CIA ALERT

Blog - Page 694 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 1, 2018
gseb.png
1min12940

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ તા.28મી મે ના રોજ જાહેર કરેયાલા ધો.10ના પરીણામમાં પરીક્ષકો એટલે કે ઉત્તરવહીઓ ચકાસવા ગયેલા શિક્ષકોએ મોટી સંખ્યા એટલે કે 40 હજાર જેટલી ભૂલો ગણિતના વિષયની ઉત્તરવહીઓની ચકાસણીમાં કરી હોવાની બાબત સપાટી પર આવતા બોર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ધો.10ની ઉત્તરવહીઓમાં થયેલી આવી ભૂલો મોટા ભાગે પ્રશ્નોના ગુણોના સરવાળામાં થઇ હોવાનું જાણવા મળે છે.

પેપર તપાસવામાં વધતી જતી શિક્ષકોની ભૂલો ચિંતાનું કારણ છે. જ્યારે ફાઈનલ રિઝલ્ટ બનાવાય છે ત્યારે ડેટા એન્ટ્રી કરતી વખતે ક્રોસ ટોટલિંગ કરવામાં આવે છે. ગયા વર્ષે 10 માર્ક કે તેનાથી વધારે માર્કની 1,237 ભૂલો પકડાઈ હતી. પેપર તપાસવામાં ઉતાવળ અને ભૂલો કરનારા શિક્ષકો પાસેથી એક ભૂલના 50 રૂપિયા લેખે 6.67 લાખનો દંડ વસૂલાયો હતો.

માર્ચ 2018ની એસ.એસ.સી.ની પરીક્ષામાં ગણિત વિષયમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે. બોર્ડ દ્વારા પરિણામનું રેન્ડમ ચેકિંગ તેમજ ડિટેઇલ્ડ વેરીફિકેશન કરવામાં આવતા એવી બાબત પરથી પરદો ઉઠ્યો કે પેપર તપાસનારા પરીક્ષકોએ મૂલ્યાંકન તેમજ ગુણોના સરવાળા કરવામાં ભારે દાટ વાળ્યો છે. જુદા જુદા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણોના સરવાળા કરવામાં ભારે ભૂલો કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પેપર તપાસતાં પરીક્ષકોએ ગુણોના સરવાળામાં કરેલી 40,000 ભૂલો ડિટેઇલ્ડ વેરિફકેશનમાં બહાર આવી છે. અંદાજે 3,500 કેસ એવા છે જેમાં 10 માર્ક્સ કે તેનાથી વધારે માર્ક્સની ભૂલ પરીક્ષકોએ કરી છે. પરીક્ષકોએ કરેલી ભૂલો જો સુધારવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓના પરિણામ પર તો અસર પડે જ પડે પણ બોર્ડના કુલ પરિણામ ફેરવાય તેમ છે.

બોર્ડના અધિકારીઓ નૈતિક રીતે સ્વીકારી રહ્યા છે કે પરીક્ષકો દ્વારા ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં રહેલી ભૂલોને જો સુધારવામાં ન આવે તો વિદ્યાર્થીઓ સાથે મોટો અન્યાય થયાનું લેખાશે.

આ વર્ષે યોજાયેલી એસએસસીની પરીક્ષામાં 11.02 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા અને તેમાંથી 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં ફેઇલ થયા છે. હવે રાજ્ય સરકાર નીતિ વિષયક નિર્ણય કરશે કે પરીક્ષકોએ કરેલી ભૂલનો સુધાર કેવી રીતે કરવો.

