CIA ALERT

Blog - Page 704 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 22, 2018
nipah.jpg
1min13380

કેરળના કોઝીકોડ જિલ્લામાં રહસ્યમય અને જીવલેણ નિપાહ વાઇરસને કારણે અત્યાર સુધી ૧૦ લોકોનાં મૃત્યુ થયાં છે અને અન્ય છ પેશન્ટની હાલત એકદમ ગંભીર હોવાનું કહેવાય છે. અન્ય ૨૫ પેશન્ટોને ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિનો ક્યાસ કાઢવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક હાઈ લેવલ ટીમને કોઝીકોડ મોકલી છે. છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં અને ત્રણે એેક જ પરિવારના હતા. અમુક પેશન્ટોની સારવાર કરનાર એક નર્સ પણ મૃત્યુ પામી છે અને તેને પણ નિપાહ વાઇરસ લાગુ પડી ગયો હતો કે કેમ એની તપાસ ચાલુ છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં રાજ્ય સરકારે કોઝીકોડમાં કન્ટ્રોલ રૂમ પણ ઊભો કર્યો છે. આ રોગ જેને થયો હોય તેના સંપર્કમાં આવવાથી જ એ લાગુ પડી શકે છે. આને લીધે રાજ્ય સરકારે જે લોકોને આ રોગ થયો છે તેમની યાદી જાહેર કરી છે અને એ પેશન્ટોને અલગ રાખવામાં આવ્યા છે. હૉસ્પિટલોને આઇસોલેશન વૉર્ડ ઊભા કરવાની પણ સૂચના આપવામાં આાવી છે.

આ રોગના પેશન્ટને ૪૮ કલાકની અંદર સારવાર ન મળે તો એ કદાચ કોમામાં સરી પડી શકે છે. આ વાઇરસ સામે હજી સુધી કોઈ રસી પણ વિકસિત થઈ નથી.

નિપાહ વાઇરસને NiV ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. એનાં લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, ભારે તાવ, માથાનો દુખાવો, શરીરમાં બળતરા, ચક્કર આવવાં અને બેહોશીનો સમાવેશ છે.

આ બીમારી માટે ફ્રૂટ બૅટ એટલે કે ચામાચિડિયા જવાબદાર હોવાનું કહેવાય છે. માત્ર ફળ કે ફળના રસનું સેવન કરતા આ ચામાચિડિયા આ રોગના મુખ્ય વાહક છે. આવાં ફળ કે અન્ય ખાદ્ય પદાર્થના સંપર્કમાં આવનારને આ રોગ થઈ શકે છે. ડુક્કર મારફત પણ એ ફેલાય છે.

ભારતમાં ૨૦૦૧ અને ૨૦૦૭માં પશ્ચિમ બંગાળમાં આ રોગ જોવા મળેલો અને ત્યાં કુલ ૭૧ કેસ સામે આવેલા અને એમાંથી ૫૦ પેશન્ટ મૃત્યુ પામ્યા હતા. બંગલા દેશની સીમા નજીકના વિસ્તારમાં બન્ïને વખત આ રોગ ફેલાયેલો

આ રોગ સૌપ્રથમ ૧૯૯૮માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યાં નિપાહ નામના ગામમાં આ રોગ ફેલાયેલો અને એ ગામના નામ પરથી રોગને નિપાહ નામ મળ્યું છે. ત્યાં ડુક્કરોને કારણે મનુષ્યોમાં આ રોગ ફેલાયેલો

May 22, 2018
cycling.jpg
1min14280

સાઇક્લિંગને ઍરોબિક એક્સરસાઇઝ પણ કહે છે. રિસર્ચ કહે છે કે સાઇકલ ચલાવવાથી શરીરનાં તમામ અંગો ઍક્ટિવેટ થાય છે, જેના કારણે સ્ટૅમિના વધે છે. માત્ર શારીરિક ક્ષમતા માટે જ નહીં, ડિપ્રેશનમાંથી બહાર આવવામાં પણ સાઇક્લિંગ સહાયરૂપ થાય છે. સ્થૂળ કાયા ધરાવતી વ્યક્તિ જો સાઇકલ ચલાવે તો વજન ઝડપથી ઘટે છે. વજનને નિયંત્રણમાં રાખવા માટે પણ સાઇક્લિંગ જ બેસ્ટ વિકલ્પ છે એવો મત ફિટનેસ-એક્સપર્ટ્સ વ્યક્ત કરે છે.  બીજી બાજુ અમેરિકા અને સાઉદી અરેબિયાની યુનિવર્સિટીએ સંયુક્તપણે હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મïળ્યું છે કે સાઇકલ ચલાવતા પુરુષોમાં સેક્સ્યુઅલ અને યુરિનરી સંબંધિત સમસ્યા વધુ જોવા મળે છે. આ અભ્યાસમાં ૪૦૦૦ પુરુષોને આવરી લેવામાં આવ્યા હતા; જેમાં ઝડપથી સાઇકલ ચલાવતા ૨૩ ટકા, મધ્યમ ઝડપે સાઇકલ ચલાવતા ૪૭ ટકા અને ૩૦ ટકા નૉન-સાઇક્લિસ્ટ પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાઇકલ ચલાવતી વખતે સૅડલના એટલે કે સીટના પ્રેશરના કારણે પુરુષોનાં જાતીય અંગોને નુકસાન થાય છે.

