CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 32 of 42 - CIA Live

March 1, 2019
abhi.jpg
1min12280

ગઇ તા.27મીએ પાકિસ્તાને પકડી લીધેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. આખો દેશ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, અડધો દિવસ વિતી ચૂક્યો છે, સી.આઇ.એ. લાઇવની ટીમ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખીને વેબસાઇટ અપડેટ કરી રહ્યું છે. વાંચો અત્યાર સુધીનો ઘટનાક્રમ

કાગઝી કાર્યવાહી પૂરી
વિંગ કમાંડર અભિનંદન અટારી પહોંચે તે પહેલા આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં પંજાબના અટારી સીમા પર ભારતીય વાયુસેનાની ટીમ પહોંચી ગઈ હતી. અભિનંદનની મુક્તિની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમની મુક્તિ માટે તમામ પ્રકારનું પેપર વર્ક ઔપચારિકતાઓ પૂરી કરી હતી, ક્યાંયે કોઇ પ્રતિકુળ સંજોગો સર્જાયા ન હતા.

બીટિંગ રિટ્રીટ દરમિયાન મુકિત સંભવ
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પાકી સંસદમાં કરેલી જાહેરાત અનુસાર આજે તા.1લી માર્ચે 2019ના રોજ પાકિસ્તાન અભિનંદનને અટારી સીમા પર દરરોજ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન ભારતને સોંપે તેવા સંજોગો ઉજળા જણાય રહ્યા છે, અભિનંદન ક્યારે છૂટશે એ બપોરે 1 વાગ્યા સુધી નિયત થઇ શક્યું ન હતું કે કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. હવે સાંજે 5 વાગ્યે શક્ય બની શકશે.  પરંતુ ભારત અભિનંદનને એ પહેલા જ સોંપવાની માંગણી કરી રહ્યું છે. અટારી-વાઘા બૉર્ડર પર સાંજે પાંચ વાગ્યો બીટિંગ રિટ્રીટ સેરેમની થાય છે.

ભારતે કહ્યું બિટીંગ રીટ્રીટ પહેલા મુક્ત કરો

ભારતના સૈન્ય અધિકારીએ પાકિસ્તાની સૈન્યને જાણ કરી છે કે વાઘા બોર્ડર પર બિટીંગ રીટ્રીટ દરમિયાન મોટી સખ્યામાં લોકો હશે અને એ સમયે મુક્ત કરવા કરતા પહેલા અભિનંદનને ભારતની સીમામાં પ્રવેશ કરાવી દેવામાં આવે. પાકિસ્તાની સૈન્યએ આ બાબતે હકારાત્મ પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળે છે.

વાઘા બૉર્ડર પર પહોંચી રહ્યા છે લોકો
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન આજે વાઘા બૉર્ડરથી પાછા આવશે. વાઘા બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી સવારે 10 વાગ્યાથી જ પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકોને બોર્ડર પર જતા રોકવા માટે પંજાબ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

દિલ્હી ફ્લાઈટમાં સવાર વિંગ કમાંડરના માતા-પિતાને લોકોએ ઊભા થઈ માન આપ્યું

અભિનંદનને આવકારવા તેમના માતા-પિતા પણ વાઘા બોર્ડર પહોંચવા દિલ્હી ફ્લાઈટમાં પહોંચ્યા હતા અને તેઓ ત્યાંથી અમૃતસર જશે. દિલ્હીમાં ફ્લાઈટમાં જાબાંઝ જવાનને માતા-પિતાને ખૂબજ સમ્માન સાથે લોકોએ તાળિયોના ગડગડાટથી વધાવ્યા હતા અને તેના બદલામાં અભિનંદનના માતા-પિતાએ પણ લોકોનો ધન્યવાદ માન્યો હતો. આ અંગેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

વાયુસેનાના જાબાંઝ પાયલટ અભિનંદનના માતા-પિતા આ ફ્લાઈટમાં સવાર હતા. ફ્લાઈટમાં સવાર દરેક લોકોની આંખો આ શૂરવિર જવાનના માતા-પિતા પર મંડાયેલી હતી. તમામ લોકોએ ઊભા થઈને નિવૃત એર માર્શલ એસ વર્ધમાન તેમજ ડો. શોભા વર્ધમાનનું સ્વાગત કર્યું અને તેમને માન આપ્યું હતું. આટલું જ નહીં લોકોએ અભિનંદનના માતા-પિતાને સૌપ્રથમ ફ્લાઈટમાંથી નીચે ઉતરવા માટે રસ્તો આપ્યો હતો.

અભિનંદનની વાપસી, ભારતમાં ઉત્સવ

વીંગ કમાંડર અભિનંદનને તા.1લી માર્ચે મુક્ત કરવાની જાહેરાત તા.28મી માર્ચે સાંજે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કરતા જ ભારતમાં ઉત્સવ ઉજવવાનું શરૂ થઇ ગયું હતું. આજે તા.1લી માર્ચને શુક્રવારે તો સવારથી જ ભારતના શહેરો, નગરો, ગામોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એ રીતે લોકો પ્રફુલ્લિત જણાયા હતા. લોકો પોતાની ખુશીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા હતા.

February 27, 2019
bharat_k_veer1-1280x720.jpg
3min14770

ભારતની રક્ષા કાજે પોતાના જીવ ન્યોછાવર કરી દેતા શહીદ સૈનિકોના પરિવારજનોને આર્થિક સહાય કરવાની બાબતમાં ભારતીયો હરહંમેશ ઉદારતા દાખવતા હોય છે. 14મી ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 વીર સૈનિકોના પરિવારજનોને જ્યારે મદદની વાત આવી ત્યારે પણ ભારતીયોએ એટલા ઉત્સાહ અને તત્પરતાથી દરેક શહીદોના બેંક અકાઉન્ટ છલકાવી દીધા કે ખુદ શહીદોના પરિવારજનો માટે ફંડિંગ મેનેજમેન્ટ કરતી ભારત કે વીર વેબસાઇટના સંચાલકોએ લખવું પડ્યું કે શહીદોના પરિવારજનોના બેંક અકાઉન્ટમાં મેક્સીમમ લિમીટની રકમ પહોંચી ચૂકી છે હવે જે દાન ભારત કે વીર વેબસાઇટ મારફતે મળી રહ્યું છે તે ભારત કે વીર કોર્પસ ફંડસમાંં જશે અને આ રકમ પણ શહીદોના પરિવારજનોના કલ્યાણાર્થે જ ઉપયોગમાં લેવાશે.

