CIA ALERT

Blog - Page 665 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 7, 2018
narmada.jpg
1min5380

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની સપાટી સતત ઘટી રહી છે. હાલ સરદાર ડેમની સપાટી 111.07 મીટર છે. રવિવારે ડેમની સપાટી 111.17 મીટર હતી. ડેમમાં પાણીની આવક કરતા જાવક બમણી હોવાને કારણે સપાટી સતત ઘટી રહી છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાત પર વધુ એક વર્ષ જળસંકટ સર્જાઇ શકે છે. નર્મદા ડેમની સપાટી ઘટીને 111.07 મીટર થઇ છે. પાણીની આવક કરતા જાવક બમણી થઇ છે.

બીજી બાજુ વરસાદ ખેંચાતા રાજ્યમાં દુષ્કાળનું સંકટ તોળાઇ રહ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયો તળિયા ઝાટક થયા છે. રાજ્યમાં સીઝનનો માત્ર 54.61 ટકા જ વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતમાં જળસંકટનો ભય વ્યાપી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ પાણીની અછતથી ખેડૂતો ચિંતિત છે. નર્મદા ડેમમાં પણ અઠવાડિયું ચાલે તેટલુ પાણી રહ્યું છે. કચ્છના 20 જળાશયોમાં માત્ર 9.69 ટકા જ પાણી બચ્યું છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 10 સે.મી.નો ઘટાડો નોંધાયો છે. હાલ ડેમમાં લાઇવ સ્ટોકનો માત્ર 57 જથ્થો ઉપલબ્ધ છે. આ પ્રમાણે જ રહ્યું તો લાઇવ સ્ટોકનું પાણી પૂરું થઇ જશે અને સાર મહિનામાં બીજી વાર ડેડ સ્ટોકનું પાણી વાપરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. જેથી સિંચાઇનું પાણી આપી નહીં શકાય. ઈન્દિરાસાગર ડેમ પણ હજુ 10 મીટર ખાલી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાય તો જ સરદાર સરોવરને પાણી મળી શકે તેમ છે.

નર્મદા નદી પરના અન્ય ડેમની સ્થિતિના અન્ય ડેમો ની જળસપાટી પર નજર નાખીએ તો, બર્ગી ડેમ બે મીટર ખાલી (પાણીનો જથ્થો- 2604 એમસીએમ), તવા ડેમ 8 મીટર ખાલી (પાણીનો જથ્થો- 733 એમસીએમ), ઈન્દિરાસાગર 10 મીટર ખાલી (પાણીનો જથ્થો- 3357 એમસીએમ), ઓમકારેશ્ર્વર 4 મીટર ખાલી, મંડલેશ્ર્વર- 18 મીટર ખાલી, હોશંગાબાદ 8 મીટર ખાલી, બર્મનઘાટ 13 મીટર ખાલી અને ગુજરાતનો સરદાર સરોવર ડેમ સરદાર સરોવર 27 મીટર ખાલી (પાણીનો જથ્થો- 57 એમસીએમ) રહ્યો છે.

August 7, 2018
m2.jpg
1min14150

ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલી લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ પ્રકાશમાં આવ્યા બાદ મગફળીના મેગા કૌભાંડથી રાજકારણ ગરમાયું છે. સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદીમાં આરોપો મુકવામાં આવ્યા છે. જેના પર ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. જેને લઈ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને ખાતે બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આ બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક સચિવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Peanut

રાજ્યમાં મગફળી કૌભાંડ ઠરવાનું નામ ના લેતું હોય તેમ એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. આ પ્રકરણમાં રાજકીય નેતાઓની સંડોવણી પણ બહાર આવી રહી છે. જોકે, સમગ્ર પ્રકરણમાં હજુ સુધી ઉપરછલ્લી જ તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયાનું નામ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટા ભાગે ભાજપના કાર્યકરો, આગેવાનો, અને નેતાઓ સંડોવાયેલા હોવાથી આજ દિવસ સુધી આ કૌભાંડની વધારે વિગતો બહાર નથી આવી. જામજોધપુર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા પથ્થરા, મળી આવ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી. દરમિયાન માહિતી અનુસાર જામજોધપુર માર્કેટિંંગ યાર્ડમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર, યાર્ડના સેક્રેટરી અને તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં મગફળીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને હલકી ગુણવતા વાળો માલ મળી આવ્યો હતો. જેની તપાસમાં 25 કિલોની મગફળીની સરખામણીમાં 26 કિલો ગ્રામના માલમાં ધૂળ અને કાંકરા મળી આવ્યા હતા. ચિમન સાપરિયાએ લાખો રૂપિયાની મગફળી વેચી હતી જેમાં ભેળસેળની વ્યાપક ફરિયાદ થઈ હોવાથી સ્થાનિક ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરતા ફરીથી તપાસ કરવામાં આવી છે.

August 6, 2018
v1.jpg
1min6910

❏ ચકલાસીનો દિવ્યાંગ અશ્વિન વાઘેલા મહાપૂજા કરાવીને ધન્ય બને છે…..!!

DOSTI—-” જબ કોઇ રાહ ન પાયે મેરે સંગ આયે કે પગ પગ દીપ ઝલાયે; મેરી દોસ્તી મેરા પ્યાર…!! ”

વડતાલથી નજીક આવેલ ચકલાસી ગામના બે યુવા હરિભક્ત મિત્રોની મૈત્રી સહુકોઇ માટે પ્રેરણારૂપ છે અને આ અતૂટ દોસ્તી વડતાલમાં બિરાજમાન પ્રતાપી દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના આસન સુધી આસાનીથી મહાપૂજા અર્થે દોરી લાવે છે…! બે મિત્રોમાં અશ્વિન રમેશભાઈ વાઘેલા છેલ્લા બાર વર્ષથી બંને પગે પરાધિન–દિવ્યાંગ છે અને તેને હૈયે શ્રધ્ધાભક્તિનો દીપ જલતો રહે છે અને એ શ્રધ્ધાને સહારે અને મિત્ર મહેશ વાઘેલાની મદદથી તે વડતાલધામમાં ગોપાળાનંદ સ્વામીના સિંહાસને વ્હીલચેરમાં આવી વ્હીલચેરમાં બેસી સુખશાંતિ અર્થે મહાપૂજા કરાવે છે ત્યારે તે જોઇ દર્શનાર્થિઓ અને પૂજાવિધિ કરાવનાર ભૂદેવનું હ્રદય પણ પીગળી જાય છે.! અશ્વિન પગે સાવ પરાધિન હોવાથી તેને તેનો મિત્ર મહેશ ગોટાભાઇ વાઘેલા વડતાલ દર્શને લાવવાની તથા તેને બાળકની જેમ ઊંચકીને હરવા ફરવા લઇ જવાની બધી જ મદદ કરે છે અને દોસ્તી નિભાવે છે..!! મહેશ કહે છે કે આ દોસ્તી સૂતરના કાચા તાતણાની નથી પણ પાકી હીરને દોરે ગૂંથાયેલી દોસ્તી છેઃ અશ્વિન—મહેશની દોસ્તી સહુને માટે પ્રેરણારૂપ છે એટલે તો—— ” મેરી દોસ્તી મેરા પ્યાર….! ”

@ વૃતાંત પ્રેરક Associate પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી વડતાલ સંસ્થાન

❏ અહેવાલ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર વડતાલ સેન્ટર આણંદ

August 6, 2018
abhay.jpg
2min13200

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત ની મહિલાઓ માતાઓ બહેનો ઝડપી અને સચોટ તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ 181 અભયમ મોબાઈલ એપ નું લોન્ચિંગ કર્યું છે.
રાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ મુસીબત માં મહિલાઓ ને ગણતરી ની પળો માં જ મદદ પુરી પાડવા માં આ એપ્લિકેશન સહાયક બનશે.
આ એપ સ્માર્ટ ફોન માં ગૂગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ ઓ એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
રાજ્ય સરકાર ના મહિલા બાળ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ 181 અભયમ મોબાઈલ એપ જીવીકે ઈ એમ આર આઈ ના સહયોગ થી વિકસાવવામાં આવી છે.

