CIA ALERT

Blog - Page 97 of 695 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 3, 2023
WhatsApp-Image-2023-07-02-at-19.58.05-1280x863.jpeg
2min1297

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮૩મો પદગ્રહણ સમારોહ રવિવાર, તા. ૦ર જુલાઇ ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલાએ પદભાર સંભાળ્યો હતો. રમેશ વઘાસિયા ચેમ્બર ઓફ કોમર્સના ૭૭મા પ્રમુખ બન્યા છે.

SGCCIના ઓનરરી સેક્રેટરી તરીકે નિખિલ મદ્રાસી અને ઓનરરી ટ્રેઝરર તરીકે કિરણ ઠુમ્મરની વરણી

આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહયા હતા. ગુજરાતના ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) હર્ષભાઇ સંઘવી, શિક્ષણ મંત્રી (રાજ્ય કક્ષા) પ્રફૂલ પાનશેરીયા, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, યુકેના અમદાવાદ સ્થિત ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયા અને સુરત ડાયમંડ બુર્સ એન્ડ કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઇ પટેલ (લાખાણી) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

વિદેશી પ્રતિનિધિ મંડળોમાં પાંચ દેશોના એમ્બેસેડર અને કોન્સુલ જનરલ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહયા હતા. જેમાં અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગનો સમાવેશ થાય છે.

ચેમ્બરના વર્ષ ર૦રર–ર૩ ના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પદગ્રહણ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન ચેમ્બર દ્વારા કરવામાં આવેલી નોંધનીય કામગીરીનો અહેવાલ રજૂ કરી વર્ષ ર૦ર૩–ર૪ ના પ્રમુખ રમેશ વઘાસિયાનો પરિચય આપી તેમને પ્રમુખ તરીકેની બાગડૌર સંભાળવા અનુરોધ કર્યો હતો.

પદગ્રહણ સમારોહમાં સૌથી મહત્વની બાબત એટલે ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલાએ પદભાર સંભાળ્યો હતો. પ્રમુખ રમેશ વઘાસિયાએ તેમના કાર્યકાળ દરમ્યાન માનદ્‌ મંત્રી તરીકે નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી તરીકે કિરણ ઠુમ્મરની જાહેરાત કરી હતી. જ્યારે લેડીઝ વીંગના ચેરપર્સન તરીકે મનિષા હિમાંશુ બોડાવાલાની જાહેરાત કરી હતી.

રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર વ્યકત કરી ચેમ્બરના પ્રમુખપદનો સ્વીકાર કરતા પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વના ૮૪ દેશોની સાથે વ્યાપાર વધારવાની દિશામાં પ્રયાસ કરાશે.

SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયાસના ભાગ રૂપે ૮૪૦૦૦ જેટલા યુવા ટેલેન્ટેડ આંત્રપ્રિન્યોર્સને જોડવામાં આવશે અને વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોમાં વસતા ભારતીય યુવા ઉદ્યોગ સાહસિકોને ઓનબોર્ડ કરાશે. આ ઉપરાંત ભારતની ૮૪ જેટલી ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવશે અને ઉદ્યોગકારોની સાથે સંવાદ યોજાશે. એવી જ રીતે ભારતના ૮૪ દેશોમાં કોન્સુલ જનરલને તેમજ ૮૪ દેશોના ભારત સ્થિત કોન્સુલ જનરલને જોડાશે અને તેઓના દેશો સાથે વ્યાપાર માટે જે કાયદા અને નિયમો છે તેના વિષે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપી દિશા નિર્દેશ કરવામાં આવશે.

કયા દેશમાં કઇ પ્રોડકટની માંગ તથા જરૂરિયાતો છે તેના વિષે ખાસ ચર્ચા કરાશે અને તેની જાણકારી ઉદ્યોગકારોને આપવામાં આવશે, જેથી કરીને ભારતથી એક્ષ્પોર્ટ વધારી શકાશે. તદુપરાંત વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, યુનો વગેરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કાર્યરત ભારતીય સ્કોલરને આમંત્રિત કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાશે.

તા. ર૧ ઓકટોબર ર૦ર૩ થી ચેમ્બર ઓફ કોમર્સનું ૮૪ મું વર્ષ શરૂ થશે. ચેમ્બરની સ્થાપના દિવસના ૮૪મા દિવસે એટલે તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૪ ના રોજ રૂપિયા ૮૪ હજાર કરોડના બિઝનેસ કરવા માટે એમઓયુ કરાશે, જે અંતર્ગત ઇન્ટરનેશનલ ટ્રેડ માટે વધુ સારું પ્રોત્સાહન ઉદ્યોગકારોને પૂરું પાડવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં ગુજરાત રિજનમાંથી રૂપિયા ૮૪૦૦૦ કરોડનો બિઝનેસ જીપીડીમાં આપવાનો સંકલ્પ કરી તે દિશામાં અથાગ પ્રયાસ કરાશે. વડાપ્રધાને, દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે, તેમાં વધુમાં વધુ એક્ષ્પોર્ટ ગુજરાત રિજનમાંથી થાય તે દિશામાં મકકમ પ્રયાસ કરાશે. એના માટે ચેમ્બર ઓફ કોમર્સ, તમામ ઔદ્યોગિક એસોસીએશનોને સાથે લઈને આગળ વધશે. જેથી કરીને ભારતને વિશ્વમાં સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવાની દિશામાં યોગદાન આપી શકાય.

પ્રમુખ રમેશ વઘાસિયા દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો કે તેમના કાર્યકાળ દરમ્યાન એક વર્ષમાં ચેમ્બરને નવા ૧૦૦૦ સભ્યો અને તેના દ્વારા રૂપિયા પાંચ કરોડની આવક કરી આપવામાં આવશે.

