CIA ALERT
16. May 2024

પ્રેરણાદાયી વાત Archives - Page 4 of 38 - CIA Live

June 22, 2022
draupadi_murmu.jpg
1min301

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ પછી હવે ભાજપના નેતૃત્વમાં એનડીએએ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી માટે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હશે. સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂના નામ પર સંમતી સધાઈ હતી.

ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. આ વખતે પૂર્વીય ભારતમાંથી કોઈને તક આપવા અંગે સંસદીય બોર્ડમાં સહમતી બની હતી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે દેશને હજી સુધી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. એવામાં બેઠક પછી દ્રૌપદી મુર્મૂના નામ પર બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી. 

મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી જશે તો ભારતના ઈતિહાસમાં તેઓ પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત તેઓ ચૂંટણી જીતી જાય તો પ્રતિભા પાટિલ પછી દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પહેલા મહિલા ગવર્નર હતા. તેઓ ઓડિશાનાં પહેલા એવા મહિલા આદિવાસી નેતા છે, જેમને કોઈ રાજ્યમાં ગવર્નર બનાવાયા હોય અને તેમણે કાર્યકાળ પૂરો કર્યો હતો.

દ્રૌપદી મુર્મૂનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. તેઓ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારમાં પેદા થયાં હતા. તેમણે રૈરંગપુરના શ્રી અરબિંદો ઈન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં પગાર વિના જ શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેમણે રાજકીય કારકિર્દી રૈરંગપુર એનએસીના વાઈસ ચેરમેન તરીકે શરૃ કરી હતી. તેમને ઓડિશા વિધાનસભામાં ૨૦૦૭માં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ભાજપ સમર્થિત એનડીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના ઈલેક્ટોરલ કોલેજમાં ૪૮ ટકાથી વધુ વોટ શૅર ધરાવે છે અને તેના ઉમેદવારને વિપક્ષના ઉમેદવાર કરતાં સ્પષ્ટ લાભ મળશે. નવી દિલ્હીમાં મંગળવારે મોડી સાંજે વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ૨૦ જેટલા નામોની ચર્ચા થઈ હતી.

વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મેદાનમાં ઉતારતા ૧૮મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાશે. મતગણતરી ૨૧મી જુલાઈએ થશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૨૯ જૂન છે.

May 31, 2022
upsc-topper.jpg
1min324

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં લેવાયેલી સિવિલ સર્વિસિસની પરીક્ષાના પરિણામોમાં ટોચની ત્રણ રૅન્ક ગર્લ્સને ફાળે ગઈ છે. ૬૮૫ ઉમેદવારોમાં પ્રથમ સ્થાન શ્રુતિ શર્માએ, બીજું સ્થાન અંકિતા અગ્રવાલે અને ત્રીજું સ્થાન ગામિની સિંગલાએ પ્રાપ્ત કર્યા છે. ઉત્તીર્ણ થયેલા ૬૮૫ પરીક્ષાર્થીઓમાં ૫૦૮ યુવકો અને ૧૭૭ યુવતીઓનો સમાવેશ હતો. ઉત્તીર્ણ ઉમેદવારોની કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓમાં નિયુક્તિની ભલામણ યુ.પી.એસ.સી.એ કેન્દ્ર સરકારને કરી છે. 

પ્રથમ સ્થાને આવેલી શ્રુતિ શર્મા દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસમાં સ્નાતક, બીજા સ્થાને આવેલી અંકિતા અગ્રવાલ દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. અંકિતાએ વૈકલ્પિક વિષયો રાજ્યશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બીજી રૅન્ક મેળવી છે. કૉમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક (બૅચલર ઑફ ટેક્નોલૉજી)ની ડિગ્રી મેળવનારી ગામિની સિંગલાએ વૈકલ્પિક વિષય રૂપે સોશિયોલૉજીમાં ત્રીજી રૅન્ક મેળવી હતી. ઐશ્ર્વર્ય વર્માએ ચોથી અને ઉત્કર્ષ દ્વિવેદીએ પાંચમી રૅન્ક મેળવી હતી. ટોચના પચીસ ઉમેદવારોમાં ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફળ ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા અને પરીક્ષામાં પાસ ન થયા હોય એવા ઉમેદવારોને ઉદ્બોધનમાં પ્રોત્સાહનના શબ્દો કહ્યા હતા.