Image may contain: 3 people, people standing

Image may contain: 4 people, people standing and indoor
Image may contain: 11 people, people standing and indoor
Image may contain: 1 person, sitting, table and indoor
August 6, 2018
kanta.jpg
3min11270

ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામે કપિલ મુનિના આશ્રમમાં બાણ મારીને જે કુંડ બનાવ્યો તે આજે પણ મંદિરના પરિસરમાં હયાત છે.
—————–
કાંટાવાળી ઝાડીઓ (કાંતાર)માં મંદિર સ્થપાયું હોવાથી નામ પડયું ‘‘કાંતારેશ્વર મહાદેવ’’

સુરત, બુધવાર: સૂર્યપુત્રી તાપીના કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક સ્થાપત્યો, મંદિરો અને ઐતિહાસિક ધરોહરનો ઉજળો ઈતિહાસ ધરાવે છે. દેવોના દેવ મહાદેવની આરાધનાના પર્વ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવતા ‘‘કાંતારેશ્વર મહાદેવ’’ મંદિરમાં શિવભકતોનો મહેરામણ ઉમટે છે. મંદિરનું પ્રાચીન સ્થાપત્ય, શિવલિંગ, જલકુંડ અને નંદી અહીંયા વર્ષોથી આજ સ્થિતિમાં બિરાજીત છે.
કાંતારેશ્વર મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ શિવભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. બિલી પત્ર, પુષ્પ, દૂધ અને શુદ્ધ જળથી દેવાધીદેવ મહાદેવના શિવલિંગ પર અભિષેક કરવા માટે ભકતો લાંબી કતાર લગાવી રહ્યા છે.
સૂરત શહેરના કતારગામ સ્થિત ‘‘કાંતારેશ્વર મહાદેવ’’ મંદિર સાથે અનેક ઐતિહાસિક અને રોચક પુરાતન ગાથા જોડાયેલી છે. જે મુજબ પ્રાચીન સુર્યપુર અને આજની સુરત નગરી જળપ્રલયમાં સંપૂર્ણપણે ડૂબી જતા ધરતી પેટાળમાં સમાઈ ગઈ હતી. તાપી નદીનું વહેણ બદલાતા તે પોતાના માર્ગથી ફંટાઈને વહેવા લાગી. નદીના માર્ગમાં કાંટાવાળી ઝાડીઓ (કાંતાર) ઊગી નીકળી હતી. ભગવાન કપિલ મુનિએ કાંતારની ઝાડીમાં આશ્રમ બનાવ્યો હતો. આ સ્થળ પર રહીને કપિલ મુનિએ ભગવાન સૂર્યની કઠીન તપ દ્વારા આરાધના કરી હતી. મુનિના કઠિન તપથી પ્રસન્ન થઇ ભગવાન સૂર્ય નારાયણે કપિલ મુનિને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું હતું. કપિલ મુનિએ સૂર્યનારાયણને આશ્રમ પર જ નિવાસ કરવા માગણી કરી. પરંતુ સૂર્યએ પોતાની પ્રચંડ અગ્નિજ્વાળાથી આશ્રમ સહિત આ ધરતીલોક બળીને ભસ્મ થઇ જશે એમ કહી શંકર ભગવાનનું સ્મરણ કર્યું. અને મુનિના વરદાનની વાત વર્ણવી. ભગવાન શંકરે મુનિની માંગણીને વશ થઇ જે રીતે દેવો અને દાનવોના સમુદ્રમંથનથી પ્રાપ્ત થયેલા વિષને ગળામાં ધારણ કર્યું તે જ રીતે પ્રચંડ અગ્નિયુક્ત સૂર્યને પોતાના શરીરમાં સમાવીને આશ્રમ પર જ નિવાસ કર્યો હતો.
પુરાણોમાં ઉલ્લેખ છે કે આ મંદિરના સ્થળે કપિલ મુનિના આગ્રહથી બિરાજી સૂર્યને પોતાના શરીરમાં ધારણ કરતા ભગવાન શિવને ‘સૂર્ય રૂપમ મહેશ’ પણ કહેવાય છે. મુનિએ સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપ્યું. ગૌદાનથી આનંદિત થયેલા સૂર્યદેવે પોતાના તેજરુપી શિવલિંગને અહીં પ્રગટાવીને ભાદરવા વદ-૬ના દિવસે તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી. ‘તાપી પુરાણ’માં પણ આ ઘટનાનું તાદ્રશ્ય વર્ણન છે.
અન્ય માન્યતા અનુસાર રામાયણ કાળમાં ભગવાન રામ વનવાસ દરમ્યાન કાંતારની ઝાડીમાં આવેલા કપિલ મુનિના આશ્રમે પધાર્યા હોવાનું પણ કહેવાય છે. તે સમયે ઋષિઓએ શિતલ જલમાં સ્નાન કરી ભગવાન શિવને અભિષેક કરવાની ઈચ્છા દર્શાવતા તાપી નદીમાં પાણી ન હોવાથી ભગવાન રામે ધરતીમાં બાણ મારી જલધારા ઉત્પન્ન કરી હતી. ઋષિ મુનિઓએ સ્નાન કરી રામને આશીર્વાદ આપી સંતોષ વ્યક્ત કર્યો હતો. સમય જતા જલધારાના સ્થાને કુંડનું નિર્માણ થયું, જે ‘સૂર્ય કુંડ’ ના નામથી ઓળખાય છે. આજે પણ આ સૂર્ય કુંડ અસ્તિત્વ ધરાવે છે.
તાપીપુરાણમાં ભગવાન સૂર્યનારાયણે કાંતારેશ્વર મંદિરનું માહાત્મ્ય વર્ણવ્યું છે. સુરતના આ સૌથી પ્રાચીન મહાદેવ મંદિરની સ્થાપના સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં થયેલી હોવાની લોકમાન્યતા પ્રચલિત છે. કંતારેશ્વર મહાદેવ મહાદેવમાં સ્થાનિકોને અતૂટ શ્રદ્ધા છે. અહીં શ્રાવણ માસ અને મહાશિવરાત્રિમાં માનવ મહેરામણ ઉમટે છે.
કાંતારેશ્વર મહાદેવ મંદિરનો વર્ષ ૧૯૬૮માં કૈવલ્ય મહંત સ્વામી નૃસિંહગીરીએ જીર્ણોધ્ધાર કરાવીને સુંદર અને ભવ્ય મંદિર બનાવ્યું હતું. લોકવાયકા મુજબ કાંતારેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી જ આ વિસ્તારનું નામ કતારગામ પડ્યું હતું.
-૦૦-

Image may contain: sky and outdoor
Image may contain: sky and outdoor
No automatic alt text available.
Image may contain: outdoor
August 6, 2018
rakhi1.jpg
1min16960

ભારત દેશ પોતાની સંસ્કૃતિ તેમ જ અહીં ઊજવવામાં આવતા તહેવારો માટે જગતભરમાં પ્રખ્યાત છે.

rakhi

જોકે ભારતના બધા તહેવારોને આખી દુનિયાના લોકો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઊજવે છે, પરંતુ બહુ ઓછા લોકો એવા છે જેઓ આ તહેવાર ઊજવવા પાછળનાં રહસ્યો અથવા એની અંદર છુપાયેલા ગુહ્ય જ્ઞાન વિશે જાણતા હોય. શ્રાવણ સુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમના દિવસે ઊજવાતો રક્ષાબંધનનો તહેવાર એવો જ એક વિશિક્ટ તહેવાર છે જે યુગોથી ઊજવાય તો છે, પરંતુ એની પાછળ છુપાયેલા આધ્યાત્મિક રહસ્યને કોઈ નથી જાણતું. એ પહેલાં કે આપણે રક્ષાના આ મહાપવર્માં છુપાયેલા રહસ્ય વિશે સમજીએ, આપણા માટે એ જાણવું અતિઆવશ્યક છે કે મનુષ્યનું બધા પ્રકારે રક્ષણ કઈ રીતે અને કોના દ્વારા થઈ શકે છે અને બહેનો પોતાના ભાઈઓ તરફથી કયા પ્રકારનું રક્ષણ ઇચ્છે છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોવા જઈએ તો હાલમાં દરેક મનુષ્ય પાંચ પ્રકારની રક્ષા ઇચ્છે છે – તનની રક્ષા, ધર્મની રક્ષા, સતીત્વ અથવા પવિત્રતાની રક્ષા, કાલથી રક્ષા અને સાંસારિક આપત્તિઓ તેમ જ માયાનાં વિઘ્નોથી રક્ષા. હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે શું કોઈ પણ મનુષ્ય અન્ય મનુષ્યોની આ પાંચ પ્રકારે રક્ષા કરવા માટે સક્ષમ છે?

