CIA ALERT

Blog - Page 683 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 3, 2018
1min15090

બોલીવુડના એક સમયના સુપરસ્ટાર, પોસ્ટર બોય અને એ પછી એંગ્રીયંગમેન બનેલા સંજયદતની બાયોપિક ફિલ્મ સંજુએ કમાણીના બધા રેકોર્ડ તોડી પાડ્યા છે. સંજુએ બાહુબલી-2નો ઓપનિંગ વીક એન્ડ બિઝનેસ પણ રેકોર્ડ બ્રેક કરી દીધો છે.

‘સંજુ’એ બોલિવૂડની મૂવી દ્વારા એક દિવસમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેલુગુ ડ્રામા ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’ના હિન્દી વર્ઝનને પણ એણે પછાડી છે. ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’એ એક દિવસમાં 46.50 કરોડની કમાણી કરી હતી.

બોલિવૂડમાં ખાન્સ (શાહરુખ, સલમાન અને આમિર) બોક્સ-ઓફિસના કિંગ ગણાય છે. કેમ કે, તેમની અનેક ફિલ્મ્સે પહેલાં વીકેન્ડમાં જ શાનદાર કમાણી કરાવી આપી છે. શાહિદ કપૂર અને રણવીર સિંઘની ‘પદ્માવત’એ પહેલાં વીકેન્ડમાં સદી ફટકાર્યા બાદ હવે રણબીર કપૂરે પણ આ અચિવમેન્ટ મેળવી છે.

જોકે, રણબીરની લેટેસ્ટ ફિલ્મ ‘સંજુ’એ સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘પદ્માવત’ને પાછળ છોડી દીધી હતી. ‘સંજુ’ ફિલ્મે પહેલાં બે દિવસમાં 73 કરોડથી વધુ કમાણી કરી હતી. જોકે, રવિવારે તો એણે 46.71 કરોડની કમાણી કરી હતી.

‘‘સંજુ’એ ઇતિહાસ રચી દીધો. કોઈ પણ હિન્દી ફિલ્મ દ્વારા એક દિવસમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ રચ્યો. ‘બાહુબલી 2′ દ્વારા સર્જવામાં આવેલો રેકોર્ડ તોડ્યો. ‘બાહુબલી 2’એ ત્રીજા દિવસે 46.50 કરોડની કમાણી કરી હતી. જોકે, ‘સંજુ’એ એનાથી વધારે ત્રીજા દિવસે 46.71 કરોડની કમાણી કરી હતી. ‘સંજૂ’ ફિલ્મને માઉથ પબ્લિસિટીથી ખાસ લાભ થઈ રહ્યો છે.

July 3, 2018
sapt1-1280x720.jpg
1min29320

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો લોકો જેના દર્શને જાય છે એ મહારાષ્ટ્રના નાસિક નજીક વણી ખાતે આવેલા સપ્તશૃંગી માતાના મંદિર પહોંચવા માટે ફ્યુનિક્યુલર રોપ-વેની સુવિધા કાર્યાન્વિત કરી દેવામાં આવી છે.

દેશની જાણીતી શક્તિપીઠ પૈકીના અને મહારાષ્ટ્રમાં નાસિક નજીક વણી ખાતે ગઢ પર આવેલા સપ્તશ્રૃંગી મંદિર પર દેશની પહેલી ફ્યુનિક્યુલર ટ્રોલીનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ટ્રોલીને કારણે મહિલા, દિવ્યાંગ અને વૃદ્ધ ભાવિકોને મંદિર સુધી સરળતાથી પહોંચવામાં મદદ મળશે.

રાજ્ય સરકારના આદિવાસી વિભાગ અને જાહેર બાંધકામ ખાતાના માધ્યમથી આ ટ્રોલીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. દેશમાં પહેલીવાર જ આવા સ્વરૂપનો રોપ વે બનાવવામાં આવ્યો હોવાનો સરકારનો દાવો છે. રશિયન ટેકનોલોજીની મદદ લઇને રોપ વે બનાવવામાં આવ્યો છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ યોજના પર કામ કરવામાં આવ્યું છે. મેટ્રોની જેમ ડબાની રચના કરવામાં આવી છે. એક જ ફેરીમાં 60 જણ આ ટ્રોલીમાં પ્રવાસ કરી શકશે.