યુ.પી.એસ.સી.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સફળ ઉમેદવારોમાં ટોચના પચીસ ક્રમ પ્રાપ્ત કરનારા ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષામાં વૈકલ્પિક વિષયોમાં નૃવંશશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ, હિન્દી સાહિત્ય, ઇતિહાસ, ગણિત, તબીબી વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો, સાર્વજનિક વહીવટ, સમાજશાસ્ત્ર (સોશિયોલૉજી) અને ઝૂઓલૉજીની પસંદગી કરી હતી.

May 29, 2022
handicraft.jpg
1min203

યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા વિકસિત દેશોમાં, કોવિડ સમયગાળા દરમિયાન જારી કરવામાં આવેલા વિશેષ ભથ્થાઓએ જોધપુરમાંથી હસ્તકળાની નિકાસમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જોધપુરથી હસ્તકળા નિકાસ લગભગ રૂ. ૫૫૦ કરોડથી ૧૭.૫ ટકા વધીને રૂ. ૩,૭૦૦ કરોડ 
થઈ છે.

૨૦૨૦-૨૧માં રાજસ્થાનના આ શહેરમાંથી રૂ. ૩,૧૫૦ કરોડના હસ્તકળાની નિકાસ કરવામાં આવી હતી. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડિક્રાફ્ટ’ના ડેટા અનુસાર, છેલ્લા ૫ાંચ વર્ષમાં જોધપુરમાંથી હેન્ડીક્રાફ્ટની નિકાસમાં રૂ. ૮૦૦ કરોડથી વધુનો વધારો થયો છે. આ દરમિયાન વિદેશ જતા ક્ધટેનરની સંખ્યા દર વર્ષે છ હજાર વધીને ૩૪,૮૯૭ થઈ હતી, જે ૨૦૨૦-૨૧માં ૩૦,૧૫૬ હતી. ૨૦૨૦-૨૧ સિવાય નિકાસમાં સતત વધારો થયો છે, ૨૦૨૦-૨૧માં કોવિડ લોકડાઉનને કારણે નિકાસ એકમો બંધ રહ્યા હતાં.

આગામી વર્ષમાં નિકાસ વધવાનો આશાવાદ હસ્તકળા એસોસિએશને વ્યક્ત કર્યો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન દેશોમાં કોવિડ ભથ્થુ તેમજ બેરોજગારી ભથ્થુ વધતાં લોકોએ ઘરની સજાવટ પાછળ ખર્ચ વધાર્યો છે. કોરોના મહામારીના કારણે સૌથી વધુ પ્રતિકૂળ અસર પણ હસ્તકળા ઉદ્યોગને થઈ હતી. તે દરમિયાન ૪૦ ટકા લોકોની રોજગારી છીનવાઈ હોવાનો અંદાજ છે.

હસ્તકળાની નિકાસ વધવા પાછળના ૩ મુખ્ય કારણો જોઇએ તો વર્ક ફ્રોમ હોમ કોવિડમાં બહાર જવા પર પ્રતિબંધ હતો અને બજારો બંધ હતા. આવી સ્થિતિમાં ઘરેથી કામ કરતા લોકોએ ફર્નિચર અને ડેકોરેશન પર વધુ ધ્યાન આપ્યું, કોવિડ ભથ્થું ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુરોપના ઘણા દેશોમાં કોવિડ ભથ્થું આપવામાં આવ્યું હતું. જેના કારણે લોકોએ ઘરની સજાવટ પર ખર્ચો વધાર્યો અને વેપાર યુદ્ધ વેપાર યુદ્ધના કારણે ચીનથી અમેરિકામાં નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, અમેરિકાના મોટાભાગના ઓર્ડર ભારતમાં શિફ્ટ થયા છે. 