આપણે સૌ પોતાના તનની રક્ષા માટે આખી જિંદગી કંઈકેટલાય પ્રયત્નો કર્યા કરીએ છીએ, પરંતુ એમ છતાં અંતમાં આપણામાંથી કોઈ પણ મૃત્યુને હાથતાળી નથી આપી શકતો. એવી જ રીતે ઇતિહાસકારો મુજબ પ્રાચીનકાળમાં બહેનો તેમના ભાઈઓને એટલા માટે રાખડી બાંધતી હતી કે જો ક્યારેય સામા પક્ષનો દુશ્મન તેમના સતીત્વ પર આક્રમણ કરે તો ભાઈ તેમની રક્ષા કરે, પરંતુ આપણે સૌ એ જાણીએ છીએ કે મનુષ્ય કંઈ સવર્સતમર્થ તો છે નહીં અને આપણે સૌ આ હકીકતને પણ જાણીએ છીએ કે કેટલીયે બહેનો-માતાઓની લાજ ભૂતકાળમાં લડાયેલાં અસંખ્ય યુદ્ધોમાં લૂંટાઈ હશે માટે જ આપણે એ જાણવું અને સમજવું પડશે કે દુક્ટોથી પોતાની લાજની રક્ષા વાસ્તવમાં એકમાત્ર સર્વશક્તિમાન પરમપિતા પરમાત્મા જ કરી શકે છે, ન કે કોઈ દેહધારી. માટે જ તો આ કથા ખૂબ જાણીતી છે કે કૌરવસભામાં જ્યારે દ્રૌપદીનું વjાહરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે દ્રૌપદીએ પરમાત્માને જ તો મદદ માટે પોકાર્યા હતા, કારણ કે એ ઘડીએ તેના સતીત્વનું  રક્ષણ કોઈ પણ મિત્ર કે સંબંધી કરી નહોતા શક્યા. એટલા માટે જ તો આવી આપત્તિના સમયે લોકો પરમાત્માને પોકારીને કહેતા હોય છે કે ‘હે પ્રભુ, મારી લાજ રાખો. અમારા ધર્મની રક્ષા કરો ભગવાન.’

આ એક જાણીતી હકીકત છે કે જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. અર્થાત મનુષ્ય કાલને આધીન છે. એ સમજવા માટે સિકંદરનું ઉદાહરણ સવર્શ્રેતષ્ઠ છે. આપણે સૌ જાણીએ જ છીએ કે તેણે અનેક સૈનિકોને માર્યા હતા, પરંતુ તે પોતાની જાતને કાળથી બચાવી નહોતો શક્યો. માટે એક વાત તો નિશ્ચિત છે કે કાળના પંજામાંથી જો કોઈ આપણને બચાવી શકે તો એ એકમાત્ર પરમાત્મા જ છે જેમને કાલોં કા કાલ મહાકાલ, અમરનાથ, મહાકાલેશ્વર અથવા તો પ્રાણનાથ પણ કહેવામાં આવે છે. એટલા માટે તો મનુષ્યો મહામૃત્યુંજયનો પાઠ કરે છે. અર્થાત પરમાત્માના શરણમાં જવાની કામના કરે છે. એવી જ રીતે માયાનાં વિઘ્નો તેમ જ સાંસારિક આપત્તિઓથી પણ એક પરમાત્મા જ આપણને છોડાવે છે, ત્યારે જ તો તેમને સંકટમોચન, દુખભંજન અને સુખદાતા કહેવામાં આવે છે. હવે જો પરમાત્મા જ બધાની પાંચ પ્રકારે રક્ષા કરે છે તો પછી બહેનો ભાઈઓને રાખડી શા માટે બાંધે છે? અથવા બ્રાહ્મણ પણ રક્ષાસૂત્ર શા માટે બાંધે છે? આને સમજવા માટે આપણે એ જાણવું જરૂરી છે કે આ તહેવારને વિષ તોડક પર્વ અથવા પુણ્ય પ્રદાયક પર્વ પણ કહેવામાં આવે છે. આ નામો થકી એ સિદ્ધ થાય છે કે આ બંધન વિષય-વિકારને છોડીને પુણ્ય આત્મા બનવા માટેનું બંધન છે. અત: રક્ષાબંધન પવિત્રતા અથવા ધર્મની રક્ષા કરવા માટેનું બંધન છે. આ તો આપણે સૌ જાણીએ જ છીએ કે બહેન અને ભાઈનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. બહેનો દ્વારા ભાઈઓને બંધન બાંધવાનો અર્થ પણ એ જ હોય છે કે ભાઈઓ પ્રતિજ્ઞા કરે કે તે પવિત્રતાને ધારણ કરશે અને પોતાની દૃષ્ટિ, વૃત્તિ અને કૃતિને પવિત્ર બનાવશે. બ્રાહ્મણો દ્વારા બાંધવામાં આવતા રક્ષાસૂત્ર પાછળનો હેતુ પણ એ જ છે કે પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં પવિત્રતાની પ્રતિજ્ઞા કરે. પરંતુ યુગપરિવર્તનની સાથે આપણી માન્યતાઓ અને પરંપરાઓ પણ બદલાઈ છે જેના પરિણામસ્વરૂપે આજે ન તો બહેન એ માનસ સાથે રાખડી બાંધે છે અને ન બ્રાહ્મણ. કમનસીબે આજે મનુષ્ય આ અધ્યાત્મિક રહસ્યોને ભૂલી ગયો છે અને માટે તે આ મહાન પવર્ને  એક રીતિરિવાજ તરીકે માને છે અને ઔપચારિકતા ખાતર એને ઊજવે છે અને માટે જ આજે આ પર્વ વિષ તોડક પર્વ અથવા પુણ્ય પ્રદાયક પર્વ નથી રહ્યો અને વ્યક્તિ તેમ જ સમાજને પણ આની ઉજવણી દ્વારા જે પ્રાપ્તિ થવી જોઈએ એ પણ નથી થઈ રહી. વાચકમિત્રો, વર્તમાન સમયની માગ એ જ છે કે આપણે સૌ રક્ષાબંધનના આ મહાપવર્નેણ મૂલ્યઆધારિત બનાવીને એને નવું ગૌરવ પ્રદાન કરીએ જેથી આપણા ભવિષ્યની પેઢીઓ આ તહેવાર દ્વારા કંઈક નવું શીખે અને પોતાના જીવનને મૂલ્યવાન બનાવે.

August 6, 2018
krishna.jpg
1min8960

શ્રીકૃષ્ણના જીવનની ઓછી જાણીતી કથાઓમાંથી મેળવીએ મહામૂલો બોધપાઠ

શ્રીકૃષ્ણનું જીવન આમ જુઓ તો ભેદી રહસ્યકથા જેવું છે અને બીજી રીતે જુઓ તો સાવ ખુલ્લી કિતાબ જેવું છે. શ્રીકૃષ્ણની લાઇફસ્ટાઇલ જ એવી છે કે એમાં જે પ્રત્યક્ષ દેખાય છે એવું ખરેખર હોતું નથી અને જે ખરેખર હોય છે એ પ્રત્યક્ષ દેખાતું નથી. શ્રીકૃષ્ણનાં પરાક્રમો, શ્રીકૃષ્ણના ચમત્કારો, શ્રીકૃષ્ણની લીલાઓ, શ્રીકૃષ્ણની કરુણાકૃપાઓ અને શ્રીકૃષ્ણનાં ઉપેદશસૂત્રો આ બધામાં તેમનાં ભિન્ન-ભિન્ન સ્વરૂપો પ્રગટ થાય છે.

આજે શ્રીકૃષ્ણના બર્થ-ડે નિમિત્તે તેમના જીવનની બહુ ઓછી જાણીતી એક-બે કથાઓનું સ્મરણ કરવું છે.

મહાભારતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ગયા પછી શ્રીકૃષ્ણ હસ્તિનાપુરથી વિદાય લે છે. ત્યાં રસ્તામાં તેમને ઉત્તંક ઋષિ સાથે મેળાપ થાય છે. ઉત્તંક ઋષિ વષોર્થી વનમાં રહીને ઘોર તપ કરી રહેલા હોવાથી સંસારમાં અને જગતમાં શું-શું બન્યું હતું એનાથી બેખબર હતા. તેમણે સાવ સ્વાભાવિક રીતે જ શ્રીકૃષ્ણને પૂછ્યું : ‘હસ્તિનાપુરમાં પાંડવો અને કૌરવો સૌ કુશળ છેને?’

શ્રીકૃષ્ણ જવાબ આપે છે, ‘પાંડુના પાંચ પુત્રો સિવાયનો સમગ્ર કુરુવંશ વિનાશ પામ્યો છે.’ આટલું કહીને શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધની કથા સંક્ષેપમાં કહી સંભળાવી. ઉત્તંક ઋષિને ક્રોધ ઉપજ્યો અને તેઓ અભિશાપ આપવાના આવેશમાં આવી ગયા ત્યારે શ્રીકૃષ્ણે પોતાનું પરમાત્માસ્વરૂપ બતાવ્યું એટલું જ નહીં, ઉત્તંક ઋષિને વરદાન આપ્યું કે તમને જ્યારે તીવ્ર તરસ લાગી હોય ત્યારે અને જળ વગર પ્રાણ ચાલ્યા જાય એવી સ્થિતિ હોય ત્યારે મારું સ્મરણ કરજો, તમને જળ મળી જશે.

ત્યાર પછી મરુભૂમિમાં વિચરણ દરમ્યાન ઉત્તંક ઋષિના કંઠે શોષ પડ્યો. જળની તીવ્ર જરૂર જણાઈ. તેમણે શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું. એ જ ક્ષણે એક માતંગ (ચાંડાલ) ત્યાં જળ લઈને ઉપસ્થિત થયો. ઉત્તંક ક્રોધિત થયા. મારા જેવા બ્રાહ્મણ માટે ચાંડાલના હાથ જળ મોકલીને શ્રીકૃષ્ણે મારું અપમાન કર્યું છે એવું તેમને લાગ્યું. તેમણે ગુસ્સામાં આવીને ચાંડાલને પાછો જવા આદેશ કયોર્. શ્રીકૃષ્ણ આ જાણતા જ હતા. તેઓ તરત ત્યાં પ્રગટ થયા અને બોલ્યા, ‘ઋષિવર, તમે જળ માગ્યું હતું અને મેં તમારા માટે અમૃત મોકલ્યું હતું. મેં ઇન્દ્રને તમારી પાસે અમૃત લઈને પહોંચવા આદેશ કયોર્ હતો, પણ તે આવવા તૈયાર નહોતાં. મેં તેને વિશેષ આજ્ઞા કરીને તમારા માટે અમૃત લઈને આવવાની ફરજ પાડી તેથી ઇન્દ્ર સ્વયં માતંગનું રૂપ ધારણ કરીને તમારી પાસે આવ્યા હતા. તમે અમૃત પાછું ઠેલ્યું, હવે જળ પીને તૃપ્ત થાવ.’

આવી કથાઓનો આપણે માત્ર મર્મ જ પકડવાની જરૂર છે. કોઈ શ્રાપ આપે, કોઈ વરદાન આપે, કોઈ ગમે ત્યાં ગમે ત્યારે પ્રગટ પણ થાય અને અલોપ પણ થાય, કોઈ વ્યક્તિ દિવ્ય શક્તિથી પોતાના રૂપને બદલી શકે – આ બધામાં ઝાઝા ઊંડા ઊતરીએ તો કોઠી ધોઈને કાદવ કાઢવા જેવો જ ઉદ્યમ થાય. એટલે આથી કથાઓમાંથી નીર-ક્ષીર વિવેક કરીને સુજ્ઞજનોએ સાર ગ્રહણ કરવાનું જ લક્ષ્ય રાખવું જોઈએ.

ઉપરોક્ત કથાનો સાર એટલો જ કે ઉચ્ચ-નીચ જ્ઞાતિના વાહિયાત ખ્યાલો ન રાખવા જોઈએ. ક્યારેક સામાન્ય વ્યક્તિ પાસેથી પણ કોઈ અણમોલ ચીજ મળી શકે છે. આપણને જ્યારે જે ચીજની જરૂર હોય ત્યારે એ ચીજ જેની પાસેથી મળે તેની પાસેથી લઈ લેવી જોઈએ. લાઇફમાં ક્યારેક સોનાની દાબડીમાંથી માત્ર પથરા મળે છે અને ક્યારેક ફાટ્યા-તૂટ્યા ચીંથરામાં કીમતી રત્ન વીંટાળેલું મળી જતું હોય છે.

શ્રીકૃષ્ણના જીવનની એક બીજી અલ્પ પ્રચલિત કથા પણ જોઈ લઈએ.

મહાભારતના સંગ્રામની સમાપ્ત પછી શ્રીકૃષ્ણ જ્યારે પિતા વસુદેવને મળે છે ત્યારે વસુદેવ પૂછે છે :

‘હે કૃષ્ણ! આમ તો સમગ્ર યુદ્ધકથા હું જાણી જ ચૂક્યો છું, છતાં તારા મુખે એ કથા સાંભળવી એ અનેરો લહાવો બની રહેશે. તું મને ખૂબ વિગતવાર એ ભીષણ સંગ્રામની કથા કહીશ?’

શ્રીકૃષ્ણ તો મહાભારતના યુદ્ધના પળેપળના પ્રત્યક્ષ સાક્ષી અને સૂત્રધાર પણ હતા. છતાં ક્યારે કેટલું કહેવું એની તેમને પૂરેપૂરી ખબર હતી. શ્રીકૃષ્ણ જાણતા હતા કે અભિમન્યુના વધતી વાત પિતાને કહેવાથી તેમને તીવ્ર આઘાત લાગશે. અભિમન્યુ અજુર્નનો પુત્ર તો હતો જ, સાથે-સાથે તે શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનોય પુત્ર હતો! વસુદેવનો તે દોહિત્ર થાયને! પિતાના હૈયાને આઘાત ન લાગે એ રીતે શ્રીકૃષ્ણે માત્ર એટલું જ કહ્યું : ‘પિતાજી આપને મેં યુદ્ધના અઢારેય દિવસનું વૃતાંત કહ્યું અને એમાં આખરે કૌરવોના પક્ષે કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા ઉપરાંત પાંડવોના પક્ષમાં ચાલ્યો ગયેલો યુયુત્સુ એટલા બચી ગયા છે જ્યારે સાત અક્ષૌહિણી પાંડવસેનામાંથી પાંચ પાંડવો, સાત્યકિ અને હું (શ્રીકૃષ્ણ પોતે) એમ કુલ સાત જણાં બચ્યા છીએ.’

શ્રીકૃષ્ણના આ માર્મિક-ભેદી વિધાનમાં આડકતરી રીતે અભિમન્યુના મૃત્યુની હકીકત આવી જ જાય છે. પાંચ પાંડવો ઉપરાંત સાત્યકિ અને શ્રીકૃષ્ણ સિવાય તમામ હણાયા છે એ સત્ય એમાં સમાવિષ્ટ હતું જ. શ્રીકૃષ્ણની મુત્સદ્દી વાણીમાં એકસાથે અનેક રહસ્યો સંતાયેલાં રહેતાં હતાં.

શ્રીકૃષ્ણ પાસેથી વાણીનો આવો વિવેક આપણે શીખવા જેવો છે. સાચી વાત કહી દેવાના આવેશમાં ઘણી વખત આપણે આપણું ખુદનું જ અહિત કરી બેસીએ છીએ કાં તો સ્વજનોની નારાજગી વહોરી બેસીએ છીએ. અસત્ય ન બોલવું એનો અર્થ એવો કદીયે ન કરવો કે સત્ય સઘળું બોલી જ નાખવું. જૂઠું બોલવાની જરૂર નથી એમ દરેક વખતે સાચી વાત બોલી નાખવાની પણ જરૂર નથી જ હોતી.

