CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 39 of 44 - CIA Live

September 15, 2021
Saurastra.png
4min359

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રનાં હાલાર, સોરઠ, ઘેડ પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે જામનગરમાં આભ ફાટયું હોય તેમ અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા તેમજ સોરઠ વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી અવિરત મુશળધાર મેઘવર્ષા થઇ રહી છે. આજે પણ સોરઠ પંથકમાં 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ઘેડ વિસ્તારમાં સતત પડતા વરસાદથી રસ્તાઓ પર ગોઠણડૂબ અને ખેતરોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં ચોરવાડમાં નવ, કેશોદ-માંગરોળ-જૂનાગઢમાં 8 અને માળિયા હાટીના, વંથલી, રાણાવાવમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તેમજ કેશોદથી માળિયાનો રસ્તો પણ બંધ કરવો પડયો હતો અને એસટીના 20 રૂટો કેન્સલ કરાયા હતા. આ વિસ્તારની નોળી નદીમાં ઘોડાપૂર આવતા કામનાથ મહાદેવને જળાભિષેક થયો હતો. ઘેડ પંથકની મોંટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવતા જમીન ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ચોરવાડ :

13/9/21 રાત્રીના સતત વરસાદ વરસેલ ત્યારબાદ સવારે પાંચ વાગ્યાથી અત્યારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 9 ઇંચ વરસાદ નોંધાયેલ છે. તેમજ ઉપરવાસમાં પણ સારો વરસાદ હોવાને કારણે મેઘલ નદીમાં તથા લાંગડી નદીમાં ઘોડાપૂર આવેલ. ચોરવાડના નિચાણવાળા વિસ્તાર પાણીના ટાંકા પાસે ધારીવાવ તેમજ બેરા રોડ ઉપર પાણી પાણી થયેલ છે. અને અમુક ઘરમાં વરસાદી પાણી ફરી વળેલ છે. ચોરવાડ ખાતે સેવા ભાવી સંસ્થા ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મહેશભાઈ રાઠોડ દ્વારા જણાવેલ છે. નિચાણવાસમાં જે ઘરોમાં પાણી ભરાયા હોય તેમણે સ્કૂલ ખાતે આશરો આપવામાં આવશે અને બે કુટુંબ અત્યારે સ્કૂલમાં આશરો લીધેલ છે.

માંગરોળ :

માંગરોળમાં સોમવારે રાત્રી દરમિયાન ધીમીધારે વરસ્યા બાદ આજે સવારે ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબોળ થઇ ગયો હતો. તેમજ આખા દિવસ દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે આજે ફરીથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર સવારથી જ ખડેપગે રહ્યું હતું. ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નોબી નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં.
જ્યારે કામનાથ નજીક દાનાતળ કોઝવે પરથી પાણી વહેતા લંબોરા, શેખપુર, ચોટીલીવીડી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. નોળી નદીમાં ઘોડાપૂર આવતાં પ્રસિધ્ધ કામનાથ મહાદેવના શિવલીંગને જળાભિષેક થયો હતો.

જૂનાગઢ :

સોરઠમાં મેઘરાજાએ મન મુકીને સટાસટી બોલાવતા સર્વત્ર શ્રીકાર ત્રણથી આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ જળાશયો છલોછલ ભરાઈ ગયા છે.
ગિરનાર પર્વત અને જૂનાગઢ શહેર તથા જિલ્લામાં ગતરાતથી શરૂ થયેલ મેઘસવારી આજે ઢળતા બપોર સુધી ચાલુ રહેતાગિરનાર પર્વત તથા જૂનાગઢ 8 ઇંચ, વંથલીમાં છ, વિસાવદર અને મેંદરડામાં પાંચ, માણાવદર સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ભારે વરસાદને પગલે લોકમાતાઓ ગાંડીતૂર બનતા તમામ જળાશયો, તળાવો છલોછલ ભરાઈ ગયા છે. ઘેડ પંથકમાં જળબંબાકાર સર્જાયો છે. તેમાં બાલાગામના પાદરથી પંચાળા સહિત માધાવપુર સહિત હજારો હેક્ટર ઉભો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

ડોળાસા :

કોડિનાર તાલુકાના ડોળાસા અને આજુબાજુના ગામોમાં આજે પણ ચાર ઇંચ વરસાદ થયો છે. બે દિવસમાં આઠ ઇંચ પાણી પડી જતાં સારુ વર્ષ જવાની આશા મજબૂત બની છે. મોસમનો કુલ વરસાદ 24 ઇંચ થયો છે.

કેશોદ :

કેશોદ શહેર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઇંચથી વધારે વરસાદ પડવાની સાથે સાથે ઉતાવળીયો નદી, ટીલોળી નદી, ઓઝત નદી, સાબળી નદીમાં ઘોડાપૂર આવતા રહેણાંક વિસ્તારમાં અને ખેતરોમાં પાણી ફરી વળતાં જનજીવન ખોરવાયું છે. કેશોદ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની સાથે મોસમનો કુલ વરસાદ 35 ઇંચ નોંધાયો છે. ત્યારે આજે સવારે ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં જ કેશોદ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આજે જિલ્લા કલેક્ટર જૂનાગઢના આદેશ મુજબ શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી. કેશોદ એસટી ડેપોનાં વીસેક રૂટ રદ કરવામાં આવેલ હતાં. પરિણામે મુસાફરો રઝળી પડયા હતા. સવારે ભારે વરસાદને કારણે કેશોદ રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી દેવામાં આવી હતી. કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો શાકભાજી કે ફળફળાદિ ન લાવતા હરાજી બંધ રહી હતી. કેશોદ તાલુકાના ઘેડ પંથકના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ગ્રામ્ય વિસ્તારનાં ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો દ્વારા કરેલ હતી.