ભારતીયો દ્વારા આપવામાં આવતું દાન ભારતની રક્ષા કાજે પોતાનો જીવ ગુમાવી દેનારા વીર શહીદ સૈનિકોના પરિવારજનોના સીધા જ બેંક અકાઉન્ટમાં જમા થાય તેવું વ્યવસ્થા તંત્ર ભારત કે વીર નામની વેબસાઇટ તેમજ એપ્લિકેશન દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. કોઇપણ ભારતીય વિશ્વના કોઇપણ છેડેથી ઓનલાઇન આર્થિક સહાય સીધી જ જે તે શહીદના પરિવારજનોને https://bharatkeveer.gov.in મારફતે કે તેની એપ્લિકેશન મારફતે જમા કરાવી શકતા હતા.

પરંતુ, ભારત કે વીર https://bharatkeveer.gov.in વેબસાઇટ પર હવે સીધા જ શહીદ પરિવારોના બેંક અકાઉન્ટમાં આર્થિક સહાયની રકમ જમા કરવાની સિસ્ટમ બંધ કરવામાં આવી છે. વેબસાઇટ સંચાલકોએ વેબસાઇટ પર લખ્યું છે કે શહીદોના પરિવારજનો સુધી દાનની મહત્તમ લિમીટ સુધીની રકમ જમા થઇ ચૂકી છે. હવે ભારતીયો જે દાન આપી રહ્યા છે તે ભારત કે વીર કોર્પસ ફંડ Bharat Ke Veer Corpus Fund માં જમા થશે.

ભારત કે વીર https://bharatkeveer.gov.in  વેબસાઇટ આ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે.

એવી જ રીતે ભારત કે વીર મોબાઇલ એપ્લિકેશન પર પણ આ પ્રકારે સૂચના પ્રકાશિત કરવામાં આવી છે.

ભારત કે વીર વેબસાઇટ પર ભારતીયો દ્વારા કરવામાં આવતા દાનને આ મુજબના ફોર્સીસના શહીદ સૈનિકોના પરિવારજનોમાં વિતરીત કરવામાં આવે છે.

The CAPFs are armed forces under the Ministry of Home Affairs and comprise of the following forces :

  1. Assam Rifles (AR) engaged in border guarding along Indo-Myanmar border, as well as in counter insurgency operations in the North East.
  2. Border Security Force (BSF) guards Indias borders with Pakistan and Bangladesh, and are also deployed for anti insurgency operations.
  3. Central Industrial Security Force (CISF)provides security to the key sectors including Airports, Metro systems, important industries in the public and private Sector, heritage monuments, Government buildings and security to protected persons.
  4. Central Reserve Police Force (CRPF) is the primary force for internal secruity including anti naxal operations, counter insurgency duties in J&K and North East, and Law & Order problems.
  5. Indo-Tibetan Border Police (ITBP) guards Indias borders with China. Specially trained to operate in high altitude mountainous terrain, it is also engaged in internal security duties from time to time.
  6. National Disaster Response Force (NDRF) is for specialized response to natural and man-made disasters, saving lives and livelihood and prepares communities in disaster resilience and disaster risk reduction.
  7. National Security Guard (NSG)is a Special Force mandated to conduct counter-terrorist, counter-hijack, and hostage-rescue operations as well as provide `mobile security to designated protectees.
  8. Sashastra Seema Bal (SSB)with the motto of “Service Security Brotherhood” is primarily mandated to guard Indias borders with Nepal and Bhutan. The force is also performing internal security duties and is deployed to deal with LWE / Counter-insurgency in many states.
February 26, 2019
mirage_fighter.jpeg
1min11330

ભારતે વહેલી સવારે પીઓકેમાં કરેલા હુમલાના સમાચારોએ ભારતીયોને ખુશખુશાલ બનાવી દીધા

ભારતે આતંકી કૅમ્પ પર 1000 કિલો બૉમ્બથી કર્યો હુમલો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ભારતીય સૈનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્ડિયન એરફોર્સના 12 મિરાજ-2000 યુદ્ધ વિમાનોએ મળસકે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એલઓસી ક્રોસ કરીને 1000 કિલોના લેસર ગાઇડેડ બોમ્બ ફેંક્યા હતા. એરફોર્સના સૂત્રોનું કહેવું છે કે આ ઓપરેશન 100 ટકા સફળ રહ્યું છે.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરતા એલઓસી પાર કરીને  જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બોમ્બ ફેંક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બોમ્બ વહેલી સવારે ફેંકવામાં આવ્યા હતા, આ ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર વિમાન સામેલ હતા. હુમલો કરીને વાયુસેનાએ જૈશના કેમ્પને પુરે પુરા નષ્ટ કરી દીધાં હતા.

આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. મંગળવારે ઈન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ એલઓસી પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને ત્રાસવાદી કેમ્પ પર બોમ્બ મારો કર્યો હતો. ત્યાંજ  પાકિસ્તાને આ હુમલા અંગે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના એ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે અને જ્યારે પાકિસ્તાની વાયુસેના એ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી તો ભારતીય યુદ્ધ વિમાન પાછા જતા રહ્યા હતા.

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં PoKમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા લાગી રહી છે.