મુખ્ય મહેમાન કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી અને તેને લગતા એજ્યુકેશનના ભવિષ્ય ઉપર ચેમ્બર ઓફ કોમર્સે કામ કરવું પડશે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકાર સાથે વાન્ીતના આધારે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છે. હવે ભવિષ્યમાં નવા રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીએ આગળ વધવું પડશે. ટ્રિપલ એન્જીનની સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે. વધુમાં તેમણે કહયું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતની દિશામાં ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા નવા ઊંચા સંકલ્પ સાથે આગળ વધશે અને તેના માટે તેમણે શુભેચ્છા આપી હતી.

ગુજરાતના ગૃહ તેમજ ઉદ્યોગ (રાજ્ય કક્ષા) મંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરતના બધા જ ઉદ્યોગોને દિશા આપવાનું કામ ચેમ્બર ઓફ કોમર્સ કરે છે. આખા દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગોના હિત માટે માંગણી લઇને આવે અને એ અમે પૂર્ણ કરીશું. મોટી રોજગારીનું સર્જન થાય અને વેપારીઓને નવી દિશા મળી શકે તે માટે પીએમ મિત્રા પાર્ક સુરતને મળી ગયો છે. ૧૩મીએ પીએમ મિત્રા પાર્કનું એમઓયુ પણ થનાર છે. સુરત – નવસારી ખાતે પીએમ મિત્રા પાર્ક દેશમાં સૌથી પહેલા અને ઝડપથી બને તે માટે પ્રયાસ કરાઇ રહયા છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વમાં દેશનું સૌથી મોટું ડાયમંડ હબ બનશે. ગુજરાતને સૌથી સુરક્ષિત રાજ્ય બનાવ્યું છે અને વધુ સુરક્ષિત બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

ચેમ્બરના નવનિયુકત પ્રમુખ રમેશ વઘાસિયાએ ગુજરાતના ૮૪ હજાર યુવા ઉદ્યોગ સાહસિકોને જોડવાનો સંકલ્પ લીધો છે ત્યારે બ્રાન્ડ સુરત માટે કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય છે તે દિશામાં પણ આગળ વધવું પડશે. નાના વેપારીઓની સબસિડી અટકેલી હોય તો તેઓને મળે તે માટેનું કામ ચેમ્બર ઓફ કોમર્સે કરવાનું છે.

વધુમાં તેમણે કહયું કે, ચેમ્બર ઓફ કોમર્સના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરને વધુ વિકસાવવામાં આવશે તો મુંબઇ, બેંગ્લોરની જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશન કરી શકાશે. એના માટે ગુજરાત સરકારે રૂપિયા ર૪ કરોડ મંજૂર કરવા લીલી ઝંડી આપી દીધી છે.

અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવાની દિશામાં ખૂબ જ સારું વાતાવરણ નિર્માણ થઇ ગયું છે. બંને દેશો ટ્રેડ, ફાયનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રે એકબીજાને સહયોગ આપવા માટે આગળ વધી રહયા છે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલે, પ્રમુખ તરીકે હિમાંશુ બોડાવાલાએ તેમના કાર્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ જે કામગીરી કરી હતી તે અંગેના સન્માન પત્રનું વાંચન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલાને ચેમ્બર દ્વારા લાઇફ ટાઇમ એચીવમેન્ટ સન્માન પત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેનું વાંચન ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ શાહે કર્યું હતું. આ ઉપરાંત માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા અને ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાને વર્ષ દરમ્યાન કરાયેલી કામગીરી માટે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેનું વાંચન અનુક્રમે ગૃપ ચેરમેન દીપક કુમાર શેઠવાલા, પરેશ લાઠીયા અને મૃણાલ શુકલ દ્વારા કરાયું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના સમૃદ્ધિ મેગેઝીનના વર્ષ ર૦રર – ર૩ ના એજીએમ ઇશ્યુનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ વર્ષ દરમ્યાન આયોજિત સાતથી આઠ એકઝીબીશનોની જાહેરાત કરવામાં આવી હતી.

પદગ્રહણ સમારોહમાં તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી તથા ધારાસભ્યો અરવિંદભાઇ રાણા અને કાંતિભાઇ બલર ઉપસ્થિત રહયા હતા. માસ્ટર ઓફ સેરેમની ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય ડો. રિન્કલ જરીવાલા અને ચેમ્બરના સભ્ય ડો. સંજય પટેલ (ડુંગરાણી)એ કરી હતી.

પદગ્રહણ સમારોહને અંતે વર્ષ ર૦ર૩–ર૪ ના ઉપ પ્રમુખ તરીકે પદભાર સંભાળનાર વિજય મેવાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયું હતું.

પાંચ દેશોના કોન્સુલ જનરલ અને સુરતના ઉદ્યોગકારો વચ્ચે સંવાદ યોજાયો

ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં પધારનાર ઇન્ડોનેશિયા, ઇથોપિયા, વિયેતનામ, યુકે સહિતના એશિયન રાષ્ટ્રોના એમ્બેસેડર તથા કોન્સુલ જનરલ સાથે ઉદ્યોગકારોનું ઇન્ટરેકટીવ સેશન યોજાયું હતું. પદગ્રહણ સમારોહ બાદ બપોરે રઃ૩૦ કલાકે યોજાયેલા આ સેશનમાં બે દેશોની ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટેની જરૂરિયાતો વિષે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગ સાથે સુરતના ઉદ્યોગકારોએ વન ટુ વન મિટીંગો કરી હતી.