પૃથ્વી પર વધી રહેલાં ધ્વનિ-પ્રદૂષણ અને ગ્લોબલ-વૉર્મિંગ વિશે લોકોમાં જોવા મળતી જાગ્રતતા તેમ જ ઇકો-ફ્રેન્ડ્લી વસ્તુઓ વાપરવાની ભલામણના કારણે વર્તમાન સમયમાં વધુ ને વધુ લોકો સાઇકલ વાપરતા થયા છે. છેલ્લા દસકામાં ઍડ્વેન્ચરસ સ્પોર્ટ્સ અને આઉટડોર ઍક્ટિવિટી તરફ લોકોનો ઝુકાવ વધતાં સાઇકલ વાપરવાનું ચલણ વધ્યું છે. ફિટનેસના સંદર્ભમાં જોઈએ તો સાઇક્લિંગને શ્રેષ્ઠ એક્સરસાઇઝ ગણવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં સાઇક્લિંગ માટે ખાસ ટ્રૅક બનાવવામાં આવ્યા છે. વિદેશમાં તો કંપનીના સામાન્ય કર્મચારીઓ જ નહીં; મોટા-મોટા બિઝનેસમેન, રાજકારણીઓ અને મહાનુભાવો કામના સ્થળે સાઇકલ લઈને જાય છે. તેઓ સાઇકલને ઑલ્ટરનેટિવ ટ્રાન્સપોર્ટ તરીકે સ્વીકારી રહ્યા છે. અગાઉ આપણા દેશમાં સાઇકલનો વપરાશ માત્ર સ્કૂલમાં જતાં બાળકો સુધી સીમિત હતો. હવે ભારતમાં પણ સાઇકલને પ્રમોટ કરવાની પહેલ શરૂ થઈ છે. આજે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં, દરિયાકિનારે અને બગીચાની આસપાસ સાઇકલ ચલાવતા લોકો નવાઈની વાત નથી રહી.

May 22, 2018
dollor.jpg
1min15420

રૂપિયાના મૂલ્યમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ભારતીય ચલણ ડોલર સામે ઇન્ટ્રા-ડે ₹68.13ની 16 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, નીચા મથાળે RBIની દરમિયાનગિરીથી રૂપિયો 0.46 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.

ડીલર્સના જણાવ્યા અનુસાર એશિયાનાં ઊભરતાં બજારોમાં સૌથી વધુ ઘટેલો રૂપિયો RBI વતી કેટલીક PSU બેન્કો દ્વારા ડોલરની ખરીદીને કારણે સુધર્યો હતો. અગાઉ દિવસ દરમિયાન ઊભરતાં બજારોના ચલણમાં વેચવાલીને પગલે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો ત્યારે ઇન્ડોનેશિયાથી માંડી તુર્કીના મધ્યસ્થ બેન્કોએ કરન્સીને સ્થિર કરવા દરમિયાનગીરી કરી હતી. RBIએ પણ અન્ય PSU બેન્કોની મદદથી નીચા મથાળે સ્થાનિક ચલણને ટેકો આપ્યો હતો.

ડીબીએસ બેન્ક ઇન્ડિયાના આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં સટોડિયાનું સેન્ટિમેન્ટ તોડવું જરૂરી છે. RBIએ નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસમાં RBIની ગેરહાજરીને પગલે અનહેજ્ડ આયાતકારો અને વિદેશી રોકાણકારોને એક્સ્પોઝર સુલટાવવાની ફરજ પડી હતી. તેના લીધે સ્થાનિક અને વિદેશી બજારોમાં ડોલરની માંગ વધી હતી. રૂપિયાની વેચવાલી કદાચ પૂરી થવાની તૈયારીમાં છે. હાલના તબક્કે ચલણના મૂલ્યમાં તમામ નકારાત્મક પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વ્યાજદરમાં વૃદ્ધિને કારણે વૈશ્વિક રોકાણકારોએ અન્ય બજારોમાંથી રોકાણ ખેંચવાની નીતિ અપનાવી છે. ખાસ કરીને 75 ટકા ક્રૂડની જરૂરિયાત માટે વિદેશી બજાર પર આધાર રાખતા ભારત જેવાં બજારોમાંથી વિદેશી રોકાણ ખેંચાવાનું શરૂ થયું છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરથી 7 અબજ ડોલર ઘટ્યું છે.