February 25, 2019
manv_b3.jpg
1min11160

દેશની સ્ત્રી વિકાસશીલ તો દેશ પ્રગતિશીલ” શિર્ષક સાથે વડોદરા ખાતે તા.24મી ફેબ્રુઆરી 2019ના રોજ સ્થાનિક એન.જી.ઓ. દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ખાતે ખાતે 3જા વર્ષે વુમન એમ્પાવરન્મેન્ટ દ્વારા પ્રદર્શન કમ સેલ તથા સાંસ્કૃતિક અને મનોરંજન પીરસે એવા કાર્યક્રમો થકી વડોદરાવાસીઓની રવિવારની સાંજને મેમોરેબલ બનાવી દીધી હતી.  આ સમારોહમાં વડોદરા શહેર મેયર ડૉ જીગીષાબેન શેઠ દીપ પ્રગટાવીને શુભારંભ કરાવ્યો હતો. સ્થાનિક વિસ્તાર ના કોર્પોરેટર તેમજ હજારો ની સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રસંગને દિપાવ્યો હતો. આયોજક મમતાબેન શાહ, નિલમબેન નગર તેમજ તેમની ટીમ દ્વારા  કરવામાં આવેલા ખુબ જ સુંદર આયોજનને સૌ કોઇએ બિરદાવ્યા હતા.

માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્ત્રી સશક્તિકર્ણના કાર્યક્રમની વિગતો આપતા વડોદરાના મહિલા આગેવાન શ્રીમતી ધ્રુવા ભટ્ટે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે કાર્યક્રમમાં મહિલા ઉત્કર્ષ, બેટી બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણ જેવા મુદ્દાઓને આવરી લઇને કાર્યક્રમો યોજાયા હતા.

માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્ત્રી સશક્તિકર્ણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ સ્વંયભુ હાજરી આપી હતી. વડોદરાના અનેક મહાનુભાવોએ પણ પ્રસંગને દિપાવ્યો હતો.

February 15, 2019
salute.png
1min11190

કાશ્મીરમાં આતંકી હુમલામાં 44 જવાનોની શહીદીની ઘટના બાદ ભારતવાસીઓ ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયા છે. સુરતની વાત કરીએ તો સંવેદનશીલ સુરતીઓના હૈયા આતંકી હુમલાની ઘટનાએ હચમચાવી મૂક્યા છે, એવી દેશદાઝ ઝળહળી ઉઠી છે કે જો તક મળે તો પાકિસ્તાન અને તેના પ્રરીત આતંકીઓનો ખાત્મો બોલાવાના મિશનમાં દરેક નાગરીક મંડી પડે. આખો દેશ એક થઇ ગયો છે. સુરતીઓ પોતપોતાની રીતે શહીદોને અંજલી આપી રહ્યા છે, સુરતીઓ પોતપોતાની રીતે આતંકીઓ પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે.

સુરતીઓની સંવેદના તા.14મીએ સાંજથી જ હળબળી ઉઠેલી જોવા મળી હતી. આતંકીઓના પૂતળા બાળીને યુવાન હૈયાઓ પોતાની લાગણી પ્રદર્શિત કરી. કેટલાક નાગરીકો એટલા આઘાતમાં છે કે તેમણે શહીદ સૈનિકો માટે પોતાના જીવનમાં પણ સાદગી લાવી દીધી છે.

એક પરિવારે લગ્નનું ગ્રાન્ડ ડિનર કેન્સલ કરી દીધું

શહેરમાં એક સ્થાનિક પરિવારે લગ્નના ભપકાદાર કાર્યક્રમો રદ કરીને લગ્ન પ્રસંગ સાદગીથી ઉજવવા માટે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જોકે, આ પરિવાર મિડીયા સમક્ષ આવ્યો નથી એટલે તેના વિશે વધુ વિગતો કહી શકાય તેમ નથી.

એક પરિવાર 13 દિવસ ખીચડી ખાશે, ટીવી પણ નહીં ચાલે ઘરમાં

કામરેજમાં એક નખશીખ દેશભક્ત પરિવારના તમામ સભ્યો કાશ્મીરની આતંકી ઘટનાથી એટલા હચમચી ઉઠ્યા છે કે તેમના 17 જણના બહોળા પરિવાર કે જેમાં 6 વર્ષની બાળા પણ છે આ પરિવારે 13 દિવસ સુધી ઘરમાં શોક રાખ્યો છે. પોતાના સ્વજન ગુમાવ્યા હોય એ રીતે સૈનિકોની શહીદીને આદર આપી રહ્યા છે. સી.આઇ.એ.એ તેમને સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે અમારા માટે કશું લખશો નહીં. આ છતાં અમે લખી રહ્યા છીએ કે આ પરિવાર 13 દિવસ સાદી ખીચડી ખાઇને ગુજારશે. ઘરમાં ટીવી બંધ રહેશે. વડીલો તો સફેદ કપડા ધારણ પણ કરી લીધા છે. આટલી સંવેદનશીલતા જોઇને પ્રતીતી થાય છે કે જવાનોની શહીદીએ સુરતીઓની સંવેદનાને ઢંઢોળીને મૂકી દીધી છે.

સુરતીઓ આઘાતમય, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો સમૂહ લગ્નોત્સવ શોકાંજલિથી શરૂ થશે

કાશ્મીરમાં આતંકી હુમલાથી સ્તબ્ધ સુરતવાસીઓ પોતાની સંવેદના ઘેરા શોક અને આક્રોશ સાથે વ્યક્ત કરી રહ્યા છે. આગામી રવિવાર તા.17મી ફેબ્રુઆરી 2019ના રોજ પીપી સવાણી અબ્રામા સ્કુલના ગ્રાઉન્ડ પર 261 યુગલનો સમુહ લગ્નોત્સવ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નોત્સવના આયોજક શ્રી કાનજીભાઇ ભાલાળાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે આતંકી હુમલાની ઘટનાએ અમને હચમચાવી મૂક્યા છે. 261 યુગલો તેમનું નવું જીવન શરૂ કરી રહ્યા છે, રવિવારે. તેમનો લગ્ન સમારોહ તો રોકી શકાય નહીં પરંતુ, અમે તેને સાદગીપૂર્ણ બનાવી રહ્યા છીએ.