જેમાં સુરતના ઉદ્યોગકારો અન્ય દેશોમાં તેમજ અન્ય દેશોના ઉદ્યોગકારો ભારતમાં કયા કયા ઉદ્યોગોમાં તથા ક્ષેત્રોમાં રોકાણ કરી શકે તે માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવા માટેની જરૂરિયાતો અને તકો સમજવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

June 29, 2023
urban.jpg
1min635

ગુજરાતભરના મિડીયામાં પાંચ મહાનગરપાલિકાઓ અંગેના સમાચાર વાઇરલ થયા હતા જેના સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસના અગ્રસચિવ અશ્વિનીકુમારે માહિતી ખાતા મારફતે સ્પષ્ટતા આપી હતી કે રાજ્ય મંત્રી મંડળની મળેલી બેઠકમાં આવો કોઇ નિર્ણય લેવાયો નથી કે કેબિનેટના એજન્ડામાં આ બાબત ચર્ચામાં લેવામાં આવી નથી.

June 10, 2023
Cia_business_news-1280x936.jpg
1min580

સ્ટાર્ટઅપ સમિટમાં 10,000 થી વધુ સહભાગીઓ હશે, જેમાં 200+ સ્ટાર્ટઅપ સ્થાપકો, 500+ વીસી અને રોકાણકારો ઉપરાંત ટોચના ઉદ્યોગ વક્તાઓ અને સુરતને વૈશ્વિક રોકાણકારોના નકશા પર સ્થાન અપાશે

સુરત. સુરત સ્થિત અગ્રણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સક્ષમ કરનાર IVY Growth એસોસિએટ્સ દ્વારા આગામી 16 થી 18 જૂન દરમિયાન ડાયમંડ સિટી સુરતના આંગણે તેની ફ્લેગશિપ ઇવેન્ટ ટ્વેન્ટીવન બાય સેવન્ટી ટુની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય સુરત સહિત ગુજરાતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર મૂકવાનો છે. આ સ્ટાર્ટ અપ સમિટ માં 200+ સ્ટાર્ટઅપ સ્થાપકો, 500+ રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સહિત 10,000 થી વધુ લોકો જોડાશે અને આ પ્રકારની આ ભારતમાં સૌથી મોટી સ્ટાર્ટઅપ સમિટમાંની એક સમિટ બની રહશે. આ ઇવેન્ટ નેટવર્કિંગ, શીખવા અને સહયોગ માટે પ્લેટફોર્મ પુરૂ પાડશે. 50+ VCs, 15+ એન્જલ નેટવર્ક્સ અને 300+ એન્જલ રોકાણકારોની હાજરી સાથે ઇવેન્ટ સ્ટાર્ટઅપ્સને તેમની ઓફર પ્રદર્શિત કરવા અને દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની અનન્ય તક પૂરી પાડશે. આ ઇવેન્ટમાં આકર્ષક પેનલ ચર્ચાઓ, વિચાર પ્રેરક કીનોટ્સ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ, મૂલ્યવાન જ્ઞાન અને અર્થપૂર્ણ જોડાણો સાથે ઉદ્યોગ સાહસિકોને સશક્તિકરણ અને વિકાસની તકો પણ દર્શાવવામાં આવશે. આ સ્ટાર્ટઅપ સમિટમાં બોટ (BoAt) ના કો- ફાઉન્ડર અમન ગુપ્તા અને Mamaearth ના કો – ફાઉન્ડર ગઝલ અલઘ ખાસ ઉપસ્થિત રહેશે.

IVY Growth એસોસિએટ્સના સહ- સ્થાપક રચિત પોદ્દારે જણાવ્યું હતું કે “TwentyOne by Seventy Two ની પ્રથમ આવૃત્તિમાં 20 થી વધુ રાજ્યોમાંથી 5,000 લોકો જોડાયા હતા. 35 ભાગીદાર સ્ટાર્ટઅપ્સમાંથી 15-17 સ્ટાર્ટ અપમાં રોકાણકારોએ રસ દાખવ્યો હતો અને ટર્મ શીટ પ્રાપ્ત થઈ હતી. આગામી આવૃત્તિ સાથે વધુ મોટી અને સારી હશે. અર્થા વેન્ચર્સ, VCats અને બ્લુમ વેન્ચર્સ જેવા મોટા VCs અને સાર્થક આહુજા, અર્જુન વૈદ્ય, મહાવીર પ્રતાપ શર્મા અને 80 થી વધુ ઇન્ડસ્ટ્રીના વક્તાઓનું વિચારશીલ નેતૃત્વ હશે. જેઓ ટેક્નોલોજી, બિઝનેસ અને ઉદ્યોગસાહસિકતાના નવીનતમ વલણો પર તેમની કુશળતા અને આંતરદૃષ્ટિ શેર કરશે.

સમિટની મુખ્ય વિશેષતાઓમાંની એક ટ્રેલબ્લેઝર્સ માઇન હશે, જે સ્ટાર્ટઅપ્સ માટે લાઇવ શાર્ક ટેન્ક પિચિંગ અને ફંડ એકત્ર કરવાની ઇવેન્ટ હશે, જ્યાં 25 પસંદ કરેલા સ્ટાર્ટઅપ્સને તેમના વિચારો પ્રતિષ્ઠિત રોકાણકારોની પેનલ સમક્ષ રજૂ કરવાની તક મળશે. આ ઉપરાંત, 85 થી વધુ સ્ટાર્ટઅપ્સ તેમના નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે, જે સંભવિત રોકાણકારો અને ભાગીદારોને તેમની ઓફર પ્રદર્શિત કરવા માટે સ્ટાર્ટઅપ્સ માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડશે.