તાજેતરના સરવે મુજબ રૂપિયો ડોલર સામે ₹68ની નીચી સપાટીએ પહોંચવાની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બર 2016ના રોજ રૂપિયો ₹68.86ની રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ઓગસ્ટ 2013માં રૂપિયાએ ₹68.825નું તળિયું બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડોનેશિયન રૂપિયાહ અને ટર્કીશ લિરાના મૂલ્યમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. તેને લીધે આ દેશોની મધ્યસ્થ બેન્કોને ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરીની ફરજ પડી હતી.

અમેરિકન ડોલરમાં વૈશ્વિક તેજી ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ભારતીય અર્થતંત્ર માટે નેગેટિવ પરિબળ છે. એક મોટી વિદેશી બેન્કના અંદાજ પ્રમાણે ક્રૂડના ભાવમાં એક ડોલરની વૃદ્ધિથી દેશના આયાત બિલમાં ૭૦-૯૦ કરોડ ડોલરનો વધારો થાય છે.

May 22, 2018
mutual.jpg
1min14300

શેરબજારમાં ભારે વોલેટિલિટી હોવા છતાં રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ્સના આકર્ષણમાં વધારો થઈ રહ્યો છે. માત્ર એક મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સના ફોલિયોની સંખ્યા આશરે આઠ લાખ વધીને એપ્રિલ 2018ના અંતે 7.22 કરોડના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. આ અગાઉ 2017-18ના નાણાકીય વર્ષમાં 1.6 કરોડ નવા ફોલિયો ઉમેરાયા હતા, 2016-17ના નાણાકીય વર્ષમાં 67 લાખ તથા 2015-’16માં 59 લાખ નવા ફોલિયો ઉમેરાયા હતા.

દેશમાં કાર્યરત 42 ફંડ હાઉસિસના કુલ ફોલિયોની સંખ્યા ચાલુ વર્ષે વધીને 7,21,85,970 નોંધાઈ હતી, જે માર્ચ 2018માં નોંધાયેલા 7,13,47,301ની તુલનાએ 8.38 લાખની વૃદ્ધિ દર્શાવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રિટેલ રોકાણકારો ખાસ કરીને નાનાં શહેરના રોકાણકારોએ દાખવેલા અભૂતપૂર્વ ઉત્સાહ તથા ઇક્વિટી સ્કીમ્સમાં જંગી રોકાણને કારણે ઇન્વેસ્ટર એકાઉન્ટ્સમાં નોંધપાત્ર વધારો જોવાયો છે.

ટેક્સ સેવિંગ સાધન તરીકે રોકાણકારોમાં લોકપ્રિય એવી ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમમાં ફોલિયોની સંખ્યા 7.35 લાખ વધી 5.43 કરોડ થઈ હતી, જ્યારે બેલેન્સ્ડ કેટેગરીમાં ફોલિયોની સંખ્યા 1 લાખ વધી 60 લાખ થઈ હતી. જોકે ઇન્ક્મ ફંડ્સ અને ઇટીએફની અન્ય કેટેગરીમાં ફોલિયોની સંખ્યામાં સમીક્ષાના સમયગાળા દરમિયાન ઘટાડો જોવાયો હતો તેમ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડામાં દર્શાવાયું છે.

આશરે બે મહિનાની અનિશ્ચિતતા પછી એપ્રિલમાં બજારમાં સાતત્યપૂર્ણ રિકવરી નોંધાઈ છે. નવું નાણાવર્ષ હકારાત્મક સેન્ટિમેન્ટ સાથે શરૂ થયું છે જે નવા રોકાણકારોના વધેલા વિશ્વાસમાં જોવા મળે છે. ફેબ્રુઆરી અને માર્ચમાં નબળી કામગીરી જોવાઈ તેનું કારણ બજેટમાં લાગુ કરાયેલો લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હતો તેમ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ગ્રોના સીઓઓ હર્ષ જૈને જણાવ્યું હતું.