હાલમાં બે નિર્ણય લેવાયા છે. જેમાં 1. સમૂહ લગ્નોત્સવ શહીદ જવાનોને શોકાંજલિ અને મૌન પાળીને શરૂ કરવામાં આવશે. 2. લગ્નોત્સવમાં જે કંઇપણ યુગલોને ચાંદલા સ્વરૂપે મળશે એ રકમની પાઇ પાઇ પુલવામાની ઘટનામાં શહીદ થયેલા સૈનિક પરિવારોને મોકલી આપવામાં આવશે.

શૈક્ષણિક સંસ્થાઓએ શહીદોને સલામી આપીને મૌન પાળ્યું

સુરતની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓએ આજે તા.15મીએ સવાર અને બપોરના સેશનમાં સૌથી પહેલા પ્રાર્થના કર્યા બાદ કાશ્મીર હુમલામાં શહીદ થયેલા જવાનોને સલામી આપતા તેમના માનમાં મૌન પાળ્યું હતું. શાળાઓએ સૈનિકોની શહીદી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરીને તેમને દેશ માટે કંઇપણ કરી છૂટવાના વિચારો આપ્યા હતા. અનેક સંસ્થાઓએ આજના તેમના જુદા જુદા કાર્યક્રમો રદ કરી દીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ શહીદ સૈનિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે તા.15મી ફેબ્રુઆરી 2019ના રોજ સાંજે 5.30 કલાકે એક અગત્યની બેઠક યોજી હોવાનો મેસેજ ફરતો કરવામાં આવ્યો છે.

Solidarity with the Soldiers and the Nation Trade Industries and Services join their hands together with the SGCCI and extend their deepest condolences to the martyred soldiers at the PULWAMA ATTACK, We pledge our solidarity and oness of the trade industries and services of the entire south Gujarat in all efforts of the brave army in their steps for avenging their loss. Just to stand with solidarity we meet today, 15th February at 5:30 pm at SGCCI, 4th floor, Samruddhi Building, Nr. Makkai Pool, Surat. JAI HIND

 

February 13, 2019
tihar.jpg
1min29740

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

કંઇક નોખું કરવાની વૃત્તિ ધરાવતા સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા હવે ભારતની સૌથી મોટી અને ખૂંખાર અપરાધીઓ ધરાવતી દિલ્હીની તિહાર જેલમાં ભાગવત કથા બેસાડી રહ્યા છે અને આ મુદ્દાને લઇને તેઓ સમગ્ર ભારતમાં જ નહીં બલ્કે વિશ્વના ગુજરાતી સમાજમાં વાઇરલ થઇ રહ્યા છે. તિહાર જેલમાં જુદા જુદા ગુનાઓની સજા ભોગવી રહેલા કેદીઓ માટે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ કથા હિન્દીમાં કહેવામાં આવશે અને ગુજરાતના જાણીતા કથાકાર જિજ્ઞેશ દાદા ભાગવત કથાની વ્યાસપીઠ પર બિરાજશે.

(File Photo of Mr. Savji Dholakiya, who organizes Bhagwat Katha At Tihar Jail )

  • આગામી તા.20થી 26 ફેબ્રુઆરીમાં દિલ્હીની તિહાર જેલમાં ભાગવત કથાનું આયોજન
  • આયોજક સુરતના હરેકૃષ્ણ ડાયમંડ ગ્રુપ
  • કથાકાર જિજ્ઞેશ દાદા વ્યાસપીઠ પરથી ભાગવત કથા કહેશે
  • ભાગવત કથા હિન્દીમાં

(Kathakar Jignesh Dada will deliver Bhagwat katha at Tihar Jail)

(અગાઉ હરીદ્વાર ખાતે પણ જિજ્ઞેશ દાદાની કથા કરાવી ચૂક્યા છે સુરતના હીરાઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા)

મળતી માહિતી મુજબ સુરત બેઝ્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, હરેકૃષ્ણ એક્સપોર્ટસ ગ્રુપના નેજા હેઠળ આગામી તા.20મી ફેબ્રુઆરીથી 26મી ફેબ્રુઆરી 2019 દરમિયાન દિલ્હીની તિહાર જેલમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથા માટે વ્યાસપીઠ પર હાલમાં ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ જિજ્ઞેશ દાદા બિરાજશે અને તિહાર જેલની આ કથાનું સઘળું આયોજન હરેકૃષ્ણ ડાયમંડ ગ્રુપ, સુરત દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરત ખાતેથી પણ સવજીભાઇ ધોળકીયા તેમના ગ્રુપ તેમજ કેટલાક ઉદ્યોગપતિઓ કથા દરમિયાન દિલ્હી ખાતે જ ઉપસ્થિત રહેશે.

February 10, 2019
no_love.png
1min14010
  • સૌરાષ્ટ્રના ભેસાણ ગ્રા.પં. દ્વારા આયોજિત સેમિનારમાં 1400 દીકરીઓએ લીધી હતી
  • દિકરીઓને પ્રેરણાત્મક નહીં પરંતુ, પ્રતિજ્ઞાત્મક મુગ્ધા સેમિનાર આપવો પડે એ દર્શાવે છે કે વર્તમાન સમાજ વ્યવસ્થા એલાર્મિંગ સ્થિતિમાં છે
  • લવ મેરેજ ફેઇલ થઇ રહ્યા છે તો એરેન્જ મેરેજના પણ કરુણ અંજામો સામે આવી રહ્યા છે

એક તરફ ભારત સમેત વિશ્વભરમાં પ્રેમના પ્રતિક ગણાતા વેલેન્ટાઇન્સ ડે ફિવર જામી રહ્યો છે અને વેલેન્ટાઇન્સ વીક અન્વયે ચોકલેટ ડે જે દિવસે હતો એ દિવસે સૌરાષ્ટ્રના ભેંસાણ ગામે દિકરીઓને લવ મેરેજ વિરુદ્ધ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વર્તમાન સમયમાં લવ મેરેજ હોય કે એરેંજ મેરેજ બન્નેના આવી રહેલા કરુણ અંજામને પગલે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓને અન્ય કોઇ પ્રેરણાત્મક નહીં બલ્કે અંગત જીવનને સ્પર્શતા શપથ લેવડાવવા પડી રહ્યા છે. જોકે, આ પ્રતિજ્ઞા ફક્ત કાર્યક્રમ પૂરતી રહેશે કે જીવનભર સનાતન રહેશે એ તો સમય જ બતાવશે.