June 1, 2018
Gujarat-Police.jpg
1min16470
માફીયા કીંગ દાઉદનો ડાબો હાથ સમાન અને 1992 મુંબઈ બ્લાસ્ટના કેસોમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભાગતા ફરતા અહેમદ મોહમ્મદ ઉર્ફે અહેમદ લંબૂને એક લાંબા સમયથી ચાલી આવતા ઓપરેશનના અંતે ગુજરાત એટીએસની ટીમને સફળતા મળી છે.
બોમ્બે બોંબ બ્લાસ્ટ કેસમાં નાસતા-ફરતા આરોપી અહેમદ લંબુની ધરપકડ માટે સીબીઆઈએ લુક-આઉટ અને ઇન્ટરપોલ લાંબા સમયથી નોટિસ જાહેર કરી છે. એટલું જ નહીં પણ અહેમદ લંબુ અંગે જાણકારી આપનારને  રૂ.પાંચ લાખનું ઇનામ પણ આપવાનું એલાન થઇ ચૂક્યું છે છતાં અહેમદ લંબૂ હાથ આવતો ન હતો. અહેમદ લંબૂ અંગે જુદા જુદા રાજ્યોની પોલીસને અનેક નાની મોટી બાતમીઓ પણ નિયમિત રીતે મળતી રહેતી હતી પરંતુ, તેને પકડી શકાયો ન હતો.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ રાજ્યના દક્ષિણ છેવાડે વલસાડ અને વાપીની વચ્ચે દરિયા કિનારે ગુજરાત એટીએસ થોડા સમયથી એક સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તા.31મી મેના રોજ રાત્રે આ ઓપરેશન દરમિયાન ગુજરાત પોલીસની એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને કામ્યાબી મળી છે અને લાંબા સમયથી નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપી અહેમદ લંબૂને ઝબ્બે કરવામાં આવ્યો હતો. અહેમદ લંબૂ પર 1992 બ્લાસ્ટનું કાવતરૂં ઘડવાનો અને હથિયારો પૂરા પાડવાનો આરોપ છે. બોમ્બ બ્લાસ્ટ પછી લંબૂને ભગાડવામાં ડોસાએ મદદ કરી હતી. ત્યારથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.
June 1, 2018
gas.jpg
1min14300

વાગરાના રહીયાદ ગામે આવેલાં જીએનએફસીના ટીડીઆઇ પ્લાન્ટમાં ચાર વર્ષમાં ફોસ્જીન ગેસ લીકેજની ત્રીજી ઘટના સામે આવી છે. ગયા સોમવારે મોડી રાત્રે ફરી એક વખત ગેસ લીકેજ થતાં રહીયાદ ગામમાં રહેતાં 1,200થી વધારે લોકોએ જીવ બચાવવા ગામ છોડી દેવાની ફરજ પડી હતી. દરમિયાન ગેસની અસરને કારણે 45થી વધારે લોકોને બળતરા તેમ જ ઉલટીઓ થતાં તેમને ભરૂચ ખાતે આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપનીનો ટીડીઆઇનો પ્લાન્ટ વાગરાના રહીયાદ ગામે આવેલો છે. આ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઝેરી ગણાતો ફોસ્જીન ગેસ લીકેજ થતાં તેની અસર નજીકમાં આવેલા રહીયાદ ગામમાં જોવા મળી હતી. રાત્રીના 12 વાગ્યા બાદ ગેસની અસર વધી જતાં લોકોએ આંખોમાં બળતરા, શ્ર્વાસોશ્ર્વાસમાં તકલીફનો અનુભવ કર્યો હતો. ગેસ લીકેજ થયો હોવાની વાત વાયુવેગે ફેલાતા ગામમાં રહેતાં 1,200થી વધારે લોકો તેમનો જીવ બચાવવા નજીકમાં આવેલા સૂવા ગામમાં પહોંચી ગયાં હતાં.

રોષે ભરાયેલા લોકોએ કંપનીના ગેટ પર ભારે હોબાળો મચાવતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. દરમિયાન ગેસની અસરનો ભોગ બનેલા લોકોની તબિયત લથડતા તેમને સારવાર માટે ભરૂચ જીએનએફસી ટાઉનશીપમાં આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલમાં 45થી વધારે લોકોને સારવાર આપવામાં આવી હતી. ફેકટરી ઇન્સપેકટર તથા જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતાં અધિકારીઓની ટીમ રહીયાદ ગામે દોડી આવી હતી.