એપ્રિલ મહિનામાં નવા ફોલિયોમાં થયેલો વધારો દર્શાવે છે કે નવા રોકાણકારોનો ભય દૂર થયો છે. મ્યુચ્યુઅલ ફંડ્સે લાંબા ગાળા માટે વિશ્વસનીય અને ફ્લેક્સિબલ રોકાણ સાધન તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં કુલ ₹1.4 લાખ કરોડનો નાણાપ્રવાહ આવ્યો છે. આમાંથી ઇક્વિટ અને ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમમાં આશરે ₹12,400 કરોડનો નાણાપ્રવાહ આવ્યો છે.

May 22, 2018
restaurant-big.jpg
1min14960

કેઝ્યુઅલ ડાઇનિંગ ઉદ્યોગ માટે છેલ્લા બાર મહિના ઘણા આકરા નીવડ્યા છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારો થયો હોવા છતાં કેટલીક મધ્યમ કદની અને સારી રીતે જાણીતી કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ તથા હેમ્બર્ગર જોઇન્ટ્સ છેલ્લા 12 મહિના દરમિયાન બંધ થયા છે. ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતી બંધ થવી, ખર્ચમાં વધારો, હાઈપર-લોકલ ડિલિવરી સ્ટોર્સના વ્યાપમાં વધારો, વેલ્યૂ પ્રાઇસિંગ પર ધ્યાન અને ઊંચાં ભાડાંના લીધે તેમની નફાકારકતા પર અસર પડી છે.

ભારતમાં ડોમિનોઝ અને ડંકઇન ડુનટ સ્ટોર્સનું સંચાલન કરતી જુબિલન્ટ ફૂડવર્ક્સે ખોટ કરતા 26 સ્ટોર્સ બંધ કર્યા છે. ટીજીઆઇ ફ્રાઇડેઝે છેલ્લા એક મહિનામાં અન્ય ત્રણ સ્ટોર્સ બંધ કર્યા હતા, બે અન્ય યુએસ ચેઇન વેન્ડી અને ક્રિસ્પી ક્રેમે પણ સ્ટોર બંધ કર્યા હતા અને જ્યારે જેએસએમ હોસ્પિટાલિટીના કેલિફોર્નિયા પિત્ઝા કિચન અને દિલ્હી સ્થિત કાફે આઉટ ઓફ ધ બોક્સે પણ કેટલાક સ્ટોર્સ બંધ કર્યા હતા.

પ્રાઇવેટ ઇક્વિટી અને ફૂડ ઇન્ડસ્ટ્રીના અનુભવી તથા ઓનલાઇન પ્લેટફોર્મ ટેગટેસ્ટના સ્થાપક જસપાલ સભરવાલે જણાવ્યું હતું કે, ફુગાવો, સ્પર્ધા અને ઈનપુટ ક્રેડિટ વગર જીએસટીના લીધે ઉદ્યોગ માટે પોષણક્ષમ રહેવું મુશ્કેલ બની ગયું છે. આ વર્ષના અંતે સ્થિતિ એવી હશે કે ઉદ્યોગના આંકડા ૨૦૧૫ કરતાં પણ ઓછા હશે. આમ બહાર જમવા જવામાં આવેલા કાપના લીધે ઉદ્યોગને ખાસ ફાયદો થઈ રહ્યો નથી.

કેઝ્યુઅલ ડાઇનિંગ અને ક્યુએસઆર સેગમેન્ટમાં સ્ટોર ટ્રાફિક 14 પોઇન્ટ ઓછો રહેવાની અને સરેરાશ બિલ વેલ્યૂનો ટ્રેન્ડ 2015થી પણ સાત ટકાથી નીચે રહેવાની સંભાવના છે, જ્યારે ખર્ચ 2015ની તુલનાએ 11 ટકા ઊંચો રહેવાની શક્યતા છે.એમ સભરવાલે જણાવ્યું હતું.

બજાર નિરીક્ષકોનું કહેવું છે કે ભારતમાં હલ્દીરામના જેવા સ્થાનિક નાસ્તાએ મેક્‌ડોનાલ્ડને પાછળ પાડી દીધા હોવાથી હેમ્બર્ગર જોઇન્ટ્સની સંભાવના મર્યાદિત છે. ફાઇન ડાઇનિંગ રેસ્ટોરાં બ્રાન્ડ્સ સ્મોક હાઉસ ડેલી અને સોશિયલ ઇમ્પ્રેસરિઓનું સંચાલન કરતા ચીફ એક્ઝિક્યુટિવ રિયાઝ અમલાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં પાંચ પ્રકારની કેટેગરીના હેમ્બર્ગર જોઇન્ટ્સને જળવાય તેટલી ઊંડાઈ નથી અને બજારમાં આમ પણ મેક્‌ડોનાલ્ડ અને કેએફસી તો છે જ.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લાં ત્રણથી ચાર વર્ષ દરમિયાન પ્રવેશેલી મોટા ભાગની વિદેશી બર્ગર ચેઇન હાલમાં તેમના કારોબારને રિસ્ટ્રક્ચર કરવા અને યોગ્ય મોડલ શોધવા પ્રયત્નશીલ છે.

