Blog - Page 641 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 7, 2018
rekhamodi.jpg
1min4140

બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીના સંબંધીઓના ઘેર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આઈટીની ટીમ ગુરુવારે રેખા મોદીના પટના સ્થિત ઘરમાં દરોડા પાડ્યા. જોકે, સુશીલ મોદીએ કહ્યું કે, રેખા મોદી મારી સગી બહેન નથી.

બીજી તરફ ઈન્ટકટેક્સ દ્વારા પાડવામાં આવેલા દરોડા સંદર્ભે કોઈ કશુંય બોલાવ તૈયાર નથી. મીડિયા અહેવાલ અનુસાર રેખા મોદીની અન્ય મિલકતો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સ્થાનિક ચર્ચા અનુસાર ઈન્કમટેક્સ એ સૃજન ઘોટાલા મામલે કાર્યવાહી હાથ ધરી છે. રેખા મોદી પર આરોપ છે કે સૃજન સંસ્થાના સંચાલિક થકી આભૂષણોની ખરીદી કરી હતી.

બિહારના બહુચર્ચિત સૃજન ઘોટાળામાં ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની બહેન રેખા મોદીનું નામ બહાર આવતાં ની સાથે રાજકીય હંગામો શરુ થઈ ગયો છે. સાથે વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો કે સુશીલ મોદી પોતાના સંબંધીઓને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારના ભાગલપુર જિલ્લામાં સૃજન નામની એનજીઓ મહિલાઓને રોજગાર આપવા શરુ કરાઈ હતી. જેમાં ૧૦ કરોડ રુપિયાના સરકારી ચેક બાઉન્સ થાય બાદ એનજીઓમાં ઘોટાળા થયો હોવાની ઘટના બહાર આવી હતી. તપાસમાં ખબર પડી કે ડીએમની બોગસ સહીથી બેંકમાંથી સરકાર પૈસાને એનજીઓના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા. આ ઘોટાળાની તપાસ હજુ ચાલું છે.

September 7, 2018
bitcoinamrely.jpeg
1min4950

બિટકોઇન પ્રકરણમાં પકડાયેલ અને છેલ્લા બે માસથી વધુ સમયથી જેલમાં રહેલા અમરેલી એલસીબીના પાંચ પોલીસમેનને જામીન પર છોડવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો.

સુરતના બિલ્ડરને ફસાવી દેવાની ધમકી આપીને બિટકોઇન પડાવી લેવાના આરોપસરના ગુનામાં અમરેલીના એસપી જગદીશ પટેલ અને એલસીબીના પીઆઇ અનંત પટેલ અને નવ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલા અને છેલ્લા બે માસથી જેલમાં રહેલા અમરેલી એલસીબીના પોલીસમેન સંજય પદમાણી, જગદીશ ઝનકાંત, પ્રતાપ ડેર, સુરેશ ખુમાણ અને મયુર માંગરોળિયાએ જામીન પર છોડવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ઢોલરિયાએ પાંચેયને જામીન પર છોડવા હુકમ કર્યો હતો. આ ગુનામાં ધારીના માજી ધારાસભ્ય નલિન કોટડિયા હજુ ફરાર છે.

September 7, 2018
kerala.jpg
1min4710

કેરળમાં ભારે પૂરના કારણે થયેલાં નુકસાન માટે વીમા કંપનીઓએ પ્રારંભિક સ્તરે ક્લેમના જે અંદાજ મુક્યા હતાં તેને હવે બમણાં કરીને ₹2500 કરોડ કર્યા છે કેમ કે વધુને વધુ લોકો રહેણાક તથા મોટર પોલિસી હેઠળના દાવા કરી રહ્યા છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય વીમામાં પણ કંપનીઓને ફટકો પડી શકે કેમ કે એકવાર પુરના પાણી ઓસરશે પછી પ્રદૂષિત પાણીને લગતો રોગચાળો ઊભો થઇ શકે છે.

એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને હાલના તબક્કે ₹85 કરોડના દાવાઓ સામે આવ્યા છે એવી અપેક્ષા કે આ આંકડો વધીને ₹120 કરોડને સ્પર્શી શકે. એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ ઉદ્યોગમાં આશરે પાંચ ટકા હિસ્સો ધરાવે છે ત્યારે સમગ્ર ઉદ્યોગ માટેનો રાજ્યમાં પુરના કારણે થયેલાં નુકસાનના દાવાનો આંક આશરે ₹2,000 કરોડથી લઇને ₹2,500 કરોડ સુધી પહોંચે તેવી ધારણા છે. આ પુર સદીનું સૌથી ભયાનક પુર હતું.

કેરેલામાં પૂર બાદ મોટર, હાઉસહોલ્ડ તથા કોર્પોરેટ હેઠળ દાવાઓ આવી રહ્યા છે. હેલ્થ ઈન્સ્યોર્નસ હેઠળના દાવા હવે પછી બહાર આવી શકે.

વીમા નિયમનકારે વીમા કંપનીઓને આદેશ કર્યો છે કે કેરળમાં દાવાની ઝડપી પતાવટ માટે તત્કાળ પગલાં ભરવામાં આવે. વીમા કંપનીઓએ પણ કોઈ પણ પ્રકારની અગવડ વગર દાવાની પતાવટ થાય તે માટે સમગ્ર પ્રક્રિયાને હળવી કરી છે.

ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આંકડા અને જથ્થા એમ બન્ને સંદર્ભમાં દાવાઓમાં વધારો થયો છે. પુરના કિસ્સામાં તમે જંગી દાવાઓની અપેક્ષા રાખી શકો. તેની સાથોસાથ સેટલમેન્ટ પણ થતાં રહેતાં હોય છે. અમે એક ઓટો ડીલરને મોટા કોર્પોરેટ ક્લેમની ચુકવણી કરી છે.”

2015માં ચેન્નાઇમાં વિનાશક પુરના કારણે થયેલાં ક્લેમ પછીના આ બીજા ક્રમના ક્લેમ છે. આ ક્લેમ જમ્મુ અને કાશ્મીરમાં તથા ઉત્તરાંચલમાં પુર પછી કરવામાં આવેલા ક્લેમની સરખામણીએ મોટા હતાં જે આશરે ₹2,000 કરોડના હતાં.

સ્વીસ આરઈ રિપોર્ટ પ્રમાણે પ્રલયથી થતાં નુકસાનમાં વીમા કંપનીઓ દ્વારા પાછલા 10 વર્ષ દરમિયાન સરેરાશ ફક્ત 30 ટકાને જ આવરી લેવામાં આવે છે બાકીનો 70 ટકા પ્રલય નુકસાનનો હિસ્સો વ્યક્તિઓ, કંપનીઓ અને સરકાર ભોગવે છે.

September 7, 2018
cin4-1280x720.jpg
1min7980

ઓમર એનરિકે સૌથી પહેલા બેન્કની બહાર ફાયરિંગ કર્યું

US1

 

 

અમેરિકાના સિનસિનાટી શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ગુરુવારે ફાઉન્ટેન સ્ક્વેર પાસે ફિફ્થ થર્ડ બેન્કમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક 25 વર્ષીય ભારતીય યુવક પણ સામેલ છે. બાકીના બે મૃતકોની ઓળખ ફિલિપ કાલ્ડરન અને રિચર્ડ ન્યૂકમર તરીકે થઈ છે. ફાયરિંગની થોડી જ ક્ષણોમાં પોલીસે ગનમેનને ઠાર કર્યો. ગનમેનની ઓળખ 29 વર્ષીય ઓમર એનરિક સાંતા તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યુ કે ગુરુવારે ઓમર એનરિકે સૌથી પહેલા બેન્કની બહાર ફાયરિંગ કર્યું. બાદમાં તે બેન્કમાં દાખલ થયો અને ગોળીબાર કર્યો. ગોળીબારમાં મૃત્યુ પામનાર ભારતીય વ્યક્તિનું નામ પૃથ્વીરાજ કંદેપી છે, તે આંધ્રપ્રદેશના ગુંટૂરનો વતની હતો. ન્યૂયોર્કમાં ભારતનો દૂતાવાસ પોલીસ અને કંદેપીના પરિવારના સંપર્કમાં છે. ઉત્તર અમેરિકામાં તેલુગુ એસોસિયેશનના અધિકારીએ કહ્યું કે કંદેપી બેન્કમાં સલાહકારના પદ પર કામ કરતા હતા. કંદેપીના શબને ભારત મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.