IVY Growth એસોસિએટ્સ ભારત, UK, UAE, યુરોપ અને આફ્રિકાના રોકાણકારો સાથે સ્ટાર્ટઅપ્સને જોડીને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નકશા પર સુરતને મૂકવાના મિશન પર છે. તે સાહસિકતા, અર્થતંત્ર અને રોજગારને વેગ આપવા માટે જે કલ્પના કરવામાં આવી હતી તેને મૂર્ત સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

સમિટના આયોજકોએ જણાવ્યું હતું કે “અમે સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નકશા પર મૂકવા માંગીએ છીએ, અને ટ્વેન્ટીવન બાય સેવન્ટી ટુ સાથે અમે ઉદ્યોગસાહસિકતાને વેગ આપવા, અર્થતંત્ર અને રોજગારને વેગ આપવા અને સમગ્ર ભારતમાં એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ચલાવવા માટે એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ. અમે સમગ્ર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને જોડાવા આમંત્રણ આપીએ છીએ. અમે સુરત શહેરને ભારતનું આગામી સ્ટાર્ટઅપ હબ બનવા આગળ વધી રહ્યા છીએ. માત્ર દોઢ વર્ષમાં, IVY Growth તેના ફંડ અને સિન્ડિકેટ ફંડમાંથી કુલ $10 મિલિયન (રૂ. 82 કરોડ) તેના નેટવર્કમાંથી. કેટલાક સ્ટાર્ટઅપ્સમાં તેણે રોકાણ કર્યું છે જેમાં રૂપીક, રેશા મંડી, Zypp ઇલેક્ટ્રિક અને બ્લુસ્માર્ટનો સમાવેશ થાય છે.

IVY Growth ટાયર II અને III શહેરોની અપાર સંભાવનાઓમાં નિશ્ચિતપણે વિશ્વાસ રાખે છે અને આ પ્રદેશોમાં સ્ટાર્ટઅપને પોષીને અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને નોંધપાત્ર અસર ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેનો ઉદ્દેશ્ય આ શહેરોમાં અસ્તિત્વમાં રહેલી વણઉપયોગી પ્રતિભા અને તકોને અનલોક કરવાનો અને તેમની આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં યોગદાન આપવાનો છે. IVY Growth ટિયર II અને III શહેરોમાં સ્થિત 20 થી વધુ સ્ટાર્ટઅપ્સમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. આમાંના કેટલાક સ્ટાર્ટઅપ્સમાં Evify, Growit, હિડન ફ્લેવર્સ, વેલ્યુએશનરી, બોધિનો સમાવેશ થાય છે. Al, Adkrity, અને Bebeburp.”અમે જે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે તે રિન્યુએબલ એનર્જી, પ્રોટેક્ટિવ ફાર્મિંગ, એડટેક, ડાયરેક્ટ- ટુ- કન્ઝ્યુમર બ્રાન્ડ્સ અને અન્ય સહિતના ક્ષેત્રોની વિવિધ શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે. અમે કોઈપણ સેક્ટરમાંથી સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડવા માટે તૈયાર છીએ. હાલમાં અમારા ભંડોળના સંસાધનોને વૈવિધ્યીકરણ કરવા માટે એગ્રીટેક, ડી2સી, ક્લીનટેક, સાસ અને ઇવી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ,”

IVY Growth મહત્વાકાંક્ષી વૃદ્ધિ યોજના ધરાવે છે. તેણે $15 મિલિયન (રૂ. 123 કરોડ) ના લક્ષ્ય કદ સાથે AIF CAT I – VC ફંડની સ્થાપના કરવા માટે અરજી કરી છે, જેનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સને મોટા ભંડોળ એકત્રીકરણ રાઉન્ડ સુધી પહોંચ આપવાનો છે. તેણે તાજેતરમાં માલિકીનું ટેક પ્લેટફોર્મ, www.angeltech.in પણ લોન્ચ કર્યું છે, જે સંભવિત રોકાણકારોને આશાસ્પદ સ્ટાર્ટઅપ સોદાઓનું પ્રદર્શન કરવા માટે એક વ્યાપક હબ તરીકે સેવા આપે છે. તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે, તે એક વૈશ્વિક કોરિડોરનું નિર્માણ કરી રહ્યું છે જે એન્જલ રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સને જોડે છે, જેમાં મધ્ય પૂર્વ અને યુરોપ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

June 7, 2023
biparjoy-image.jpeg
2min9224

Date: 7/6/23ના રોજ IMD વિભાગની આગાહી મુજબ વાવાઝોડું બુલેટીન

IMD ની આગાહી મુજબ હાલ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ડીપ્રેશનની સ્થિતિ સર્જાયેલી છે. જેનું લોકેશન પોરબંદરથી ૧૧૬૦ કી.મી.ના અંતરે દક્ષિણમાં છે. આ વાવાઝોડું દરિયામાં હાલ ઉતર દિશામાં ગતિ કરી રહ્યુ છે, જે આગળ જતાં Cycloneમાં પરીવર્તીત થઈ શકે.

વાવાઝોડાંની હાલમાં ક્યાં અસર?

હાલ તેની અસર કર્ણાટક, ગોઆ, મહારાષ્ટ્ર પર થઈ શકે. તેનું મોનીટરીંગ થઈ રહ્યું છે. આમ છતાં, માછીમારો માટે સલાહ છે કે અરબ સાગરમાં ન જાય તેમજ દરીયામાં ગયેલા માછીમારો કાંઠે પરત આવી જાય.