આનું એક ઉદાહરણ અમેરિકાની ચેઇન ફેટબર્ગર છે, જેણે ગુડગાંવમાં તેનો એકમાત્ર સ્ટોર બંધ કર્યો છે. વિશ્વની સૌથી મોટી બર્ગર ચેઇનમાં એક વેન્ડીએ જણાવ્યું હતું કે તે ભારતમાં 2019 સુધીમાં 40થી 50 સ્ટોર્સ ખોલવા માંગે છે, પરંતુ હાલમાં તે ત્રણ આઉટલેટ બંધ કરીને ફ્કત બે જ આઉટલેટ ચલાવી રહી છે.

 

 

May 22, 2018
mukesh-ambani.jpg
1min12640

ભારતમાં ચોથા નંબરની ટેલિકૉમ કંપની બનેલી રિલાયન્સ જીઓ ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ હતી અને માત્ર ૧૭૦ દિવસમાં એણે ૧૦ કરોડ કસ્ટમરો મેળવ્યા હતા.

માત્ર બે વર્ષથી ઓછા સમયમાં રિલાયન્સ જીઓએ ભારતને મોબાઇલ બ્રૉડબૅન્ડ ડેટાનો ઉપયોગ કરનારો સૌથી મોટો દેશ બનાવ્યો છે. જોકે આ કંપની શરૂ કરવાનો આઇડિયો સૌથી પહેલાં કોને આવ્યો એનો ખુલાસો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ ગુરુવારે કર્યો હતો.

લંડનમાં ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ આર્સેલરમિત્તલ બોલ્ડનેસ ઇન બિઝનેસ અવૉર્ડ્સ સમારોહમાં વિવિધ બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘ડ્રાઇવર્સ ઑફ ચેન્જ’નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ‘ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ’ના પત્રકારો તથા નિષ્પક્ષ નિર્ણાયકોએ છેવટે બાકી રહેલી છ કંપનીઓમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પસંદગી કરી હતી. રિલાયન્સે હાઇડ્રોકાર્બનના એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ ઍન્ડ માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, રીટેલ અને ૪G ડિજિટલ સર્વિસિસ ક્ષેત્રે હિંમતભરી પહેલ કરીને પોતાનું ગજું કાઢ્યું એ બદલ એને બિરદાવવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અગાઉ આ પુરસ્કાર ડીપમાઇન્ડ ટેક્નૉલૉજીઝ, ઍમેઝૉન, ઍપલ, અલીબાબા વગેરે કંપનીઓને મળી ચૂક્યો છે.

આ સમારોહમાં બોલતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘રિલાયન્સ જીઓનો સૌપ્રથમ આઇડિયા ઈશાએ ૨૦૧૧માં આપ્યો હતો. ૨૦૧૧માં તે અમેરિકામાં યેલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ હતી અને રજાઓમાં ઘરે આવી હતી. તે કંઈક કોર્સ-વર્ક સબમિટ કરવા માગતી હતી અને ત્યારે તેણે મને કહ્યું હતું કે ડૅડી, આપણા ઘરનું ઇન્ટરનેટ એકદમ સ્લો છે. એ વખતે મારા પુત્ર આકાશે કહ્યું કે એક સમયે ટેલિકૉમમાં કંપનીઓએ વૉઇસ-કૉલ દ્વારા કમાણી કરી, પણ હવે આધુનિક સમયમાં બધું ડિજિટલ છે. ભાઈ-બહેન બન્નેએ મારા ગળે વાત ઉતારી કે બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ આધુનિક સમયની આવશ્યક ટેક્નૉલૉજી છે અને ભારત એમાં પાછળ ન રહી શકે. એ અરસામાં ભારતમાં કનેક્ટિવિટી ઘણી જ નબળી હતી અને ડેટા મોંઘો મળતો હતો. આથી જીઓએ સસ્તા ભાવે ભરપૂર પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ કરાવ્યો અને આજે એ આખા દેશમાં ઉપલબ્ધ છે.’