આ કારણોસર હસ્તકલાની નિકાસમાં વધારો થયો છે. ક્ધટેનરની અછત અને મોંઘવારી મોટા પડકારો છે. હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટમાં અચાનક વધારો થયો છે. ચીન-અમેરિકા વેપાર યુદ્ધ પણ તેનું એક કારણ હતું. જો કે, તેમાં વધુ વધારાનો આશાવાદ હતો. પરંતુ ક્ધટેનરની અછતની સમસ્યાઓના કારણે તેમાં વૃદ્ધિ અટકી હતી. 

May 16, 2022
thomas.jpg
1min280

ભારત પહેલીવાર ચેમ્પિયન

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમનો ફાઇનલમાં ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક વિજય: થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં ભારતને પહેલીવાર સુવર્ણ ચંદ્રક

બેંકોક, તા.1પ: ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 73 વર્ષમાં પહેલીવાર થોમસ કપમાં ચેમ્પિયન બની છે. આજે રમાયેલા ફાઇનલમાં ભારતે 14 વખતની પૂર્વ વિજેતા ટીમ ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રતિષ્ઠિત થોમસ કપમાં સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો. પાંચ મેચના ફાઇનલ મુકાબલામાં ભારતે બે સિંગલ્સ અને એક ડબલ્સ મેચમાં યાદગાર વિજય મેળવીને ઇન્ડોનેશિયાને 3-0થી રોળી નાંખ્યું હતું. ભારતીય બેડમિન્ટન ટીમની આ સ્વર્ણિમ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા કહ્યંy છે કે આપની સફળતા પર દેશ ગર્વ મહેસૂસ કરી રહ્યો છે. ખાસ વાત એ રહી હતી કે ફાઇનલ પહેલા ઇન્ડોનેશિયાની ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી, પણ ફાઇનલમાં ભારતીય શટલર્સ સામે નતમસ્તક થઈ ગઈ હતી.

ફાઇનલમાં ભારતીય જીતના હીરો યુવા લક્ષ્ય સેને પહેલા સિંગ્લસમાં ઇન્ડોનેશિયાના ખેલાડી એન્થોની સિનિસુકા ગિનટિંગ વિરુદ્ધ 8-21, 21-17 અને 21-16થી શાનદાર જીત મેળવી હતી. પહેલી ગેમ આસાનીથી હારી જનાર યુવા લક્ષ્ય સેને બાદમાં જોરદાર વાપસી કરીને બાકીની બે ગેમ જીતની ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. આ પછી ડબલ્સ મુકાબલામાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઇરાજ રંકીરેડ્ડીએ ઇન્ડોનેશિયાની જોડી મોહમ્મદ અનસ-કેવિન સંજયા સુકામુલજો વિરુદ્ધ 18-21, 23-21 અને 21-19થી વિજય મેળવીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. બીજા સિંગ્લ્સ મેચમાં અનુભવી કિદાંબી શ્રીકાંતે એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ખેલાડી જોનાથન ક્રિસ્ટીને 21-1પ અને 23-21થી હાર આપી હતી. આ જીત સાથે ભારતની 3-0થી અતૂટ સરસાઈ થઈ ગઈ હતી અને થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બની હતી.

થોમસ કપમાં અત્યાર સુધી ફક્ત પાંચ ટીમ જ ચેમ્પિયન
થોમસ કપ અત્યાર સુધી 32 વખત રમાયો છે. જેમાં ફક્ત પાંચ દેશ જ ચેમ્પિયન બન્યા છે. ઇન્ડોનેશિયા થોમસ કપની સૌથી સફળ ટીમ છે. તેનાં નામે 14 ખિતાબ છે પણ આ વખતે તે ભારત સામે હાર્યું છે. ચીનનાં નામે 10 અને મલેશિયાના નામે પ ખિતાબ છે જ્યારે જાપાન અને ડેનમાર્ક એક-એક વખત ચેમ્પિયન થયા છે. હવે ભારત પહેલીવાર વિજેતા બની છે.