9/10 જૂનના રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અસર થઇ શકે તેવી આગાહી

તા. ૯ જુન અને ૧૦ જુનના રોજ સુરત જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં દરીયાકાંઠે ૩૦-૪૦ કી.મી./કલાક ની ઝડપે પવન ફૂંકાય શકે છે. હળવો વરસાદ તેમજ વીજળી પડવાની ઘટના બની શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બંદરો પર સિગ્નલ નં-૨ જાહેર કરવામાં આવેલ છે. IMDની આગાહી અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી રહેતી અદ્યતન સૂચનાઓથી જીલ્લાના વહીવટીતંત્રને માહિતગાર કરવામાં આવી રહ્યા છે, સબંધિત જીલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના અધિકારી સાહેબશ્રીઓને પોતાના વિભાગ અંગેના સાવચેતીના પર્યાપ્ત પગલા લેવા વિનંતી છે. વરસાદના કારણે અનાજના ગોડાઉનમાં રહેલ અનાજ ન બગડે તે માટે પુરવઠા વિભાગને વિનંતી છે.

સુરત કલેક્ટરેટના કન્ટ્રોલ રૂમને મળેલો સંદેશો

The cyclonic storm “Biparjoy” (pronounced as “Biporjoy”) over eastcentral and adjoining southeast Arabian Sea moved nearly northwards with a speed of 2 kmph during last 6 hours, intensified into a severe cyclonic storm and lay centered at 0530 hours IST of 07th June, 2023 over the same region near latitude 12.6°N and longitude 66.1 °E, about 890 km west-southwest of Goa, 1000 km southwest of Mumbai, 1070 km south-southwest of Porbandar and 1370 km south of Karachi. It is likely to move nearly northwards during next 24 hours and intensify into a very severe cyclonic storm. It would then move north-northwestwards during subsequent 3 days.

May 31, 2023
cia_edu-1280x925.jpg
5min484

ધો.12 સામાન્ય પ્રવાહમાં સુરતની શાળાઓના એ-વન ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની યાદી

ક્રમશાળાનું નામવિસ્તારA-1 ગ્રેડ
1આશાદીપ સ્કુલવરાછા131
2તપોવન વિદ્યાલયવરાછા26
3જે.બી. કાર્પ વિદ્યાસંકુલલસકાણા21
4સંસ્કારભારતી વિદ્યાલયઅડાજણ17
5મૌનિ-અંકુલ વિદ્યાલયવરાછા16
6આઇ.એન. ટેકરાવાલા સ્કુલપાલનપુર પાટીયા13
7સંસ્કારદીપ વિદ્યાલયમોટાવરાછા12
8ભૂલકાભવન સ્કુલઅડાજણ12
9લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલઅઠવાલાઇન્સ9
10પીપી સવાણી ગ્રુપવરાછા9
11ડાયમંડ ગર્લ્સ સ્કુલવરાછા8
12સંસ્કારતિર્થ જ્ઞાનપીઠમોટાવરાછા7
13એમ.ટી.જરીવાલા સ્કુલઅઠવાલાઇન્સ7
14રામકૃષ્ણ વિદ્યાભવનલંબેહનુમાન રોડ7
15ભૂલકાવિહાર શાળાપાલ6
16ગજેરા વિદ્યાભવનકતારગામ6
17લીલાબા કન્યાશાળાલાલદરવાજા5
18રૂસીમા પૂણાવાલાપાર્લેપોઇન્ટ5
19વીડીટી ગર્લ્સ સ્કુલઅઠવાલાઇન્સ4
20સદભાવના ઉ.મા.વરાછા4
21સરસ્વતિ વિદ્યાલયઅડાજણ4
22વિઝડમ સ્કુલકામરેજ3
23પીએચ બચકાણીવાલા સ્કુલખટોદરા3
24જીવનભારતી વિદ્યાલયનાનપુરા3
25વિદ્યાકુંજ સ્કુલઅડાજણ3
26ડીઆર રાણા વિદ્યાસંકુલપાલનપુરપાટીયા2
27શારદા વિદ્યામંદિરસિંગણપોર2
28પ્રેરણા વિદ્યાલયપૂણા2
29સેંટ ઝેવિયર્સ સ્કુલઘોડદોડ રોડ2
30ટી એન્ડ ટીવી સ્કુલનાનપુરા1
31એમએમપી ઉ.મા. સ્કુલરાંદેર1
ક્રમશાળાનું નામવિસ્તારA-1 ગ્રેડ
1આશાદીપ સ્કુલવરાછા131
2તપોવન વિદ્યાલયવરાછા26
3જે.બી. કાર્પ વિદ્યાસંકુલલસકાણા21
4સંસ્કારભારતી વિદ્યાલયઅડાજણ17
5મૌનિ-અંકુલ વિદ્યાલયવરાછા16
6આઇ.એન. ટેકરાવાલા સ્કુલપાલનપુર પાટીયા13
7સંસ્કારદીપ વિદ્યાલયમોટાવરાછા12
8ભૂલકાભવન સ્કુલઅડાજણ12
9લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલઅઠવાલાઇન્સ9
10પીપી સવાણી ગ્રુપવરાછા9
11ડાયમંડ ગર્લ્સ સ્કુલવરાછા8
12સંસ્કારતિર્થ જ્ઞાનપીઠમોટાવરાછા7
13એમ.ટી.જરીવાલા સ્કુલઅઠવાલાઇન્સ7
14રામકૃષ્ણ વિદ્યાભવનલંબેહનુમાન રોડ7
15ભૂલકાવિહાર શાળાપાલ6
16ગજેરા વિદ્યાભવનકતારગામ6
17લીલાબા કન્યાશાળાલાલદરવાજા5
18રૂસીમા પૂણાવાલાપાર્લેપોઇન્ટ5
19વીડીટી ગર્લ્સ સ્કુલઅઠવાલાઇન્સ4
20સદભાવના ઉ.મા.વરાછા4
21સરસ્વતિ વિદ્યાલયઅડાજણ4
22વિઝડમ સ્કુલકામરેજ3
23પીએચ બચકાણીવાલા સ્કુલખટોદરા3
24જીવનભારતી વિદ્યાલયનાનપુરા3
25વિદ્યાકુંજ સ્કુલઅડાજણ3
26ડીઆર રાણા વિદ્યાસંકુલપાલનપુરપાટીયા2
27શારદા વિદ્યામંદિરસિંગણપોર2
28પ્રેરણા વિદ્યાલયપૂણા2
29સેંટ ઝેવિયર્સ સ્કુલઘોડદોડ રોડ2
30ટી એન્ડ ટીવી સ્કુલનાનપુરા1
31એમએમપી ઉ.મા. સ્કુલરાંદેર1
May 31, 2023
PATEL-NITISHA-ASHOKKUMAR-2.jpg
1min783