May 22, 2018
angelina1.jpg
1min23800

ઈરાનના તેહરાન શહેરમાં રહેતી બાવીસ વર્ષની સહર તબર નામની યુવતી ઍન્જેલિના જોલીની ડાઇ હાર્ડ ફૅન હોવાથી તેના જેવા જ સુંદર દેખાવાની તેની ખ્વાહિશ હતી.

 

જો તેનો મૂળ ચહેરો જુઓ તો તે પોતે કંઈ ઓછી સુંદર નહોતી, પણ અમેરિકન ઍક્ટ્રેસ ઍન્જેલિના જોલી જેવા દેખાવાનું ભૂત તેના મગજ પર એવું સવાર થયેલું કે તેણે એક પછી એક નાની-મોટી પ્લાસ્ટિક સર્જરીઓની હારમાળા પોતાના જ શરીર પર શરૂ કરાવી દીધી. ઍન્જલિનાની જેમ શાર્પ જડબાં, પાઉટ પોઝ આપી શકાય એવા ભરાવદાર હોઠ, સહેજ ઊંચું અને તીણું નાક બનાવવા માટે તેણે સર્જરીનો સહારો લીધો હતો. ‘અલ અરેબિયા’ વર્તમાનપત્રમાં છપાયેલા અહેવાલ મુજબ સહરે લગભગ પચાસ કૉસ્મેટિક સર્જરીઓ કરાવી છે. સહર ખૂબ સ્ટ્રિક્ટ ડાયટિંગ કરીને પોતાનું વજન ૪૫ કિલોથી વધવા નથી દેતી. નવાઈની વાત એ છે કે આવો ભદ્દો લુક ધરાવતી છોકરીના ઇન્સ્ટાગ્રામ પર ૩.૧૮ લાખથી વધુ ફૉલોઅર્સ છે. જોકે કેટલાય લોકો તેના આ લુકની ભારોભાર ટીકા કરે છે અને ઝોમ્બી અને ડાકણ જેવા નામે ચિડાવે છે. એમ છતાં આ બહેન પોતાના શરીરના પ્રેમમાં છે અને ઇન્સ્ટાગ્રામ પર નિયમિત પોતાની તસવીરો પોસ્ટ કર્યે જાય છે. તેના જ ફૉલોઅર્સમાંના કેટલાક લોકો માને છે કે તેની મેકઅપ ટ્રિકને કારણે તે આવી લાગે છે.

May 22, 2018
monsoon.jpg
1min14390

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગેની આગાહી કરવામાં આવી છે, જેમાં ચોમાસું 15મી જૂને બેસશે તેમ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં સામાન્ય કરતાં ત્રણ દિવસ વહેલું એટલે કે 29મી મેના રોજ ચોમાસુ બેસશે. જ્યારે સામાન્ય રીતે તે બીજી જૂને બેસતું હોય છે. બીજી બાજુ આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનો પારો 42 ડિગ્રીની ઉફર રહેશે અને કાળઝાળ ગરમી યથાવત્ રહેશે. અરબી સમુદ્રમાં વરસાદની પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન અને વાવાઝોડા સક્રીય થઈ રહ્યાં છે ત્યારે આગામી 48 કલાકમાં જ વાવાઝોડું સક્રિય બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ગરમીનો કહેર વધે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ તાપમાન 42 ડિગ્રીથી 44.5 ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેને પગલે અમદાવાદમાં યલ્લો-ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને ગરમીમાં વધુને વધુ પાણી પીવા સલાહ આપવામાં આવી છે.