May 8, 2022
gujarat-high-court.jpg
1min515

ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે જમીન ખરીદી મામલે ગુજરાત હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખરીદનારે જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી ચૂકવવાનો થાય છે. અત્યાર સુધી બિલ્ડરો જમીન ખરીદનાર પાસેથી જીએસટી ઉઘરાવીને સરકારમાં જમા કરતા હતા. પરંતુ આ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ આ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે.

સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે’ જણાવ્યું હતું કે, જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં.”
હાઇકોર્ટે જણાવ્યું છે કે જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી વસુલી શકાશે.’ છેલ્લા કેટલાક સમયથી જમીન વેચાણ પર જીએસટી લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. જીએસટીના ડરથી બિલ્ડરો પણ જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે જીએસટી ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા.’

કેન્દ્ર પોતાની યોજનામાં 33 ટકા જમીન કિંમત બાદ કરીને બાકીની રકમ પર જીએસટી વસૂલશે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. તેને હાઇકોર્ટમાં પડકારાયો હતો.’

March 8, 2022
nari.jpg
5min523

આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહિલાઓનાં સશક્તિકરણ માટે અસાધારણ કાર્ય કરનાર ૨૯ મહિલાઓ અને સંસ્થાઓને વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માટેનો ‘નારી શક્તિ’ પુરસ્કાર આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઍવૉર્ડ વિજેતા મહિલાઓ સાથે વાતચીત કરશે. વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ પ્રત્યેકના ૧૪ ઍવૉર્ડ કુલ ૨૯ મહિલાને આપવામાં આવશે. 

ખાસ કરીને સમાજના વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગની મહિલાઓનાં સશક્તિકરણ માટે તેમણે કરેલાં કાર્યો બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવશે. સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવનાર મહિલાઓને આ પુરસ્કારથી નવાજવામાં આવશે.

સમાજમાં સમાનતા લાવવા અને મહિલાઓને પ્રોત્સાહન આપવા આ પુરસ્કાર આપવામાં આવશે. 

Nari Shakti Puruskar 2020

Sl. NoNameState/ UTDomain
 Anita GuptaBiharSocial Entrepreneur
 Ushaben Dineshbhai VasavaGujaratOrganic farmer & Tribal Activist
 Nasira AkhterJammu & KashmirInnovator – Environmental Conservation
 Sandhya DharJammu & KashmirSocial Worker
 Nivruti RaiKarnatakaCountry Head, Intel India
 Tiffany BrarKeralaSocial Worker – Working for Blind people
 Padma YangchanLadakhRevived the lost cuisine & clothing in Leh region
 Jodhaiya Bai BaigaMadhya PradeshTribal Baiga Art Painter
 Saylee Nandkishor AgavaneMaharashtraDown syndrome affected Kathak Dancer
 Vanita Jagdeo BoradeMaharashtraFirst Women Snake Rescuer
 Meera ThakurPunjabSikki Grass Artist
 Jaya Muthu, Tejamma  (Jointly)Tamil NaduArtisans – Toda embroidery
 Ela Lodh (Posthumous)TripuraObstetrician & Gynecologist
 Arti RanaUttar PradeshHandloom Weaver & Teacher
 Nari Shakti Puruskar 2021 
 Sathupati Prasanna SreeAndhra PradeshLinguist – preserving minority tribal languages
 Tage Rita TakheArunachal PradeshEntrepreneur
 Madhulika RamtekeChhattisgarhSocial Worker
 Niranjanaben Mukulbhai KalarthiGujaratAuthor & Educationist
 Pooja SharmaHaryanaFarmer & Entrepreneur
 Anshul MalhotraHimachal PradeshWeaver
 Shobha GastiKarnatakaSocial Activist – Working for ending Devadasi system
 Radhika MenonKeralaCaptain Merchant Navy – First woman to receive award for Exceptional Bravery at Sea from IMO
 Kamal KumbharMaharashtraSocial Entrepreneur
 Sruti MohapatraOdishaDisability Rights Activist
 Batool BegamRajasthanMaand & Bhajan Folk Singer
 Thara RangaswamyTamil NaduPsychiatrist & Researcher
 Neerja MadhavUttar PradeshHindi Author – working for rights for transgenders and Tibetan refugees
 Neena GuptaWest BengalMathematician
February 26, 2022
suman_cs.jpg
1min522