ગોંડલ :

તાલુકાના નવાગામમાં સવારથી વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ 6 ઇંચ વરસ્યો જેને કારણે નદીઓ બેકાંઠે વહેવા લાગી હતી. ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભાદરવો બેસતા જ ધીમી ધારે વરસાદ આવતાંઆજે સવારે નવાગામ લીલાખા ગોમટામાં ધોધમાર વરસાદ પડયો છે.

બાંટવા :

ઉપરવાસના વરસાદને કારણે પોરબંદર જવાનો રસ્તોહાઈવે બંધ કરાયો છે. ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. જેમાં મહીયારી, તરખાઈ, કડેચી, અમીપુર, બગસરા વગેરે ગામોમાં ચારેબાજુ જ્યાં જ્યાં નજર પડે ત્યાં પાણી-પાણી નજરે પડે છે. ખેતીને વ્યાપક નુકશાની થઇ છે.
જામકંડોરણા : જામકંડોરણામાં આજે સવારથી સાંજ સુધીમાં 59 મીમી વરસાદ પડેલ છે. આ સાથે મોસમનો કુલ વરસાદ 601 મીમી થયેલ છે.

ભાવનગર :

જિલ્લામાં છૂટા-છવાયા ઝાપટાથી લઇ અર્ધો ઇંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં સવારથી સાંજ સુધી વરસાદ પડયો ન હતો. આજે સવારથી સાંજનાં છ વાગ્યા સુધી તળાજામાં 15 મીમી, મહુવા 10 મીમી, જેસરમાં 5 મીમી, સિહોરમાં 5 મીમી, ઘોઘામાં 4 મીમી, ભાવનગરમાં 2 મીમી અને પાલીતાણામાં 1 મીમી વરસાદ નોંધાયો છે. વલભીપુર, ઉમરાળા અને ગારિયાધારમાં વરસાદ નોંધાયો નથી. ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે.

ધોરાજી :

ધોરાજીમાં ગઇકાલ રાતથી મેઘરાજાએ મેઘતાંડવ કરતા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોરાજીના પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં નવા પાણીની આવક થતા ધોરાજીનું પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. આજે આખો દિવસમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગડુ (શેરબાગ) : આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગડુ, ખેરા, સમઢિયાળા, વિષણવેલ, સુખપુર, સિમાર, ઘુમલી, ઝડકા, ગોતાણા વગેરે ગામોમાં રવિવારે રાત્રેથી વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જે સોમવારે તથા મંગળવારે બપોર સુધીમાં 48 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારની જીવાદોરી સમાન મોટી મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં લોકોના ટોળા પૂર જોવા ઉમટી પડયા હતાં.

અમરેલી :

અમરેલી જિલ્લામાં આજે પણ દિવસભર વરસાદી માહોલ છવાયેલ હતો. સૌથી વધુ રાજુલા પંથકમાં સવા બે ઇંચ, લીલિયા બે ઇંચ, વડિયા-જાફરાબાદ દોઢ દોઢ ઇંચ, બગસરા પોણો ઇંચ, સાવરકુંડલા અડધો ઇંચ તેમજ અન્યત્ર છૂટાછવાયા ઝાપટા પડેલ હતા.

માળિયા હાટીના :

માળિયા હાટીનામાં ગઇકાલે રાત્રે બાર વાગ્યાથી વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે મેઘ ગર્જના સાથે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અવિરતપણે વરસાદ શરૂ થયો હતો જે રાતનાં બાર વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં છ ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારો મફતિયાપરા, જસપરા, પટેલ સમાજ વિસ્તારો પુનાપરા સ્ટેશન પ્લોટ સહિતના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. માળિયાની મેઘલ નદીમાં પ્રથમવાર ઘોડાપૂર આવ્યું હતું. શંકર મંદિરની દિવાલ સુધી પૂરના પાણી આવી ગયા હતાં.

વેરાવળ :

ગિર પંથકમાં પડી રહેલા ભારે વરસાદનાં પગલે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જ્યારે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકો સાથે જોડતા માર્ગો અને વોંકળાઓ પર ઘસમસતા પૂરના પાણી વહેતા થતા અનેક માર્ગો બંધ થઇ ગયા છે. સોમવારે રાત્રિના 2 વાગ્યાથી મંગળવારે સવારે 10 વાગ્યા (8 કલાકમાં) સુધીમાં જિલ્લાના વેરાવળમાં 70 મીમી (3 ઇંચ), સુત્રાપાડામાં 37 મીમી (1.5 ઇંચ), કોડિનારમાં 40 મીમી (1.5 ઇંચ), ગિર ગઢડામાં 40 મીમી (1.5 ઇંચ) અને ઉનામાં 64 મીમી (2.5 ઇંચ) વરસાદ વરસી ગયો છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પાણીની આવક વેરાવળની ભાગોળેથી પસાર થતી દેવકા નદીમાં ભરપૂર થતાં નદી ગાંડીતૂર બની છે. બપોરના સમયે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના પગલે વેરાવળ શહેરના પ્રવેશદ્વારની હુડકો, સાંઇબાબા મંદિર વિસ્તાર, ડાભોર રોડ પરની શિક્ષક કોલોની, શક્તિનગરસહિતની અનેક સોસાયટી વિસ્તારમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાઈ ગયા છે. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ચમોડા ગામમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