સપ્તશ્રૃંગી ગઢ સમુદ્રની સપાટીથી 12,000 મીટર ઊંચાઇ પર છે, 40 અંશે રોપ વે બાંધવામાં આવ્યો છે. રોપ વેની લંબાઇ 167 મીટર, જ્યારે ઊંચાઇ 100 મીટર છે. સપ્તશ્રૃંગી ગઢને 550 સીડી હોવાથી દેવીના દર્શન કરવા માટે મહિલા વરિષ્ઠ નાગરિકને અગાઉ દોઢથી બે કલાક સમય લાગતો હતો, હવે માત્ર દોઢ મિનિટમાં ભકત મંદિર સુધી પહોંચી શકશે.

ટ્રોલીમાં કુલ નવ બ્રેક બેસાડવામાં આવ્યા છે, તેથી જ બે-ત્રણ બ્રેક ફેલ થઇ જાય તો પણ બાકી બચેલી બ્રેકથી કામ થઇ શકે. એક રોપને સર્પોટ કરવા માટે વધુ એક રોપ નાખવામાં આવ્યો છે. ટેકનિકલ ખામી સર્જાતા સિક્યોરિટી અલાર્મ વાગશે.

મુખ્ય પ્રધાન પાસે સમયનો અભાવ હોવાથી છેલ્લા છ મહિનાથી ટ્રોલીનું લોકાપર્ણ રખડ્યું હતું.

July 3, 2018
1min13950

ગુજરાતમાં દારૂબંધી હોવાથી યુવાનો હવે કફ સિરપથી નશો કરવાના વ્યસની બનતા જાય છે. નશાની ચીજવસ્તુઓ ના મળતાં વિવિધ પદ્ધતિ દ્વારા નશો કરવાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. હવે યુવાધને દવાની દુકાને આસાનીથી મળી જતી કફ સિરપ અને દવાઓથી નશો કરવા માટેનો રસ્તો અપનાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

એનસીબી (નાકોર્ટિક્સ કંટ્રોલ બ્યૂરો) અને એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ)ની ટીમે દવાની દુકાનોમાં આસાનીથી વેચાતી કફ સિરપનો જથ્થો અમદાવાદ, સાણંદ અને પાટણથી જપ્ત કર્યો છે. એનસીબીની ટીમે 46 લાખ રૂપિયાની 42 હજાર કફ સિરપની બોટલો જપ્ત કરી છે, જેમાં અફીણનું પ્રમાણ વધારે છે, જેનો યુવાધન નશા માટે ઉપયોગ કરતા હતા.

એનસીબી અને એફડીએને છેલ્લા બે દિવસમાં કફ સિરપનો મોટો જથ્થો અમદાવાદ, પાટણ અને સાણંદ જિલ્લામાં હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે બન્ને એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને અમદાવાદ અને પાટણથી 46 લાખની 42 હજાર કફ સિરપની બોટલ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

July 3, 2018
kuvar3.jpg
1min14620

ગુજરાત કોંગ્રેસના  િદગ્ગજ નેતા,  સૌરાષ્ટ્રના આગેવાન ગણાતા કુંવરજી બાવળિયાએ આજે લાંબા સમયની અટકળોને સાચી પાડતા કોંગ્રેસને ત્યાગપત્ર આપી દીધું છે. આજે ને આજે જ તેઓ ભાજપમાં જોડાઇ જશે. કુંવરજી બાવળિયાને રાજ્ય સરકારમાં તરત જ મંત્રી પદું આપી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવાય રહી છે.

લાંબા સમયથી કોંગ્રેસની ટોચની નેતાગીરીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અને પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાવળિયાએ મંગળવારે સવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવાસ સ્થાને વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસમાંથી નારાજ બાવળિયા ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીત વાઘાણી સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ કુંવરજી બાવળિયાને કેબિનેટ કક્ષાનો પોર્ટફોલિયો સોંપાઈ શકે છે. પાણી પુરવઠા અને શિક્ષણમાંથી કોઈ એક ખાતાની જવાબદારી તેમને સોંપવામાં આવી શકે છે.

