CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 38 of 42 - CIA Live

August 18, 2018
irda.jpg
7min321150
Jayesh Brahmbhatt   98253 44944
ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ મેડીક્લેમ પોલિસીની નીતિમાં એક ધરખમ અને આવશ્યક ફેરફાર એ કર્યો છે કે મેડિક્લેમનો લાભ લેવો હોય તો મેડીક્લેમ પોલિસી ધારકે એવી હોસ્પિટલમાં જ સારવાર લેવી પડે કે જે હોસ્પિટલ ઓછામાં ઓછા 15 બેડ ધરાવતી હોય. ઇરડા એ તમામ પ્રકારની મેડિકલ પોલિસીમાંથી આ શરત કાઢી નાંખી છે. હવે મેડિક્લેમ પોલિસી ધારક ક્યાંય પણ કોઇપણ હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં સારવાર લઇ શક્શે. ઇરડાના આ ફેરફારને કારણે ભારતના હજારો નાના તબીબો ઉપરાંત લાખો મેડિક્લેમ પોલિસી ધારકોને મોટો ફાયદો થશે.
અત્યાર સુધી એવું બનતું હતું કે ગ્રામીણ વિસ્તાર તેમજ એવા નાના નગરો કે જ્યાં 15 બેડથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલ, નર્સિંગ હોમ ન હોવાના કારણે મેડિક્લેમ ધરાવતા ગામવાસીઓએ મોટા શહેરોની મોટી હોસ્પિટલોમાં સારવાર કરવા માટે આવવું પડતું હતું. આવી સ્થિતિ ભારતના લાખો મેડિકલેમ ધારકોની થઇ રહી હતી. નાનું દવાખાનું, નાનું નર્સિંગ હોમ ધરાવતા ગ્રામિણ વિસ્તારના તબીબો, છેવાડાના વિસ્તારમાં સક્રિય હોય તેવા તબીબો કે જેમની પાસે 15 બેડથી ઓછા બેડ હોય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેમની પાસે કોઇ મેડિક્લેમ ધારકો સારવાર માટે જતા ન હતા, આવા તબીબોને પણ ધંધો રોજગારથી વંચિત રહેવું પડતું હતું.
  • દેશના લાખો મેડિક્લેમ પોલિસી ધારકો તેમજ હજારો નાના તબીબોને મોટો ફાયદો
  • ગામડાના નાના નર્સિંગ હોમમાં પણ હવે સારવાર લઇ શકાશે અને મેડિક્લેમ પાસ થશે
  • મેડિક્લેમ પાસ કરાવવા માટે ગરીબ મધ્યમવર્ગીય પોલિસી ધારકોએ મોટી હોસ્પિટલોના બિનજરૂરી ખર્ચાના ખાડામાં ઉતરવું પડતું હતું
આમ ભારતમાં લાખો મેડિક્લેમ ધારકો તેમજ હજારો તબીબોને પડતી આ કઠણાઇને ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ આખરે દૂર કરી દીધી છે. મેડિક્લેમ પોલિસીમાં રહેલી ઓછામાં ઓછા 15 બેડ ધરાવતી હોસ્પિટલમાં જ સારવાર લેવાની શરતને કાયમ માટે દૂર કરી દેવામાં આવી છે.
એકલા મુંબઇની જ વાત કરીએ તો 1200 નર્સિગ હોમ્સમાંથી 684 નર્સિંગ હોમ એવા છે કે જ્યાં 15 બેડની સુવિધા નથી તેનાથી ઓછી સંખ્યામાં બેડ ધરાવે છે. મુંબઇના 7500 તબીબોનું સભ્યપદ ધરાવતા ધ એસોસિએશન ઓફ મેડિકલ કન્સલ્ટન્ટસ નામના સંગઠન દ્વારા મુંબઇ હાઇકોર્ટ સમક્ષ એવી પિટીશન ફાઇલ કરવામાં આવી હતી જેમાં મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ 15 પથારીવાળી હોસ્પિટલમાં સારવાર લેવાની શરતને કાઢી નાંખવા અંગેની દાદ માંગવામાં આવી હતી.
મુંબઇના તબીબ સંગઠનની પિટીશનની સુનવણી દરમિયાન ગઇ તા.5મી જુલાઇએ મુંબઇ હાઇકોર્ટમાં ઇરડા તરફથી એવું પ્રોસિડિંગ્સ રજૂ કરવામાં આવ્યું હતું કે ઇરડાએ મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ 15 બેડની હોસ્પિટલમાં સારવાર લેવા સંદર્ભની શરતને કાઢી નાંખી છે. ફક્ત એવા નર્સિંગ હોમમાં મેડિક્લેમ ધારકે સારવાર લેવી પડશે કે જેનું રજિસ્ટ્રેશન સ્થાનિક સત્તામંડળ (લોકલ ઓથોરિટી)માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ 2010 અન્વયે થયેલું હોવું જોઇએ. અથવા તો શિડ્યુલ ઓફ સેક્શન 56 (1) અન્વયે કાર્યવાહી થયેલી હોવી જોઇએ.
15 બેડની હોસ્પિટલનો કાનૂન સામાન્ય ગરીબ-મધ્યમવર્ગીય પોલિસી ધારકો માટે અન્યાયી હતો કેમકે પોલિસી ધારકોએ ફરજિયાત મોટી હોસ્પિટલ્સમાં સારવાર લેવી પડતી અને તેના બિનજરૂરી ખર્ચાઓ તો સહન કરવા પડતા પરંતુ મોટા ભાગના કિસ્સામાં હેરેસમેન્ટ તેમજ બિનજરૂરી ખર્ચામાં પણ ઉતરવું પડતું હતું. હવે મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ બેડની શરત દૂર થતાં દેશના લાખો મેડિક્લેમ પોલિસી ધારકોનો મોટો ફાયદો થયો છે.
ભારતમાં હોસ્પિટલમાં જુદી જુદી કેટેગરીથી દર્દીઓને આકર્ષવામાં આવે છે જેમાં પ્રાઇવેટ એસી રુમ, પ્રાઇવેટ નોનએસી રૂમ, ટ્વીન શેરિંગ રૂમ, જેવા રૂમ તેવો ચાર્જ, જેવી હોસ્પિટલ્સ તેવા તબીબોની ફી ના ચાર્જીસ. ધનવાન પરિવારો મેડિક્લેમ ધરાવતા હોય ત્યારે આવા ખર્ચની ફિકર કરતા નથી હોતા કેમકે તેમની મેડિક્લેમ પોલિસી તમામ સુવિધા સંપન્ન કેશલેશ હોય છે જ્યારે સિમીત મેડિક્લેમ પોલિસી ધરાવતા ધારકો માટે મોટી હોસ્પિટલો ખર્ચાના ખાડા સમાન બની રહેતી હતી.