September 7, 2018
paryushan-1.jpg
1min15980

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પર્યુષણનો આરંભ થઇ ગયો હતો. જૈન સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા અને પર્વાધિરાજ કહેવાતા પર્યુષણનો અમદાવાદ સહિત રાજ્યભરનાં નાના મોટા દેરાસરોમાં ઉજવણી સાથે જ તપ, સાધના, આરાધનાનો દોર જામ્યો હતો. ભગવાન મહાવીરને ફૂલ, રૂ, રેશમી દોરાવી માંડીને સોનું, હીરા, મોતીની આપર્ષ આંગી કરાયા હતા શહેરના તમામ સંદો, ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીઓની હાજરીમાં મહાપર્વનો ઉજવણીની રોનક છવાઇ હતી.

જૈન સમુદાયમાં આજથી એટલે કે, 6 સપ્ટેમ્બરથી 13મી સપ્ટેમ્બરના ગુરુવાર સુધી પવાર્ધિરાજ પર્યુષણ ચાલશે. જૈનોમાં આ સૌથી મોટું 8 દિવસનું પર્વ હોય છે. દર વર્ષ ચાતુર્માસમાં ઊજવાતા પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી કહેવાય છે. સાત દિવસ સાધના અને આઠમનો અંતિમ દિવસ સિદ્વિનો માનવામાં આવે છે. દરમિયાન આજથી શરૂ થયેલા પર્યુષણના પર્વમાં દેરાસરો, ઉપાશ્રયો, સંઘોમાં સવારથી મોડી સાંજ સુધી તેની રોનક જોવા મળી હતી. આજના પર્વને લઇને શહેરના દેરાસરોમાં સવારે 5 વાગ્યાથી પ્રતિક્રમણ, ભક્તામર સ્ત્રોતનું પઠન ચાલુ થઇ ગયુ હતું. મોટેરાઓ આઠ દિવસના પૌષધ સાથે જ સાધુ જીવન પાળશે. આ સિવાય વિવિઘ સંધોમાં સિદ્વિતપ, શ્રેણી તપનું પણ આયોજન કરાયું છે.

આજના દિવસે સંધો, ઉપાશ્રયોમાં સવારથી વ્યાખ્યાન, બપોરે દેવવંધન બાદ સાંજે પ્રતિક્રમણ અને રાત્રિએ ભક્તિબાવના કરાઇ હતી. જોકે, પર્યુષણના આજના દિવસે પ્રભુ મહાવીરને આકર્ષક આંગીથી શણગારવાનો મહિમા હોય. હવે સંવત્સરી સુધી રોજે રોજ ફૂલ, રૂ, રેશમી દોરા, સોનું, હીરા-માણેક, મોતીની આંગી કરાઇ હતી.

September 7, 2018
np-1280x720.jpg
1min5310

હાર્દિક અને સરકાર વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની મધ્યસ્થી, આજે અમદાવાદમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મહત્વની મિટીંગ, સંભવતઃ આજે હાર્દિકના ઉપવાસ પૂરા થાય તેવી શક્યતાઓ

 

પાટીદાર આગેવાન મનાતા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશ પટેલ અને ઉપવાસે ઉતરેલા હાર્દિક પટેલ વચ્ચે આજે અમદાવાદ ખાતે સમાધાનકારી બેઠક યોજાઇ રહી છે. રાજ્ય સરકાર અને હાર્દિક પટેલ બન્નેએ નરેશ પટેલની મધ્યસ્થીની વાત સ્વીકારી છે, પરીણામે આજે અમદાવાદ ખાતે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મિટીંગ યોજાઇ રહી છે. આ બેઠક બાદ સંભવતઃ હાર્દિક પટેલ પારણા કરે તેમ માનવામાં આવી રહ્યું છે.

