CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 40 of 44 - CIA Live

September 7, 2021
england.jpg
1min384

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટૅસ્ટમાં ભારતનો ૧૫૭ રનથી વિજય થયો હતો. ભારતે ઓવલ મેદાન પર પચાસ વર્ષ પછી વિજય મેળવ્યો છે.

ફાસ્ટબૉલર જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લૅન્ડની ટીમના મધ્યમક્રમના બૅટ્સમેનોને પેવેલિયનભેગા કરીને ભારતનો વિજય નિશ્ર્ચિત કરી લીધો હતો. બીજી ઈનિગ્સમાં ૧૨૭ રન કરનારા રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. ૩૬૮ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ઈંગ્લૅન્ડની ટીમ ૯૨.૨ ઑવરમાં ૨૧૦ રન બનાવીને પૅવેલિયનભેગી થઈ જતા ભારતનો ૧૫૭ રનથી વિજય થયો હતો.

ઈંગ્લૅન્ડની ટીમના બે વિકેટે ૧૩૨ રન થયા હતા અને મૅચનું પલડું કઈ બાજુએ નમશે તે કળી 
શકાતું નહોતું. જોકે, ત્યાર બાદ બુમરાહ અને જાડેજાની બૉલિંગ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા અને માત્ર ૬૨ રનમાં વધુ છ વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે ઑલી પૉપે (બે રન) અને જૉની બૅરિસ્ટો (શૂન્ય રન)ની વિકેટ તો જાડેજાએ હાસિબ હમીદ (૬૩ રન) અને મોઈન અલી (શૂન્ય રન)ની વિકેટ ઝડપી હતી. શાર્દૂલ ઠાકુરે જૉ રૂટ (૩૬ રન)ની ચાવીરૂપ વિકેટ ઝડપી હતી. 
ઉમેશ યાદવે ક્રિસ વૉક્સ (૧૮ રન), ક્રૅગ ઑવરટન (૧૦ રન) અને જૅમ્સ ઍન્ડરસન (બે રન)ની વિકેટ ઝડપી હતી. 

ચાના સમયે ઈંગ્લૅન્ડની ટીમ ૮૪.૧ ઑવરમાં આઠ વિકેટે ૧૯૩ રન બનાવી ઝઝૂમી રહી હતી. 
ભારત વતી ઉમેશ યાદવે ૬૦ રનમાં ત્રણ, બુમરાહ ૨૭ રનમાં બે, રવીન્દ્ર જાડેજા ૫૦ રનમાં બે અને શાર્દૂલ ઠાકુરે બાવીસ રનમાં બે વિકેટ ઝડપી હતી. 

ઈંગ્લૅન્ડ વતી બર્ન્સ (૫૦ રન), હાસિબ હમીદ (૬૩ રન), ડૅવિડ માલન (પાંચ રન), જૉ રૂટ (૩૬ રન), ઑલી પૉપે (બે રન), જૉની બૅરિસ્ટો (શૂન્ય રન), મોઈન અલી (શૂન્ય રન), વૉક્સ (૧૮ રન), ક્રૅગ ઑવરટન (૧૦ રન), ઑલી રૉબિન્સન (અણનમ ૧૦ રન) અને જૅમ્સ ઍન્ડરસને બે રન બનાવ્યા હતા. 

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટૅસ્ટ માન્ચેસ્ટર ખાતે ૧૦ સપ્ટેમ્બરે શરૂ થશે.

September 6, 2021
surat.jpg
1min770

આજે તા.6 સપ્ટેમ્બર 2021ની સવાર સુરતીઓએ સવાર વીજળીના કડાકા ભડાકા સાથે સોલીડ વરસાદ પડી હતી. વીજળીના પ્રચંડ કડાકા એવા હતા કે જ્યારે પહેલો વરસાદ પડ્યો ત્યારે પણ આવા કડાકા ભડાકા જોવા મળ્યા ન હતા. સવારે પોણાસાતની આસપાસ શરૂ થયેલો વરસાદ સતત દસ વાગ્યા સુધી જારી રહ્યા હતો અને આ સમયગાળા દરમિયાન ખાબકેલા વરસાદે સર્વત્ર પાણી પાણી કરી નાંખ્યું હતું.