For English Readers

Courtesy : https://www.moneylife.in/article/irda-removes-hospitalsrsquo-lsquominimum-bedrsquo-condition-for-mediclaim/33531.html

 

IRDA removes hospitals’ ‘minimum bed’ condition for mediclaim

A wrong decision by the insurance regulator bites the dust. The requirement of a hospital to have minimum 15 beds for it to be covered under mediclaim has been scrapped. The benefit to include smaller nursing homes far exceeds the risks of any mediclaim fraud

Insurance Regulatory and Development Authority’s (IRDA) guidelines on standardization in health insurance defined hospital with at least 10 in-patient beds, in those towns having a population of less than 10 lakh and with 15 in-patient beds at other places. It was becoming a big issue for small nursing homes as mediclaim policyholders would not been covered there. Nursing home owners had termed the move as ‘unreasonable’.
In Mumbai, 684 out of 1,200 nursing homes have less than 15 beds. The Association of Medical Consultants (AMC), a body of over 7,500 doctors in the city, had also filed a petition challenging IRDA’s circular on bed restriction for mediclaim cover.
On 5th July, IRDA told the Bombay High Court that it has withdrawn the bed restriction clause. The hospitals will need to be registered with the local authorities under the Clinical Establishments (Registration and Regulation) Act, 2010, or under the enactments specified under the Schedule of Section 56(1) of the said Act.
IRDA’s diktat on bed restriction in the guidelines was seen as not just against smaller healthcare providers but also against the public. Policyholders would have been pushed to undergo treatment at bigger hospitals which in most cases charge more than smaller nursing homes. As such, policyholders feel harassed with partial claims settlement and it will only increase with higher bill amounts from bigger hospitals.
In India, the category of room (private a/c, private non a/c, twin sharing, etc) also determines all the other incremental charges associated with it. The better the room, higher the associated charges even including doctor’s fees. Mediclaim policyholders having high coverage may not negotiate with the hospital on the amount being charged and will avail better facilities even for ordinary hospitalization just to reap the benefit of paying premium to the insurance company over the years.
When a mediclaim policy offers ‘cashless’ at high-end hospitals like Hinduja and Lilavati in Mumbai, it is tempting for the insured to indulge in the best of medical treatment even for non-life-threatening procedures. There can be a huge variation in costs among different hospitals for the same procedure. The insured may not worry, as making a claim is looked at as “payback time” for getting the benefit of premium payment over a period of time. The insurer pays the claim but, ultimately, the insured pays with possible increase in the premium.
Even in the case of Moneylife’s group insurance claim for kidney stone removal, we had excellent small nursing home option nearby which would have provided good, clean and cost-effective treatment. However, the employee had to go for expensive alternative due to lack of cashless facility with these small nursing homes. Imagine, what happens if the nursing home is not even covered under mediclaim. Those who are willing to go even for reimbursement claim would have been ineligible. IRDA has taken right step in backing out of the bed restriction clause.
One of the main reasons that would have prompted IRDA to include the bed restriction in the new health insurance guidelines is the possibility of mediclaim fraud from smaller nursing homes with or without TPA support. But, inflated bills can come from any size hospital. The bigger the hospital, the higher are the charges that are levied. Unnecessary tests can be done by any hospital once you declare that you have mediclaim cover.
Last year, a leading Mumbai-based surgeon (who prefers to remain anonymous) gave insights into working of high-end hospitals. He said, “Insurance companies find it difficult to determine the opaque cost of the implant charged by big hospitals. These hospitals can buy implants as bulk purchases and are also sourced from different places to save on taxes; Maharashtra has 10.5% sales tax plus octroi, Hyderabad has 4.5% while Chennai does not have any tax. Bigger hospitals also sell implants to smaller hospitals at different rates. The MRP (maximum retail price) on the box has no relevance to the actual cost to the hospital. Medicines are purchased by bigger hospitals at an unfathomable discount. Hospitals makes money only from pharma items (implants, medicines), nothing else; otherwise it is a white elephant.”
August 17, 2018
712649-atal-bihari-vajpayee-1.jpg
1min10330

 

1942 : ભારત છોડો ચળવળમાં જોડાયા, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલવાસ.

1951 : અગાઉના જનસંઘના સ્થાપક-સભ્ય.

1957 : જનસંઘના નેતા બન્યા, 1957માં લોકસભામાં ચૂંટાયા.

