know about her”.

Science, Innovation & Universities Minister—Pedro Duque (Madrid, 1963)—Spain’s first astronaut, Mr. Duque has travelled into space twice, once aboard the space shuttle Discovery in 1998 and once aboard a Soyuz spacecraft to the International Space Station. He was awarded the Prince of Asturias Prize for International Cooperation in 1999. An enthusiastic Twitter user, Mr. Duque tweeted when news of his appointment broke that he “wished mum was here” to see it. He has also tweeted against reiki and homeopathy.

Ecological Transition Minister—Teresa Ribera (Madrid, 1969)—Ms. Ribera holds a law degree, is a civil servant by profession, and was the Secretary of State for Climate Change until 2011, in the second government of José Luis Rodriguez Zapatero, and has been the director of the Institute of Sustainable Development and International Relations in Paris since 2014. She was a member of the World Economic Forum’s Global Advisory Council on climate from 2014-2016.

Culture & Sports Minister—Maxim Huerta (Valencia, 1971)—A journalist and TV presenter, Mr. Huerta has also written several novels and other books. His appointment was the last to be revealed on Wednesday, and had not been leaked to the press beforehand.

June 5, 2018
anaathfeture-1280x853.jpg
1min16510

સુરતના ચિલ્ડ્રન હોમના ૬૦ અનાથ બાળકો મનાલીના પ્રવાસે
સુરતના ચિલ્ડ્રન હોમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં મનાલી જતાં ૬૦ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો 
સરકારી બાળગૃહમાં રહેતા બાળકો માટે હિમાચલ પ્રદેશના મનાલી ખાતે બાળ સાહસિકતા શિબિરનું આયોજન
સુરતના બાલગૃહના ૬૦ બાળકો સહિત ગુજરાતના ૧૪૭ બાળકોને બે બેચમાં આવરી લેવાશે
બાળકોની સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિર જેવા કાર્યક્રમો સહાયરૂપ બને છે: મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

સરકારી બાળગૃહમાં રહેતા બાળકો પણ અન્ય બાળકોની જેમ કુદરતને ખોળે આનંદ-પ્રમોદ કરી શકે તે માટે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આ બાળકો માટે હિમાચલ પ્રદેશના મનાલીમાં બાળ સાહસિકતા શિબિરનું આયોજન કરાયું છે. જેમાં સુરત ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, કતારગામ અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રામનગર-રાંદેરના ૬૦ બાળકો પણ ભાગ લઇ રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કતારગામના વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ ખાતે આ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો

આ પ્રસંગે મનાલી પ્રવાસે જતા બાળકોનું અભિવાદન કરતાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળગૃહના બાળકો પણ અન્ય બાળકોની જેમ બાળસહજ પ્રવૃત્તિઓ થકી આનંદ અને જ્ઞાન મેળવી શકે તે માટે બાળ સાહસિકતા શિબિરનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે રાજસ્થાનના આબુ ખાતે અનાથ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે પ્રકારે શિબિરનું આયોજન કરાયું હતું. આ વર્ષે હિમાચલના મનાલીમાં આયોજિત શિબિરમાં બાળકો સાહસિક અને ખડતલ બને તે માટે ટ્રેકિંગ-જોગિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.

મંત્રીશ્રી પરમારે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિરો ખૂબ સહાયરૂપ હોવાનું જણાવી ઉપસ્થિત સૌ બાળકોને જીવનમાં સાહસિકતાના ગુણો ખીલવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે દરેક બાળકોને ગુલાબનું ફૂલ ભેટ ધરી તેમના સુખમય અને આનંદદાયક પ્રવાસની શુભકામનાઓ પાઠવી હતી.
સ્વાગત પ્રવચન કરતાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ અને કોર્પોરેટરશ્રી ડો. જગદીશ પટેલે સમગ્ર કાર્યક્રમ વિષે વિસ્તૃત જાણકારી આપી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, સુરત દ્વારા ત્યજી દેવાયેલા બાળકો, અનાથ બાળકો, બાળમજૂરીમાંથી મુક્ત કરાવેલા બાળકોની સારસંભાળ, કાળજી અને રક્ષણની કામગીરીથી સૌને વાકેફ કરાવ્યા હતા.