અભ્યાસ હોય કે રોજગાર મન લગાડીને જો કાર્ય કરવામાં આવે તો ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકાય છે પણ જો મહેનત કરવામાં બહાનાબાજીનો સહારો લેવાય તો કશું કરી શકાતું નથી. આ બાબતને ચરિતાર્થ કરતો દાખલો સુરતના નાના વરાછાની આશાદીપ સ્કુલની વિદ્યાર્થિની નિષિતા પટેલે બેસાડ્યો છે. નિષિતા પટેલ ધો.10માં હતી ત્યારે નબળા સ્વાસ્થ્યને કારણે તેના પિતા અશોકકુમારનું નિધન થયું હતું. જ્યારે કોઇ સંતાન પિતાની છત્રછાયા ગુમાવી દે ત્યારે તેની માનસિક સ્થિતિ કલ્પી શકાય તેવી હોય છે. પિતાના દેહાંત બાદ તેની નિષિતાની માતા કે જે સુરત મહાનગરપાલિકા સંચાલિત આંગળવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવે છે અને પોતાની બે દિકરીઓના અભ્યાસનો ખર્ચ સહિત ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી સ્થિતિમાં પણ સહેજ પણ ડગ્યા વગર નિષિતાએ આશાદીપ સ્કુલમાં ધો.11કોમર્સનો અભ્યાસ શરૂ કર્યો અને બે વર્ષના અભ્યાસમાં મન મૂકીને મહેનત કરી. આજે તા.31મી મે એ ગુજરાત બોર્ડે ધો.12 કોમર્સનું પરીણામ જાહેર કર્યું ત્યારે નિષિતા અશોકકુમાર પટેલે 99.99 પર્સન્ટાઇલ માર્ક મેળવીને સમગ્ર સુરતમાં ટોપર બની છે. જે અહેવાલો મળી રહ્યા છે એ મુજબ તો નિષિતા પટેલ આખા ગુજરાતમાં ટોપર બનીને ઉભરી આવી છે. નિષિતાના કુલ ટકા 96.86 થાય છે, આખા ગુજરાતમાં અન્ય કોઇ વિદ્યાર્થી આનાથી વધારે ટકાવારી મેળવી શક્યા નથી.

સુરતની વિદ્યાર્થિની નિષિતા પટેલ ધો.12 કોમર્સની પરીક્ષા આપનાર ગુજરાતના 4.77 લાખ વિદ્યાર્થીઓમાં સર્વપ્રથમ ક્રમે આવી છે.

નિષિતા પટેલે જણાવ્યું કે તે હવે બી.કોમ.ની સાથે સી.એ.નો અભ્યાસ કરવા ઇચ્છે છે.

આશાદીપ સ્કુલના સંચાલક મહેશભાઇ રામાણીએ કહ્યું કે નિષિતા પટેલે જ્યાં સુધી અભ્યાસ કરવા ઇચ્છશે ત્યાં

  • નિષિતાનો સ્કોર કાર્ડ
  • 678/700 Marks
  • 96.86 Percentage
  • 99.99 Percentile
  • Account 99/100
  • OC 99/100
  • ECO 96/100
  • Statistics 98/100
  • English 95/100
  • Secretarial Practice 100/100
  • Gujarati 91/100

A-1 ગ્રેડમાં સુરત જિલ્લો 603 વિદ્યાર્થીઓ સાથે આખા રાજ્યમાં પ્રથમ

અંગ્રેજીનો ફોબિયા, ગુજરાતી મિડીયમની સ્કુલના 54239 વિદ્યાર્થીઓ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં નાપાસ થયા

2022માં દક્ષિણ ગુજરાતનો આદિવાસી જિલ્લો ડાંગનું રિઝલ્ટ આખા રાજ્યમાં સૌથી મોખરે હતું, 2023માં ડાંગનો એકેય વિદ્યાર્થી એ-વન ગ્રેડ લાવી શક્યો નથી

સુરત જિલ્લામાં ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ,ઉતર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં કુલ-48598 વિધાર્થીઓએ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી ૪૮૪૮૫ વિધાર્થીઓએ પરીક્ષા આપેલ.સુરત જિલ્લાનું સામાન્ય પ્રવાહનુ કુલ પરિણામ ૮૦.૭૮% છે આ પરિણામ વિગતે જોઈએ તો સુરત જિલ્લામાં 603 વિધાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, 4502 વિધાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, 7233 વિધાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે, 9136 વિધાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે, 9783 વિધાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો છે,6822 વિધાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે,1080 વિધાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે, 09 વિધાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો છે, 9430 વિધાર્થીઓ NI એટલે કે નીડ ઈમપ્રૂવવાળા છે.

May 24, 2023
cia_edu-1280x925.jpg
1min526

શિક્ષણનો મુખ્ય હેતુહૃદયની સંસ્કૃ શત, સ્થાયી મૂલ્યો પર આધાશરત સંસ્કૃ શત આપવાનો હોવો જોઈએ” – અમ્મા.