1962 : રાજ્યસભામાં ચૂંટાયા.

1968 : ભારતીય જનસંઘના પ્રમુખ (1968-1973)

1975 : કટોકટી દરમિયાન ઘરમાં નજર કેદ રખાયા.

1977 : પ્રથમ બિન કૉંગ્રેસી વિદેશ પ્રધાન બન્યા.

1979 : સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રથમવાર હિન્દીમાં યાદગાર ભાષણ.

શ્યામા પ્રસાદ મુખરજીના મૃત્યુએ પત્રકાર વાજપેયીને રાજકારણી બનાવ્યા

દેશના મહાન વડા પ્રધાનોમાંના એક અને દિગ્ગજ રાજનેતા અટલ બિહારી વાજપેયી એક સફળ પત્રકાર પણ હતા. પોતાની કરિયરના પ્રારંભિક તબક્કામાં વાજપેયી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પત્રકાર હતા. અટલજીના રાજકારણમાં પ્રવેશવા પાછળ એક પ્રેરણાદાયક ઘટના છે.

એક સ્કૂલ ટીચરના ઘરે જન્મેલા વાજપેયીએ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પત્રકારત્વમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન જેવાં અખબારો-મૅગેઝિનોનું સંપાદન કર્યું. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા અને આ સંગઠનની વિચારધારાની અસરને કારણે જ તેમનામાં દેશ માટે કંઈ કરી છૂટવાની, સામાજિક કાર્ય કરવાની ભાવના પ્રબળ બની હતી. આના માટે પત્રકારત્વ યોગ્ય માર્ગ જણાતાં તેઓ પત્રકાર બની ગયા.

વાજપેયીના પત્રકારમાંથી રાજકારણી બનવા પાછળ એક મહત્ત્વની ઘટના કારણભૂત હોવાનું કહેવાય છે. આ સંદર્ભે ખુદ વાજપેયીએ તેમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.

ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી રહ્યા હતા. 1953માં ભારતીય જનસંઘના નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાના વિરોધમાં હતા. જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલી પરમિટ સિસ્ટમનો વિરોધ કરવા ડૉ. મુખરજી શ્રીનગર ગયા. પરમિટ સિસ્ટમ અનુસાર કોઈ પણ ભારતીયને જમ્મુ-કાશ્મીરમાં વસવાની મંજૂરી નહોતી. એટલું જ નહીં, બીજા રાજ્યની કોઈ પણ વ્યક્તિએ જમ્મુ-કાશ્મીરમાં જવા માટે સાથે ઓળખપત્ર રાખવાનું ફરજિયાત હતું. આનો વિરોધ કરી રહેલા ડૉ. મુખરજી પરમિટ સિસ્ટમ તોડી શ્રીનગર પહોંચી ગયા.

આ ઘટનાને કવર કરવા પત્રકાર તરીકે વાજપેયી પણ તેમની સાથે ગયા હતા. ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે હું તેમની સાથે હતો, પરંતુ તેમની ધરપકડ બાદ અમેે બધા પાછા આવી ગયા હતા. ડૉ. મુખરજીએ મને કહ્યું કે વાજપેયી, જાઓ અને દુનિયાને જાણ કરો કે હું કાશ્મીરમાં આવ્યો છું, એય કોઈ પરમિટ વગર.

આ ઘટનાના થોડા દિવસ બાદ જ નજરકેદમાં રહેલા ડૉ. મુખરજીનું બીમારીને કારણે નિધન થયું હતું. આ ઘટનાની વાજપેયી પર ખાસ્સી અસર થઈ. તેમને લાગ્યું કે ડૉ. મુખરજીના કામને આગળ ધપાવવું જોઈએ. પરિણામે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1957માં તેઓ પહેલી વાર સંસદસભ્ય બની લોકસભા પહોંચ્યા હતા.

1980 : પ્રમુખ, ભાજપ (1980-1986)

1984 : પોતાના વતન ગ્વાલિયરમાંથી લોકસભાની ચૂંટણીમાં હાર.

1992 : પદ્મવિભૂષણ ખિતાબની નવાજેશ.

1994 : લોકમાન્ય ટિળક પુરસ્કાર અને પંડિત ગોવિંદ વલ્લભ પંત એવૉર્ડ (શ્રેષ્ઠ સંસદસભ્ય)

1996 : વડા પ્રધાન બન્યા પણ તેમની સરકાર માત્ર 13 દિવસ રહી.

1998 : એનડીએ સત્તા પર આવતાં બીજી વાર વડા પ્રધાન બન્યા.

1998 : તેમની સરકારે મે, 1998માં પોખરણમાં સફળ અણુપરીક્ષણ કર્યું.

1999 : ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન સુધી બસ સેવા શરૂ કરી તેમના આપ્રયાસને બં દેશ વચ્ચેની પડતર સમસ્યાના નિરાકરણ માટે વાટાઘાટના નવા યુગના મંડાણ તરીકે વ્યાપક આવકાર મળ્યો.

ભારતે કારગિલ યુદ્ધ જીત્યું. ભારતની ધરતી પરથી ઘૂસણખોરોની પીછે હઠ કરવાની પરિસ્થિતિ ઊભી કરવાના સફળ પ્રયાસ બદલ સરાહના.

1999માં: 13 ઍપ્રિલે તેમની સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવતાં રાજીનામું આપ્યું.

1999માં: તેમના પક્ષ અને યુતિ પક્ષને ફરી સત્તા મળતાં 13 ઑક્ટોબરે ત્રીજીવાર વડા પ્રધાનના હોદ્દે શપથ લીધા.