ભીમદેવળ :

મંગળવાર સવારનાં 8 વાગ્યા સુધીમાં ભીમદેવળ 4 ઇંચ, રાતિધાર 4, રામપરા 4ાા તેમજ અનિડામાં 3ાા ઇંચ જેટલો ભારે વરસાદ પડેલો. વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડી રહેલો વરસાદથી અહીંથી પસાર થતી સરસ્વતી નદીમાં 2 દિવસમાં બીજી વખત પૂર આવેલું.
આજુબાજુના ગ્રામ્ય પંથક જેવા કે લુંભા, ખંઢેડી, ભેટાળી, કોડીદ્રા વગેરે ગામોમાં સોમવારે રાત્રીનાં 10થી મંગળવાર સવારના 9 વાગ્યા સુધીમાં આ બધા ગામોમાં 8 થી 9 ઇંચ જેટલો ગાજવીજ સાથે વરસાદ પડેલો.

તાલાલા :

તાલાલામાં આજે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રવિવાર મોડી રાત્રિથી પધારેલ મેઘરાજા છેલ્લા 48 કલાક દરમિયાન મન મુકીને વરસ્યા હતાં. આ દરમિયાન તાલાલા શહેરમાં દશ અને ગ્રામ્ય વિસ્તારમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસતા આખો તાલાલા પંથક પાણી પાણી થઇ ગયો હતો.

તળાજા :

શહેર અને આસપાસનાં ગામડાઓમાં આજે વહેલી સવારથી બપોર સુધીમાં ક્યારેક હળવો તો ક્યારેક ભારે વરસાદ વરસ્યો હતો. દરિયામાં ઊંચા મોજા જોવા મળતા હતા. સરતાનપર સહિતના દરિયા કિનારેના માછીમારોએ મોટે ભાગે દરિયો ખેડવાનું ટાળ્યું હતું.

ઉપલેટા :

ઉપલેટા તાલુકામાંઆજે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 15 કલાકની વાત કરીએ તો અહીં અતિ ભારે 10 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તેમજ અહીંથી પસાર થતી ભાદર, મોજ, વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં.

મોરબી :

મોરબી જિલ્લામાં મંગળવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સાંજનાં સુમારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં તો ભારે વરસાદની આગાહીને પગલે મોરબી જિલ્લામાં એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ ટૂ મોડમાં રાખવામાં આવી છે. મોરબી જિલ્લામાં મંગળવારે સવારથી સાંજે છ સુધીમાં મોરબી તાલુકામાં 02 મીમી, ટંકારા તાલુકામાં 04 મીમી, વાંકાનેર તાલુકામાં 04 મીમી, હળવદ તાલુકામાં 05 મીમી વરસાદ નોંધાયો છે.

પાનેલી મોટી :

ગઇકાલ રાત્રીના નવ વાગ્યાથી સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ થયેલ હતો તેમજ આજરોજ બપોર પછી 4 વાગ્યાથી એક કલાકમાં 2ાા ઇંચ જેવો વરસાદ પડેલ છે. પાનેલીમોટી તળાવ આજ બીજી વખત ઓવરફલો થઇ ગયું છે.

જામનગર :

જામનગર શહેર અને જિલ્લામાં ગત શનિવારથી આરંભાયેલી મેઘકૃપા આજે સતત ચોથા દિવસે અવિરત રહેવા પામી છે. જિલ્લામાં આજે સવારથી સાંજનાં 6 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં જામનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં 6 મીમી, સાંજના સમયે પુન: વરસાદ શરૂ થતાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત જામજોધપુરમાં 72 મીમી, ધ્રોલમાં 42 મીમી, કાલાવડમાં 10 મીમી, જોડિયામાં 4 મીમી, લાલપુરમાં 4 મીમી વરસાદ જિલ્લા ફલડ કંટ્રોલ રૂમે નોંધાયો છે.

પોરબંદર :

પોરબંદર જિલ્લામાં સાડા પાંચથી સાડા છ ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં સતત વરસી રહેલા વરસાદને લીધે ઠેર ઠેર ખુશી જોવા મળે છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સાડા છ ઇંચ નોંધાઈ ચૂક્યો છે. અને પોરબંદરમાં 4, કુતિયાણામાં 5.5 અને રાણાવાવ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ચારે બાજુ મેઘમહેરને લીધે પાણી પાણી જોવા મળી રહ્યું છે.

કોટડાસાંગાણી :

કોટડાસાંગાણીમાં વહેલી સવારથી સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ થતાં ગોંડલી નદીમાં ઘોડાપૂર જેવું પાણી આવેલ. કોટડાસાંગાણીનાં નદીમાં પાણી આવતા ખરેડા, પાંચિયાવદર, ગોંડલ આ ચાર ગામોના લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવેલ.

September 15, 2021
petrol-diesel-1.jpg
1min435

તા.17મી સપ્ટેમ્બર, શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લવાય એવી શક્યતા ચર્ચાઇ રહી છે. 

લખનઊમાં શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કોવિડ-૧૯ માટેની જરૂરિયાતના સામાન પરના કરમાં પણ લાભ આપવા વિશે પણ વિચાર કરે એવી શક્યતા છે. 

દેશમાં આસમાને પહોંચેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કાબૂમાં રાખવાનો જીએસટી સારો માર્ગ હોવાનું મનાય છે, કારણ કે જીએસટી હેઠળ લવાયા બાદ એના પર લાગતા રાજયના વેટ કર અને કેન્દ્રની જકાતની પણ બાદબાકી થશે. 