July 3, 2018
a1.jpg
1min14280

મુંબઇમાં ભારે વરસાદના કારણે અંધેરી સ્ટેશને અંધેરી ઇસ્ટ અને અંધેરી વેસ્ટને એકબીજા સાથે જોડતા ગોખલે ફૂટ ઓવર બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો છે. આ અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેનોની અવરજવર ઠપ થઇ છે. આજે અંધેરી વિસ્તારથી લોકલ ટ્રેનોની અવરજવર અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે, ઘટના સ્થળેથી કાટમાળ ખસેડીને ટ્રેનોની અવરજવર ઝડપભેર શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઘટનાને પગલે ધસી પડેલા કાટમાળમાં સદનસીબે કોઇ દબાયું ન હોવાના અહેવાલો વચ્ચે મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે બ્રિજ તૂટ્યા બાદ ટ્રાફિકને રોકી દેવાયો છે. મુંબઇ પોલીસની ટ્વિટમાં કહ્યું છે કે અંધેરી ઇસ્ટ અને વેસ્ટને જોડતા ગોખલે બ્રિજનો હિસ્સો તૂટી ટ્રેક પર પડતા ઓવરેહડ (ઓએચઇ) વાયરોને પણ નુકસાન પહોંચ્યું છે. વેસ્ટર્ન લાઇન પર ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. બીએમસી, ફાયર બ્રિગેડ સિવાય, આરપીએફના કર્મચારીઓ સ્થળ પર મદદ માટે હાજર છે. ઓવર બ્રિજની ઉપર અને નીચે અવરજવરને રોકી દેવાઇ છે.

ટ્રેક પર તૂટી પડ્યો બ્રિજનો હિસ્સો

મંગળવારે સવારે 7.30 વાગ્યે અંધેરી સ્ટેશન પર એક રોડ ઓવર બ્રિજનો હિસ્સો તૂટતા પશ્ચિમ રેલવે પર લોકલ સેવા ઠપ થઇ છે. આ બ્રિજ અંધેરી સ્ટેશનના દક્ષિણમાં આવેલું છે અને બ્રિજ પૂર્વથી પશ્ચિમની તરફના રસ્તા પરિવહનને જોડે છે. જાણવા મળ્યું છે કે બ્રિજનો હિસ્સો ટ્રેક પર પડ્યો અને તમામ 6 લાઇનના ઓએચઇ વાયર તૂટી ગયા છે. વેસ્ટર્ન રેલવે દ્વારા પણ ટ્વિટ કરી આ અંગેની માહિતી આપવામાં આવી છે.

July 3, 2018
1min13790

વીમા કંપનીઓ કોઈ પણ સંજોગોમાં કરાયેલા દાવાઓને નકારી શકે નહીં. આ એક એવો કિસ્સો છે જેમાં વીમા કંપનીએ દાવાની રકમ ન ચૂકવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.

કેસ સ્ટડી: ઈન્ડિયન ઓઈલ કોર્પોેરેશન (આઈઓસી) સાથે શિવશક્તિ કેરિયર્સ નોંધાયેલી ટ્રાન્સપોર્ટ કંપની હતી. તેણે એક ટેન્કરના માલિક સંજય અગ્રવાલ સાથે ટેન્કર ભાડે લેવાનો લાંબાગાળા સુધીનો કોન્ટ્રેક્ટ કર્યો હતો. ત્યાર બાદ શિવશક્તિએ ભાડે લીધેલા ટેન્કરનો ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ પાસે રૂપિયા પાંચ લાખનો વીમો કઢાવ્યો હતો જેની ર0-02-2009થી 19-02-2010 સુધીની પોલિસી હતી.