કેન્દ્ર સરકારના જી-20 અન્વયે સમાવિષ્ટ સી-20 કાર્યક્રમ કે જે સિવિલ સોસાયટીના પરીપ્રેક્ષ્યમાં છે, જેના બહોળા વ્યાપ વિસ્તારના ભાગરૂપે સુરતના ઇચ્છાપોર સ્થિત ઓરો યુનિવર્સિટી દ્વારા આગામી તા.27મી મે 2023ના રોજ સી-20 કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશના ખ્યાતનામ વક્તાઓ 21મી સદીમાં શૈક્ષણિક સ્થિરતા સાથે સમાજ કલ્યાણના મૂલ્યોનું જતન કરી શકે તેવા નાગરીકો કેવી રીતે ઉભી કરી શકાશે તે બાબતે પોતાના વિચારો રજૂ કરશે. આ પ્રસંગે ઓરો યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પરિમલ વ્યાસે જણાવ્યું કે 250 ઉપરાંત શિક્ષણવિદો આ કોન્કલેવમાં પ્રત્યક્ષ રૂપે જોડાશે જ્યારે અન્યો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. આ પ્રસંગે ઓરો યુનિવર્સિટીમાં એક નાનકડું એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે.

પરિમલ વ્યાસે જણાવ્યું કે AURO યુનિવર્શિટીની સ્થાપના પાછળનો પ્રમુખ હેતું ઇન્ટીગ્રલ એજ્યુકેશનનો છે.”
C20 કોન્ક્લેવનો હેતુ વ્યક્તિઓને ગ્લોબલ સિટીઝનના પરીપ્રેક્ષ્યમાં માર્ગદર્શિત કરવાનો છે.
કોન્ક્લેવમાં 21મી સદીમાં ગ્લોબલ સિટીઝનશીપ માટેના કૌશલ્યો અને ટકાઉ જીવન માટેની સ્થિતિ સ્થાપકતા અંગેનો છે.

ઓરો યુનિવર્સિટી આયોજિત સી-20 કોન્કલેવમાં દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ડૉ. કિરણ બેદી, પદ્મભૂષણ કપીશ કપૂર, પદ્મશ્રી વિષ્ણું પંડ્યા, ઇતિહાસકાર-લેખક શ્રી સેન ગુપ્તા, વિવિધ મિડીયા સાથે જોડાયેલા પત્રકારો, અને યુનિવર્સિટીઓના વાઇસ ચાન્કસેલરો જોડાશે.

May 20, 2023
WhatsApp-Image-2023-05-19-at-21.10.02-1280x854.jpeg
1min473

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, નેચરલ ડાયમંડ કાઉન્સિલ ઓફ ધ વર્લ્ડના સંયુક્ત ઉપક્રમે શહેરની અગ્રણી ડાયમંડ કંપની SRK દ્વારા Dt.20/5/2023 શનિવાર તા.20મી મેએ સુરતમાં નેશનલ સસ્ટેનેબિલિટી વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ આ કોન્કલેવમાં જોડાઇ રહ્યા છે, વૈશ્વિકસ્તરના એક્સપર્ટ નાનામાં નાના ધંધા, રોજગાર, ઉદ્યોગકારો કેવી રીતે સસ્ટેનેબિલિટી વિકસાવી શકે તે વિષય પર તેમને આખો દિવસની કોન્કલેવમાં માર્ગદર્શિત કરવામાં આવશે. ટૂંકમાં જે ઉધોગ, ધંધાર્થીઓ જ્યાં જેટલું જે પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે ત્યાં તેટલું જ ભરપાઇ કેવી રીતે કરી શકે એનું નામ સસ્ટેનેબિલિટી.

સુરતમાં યોજાઇ રહેલી નેશનલ કોન્કલેવ ઓન સસ્ટેનેબિલિટી અંગે માહિતી આપતા SGCCI પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, એસ.આર.કે. SRKના જયંતિભાઇ નારોલા, શ્રેયાંશ ધોળકીયા, ગ્લોબલ નેટવર્ક ફોર નેટ ઝીરોને મહેશ રામાનૂજમ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણા ભોગે ઉદ્યોગો વિકસી રહ્યા છે, હવે પુર્નવિચાર કરવાનો સમય પાકી ગયો છે. પર્યાવરણની જાળવણી માટે મનોમંથન નહીં પણ હવે યોગદાન આપવાનો સમય પાકી ગયો છે અને દરેક નાનામાં નાના ઉદ્યોગ, ધંધા, રોજગાર કે ઘરપરિવારના સભ્યો પર્યાવરણ જાળવણી માટે કેવી રીતે યોગદાન આપી શકે તે અંગેનું નોલેજ શેરીંગ જ સસ્ટેનેબિલિટી કોન્કલેવની મુખ્ય થીમ છે.

Dt.20/5/2023 શનિવારની આખો દિવસની કોન્કલેવમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ જોડાય રહ્યા છે. જેમને સસ્ટેનેબિલિટી ગ્લોબલ નેટવર્ખ ફોર નેટ ઝીરોના મહેશ રામાનુજમ, યુરોપિયન યુનિયનના ડેલિગેશન ટુ ઇન્ડિયાના કાઉન્સિલર કમિલા ક્રિસ્ટેનસેન રાય રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલના મેલાની ગ્રાન્ટ, મહિન્દ્રા હોલિડેઝના અરુણ નંદા, એચરએ હોટેલ્સના લક્ષ્યરાજ સિંહ મેવાડ, પ્રો. રજત મૂના, ડાયરેક્ટર-IIT- ગાંધીનગર; કાર્તિકેય સારાભાઈ, સ્થાપક અને નિયામક- સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE); પ્રશાંત તિવારી, ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર- અમરા રાજા ગ્રુપ; અનિન્દ્ય ચૌધરી વગેરે અગ્રણીઓ પોતાની ટીપ્સ રજૂ કરશે.