જૂન મહિનામાં એક અરજીના નિકાલ વખતે કેરળની હાઇ કોર્ટે જીએસટી કાઉન્સિલને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા જણાવ્યું હતું. 

સૂત્રોના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ અનુસાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો મુદ્દો ચર્ચા માટે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે.         

September 14, 2021
stalin.jpg
5min433

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.૧૨મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ દેશભરમાં મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ લેવાઇ હતી અને પછીના બીજા જ દિવસે તમિળનાડુ રાજ્યમાં એમ.કે. સ્ટાલિનની સરકારે એવો બહાદૂરીભર્યો નિણય વિધાનસભામાં પારિત કરાવ્યો કે જેમાં તમિળનાડુ રાજ્ય આ વખતે નીટના સ્કોર વગર ફક્ત ધો.૧૨ના પરીણામના આધારે જ તમિળનાડુ રાજ્યમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજાેમાં પ્રવેશ ફાળવશે. ટૂંકમાં નીટની સ્વીકૃતિને ફગાવતા તમિળનાડુની સ્ટાલિન સરકારે કરેલા નિર્ણયને તેમના કટ્ટર હરીફ એઆઇએડીએમકે પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે.
જ્યારથી નીટ પરીક્ષાને કેન્દ્ર સરકારે ફરજિયાત બનાવી છે ત્યારથી તમિળનાડુ એવું રાજ્ય છે જેણે નીટ સામે બંડ પોકાર્યું છે. તમિળનાડુની રાજ્ય સરકારે નોંધ્યુ છે કે નીટ વગર કારણે વિદ્યાર્થીઓ પ્રેશરમાં રાખે છે એટલું જ નહીં પરંતુ, ફક્ત ધનવાનોના બાળકો જ નીટ પરીક્ષાની તૈયારી કરી શકે છે અને ગરીબ વિદ્યાર્થીઓ નીટના કારણે તેજસ્વી હોવા છતાં મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ લઇ શક્તા નથી. તમિળનાડુએ એ પણ રજૂઆતો કરી હતી કે નીટનું કોચિંગ સ્કુલો કરાવી શક્તી નથી અને પ્રાઇવેટ કોચિંગની લાખો રૂપિયાની ફી વિના કારણે ગરીબ મધ્યમવર્ગીય પરિવારોએ ભરવી પડે છે. વિદ્યાર્થીઓના હિતમાં તમિળનાડુએ આજે નીટને ફગાવી દીધી હતી.

આ પૂર્વે તમિળનાડુ સરકારે એક રિટાયર્ડ ન્યાયાધીશના વડપણ હેઠળ કમિટીની રચના કરી હતી. જેમણે નીટ અંગે 85 હજાર જેટલા વિદ્યાર્થીઓના ઓફલાઇન ઓનલાઇન અભિપ્રાયો જાણ્યા હતા, મંગાવ્યા હતા. આ કમિટીએ એવી ભલામણ કરી હતી કે નીટની કોઇ જરૂરીયાત જણાતી નથી. એ પછી સચિવ સ્તરના અધિકારીઓની કમિટી તમિળનાડુની વર્તમાન સરકારે રચી હતી, એ કમિટીએ પણ નીટને નલીફાઇડ કરી દેવા માટે સૂચન કર્યું હતું. આજે તમિળનાડુ વિધાનસભામાં નીટને ખારીજ કરવાનો ઠરાવ કરાવ્યા બાદ મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ માટેની લાયકાત નક્કી કરવા માટે ધો.12નો અભ્યાસક્રમ યોગ્ય છે. નીટની કોઇ જરૂરીયાત જણાતી નથી એટલે અમે તેને રદબાતલ કરી દીધી છે.

IN English

The Tamil Nadu assembly on Monday passed a Bill for admissions to undergraduate courses in medicine, dentistry, Indian medicine and homeopathy on the basis of marks obtained by students in Class 12 board examinations. The Bill also provides for 7.5% horizontal reservation for the students of government schools in medical admission.

“Admissions to medical education courses are traceable to entry 25 of List III, Schedule VII of the Constitution. Therefore, the state government is competent to regulate the same. So, I am moving this Bill,” chief minister M K Stalin said, evoking a loud thumping of desks in the treasury. Stalin introduced the bill in the Assembly.

The opposition AIADMK supported the move while the BJP opposed it. BJP members walked out of the assembly in protest.

A high-level committee led by Justice A K Rajan, set up by the DMK government in June, reported to the government that NEET had undermined the diverse societal representation in MBBS and higher medical education, favouring the affluent groups, while thwarting the dream of pursuing medical education by the underprivileged sections. Mostly affected were the students of government schools, those having parental income less than 2.5 lakh per annum and that of Most Backward Classes, Scheduled Castes and Scheduled Tribes.

The committee said the NEET did not seem to ensure merit nor standard of the students being offered MBBS under its purview.

The Justice Rajan committee received views from 86,342 people both offline and online and submitted its report on July 14. “The committee has recommended that the state government shall pass an Act, like Tamil Nadu Admission in Professional Educational Institutions Act, 2006 (Tamil Nadu Act 3 of 2007),” Stalin said.

Following the recommendations, the state government set up another committee of secretaries led by chief secretary V Irai Anbu on July 15. The committee of secretaries recommended the same route to nullify NEET.