ર3-07-2009ના રોજ, જ્યારે એ ટેન્કર 12 હજાર લિટર્સ ડિઝલ ભરીને ગૌહાતિમાં બેટકુચીથી મીસામારી ખાતે આવેલા આઈઓસીના ડેપો તરફ જઈ રહ્યું હતું ત્યારે ધુલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા થેકરાબારી ખાતે તેને અકસ્માત નડ્યો હતો. ટેન્કરમાં ભરેલો સંપૂર્ણ જથ્થો રોડ પર ઢોળાઈ ગયો હતો. પોલીસ ફરિયાદ કરવામાં આવી અને વીમા કંપનીને તે અંગે જાણ કરવામાં આવી. રૂ. 4 લાખ બે હજાર 120નો દાવો રજૂ કરવામાં આવ્યો.

દરમિયાન આઈઓસીએ પોતાનું નુકસાન શિવશક્તિ કેરિયર્સ પાસેથી વસૂલ કરી લીધું. તેમ છતાં વીમા કંપની એ દાવો તેણે આપેલી પોલિસી મુજબ મંજૂર ન કર્યો. વીમા કંપનીએ અકસ્માતની તારીખમાં ફરક આવતો હોવાનું જણાવી એ દાવો નકારી દીધો. જ્યારે વીમા ધારકે જણાવ્યું હતું કે, અકસ્માત ર1-07-09ના રોજ થયો હતો, પણ પોલીસે એ ર3-07-2009ના રોજ બનાવની નોંધ કરી હતી.

ત્યાર બાદ શિવશક્તિ કેરિયર્સે એ નકારાયેલા દાવાને કામરૂપ ડિસ્ટ્રિક્ટ ફોરમમાં પડકાર્યો હતો. વીમા કંપનીએ કેસ લડી હતી, અને તેણે, દાવાને નકારવામાં કંઈ ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું હતું. સાક્ષીઓના પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી ફોરમે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીને, દાવાની રકમ રૂ. 4 લાખ બે હજાર 120 ઉપરાંત એ રકમ પર ફરિયાદની તારીખથી 12 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એ ઉપરાંત રૂ. પાંચ હજાર વળતર પેટે અને રૂ. 10 હજાર દાવાના ખર્ચ પેટે ચૂકવવાનું જણાવ્યું હતું. અને તેના માટે ફોરમે બે મહિનાની મુદત આપી હતી. જો તેમાં વિલંબ થાય તો વળતર અને દાવાના ખર્ચની રકમ પર પણ 12 ટકા વ્યાજ ચૂકવવાનું પણ ફરમાવ્યું હતું.

ન્યૂ ઈન્ડિયાએ ફોરમના આદેશને આસામ સ્ટેટ કમિશન સમક્ષ પડકાર્યો હતો. કમિશને શિવશક્તિ કેરિઅર્સના નિવેદક તરીકે ત્રિભોવન ગૌરનું નામ હોવાનું જોવા મળ્યું હતું, જ્યારે શિવશક્તિના પ્રોપરાઈટર શિવ ચંદ્રગૌર હોવાથી એ દસ્તાવેજ વિવાદાસ્પદ હોવાનું નોંધ્યું હતું. એ દસ્તાવેજ વિશ્ર્વસનીય ન હોવાનું કમિશને નિરીક્ષણ કર્યું હતું.

કમિશને એવું સૂચવ્યું હતું કે, જો વીમા કંપનીને એમ લાગ્યું હતું કે, દાવો છેતરપિંડી ભર્યો છે તો તેણે વીમા ધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી જોઈતી હતી, પણ એવું કરવામાં આવ્યું નથી. કમિશને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, અકસ્માત થયો હોવાની વાત સાચી છે, કારણ કે આઈઓસી એ ટ્રાન્સપોર્ટર પાસેથી નુકસાનીની વસૂલાત કરી લીધી છે.

વીમા કંપનીની અપીલ કાઢી નાખતાં કમિશને એવું પણ નિરીક્ષણ કર્યું હતું કે, ન્યૂ ઈન્ડિયાએ દાવો ખોટો હોવાની અરજી કરી હતી કે ખરેખર તો જવાબદારી સામે આંખમિચામણાં કરવા સમાન હતી. એ દાવાની રકમ ચૂકવવા નહોતી માગતી. ન્યાયમૂર્તિ એ. હઝારિકા અને દિલીપ મહંતા તેમ જ રેણુ મહંતાની બનેલી બેંચે 8-05-2018ના રોજ આપેલા આદેશ દ્વારા ડિસ્ટ્રિક્ટ ફોરમના આદેશને માન્ય રાખ્યો હતો.