May 22, 2018
modi-meets-muslims-2.jpg
1min15980
દેશમાં પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાને સોશિયલ મીડિયા ટ્વિટર પર ઉર્દૂમાં ટ્વિટ કરીને લોકોને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથેના વીડિયોમાં પીએમ મોદી રમઝાનના મહત્ત્વને સમજાવતા પણ સાંભળી શકાય છે. જો કે, પીએમ મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું હતું. અનેક લોકોએ પીએમ મોદીએ ઉર્દૂમાં ટ્વિટ કર્યુ તેનો વિરોધ કર્યો હતો, જેમાં કટ્ટરવાદ પણ જોવા મળ્યો હતો. પીએમ મોદીને ટ્રોલ કરતા કેટલાકે લખ્યું હતું કે મુસ્લિમ મતો ભૂલી જાઓ, હિન્દુ મતો પણ તમને મળવાના નથી.
આ ઉપરાંત અન્ય મધુર નામની વ્યક્તિએ ટ્રોલ કરતા લખ્યું હતું, ‘ઓ સેક્યુલર મોદીજી થોડા કંટ્રોલ કરો. નોટા ભી હરા સકતા હૈ આપકો, મુસ્લિમ વોટ દેગા નહીં, હિન્દુ સે મિલેગા નહીં, તો ક્યા કરોગે?’ આ ઉપરાંત અભિષેક હિન્દુ દ્વારા કરાયેલા ટ્વિટમાં લખાયું હતું, હું ભાજપનો કર્મઠ કાર્યકર્તા હોવાના નાતે આપને નિવેદન કરૂં છું કે મુસ્લિમો પર વધુ ધ્યાન ન આપો. એ ક્યારેય ભાજપના થશે નહીં, તેના કારણે ક્યાંક એવું ન બને કે હિન્દુ વોટર સરકી જાય ભાજપ પાસેથી, જયશ્રી રામ, નમો નમો. જ્યારે મનજીત રાજપૂત અયોધ્યાના ટ્વિટમાં લખ્યું હતું, જી આપ કંઈ પણ કરી લો આ મુલ્લા ભાજપને ક્યારે વોટ નહીં આપે, તમે કંઈપણ કરો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
એમ પણ લખાયું કે વડાપ્રધાન કોઈપણ ભાષામાં ટ્વિટ કરી શકે છે અને તેઓ કોઈપણ સમુદાયના લોકોને શુભેચ્છાઓ પાઠવી શકે છે. ઊર્દૂ ભારતની ૨૨ અધિકૃત ભાષાઓમાંની એક છે ત્યારે અહીં ઉર્દૂને માત્ર મુસ્લિમોની ભાષા ગણવી એ અયોગ્ય છે. અન્ય ટ્રોલ એટેકમાં મોદીના ટ્વિટ અંગે લખાયું હતું કે શા માટે મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ ન કર્યું, શા માટે મુસ્લિમો ‘જય શ્રી રામ’ કહેતા નથી. મનીન્દર સિંહ ચીમાના એક ટ્વિટમાં લખાયું હતું કે મોદીજી આપ રમઝાન પર ઉર્દૂમાં તો લખી રહ્યા છો પણ આજ સુધી કોઈ મુસ્લિમે જય શ્રી રામ પણ કહ્યું નથી. શું આ જ ભાઈચારો છે દેશનો. પીએમ મોદીના ટ્વિટને ટ્રોલ કરનારા લોકોમાં મોદી તરફી અને મોદી વિરોધી બંને લોકો હતા જેઓ આમને સામને ટ્રોલ એટેક પર ઉતરી ગયા હતા. એક સમયે એકબીજા સામે અપશબ્દોનો પણ ઉપયોગ થવા લાગ્યો હતો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
May 22, 2018
bitcoin_1.jpg
1min13720

– CID ગુજરાતની ટીમે વધુ એક FIR દર્જ કરી : સુરતીઓનું ‘રોકાણ’ પડાવનાર 3 પૈકીના ધવલ અને સાગરિત પીયૂષને ગોંધી રાખી બિટકોઈન અને રોકડ પડાવી લીધા હતા

– પિયુષ અને ધવલને ફાર્મહાઉસમાં રાખી રિવોલ્વર બતાવીને 2,200 રૂપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતા બિટકોઈન પડાવી લેવાયાં હતાં

આખરે, સુરતમાં ધવલ અને પિયૂષનું અપહરણ કરી, ગોંધી રાખી, રિવોલ્વર બતાવીને 155 કરોડની બિટકોઈન ખંડણીને કેસના ‘સૂત્રધાર’ તરીકે શૈલેષ ભટ્ટ સામે CIDએ ફરિયાદ નોંધી છે. શૈલેષ ભટ્ટે આપેલી અરજીના આધારે CIDએ ફરિયાદી બનીને કિરીટ પાલડિયા અને અમરેલી પોલીસ SP, PI સહિતના પાંચ આરોપીને ઝડપી લીધા હતા. પણ, 12 કરોડનો આ બિટકોઈન ખંડણી કેસ જેના કારણે બન્યો હતો તે 155 કરોડના ખંડણી કેસમાં શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની વૈસી ભરની” જેવું થયું

આ કેસમાં શૈલેષ ભટ્ટના ‘પોલીસપુત્ર’ ભાણેજ નિકુંજ ભટ્ટની રાજકોટથી અને સાગરિત દિલીપ કાનાણીની મુંબઈથી અટકાયત કર્યા પછી CIDએ વિધિવત ફરિયાદ નોંધી છે. પોલીસને નિકુંજ અને દિલીપના બે દિવસના રિમાન્ડ પર મેળવ્યાં છે. સીઆઈડીના વડા, DGP આશિષ ભાટિયાએ આજે પત્રકારોને જણાવ્યું કે, ગત તા. 30-1-2018ના રોજ દિલીપ કાનાણીએ સુરતમાં પોતાના લેપટોપમાં એરર ઠીક કરવાના બહાને પિયુષ સાવલિયાને બોલાવ્યો હતો. પિયુષને ત્રણ દિવસ ગોંધી રાખી ‘બિટ કનેક્ટ’વાળા ધવલ માવાણીનું સરનામું મેળવ્યું હતું.