June 1, 2018
gir.jpg
1min21620

એશિયાઈ સિંહોના આ ધરતી ઉપરના એક માત્ર અને અંતિમનિવાસ સ્થાન ગીર જંગલના દ્વાર આગામી તા 15 જૂનથી 4 માસ માટે સહેલાણીઓ માટે બંધ રહેશે. આગામી ચોમાસાની ઋતુને લક્ષમાં લઈને, રાજ્યના વનવિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

વન વિભાગના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમ્યાન જંગલના કાચા રસ્તાઓ ઉપર વાહન ચાલી શકતા નથી. વળી સિંહ જેવા હિંસક પ્રાણી માટે આ સમયગાળો એ તેમનો મેટિંગ પિરિયડ ગણાય છે. જેમાં તેને ખલેલ ન પહોંચે તે માટે પણ જંગલ બંધ કરાય છે. આમ ગીરના વનરાજોનું વેકેશન 4 માસનું તા.15 જૂનથી શરૂ થઈ રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક સહેલાણીઓ ગેરકાયદેસર જંગલમાં પ્રવેશીને વન્ય જીવોના રહેનસહેન પર અટકચાળો કરતા હોય છે આ બાબત પર હવેથી કડકાઇપૂર્વક પગલાં ભરવામાં આવશે.

June 1, 2018
Mansukh-Mandaviya.jpg
1min14850

ગુજરાતના રાજકારણમાં એટલી પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે કે દિલ્હી સ્થિત હાઇકમાન્ડ ગમે તે ઘડીએ મોટા ફેરફાર કરી શકે એવા મળી રહેલા સંકેતોને પગલે ભાજપાના સંગઠન તેમજ સરકાર બન્નેમાં મોટા અને ધરખમ ફેરફારો થશે તેવી અટકળો ભાજપના પ્રાદેશિક નેતાઓથી નારાજ લોકોએ આગની જેમ ફેલાવાની શરૂ કરી દીધી છે. પાછલા દિવસોમાં કોઇક  દિવસ સંગઠનમાં ફેરફાર તો કોઇક દિવસ સરકારના શિખર નેતૃત્વમાં ફેરફાર આવી રહ્યાના ન્યુઝ વાઇરલ થઇ રહ્યા છે. આવું થવાને કારણો પર મળી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે ત્યારે ભાજપે ચૂંટણી કમિટીની રચના કરીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ પાટીદાર સમાજને રિજવવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દેવાતા એવી અટકળો ઊભી થઈ છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને બદલીને પાટીદાર સમાજને મુખ્ય પ્રધાન પદ અપાશે.

આ અટકળો વચ્ચે વડોદરા ખાતે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પત્રકારો સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે હું મુખ્ય પ્રધાન પદની રેસમાં નથી. મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણી જ રહેશે.

સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે વડોદરાના સિંધુસાગર તળાવ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, શિપિંગ, કેમિકલ-ફર્ટિલાઈઝર્સ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાના ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પત્રકારોએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાની રેસમાં છો

તેના જવાબમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, હું મુખ્ય પ્રધાનની રેસમાં નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જ રહેશે. મુખ્ય પ્રધાન બદલવા અંગે જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે. આ સિવાય વધુ કોઇ વાત તેમણે કરી ન હતી.

મુદ્દો બદલતા શ્રી માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્નિકલ ભૂલને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં એક પૈસાનો ઘટાડો થયો હતો. તેનો ખુલાસો થઈ ગયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે સરકાર ચિંતિત છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર નક્કી થતાં હોય છે. આવનાર દિવસોમાં તેના પર નિયંત્રણ આવી જશે. સુઝલામ્ સુફલામ્ જળસંચય યોજના બાબતે જણાવ્યું હતું કે, આ યોજનામાં અપેક્ષા કરતા વધારે સારી કામગીરી થઈ છે. અત્યાર સુધી રાજ્યભરમાં 9 હજાર કરતા વધારે તળાવોને ઊંડા કરવાની કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