કલેક્ટરેટના કન્ટ્રોલરૂમ પરથી આપવામાં આવેલી માહિતી મુજબ આજે સવારના સેશનમાં કુલ 84 મી.મી. વરસાદ પડ્યો હતો જે સાડા ત્રણ ઇંચ જેટલો કહી શકાય. સુરત શહેર ઉપરાંત ઓલપાડ તાલુકામાં 31 મી.મી. અને માંગરોળમાં 22 મી.મી. જેટલો વરસાદ પડ્યો હતો. સુરત સિટી સાથે જોડાયેલા ચોર્યાસી તાલુકામાં ફક્ત 4 મી.મી. વરસાદ પડ્યો હતો.

આશ્ચર્યની વાત એ છે કે સુરત શહેરમાં જ વરસાદ પડ્યો હતો, સુરત સિટી, ચોર્યાસી અને ઓલપાડ સિવાયના જિલ્લાના અન્ય તાલુકાઓ સાવ કોરાકટ રહ્યા હોવાનું જણાવાયું છે.

September 6, 2021
javed-akhtar.jpg
1min362

બૉલીવુડના લેખક-ગીતકાર જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તાલિબાન સાથે સરખાવતાં વિવાદનો વંટોળ ઊભો થયો છે. બીજેપીના ફાયરબ્રૅન્ડ નેતા રામ કદમે કહ્યું હતું કે જાવેદ અખ્તરે કરેલા એ સ્ટેટમેન્ટનો અમે વિરોધ કરીએ છીએ અને આ સંદર્ભે અમે પોલીસ-ફરિયાદ પણ કરીશું. 

જાણીતા લેખક-ગીતકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તાલિબાન સાથે સરખાવતાં વિવાદનો વંટોળ ઊભો થયો છે

બીજેપીના પ્રવક્તા રામ કદમે કહ્યું હતું કે ‘જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના તાલિબાન સાથે કરી એ સંઘ, વિશ્વ હિન્દુ પરિષદના કરોડો કાર્યકરો અને તેમના સમર્થકોનું અપમાન છે. જ્યાં સુધી જાવેદ અખ્તર હાથ જોડીને આ માટે માફી માગતા નથી ત્યાં સુધી તેમની કે તેમના પરિવારની એક પણ ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ. કમેન્ટ કરતાં પહેલાં તેમણે વિચારવું જોઈતું હતું કે સમાન વિચારસરણી ધરાવતા લોકો હાલ રાજ કરી રહ્યા છે અને રાજધર્મનું અનુસરણ કરી રહ્યા છે.’ 

એક ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘જે સંઘનું સમર્થન કરે છે તેમની માનસિકતા પણ તાલિબાન જેવી જ છે. સંઘનું સમર્થન કરનારાઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તાલિબાન અને તમે જેમને સમર્થન આપો છો એમનામાં શું ફરક છે? તેમનું વલણ મજબૂત થઈ રહ્યું છે અને તેઓ તેમના લક્ષ્ય પ્રતિ આગળ વધી રહ્યા છે.’

September 6, 2021
indiavseng.jpg
1min338

ડીપ મીડલ ઓર્ડર બેટસમેનોના શાનદાર દેખાવને લીધે ભારતે ચોથા ટેસ્ટમાં વર્ચસ્વ જમાવીને ઇંગ્લેન્ડને ભીંસમાં લીધું છે. આજે મેચના ચોથા દિવસે ભારતનો બીજો દાવ 466 રને સમાપ્ત થયો હતો. આથી ઇંગ્લેન્ડને જીત માટે મુશ્કેલ 368 રનનું લક્ષ્યાંક મળ્યું છે.

આજે ભારત તરફથી છૂપા રૂસ્તમ શાર્દુલ ઠાકુર (60) અને વિકેટકીપર ઋષભ પંત (50)એ આકર્ષક અર્ધસદી ફટકારી હતી. આ બન્ને વચ્ચે સાતમી વિકેટમાં અતિ મહત્વની 100 રનની ભાગીદારી થઇ હતી. આથી ભારત બીજા દાવમાં 466 રનનો સંગીન સ્કોર કરીને ઇંગ્લેન્ડથી 367 રને આગળ થયું હતું. ભારતનો નવેમ્બર-2019 બાદ ટેસ્ટ ક્રિકેટમાં 400 પ્લસ સ્કોર પહેલીવાર થયો છે.