April 23, 2023
Cia_business_news-1280x936.jpg
2min526

GJEPC જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત 49મો ઇન્ડીયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ શો આજે રવિવાર તા.23મી એપ્રિલ 2023ના રોજ સાંજે ચાર કલાકથી મુંબઇની ગ્રાન્ડ હયાત હોટેલમાં શાનદાર રીતે ઉજવવામાં આવશે. આ એવોર્ડ સમારોહમાં જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં વિતેલા વર્ષ દરમિયાન નેત્રદિપક કામગીરી કરનાર કંપનીઓ, ફાયનાન્સીયલ સંસ્થાઓ, હીરા પેઢીઓનું જાહેર અભિવાદન કરવામાં આવશે. આ સમારોહમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કુલ 34 જેટલી હસ્તીઓને સન્માનિત કરવામાં આવશે.

49th edition of India Gems and Jewellery Awards in Grand Hyatt on 23rd April from 4 pm onwards

The GJEPC established the India Gem & Jewellery Awards (IGJA) 49 years ago to honor leading exporters of gems and Jewellery. The selection criteria now include export performance, value addition, employment generation and investment in R&D among other parameters, during each financial year.

In recognition of the business excellence demonstrated by companies that are helping to strengthen ‘Brand India’, the GJEPC not only felicitates industry players for their exemplary performance, but also recognizes entities such as banks which play a key role in the growth of the sector.

Ernst & Young LLP, one of the world’s leading multinational professional services providers, is the Knowledge Partner for IGJA.

April 21, 2023
cia_sai3.jpg
1min1061

શિરડી સાંઈબાબા મંદિરમાં મેનેજમેન્ટ કરી રહેલા લોકોને એક સમસ્યા એ સતાવી રહી છે કે સાઇબાબાના ભક્તજનો દ્વારા દાન સ્વરૂપે દાન પેટીમાં નાંખવામાં આવેલા લાખો રૂપિયા સિક્કાઓનો સંગ્રહ ક્યાં કરવો. હવે, શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ (SSST) હાલમાં આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, કારણ કે બેંકો પણ ટ્રસ્ટ દ્વારા જમા કરાયેલા આ સિક્કાઓ સ્વીકારવાની ના પાડી રહી છે.

શિરડી સ્થિત સાઇબાબા મંદિરમાં દર મહિને રૂ.28 લાખની રકમનું દાન સિક્કા સ્વરૂપે મળે છે. જે 50 પૈસાથી શરૂ કરીને રૂ.10 અને રૂ.20ના કોઇન સ્વરૂપમાં હોય છે.

Banks unable to make space for coins donated to Shirdi Saibaba temple |  Nashik News - Times of India

શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટના વિવિધ સરકારી બેંકોની જુદી જુદી 13 શાખાઓમાં બેંક એકાઉન્ટ કાર્યરત છે. તેમાંથી એક ડઝન ખાતા તો શિરડી નગરમાં જ છે અને એક નાસિકમાં છે. હાલમાં, આ તમામ બેંકોમાં બધુ મળીને સિક્કાના રૂપમાં આશરે રૂ. 11 કરોડનું ભંડોળ છે.
શિરડી સ્થિત શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટના સીઈઓ રાહુલ જાધવે જણાવ્યું હતું કે શિરડીમાં ચાર સરકારી બેંકોએ સિક્કા સંઘરવાની જગ્યાની તંગીને કારણે હવે શિરડી મંદિરમાંથી આવતા સિક્કા લેવાનું બંધ કરી દીધું છે. જાધવે જણાવ્યું હતું કે, “આ ચાર બેંકોના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની પાસે દરરોજ મળતા સિક્કા રાખવા માટે જગ્યા નથી. ટ્રસ્ટ માટે આ એક મોટી સમસ્યા છે,” જાધવે જણાવ્યું હતું.

શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટે હવે આરબીઆઈને સીધો પત્ર લખીને તેના હસ્તક્ષેપની માંગ કરવાનું નક્કી કર્યું છે. “તેની સાથે જ, અમે અહેમદનગર જિલ્લા તેમજ રાજ્યના અન્ય ભાગોમાં આવેલી બેંકોનો સંપર્ક કરવાનું નક્કી કર્યું છે. અમે આવી બેંકોમાં ટ્રસ્ટના ખાતા ખોલીશું, જેથી ત્યાં સિક્કા જમા કરી શકાય,” જાધવે જણાવ્યું હતું. સિક્કાના રૂપમાં માસિક કલેક્શન – 50 પૈસાથી લઈને 10 રૂપિયા સુધી – 28 લાખ રૂપિયાની નજીક છે. દરેક બેંક, જ્યાં ટ્રસ્ટનું ખાતું છે, દર મહિને દાન અને થાપણો એકત્રિત કરવા માટે તેના કર્મચારીઓને પરિભ્રમણ દ્વારા મંદિરમાં મોકલે છે.

2019 માં, બેંકોએ SSST સાથે આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે તેમની શાખાઓમાં સિક્કાઓની થેલીઓ અવકાશમાં ખાઈ રહી છે. તે સમયે, ટ્રસ્ટે આ સિક્કા સંગ્રહવા માટે મંદિર પરિસરમાં બેંકના રૂમની ઓફર કરી હતી. જોકે, બેંકોએ આ ઓફરને નકારી કાઢી હતી કે નિયમો આવી વ્યવસ્થાને મંજૂરી આપતા નથી.