June 1, 2018
bjp-1280x960.jpg
1min13550

31મી મે 2018ની તારીખ કદાચ ભારતીય રાજકારણમાં ટર્નિંગ પોઇન્ટ બની રહે તેવી શક્યતા છે. 31મી મે 2018ના ગુરુવારે દેશભરની જુદી જુદી 11 લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો નરેન્દ્ર મોદીના શાસનના ચાર વર્ષની વિરુદ્ધના છે તેમ જ ભારતીય જનતા પક્ષના સામ્રાજ્યના અંતનો આરંભ છે. દેશભરનાં ૧૧ રાજ્યમાં જાહેર થયેલા લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠક માટેનાં પરિણામોમાં ભાજપને પડેલા ફટકાને લીધે વિરોધ પક્ષો ગેલમાં આવી ગયા હતા.

ઉત્તર પ્રદેશમાં કૈરાના અને નૂરપુર પેટાચૂંટણીના ગુરુવારે આવેલા પરિણામોમાં સરકારની વિભાજનવાદી નીતિની હાર થઈ છે, એમ સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે જણાવ્યું હતું. મતદારોએ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને જડબાતોડ જવાબ આપ્યો છે.

વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પૂર્વે યોજાયેલી સેમી-ફાઇનલ તરીકે આ ચૂંટણીઓને જોવામાં આવી હતી અને ભાજપ ચૂંટણી હારી ગયું છે.

દેશના ૧૧ રાજ્યમાં લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ મળીને કુલ ૧૪ બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં વિપક્ષોએ ૧૧ અને ભારતીય જનતા પક્ષ (ભાજપ) તેમ જ તેના સાથી પક્ષોએ ત્રણ બેઠક જીતી હતી.

ઉત્તર પ્રદેશમાં લોકસભાની કૈરાના બેઠક પરથી ભાજપનો પરાજય થતાં તેને મોટો ફટકો પડ્યો ગણાય.

આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં ભંડારા – ગોંદિયાની લોકસભાની બેઠક જીતવામાં પણ ભાજપ નિષ્ફળ ગયો હતો.

આમ છતાં, ભાજપને મહારાષ્ટ્રમાંની લોકસભાની પાલઘરની બેઠક મળી હતી. આ બેઠક પર તેણે પોતાના સાથી પક્ષ શિવસેનાનો જ સામનો કરવો પડ્યો હતો.

ભાજપના રાજેન્દ્ર ગાવિતે શિવસેનાના શ્રીનિવાસ વનગાને ૨૯,૫૭૪ મતના તફાવતથી હરાવ્યા હતા.

નાગાલેન્ડમાં લોકસભાની બેઠક પરથી ભાજપના સાથી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો.લોકસભાની ચાર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જોઇએ તો તે ભાજપ અને વિપક્ષો વચ્ચે ૨ – ૨થી સરખી વહેંચણી થઇ ગણાય.

વિધાનસભાઓની દસ બેઠક પરથી યોજાયેલી પેટાચૂંટણીમાં શાસક પક્ષને માત્ર એક (ઉત્તરાખંડની) બેઠક મળી હતી, જ્યારે કૉંગ્રેસને ત્રણ (મેઘાલય, કર્ણાટક અને પંજાબના શાહકોટની) બેઠક મળી હતી.

ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ને બે બેઠક મળી હતી.

કેરળમાં માર્ક્સવાદીને એક, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષને એક, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળને એક અને પશ્ર્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસને એક બેઠક મળી હતી.

ભાજપ અને તેના સાથી પક્ષોએ લોકસભાની પેટાચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી એક અને નાગાલેન્ડમાંથી એક બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો.

વિધાનસભાઓની દસ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષો ઉત્તર પ્રદેશમાંની નૂપુર અને પંજાબમાંની શાહકોટની બેઠક પોતાની પાસે જાળવી રાખવામાં નિષ્ફળ ગયા હતા, જ્યારે કૉંગ્રેસ, માર્ક્સવાદી પક્ષ, ઝારખંડ મુક્તિ મોરચા અને તૃણમૂલ કૉંગ્રેસે પોતાની બેઠકો જાળવી રાખી હતી.