પહેલા દાવમાં આતશી અર્ધસદી કરનાર નવા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે બીજા દાવમાં પણ શાનદાર બેટિંગનો નજારો રજૂ કરીને અંગ્રેજ બોલરોની ધોલાઇ કરી હતી. ઠાકુરે 72 દડામાં 7 ચોકકા-1 છકકાથી સંગીન 60 રન કર્યા હતા. તો શ્રેણીમાં અત્યાર સુધી ફલોપ રહેનાર ઋષભ પંતે પણ અંતે હિર ઝળકાવ્યું હતું અને 106 દડામાં 4 ચોકકાથી પ0 રનની જવાબદારીભરી ઇનિંગ રમી હતી. આ બન્નેએ 100 રનની ભાગીદારી સાતમી વિકેટમાં કરીને ટીમ ઇન્ડિયાને ડ્રાઇવિંગ સીટ પર લાવી દીધી હતી. આ ઉપરાંત બુમરાહ (24) અને ઉમેશ (25) વચ્ચે નવમી વિકેટમાં 36 રનની ભાગીદારી થઇ હતી. ચાના સમય બાદ ભારત 148.2 ઓવરમાં 466 રને ઓલઆઉટ થયું હતું.

આ પહેલા આજે ચોથા દિવસે લંચ પહેલા કેપ્ટન કોહલી 44, રવીન્દ્ર 17 અને આઉટ ઓફ ફોર્મ રહાણે ઝીરોમાં આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી વોકસે 3 અને રોબિન્સન-મોઇને 2-2 વિકેટ લીધી હતી.

September 4, 2021
modi_biden.jpg
1min373

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ સપ્ટેમ્બરના ચોથા સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા હોવાની વિગતો સાંપડી છે. સૂત્રોએ આપેલી વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ માટેની તૈયારીઓ ચાલી રહી છે.

Modi-Biden Phone Call: What Was Unsaid is Perhaps More Important Than What  Was Said

વડાપ્રધાન મોદીની મુલાકાતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે કાર્યક્રમ હજુ ફાઇનલ થવાનો બાકી છે. પ્રારંભિક યોજના અનુસાર, માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી 23-24 સપ્ટેમ્બરના રોજ અમેરિકાની મુલાકાત લઈ શકે છે.

PM મોદીની અમેરિકાની મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ તાલિબાન સાથેના સંબંધો અંગે અનિશ્ચિતતા બનેલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વડાપ્રધાન મોદીની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે.

વોશિંગ્ટનની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન મોદી 25 સપ્ટેમ્બરે આ ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રને સંબોધન કરી શકે છે. તાલિબાનના કબજા પછી રાજકીય સંકટનો સામનો કરી રહેલો અફઘાનિસ્તાન આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં મહત્ત્વનો મુદ્દો બની શકે છે.

September 3, 2021
sensex1.jpg
1min382

આજે 3/9/32 સેન્સેક્સે Sensex વધુ એક ઐતિહાસિક high બનાવતા 58 હજારની સપાટીને વટાવી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી રોકેટ ગતિએ હવામાં ઉડી રહેલો સેન્સેક્સ હવે 60 હજારના લેવલને ક્રોસ કરશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે. સેન્સેક્સે એકાદ મહિનાના ગાળામાં જ પાંચ હજાર પોઈન્ટ્સનો કૂદકો લગાવ્યો છે.

ગઈકાલે 57,852 પોઈન્ટ્સની સપાટી પર બંધ થયેલો સેન્સેક્સ આજે 57,983 પોઈન્ટ્સના સ્તરે ખૂલ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ 58 હજારને પાર થઈ ગયો હતો. સવારે 10 વાગ્યાની સ્થિતિએ 215 પોઈન્ટ્સના વધારા સાથે સેન્સેક્સ 58,115નો હાઈ બનાવ્યા બાદ 58,068 પોઈન્ટ્સ પર ટ્રેડ કરી રહ્યો હતો. આજે સેન્સેક્સમાં સૌથી વધુ ઉછળેલા શેર્સની વાત કરીએ તો, ટાઈટન, કોટક બેંક, બજાજ ઓટો, મારુતિ, NTPC સૌથી વધુ વધરાનારા પાંચ શેર્સ રહ્યા છે, જ્યારે સૌથી વધુ ઘટનારા પાંચ શેર્સમાં HUL, અલ્ટ્રાટેક, ટાટા સ્ટીલ, નેસ્લે અને ટીસીએસનો સમાવેશ થાય છે.