બે બેચમાં યોજાનાર આ શિબિરમાં આગામી ૧૧ મી જુને સુરતના ૩૬ બાળકો અને ૨૪ બાળાઓ સહિત કુલ ૬૦ બાળકો મનાલી જવા રવાના થશે. ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આયોજિત આ શિબિરની પ્રથમ બેચ તા.૫ જૂન થી ૧૪ જૂન ૨૦૧૮ દરમિયાન તેમજ બીજી બેચ ૧૧ જૂનથી ૨૦ જૂન ૨૦૧૮ દરમિયાન યોજાશે. પ્રથમ બેચમાં સુરત, વડોદરા તથા અમદાવાદથી રાજધાની ટ્રેનમાં ૭૭ બાળકો તથા બીજી બેચમાં સુરત, વડોદરા, અમદાવાદ અને પાલનપુરથી ૭૦ બાળકો પ્રસ્થાન કરશે. જેમાં સોસાયટીના અધિકારી/કર્મચારીઓ સાથે રહી બાળકોને માર્ગદર્શન આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને બેચની શિબિરમાં જોગણી વોટર હોલ્સ, હિડિમ્બા ટેમ્પલ, સ્નો/ભ્રીગુ, મનાલી જેવા પર્વતોમાં પર્વતારોહણની પ્રવૃત્તિ કરવામાં આવશે. તેમજ સાહસિકતા તાલીમ શિબિરમાં બાળકોને રિપલીંગ, ઝિપ લાઇન, રિવર ક્રોસિંગ, કેમ્પ ફાયર જેવી પ્રવૃત્તિઓ તેમજ નેતૃત્વ, જીવન કૌશલ્ય, હકારાત્મક વિચાર શૈલી અંગે સવિસ્તૃત માર્ગદર્શન અપાશે.

મંત્રીશ્રીએ ચિલ્ડ્રન હોમના વિવિધ વિભાગોની મુલાકાત લઇ અહી નિવાસ કરતાં બાળકોના ખબર-અંતર પણ પૂછ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિનુભાઈ મોરડિયા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.બી.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જે.એમ.ઠાકોર, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય શ્રીમતી રૂપલબેન શાહ, સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ ચૌધરી અને ઉર્વીબેન પરમાર સહિત ચિલ્ડ્રન હોમના કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

June 3, 2018
jbcscmain.jpg
1min17880

ભારત વૈશ્વિક કક્ષાએ “વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી(૫-જુન-૨૦૧૮) માટે યજમાન બન્યુ છે, આ વર્ષની મુખ્ય થીમ “પ્લાસ્ટિક પ્રદુષણને મહાત કરો (beat plastics pollution) પર એક અઠવાડિયું જનજાગૃતિ, સફાઈ ઝુંબેશ વગેરે કાર્યક્રમો માતા પાયે હાથ ધરવામાં આવનાર છે, તેનાં ભાગ રૂપે ગુજરાત સરકારનાં વન અને પર્યાવરણ વિભાગના, સુરત વન વિભાગ, અને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરતના  સંયુક્ત ઉપક્રમે ૫-જુન-૨૦૧૮ના રોજ સમગ્ર જીલ્લામાં મહુવા, માંડવી, ઉમરપાડા, ચોર્યાસી, રેન્જ(ડુમસ) પર અને સુરત શહેર કક્ષાએ વિવિધ કાર્યક્રમો જેવાકે  બાળકો માટે ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરાની સફાઈ, વૃક્ષારોપણ, રોપાવિતરણ,  જનજાગૃતિ રેલીઓ, પ્રવચનો,વગેરે કાર્યક્રમો/પ્રવૃતિઓ રાખવામાં આવેલ છે, 

 

રસ ધરાવનાર બાળકો જે તે રેન્જ ઓફિસનો સંપર્ક કરવા, શ્રી પુનીત નાયર, નાયબ વન સંરક્ષક,સુરત વન વિભાગ અને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- સુરતના ડાયરેકટર શ્રી જી.એન.કાકડીયા, દ્વારા જણાવામાં આવે છે, આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી પ્લાસ્ટિકના પ્રદુષણથી થતા નુકશાન અને તેને દુર કરવા અત્યારથી જાગૃત થાય તે મુખ્ય આશય છે. બાળકોએ ચિત્રો દ્વારા પોતાની વેદના અને સામે ઉપાયો ચિત્રણ દ્વારા ખુજ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવશે.ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ-સુરત દ્વારા પણ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- સુરત, વાસુદેવ સ્માર્ત પ્રાથ. શાળા નં.૪ , પીપલોદ ખાતે વૃક્ષારોપણ અને સફાઈ જેવા કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

June 1, 2018
rutu1.jpg
1min16920

એર એશિયાની બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટના કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામીને ખાસ ડ્યૂટી સોંપવામાં આવી કેમકે એર એશિયાની વિશિષ્ટતા છે કે જે તે શહેરની પહેલી ફ્લાઇટના પાઇલટ તેમજ કેબિન ક્રુ મેમ્બર્સ જે તે શહેરના મૂળ વતની હોય તેવા સ્ટાફને મોકલે છે

આજે એર એશિયા દ્વારા બેંગ્લોર ટુ સુરતની ફ્લાઇટનું પહેલું વિમાન બેંગ્લોરથી સુરત આવ્યું હતું. આ ફ્લાઇટની અનેક વિશેષતાઓ હતી પરંતુ, એક વિશેષતા એ પણ નોંધનીય છે કે આ ફ્લાઇટમાં કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામી નામનો યુવાન હતો. રુતુ ગોસ્વામી જન્મે સુરતી છે. રુતુ ગોસ્વામીનો જન્મ સુરત થયો અને એ પછી પાંચ વર્ષ સુધી રુતુ ગોસ્વામીનો ઉછેર સુરત થયો હતો.