July 2, 2018
kala.jpg
1min17840

ગાયન, નૃત્ય, વાદન અને અભિનય સહિત ૨૩ કૃતિઓનો સમાવેશ થાય છેઃ 


સૂરતઃ સોમવારઃ- રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજયના સાંસ્કૃતિક વારસાનું જતન થાય કલા મહાકુંભ તા.૧૬/૭/૨૦૧૮ થી તા.૧૦/૯/૨૦૧૮ દરમિયાન તાલુકા/ ઝોન, જિલ્લા પ્રદેશકક્ષાથી રાજયકક્ષાએ યોજાનાર છે.

કલા મહાકુંભ-૨૦૧૮માં ૬ વર્ષથી ૧૪ વર્ષ, ૧૪ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરની વયજુથના રમતવીરો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કલાકારોએ પ્રવેશપત્ર www.kalamahakumbh.com ઓનલાઈન/ઓફલાઈન તા.૧૫/૭/૨૦૧૮ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. કલામહાકુંભમાં ગાયન, નૃત્ય, વાદન, અભિનય સહિત ૧૬ કૃતિઓ ઉપરાંત અન્ય ૭ કૃતિઓનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે જિ્લલા રમતગમત અધિકારીની કચેરી, જુની કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા ખાતે સંપર્ક સાધવાનો રહેશે.

July 2, 2018
gstreal1.jpg
1min13740

જયેશ બ્રહ્મભટ્ટ

ઉદ્યોગ પર જી.એસ.ટી. ની અસર પ્રારંભિક તબક્કામાં જોવા મળી હતી. અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ૧૨ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં જીએસટી લાગુ થયા પછી ઉદ્યોગમાં ખરીદનારાઓની સંખ્યા ઘટી ગઈ હતી. પરંતુ હવે બિલ્ડર્સ અને ડેવલપર્સે પોતાને બુકિંગ સાથે પેમેન્ટ મળે તેમજ ગ્રાહકોને જીએસટીમાંથી મુક્તિ મળે તે માટે અવનવા કીમિયા શોધી કાઢ્યા છે.

બાંધકામ ઉદ્યોગમાં જી.એસ.ટી. કેવી રીતે લાગૂ થાય છે

બાંધકામ ઉદ્યોગમાં ફક્ત અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર 12 ટકા જી.એસ.ટી. લાગૂ થાય છે. જ્યારે 60 ચો.મી. સુધીના બાંધકામ પર 8 ટકા જીએસટી લાગૂ પડે છે. પૂર્ણ થઇ ગયેલા પ્રોજેક્ટ પર કોઇ જીએસટી લાગૂ થતો નથી. આમ બિલ્ડર્સ અને ઓર્ગેનાઇઝર્સ કમ્પ્લિટ પ્રોજેક્ટસ પર નીલ જીએસટીની જોગવાઇનો બરાબર ફાયદો મળે અને ગ્રાહકને પણ 12 ટકા જીએસટીમાંથી મુક્તિ મળે તે રીતે જુદા જુદા કિમીયાઓ અપનાવી રહ્યાની વિગતો માર્કેટમાંથી મળી રહી છે.

હોમબાયર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટની જોગવાઇ છે જ પણ સ્પષ્ટતાના અભાવે જીએસટી મુક્તિના કિમીયાઓ સારા લાગી રહ્યા છે

ડેવલપર્સ અને મિલક્ત ખરીદનારાઓ માટે જીએસટીને ટેક્સ-તટસ્થ દરખાસ્ત માનવામાં આવે છે, જેમાં હોમ-બૉયર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાભો પાસ કરવાની જોગવાઇ જીએસટીના કાયદામાં ઉપલબ્ધ છે જ. જો કે, આ લાભની રકમ કેટલી અને ક્યારે આપવી તે અંગેની ટાઇમલાઇન અંગેની સ્પષ્ટતાના અભાવથીને કારણે જીએસટીને ટાળવા માટેનાં રસ્તાઓ અને માધ્યમો શોધી કાઢવામાં આવ્યા હોવાનું જણાય આવે છે.