September 3, 2021
Ind-vs-Eng.jpg
1min400

અહીં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટૅસ્ટના બીજે દિવસે ઈંગ્લૅન્ડની ટીમ ૮૪ ઑવરમાં ૨૯૦ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.  આ સાથે જ ઈંગ્લૅન્ડની ટીમે ભારત પર ૯૯ રનની બઢત મેળવી લીધી હતી. 

ઈંગ્લૅન્ડની ટીમ વતી ૮૧ રન બનાવી પૉપ ટોપ સ્કૉરર રહ્યો હતો. 
વૉક્સે પચાસ રન બનાવ્યા હતા. મોઈન અલીએ ૩૫ રન અને જૉન બૅરિસ્ટોએ ૩૭ રન બનાવ્યા હતા. 

અગાઉ બીજે દિવસે ચાના સમયે ઑલી પૉપેના અણનમ ૭૪ રનની મદદથી ઈંગ્લૅન્ડની ટીમે સાત વિકેટે ૨૨૭ રન બનાવ્યા હતા.  અગાઉ ભારતે પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી અને શાર્દૂલ ઠાકુરની અડધી સદીની મદદથી ૧૯૧ રન બનાવ્યા હતા. 

ચાના સમયે ઈંગ્લૅન્ડની ટીમે ૩૬ રનની બઢત મેળવી લીધી હતી. એક સમયે ઈંગ્લૅન્ડની ટીમ પાંચ વિકેટે ૬૨ રન બનાવી ઝઝૂમી રહી હતી. પૉપે અને જૉની બૅરિસ્ટો (૩૯ રન)એ ૮૯ રનની ભાગીદારી નોંધાવી હતી.

ભોજનના સમયે ઈંગ્લૅન્ડે પાંચ વિકેટે ૧૩૯ રન બનાવ્યા હતા.  ત્યાર બાદ પૉપે સાથે મોઈન અલી જોડાયો હતો અને બંનેએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૭૧ રન નોંધાવ્યા હતા. 
ભારત વતી ઉમેશ યાદવે ૭૬ રનમાં ત્રણ વિકેટ અને જસપ્રીત બુમરાહે ૬૭ રનમાં બે વિકેટ, શાર્દૂલ ઠાકુરે ૫૪ રનમાં એક, મોહમ્મદ સિરાજે ૪૨ રનમાં એક અને રવીન્દ્ર જાડેજાએ ૩૬ રનમાં બે વિકેટ ઝડપી હતી. 

રમતના પ્રથમ કલાકમાં ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી. દિવસની પ્રથમ જ ઑવરમાં વિકેટ ઝડપી ઉમેશ યાદવે કારકિર્દીની ૧૫૦મી વિકેટ ઝડપી હતી.

India Vs England ચોથી ટૅસ્ટ: ભારત ઑલઆઉટ @191

લંડન રમાઈ રહેલી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેથી ચોથી ટૅસ્ટના પહેલા દિવસે ભારતની ટીમ ૬૧.૩ ઑવરમાં ૧૯૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. 

અગાઉ ચાના સમયે ભારતની ટીમ છ વિકેટે ૧૨૨ રન બનાવી ઝઝૂમી રહી હતી. 
ઈંગ્લૅન્ડના ફાસ્ટબૉલરો અને સ્વિન્ગ સામે ભારતીય ટીમ રીતસર  ઘૂંટણીયે પડી ગઈ હતી. 
ચાના સમયે રિષભ પંત (૪ રન) અને શાર્દૂલ ઠાકુર (૪ રન) બનાવીને રમતમાં હતા. 

ભારત વતી રોહિત શર્મા (૧૧ રન), કે. એલ. રાહુલ (૧૭ રન), ચેતેશ્ર્વર પૂજારા (૪ રન), વિરાટ કોહલી (૫૦ રન), રવીન્દ્ર જાડેજા (૧૦ રન) અને અજિંક્ય ર્હાણેએ (૧૪ રન), રિષભ પંત ( નવ રન), ઉમેશ યાદવ (૧૦ રન), મોહમ્મદ સિરાજ અણનમ એક રન અને શાર્દૂલે (૫૭ રન) બનાવ્યા હતા. 

ઈંગ્લૅન્ડ વતી જૅમ્સ ઍન્ડરસને ૪૧ રનમાં એક, ઑલી રૉબિનસને ૩૮ રનમાં ત્રણ, ક્રિસ વૉક્સે પંચાવન રનમાં ચાર અને ક્રૅગ ઑવરટને ૪૯ રનમાં એક વિકેટ ઝડપી હતી.