40 વર્ષીય ગૃહિણી અને બે બાળકોના માતાએ આ વાતને ખોટી સાબિત કરી છે. તેમણે CS (Company Secretaries)ની પરીક્ષા પાસ તો કરી ઉપરાંત ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) પણ મેળવ્યો. ઘરના કામકાજ અને અભ્યાસના સમય વચ્ચે સંતુલન જાળવીને આ ગૃહિણીએ પ્રોફેશનલ પ્રોગ્રામ (જૂનો અભ્યાસક્રમ)માં AIR 4 મેળવ્યો છે. પરિણામ શુક્રવારે જાહેર થયું છે. દેશના ટોપ 10ની યાદીમાં દક્ષિણ ગુજરાતના કુલ ત્રણ વિદ્યાર્થીઓ છે. દક્ષિણ ગુજરાતના બે અન્ય વિદ્યાર્થીઓમાંથી એકે પ્રોફેશનલ પ્રોગ્રામ (નવો અભ્યાસક્રમ)માં AIR 3 અને બીજા વિદ્યાર્થીએ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (નવો અભ્યાસક્રમ)માં AIR 9 મેળવ્યો છે.

900માંથી 453 માર્ક્સ મેળવનારાં સુમન સૌરભે જણાવ્યું કે તેઓ આ સિદ્ધિથી ખૂબ ખુશ છે. “શરૂઆતમાં હું CS મિતેશ દેસાઈ પાસે શીખવા જતી હતી પરંતુ ઘરની જવાબદારીઓ અને મહામારીના કારણે મેં ઓનલાઈન ક્લાસ ભરવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોને શંકા હતી કે હું આ પરીક્ષા પાસ કરી શકીશ કે કેમ? શંકા દાખવવાનું તેમનું પાસે કારણ પણ હતું કારણકે હું 2016થી પરીક્ષા આપી રહી હતી પરંતુ સફળ નહોતી થઈ. જોકે, આ વખતે મેં દ્રઢ નિર્ણય કર્યો કે હું પરીક્ષા પાસ કરીશ અને એક જ વારમાં કાયમ માટે ટીકાખોરોનું મોં બંધ કરી દઈશ. મેં પરીક્ષાની તૈયારી શરૂ કરી અને પરિવારે પણ મને બનતી બધી જ મદદ કરી હતી”, તેમ વલસાડમાં રહેતાં અને આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલા સુમન સૌરભે ઉમેર્યું.

જીએસટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં પતિ, બેંગાલુરુમાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કરતો દીકરો અને ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરીએ પણ આખી જર્નીમાં સુમનબેનનો સપોર્ટ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું, “સીએસના વિદ્યાર્થીઓની આગામી પેઢીને મારી સલાહ છે કે એકવાર અભ્યાસક્રમ પૂરો થઈ જાય પછી રિવિઝન કરવું ખૂબ જરૂરી છે અને તે પસંદગીના મુદ્દાઓનું થવું જોઈએ.”

February 22, 2022
Reyansh-copy.jpg
1min450

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

શ્રેય અને સુરતીઓ વચ્ચે ગજબનું બોન્ડીંગ છે. પદ્મશ્રી જેવો ખિતાબ પામવાનું શ્રેય હોય કે પછી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોય, સુરતીઓની પ્રકૃતિમાં શ્રેય પામવાની બાબત સાહજિક છે. અહીં એવા સુરતી ટાબરીયા રેયાન્સ મિતુલ સુરાણીની વાત કરી રહ્યો છું જેણે માત્ર 10 વર્ષની ઉંમરમાં જ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વમાં સૌથી નાની ઉંમરે પ્રોફેશનલ યોગ ગુરુ બનવાનો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. હાલમાં મિતુલ સુરાણી પરિવાર સાથે દુબઇ સેટલ થયા છે અને દુબઇમાં રેયાન્સ 50 લોકોને હાલમાં યોગાની પ્રોફેશનલ ટ્રેનિંગ આપી રહ્યો છે. 