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવારે વિધાનસભાની જોકિહાટની બેઠક ભાજપ અને જનતા દળ (યુ)ની યુતિના ઉમેદવારને મોટા તફાવતથી હરાવીને જીતી હતી. આ બેઠક પરના પરાજયને લીધે મુખ્ય પ્રધાન નીતીશ કુમારને મોટો ફટકો પડ્યો હતો.

ભાજપના નેતા અને કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે પેટાચૂંટણીના પરિણામ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે મોટો વિજય મેળવતા પહેલાં બે ડગલાં પીછેહઠ કરવી પડે છે.

લોકસભાની કૈરાના બેઠક પરથી રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)નાં ઉમેદવાર તબસ્સુમ હસને ભાજપના ઉમેદવાર મૃગાન્કા સિંહને ૪૪,૬૧૮ મતના તફાવતથી હરાવ્યા હતા.

May 31, 2018
aone.jpeg
1min50733940

આજે જાહેર થયેલા ધો.12 કોમર્સના પરિણામો હાલ સમગ્ર શહેર જ નહીં રાજ્યમાં પણ ટોક ઓફ ધ ટાઉન ઇશ્યુ બન્યા છે. ગુજરાત બોર્ડ દ્વારા જ્યારથી સિટી ટોપ ટેન કે ડિસ્ટ્રીક્ટ ટોપ ટેન જાહેર કરવાની પ્રથા બંધ કરવામાં આવી ત્યારથી બેસ્ટ સ્કુલનો ક્રાઇટેરિયા, એ-વન ગ્રેડ ગેટર્સ એટલે કે એ-વન ગ્રેડ હાંસલ કરતા જે તે સ્કુલના વિદ્યાર્થીઓની સંખ્યા બની ગયો છે.

આજે તા.31મી મે 2018ના દિવસે ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થયું. પરિણામમાં સૌથી મહત્વના ફેક્ટર ગણાતા એ-વન ગ્રેડ ગેટર્સની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં કુલ 451 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. આ પૈકી ત્રીજા ભાગના એટલે કે 143 એ-વન ગ્રેડ એકલા સુરતના વિદ્યાર્થીઓએ જ હાંસલ કરી લીધા છે.

સુરત શહેર અને જિલ્લામાં 143 પૈકી કેટલા એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ કઇ સ્કુલના છે એની મહત્તમ માહિતી સૌથી પહેલા આપવાનો પ્રયાસ સી.આઇ.એ. કરી રહ્યું છે. અત્રે પ્રસ્તુત છે 12.30 વાગ્યા સુધીમાં ટેલી થયેલા સુરત શહેર જિલ્લાના એ-વન ગ્રેડ ગેટર્સ વિદ્યાર્થીઓની સ્કુલ વાર સંખ્યા

આશાદીપ વિદ્યાલય-1            16

આશાદીપ વિદ્યાલય-2           03

આશાદીપ  વિદ્યાલય-3          03

આશાદીપ વિદ્યાલય-4           03

ભૂલકા ભવન શાળા                09

પી.પી. સવાણી હીરાબાગ      08

લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલ                07

ટેકરાવાળા ઉ.મા.શાળા        05

લીલાબા કન્યા વિદ્યાલય        05

વીએનગોધાણી કન્યાશાળા  03

અંકુર વિદ્યાવિહાર                 02

સ્વામી નારાયણ ગુરુકુળ       02

સરસ્વતી  વિદ્યાલય               02

આ ઉપરાંત એક એક એ-વન ગ્રેડર સ્ટુડન્ટ ધરાવતી શાળાઓમાં ડી.આર. રાણા વિદ્યાસંકુલ, ડી.આર. ઉમરીગર મેમોરીયલ, એચ.એમ.બી. સરદાર ઇંગ્લિશ સ્કુલ, રૂ.સી.મા.પૂણાવાળા એક્સપેરિમેન્ટલ સ્કુલ, સંસ્કારદીપ શાળા-મોટા વરાછા, માધવબાગ વિદ્યાભવનનો સમાવેશ થાય છે. 2.30 વાગ્યા સુધીમાં અમે 143 પૈકી 72 એ-વન ગ્રેડર્સનો શોધી શક્યા છીએ.