September 2, 2021
siddharth_shukla.jpg
1min523

પોપ્યુલર ટીવી એક્ટર અને ‘બિગ બોસ 13’ના વિજેતા રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું વહેલી સવારે હાર્ટ અટેકના લીધે નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધાર્થ શુક્લા રાત્રે દવા લઈને સૂઈ ગયો હતો પરંતુ દવા શેની હતી તેની કોઈ જાણકારી મળી નથી. સિદ્ધાર્થના મૃતદેહનું હાલ મુંબઈની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ શુક્લાને કૂપર હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સિદ્ધાર્થ શુક્લા પોતાની પાછળ મા અને બે બહેનોને રડતા મૂકીને ગયો છે.

સિદ્ધાર્થ શુક્લા ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો. તેણે ‘બિગ બોસ’ની 13મી સીઝન જીતી હતી. આ સિવાય ‘ખતરોં કે ખિલાડી 7’નો પણ વિજેતા રહી ચૂક્યો છે. સીરિયલ ‘બાલિકા વધૂ’ દ્વારા સિદ્ધાર્થે ઓળખ બનાવી હતી. જોકે, બિગ ‘બોસ 13’માં ભાગ લીધા પછી સિદ્ધાર્થની પ્રસિદ્ધિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. ‘બિગ બોસ’ના ઘરમાં એક્ટ્રેસ-સિંગર શહેનાઝ ગિલ સાથેની તેની કેમેસ્ટ્રી ચર્ચામાં રહી હતી. ફેન્સને ‘સિદ્ધનાઝ’ની જોડી ખૂબ પસંદ હતી. થોડા સમય પહેલા જ સિદ્ધાર્થ અને શહેનાઝના કેટલાક મ્યૂઝિક વિડીયો આવ્યા હતા. જે પોપ્યુલર થયા હતા.

સિદ્ધાર્થના મોતની ખબર સાંભળીને આખી મનોરંજન ઈન્ડસ્ટ્રી શોકમાં છે. સેલેબ્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપતાં એક્ટર ગૌતમ રોડેએ લખ્યું, “જિંદગી અણધારી છે. સિદ્ધાર્થના અવસાનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે. વર્ણવી ના શકું એટલું દુઃખ થાય છે. તેના પરિવાર, મિત્રો અને ફેન્સને મારી સાંત્વના. તારી આત્માને શાંતિ મળે મારા મિત્ર.”

September 2, 2021
farmers.jpg
1min367

અણીના સમયે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સચરાચર વરસાદનું આગમન થતા ટાઢક થઇ છે. પાક બચી ગયા છે અને ખેડૂતોના ચહેરેથી ચિંતાની લકીરો દૂર થઈ છે. સરકારી ચોપડે આખા ગુજરાતમાં 80.90 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.

મગફળી, કપાસ, કઠોળ અને તમામ તેલિબિયાં પાકોને કુદરતી પિયત મળતા હવે મોલાત ઝૂમી ઉઠી છે. છતાં હજુ ડેમ, કૂવા, નદી વગેરે કોરા હોય ખેડૂતો અષાઢી મેઘ ઇચ્છી રહ્યાં છે.

રાજકોટ કિસાન સંઘના દિલીપ સખીયા કહે છે, મોડું તો મોડું પણ પાણી મળ્યું છે એટલે રાહત છે.’ ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ હતી અને વરસાદ આવ્યો છે છતાં હજુ ચેકડેમો, તળાવ, કૂવા વગેરે ભરાય એટલું પાણી ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, ખેડૂત નિરાંતનો શ્વાસ લઇ શકે તે માટે વધુ વરસાદ જરૂરી છે.
તેમના કહેવા પ્રમાણે 20 ટકા ખેડૂતો સૌરાષ્ટ્રમાં માત્ર વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે. 30 ટકા ખેડૂતો પાસે થોડી સગવડ પિયતની છે. 40 ટકા ખેડૂતો માત્ર ખરીફ પાક લઇ શકે એવી સ્થિતિમાં હોય છે. 10 ટકા ખેડૂતો પાસે બારેય મહિના પિયતની સુવિધા હોય છે.