2001 : આગ્રા શિખર પરિષદમાં મુશર્રફ સાથેની મંત્રણા પડી ભાંગી.

2002 : પહેલીવાર સંસદના સંયુકત સત્ર બોલાવ્યા.

2004 : તેમનો પક્ષ ચૂંટણીમાં હાર્યો.

2005 : રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત.

ડિસેમ્બર 25, 2014માં વાજપેયીના 90મા જન્મદિને ‘સુસાશન દિન’ તરીકે ઉજવણી કરાઈ.

માર્ચ 27, 2015- દેશના સર્વોચ્ચ ખિતાબ ભારત રત્નની નવાજેશ.

August 14, 2018
gavli.jpg
1min7020

અન્ડરવર્લ્ડ ડૉનમાંથી રાજકારણી બનેલો અરુણ ગવળી ગાંધી વિચારોની પરીક્ષામાં પહેલા નંબરે પાસ

મુંબઈની દગડી ચાલ પર એક સમયે ગુંડાગીરી કરીને જીવતો અરુણ ગવળી હાલ નાગપુરની જેલમાં સજા ભોગવી રહ્યો છે.
શિવસેનાના નગરસેવકની હત્યાના કેસમાં અરુણ ગવળી નાગપુરની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે.

દર વર્ષે નાગપુર જેલમાં સહયોગ ટ્રસ્ટ, સર્વોદય આશ્રમ અને મુંબઈ સર્વોદય મંડળ એમ ત્રણેય મળીને ગાંધી વિચારોની પરીક્ષાનું આયોજન કરે છે. પરીક્ષા સ્વૈચ્છિક હોય છે. જેલમાં એક મહિના પહેલાં ગાંધીના જીવન પરનાં અમુક પુસ્તકો આપવામાં આવે છે અને એના આધારે પરીક્ષા આપવાની હોય છે. અરુણ ગવળીને આ પરીક્ષા આપવાની ઇચ્છા થતાં તેણે પણ આ પરીક્ષા માટે નામ આપ્યું હતું.

અરુણ ગવળીને ગાંધી વિચારોના પેપરમાં કુલ ૮૦ માર્કમાંથી ૭૪ માર્ક મળ્યા છે. જેલમાં રહેલા હજારો કેદીમાંથી ૧૬૦ કેદીઓએ આ પરીક્ષા આપી હતી. એમાં અરુણ ગવળી પહેલા નંબરે પાસ થયો છે.

 

August 13, 2018
arohi2.jpg
1min11170

વિશ્ર્વભ્રમણ માટે ભારતની બે યુવતીઓ ૨૨ વર્ષની આરોહી પંડિત અને ૨૪ વર્ષની કૈથર મિસ્ક્વિટ્ટા ટચૂકડાં વિમાનમાં ઉડાન ભરી દુનિયાની સફરે નીકળી પડી છે. પંજાબની પતિયાલા એવિએશન ક્લબની મેમ્બર ટચુકડાં મોટર ગ્લાઈડર ગણાતાં લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ સાથે ત્રણેક માસ લાંબી સફરે નીકળી પડી છે. જેમાં તે ૪૦ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને ત્રણ ખંડના એકવીસ દેશનું પરિભ્રમણ કરી ભારતમાં નવો જ વિક્રમ રચશે.

આ બંને દીકરી ભારતની સરહદ છોડીને પાકિસ્તાન જતાં પૂર્વે ત્રણેક દિવસ ભુજમાં રોકાઈ હતી અને ગત સાતમી ઑગસ્ટે ભુજથી પાકિસ્તાનના કરાચી તરફ નીકળી ગઈ હતી. ભુજ એરપોર્ટના મેનેજરના જણાવ્યા અનુસાર બને પાઇલટ્સ ટચુકડાં પ્લેન સાથે અમદાવાદથી ભુજ આવી પહોંચી હતી. જો કે, એક-બે દેશના પાસપોર્ટ-વિઝાની પ્રક્રિયામાં વિલંબ થયો હોઈ તે ત્રણેક દિવસ સુધી ભુજમાં રોકાઈ હતી. આરોહી અને કૈથરના આ મિશનને દેશના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને નેવી બ્લ્યૂ ફાઉન્ડેશને સંયુક્ત રીતે સ્પોન્સર કર્યું છે. આ મિશનને વીઇ એટલે કે વુમન એમ્પાવરમેન્ટ નામ અપાયું છે .

ભુજ એરપોર્ટ સ્ટાફે પાકિસ્તાનની ઉડાન માટે રવાના થતાં પૂર્વે વિદાયમાન આપ્યું હતું. તો, કરાચી એરપોર્ટ પર પણ ભારતના હાઈકમિશનર અને પાકિસ્તાની સ્ટાફે બંનેનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આરોહી મરાઠીભાષી હોઈ ઍરપોર્ટ દ્વારા ખાસ તેની મદદ માટે મરાઠીભાષી સ્ટાફ તૈનાત રખાયો હતો. આરોહી અને કૈથરે જે નાનકડાં વિમાનમાં સાહસયાત્રા શરૂ કરી છે તે સિંગલ એન્જિન પ્લેનનું નામ છે માહી. સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે પૃથ્વીમાતા. આ વિમાન ૮૦ હોર્સપાવરનું છે. આ વિમાન કલાકના મહત્તમ ૨૧૫ કિલોમીટરની ઝડપે ઉડી શકે છે અને એક ટ્રીપ મહત્તમ ચાર કલાક સુધી ખેડી શકાય છે.