વિશ્વમાં સૌથી નાની વયે યુગ ગુરુ બનવાનો વિશ્વ વિક્રમ

સમગ્ર વિશ્વના સોશ્યલ મિડીયામાં હાલ આ સમાચાર વાઇરલ થઇ રહ્યા છે કે જેમાં મૂળ સુરતના સૂરાણી પરિવારનો 10 વર્ષનો રેયાંશ સુરાણી સત્તાવાર રીતે દુનિયાનો સૌથી નાની ઉંમરનો યોગ ઈન્સ્ટ્રક્ટર બન્યો છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝે તેના આ વિક્રમને સર્ટિફાઇડ કરીને તેને બહુમાન આપ્યું છે. મિતુલ સુરાણીના પારિવારીક મિત્ર સુરતના જગદીશ ઇટાલિયાએ આપેલી માહિતી મુજબ રેયાન્સને પરિવારમાંથી જ યોગ પ્રત્યેની રૂચી વધી હતી અને માત્ર એક વર્ષની નાની ઉંમરે જ એ યોગાસન કરતો થઇ ગયો તો.

રેયાન્સને યોગમાં એટલી લગન લાગી ગઇ હતી કે વ્યાવસાયિક યોગ ગુરુઓ જે પ્રકારની ટ્રેનિંગ લેતા હોય છે એવા યોગ ટીચર્સ ટ્રેનિંગ કોર્સ માટે રેયાંશ એક મહિનો ઋષિકેશ રહ્યો હતો અને કઠિન ગણાતી ટ્રેનિંગ સફળતાપૂર્વક પાર કરી હતી. આજે માત્ર દસ વર્ષની ઉંમરે રેયાન્સ જે પ્રકારના યોગાસન કરી રહ્યો છે એ ભલભલા એક્સપર્ટસને પણ છક્કડ ખવડાવી દે તેવા હોય છે. યોગની અલ્ટીમેટ સિદ્ધિ હાંસલ કરતા રેયાંશ સુરાણીએ (ઉંમર 10) 27 જુલાઈ 2021ના રોજ નવ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી નાની ઉંમરના સર્ટિફાઈડ યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે ગિનિસ રેકોર્ડમાં નામ નોંધાવી અશક્ય સિદ્ધિ હાંસલ કરી છે. 

 સૌથી નાની વયના યોગ ગુરુ હવે મેટાવર્સને યોગ શીખવવા માગે છે

ગિનિસ બૂક ઓફ રેકોર્ડના પ્રેસ રિલીઝમાં રેયાંશે કહ્યું હતું કે, જ્યારે મને પહેલીવાર ખબર પડી કે અમે ભારતમાં ઋષિકેશ જઈ રહ્યા છીએ, ત્યારે હું ગ્રામીણ જીવન જીવવા માટે ઉત્સુક હતો. દુનિયાની તે બાજુમાં મેં પહેલીવાર જોઈ, જ્યાં આધ્યાત્મિકતા વધારે છે’. રેયાંશ પાસે ઈન્ટરનેટ કે એસીની સુવિધા પણ નહોતી. તે જલ્દીથી નવા વાતાવરણ સાથે અનુકૂળ થઈ ગયો હતો. ‘હું અલાઈનમેન્ટ, એનાટોમિક ફિલૉસોફી અને આયુર્વેદના પોષક તથ્યો વિશે શીખ્યો. તે એક તીવ્ર અભ્યાસક્રમ છે’, તેમ રેયાંશે પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું. હવે તેનું ડ્રીમ છે કે એ મેટાવર્સમાં જઇને યોગની ટ્રેનિંગ આપે.