છેલ્લા  14 દિવસથી ઉપવાસે ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલ આજે તા.7મી સપ્ટેમ્બર 2018ના રોજ પારણા કરી લે તેવી પ્રબળ શક્યતાઓ જોવાય રહી છે. ખોડલધામ ટ્રસ્ટના  ચેરમેન અને દિગ્ગજ પાટીદાર નેતા ગણાતા શ્રી નરેશ પટેલ મધ્યસ્થી બને તો હાર્દિક પટેલ ગ્રુપને કોઇ વાંધો ન હોવાનું મોડીરાત્રે સરકારને જણાવ્યા બાદ હવે સરકાર નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને હાર્દિક સાથે વાટાઘાટ કરે તેવી સંભાવનાઓ જોવાય રહી છે. આજે શુક્રવારે બપોરે કે સાંજ સુધીમાં હાર્દિક પટેલ પારણા કરે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની માગણી સાથે હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર ઊતર્યો છે. હાર્દિકને મનાવીને પારણાં કરાવવા સરકાર કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે ગુરુવારે નરેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજિક શાંતિ અને હિત માટે હું મધ્યસ્થી બનવા તૈયાર છું. નરેશ પટેલના હકાર પછી સરકાર પણ તેમને મધ્યસ્થી તરીકે સ્વીકારવા તૈયાર હોવાનું લાગે છે. પાસે પણ ગુરુવારે મોડી રાત્રે નરેશ પટેલને મધ્યસ્થી બનાવવા સામે વાંધો ન હોવાનું કહ્યું હતું. આને પરિણામે શુક્રવારે નરેશ પટેલ હાર્દિકને મનાવવા પહોંચશે એવું માનવામાં આવે છે. સૂત્રોની વાત માનીએ તો હાર્દિક પટેલ આજે શુક્રવારે બપોરે પારણાં પણ કરી લે તો નવાઇ નહીં.

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ અને ખેડૂતાના પ્રશ્ર્ને લડી લેવાના મૂડમાં આવી ગયેલી કૉંગ્રેસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને પાટીદાર આંદોલનકારીઓ તેમ જ ખેડૂત સમુદાય સાથે સીધો સંવાદ સ્થાપવાની હાકલ કરી હતી. વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ ઉપરાંત વિપક્ષના નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્યો સહિત કૉંગ્રેસના એક પ્રતિનિધિમંડળે ગુરુવારે સાંજે મુખ્ય પ્રધાનની ઑફિસમાં વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી અને ધરતીપુત્ર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે તેની સાથે સીધો સંવાદ સાધવા, ખેડૂતોનું દેવું માફ કરવા અને અલ્પેશ કથિરિયા સહિતના પાટીદારો સામેના ખોટા કેસો પાછા ખેંચી લેવા રજૂઆત કરી હતી. આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે એવી ચીમકી પણ આપી હતી.

હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન જ્યારે 13માં દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે કૉંગ્રેસે હવે આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો છે. કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે ગુરુવારે સીએમ રૂપાણીની મુલાકાત લઈને તેમને આ મામલે હાર્દિક સાથે સંવાદ સાધવા તેમ જ ખેડૂતોના હિતમાં પગલાં લેવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે. પાટીદારો માટે ઉપવાસ કરશે

September 6, 2018
tgb2.jpg
1min6020

સુરત : ડુમસ રોડસ્થિત ટી.જી.બી.હૉટલખાતે કોંકણફૂડ સ્પેશ્યલ કૂકરી વર્કશોપનું આયોજન કરાયું હતું.જેમાં કોંકણની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરાઇ હતી.