ગાંધારી ગુસ્સે થઈને જ્યારે શ્રીકૃષ્ણને શાપ આપે છે કે જેવી રીતે મારા કુરુવંશનો સર્વનાશ થયો એવી રીતે તારા યદુવંશનો પણ સંપૂર્ણ નાશ થશે ત્યારે શ્રીકૃષ્ણ સ્વસ્થ રહીને કહે છે, ‘મને તો હતું કે તમે એથી પણ વિશેષ અભિશાપ આપશો, પરંતુ આપ કરુણાવાન માતા છો. આપે મને આ નજીવો શાપ આપીને આપની મહાનતા સિદ્ધ કરી છે.’ અહીં વડીલો પ્રત્યેનો આદર જાળવવાનું શ્રીકૃષ્ણનું ચરિત્ર આપણને જોવા મળે છે.

મહાભારતના સંગ્રામની ઘોર પૂર્ણાહુતિ પછી પાંચ પાંડવો સહિત શ્રીકૃષ્ણ જ્યારે ધૃતરાષ્ટ્રને મળે છે ત્યારે ધૃતરાષ્ટ્ર પોતાના ક્રોધને છુપાવી રાખીને ભીમને ભેટવાની ઝંખના વ્યક્ત કરે છે. શ્રીકૃષ્ણ પળ પારખી જાય છે. ધૃતરાષ્ટ્ર અંધ હતા પણ દસ હજાર હાથી જેટલું શરીરબળ ધરાવતા હતા (એવું કહેવાયું છે). ધૃતરાષ્ટ્રને ભીમ માટે કાંઈ વહાલ તો ન જ ઊપજ્યું હોયને. કૌરવસેનાનો સંહાર કરવામાં ભીમ જ સૌથી મોખરે હતો. વળી દુયોર્ધનની જાંઘ તોડીને તેનું રક્ત પીવાની પ્રતિજ્ઞા પણ તેણે પાળી બતાવી હતી. એવી પરિસ્થિતિમાં જ્યારે ધૃતરાષ્ટ્રે ભીમને આલિંગવાનો ઉમળકો બતાવ્યો ત્યારે શ્રીકૃષ્ણે ચાલાકી વાપરી. દુયોર્ધને અગાઉ ભીમની લોખંડની પ્રતિમા બનાવી રાખી હતી એની સાથે ધૃતરાષ્ટ્રનું આલિંગન કરાવ્યું. ધૃતરાષ્ટ્રે કચકચાવીને એ પ્રતિમાને ભીમ સમજીને કચડી નાખી. શ્રીકૃષ્ણ એ વખતે બોલ્યા, ‘આપને ભીમની હત્યાનું પાપ ન લાગે એ માટે મેં દુયોર્ધને બનાવેલી ભીમની લોખંડની પ્રતિમા આગળ કરી હતી. ભીમ આપના આર્શીવાદ ઝંખે છે.’

વિકટ અને વિષમ સંજોગોમાં યોગ્ય નર્ણિય લેવાની સૂઝબૂઝ શ્રીકૃષ્ણ પાસેથી આપણે સૌએ લેવી જેવા છે. શ્રીકૃષ્ણ સ્વયં મુત્સદ્દી હતા, તો તેમની સામે થોડાક મુત્સદ્દી આપણેય થઈ જ શકીએને!

August 6, 2018
mahavir.jpg
1min21010

ભગવાન મહાવીરને આજે અઢી સૈકાથી વધુ વર્ષ થયાં હોવા છતાં માત્ર જૈનોના જ નહીં, સમગ્ર ભારતના લોકોના હૃદયમાં તેઓ આજે પણ જીવંત રહ્યા છે.

ભગવાન મહાવીરનો ત્યાગ, ભગવાન મહાવીરની અહિંસા, ભગવાન મહાવીરનું તપ, ભગવાન મહાવીરની કરુણાનો જોટો આ જગતમાં મળવો મુશ્કેલ છે. આવી પરમોપકારી, વિશ્વવંદ્ય વિભૂતિના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો અહીં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

પ્રેરક પ્રસંગ 0૧

દીક્ષા લીધા પછી ભગવાન મહાવીર કર્માર ગામની બહાર રાત્રે કાઉસગ્ગ કરીને ઊભા હતા ત્યારે એક ગોપાળ તેમને તેના બળદ સાચવવાનું કહીને તેના કામે ગયો. તે જ્યારે પાછો આવ્યો ત્યારે ભગવાન પાસે બળદ ન જોયા અને ધ્યાનસ્થ ભગવાનને પૂછવા છતાં જવાબ ન મળતાં તે પોતાના બળદને શોધવા અહીં-તહીં ખૂબ જ ભટક્યો. છતાં બળદ ન મળતાં પાછો ભગવાન પાસે આવ્યો. ત્યાં તેણે ભગવાન પાસે પોતાના બળદો ઊભા રહેલા જોયા અને તેને એવો ગુસ્સો આવ્યો કે તે બળદની રાશ લઈ ભગવાનને મારવા દોડ્યો. એ સમયે ઇન્દ્રે પ્રગટ થઈ કહ્યું કે ‘હે મૂર્ખ! જેને તું ચોર માને છે તે ચોર નથી પણ રાજા સિદ્ધાર્થના પુત્ર વર્ધમાન છે. રાજવૈભવને ત્યાગી તેઓ આત્મસાધનાને પંથે નીકળ્યાં છે ત્યારે તારા બળદની ચોરી કરીને શું કરશે?’

ગોવાળે સાચી વાત જાણતાં ભગવાનનાં ચરણ પકડી લીધાં અને પોતાની ભૂલ બદલ ક્ષમા ચાહી. એ વખતે દેવરાજ ઇન્દ્રે ભગવાનને કહ્યું કે ‘હે પ્રભુ! સાધનાના વિકટ પંથમાં આવા મૂઢ માણસો આપને વિના કારણે હેરાન-પરેશાન કરશે. એથી મને આપની સેવામાં રહી આવાં બધાં કષ્ટ નિવારવાની તક આપો. આવતાં સાડાબાર વર્ષ સુધીના સાધનાકાળમાં હું સાથે રહી આપની સંભાળ રાખીશ.’

દેવરાજ ઇન્દ્રની વાત સાંભળીને ભગવાને કહ્યું, ‘આત્મસાધકના જીવનમાં આજ સુધી એ કદી બન્યું નથી અને બનશે પણ નહીં. કોઈ બીજાની મદદ વડે આત્મસિદ્ધિ કે આત્મમુક્તિ મેળવી શકે નહીં. સાધકનો આદર્શ છે – એગો ચરે વિસાણકપ્પો. તે એકલો સ્વપુરુષાર્થથી જ આગળ વધતો રહે. જીવનની પોતાની મુક્તિ પોતાનાં ઉદ્યમ, બળ, ર્વીય અને પરાક્રમ પર જ નર્ભિર છે.

પ્રેરક પ્રસંગ 02

ભગવાન મહાવીર વિહાર કરતાં-કરતાં એક વખત મોરાકસગ્નિવેશમાં દૂઇજ્જતં તાપસોના આશ્રમમાં આવી પહોંચ્યા. આ આશ્રમના કુલપતિ ભગવાનના પિતા સિદ્ધાર્થના મિત્ર હતા. તેમના અતિશય આગ્રહથી ભગવાન ત્યાં ચાતુર્માસ અર્થે રહ્યા. આશ્રમમાં રહેવા માટે ભગવાનને એક ઘાસની ઝૂંપડી આપવામાં આવી. હજી વરસાદની શરૂઆત થઈ નહોતી. એથી ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ ઝૂંપડીના સૂકા ઘાસને ખેંચી કાઢવા લાગ્યા. તાપસો તો લાકડીઓ મારી એ પશુઓને ભગાડી મૂકતા, પરંતુ મહાવીર તો સતત ધ્યાનમગ્ન દશામાં જ રહેતા. બીજા તાપસોને થયું કે દિવસભર લાકડીઓ લઈને તેઓ તેમની ઝૂંપડીઓનું રક્ષણ કરે છે અને મહાવીર તો પોતાની ઝૂંપડીને સહેજ પણ સાચવતા નથી. તાપસો મહાવીરની નિંદા કરવા લાગ્યા. આ વાત આશ્રમના કુલપતિ પાસે પહોંચતાં તેમણે મહાવીરને ઠપકો આપતાં કહ્યું કે ‘આ જગતમાં પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે તો આપ તો રાજકુમાર છો તો પણ આટલીબધી ઉપેક્ષા કેમ કરો છો?’