ગુજરાત સરકારના આંકડાઓ પ્રમાણે મગફળીનું વાવેતર 19.09 લાખ હેક્ટરમાં થયું છે. કપાસનો વિસ્તાર 22.51 લાખ હેક્ટર છે. બન્ને મુખ્ય પાકોનું વાવેતર પાછલા વર્ષથી ઓછું છે. એમાં વરસાદની અછતથી ઉતારો તૂટે એવી સંભાવના હતી.

વરસાદ સર્વત્ર થોડો ઝાઝો થયો છે એનાથી પાકને પિયત મળી ગયું છે. સૂકાવા પડેલો મોલ ઉંચકાઇ ગયો છે. હવે ખેડૂતો ખાતર અને જંતુનાશકોના ખર્ચ કરશે એવું લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડતા હવે ખેતીનું ચિત્ર બદલાઇ જશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો સૌથી વધારે વરસાદ મેળવનારા છે. ત્યા 4થી 12 ઇંચ સુધીનો વરસાદ થયો છે. માંગરોળમાં 12 અને ચોરવાડમાં 9 ઇંચ નોંધાયો છે. ગડુ શેરબાગ, તાલાલા અને માળિયા હાટીનામાં 7થી 8 ઇંચ વરસ્યો છે. જામનગરમાં ખંભાળિયા, કલ્યાણપુર વગેરે પટ્ટીમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ છે. રાજકોટના ગોંડલમાં 4 ઇંચ, જેતપુર, જામ કંડોરણા, પાનેલી મોટી, કાલાવડ અને લાલપુર વગેરેમાં દોઢ ઇંચ તથા અન્યત્ર બધે ઝાપટાંથી એક ઇંચ જેટલો વરસાદ થયો છે.

September 2, 2021
indiavseng.jpg
1min448

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તા.ર સપ્ટે.ને ગુરુવારે બપોરે 3:30 કલાક (ભારતીય સમય મુજબ) થી લંડનના ઓવલમાં ચોથો ટેસ્ટ મેચ રમાશે. બન્ને ટીમ એકબીજા પર સરસાઈ મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. લીડ્સમાં ઘોર પરાજય બાદ ટીમ ઇન્ડિયા પ્રદર્શન સુધારવા પ્લેઇંગ ઇલેવનમાં 3 મહત્ત્વના બદલાવ કરી શકે છે.

પ ટેસ્ટની શ્રેણીમાં પહેલો ટેસ્ટ ડ્રો ગયા બાદ ભારતે લોર્ડસ ટેસ્ટ જીતી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી પરંતુ લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે જોરદાર પુનરાગમન કરતાં શ્રેણી 1-1થી સરભર કરી છે. ઓવલમાં બન્ને ટીમ લીડ મેળવવાના દબાણ હેઠળ રહેશે. ભારત માટે મુખ્ય સમસ્યા આઉટ ઓફ ફોર્મ મીડલ ઓર્ડરની છે. રવીન્દ્ર જાડેજા ઈજાથી ઉભર્યો નહીં હોય તો તેનાં સ્થાને સ્પીનર રવિચંદ્રન અશ્વિનનો પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. લાંબા સમયથી ફલોપ રહેલા ઉપકપ્તાન અજિંક્ય રહાણેને ચોથા ટેસ્ટમાં ટીમમાંથી બહાર બેસાડવામાં આવી શકે છે.

ચેતેશ્વર પુજારાના ખભ્ભા પર મહત્ત્વની જવાબદારી રહેશે. રહાણેને બહાર કરાયો તો સૂર્યકુમાર યાદવ જેવા આક્રમક ખેલાડી અથવા હનુમા વિહારી જેવા પારંપરિક ખેલાડીને મીડલ ઓર્ડર મજબૂત કરવા તક આપવામાં આવી શકે છે. વિહારી બેટિંગ સાથે ઓફ સ્પીન બોલિંગ પણ કરી શકે છે. ઝડપી બોલર ઈશાંત શર્માના સ્થાને શાર્દુલ ઠાકુરના સમાવેશની સંભાવના છે. વધારાના બેટ્સમેનને ટીમમાં સામેલ કરવા પૂર્વ સિનિયર ખેલાડીઓની સલાહને અવગણી કોહલી પ સ્પેશિયલ બોલરો સાથે ઉતરવા મક્કમ રહ્યો છે.

સંભવિત ટીમ ઇન્ડિયા: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મો.શમી, જસપ્રીત બુમરાહ, મો.સિરાજ