‘હું મારા લગ્ન પહેલાં કોઇ પુરૂષના પ્રભાવમાં આવીને શારીરિક સંબંધ નહીં બાંધુ કે પ્રેમલગ્ન કરીને ભાગીશ નહીં, અને મારા માતા-પિતાએ કરી આપેલા લગ્નના છૂટાછેડા નહીં કરૂ’ આ પ્રતિજ્ઞા શનિવાર, તા.9 ફેબ્રુઆરી 2019ના રોજ સૌરાષ્ટ્રના ભેસાણ ગ્રા.પં. દ્વારા આયોજિત સેમિનારમાં 1400 દીકરીઓએ લીધી હતી.

આ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવવી પડે એ બાબત જ સૂચક છે કે તરુણાવસ્થાની ગંભીર ભૂલો યુવતિઓનું જીવન તો બરબાદ કરી નાંખે છે પરંતુ, અનેક પારિવારીક સમસ્યાઓ ખડી કરી દે છે.

ભેસાણ ગ્રામપંચાયતનાં સરપંચ અને ભાજપ અગ્રણી ભૂપતભાઇ ભાયાણી તેમજ ગ્રામપંચાયતના સદસ્યોની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ બરવાળા કોલેજ ખાતે એક વિશિષ્ટ પ્રકારનો મુગ્ધા સેમિનાર યોજાયો હતો. જેમાં તાલુકાભરની 1400થી વધુ દીકરીઓએ લાભ લીધો હતો.

વક્તા અશ્વિનભાઇ સુદાણીએ દીકરીઓને એક દીકરી તરીકે કઇ રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, દરેક દીકરીએ જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓનું સમાધાન મળતું  જ હોય છે, માતા-પિતા પ્રત્યે દરેક દીકરીઓએ આદરભાવ રાખીને પારિવારીક જીવનના સુખ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. વિજાતીય આકર્ષણથી બચવા બાબત પર છણાવટ રજૂ કરી હતી, તેમજ જીવનના મૂલ્યો અને ભવિષ્યના આયોજનો, સંસ્કાર, સંસ્કૃતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ તકે દીકરીઓએ જમણો હાથ ડાબા હૃદય ઉપર રાખીને પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘હું મારા લગ્ન પહેલાં કોઇપણના પ્રભાવમાં આવીને શારીરિક સંબંધો નહીં બાંધુ, મારા માતા-પિતા જ્યાં કહેશે ત્યાં જ લગ્ન કરીશ, ક્યારેય ભાગીને કે પ્રેમલગ્ન નહી કરું.’

February 9, 2019
mov3-1280x856.jpg
1min11640

મોદીથી ઇન્સ્પાયર વાર્તા પર આધારીત ગુજરાતી ફિલ્મનું પોસ્ટર અને ટ્રીજર લોન્ચ

પ્રોડ્યૂસર પવન પોદ્દાર અને તાન્યા શર્મા તથા નિર્દેશક અનિલ નારાયણીની મોટીવેશનલ ફિલ્મ 1લી માર્ચે થશે

રિલીઝ ફિલ્મ થકી થનારી આવકમાંથી વનબંધુ પરિષદ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનને કરાશે મદદ સુરત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણની મોટીવેશનલ વાર્તા થી ઈન્સ્પાયર થઈને હવે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેનું નામ છે ‘ હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ મુંબઈના અંધેરી ખાતે ધ વ્યૂમાં ગત દિવસોમાં આ ફિલ્મનું પોસ્ટર અને ટ્રીજર લોન્ચ કરવામાં આવ્યું, જ્યાં ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને કલાકારો પણ ઉપસ્થિત હતા. આ ફિલ્મ કાવ્ય મુવી પ્રાઇવેટ લિમિટેડ અને શ્રી અર્થ પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

ફિલ્મના પ્રોડ્યૂસર પવન પોદ્દાર અને તાન્યા શર્મા છે,જ્યારે લેખક-નિર્દેશક અનિલ નારાયણી છે. આ ગુજરાતી ફિલ્મમાં કરણ પટેલ,ઓંકાર દાસ માણિકપુરી,અનેશા સૈયદ અને હીરલ પટેલ તથા ૠષિ પંચલ મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતાની ભૂમિકા આમિરખાન પ્રોડક્શનની ફિલ્મ પીપલી લાઈવમાં નથ્થાની ભૂમિકા નિભાવનાર અભિનેતા ઓંકાર દાસ નિભાવી રહ્યા છે. ફિલ્મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસક અને ગુજરાતી ફિલ્મના નિર્માતા અનિલ નારાયણીએ બનાવી છે. તેમનું કહેવું છે કે ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનથી પ્રભાવિત છે. ફિલ્મનું ટીજર મુંબઈ ખાતે રિલીઝ કરવામાં આવ્યું ત્યારે સૌનો ખૂબજ પ્રતિસાદ જોવા મળ્યો. ફિલ્મના પ્રોડ્યૂસર પવન પોદ્દાર એ જણાવ્યું કે ફિલ્મની વાર્તા એક બાળકની આસપાસ ફરે છે. બાળક ચા વેચે છે અને મોટો થઈને નરેન્દ્ર મોદી બનવા માંગે છે.આ ફિલ્મ 1લી માર્ચના રોજ રિલીઝ થશે.

વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મ થકી થનારી આવકમાંથી વનવાસી વિસ્તોરોના બાળકો માટે શિક્ષણ સહીતની પ્રવૃત્તિ કરી રહેલી વનબંધુ પરિષદ અને પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણનું અભિયાન ચલાવી રહેલા વિરલ દેસાઈની હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનને મદદ કરવામાં આવશે. ફિલ્મના અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક નથી પણ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે.જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળપણમાં ખૂબજ સંઘર્ષ કર્યો અને દેશના પ્રધાનમંત્રી બન્યા. આ સંઘર્ષ કથાથી પ્રભાવિત થઈને જ આ ફિલ્મમાં એક બાળકની વાર્તા દર્શાવાઈ છે. બાળક ભલે ચા વેચતો હોય પરંતું તેના સપના મોટા હોય છે. એક બાળક અનેક નકારાત્મક બાબતોની વચ્ચે પણ મોદી જેવો બનવાની લક્ષ્ય રાખે છે. પ્રોડ્યૂસર પવન પોદ્દારે જણાવ્યું હતું કે આજે મોટાભાગના બાળકો સલમાન,શાહરૂખ જેવા એક્ટર કે સિંગર બનવા માંગે છે,જ્યારે આ બાળક મોદી જેવી હસ્તી બનવા માંગે છે. અમે આ ફિલ્મ થકી એ સંદેશ આપવા માંગે છે કે આજે પ્રત્યેક ઘરમાં એક બાળક મોદી જેવા બનવાનો નિર્ધાર કરે. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે મારૂ ઈન્સ્પીરેશન મોદી છે અને મોદી જેવું કોઈ નથી. આ ફિલ્મમાં મોદીનું બાળપણ દર્શાવાયું છે, રાજનીતિ નહી. વાર્તા પર ખૂબજ મહેનત અને રિસર્ચ કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં મોદીના બાળપણની ભૂમિકા ભજવી રહેલા કરણ પટેલે જણાવ્યું હતું કે સેંકડો બાળકો સાથે તેણે પણ ઑડીશન આપ્યું હતું. ત્યારબાદ ફોન આવ્યો કે તમને શોર્ટલીસ્ટ કરાયા છે. આ ફિલ્મ મારા માટે ખૂબજ ચેલેન્જીંગ હતી. પ્રોડ્યૂસર તાન્યા શર્માએ જણાવ્યું હતું કે ફિલ્મમાં મોદીજીની વાર્તા એ રિતે રજૂ કરવામાં આવી છે કે જે જોઇને દર્શકો મોટીવેટ થશે. મને લાગે છે કે આજે દરેક બાળક નરેન્દ્ર મોદી બનવા માંગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણના સંઘર્ષને ફિલ્મના પરદે ઉતારવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીની આ ઈન્સ્પાયરીંગ વાર્તા દેશના દરેક નાગરીક સુધી પહોંચે તે માટે અન્ય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.

આ ફિલ્મની શુટિંગ અમદાવાદ ,વડોદરા અને સુરતમાં થઈ છે જ્યાં તેમનું બાળપણ વિત્યુ હતું. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ સેન્સર બોર્ડના વલણને લઈને પ્રશ્ન ઉભો કર્યો હતો. તેમણે સેન્સન બોર્ડના ચિફ પ્રસૂન જોશીનું નામ લઈને કહ્યું હતું કે ફિલ્મ જોયા વિના કોઈ પણ ફિલ્મ વિશે કઈ પણ કહેવું એ ઉચિત નથી. તેમણે જણાવ્યું હતું કે કાફી મુશ્કેલીઓ પછી ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળી શક્યું છે.

February 3, 2019
journalist.jpg
1min7660

રાજ્ય સરકારે પત્રકારો માટે પેન્શન યોજના જાહેર કરી છે. શનિવારે રાજ્ય સરકારે કાઢેલા આદેશ અનુસાર પત્રકારિતાના 30 વર્ષ અને ઉંમરના 60 વર્ષ પૂરાં થયા હોય તેવા પત્રકારોને આ યોજનાનો લાભ મળશે. આચાર્ય બાલશાસ્ત્રી જાંબેકર સન્માન યોજના નામે જાહેર કરવામાં આવેલી આ સ્કીમ માટે સરકારે રૂ. 15 કરોડ જાહેર કર્યા હતા. જોકે, પેન્શનની રકમ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહિને રૂ. 8,000થી 10,000ની રકમ જાહેર થવાની શક્યતા છે. આ સ્કીમ અંતર્ગત પત્રકાર, ફોટોગ્રાફર, એડિટર અને ફ્રી લાન્સર પત્રકારોને ફાયદો મળશે. આ પત્રકારો પાસે ઓછામાં ઓછું દસ વર્ષ માટે અધિસ્વીકૃતિ પત્ર હોવું જોઈએ અને તેમના જીવનનિર્વાહનું એકમાત્ર સાધન પત્રકારિતા હોવી જોઈએ. આ સાથે એવી શરત પણ રાખવામાં આવી છે કે અરજદાર કરવેરો ભરતો હોવો જોઈએ નહીં. એટલે કે તેની આવક કરવેરાની આવકમર્યાદા કરતા ઓછી હોવી જોઈએ. આ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. અધિસ્વીકૃતિ પત્ર ન ધરાવતા પત્રકારોને પેન્શન આપવું કે નહીં તેનો નિર્ણય સરકારે નિયુક્ત કરેલી કમિટી દ્વારા લેવામાં આવશે. આ સાથે મહાત્મા જ્યોતિબાઈ ફૂલે આરોગ્ય યોજના અંતર્ગત પણ પત્રકારોને સમાવવાનો નિર્ણય સરકારે લીધો હતો.

ગુજરાતમાં પત્રકારો માટેની સ્કીમોથી પત્રકારો જ અજાણ

ગુજરાતમાં પણ પત્રકારો માટે અનેક કલ્યાણકારી સ્કીમ્સ રાજ્ય સરકારે વખતો વખત અમલમાં મૂકી હોવાનું જાણવા મળે છે. પરંતુ, આશ્ચર્યજનક વાત એ છે કે આ કલ્યાણકારી યોજનાઓ જેના માટે અમલમાં મૂકવામાં આવી છે તેનાથી પત્રકારો જ અજાણ છે. પ્રેસ એક્રેડીટેશન કાર્ડની સ્કીમથી પત્રકારો વાકેફ છે પરંતુ, આ કાર્ડથી તેમને કઇ કઇ સુવિધાઓ મળે છે અને કેવી રીતે ઉપલબ્ધ થાય છે તેનાથી પત્રકારોને અવગત કરવામાં આવતા નથી.