કિમીયો નં.1

હાલમાં માર્કેટમાં પ્રચલિત કેટલાક કિમીયાઓ અંગે એવી વિગતો મળે છે કે અન્ડર કન્સ્ટ્રક્શન હોય તેવા પ્રોજેક્ટ જો ખરીદનાર બુકિંગ કરાવે તો તેમની ની રકમ ને લોન સ્વીકારીને બિલ્ડર બુકિંગ કન્ફર્મ કરી દે છે. બાદમાં જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય અને સંબંધિત ઓથોરિટી તરફથી બિલ્ડીંગ યુઝ પરમિશન મળી જાય એ પછી પ્રોજેક્ટ બુકિંગ પેટે લીધેલી અને લોન પેટે બતાવેલી કરાવનાર ગ્રાહકને વ્યાજ સહિત કરે છે, અને એ જ રકમ પ્રોજેક્ટ ખરીદીની ચુકવણી પેટે બિલ્ડરને આપી દે છે. આવી સ્થિતિને કારણે ને 12 ટકા જી એસ ટી ની રકમ ભરવામાંથી ગ્રાહકને મુક્તિ મળી જાય છે કેમકે જીએસટી કમ્પ્લિટ થયેલા પ્રોજેક્ટ પર લાગુ પડતો નથી. 12% જી.એસ.ટી નો નો અમલ ફક્ત અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે.

કિમીયો નં.2

આ તો થઈ એક છટકબારી બીજી છટકબારી એ પણ છે કે હાલમાં બંધાઈ રહેલા પ્રોજેક્ટમાં ગ્રાહક ખરીદી કરવાનું ફાઇનલ કરે ત્યારે ગ્રાહકની પસંદગીનું મકાન, ફ્લેટ કે દુકાન બિલ્ડર્સ દ્વારા બ્લોક કરી દેવામાં આવે એના બુકિંગ પેટે અને ડેવલોપર વચ્ચે ખાનગીમાં એગ્રિમેન્ટ તેમજ રોકડિયા વ્યવહાર થાય અને જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય અને બિલ્ડીંગ યુઝ પરમિશન મળ્યા પછી ગ્રાહક વ્હાઇટમાં પૂરેપૂરી રકમની ચુકવણી કરી દે છે. આના કારણે ગ્રાહકને 12% જી.એસ.ટી.માથી મુક્તિ મળી જાય છે. કેમકે પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટ પર જીએસટી લાગુ પડતો નથી.

જોકે બિલ્ડરો અને ડેવલોપર આવી સવલત ફક્ત તેમના નજીકના કે ઓળખીતા  આપે છે કારણકે બિલ્ડર્સને લાંબા ગાળે નુકસાન થવાની પૂરેપૂરી રહેલી છે.

કિમીયો નં.3

કેટલાક બિલ્ડર્સ પોતાના પ્રોજેક્ટમાં ખરીદી કરવા માંગતા ગ્રાહકોને એવી પણ ઓફર આપે છે કે તેમને જીએસટી લાગૂ નહીં થાય. કેમકે બિલ્ડર્સ ગ્રાહક વતી જીએસટીની રકમ ચૂકવવાની જવાબદારી પોતાના શિરે જ ઉઠાવી લે છે. તેઓ ગ્રાહકોને જે તે ખરીદીની એક બોક્સ અમાઉન્ટ એટલે કે લમસમ રકમ જ ઓફર કરે છે અને બોક્સ પ્રાઇસ પર જ સોદો કરી નાંખે છે. આવો માર્ગ અપનાવીને બિલ્ડર્સ ગ્રાહકનું બુકિંગ અને બુકિંગ અમાઉન્ટ પણ લઇ શકે છે. બિલ્ડર્સને આવા મામલામાં 7 ટકા જીએસટીની રકમ ભરવાની જવાબદારી ઉઠાવવી પડે છ ેજે લમસમ બોક્સ પ્રાઇસમાં પહેલેથી જ અામેજ કરી દીધેલી હોય છે.