મહાવીર ધ્યાનસ્થ હોવાથી કશું બોલ્યા નહીં, પણ મનોમન વિચારવા લાગ્યા કે ‘ઘર-પરિવારનો ત્યાગ કરનાર સાધક ઝૂંપડીની મમતામાં કેમ ફસાઈ શકે? સાધના માટે મેં સંસારનો ત્યાગ કર્યો, હવે શું ઝૂંપડીની માયામાં હું મારી સાધનાને ભૂલી જાઉં? મારી સાધના તો જંગલોમાં, પર્વતોમાં, ગુફાઓમાં, ખંડેરોમાં કે વૃક્ષ નીચે ગમે ત્યાં કરી શકાશે.’

એથી કુલપતિની રજા લઈને પરમ સદ્ભાવ સાથે ભગવાને એ સ્થળ છોડી ત્યાંથી વિહાર કર્યો, પરંતુ એ વખતે તેમણે પાંચ સંકલ્પો કર્યા : (૧) અપ્રીતિ થાય એવા સ્થળે ન રહેવું. (૨) નિત્ય ધ્યાનમગ્ન રહેવું. (૩) પ્રાય: મૌન રાખવું. (૪) હાથમાં જ કરપાત્રથી ખાવું અને (૫) ગૃહસ્થોની ખુશામત ન કરવી.

સંયમ જીવનને વધુ પુષ્ટ બનાવતા આ પાંચ સંકલ્પો ભગવાનના ત્યાગપંથની ખુમારી બતાવે છે.

પ્રેરક પ્રસંગ 03

પોતાની સંયમસાધનામાં આગળ વધતાં ભગવાન મહાવીરને એક વિચાર આવ્યો કે કર્મોની વિશેષ નર્જિરા માટે કોઈ એવા સ્થળે જવું જોઈએ જ્યાં ધર્મની ધજા ફરકતી ન હોય, જ્યાં માણસ માણસનો શત્રુ હોય, જ્યાં સાધુ-સંતો પ્રત્યે કોઈને શ્રદ્ધા-ભક્તિ ન હોય. આથી તેઓ રાઢ નામના અનાર્ય પ્રદેશમાં પહોંચ્યા. આ વિસ્તારમાં વિચરવું અતિ દુષ્કર હતું. અહીં લોકો તેમના દેહનું માંસ કાપી ગયા. કૂતરાઓ અંગેઅંગમાં બટકાં ભરી ગયા. અહીંના ક્રૂર માણસોએ ભગવાનના સુંદર શરીર પર અનેક ઉઝરડાઓ કર્યા. આ વખતે તેમના એક શિષ્યે કહ્યું, ‘પ્રભુ! મારવા માટે નહીં, ડારવા માટે પણ એકાદ લાકડી સાથે રાખીએ તો સારું.’

ભગવાને કહ્યું, ‘એ કેમ બની શકે? એનાથી તો આપણી અહિંસાનું વ્રત તૂટે.’

રાઢમાં વિચરતાં જીવ જવા સુધીના ઉપસર્ગો આવ્યા તો પણ ભગવાને જરા પણ ભયભીત બન્યા વિના એને શાંત ચિત્તે સહ્યા. એથી જ આચારાંગ સૂત્રમાં ઉલ્લેખ્યું છે :

સૂરિ સંગામ સીસેવા, સંવુડે તત્થ સે મહાવીરે |

પઉસેવમાણે કરુસાઇ અચલે ભગવં રીઇત્થા ||

અર્થાત્ જેવી રીતે બખ્તરધારી યોદ્ધાનું શરીર યુદ્ધમાં અક્ષત રહે છે એ જ રીતે અચલ ભગવાન મહાવીરે અત્યંત કષ્ટો હોવા છતાં પોતાના સંયમને અક્ષત રાખ્યો.

ભારતવર્ષની પ્રજાને સત્યનો પંથ બતાવનાર તેજોમય રશ્મિસમા કરુણાનિધિ શ્રી ભગવાન મહાવીરને અગણિત વંદન હો!

પ્રેરક પ્રસંગ 04

એક વાર પ્રભુ મહાવીર વિહાર કરતાં અસ્થિગ્રામમાં આવ્યા. આ આખું ગામ ખાલી અને ઉજ્જડ હતું. ચારે બાજુ માણસોનાં હાડકાં વેરાયેલા હોઈ લોકો આ ગામને અસ્થિગ્રામ કહેતા. આ ગામમાં આવેલા મંદિરમાં શૂલપાણિ નામનો ભયંકર યક્ષ રહેતો હતો. તે મનુષ્યજાતિનો શત્રુ હતો. કોઈ પણ માણસ એ મંદિરમાં રાતવાસો કરે તો બીજા દિવસે તે મરેલો જ મળતો. આ યક્ષના ત્રાસને લીધે મોટા ભાગના લોકો ગામ છોડીને જતા રહ્યા હતા. પ્રભુ મહાવીર આ ગામમાં પહોંચ્યા અને તેમણે ગામના એ મંદિરમાં સ્થિરતા કરવાનું વિચાર્યું, પરંતુ આ મંદિરના પૂજારી ઇન્દ્રશર્માએ તેમને એમ કરતાં અટકાવીને કહ્યું, ‘ભન્તે! અહીં રાતવાસો કરવો હિતાવહ નથી. આ મંદિરનો યક્ષ તમને જીવતા નહીં રહેવા દે. માણસના લોહીનો તે પ્યાસો છે. તમને જોતાં જ ભયંકર ગુસ્સામાં ન કરવાનું કરી બેસશે. માટે તમે અહીં રાતવાસો કરવાનો આગ્રહ છોડી દો.’

પ્રભુ મહાવીરે કહ્યું કે ‘હું અભય છું, કોઈથી ડરતો નથી અને કોઈને ડરાવતો પણ નથી. હું તો આ જ મંદિરમાં રાતવાસો કરીશ.’

પૂજારીએ તેમને મને-કમને અહીં રાતવાસો કરવાની અનુમતિ આપી. રાત્રિ શરૂ થઈ. પ્રભુ મહાવીર તો મંદિરના એક ખૂણે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. થોડી વારમાં તો ભયંકર એવા શૂલપાણિ યક્ષનું આગમન થયું. ગામની ધરા ધþૂજી ઊઠી. ભયંકર ડાકલાં વાગવાં શરૂ થયાં. કાળજું કંપાવે એવાં કાતિલ અટ્ટહાસ્ય શરૂ થયાં. હાથમાં ભયંકર શૂલ લઈને રૌદ્ર સ્વરૂપી શૂલપાણિ યક્ષ પ્રગટ થયો. પ્રભુ મહાવીરને અહીં જોઈને તેનો ગુસ્સો સાતમા આકાશે પહોંચ્યો, પરંતુ પ્રભુ મહાવીર તો નર્ભિયતાની મૂર્તિ હતા. તેઓ તો પોતાના ધ્યાનમાં અવિચલ, અવિકલ અને મસ્ત હતા. શૂલપાણિ યક્ષે હાથી, પિશાચ અને સર્પ બનીને ભયંકર ઉપસર્ગ કરવા શરૂ કર્યા. પોતાની દૈવી શક્તિથી આ યક્ષે પ્રભુનાં આંખ, કાન, નાક, માથું, પીઠ વગેરેમાં ભયંકર વેદના ઉત્પન્ન કરી; પરંતુ પ્રભુ મહાવીર તો મેરુની જેમ અચલ અને અડોલ રહ્યા. આખી રાત આ ક્રૂર યક્ષે પ્રભુને ભયંકર પીડા આપી. તો પણ પ્રભુ મહાવીર જરા પણ અશાંત ન થયા. આખરે આ ક્રૂર યક્ષ પણ ઢીલો પડ્યો. તેની રાક્ષસી શક્તિ પ્રભુના આત્મબળ સામે પરાજિત થઈ. શૂલપાણિ યક્ષ પ્રભુનાં ચરણોમાં ઝૂકી પડ્યો અને બોલ્યો, ‘પ્રભુ, મને ક્ષમા કરો. મેં આપને ઓળખ્યા નહીં.’