એવિએશન ઈન્ડસ્ટ્રીના તજજ્ઞોના જણાવ્યા મુજબ આવા પ્લેનમાં ઉડાન સંપૂર્ણપણે વાતાવરણ પર નિર્ભર રહેતી હોય છે. વિશ્ર્વભ્રમણે નીકળેલી આ સાહસવીર યુવતીઓ બર્ફિલા પહાડો, વિશાળ સમુદ્રો, બિહામણા કોતરો, બર્ફિલા ટુંડ્ર પ્રદેશ, અફાટ રણ અને ઘનઘોર જંગલોને પાર કરવાનાં આવશે. અનેક જગ્યાએ હવાનું ટર્બ્યુલન્સ નડવાની શક્યતા છે. તો માનવ વસતીવિહોણા વિસ્તારોમાં સફર ખેડતી વખતે અનેક બાબતો ધ્યાનમાં રાખવી પડશે.

ભુજથી કરાચી બાદ હાલ આ દીકરીઓ ઈરાન પહોંચી છે. અહીંથી તે તુર્કી, સ્લોવેનીયા, ઑસ્ટ્રીયા, એટલાન્ટિક રેન્જ પાર કરી કેનેડા પહોંચશે. ત્યાંથી અમેરિકા, રશિયા, ચાઈના, મ્યાનમાર વગેરે દેશોમાં થઈ ભારત પરત ફરશે. સિંગલ એન્જિન પ્લેન સાથે વિશ્ર્વભ્રમણના ઇતિહાસમાં નવી સિદ્ધિ અંકિત કરવા કૃતનિશ્ર્ચયી છે.

August 13, 2018
psp1.jpg
1min8600

સૂર્ય ફરતેના આગઝરતા વાતાવરણના રહસ્યો જાણવા તથા તેની અવકાશી હવામાન પર થતી અસરનો અભ્યાસ કરવા સાત વર્ષની અભૂતપૂર્વ સફરે રવિવારે નાસાનું પાર્કર સૉલર પ્રૉબ રવાના થયું હતું. સૂર્યને સ્પર્શવાના માનવજાતના પહેલા મિશનનું રવિવારે સફળ ઉડ્ડયન થયું હતું. કેપ કેનેવરલ ઍર ફૉર્સ સ્ટેશનના સ્પૅસ લૉન્ચ કૉમ્પ્લેક્સ ૩૭ પરથી દોઢ અબજ અમેરિકી ડૉલરના આ અવકાશયાનનું ભારતીય સમય પ્રમાણે રવિવારે બપોરે ૩.૩૧ કલાકે ઉડ્ડયન થયું હતું. જોકે શનિવારે પાર્કર સૉલર પ્રૉબને લઇ જનાર યુનાઇટેડ લૉન્ચ અલાયન્સ ડેલ્ટા ફૉર હેવી રૉકેટનું ઉડ્ડયન થવાનું હતું. આ ઉડ્ડયનને સાવ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યું હતું.

નાસાએ પોતાના બ્લૉગ પૉસ્ટ પર જણાવ્યું હતું કે,‘અવકાશયાન સારી હાલતમાં છે અને પોતે જ પોતાનું સંચાલન કરી રહ્યું છે. પાર્કર સૉલર પ્રૉબે સૂર્યને સ્પર્શવાનું તેનું મિશન આદર્યું છે.’ લૉન્ચ થયાના થોડા સમયમાં જ અવકાશયાન તેનું વહન કરતા રૉકેટથી અલગ થઇ ગયું હતું.
કોઇ જીવતા વિજ્ઞાનીનું નામ અપાયું હોય એવું આ પહેલું મિશન છે. ૧૯૫૮માં સૌરપવનોના અસ્તિત્વ અંગે શોધ કરનાર હાલ ૯૧ વર્ષના યુજીન એન. પાર્કરનું નામ સૉલર પ્રૉબને અપાયું છે.

સૌરપવનો ઊર્જા વહન કરતી રજકણો અને ચુંબકીય ક્ષેત્રોનો એવો પ્રવાહ છે જે સતત સૂર્યમાંથી વહેતો રહે છે.કારની આકારનું યાન સીધું સૂરજના વાતાવરણમાં પ્રવાસ કરશે અને એ સૂર્યની સપાટીથી ૩૮ લાખ માઇલ દૂર હશે. જોકે આજ સુધી સૂર્યની નજીક જનારા યાનની સરખામણીમાં પાર્ક સૉલર પ્રૉબ સાત ગણાથી વધુ અંતર નજીક હશે. આનું શ્રેય તેની થર્મલ પ્રૉટેક્શન સિસ્ટમને આપી શકાય. સૂર્યની સૌથી નજીક આ યાન હશે ત્યારે તે પ્રતિ કલાકે સાત લાખ માઇલ્સની ઝડપે સૂર્યની ફરતે ફરતું હશે અને તેણે ૧,૩૭૭ અંશ સેલ્સિયસ ગરમીનો સામનો કરવા પડશે. સૂર્યના બહારના વાતાવરણ કૉરૉનામાં યાન ૨૪ ભ્રમણ કરશે અને એ દરમિયાન કૉરૉના અંગે સંશોધન કરશે. સૂર્યના વાતાવરણના રહસ્યોનો પર્દાફાશ કરવા માટે યાન શુક્રના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરશે અને શુક્ર ફરતે સાત ભ્રમણ કરશે જેના દ્વારા સૂર્યના વાતાવરણમાં પ્રવેશી શકશે.