ટી.જી.બી.ના શેફ શશીકાંત રાઠોડે જણાવ્યું હતું કે ભારતના વિવિધ રાજ્યો અને રાજ્યમાં પણ વિવિધ ક્ષેત્રોનાફૂડમાં અનેક વિશેષતાઓ છે. ત્યારે મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારનું ફૂડ પણ અને રેસીપી પણ ખૂબ જ  લલચાવનારી છે. ખાસ કરીને અહીંના લોકોનો મુખ્ય આહાર સી ફૂડ છે. પરંતુ સાથે-સાથે કડી-પત્તા, કાચાકેળા, કોકમ,મળી મરી જેવા પદાર્થો થકી સ્પાઇસ અને  સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે.ત્યારે સુરતનો સ્વાદપ્રિય જનતાને પણ કોંકણની આ વિશેષ વાનગીઓનો ખ્યાલ આવે તે માટે ટી.જી.બી.ના મેમ્બર્સ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મેમ્બર્સ ભાગ લીધો હતો.

-x-x-x-x-

September 6, 2018
h5.jpg
1min7110

છેલ્લા 13 દિવસથી ખેડૂતોના પ્રશ્ને આમરણાંત ઉપવાસે ઉતરેલા પાટીદાર (પાસ) નેતા હાર્દિક પટેલના સમર્થનમાં આજે સુરતના યુવાનોએ દેખાવો કરીને વરાછા-કાપોદ્રાની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાવી દીધી હતી. પાસના કાર્યકર્તાઓએ મિનીબજાર ખાતેની હીરાની ઓફીસો સામે પણ દેખાવો કરીને કામકાજ બંધ કરી દેવાની ફરજ પાડી હતી.

મીની બજારનું કામકાજ બંધ

આજે સવારે પાસના કાર્યકર્તાઓ વરાછા રોડના મીની હીરાબજાર ખાતે ગયા હતા અને ત્યાં જઇને સૂત્રોચ્ચાર સાથે હાર્દિક પટેલના સમર્થનમાં કામકાજ બંધ રાખવા માટે રજૂઆતો કરી હતી. મોટા ભાગના હીરા દલાલો તેમજ વેપારીઓ માર્કેટમાંથી નીકળી જતા આજે સવારે મીની બજાર ખાતે આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો.

ધારુકાવાળા શૈક્ષણિક સંકુલ પાસે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા

(સ્કુલ યુનિફોર્મ અને માથે પાટીદાર ટોપી પહેરીને વિદ્યાર્થીઓએ સુરતના કાપોદ્રા વિસ્તારમાં દેખાવો યોજ્યા હતા)

 

 

કાપોદ્રા ધારુકાવાળા શૈક્ષણિક સંકુલમાં આવેલી કોલેજ અને સ્કુલના વિદ્યાર્થીઓ હાર્દિક પટેલના સમર્થનમાં રોડ પર આવી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક તબક્કે સમગ્ર વિસ્તારમાં તનાવપૂર્ણ સ્થિતિ સર્જાય જવા પામી હતી. સ્કુલ યુનિફોર્મ સાથે માથે પીળા રંગની ટોપી પહેરીને સ્કુલના વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાના સમર્થનમાં દેખાવો કર્યા હતા. પાસ સમર્થક યુવાનોના દેખાવોને પગલે ધારુકાવાળા કેમ્પસમાં ચાલતી તમામ કોલેજો તેમજ એન.એન.જે. પટેલ સ્કુલના શૈક્ષણિક કાર્યને ઘેરી અસર પહોંચી હતી.

September 6, 2018
jandhan.jpg
1min5530

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આ મુદ્દે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે

(Symbolic Photo Of Jandhan Account Holders)

નોટબંધીના સમયગાળા પછીની બેંક અકાઉન્ટસમાં જમા કરવામાં આવેલી રકમ કાળું નાણું હતું કે નહીં એ અંગે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા તપાસનો દોર શરુ કરાયો છે. કેન્દ્ર સરકારને નોટબંધી બાદ જનધન ખાતાંમાં જમા થયેલી ૬૦ ટકા રકમ એટલે કે રૂ.400 અબજ જેટલી મસમોટી રકમ કાળુ નાણું હોય એવું લાગે છે. માલુતજારોએ જનધન અકાઉન્ટ હોલ્ડરને અમુક રકમ આપીને તેમના નાણા જનધન અકાઉન્ટસમાં ડિપોઝીટ કરાવ્યા હોવાનું જણાય આવે છે. સમગ્ર દેશમાં આ પ્રકારે કૌભાંડ આચરીને બ્લેક મની વ્હાઇટ કરી દેવાયા હોવાની શંકા કેન્દ્ર સરકારને છે.