એસ.ટી.માં વિનામૂલ્યે મુસાફરી પણ કન્ડક્ટરો જ અજાણ

ગુજરાતમાં પ્રેસ એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારોને એસ.ટી. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે પરંતુ, જ્યારે પત્રકારો બસમાં મુસાફરી કરવા બેસે છે ત્યારે જે તે બસ કન્ડક્ટરો આવી કોઇ યોજના ન હોવાનું જણાવીને જાહેરમાં અપમાનિત કરે છે, આમેય પત્રકારોની છાપ કેટલાક લોકોને કારણે ખરાબ થઇ હોય બસના અન્ય મુસાફરોમાં ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે તેવું કન્ડક્ટરનું વર્તન હોવાને કારણે પત્રકારો બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.

February 1, 2019
Union-Budget.png
2min21030

કાર્યકારી નાણાં મંત્રી પિયુષ ગોયલે દેશના ત્રણ કરોડ જેટલા પગારદારો, નાના અને મધ્યમકદના વ્યાપારીઓને સીધો લાભ થાય તેવી કરેલી જોગવાઇ અનુસાર હાલની રૂ.2.5 લાખની આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને રૂ.5 લાખ કરવાની જાહેરાત કરી હતી. આવકવેરા મુક્તિમાં પિયુષ ગોયલે સીધો બમણો વધારો કર્યો હતો. 5 લાખની આવક ટેક્સ ફ્રી થવા ઉપરાંત અન્ય દોઢ લાખ રૂપિયા સુધીનું ચોક્કસ રોકાણ કરવામાં આવશે તો રૂ.6.5 લાખ સુધીની આવક પર એક પણ રૂપિયો ટેક્સ નહીં લાગશે.

અગાઉ 2.5 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ લાગતો નહતો. હવે રૂ.1.5 લાખ સુધી વિવિધ ટેક્સ સેવિંગ રોકાણ કરવાથી 6.5 લાખ સુધીની ગ્રોસ આવક ધરાવતા પગારદારને કોઈ જ ટેક્સ ભરવો પડશે નહીં જે ખુશીની વાત છે.

20 ટકાનો ટેક્સ સ્લેબ

જો તમારી આવક 5 લાખથી 10 લાખની વચ્ચે હતી તો તમારે 20 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. અને 4 ટકા સેસ તો ખરો જ

30 ટકાનો ટેક્સ સ્લેબ

પાછલા બજેટ પ્રમાણે જો તમારી આવક 10 લાખથી 50 લાખ વચ્ચે હોય તો તમારે 30 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. અહી પણ 4 ટકા સેસ ચૂકવવો પડે છે.

આ ઉપરાંત બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા વર્તમાન રૂ.40,000 વધારીને રૂ.50,000 કરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા આવક વેરા મુક્તિ મર્યાદા વધારતા તેનો લાભ ત્રણ કરોડ કરદાતાઓને મળશે તેમ નાણાં મંત્રીએ જણાવ્યું હતું. કેન્દ્રને આનાથી 18,500 કરોડનું નુકસાન થશે. દરમિયાન બેન્ક તેમજ પોસ્ટમાં મૂકેલા નાણાંના વ્યાજ પર ટીડીએસ લિમિટ રૂ. 10,000થી વધારીને રૂ. 40,000 કરાઈ હતી.

  • સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. 40,000થી વધારીને રૂ.50,000 કરાઈ
  • પ્રતિ વર્ષ 2.4 લાખના મકાન ભાડા પર કોઈ TDS લાગશે નહીં
  • પોસ્ટ અને બેન્ક ડિપોઝિટ પર TDS મર્યાદા રૂ.10,000થી વધારીને રૂ.40,000 કરાઈ
  • 5 લાખ સુધીની વ્યક્તિગત આવક ધરાવતા પગારદાર પર કોઈ જ ટેક્સ નહીં
  • 1.5 લાખ સુધીના રોકાણ પર 6.5 લાખ સુધીની આવક ધરાવતા પગારદારને કોઈ જ ટેક્સ ભરવો નહીં પડે
  • 3 કરોડ લોકોને આનાથી લાભ થશે, 18,500 કરોડનું સરકારને નુકસાન થશે
  • નાણાં મંત્રી પીયૂષ ગોયલે મોદી સરકારનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું
  • મધ્યમ વર્ગ, ખેડૂતો અને નાના ઉદ્યોગોને લુભાવવા લોકપ્રિય પગલાંની ભરમાર
  • સરકાર પ્રધાનમંત્રી સમ્માન નીધિ યોજના અંતર્ગત નાના ખેડૂતોને 6,000 રૂપિયાનો સીધો લાફ બેન્ક ખાતામાં ટ્રાન્સ્ફર કરાશે. આ રકમ (રૂ. 2,000 હજાર) ત્રણ ભાગમાં આપવામાં આવશે. ડિસેમ્બર 2018થી આ યોજના લાગુ કરાશે. અંદાજીત ખર્ચ 75,000 કરોડ થશે જે સરકાર ભોગવશે.
  • પ્રધાન મંત્રી સમ્માન નીધિ યોજનાનો લાભ દેશના 12 કરોડ ખેડૂતોને મળશે
  • કુદરતી સંકટમાં નાશ થયેલા પાક બદલ ક્રોપ લોનને રીશીડ્યૂલ કરવાને બદલે ખેડૂતને 2 ટકા વ્યાજ માફી અને સમયસર લોન ભરપાઈ કરે તો વધુ 3 ટકા વ્યાજ માફી આપવાની જાહેરાત
  • ચાલુ ખાતાની ખાધ ચાલુ વર્ષે જીડીપીના 2.5 ટકા રહી શકે, ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 3.4 ટકા રહેવાની વકી
  • આ દેશના સંશાધનો પર ગરીબોનો સૌપ્રથમ હક રહેલો છે
  • MNREGA હેઠળ 2019-20માં 60,000 કરોડ ફાળવાશે
  • પ્રધાન મંત્રી શ્રમયોગી માનધન નામ હેઠળ પેન્શન સ્કીમની જાહેરાત જેમાં અસંગઠીત ક્ષેત્રના કર્મીઓને 60 વર્ષની ઉંમર બાદ મહિને 3,000 રૂપિયા મળશે. 100 રૂપિયા પ્રતિ માસનું યોગદાન આપવાનું રહેશે.
  • ગરીબો, જમીન વિહોણા ખેડૂતોને યોગ્ય આવકની મદદની જરૂર છે
  • વિચરતી જાતિના લોકોના ઉત્થાન માટે સરકાર વિશેષ રણનીતિ અમલમાં લાવશે: ગોયલ
  • 22 નક્કી કરાયેલા પાક ઉપર MSP ઉત્પાદન ખર્ચ કરતા 50 ટકા વધુ
  • જન ઔષધી સ્ટોર્સમાંથી દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરાવાશે
  • 21 AIIMS દેશમાં કાર્યરત છે જે પૈકી 2014થી અત્યાર સુધીમાં 14 AIIMSને મોદી સરકારે મંજૂરી આપી. વધુ એક AIIMS હરિયાણામાં સ્થપાશે
  • 10 લાખ દર્દીઓને આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર મળી. દેશની સૌથી વિશાળ સ્વાસ્થ્ય યોજના છે
  • LED બલ્બના ઉપયોગથી 50,000 કરોડ સુધીની વીજ બિલમાં બચત થઈ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2014-18માં 1.53 કરોડ મકાનોનું બાંધકામ કરાયું
  • ગાયોના જતન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની બજેટમાં જાહેરાત 
  • મધ્યમ અને ગરીબ ઘરોને 143 કરોડ એલઈડી બલ્બ પૂરા પાડવામાં આવ્યા
  • 2014માં 2.5 કરોડ ઘરો વીજ જોડાણ વિહોણા હતા. અમે તમામ ઘરોને વીજ જોડાણ પૂરા પાડ્યા
  • પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ નિર્માણમાં ત્રણ ગણો વધારો
  • ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ LPG જોડાણ ફાળવાયા જે પૈકી 6 કરોડ જોડાણો ગરીબ મહિલાઓને પૂરા પાડવામાં આવ્યા
  • મુદ્રા યોજનામાં 70 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે
  • ગ્રેચ્યુઈટી મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરાઈ
  • પશુપાલન અને મત્સ્ય ઉગ્યોગને સમર્થન આપવા કેન્દ્રે 750 કરોડ ફાળવ્યા 
  • પશુપાલન અને માછીમારી કરતા ખેડૂતોને 2 ટકાનું વ્યાજ વળતર
  • તમામ આવકવેરા રિટર્નને 24 કલાકમાં પ્રોસેસ કરી તેનું રીફંડ પણ ચૂકવી દેવાશે: FM
  • GSTની સરેરાશ આવક 97,100 કરોડ પ્રતિ માસ
  • ચાલુ વર્ષે વેરા વસૂલાત વધીને રૂ. 12 લાખ કરોડ થઈ, 6.85 કરોડ રિટર્ન ફાઈલ થયા 
  • ત્રણ વર્ષમાં કેન્દ્રે OROP હેઠળ 35,000 કરોડ ફાળવ્યા
  • 2019-20માં સંરક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં 3 લાખ કરોડથી પણ વધુની જોગવાઈ, વધુ જરૂર પડે તો પણ જોગવાઈ કરાશે: ગોયલ
  • સાગરમાલા યોજનાથી ગાડીઓની આયાત-નિકાસ ઝડપી બનાવી શકાશે
  • નવ પ્રાથમિક ક્ષેત્રની ઓળખ કરાઈ, નેશનલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પોર્ટલ તૈયાર કરાશે  
  • ભારતીય રેલવેનું આ વર્ષ  ઐતિહાસિક રીતે સલામત વર્ષ રહ્યું 
  • રેલવે માટે બજેટમાં 1.58 લાખ કરોડ ફાળવાયા
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઝડપ, સલામતી અને સુરક્ષા પુરી પાડશે તેમજ મેક ઈન ઈન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ
  • સ્થાનિક સ્તરે ઓઈલ અને ગેસનું ઉત્પાદન વધારવાની તાતિ જરૂરિયાત છે જેથી આયાત નિર્ભરતા ઘટાડી શકાય
  • 99.54 ટકા રિટર્ન કોઈપણ સ્ક્રુટિની વગર સ્વીકારાયા
  • આગામી વર્ષે રેલવેનો નાણાં ખર્ચ 1.58 લાખ કરોડ રહેવાની સંભાવના
  • આગામી બે વર્ષમાં આવકવેરા રિટર્નની સ્ક્રુટિની પણ સંપૂર્ણ ઈલેક્ટ્રોનિકલી કરાશે
  • કરદાતાઓને લાભ થાય તે માટે પ્રત્યક્ષ વેરા માળખાનું સરળીકરણ કરાશે
  • સરકાર આગામી પાંચ વર્ષમાં 1 લાખ ગામડાને ડિજિટલ બનાવશે
  • GSTની આવક 97,100 કરોડ પ્રતિ માસ જે અગાઉના વર્ષે 89,7૦૦ કરોડ હતી
  • 42 અસંગઠીત ક્ષેત્ર માટે પેન્શન યોજનાની જાહેરાત જેમાં કર્મચારીને 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ બાદ લઘુત્તમ રૂ. 3,000નું પેન્શન મળશે

ઇન્ટરિમ બજેટ 2019માં નાણામંત્રી પીયૂષ ગોયલે ઘણી મોટી જાહેરાતો કરી. કેન્દ્ર સરકારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશમાં 12 કરોજ ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે 6000 રૂપિયા પ્રતિ વર્ષ બેંકખાતામાં આપવાનું એલાન કર્યું. તે સાથે જ અસંગઠિક ક્ષેત્રમાં શ્રમિકોને મદદ પહોંચાડવા માટે સરકારે પેન્શન યોજનાની જાહેરાત કરી જે હેઠળ 3000 રૂપિયા પ્રતિમાસનું પેન્શન આપવાની જોગવાઈ છે.