February 8, 2022
vaccination_gujarat.jpg
1min291

પહેલી માર્ચ 2021થી સમગ્ર દેશમાં 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ વયના કો.મોર્બિડ લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત કોરોનાની રસી આપવામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યને શ્રેષ્ઠ રસીકરણ અભિયાનનો એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે આજે Dt.8/2/22, સવારે 10 વાગ્યે અને 10 મિનિટે કોરોનાની રસીના 10 કરોડ ડોઝ અપાયાનો રેકોર્ડ સર્જાયો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ 10 કરોડ ડોઝની સિધ્ધિ સંદર્ભે સવારે 10 વાગ્યે અને 10 મીનિટે અમદાવાદના સનાથલ ગામમાં “હર ઘર દસ્તક” દઇ ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો હતો. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ રસીના ડોઝ આપવામાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર હોવાનું તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં અને રાજ્યમાં 16મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો.

12મી જાન્યુઆરી-2021ના રોજ ગુજરાતને ભારત સરકાર તરફથી કોવિડ-19 રસીનો જથ્થો પ્રાપ્ત થયો હતો. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય છે. 31મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજથી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું. 1 માર્ચ, 2021થી આખા દેશની સાથે, ગુજરાતમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને કોવિડ-19 રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.

1 લી એપ્રિલ, 2021 થી 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.1 લી મે, 2021ના રોજથી રાજ્યમાં રાજ્યના 7 કોર્પોરેશન તથા 3 જિલ્લા માં 18થી 44 વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારબાદ 4થી જુન, 2021થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.3 જાન્યુઆરી 2022 ના રોજ રાજ્યના 15 થી 17ની વયના તરૂણો માટે કોરોના રસીકરણ કામગીરી શરૂ થઇ હતી.10 મી જાન્યુઆરીએ રાજ્યના કોરોના વોરીયર્સ, ફ્રંટલાઇન વોરીયર્સ અને વયસ્કો માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ હતી.

January 26, 2022
Flight-Lieutenant-Shivangi-Singh-Rafale-Jet.jpg
1min430

દેશના પ્રથમ મહિલા રાફેલ જેટ પાયલોટ ફ્લાઈટ લેફ્ટિનેન્ટ શિવાંગી સિંહે બુધવારે ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતીય વાયુ સેના(IAF)ની ઝાંખીમાં હિસ્સો લીધો હતો. તેઓ ભારતીય વાયુસેનાની ઝાંખીનો હિસ્સો બનનારા બીજા મહિલા ફાઈટર જેટ પાયલોટ છે. ગત વર્ષે ફ્લાઈટ લેફ્ટિનેન્ટ ભાવના કંઠ IAFની ઝાંખીનો હિસ્સો બનનારા પ્રથમ મહિલા ફાઈટર જેટ પાયલોટ બન્યા હતા. શિવાંહી સિંહ બનારસના છે. તેઓ 2017માં IAFમાં સામેલ થયા હતા. રાફેલ ઉડાડવાની પહેલા તેઓ મિગ-21 બાઈસન વિમાન ઉડાડી ચુક્યા છે. 

શિવાંગી સિંહ પંજાબના અંબાલા સ્થિત IAFના ગોલ્ડન એરો સ્ક્વોડ્રનનો હિસ્સો છે. તેઓ ફુલવરિયા વિસ્તારમાં રહેતા કારોબારી કુમારેશ્વર સિંહના દીકરી છે. વિજ્ઞાનમાં સ્નાતક કરતી વખતે જ તેઓ એર એનસીસીમાં જોડાયા હતા. સૌથી પહેલા તેમણે બીએચયુ ખાતે વિમાન ઉડાડવાની ટ્રેઈનિંગ લીધી હતી. તેમના નાના પણ ભારતીય સેનામાં હતા. શિવાંગીને તેમના પાસેથી જ પ્રેરણા મળી હતી અને તેઓ પણ દેશની સેવા કરવા માટે વાયુસેનામાં ભરતી થયા હતા.