The chief minister said that it was wrong to say that NEET improved the standard of medical examination. Tamil Nadu had one of the highest number of medical and dental institutions even before 2017. The standard of medical and dental professionals from these institutions was of high mettle. “Admission done based on the qualifying examination will no way lower the standard of education, since the higher secondary syllabus is of sufficient standard,” Stalin said. If the marks are adjusted through a normalisation method, it would provide a just, fair and equitable method of admission.

The government decided to enact a law to ensure social justice, uphold equality and equal opportunity, protect all vulnerable student communities, and ensure a robust public health care in the state, especially in the rural areas, Stalin said. He recalled the legal battle by the DMK government and all political parties resulted in the historic achievement of obtaining 27% reservation for OBC under All India Quota for medical courses.

“I urge the legislators of all political parties to extend full cooperation in the NEET issue and support to create history in social justice,” the chief minister said.

September 13, 2021
Lok-Adalat.jpg
1min628

 દેશભરના 33 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકસાથે આયોજિત લોક અદાલતમાં 33 લાખથી વધારે મુકદ્મા ઉપર સુનાવણી થઈ હતી. નેશનલ લીગ સર્વિસ ઓથોરિટીના સભ્ય સચિવ અશોક જૈનના કહેવા પ્રમાણે ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાનીમાં આયોજિત લોક અદાલતમાં સુપ્રીમ કોર્ટની લઈને જિલ્લા અને સત્ર ન્યાયાલય સુધી કામગીરી થઈ હતી. જેમાં પ્રી લિટિગેશન સ્ટેજના 18 લાખ, 50 હજારથી વધારે મામલાની સુનાવણી થઈ હતી. જેમાંથી 9,41,000 કેસનો ઉકેલ થયો હતો. લોકઅદાલત દરમિયાન દંડના રૂપે 3.76 અબજ રૂપિયાની વસૂલાત થઈ હતી.

વર્ષોથી પેન્ડિંગ કેસમાં 14.62 લાખ મામલા ઉપર સુનાવણી થઈ હતી. જેમાંથી 5.92 લાખનો ઉકેલ કરવામાં આવ્યો હતો. સેટલમેન્ટ અમાઉન્ટ તરીકે 19.04 અબજ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ હિસાબતથી કુલ 33,12,389 મામલા ઉપર સુનાવણીમાં 15,33,186 કેસનો ઉકેલ થયો છે. એટલે કે અદાલતોની પેન્ડિંગ કેસની યાદીમાંથી આ તમામનો નિકાલ થયો છે જ્યારે રાજસ્વ ભંડોળમાં રેકોર્ડ 22,81,30,62,951 રૂપિયા જમા થયા છે.

મોટાભાગના મામલા કંપની લો, પારિવારિક વિવાદ, ચેક બાઉન્સ, શ્રમિક મામલા, રાજસ્વ વિવાદ, મામુલી અપરાધ અને વિવાદ સંબંધિત હતા. આદિવાસી અને નક્સલી વિસ્તારમાં પણ લોક અદાલત ચાલી હતી. વર્ષ 2021માં આ ત્રીજી લોકઅદાલત છે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને ઓરિસ્સામાં લોકઅદાલત સપ્ટેમ્બર મહિનાના ચોથા અઠવાડિયામાં થશે.

September 13, 2021
panna.jpg
1min377

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં ૨૧ સપ્ટેમ્બરથી અંદાજે રૂ. ૧.૦૬ કરોડના મૂલ્યના કુલ ૧૩૯ રફ ડાયમંડનું લિલામ કરવામાં આવશે, એમ અધિકારીઓએ રવિવારે તા.12મી સપ્ટેમ્બર 2021ના રોજ કહ્યું હતું. 

પત્રકારોને માહિતી આપતા પન્નાના ડાયમંડ ઑફિસર રવી પટેલે કહ્યું હતું કે સામૂહિક રીતે આ હીરાઓનું કુલ વજન ૧૫૬.૪૬ કેરેટ છે. આ હીરા જિલ્લાની ખાણમાંથી મેળવવામાં આવ્યા છે. 
આ મૂલ્યવાન હીરાઓમાં ૧૪.૦૯ કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં એક શ્રમિકે ખાણમાંથી આ હીરો શોધી કાઢ્યો હતો

અગાઉની હરાજીમાં તે વેચાયા વિના જ રહી ગયો હતો, એમ તેમણે કહ્યું હતું. આ હીરો લિલામનું મુખ્ય આકર્ષણ બની રહેશે અને તેના અંદાજે રૂ. ૭૦ લાખ ઉપજે એવી અપેક્ષા છે.  આ વખતે લિલામમાં મુકવામાં આવેલો આ સૌથી મોટો હીરો હશે. ગુજરાત, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને દેશના અન્ય ભાગના લોકો આ લિલામમાં ભાગ લે તેવી શક્યતા છે.  

September 12, 2021
BHUPENDRA.jpg
1min460

છેલ્લા ચોવીસ કલાકથી ટીવી ચેનલોએ ગુજરાતના નવા મુખ્યમંત્રી અંગે ખોટોખોટી ચર્ચાઓ કરીને નીતીન પટેલ, સી.આર. પાટીલ, પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવીયા અને ત્યાં સુધી કે પ્રફુલ પટેલના નામો પણ હવામાં ઉડાડ્યા. ગુજરાતની એકેય ટીવી ચેનલોએ ચોવીસ કલાક ચાલેલી ચર્ચામાં ક્યારેય ભૂપેન્દ્ર પટેલનું નામ કે ઘાટલોડીયા અમદાવાદના ધારાસભ્યનું નામ ચર્ચામાં સાંકળ્યું ન હતું. કેટલીક ચેનલોએ તો એવા પણ તુક્કા દોડાવ્યા કે મહિલા મુખ્યમંત્રી બનશે કેટલીક ચેનલોએ પ્રદિપસિંહ જાડેજાને પણ ચર્ચામાં ઘસડ્યા પરંતુ, તમામે તમામ રિજિનયોનલ ગુજરાતી ટીવી ચેનલ પરની ચર્ચા સાવ નિરર્થક અને પાયા વગરની નીકળી.