 

May 31, 2018
language.jpg
1min17020

આજે જાહેર થયેલા ધો.12 કોમર્સના પરીણામો પર નજર કરીએ તો ગુજરાતી વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી ધો.12 કોમર્સ ભણીને બોર્ડની માર્ચ 2018ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું આજે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એક વિકનેસ (નબળાઇ) પણ સપાટી પર આવી. ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓની એ વિકનેસ હતી ઇંગ્લિશ.

ગુજરાતી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇંગ્લિશ વિષયને સેકન્ડ લેંગ્વેજ તરીકે ભણાવવામાં આવે છે અને ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી વિષયવાર પરીક્ષાઓના પરીણામમાં સૌથી ઓછું પરીણામ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ કે જે ગુજરાતી માધ્યમની શાળાઓમાં જ ભણાવવામાં આવે છે. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું પરીણામ અન્ય તમામ વિષયો કરતા ઓછું 64.53 ટકા આવ્યું છે. ગુજરાતી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી પરીક્ષા આપનારા કુલ 4.03 લાખ વિદ્યાર્થીઓ પૈકી 1.43 લાખ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં નાપાસ થયા છે.

ગુજરાત બોર્ડની જ ઇંગ્લિશ મિડીયમની સ્કુલ્સ કે જ્યાં ઇંગ્લિશ વિષય ફર્સ્ટ લેંગ્વેજ તરીકે ભણાવવામાં આવે છે. આ વિષયનું પરીણામ 94.25 ટકા જેટલું તોતિંગ આવ્યું છે.

ઇંગ્લિશ લેંગ્વેજ પહેલેથી જ ગુજ્જુઓની નબળાઇ રહી છે. અગાઉ સાયન્સ સ્ટ્રીમમાં પણ જેઇઇ, નીટ જેવી પ્રવેશ પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં લેવા માટે ગુજરાતમાં વાલીઓએ આંદોલન કરવા પડી રહ્યા હતા.

May 31, 2018
indian-politics-600_1417091987.jpg
1min14320

તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016-17માં દેશના 07 રાષ્ટ્રીય રાજકીય પક્ષોને અજાણ્યા સ્ત્રોત પાસેથી રૂ. 711 કરોડની રકમ દાનમાં મળી હતી. આવી સ્થિતિમાં સામાન્ય વ્યક્તિની મનોસ્થિતિ એ બયાં કરે છે કે સામાન્ય વ્યક્તિને અનનોન નંબર પરથી ફક્ત ફોન કોલ આવી શકે, પણ રાજકીય પક્ષ હોય તો તેને અનનોન (અજાણ્યા) લોકો પાસેથી અબજો રૂપિયાનું ફંડ મળી શકે છે.

સાતેય પક્ષોએ રૂ.20,000થી વધુ દાનમાં મળેલી રકમની જાહેરાત કર્યા પ્રમાણે એમને રૂ.589.38 કરોડ મળ્યા હતા અને સૌથી વધુ રૂ. 532.27 કરોડ ભાજપને 1194 વ્યક્તિઓએ આપ્યા હતા.

ભાજપે જાહેર કરેલી દાનની રકમ કૉંગ્રેસ, એનસીપી, સીપીઆઇ, સીપીએમ અને તૃણમૂલ કૉંગ્રેસે જાહેર કરેલી રકમના સરેરાશના નવ ગણા કરતાય વધારે છે.

સાતેય પક્ષોને રૂ.589.38 કરોડ 2123 વ્યક્તિ કે સંસ્થા તરફથી રૂ.20,000થી વધુ રકમ દાનમાં આપી હતી. સૌથી વધુ રૂ. 532.27 કરોડ ભાજપને 1194 વ્યક્તિઓએ આપ્યા હતા, જ્યારે કૉંગ્રેસને રૂ. 41.90 કરોડ 599 વ્યક્તિ કે સંસ્થા તરફથી મળ્યા હતા.

બહુજન સમાજ પક્ષે એવી જાહેરાત કરી હતી કે એને વર્ષ 2016-17માં રૂ.20,000થી વધુ રકમ એકેય જણે દાનમાં નહોતી આપી.