એર એશિયા કંપનીની ખાસિયત છે કે જે શહેરમાં પહેલી ફ્લાઇટ રવાના કરતી હોય ત્યારે એ ફ્લાઇટમાં જે તે શહેરના વતની હોય તેવા પાઇલટ અગર તો કેબિન ક્રુ મેમ્બરને ખાસ ડ્યૂટી સોંપે છે. આ પરંપરાના ભાગરૂપે રુતુ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી.

બેંગ્લોરથી ફ્લાઇટ સુરત આવી પહોંચી ત્યારે વોટરકેનનથી તેનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે રુતુ ગોસ્વામીએ ફ્લાઇટ ડ્યૂટી પૂરી કરીને એરપોર્ટ પર આવ્યા ત્યારે સુરતીઓનો આનંદ સાતમે આસમાને હતો. સુરતને નવી ફ્લાઇટ બેંગ્લોરની તો મળી જ પરંતુ, સાથોસાથ તેને પહેલી વખત ઉડાડીને જે પાઇલટ લાવ્યા તે પણ જન્મે સુરતી છે.

રુતુ ગોસ્વામીએ એરપોર્ટ પર સી.આઇ.એ. સંવાદદાતાને જણાવ્યું કે સ્વાભાવિક છે કે જ્યાં જન્મ થયો હોય તે શહેરમાં પહેલી ફ્લાઇટ ફ્લાય કરીને આવવાનો આનંદ સવિશેષ હોય. રુતુ ગોસ્વામીએ કહ્યું કે તેનો પરિવાર મૂળ ભૂજના છે. તેમના પિતાની સુરત ટ્રાન્સફર થઇ ત્યારે પરિવાર સુરત આવ્યો હતો અને એ સમયે જ રુતુ ગોસ્વામીનો જન્મ સુરતમાં થયો હતો. રુતુના જન્મ પછી પાંચ વર્ષ સુધી તેમનો પરિવાર સુરતમાં રહ્યો હતો આમ, સુરતમાં જન્મીને ઉછરેલા રુતુ ગોસ્વામીએ આજે બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટ ઉડાડી એ એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. સુરત એરપોર્ટ પર પ્લેન ઉડાડીને આવેલા રુતુ ગોસ્વામીને આવકારવા ખુદ તેનો સમગ્ર પરિવાર પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતો.

એરપોર્ટ પર નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ,  શ્રીમતી દર્શનાબેન જરદોષ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતા, શ્રી કલ્લુભાઇ દેસાઇ તેમજ અન્ય અાગેવાનોએ રુતુ ગોસ્વામીને ફ્લાવર બુકે આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

May 30, 2018
water-recycle.jpg
1min13810

સમગ્ર વિશ્વમાં બે દાયકા પૂર્વેથી જે સિસ્ટમ અમલી બની છે એ વોટર રિસાઇકલ પોલીસીનો અમલ ગુજરાતમા મોડે મોડે પણ, દેર આયે દૂરસ્ત આયે ની રુએ પણ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે મોડે મોડે પણ એક વખત ઉપયોગમાં લેવાયેલા પાણીને શુદ્ધ કરીને તેનો ઉપયોગ પીવાના પાણી સિવાય અન્ય સ્થળો પર કરવા માટેની એક યોજના ઘડી કાઢી છે.

રાજ્યમાં સુરત મહાનગરપાલિકા એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે જેણે સૌ પ્રથમ વખત વોટર રિસાઇકલ પ્રોજેક્ટ સાકાર કરી બતાવ્યો હતો. સુરતમાં ઇન્ડસ્ટ્રીઝમાં વપરાયેલા પાણીને ટર્શરી પ્લાન્ટમાં ટ્રીટ કર્યા બાદ હાલમાં ફરીથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વોટર રીસાઇકલ પૉલિસીની જાહેરાત કરી છે. રાજ્યમાં પ્રથમવાર વોટર રીસાઇકલ પૉલિસી અમલમાં આવી છે. આ પૉલિસી પ્રમાણે શહેરોનાં ગંદા પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. ગંદા પાણીને રીસાઇકલ કરી ઇન્ડસ્ટ્રીઝનાં ઉપયોગમાં લેવામાં આવશે.