 

August 11, 2018
logo.jpg
1min8970

સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદન અને કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સે મળીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભોજનનો બગાડ થતો અટકાવવો. એટલે કે મુંબઈભરમાં જ્યાં પણ એક્સ્ટ્રા અથવા વધેલું ખાવાનું હોય એને નિર્ધારિત સ્થળે એકત્રિત કરીને એને ભૂખ્યા લોકો સુધી સમયસર પહોંચાડવાનું ઉત્કૃષ્ઠ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દાનવીરોની નગરી ગણાતા સુરત શહેરમાં આવી કોઇ રોટી બેંકની શરૂઆત થશે ખરી

સુરત શહેરમાં આમ તો છુટીછવાયી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક લોકો, કેટલીક સંસ્થાઓ ગરીબ લોકો સુધી ખાવાનું પહોંચતું કરી રહ્યા છે પરંતુ, તેમાં એકસૂત્રતો જોવા મળતી નથી. મુંબઇમાં રોટી બેંકની કામગીરી જોઇને સુરતમાં જો આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સુરતમાં કદાચ કોઇ ભૂખ્યું નહીં સૂવે.

 

મુંબઈમાં થતા ક્રાઇમને ઘટાડવા માટે ભૂખ્યાને ભોજન મળી જાય એવી વ્યવસ્થા થાય તો પણ ઘણું કામ થશે. આવો વિચાર આવેલો મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદનને. આ વિચારથી પ્રેરાઈને જ તેમણે રોટી બૅન્કની શરૂઆત કરી છે ૨૦૧૭ના ડિસેમ્બરથી, જેના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકોને ભોજન પીરસવામાં આવ્યું છે.

 

રોટી બૅન્ક દ્વારા અત્યાર સુધીમાં લગભગ એક લાખ મીલનું વિતરણ થઈ ચૂક્યું છે. જોકે તેમનો ટાર્ગેટ છે મહિનામાં ઓછામાં ઓછી દસ લાખ ફૂડ પ્લેટનું વિતરણ થાય.

મુંબઈમાં પણ એવા લાખો લોકો છે જેમને ખાવાનાં સાંસા છે. કેટલાક દિવસમાં એક વડાપાંઉ અને પાણીથી પેટ ભરે છે તો કેટલાકને એક ટંક ભોજન પણ માંડ મળે છે. ભૂખ્યો માણસ પોતાની ભૂખને પોષવા માટે ખોટો રસ્તો અપનાવતાં ખચકાતો નથી.

રોટી બૅન્કનો મૂળ વિચાર મુંબઈના ડબ્બાવાળાઓનો હતો, જેમણે સૌથી પહેલાં મુંબઈમાં જ્યાં પણ વધારાનું ખાવાનું હોય તેમની પાસેથી એ એકત્રિત કરીને એને મુંબઈના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. જોકે આ કામને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું કામ કર્યું ડી. શિવાનંદન અને વિદેશમાં વસતા નીતિન ખાનપુરકરે. આ બન્ને મહાનુભવોએ મળીને ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં જાણીતા ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. નટરાજન, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સુશીલ જીવરાજકા, સાઇકોલૉજિસ્ટ તરલ પારેખ, બૅન્કર અસ્મિતા ગડા જેવા અગ્રણી પ્રોફેશનલ્સને જોડીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે. સમાજ-કલ્યાણ માટે વર્ષોથી સક્રિય ડી. શિવાનંદન કહે છે, ‘આ કન્સેપ્ટ નવો નથી. ઘણા લોકો મુંબઈમાં અને દેશના અન્ય ખૂણામાં પણ આ રીતે લોકોને ખાવાનું પહોંચાડે છે. અમારી મકસદ છે કે ફૂડનો બગાડ ન થાય. સારું અને તાજું ખાવાનું આમ જ ગટરમાં નખાતું હોય અને બીજી બાજુ લાખો લોકો બ્રેડના ટુકડા માટે તરસતા હોય એ કેવી રીતે ચાલે? આજે ભૂખમરો વૈશ્વિક પ્રશ્ન બની ચૂક્યો છે ત્યારે ખાવાનું ગટરમાં જતું અટકાવવું એ આપણા સૌની પહેલી જવાબદારી છે.

સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે. અત્યારે આ સંસ્થા દ્વારા સરેરાશ ૪૦૦ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.

રોટી બૅન્કમાં અત્યારે બે ડિસ્ટ્રિબ્યુશન વૅન ચાલે છે, જેના માટે એક હેલ્પર અને એક ડ્રાઇવર એમ ચાર લોકોનો ફુલટાઇમ સ્ટાફ છે. તેમનો પગાર અને ટેમ્પોના મેઇન્ટેનન્સનો ખર્ચ સંસ્થા દ્વારા અત્યારે કરવામાં આવે છે. ૨૦૧૭ની ૨૩ ડિસેમ્બરથી ફુલફ્લેજ્ડ શરૂ થયેલા આ કૅમ્પેનને મીડિયા અને સોશ્યલ મીડિયાને કારણે સારોએવો રિસ્પૉન્સ મળ્યો છે.

લોઅર પરેલમાં આવેલી શ્રી સુંદર નામની રેસ્ટોરાં દ્વારા રોજના દોઢસો લોકો જમી શકે એટલું શ્રેષ્ઠ ગુણવત્તાનું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. હિન્દુજા હૉસ્પિટલે પણ સંસ્થા સાથે MoU સાઇન કર્યું છે અને ત્યાંથી પણ લંચ અને ડિનરમાં સોથી દોઢસો લોકોનું ખાવાનું આપવામાં આવે છે. એ સિવાય DP નામની એક રેસ્ટોરાં દ્વારા રોજ દોઢસોથી બસો લોકો માટે નજીવા દરે ખાવાનું બનાવી આપવામાં આવે છે, જે તાતા હૉસ્પિટલની બહાર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે. પવઈની એક સોસાયટી દ્વારા દર શનિવારે લગભગ સવાસોથી દોઢસો લોકોને થઈ રહે એટલું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. સોસાયટીની બહેનો પોતપોતાના ઘરે પણ એક જ ડિશ બનાવે છે અને પછી એ રસોઈને ભેગી કરવામાં આવે છે.