July 2, 2018
paris1.jpg
1min14860

વિશ્વભરમાં કોઇ એવો દેશ નથી જેની જેલને સલામત કહી શકાય. ગુનેગારો વિવિધ જેલોની સલામતિ વ્યવસ્થાના લિરેલીરાં ઉડાડીને ફરાર થઇ જ જાય છે. તાજેતરમાં ફ્રાન્સના પેરિસની સૌથી સલામત ગણાતી જેલમાંથી એક અત્યંત રીઢો ગુનેગાર અન્ય ત્રણ કેદીઓને લઇને ભાગી જવામાં સફળ રહ્યો છે. કોઇ બોલિવુડની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી સ્ટોરીમાં આરોપી જેલમાંથી હેલિકોપ્ટર દ્વારા ભાગી છુટવામાં સફળ નિવડ્યો છે અને પોલીસને એ હેલિકોપ્ટર ફ્રાન્સના અન્ય શહેરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. ફ્રાન્સ પોલીસ માટે આ સૌથી મોટી નાલેષીજનક ઘટના લેખાવાય રહી છે.

 

paris

રેડોઇન ફૈડ આ પહેલાં પણ એક વાર જેલ તોડીને નાસી ગયો હતો. ૨૦૧૩માં ફ્રાન્સના એક જેલમાં વિસ્ફોટ કરીને તે નાસી ગયો હતો. અગાઉ દસેક વર્ષ જેલમાં પસાર કર્યા પછી રેડોઇન ફૈડને છોડવામાં આવ્યો હતો. ફૈડે ગુનાહિત ભૂતકાળ માટે ખેદ વ્યક્ત કરવા ઉપરાંત માફી માગીને નવી જિંદગી શરૂ કરવાનો નર્ધિાર પરોલ અધિકારીઓ સમક્ષ દર્શાવ્યો હતો.

paris1

(જે હેલિકોપ્ટરમાં જેલ તોડીને ગુનેગારો ભાગ્યા તે બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું)

ફ્રાન્સના પાટનગર પૅરિસના ઉપનગરની જેલમાંથી ૪૬ વર્ષનો રીઢો ચોર રેડોઇન ફૈડ 30મી જુનના રોજ હેલિકૉપ્ટરમાં રફુચક્કર થઈ ગયો હતો. ચોર નાસી જવાની ઘટનાના થોડા વખત પછી પૅરિસના અન્ય ઉપનગરમાંથી આ હેલિકૉપ્ટર મળી આવ્યું હતું. પોલીસ આખા પૅરિસ શહેરમાં નાસી ગયેલા ચોર રેડોઇન ફૈડની શોધ ચલાવી રહી છે. એક સમયનો ફ્રાન્સનો તે મોસ્ટ વૉન્ટેડ અપરાધી હતો. તેની સાથે અન્ય ત્રણ કેદીઓ પણ નાસી ગયા છે. પોલીસે કહ્યું હતું કે ભારે શસ્ત્રધારી લોકોએ તેને ભાગવામાં મદદ કરી હતી.

૨૦૧૦ના મે મહિનામાં કરવામાં આવેલી સશસ્ત્ર લૂંટના કેસમાં ગયા એપ્રિલ મહિનામાં અપીલ્સ કોર્ટે રેડોઇન ફૈડને પચીસ વર્ષની કેદની સજા કરી હતી. એ લૂંટ દરમ્યાનના ગોળીબારમાં એક મહિલા પોલીસનું મૃત્યુ થયું હતું. આ ગુના માટે તે અત્યારે સજા ભોગવી રહ્યો હતો. ફૈડ કેટલાક ટીવી-પ્રોગ્રામ્સમાં પણ ભાગ લઈ ચૂક્યો છે. રેડોઇન ફૈડ પોતાની ગુનાહિત જુવાની તથા અપરાધીરૂપે ઉછેર વિશેનાં બે પુસ્તકોનો સહલેખક પણ છે. ફૈડે ગુનાહિત જીવનની પ્રેરણા ‘સ્કારફેસ’ અને ‘હીટ’ જેવી અમેરિકન ફિલ્મો દ્વારા મળી હોવાનું જણાવ્યું હતું.