મળતી માહિતી મુજબ  આશરે ૩.૭૦ કરોડ જેટલાં જનધન અકાઉન્ટ્સમાં આ રૂપિયા જમા થયા હોવાની શંકા છે. આવા ખાતાં ૬૦ ટકા જેટલાં છે જેમાં નોટબંધીના એક સપ્તાહ બાદ રકમ જમા થઈ હતી. ૩.૭ કરોડ જેટલાં બૅન્ક ખાતાંમાં ૨૦૧૬ની ૮ નવેમ્બરથી ૨૦૧૬ની ૩૦ ડિસેમ્બર દરમ્યાન ૪૨૨ અબજ રૂપિયા જમા થયા હતા. જાન્યુઆરી ૨૦૧૭ના સમયમાં જનધન ખાતાંમાંની રકમ ૭૦૦ અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આમાંથી ૬૦ ટકાથી વધુ રકમ સામે સંદેહની નજરે જોવાય છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT) પાસે આવેલા આંકડા મુજબ પ્રથમદર્શી રીતે આ વાતને સમર્થન મળે છે. આ આંકડા ૧૮૭ રિપોર્ટિંગ એજન્સી તરફથી મળેલા છે. આ બધાની પણ તપાસ ચાલુ છે જે સમય માગી લે છે.

આ જનધન યોજનાનાં અકાઉન્ટ્સની અને તેના ડિપોઝિટર્સના પ્રોફાઇલની ચકાસણી થઈ રહી છે. આ રકમ ખરેખર તેમની છે કે બીજાની એ વિશે બારીક તપાસ હજી ચાલુ છે. આ રૂપિયા ગેરકાનૂની છે કે કેમ એ તપાસ એજન્સીઓની તપાસને કોર્ટ વૅલિડ ગણે એ પછી નક્કી કરાશે.

September 6, 2018
homosexuality.jpg
1min5510

કલમ 377 અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બંધારણીય બેંચે કહ્યું- સમલૈંગિકતા હવે અપરાધ નહીં

કલમ 377 પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સંમતિથી બંધાયેલા સમલૈંગિક યૌનસંબંધોને ગુનાની શ્રેણીમાં મૂકતી કલમ 377ની માન્યતાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેઓ તપાસ કરશે કે શું જીવવાના મૌલિક અધિકારમાં ‘યૌન આઝાદીનો અધિકાર’ સામેલ છે કે નહીં.

શું કહ્યું ચીફ જસ્ટિસે ?

કલમ 377 બાબતે ચુકાદો આપતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું, “કોઇપણ પોતાના વ્યક્તિત્વથી બચી શકતું નથી. સમાજ હવે વ્યક્તિગતતા
માટે ઘણો સારો છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણા વિચાર-વિમર્શ વિભિન્ન પાસાઓ દર્શાવે છે.”

– “હું જે છું એ છું. પરિણામે જેવો છું તે જ સ્વરૂપમાં મારો સ્વીકાર કરવામાં આવે. સમલૈંગિક લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.”

કલમ 377 શું કહે છે

– બેંચે સ્વીકાર્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. લોકોએ પોતાના વિચારોમાં પરિવર્તન લાવવું પડશે. સીજેઆઇ દીપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું કે સમાન જાતિવાળા લોકોની વચ્ચે સંબંધ બનાવવો હવે કલમ 377 હેઠળ નહીં આવે.

– જજોએ કહ્યું કે સમાજ પૂર્વગ્રહોથી મુક્ત હોવો જોઇએ. દરેક વાદળમાં ઇંદ્રધનુષ શોધવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ઇંદ્રધનુષી ધ્વજ એલજીબીટી સમુદાયનું પ્રતીક છે. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ 377ને મનમાની કલમ ગણાવી.