અમદાવાદમાં આવેલી સાબરમતી નદી રીસાઇકલ વોટરથી ભરાશે. રાજ્યનાં આઠેય મહાનગરો સમેત દરેક મોટા નગરમાં ગંદા પાણી રીસાઇકલ કરીને ફરીથી ઉપયોગ કરવામાં આવશે.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. કે, ગંદા પાણીને શુદ્ધ કરવા 161 એકમો છે. 2030 સુધીમાં 100 ટકા પાણીને શુદ્ધ કરવાની પૉલિસી બનાવવામાં આવી છે. અત્યારે 2600 એમએલડી પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. બે વર્ષમાં 2800 એમએલડી પાણીનાં શુદ્ધિકરણની યોજના છે. જેમાં દરિયાનાં ખારા પાણીને મીઠું બનાવવાનો પણ પ્લાન છે.

May 26, 2018
social-security-scheme.jpg
1min12280

સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા અનોખી ‘સામાજિક સુરક્ષા યોજના’ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં ૧,૪૦૦થી વધુ સભ્યો નોંધાયા છે. ચાર વર્ષમાં સમાજના ૨૮ સભ્યોના અવસાન થયા છે. તેમણે યોજનામાં ૨.૮૯ લાખ જમા કરાવ્યા હતા. જ્યારે તેમના પરિવારને રૂ. ૨૦.૩૩ લાખ ચૂકવવામાં આવ્યા છે.

સમાજના પ્રમુખ પ્રફૂલભાઇ આર. તલસાણીયા કહે છે કે, સમાજના જ રૂપિયા સમાજના લોકોના કામમાં આવે તેના માટે આ યોજના શરૂ કરાઇ છે, જેમાં ૨૧ વર્ષથી માંડીને ૬૫ વર્ષ સુધીનો સમાજનો કોઇ પણ વ્યકિત સભ્ય બની શકે છે. જેણે એક વખત નક્કી કરેલું પ્રીમિયમ ભરવાનું હોય છે. ૨૧ વર્ષના યુવક માટે રૂ. ૫૦૦ જયારે ૬૫ વર્ષના સભ્ય માટે રૂ. ૧૪,૮૦૦ પ્રીમિયમ નક્કી કરાયું છે.

આ પ્રીમિયમમાંથી એક રૂપિયો પણ વાપરવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે પ્રથમ વર્ષે જ્યારે યોજનામાં ૫૦૦ સભ્યો હતા. પ્રથમ વર્ષે બે સભ્યોના અવસાન થયા હતા. તે બે સભ્યો માટે તમામ સભ્યદીઠ રૂ. ૨૦૦ (દરેક મૃતકના રૂ.૧૦૦) ઉઘરાવવામાં આવ્યા. એટલે રૂપિયા એક લાખ એકત્રિત થયા. જે પૈકી ૮૦ ટકા રકમ એટલે કે બન્ને મૃતકોના સ્વજનોને રૂ. ૪૦-૪૦ હજાર આપી દેવામાં આવે છે. ૨૦ ટકા રકમ ટ્રસ્ટ પાસે રાખવામાં આવે છે. જેનો ઉપયોગ કોઇ હોનારત વખતે ઉપયોગમાં લઇ શકાય.

ડોક્ટરોની યોજના પરથી યોજના તૈયાર કરી

ડોક્ટર સમાજના સૌથી જાગૃત નાગરિકો ગણાય છે. તબીબોએ આવી યોજના અમલમાં મૂકી હતી. તેના ઉપરથી પેરણા લઇને અમારા સમાજ માટે પણ આ યોજના શરૂ કરી છે. જેને ખૂબ જ સરસ આવકાર મળી રહ્યો છે. ગયા વર્ષે તો વ્યાજના આવક થતાં તમામ સભ્યોને ચાંદીનો સિકકો બોનસ તરીકે આપવામાં આવ્યો હતો. દરેક સમાજ જો આવી યોજના અમલમાં મૂકે તો ચોક્કસ ફાયદો જ થાય.

કોઇ પણ સભ્યનું અવસાન થાયો તે અઠવાડિયામાં જ તેને મળવાપાત્ર રકમ કોને આપવી? તેની વિગતો સભ્ય ફોર્મ સાથે જ ભરી દેવામાં આવતી હોય છે. જેમાં એક પ્રિન્સિપલ નોમીની હોય. જો તે ન હોય તો પ્રથમ વૈકલ્પિક નોમીની અને દ્વિતીય વૈકલ્પિક નોમીનીની વિગતો પણ સબમીટ કરવાની હોય છે. જેને લઇને ચોક્કસ વ્યક્તિના હાથમાં ચેક સોંપી શકાય.