દરમિયાન આજે રવિવાર તા.12મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ભાજપાના મુખ્ય પ્રાદેશિક કાર્યાલય, કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેના આધારે ગુજરાતમાં ભાજપાના ધારાસભ્યોની મળેલી મિટીંગમાં વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલનું નામ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે દરખાસ્ત સ્વરૂપે રજૂ કર્યું હતું.

ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું મુખ્યમંત્રી તરીકેનું નામ જાહેર કરીને ભાજપ હાઈકમાન્ડે ફરી એકવાર બધાને ચોંકાવ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ એ જ બેઠક પરથી ધારાસભ્ય છે જે પહેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ધારાસભ્ય હતા. ભૂપેન્દ્ર પટેલને તેમની નજીક માનવામાં આવે છે. 

September 10, 2021
lalbaug_2021.jpg
1min437

સમગ્ર ભારતમાં આજે ગણેશ ચતુર્થીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવાય રહ્યુ છે. પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરોમાં ગણેશજીની હજારો પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે.

મુંબઇના વિશ્વ પ્રસિદ્ધ લાલબાગ ચા રાજા પંડાલમાં બિરાજમાન થયા શ્રી ગણપતિ બાપ્પા

ભારતમાં શાનદાર રીતે ગણેશોત્સવની દસ દિવસીય ઉજવણી શરૂ

આ વર્ષે ગણેશ ચતુર્થીનો દિવસ ઠપ્પ પડી ગયેલા વેપાર ઉદ્યોગ માટે નવા સમૃદ્ધિના દિવસો લાવશે. વિઘ્નહર્તા આવીને તમામ વિઘ્ન દૂર કરશે. વર્ષો પછી બાપ્પાની કૃપાથી અદભૂત યોગ બની રહ્યો છે.

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી પાર્વતીએ વિશ્વમાં શુભતા લાવવા માટે ભાદરવા શુક્લ ચતુર્થી તિથિએ ભગવાન ગણેશને પોતાના શરીરના મેલમાંથી જન્મ આપ્યો હતો. તેથી જ ભગવાન ગણેશનો જન્મદિવસ દર વર્ષે ભાદરવા શુક્લ ચતુર્થી પર ઉજવવામાં આવે છે. વર્ષ 2021માં ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરે આજે સમગ્ર ભારત વર્ષમાં હર્ષોલ્લાસભેર ઉજવાય રહી છે. આ પ્રસંગે વિઘ્નહર્તા ગણેશ પોતાની સાથે ઘણા શુભ સંયોગો પણ લાવી રહ્યા છે. આવા શુભ સંયોગમાં ગણપતિની પૂજા કરવી તમામ ભક્તો માટે ખૂબ જ શુભ રહેશે. ચાલો આપણે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જાણીએ કે શા માટે ગણેશ ચતુર્થી હવે ખૂબ જ ખાસ છે અને આ દિવસે કયા શુભ સંયોગો કરવામાં આવે છે.

જે શુક્રવાર, 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસથી દસ દિવસના ગણેશ ઉત્સવની શરુઆત થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી ચિત્રા નક્ષત્રમાં આવી રહી છે. આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં શુક્ર સાથે રહેશે. સૂર્ય પોતાની રાશિ સિંહમાં, બુધ પોતાની રાશિ કન્યામાં, શનિ પોતાની રાશિ મકરમાં અને શુક્ર પોતાની રાશિ તુલામાં રહેશે. આ ચાર ગ્રહ પોત-પોતાની રાશિમાં રહેશે. ગુરુ કુંભ રાશિમાં રહેશે. આ રાશિમાં બે મોટા ગ્રહ ગુરુ અને શનિ વક્રી છે. આ પહેલા 59 વર્ષ પૂર્વે 3 સપ્ટેમ્બર 1962ના રોજ ગણેશ ચતુર્થી ચિત્રા નક્ષત્રમાં શરૂ થઈ હતી. તે સમયે પણ ચંદ્ર શુક્ર સાથે તુલા રાશિમાં હતો. સૂર્ય, બુધ, શુક્ર અને શનિ આ ચારેય ગ્રહ પોત-પોતાની રાશિમાં સ્થિત હતાં. આ વર્ષે પણ તે જ ગ્રહ યોગ હોવાથી બધી રાશિઓ માટે સમય અનુકૂળ રહેશે.

September 10, 2021
indiavsengland.jpeg
1min406

 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ ટેસ્ટ મેચની શ્રેણીનો છેલ્લો ટેસ્ટ મેચ તા.10 સપ્ટેમ્બરને શુક્રવારથી બપોરે 3:30 (ભારતીય સમય) કલાકથી માંચેસ્ટરમાં રમાશે. શ્રેણીમાં ર-1થી સરસાઈ મેળવનાર ટીમ ઈન્ડિયા શ્રેણી કબ્જે કરવાના ઈરાદે ઉતરશે તો ઈંગ્લીશ ટીમ શ્રેણી પરાજયને ટાળવાના દબાણ હેઠળ રમશે. ભારતીય ટીમમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ પાંચમો ટેસ્ટ રમાવા અંગે શંકા વ્યક્ત કરાઈ હતી જો કે હજુ સત્તાવાર નિર્ણય આવ્યો નથી.
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે કે છેલ્લા ટેસ્ટ માટે ઝડપી બોલર મોહમ્મદ શમી ફિટ જાહેર થયો છે. જો કે રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ઈજાનો સામનો કરી રહ્યો હોવાથી તેમના રમવા અંગે સસ્પેન્સ છવાયું છે.