તા. ૧ ફેબ્રુઆરીએ ધવલને ઉઠાવી લીધો હતો અને તેની પાસેથી 2200 બિટકોઈન, 11000 લાઈટકોઈન અને ધવલને મુક્ત કરવા રૂ. 14.50 કરોડનો આંગડિયા હવાલો મેળવી લેવાયો હતો. આમ, 155 કરોડની બિટકોઈન ખંડણી ઉઘરાવી લેવાઈ હતી. પિયુષને ધમકાવી, પૈસા આપીને પોતાનું અપહરણ થયું નથી તેવી ‘એફીડેવિટ’ કરાવી CIDમાં અપાવાઈ હતી. પણ, CIDએ પર્દાફાશ કરીને 155 કરોડની બિટકોઈન ખંડણીમાં સૂત્રધાર તરીકે શૈલેષ ભટ્ટને દર્શાવી કુલ નવ આરોપી સામે ગુનો નોંધ્યો છે.

જુના બિટકોઈન ખંડણી કેસના ‘રાઝ’ શૈલેષ ભટ્ટ સામે ગુનો નોંધાયો તે સાથે ખૂલી રહ્યાં છે. CIDએ જણાવ્યું કે, શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણી ઉઘરાવાઈ તે પછી કિરીટ પાલડિયા પાસેથી ધવલ પટેલ (માવાણી) પાસે અનેક બિટકોઈન હોવાની જાણકારી અમરેલી પોલીસને મળી હતી. અમરેલી LCBના પ્રતાપ ડેર સહિત છ પોલીસકર્મીની ટીમ ધવલને શોધવા મુંબઈ પહોંચી ગઈ હતી.

ધવલ માવાણી પાસે 1860 બિટકોઈન હોવાની જાણકારી હોવાથી અમરેલી પોલીસ મુંબઈ ગઈ અને ત્રણ દિવસ સુધી દોડધામ કરી હતી. પણ, ધવલ પટેલ વિદેશ જતો રહ્યો હોવાની જાણકારી મળતાં આખરે આ ટીમ પાછી ફરી હતી. શૈલેષ ભટ્ટે બનાવટી ઈન્કમટેક્સ ઓફિસર બનીને અને તેના સાગરિતોને ‘નકલી પોલીસ’ એટલે કે સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનાવીને ધવલ પાસેથી બિટકોઈન પડાવ્યા હતા. જો કે, શૈલેષે ગોઠવેલી નકલી પોલીસ પાસે લૂંટાયેલો ધવલ અમરેલી પોલીસથી બચી ગયો હતો.

 નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ અન્ડરગ્રાઉન્ડ!

નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં!

‘જૈસી કરની, વૈસી ભરની’ આ અહેસાસ નલિન કોટડિયા અને શૈલેષ ભટ્ટને થતો હશે. કદાચિત, આવનારાં દિવસોમાં ધવલ માવાણી, દિવ્યેશ દરજી અને સતિષ કુંભાણીને પણ થશે. બિટકોઈન કૌભાંડ આચરીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર આ ત્રિપૂટી પૈકીના ધવલ પાસેથી શૈલેષે રૂપિયા ખંખેર્યા હતા. શૈલેષ સૂટ-બૂટ પહેરીને ઈન્કમટેક્સ ઓફિસર બન્યો હતો અને તેના સાગરિતોને નકલી પોલીસ અધિકારી બનાવ્યાં હતાં.

શૈલેષે ફેબ્રુઆરીના પ્રારંભે તોડબાજી કરી તેના ૧૫ જ દિવસ પછી તેના ભાગીદાર કિરીટ પાલડિયાએ શૈલેષ ભટ્ટને ખંખેરવાનું કારસ્તાન ઘડી નાખ્યું. શૈલેષે ફરિયાદ કરી તો તે પણ આરોપી બની ગયો છે. શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની, વૈસી ભરની’ જેવું થયું છે. નલિન કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયાં છે તે જ રીતે શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કોટડિયાને શોધવા ત્રણ ટીમ કાર્યરત હોવાનું સીઆઈડીએ જણાવ્યું હતું.