રાષ્ટ્રીય પક્ષોને વર્ષ 2015-16માં મળેલું રૂ. 102.02 કરોડનું દાન 2016-17માં વધીને રૂ.589.38 કરોડ થયું હતું.

આ રિપોર્ટ એડીઆર અને નેશનલ ઇલેક્શન વૉચે સંયુક્ત રીતે તૈયાર કર્યો હતો.

ભાજપને 2015-16માં મળેલું રૂ. 76.85 કરોડનું દાન 2016-17માં વધીને રૂ.532.27 કરોડ થયું હતું.

એનસીપીને 2015-16માં મળેલું રૂ. 71 લાખનું દાન 2016-17માં વધીને રૂ.6.34 કરોડ થયું હતું.

રિપોર્ટ પ્રમાણે ટીએમસીની દાનની રકમમાં 231 ટકાનો, સીપીએમ અને કૉંગ્રેસની દાનની રકમમાં અનુક્રમે 190 ટકાનો અને 105 ટકાનો વધારો થયો હતો, પણ સીપીઆઇએ 9 ટકાનો ઘટાડો થયો હોવાની જાહેરાત કરી હતી.

ટૂંકમાં રાજકીય પક્ષોને મળેલી દાનની રકમનો એવા સમયગાળામાં જંગી વધારો થયો છે જે સમયગાળામાં એ પક્ષો ક્યાં તો પ્રાદેશિક સરકાર રચે છે અથવા જે તે રાજ્યમાં સરકારને સમર્થન કરે છે અગર તો કેન્દ્ર સરકારમાં હોય અથવા તો કેન્દ્ર સરકારને સમર્થન આપે છે. આમ સત્તામાં હોય તેવા સંજોગોમાં જ રાજકીય પક્ષોની આવકમાં જંગી ઉછાળો જોવા મળે છે. કાગડા બધે જ કાળા હોય તેમ કોઇ રાજકીય પક્ષ ફંડિંગ બાબતે વિવાદના વમળમાં ફસાયેલા જોવા મળે છે.

May 31, 2018
gseb.png
1min16580

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ તા.31 મે 2018ના દિવસે સવારે ધો.12 સામાન્ય પ્રવાહોની ગત માર્ચ 2018માં લેવાયેલી રાજ્યવ્યાપી પરીક્ષાઓના પરીણામોની ઘોષણા કરવામાં આવી હતી. આ પરીણામોને જોતા ધો.12 કોમર્સનું સમગ્ર રાજ્યનું ઓવરઓલ પરીણામ ફક્ત 55.55 ટકા જેટલું એવરેજ આવ્યું હતું. આટલું નીચું પરીણામ બોર્ડના ખાનગી વિદ્યાર્થીઓ એટલે કે એક્સ સ્ટુડન્ટ, ઘરે બેસીને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ પડતા વિદ્યાર્થીઓ નાપાસ થતાં પરીણામ નીચું આવ્યું હતું. પરીણામની માહિતી બોર્ડની આ બુકલેટ આધારે મળી શકે છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 2,31,876 વિદ્યર્થીઓ પાસ થયા છે. ધોરણ 12નાં સામાન્ય પ્રવાહમાં ચાર લાખ વિદ્યાર્થીઓએ નોંધાયા હતા. જેમનાં ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છે. સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર સુરતનું નાનપુર બ્લાઈન્ડ અને મહિસાગરનું લુણાવાડા કેન્દ્ર 11.74% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. આ સાથે આહવા ડાંગ જિલ્લો 77.32% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. તો છોટાઉદેપુર 31.54% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જાહેર થયો છે.

આ વર્ષે કુલ 206 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. તો 76 શાળાઓનું 10% કરતાં ઓછું પરિણામ નોંધાયું છે. પરિણામ મુજબ 451 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 8245 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 30306 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 63241 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે અંગ્રેજી માધ્યમની ટકાવારી 73.77% અને ગુજરાતી માધ્યમની ટકાવારી 54.03% જાહેર થઇ છે.