September 9, 2021
cia_edu-1280x925.jpg
16min1331

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેન્દ્રના શિક્ષણ મંત્રાલય દ્વારા આજરોજ દેશની શ્રેષ્ઠ શિક્ષણ આપતી કોલેજો, યુનિવર્સિટીઓના રેન્કીંગ જાહેર કરવામાં આવ્યા હતા. આઇ.આઇ.ટી. મદ્રાસને હાઇએસ્ટ રેન્કીંગ મળ્યું છે. ચેન્નઇ સ્થિત આ એન્જિનિયરિંગ ઇન્સ્ટીટ્યુટ, આઇ.આઇ.ટી. મદ્રાસને ઓવરઓલ રેન્કિંગમાં ભારતની સૌથી બેસ્ટ ઇન્સ્ટીટ્યુટ સાથે પહેલો રેન્ક આપવામાં આવ્યો છે.

નેશનલ ઇન્સ્ટીટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એન.આઇ.આર.એફ. ના નામથી આ રેન્કીંગ આપવામાં આવે છે.

સુરતની વાત કરીએ તો સુરત સ્થિત એસ.વી.એન.આઇ.ટી., સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીને સમગ્ર દેશની શ્રેષ્ઠ સંસ્થાઓના રેન્કીંગમાં 98મો ક્રમ પ્રાપ્ત થયો છે. જે નીચેના રેન્કિંગ લિસ્ટમાં જોઇ શકાય છે.

ભારતની ટોપ-100 કોલેજો, યુનિવર્સિટીઓનું રેન્કિંગ 2021

NameCityScoreRank
IIT MadrasChennai86.761
Indian Institute of ScienceBengaluru82.672
IIT BombayMumbai82.523
IIT DelhiNew Delhi81.754
IIT KanpurKanpur76.55
IIT KharagpurKharagpur75.626
IIT RoorkeeRoorkee71.47
IIT GuwahatiGuwahati69.268
Jawaharlal Nehru UniversityNew Delhi66.619
Banaras Hindu UniversityVaranasi63.110
Calcutta UniversityKolkata61.4511
Amrita Vishwa VidyapeethamCoimbatore59.8712
Jamia Millia IslamiaNew Delhi59.5413
Jadavpur UniversityKolkata58.9314
Manipal Academy of Higher EducationManipal58.9115
IIT HyderabadHyderabad58.5316
University of HyderabadHyderabad57.6717
Aligarh Muslim UniversityAligarh57.3818
University of DelhiDelhi56.0319
Savitribai Phule Pune UniversityPune55.8320
Vellore Institute of TechnologyVellore55.3921
Bharathiar UniversityCoimbatore55.3822
NIT TiruchirappalliTiruchirappalli54.9723
IISER PunePune54.4724
Anna UniversityChennai54.4225
IIT (Indian School of Mines)Dhanbad53.8826
Institute of Chemical TechnologyMumbai53.7627
IIT (Banaras Hindu University) VaranasiVaranasi53.7428
BITS -PilaniPilani53.3229
IIT IndoreIndore53.2230
IIT RoparRupnagar52.8931
NIT KarnatakaSurathkal52.8832
IIT GandhinagarGandhinagar52.7733
Mysore UniversityMysuru50.4934
IISER, KolkataMohanpur50.4835
Homi Bhabha National InstituteMumbai50.4236
Siksha `O` AnusandhanBhubaneswar50.3437
Panjab UniversityChandigarh50.3138
Kalinga Institute of Industrial TechnologyBhubaneswar5039
IISER, MohaliMohali49.5840
NIT RourkelaRourkela49.2741
Shanmugha Arts Science Technology & Research AcademyThanjavur49.1542
Kerala UniversityThiruvananthapuram48.8743
Amity UniversityGautam Budh Nagar48.8743
Thapar Institute of Engineering and TechnologyPatiala48.8345
IIESTShibpur48.746
University of MadrasChennai48.6647
Andhra University, VisakhapatnamVisakhapatnam48.6548
Saveetha Institute of Medical and Technical SciencesChennai48.6349
Indian Institute of Science Education & Research BhopalBhopal48.5750
IIT PatnaPatna47.6751
Mahatma Gandhi UniversityKottayam47.6252
S.R.M. Institute of Science and TechnologyChennai47.353
Delhi Technological UniversityNew Delhi46.9854
Visvesvaraya NITNagpur46.9854
JSS Academy of Higher Education and ResearchMysuru46.9556
Alagappa UniversityKaraikudi46.7957
IIT BhubaneswarBhubaneswar46.7858
NIT WarangalWarangal46.6959
King George`s Medical UniversityLucknow46.6560
Sathyabama Institute of Science and TechnologyChennai46.661
Osmania UniversityHyderabad46.5762
Gujarat UniversityAhmedabad46.5762
Jamia HamdardNew Delhi46.4664
Cochin University of Science and TechnologyCochin46.0265
Banasthali VidyapithBanasthali45.8966
Gauhati UniversityGuwahati45.8767
Symbiosis InternationalPune45.6568
Koneru Lakshmaiah Education Foundation University (K L College of Engineering)Vaddeswaram45.6469
Tata Institute of Social SciencesMumbai45.6370
NIT DurgapurDurgapur45.3671
Malaviya NITJaipur45.2972
Tezpur UniversityTezpur45.2273
Kalasalingam Academy of Research and Higher EducationSrivilliputtur45.0774
Bharath Institute of Higher Education & ResearchChennai44.8175
University of KashmirSrinagar44.6476
Chandigarh UniversityMohali44.6277
Dr. B. R. Ambedkar NITJalandhar44.5378
Sri Ramachandra Institute of Higher Education and ResearchChennai44.479
Dr. D. Y. Patil VidyapeethPune44.1980
Lovely Professional UniversityPhagwara43.9581
IIT MandiMandi43.9382
Madurai Kamaraj UniversityMadurai43.7583
Shiv Nadar UniversityDadri43.684
Guru Nanak Dev UniversityAmritsar43.2185
PSG College of TechnologyCoimbatore43.1486
Pondicherry UniversityPuducherry43.187
Motilal Nehru NITPrayagraj43.0488
Sri Sivasubramaniya Nadar College of EngineeringKancheepuram42.9489
North Eastern Hill UniversityShillong42.7990
Bharathidasan UniversityTiruchirappalli42.7990
Sri Venkateswara UniversityTirupati42.7892
NIT SilcharSilchar42.6893
SVKM`s Narsee Monjee Institute of Management StudiesMumbai42.5694
Calicut UniversityMalappuram42.4295
Mumbai UniversityMumbai41.7996
Visva BharatiSantiniketan41.7497
Sardar Vallabhbhai NITSurat41.7298
Guru Gobind Singh Indraprastha UniversityNew Delhi41.4399
Datta Meghe Institute of Medical SciencesWardha41.1100
SVNIT Surat - Info, Ranking, Cutoff & Placements 2021 | College Pravesh
Sardar Vallabhbhai National Institute of Technology,
Ichchhanath, Surat – 395007, Gujarat, India.