પ્રભુએ કહ્યું, ‘ક્ષમા તો શત્રુને હોય, તું તો મારો મિત્ર છે.’

યક્ષને આશ્ચર્ય થયું. તેણે પ્રભુને પૂછ્યું, ‘હું મિત્ર? અને એ પણ તમારો? મેં તમને કેટલો બધો સંતાપ આપ્યો છે!’

પ્રભુએ કહ્યું, ‘મારો તો શું, તું સમગ્ર વિશ્વનો મિત્ર થઈ શકે એમ છે. માત્ર તારે તારો ક્રોધ અને હિંસાની ભાવના ત્યજવાની જરૂર છે. હિંસાથી તને કદાપિ શાંતિ નહીં મળે. પ્રેમ અને ક્ષમાથી જ તને સાચી શાંતિ મળી શકે. આ ગામ સાથે તને વેર છે, પરંતુ વેરનું ઓસડ વેર નહીં પણ પ્રેમ છે એ તું જાણ.’

ભયંકર ગરમીથી ત્રસ્ત થયેલી ધરા પર જેમ શીતલ મેઘની વર્ષા થાય એમ પ્રભુની એ અમૃતસમી વાણીથી ક્રૂર અને ભયંકર એવા શૂલપાણિ યક્ષમાં આમૂલ પરિવર્તન આવ્યું. જીવનની સાચી દિશા તેને સાંપડતાં

પુન:-પુન: તે યક્ષ પ્રભુનાં પાદચરણમાં પશ્ચાત્તાપનાં અશ્રુઓથી પ્રક્ષાલન કરી રહ્યો.

પ્રેરક પ્રસંગ 05

શ્રમણ ભગવાન મહાવીરને ગોશાલક નામનો શિષ્ય હતો. ઘણા વર્ષો તે પ્રભુની સાથે રહ્યો, પરંતુ ચંચલ મનના તે શિષ્યે પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા પ્રભુથી અલગ થઈને આજીવક સંપ્રદાય સ્થાપ્યો અને પ્રભુનો કટ્ટર હરીફ બન્યો. તે જ્યાં જાય ત્યાં પોતાને સર્વજ્ઞ અને તીર્થંકર તરીકે ઓળખાવતો હતો. પ્રભુ મહાવીરના શિષ્ય ગૌતમસ્વામી પાસે આ વાત આવી. તેમણે શ્રાવસ્તીમાં પ્રભુની ધર્મસભામાં પ્રભુને પ્રશ્ન પૂછuો કે ‘હે ભગવંત! શું ગોશાલક ખરેખર તીર્થંકર છે?’

પ્રભુએ ઉત્તર આપતાં કહ્યું કે ‘હે ગૌતમ! ગોશાલક નથી સર્વજ્ઞ કે નથી તીર્થંકર. તે તીર્થંકર શબ્દનું અપમાન કરે છે. યોગ્યતા વિના ઉપાધિ કેવી? આજથી ચોવીસ વર્ષ પહેલાં મારી પાસે તેણે દીક્ષા લીધી હતી. તે છ વર્ષ મારી સાથે રહ્યો. મને પ્રેમથી અનુસર્યો. પછી તે શક્તિ તરફ આકર્ષાયો. શક્તિથી મળતી કીર્તિનો દાસ બન્યો. તે મારાથી જુદો પડ્યો. સ્વચ્છંદી થયો, સ્વચ્છંદે વિહરવા લાગ્યો. તે તીર્થંકર નથી, તે સર્વજ્ઞ નથી. તે છ મહાનિમિત્તોનું જ્ઞાન ધરાવે છે, પણ સર્વર્જ્ઞપણા કે તીર્થંકરપણા સાથે તેને કશી જ લેવાદેવા નથી.’

પ્રભુ મહાવીરે ગોશાલક વિશે કરેલા ખુલાસાના સમાચાર સાંભળી ગોશાલકના અંતરમાં ક્રોધનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. ગોશાલક પણ એ વખતે પોતાના શિષ્યપરિવાર સાથે શ્રાવસ્તી નગરીમાં આવ્યો હતો. તેને થયું કે મહાવીર મારી બાજી બગાડી નાખશે, લોકોના દિલમાંથી મારું અસ્તિત્વ નષ્ટ કરી નાખશે. એથી તે પ્રભુ મહાવીરે જ્યાં સ્થિરતા કરી હતી એ સ્થળે ધસી ગયો. પ્રભુની એ સમયે ધર્મસભા ચાલુ હતી. ગોશાલકે આવતાંવેંત જ પ્રભુ સામે બેફામ વાણીવિલાસ શરૂ કર્યો. પ્રભુ મહાવીર તો અચલ શાંતિથી તેને સાંભળી રહ્યા. મહાવીરને મૌન જોઈ ગોશાલકને વધુ ચાનક ચડી. તે તો ગાલિપ્રદાન સાથે જેટલું કડવું બોલી શકાય એટલું બોલવા માંડ્યો. વાતાવરણ સ્ફોટક બની ગયું. ધર્મસભામાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. પ્રભુના શિષ્યો પણ ગુસ્સે થઈ ગયા. પ્રભુએ પોતાના શિષ્યોને શાંત કરતાં કહ્યું કે ‘ગોશાલકની પ્રકૃતિ જ એવી છે. પ્રકૃતિ ને પ્રાણ સાથે જ જાય. એથી આ માણસ તરફ ક્રોધને બદલે કરુણા જ વધુ શોભે.’

પ્રભુના આ શબ્દોથી શાંત પડવાને બદલે ગોશાલક વધુ ઉગ્ર બન્યો. ફરી બેફામ કટુ વચનો બોલવા લાગ્યો. ભગવાન મહાવીરના સર્વાનુભૂતિ નામના શિષ્યથી ન રહેવાયું. તેઓ આગળ આવ્યા અને ગોશાલકને ઉદ્દેશીને બોલ્યા, ‘હે ગોશાલક! એક વખતના તારા પરમોપકારી ગુરુ પ્રભુ મહાવીરને કડવાં વચનો કહેતાં તને શરમ નથી આવતી? પ્રભુની કૃપાથી તો તું સઘળી વિદ્યા શીખ્યો છે, એ ભૂલી જઈને પ્રભુ સામે મોરચો માંડતાં તું લાજતો નથી?’

ગોશાલક આ સાંભળીને વધુ ઉશ્કેરાયો અને તેણે પોતાનાં નેત્રોમાંથી દૃષ્ટિવિષ સર્પ જેવી પીળી જ્વાળા છોડી અને ક્ષણવારમાં તો શિખામણ આપવા આવેલા સર્વાનુભૂતિ ત્યાં ને ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. હવે સર્વાનુભૂતિનું સ્થાન સુનક્ષત્ર મુનિએ લીધું. ગોશાલકે એ મુનિ કંઈક કહે એ પહેલાં જ પોતાની વિદ્યાથી સુનક્ષત્રના પણ એ જ હાલહવાલ કર્યા. આમ બે મુનિની હત્યા થવાથી ધર્મસભામાં હાહાકાર મચી ગયો.

મુનિ સુનક્ષત્રનું સ્થાન લેવા બીજા મુનિઓ આગળ આવ્યા, પરંતુ પ્રભુ મહાવીરે તેમને પાછળ રાખી પોતે એ સ્થાન સંભાળી લીધું. ગોશાલકે જોયું કે પોતાના હરીફ એવા મહાવીરને ખતમ કરવાની સુવર્ણ તક છે. એથી તેણે અજબ ઝનૂનથી પ્રભુએ જ શીખવેલી તેજોલેશ્યા પ્રભુ પર ફેંકી. પરંતુ એ સમયે મહાઆશ્ચર્ય થયું. પ્રભુ પર ફેંકાયેલી તેજોલેશ્યા પ્રભુના દેહમાં પ્રવેશ કરવાને બદલે પ્રભુના દેહની પ્રદક્ષિણા કરી રહી અને ગોશાલક કંઈ વિચારે એ પહેલાં તો એ તેજોલેશ્યા ઝડપથી પાછી ફરીને ગોશાલકના જ દેહમાં સમાઈ ગઈ! અને જાણે ધરતીકંપ થયો હોય એમ ગોશાલક ફસડાઈ પડ્યો. તેનો સોહામણો ચહેરો બિહામણો બની ગયો. મુખારવિંદ કોલસા જેવું કાળું બની ગયું અને તેની સર્વ શક્તિઓ હરાઈ ગઈ હોય એવી તેને અનુભૂતિ થવા લાગી.

