જાણો સુરત શહેરની કઇ સ્કુલ્સના કેટલા વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં આવ્યા?
આજે જાહેર થયેલા ધો.12 કોમર્સના પરિણામો હાલ સમગ્ર શહેર જ નહીં રાજ્યમાં પણ ટોક ઓફ ધ ટાઉન ઇશ્યુ બન્યા છે. ગુજરાત બોર્ડ દ્વારા જ્યારથી સિટી ટોપ ટેન કે ડિસ્ટ્રીક્ટ ટોપ ટેન જાહેર કરવાની પ્રથા બંધ કરવામાં આવી ત્યારથી બેસ્ટ સ્કુલનો ક્રાઇટેરિયા, એ-વન ગ્રેડ ગેટર્સ એટલે કે એ-વન ગ્રેડ હાંસલ કરતા જે તે સ્કુલના વિદ્યાર્થીઓની સંખ્યા બની ગયો છે.
આજે તા.31મી મે 2018ના દિવસે ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થયું. પરિણામમાં સૌથી મહત્વના ફેક્ટર ગણાતા એ-વન ગ્રેડ ગેટર્સની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં કુલ 451 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. આ પૈકી ત્રીજા ભાગના એટલે કે 143 એ-વન ગ્રેડ એકલા સુરતના વિદ્યાર્થીઓએ જ હાંસલ કરી લીધા છે.
સુરત શહેર અને જિલ્લામાં 143 પૈકી કેટલા એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ કઇ સ્કુલના છે એની મહત્તમ માહિતી સૌથી પહેલા આપવાનો પ્રયાસ સી.આઇ.એ. કરી રહ્યું છે. અત્રે પ્રસ્તુત છે 12.30 વાગ્યા સુધીમાં ટેલી થયેલા સુરત શહેર જિલ્લાના એ-વન ગ્રેડ ગેટર્સ વિદ્યાર્થીઓની સ્કુલ વાર સંખ્યા
આશાદીપ વિદ્યાલય-1 16
આશાદીપ વિદ્યાલય-2 03
આશાદીપ વિદ્યાલય-3 03
આશાદીપ વિદ્યાલય-4 03
ભૂલકા ભવન શાળા 09
પી.પી. સવાણી હીરાબાગ 08
લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલ 07
ટેકરાવાળા ઉ.મા.શાળા 05
લીલાબા કન્યા વિદ્યાલય 05
વીએનગોધાણી કન્યાશાળા 03
અંકુર વિદ્યાવિહાર 02
સ્વામી નારાયણ ગુરુકુળ 02
સરસ્વતી વિદ્યાલય 02
આ ઉપરાંત એક એક એ-વન ગ્રેડર સ્ટુડન્ટ ધરાવતી શાળાઓમાં ડી.આર. રાણા વિદ્યાસંકુલ, ડી.આર. ઉમરીગર મેમોરીયલ, એચ.એમ.બી. સરદાર ઇંગ્લિશ સ્કુલ, રૂ.સી.મા.પૂણાવાળા એક્સપેરિમેન્ટલ સ્કુલ, સંસ્કારદીપ શાળા-મોટા વરાછા, માધવબાગ વિદ્યાભવનનો સમાવેશ થાય છે. 2.30 વાગ્યા સુધીમાં અમે 143 પૈકી 72 એ-વન ગ્રેડર્સનો શોધી શક્યા છીએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now