રોટી બૅન્ક દ્વારા વિવિધ સ્કૂલ અને કૉલેજમાં સેમિનાર પણ થાય છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ વૉલન્ટિયર તરીકે જોડાઈ રહ્યા છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળમાં પણ યંગસ્ટર્સ છે.

રોટી બૅન્કનો હેલ્પલાઇન નંબર છે ૮૬૫૫૫૮૦૦૦૧. ફૂડ-ડોનેશન માટે તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. રોટી બૅન્ક વિશે વધુ માહિતી જોઈતી હોય તો તેમની વેબસાઇટ http://www.rotibankindia.org પર વિઝિટ કરો.  

 

August 10, 2018
isha3.jpg
1min12580

ભારત જ નહીં વિશ્વભરમાં દરેક ઘરમાં માબાપને એક જ ફરીયાદ હોય છે કે ભણતા સંતાનો ગેડ્જેટ્સમાં કલાકો વેડફી નાંખે છે. મોબાઇલ, ટેબ્લેટ, આઇપોડ વગેરેને કારણે કુછંદે પણ ચઢી જતા હોય છે. ભાગ્યે જ કોઇ સંતાન રચનાત્મક કાર્ય કરીને નાની ઉંમરમાં મોટું કામ કરે છે. અમદાવાદની એક કિશોરીએ આવું જ રચનાત્મક કામ કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રીત કર્યું છે.

અમદાવાદમાં રહેતી ૧૨ વર્ષની ઈશા મજીઠિયાએ રામાયણના સુંદરકાંડ પર આધારિત ૩૫ ચિત્રોની એક શ્રેણી તૈયાર કરીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

સુંદરકાંડના પાંચમા અધ્યાયમાં ૩૫ તસવીરોની મદદથી સુંદરકાંડની ચોપાઈઓ દર્શાવવામાં આવી છે. આ ચિત્રોમાં કાગળ પર ઍક્રેલિક, ક્રેયોન અને ચારકોલ દ્વારા ચિત્રણ થયું છે. તસવીરોના માધ્યમથી કોઈ શાસ્રનું નિરુપણ થાય એવી પહેલવહેલી ચિત્રકારી આ છે. ઈશા જ્યારે માત્ર ૬ વર્ષની હતી ત્યારથી તેણે આ વિષય પર કામ શરૂ કરેલું.

આ ચિત્રોની શ્રેણીનું અમદાવાદમાં પ્રદર્શન પણ થયેલું અને એ વખથે એક પુસ્તક પણ પ્રકાશિત થયું હતું. ઈશાની મમ્મી પ્રિયાનું કહેવું છે કે બાળકો આપણા પ્રાચીન અને પવિત્ર ગંથોના પ્રચાર અને સંરક્ષણમાં જોડાય એ આ પુસ્તક અને ચિત્રો બનાવવાનો ઉદ્દેશ છે. પુસ્તકમાં સુંદરકાંડના મૂળ પાઠનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે. આ કામ માટે તાજેતરમાં ઈશાનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે.

isha2

isha

અમદાવાદની ઈશા મજીઠિયાએ ચિત્રો થકી સુંદરકાંડ સાર્થક કર્યું

 

August 8, 2018
gujcost.jpg
2min6550

ભારત સરકારના  નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુંઝીયમ(NCSM) દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018]   ભારતભરમાં આયોજન કરવામાં યોજવામાં આવે છે.

તેના ભાગ રૂપે આ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)ગાંધીનગર પુરુસ્કૃત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તેમજ સંસ્કારભારતી વિદ્યાલય સહયોગથી સુરત જિલ્લા કક્ષાની “વિજ્ઞાન નાટય સ્પર્ધાઆજરોજ તા.૦૮/૦૮/૨૦૧૮ને બુધવારના રોજ સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત ખાતે આયોજન  કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જીલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા “વિજ્ઞાન અને સમાજ (Science & Society)”  મુખ્ય થીમ પર  ૪-પેટા વિષયો જેવા કે,

  1. ડીજીટલ ભારત,
  2. ગ્રીન એન્ડ ક્લીન એનર્જી,
  3. પર્યાવરણ,
  4. આરોગ્ય અને સ્વચ્છતા. આ વિષયો પર ૩૦ મીનીટમાં નાટ્ય રજુ કરવામાં આવ્યા, જિલ્લામાંથી નોંધણી ૧૫ શાળાઓએ ૧૫૦ જેટલા વિધાર્થીઓ/શિક્ષકોએ આ સ્પર્ધામાં ભાગ ઉત્સાહપૂર્ણ લીધો હતો.

સ્પર્ધાના નિર્ણાયકો (Judge) તરીકે (૧) શ્રી નરેશભાઈ કાપડિયા, નિયામક, સ્કોપા કોલેજ, સુરત અને (૨) શ્રીમતી યામિનીબેન વ્યાસ, સુરત સેવા આપી હતી,  એકથી ત્રણ ક્રમે વિજેતા ટીમને શિલ્ડ અને શ્રેષ્ટ અભીતેતા/અભિનેત્રી./ લેખક/ નિદર્શક પણ જાહેર કરી સન્માનવામાં આવ્યા હતા.

નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018] સ્પર્ધાનું પરિણામ

આયોજક: જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત

સ્થળ: સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત         તા.૦૮/૦૮/૨૦૧૮ 

વિજેતા ક્રમ/રેન્ક શાળાનું નામ ડ્રામાનું નામ./ વિષય
પ્રથમ શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, યક્ષપ્રશ્ન  / પર્યવરણ અને સ્વચ્છતા
દ્રિતીય સી.સી. શાહ, ઈ,મિ, હાઇસ્કૂલ, ડીજીટલ ઇન્ડિયા
ત્રીતીય સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, સફાઈ, સ્વચ્છતા અને આરોગ્ય
  વ્યક્તિગત ઇનામો
શ્રેષ્ટ અભિનેતા શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, ક્રિશ શાહ,
શ્રેષ્ટ અભિનેત્રી    ,,     ,,     ,, યશ્વી સ્માર્ત
શ્રેષ્ટ લેખક સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, કેયુરી પંચાલ
શિષ્ટ દિગ્દર્શક શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, દિપ્તીબેન લાલવાલા

 

August 6, 2018
v1.jpg
1min6750

❏ ચકલાસીનો દિવ્યાંગ અશ્વિન વાઘેલા મહાપૂજા કરાવીને ધન્ય બને છે…..!!

DOSTI—-” જબ કોઇ રાહ ન પાયે મેરે સંગ આયે કે પગ પગ દીપ ઝલાયે; મેરી દોસ્તી મેરા પ્યાર…!! ”

વડતાલથી નજીક આવેલ ચકલાસી ગામના બે યુવા હરિભક્ત મિત્રોની મૈત્રી સહુકોઇ માટે પ્રેરણારૂપ છે અને આ અતૂટ દોસ્તી વડતાલમાં બિરાજમાન પ્રતાપી દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના આસન સુધી આસાનીથી મહાપૂજા અર્થે દોરી લાવે છે…! બે મિત્રોમાં અશ્વિન રમેશભાઈ વાઘેલા છેલ્લા બાર વર્ષથી બંને પગે પરાધિન–દિવ્યાંગ છે અને તેને હૈયે શ્રધ્ધાભક્તિનો દીપ જલતો રહે છે અને એ શ્રધ્ધાને સહારે અને મિત્ર મહેશ વાઘેલાની મદદથી તે વડતાલધામમાં ગોપાળાનંદ સ્વામીના સિંહાસને વ્હીલચેરમાં આવી વ્હીલચેરમાં બેસી સુખશાંતિ અર્થે મહાપૂજા કરાવે છે ત્યારે તે જોઇ દર્શનાર્થિઓ અને પૂજાવિધિ કરાવનાર ભૂદેવનું હ્રદય પણ પીગળી જાય છે.! અશ્વિન પગે સાવ પરાધિન હોવાથી તેને તેનો મિત્ર મહેશ ગોટાભાઇ વાઘેલા વડતાલ દર્શને લાવવાની તથા તેને બાળકની જેમ ઊંચકીને હરવા ફરવા લઇ જવાની બધી જ મદદ કરે છે અને દોસ્તી નિભાવે છે..!! મહેશ કહે છે કે આ દોસ્તી સૂતરના કાચા તાતણાની નથી પણ પાકી હીરને દોરે ગૂંથાયેલી દોસ્તી છેઃ અશ્વિન—મહેશની દોસ્તી સહુને માટે પ્રેરણારૂપ છે એટલે તો—— ” મેરી દોસ્તી મેરા પ્યાર….! ”

@ વૃતાંત પ્રેરક Associate પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી વડતાલ સંસ્થાન

❏ અહેવાલ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર વડતાલ સેન્ટર આણંદ

August 4, 2018
gita-mittal-970-1280x720.jpg
1min5590

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શાહ પટણા હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ 

જસ્ટિસ ગીતા મિત્તલની જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસપદે નિમણૂક કરાઇ છે. તેઓ કોર્ટની આગેવાની સંભાળનાર પ્રથમ મહિલા જજ બન્યાં છે. તેઓ અત્યાર સુધી દિલ્હી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કામગીરી રહ્યા હતા.

કાયદા મંત્રાલયના વિવિધ જાહેનામા મુજબ, પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનનને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ કલ્પેશ સત્યેન્દ્ર ઝવેરીની ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે. તેઓ હાલમાં સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામેલા જસ્ટિસ વિનીત સરનના અનુગામી બનશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ કે શાહને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેમના પુરોગામી જસ્ટિસ મેનન દિલ્હી હાઇકોર્ટના વડા બનશે. કેરળ હાઇકોર્ટના જસ્ટિસ હૃષિકેશની આ જ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે.

સિંધુ શર્મા જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના સૌ પ્રથમ મહિલા જજ તરીકે નિમણૂક પામ્યાં છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ઈતિહાસમાં ૯૦ વર્ષમાં પહેલી વાર એવી ઘટના બની છે જેમાં બે મહિલા જજ એક સાથે કામગીરી કરશે.

કલકત્તા હાઇકોર્ટના જજ જસ્ટિસ અનિરૂદ્ધ બોઝને ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પ્રમોશન અપાયું છે. અગાઉ જસ્ટિસ બોઝને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ સરકારે નકારી દીધી હતી. બોમ્બે હાઇકોર્ટના જજ વિજય કે ટહિલરમાણીને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પહોંચી ગયેલા જસ્ટિસ ઇન્દિરા બેનરજીના અનુગામી બનશે.