પ્રભુ મહાવીરે ગોશાલકને કહ્યું કે ‘હે ગોશાલક! હાથનાં કયાર઼્ હૈયે વાગે છે. કર્મનો એ નિયમ છે. આ પુણ્યના બંધને કોઈ ઓછું કરી શકતું નથી. મારે હજી સોળ વર્ષ સુધી આ દેહભાર રહેવાનો છે. પણ તારા માટે તો હવે માત્ર સાત દિવસ જ બાકી છે. હવે તો તું બધું ભૂલીને એકમાત્ર તારા આત્માની ચિંતા કર. કીર્તિની કામના અને સિદ્ધિનો અહંકાર છોડી દે. આજે તું વિદ્યાના ગર્વમાં બેફામ બન્યો છે, દ્વેષમાં તું અંધ બન્યો છે. રાગદ્વેષને તું છોડ, સ્વસ્થ થા; શાંત થા અને આત્મકલ્યાણના માર્ગે વિહર. તારું તો જ શ્રેય થઈ શકશે.’

ઘાયલ સર્પની જેમ કાતિલ નજર ફેરવતો ગોશાલક પાછો ફર્યો. તેના દેહમાં ભયંકર દાવાનળ પ્રગટ્યો હતો અને સાતમા દિવસે ગોશાલક મૃત્યુ પામ્યો.

August 6, 2018
SSASIT-1.jpg
1min15560

એક દિવસીય પ્રાધ્યાપક પ્રશિક્ષણ કાર્યશિબિર યોજાયો

(જે દિવસે આપણા યુવાધનનાં રોલ-મોડેલ એમના શિક્ષકો બનશે તે દિવસથી નવા ભારતનું નિર્માણ શરુ થશે)

આસ્થા મેનેજમેન્ટ ફોરમ દ્વારા આપણા વિસ્તારની પ્રતિષ્ઠિત એવી Shree Swami  Atmanand Saraswati Institute of  Technology (SSASIT)  ખાતે ગત સપ્તાહમાં  કોલેજના લગભગ ૮૦ પ્રાધ્યાપકો માટે એક દિવસીય પ્રાધ્યાપક પ્રશિક્ષણ કાર્યશિબિર યોજાયો હતો.

 

કાર્યશિબિરના પ્રારંભમાં સ્વાગત પ્રવચનમાં કોલેજના માનદ મંત્રી અને શહેરના નામાંકિત એડવોકેટ એવા શ્રી હેમંતભાઈ ટોપીવાલા સાહેબે નિષ્ણાત વક્તા ડૉ અનીલ સરાવગીને સ્સાસિત કેમ્પસમાં આવકારતા શિબિરમાં શામેલ પ્રોફેસર્સને શિક્ષકના વ્યવસાયની સમાજ ઘડતરમાં ભૂમિકા વિષે વાત કરી હતી અને બધા શિક્ષકોને ડૉ સરાવગીના જ્ઞાનનો લાભ લેવા અહવાહન કાર્ય હતું.

ડૉ સરાવગીએ શિબીરની શરૂઆતમાં પોતાની આગવી રસપ્રદ શૈલીમાં      LEARNING PROCESS વિષે વિગતવાર છણાવટ કરી હતી .  LEARNING એ એક તબક્કાવાર પ્રક્રિયા છે અને શિક્ષણ કાર્ય અસરકારક ત્યારેજ થઈ શકે જયારે શિક્ષકના માનસ માં આ તબક્કાઓ સ્પષ્ટ હોય,.

ત્યાર્ત્બાદ વર્ગખંડમાં શિક્ષકની અસરકારકતાના મહત્વ વિષે વાત કરતા તેમણે જણાવ્યું હતુકે જેવી રીતે એક સર્જનના પરફોર્મન્સનું મૂલ્યાંકન ઓપરેશન થીએટરમાં અને ક્રિકેટરનું પિચ થતું હોય છે તેવી જ રીતે શિક્ષકનું પરફોર્મન્સ તેની વર્ગખંડની પ્રવૃતિઓ અસરકારકતાથી અંકાય છે. તેમણે શિબિરાર્થીઓને વર્ગખંડમાં અસરકારકતા માટે ૧૦ જેટલી મહત્વની ટીપ્સ આપી હતી.

ત્યારબાદ અન્ય મહત્વના ટોપિક એવા આદર્શ શિક્ષકના  વ્યક્તિવ  (Personality of an IDEAL TEACHER)  વિષે વાત કરતા જણાવ્યું હતું કે શિક્ષકનું જીવન એવું દૈદિપ્યમાન હોવું જોઈએ કે દરેક વિદ્યાર્થીને એના જીવનમાં પોતાના શિક્ષક જેવા થવાનું ગમે. ડૉ સરવ્ગીએ પોતાનો સ્પષ્ટ અણગમો વ્યક્ત કરતા કરતા કહ્યું કે એ એક દુઃખની વાત છે આપણા વિદ્યાર્થીઓના રોલ મોડેલ શાહરુખખાન અને દીપિકા પાદુકોણ છે. જે દિવસે આપણા યુવાધનનાં રોલ-મોડેલ એમના શિક્ષકો બનશે તે દિવસથી નવા ભારતનું નિર્માણ શરુ થશે

અંતમાં કાર્યશિબિરના સહભાગી પ્રાધ્યાપકો વતી પ્રિન્સીપાલ ડૉ કે એન મીસ્ત્ર્રી સાહેબે સમગ્ર કાર્યશીબીરની વિષય-વસ્તુ ને ખૂબજ ઉપયોગી અને તરત અમલમાં લાવે શકાય તેવી જણાવી પ્રશિક્ષક ડૉ સરાવગીનો અભાર વ્યક્ત કર્યો હતો.

August 6, 2018
sapu3.jpg
1min7070

રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા હિલ સ્ટેશન સાપુતારામાં એક મહિનાનો સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ ઊજવવામાં આવશે. સાપુતારામાં ગયા વર્ષે મોન્સુન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા 2 લાખથી પણ વધારે હતી. જોકે ચાલુ વર્ષે આ સંખ્યા અગાઉથી વધે તેવી પ્રવાસન વિભાગને અપેક્ષા છે. આ ફેસ્ટિવલ તારીખ 4 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ચાલશે.

ગત શનિ-રવિ, તા.4 અને 5 ઓગસ્ટ મોન્સુન ફેસ્ટિવલનું પહેલું વીકએન્ડ હતું અને પહેલા જ વીકએન્ડમાં પ્રવાસીઓથી ઉભરાય ગયું હતું સાપુતારા. સાપુતારાના દરેક ડેસ્ટીનેશનથી લઇને હોટેલ્સ, રેસ્ટોરેન્ટસમાં ભારે ભીડ જામી હતી. વરસાદી માહોલને માણવા માટે છેક દક્ષિણ ગુજરાત અને અમદાવાદ, વડોદરાથી ટુરીસ્ટ આવ્યા હતા.

આ ફેસ્ટિવલમાં સ્થાનિક લોકો અને નાના વિક્રેતાઓને વેપારની તકો પૂરી પાડવમાં આવે છે, સાથે સાથે ડાંગની સ્થાનિક આદિવાસી પ્રજાની જીવનપદ્ધતિ વિષે માહિતી મળે છે, સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. છેલ્લાં સાત વર્ષથી એક મહિના લાંબા મોન્સુન ફેસ્ટિવલનું સાપુતારામાં આયોજન થાય છે.

સાપુતારામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે રૂમ અને ડોરમેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. સાપુતારામાં નજીક આવેલો ગીરા ધોધ, હની બી સેન્ટર, રોઝ ગાર્ડન, બોટિંગ, આર્ટિસ્ટ વિલેજ, ઇકો પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, નાગેશ્વર મહાદેવ મંદિર, સાપુતારા તળાવ, સાપુતારા રોપ-વે જેવાં સ્થળો પ્રવાસીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બને છે.