health

This Institute was established in 1961 as one of the RECs for imparting technical education in Civil, Mechanical and Electrical Engineering. In the year 1983-84 the Under Graduate programmes in Electronics Engineering was introduced and in the year 1988-89 the UG programmes in Computer Engineering and Production Engineering was started. In the year 1995-96, UG programme in Chemical Engineering was introduced. In exercise of the powers conferred by section 3 of the University Grants Commission (UGC) Act, 1956, the Central Government on the advice of the University Grants Commission, has declared the Sardar Vallabhbhai Regional College of Engineering & Technology (SVREC), Surat to Sardar Vallabhbhai National Institute of Technology (SVNIT), Surat with status of “Deemed University” with effect from 4th December 2002. The Institute has been granted the status of ‘Institute of National Importance’ w.e.f. Aug. 15, 2007. At present, the Institute is offering Six UG Programmes, Eighteen PG Programmes and Three M.Sc. Five Years Integrated Programme including doctoral programme in all above branches.

Mission Statement

The mission of the Sardar Vallabhbhai National Institute of Technology, Surat is to be a leading technical Institute not only at national level but also at International level for imparting training to manpower as per the needs of technology. It is also envisaged to provide the necessary infrastructure to take up research work and to provide the mechanism to interact with industries effectively.

Vission Statement

Sardar vallabhbhai national institute of technology, surat, perceives to be a globally accepted centre of excellence in technical education catalyzing absorption, innovation, diffusion and transfer of high technologies resulting in enhanced quality for all the stakeholders.

Objectives
  • To offer quality programmes in the engineering at UG, PG and Ph.D.level.
  • To impart instruction and training to students to meet the technological needs.
  • To promote research environment.
  • To promote Industry – Institute interaction.
  • To foster national integration and value based education.
  • To interact with Alumni for development of the Institute and for making use of their expertise and resources.
  • To impart quality education alongwith development of confidence for being an entrepreneur.  To inculcate environment Innovations amongst students.

health

September 8, 2021
cia_edu-1280x925.jpg
1min1459


બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી શરૂ થતાં હાશકારો
ટૂંક સમયમાં જ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અભ્યાસક્રમોમાં પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે

Jayesh Brahmbhatt 98253 44944

ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાના બે મહિના જેટલો સમય વીતી ગયા પછી બાયોલોજી ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત થતા સુરતના 10 હજારથી વધુ અને ગુજરાતના 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓની આતૂરતાનો અંત આવ્યો છે.

મળતી માહિતી મુજબ એડમિશન કમિટી પ્રોફેશનલ મેડીકલ પેરામેડીકલ કોર્સીસ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ફર્સ્ટ ઇયર ફિઝિયોથેરાપી, બી.એસસી. નર્સિંગ, જીએનએમ, એએનએમ, નેચરોપથી, ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટીક્સ, ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી જેવા અભ્યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી માટે પીન વિતરણ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા કે સાઇબર કાફે થકી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે, રજિસ્ટ્રેશન માટે જરૂરી પીન પણ ઓનલાઇન ખરીદવાનો રહેશે.
નોન નીટ અભ્યાસક્રમોમાં પ્રવેશનું ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.13મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને

  • 27મી સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યા સુધી કરી શકાશે.
  • તા.29મી સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ડોક્યુમેન્ટસ અપલોડ કરી શકાશે.
  • તા.14 સપ્ટેમ્બરથી તા.28મી સપ્ટેમ્બર સુધી હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટસ વેરિફિકેશન કરાવી શકાશે.