Blog - Page 642 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 6, 2018
prafuldoshi.jpg
1min7020

Contact to give more details   98253 44944

સ્ત્રી રોગ અને મેટરનિટી હોમ ક્ષેત્રમાં અગ્રણી નામ ધરાવતા ડો. પ્રફુલ દોશી સામે દુષ્કર્મની પોલીસ ફરીયાદ થતાં તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

સુરતના નાનપુરામાં મી એન્ડ મમ્મી નામે પ્રસૃતિ ગૃહ તેમજ આઇ.વી.એફ. તેમજ અન્ય સ્ત્રી રોગની સારવાર માટે હોસ્પિટલ ચલાવતા ડો. પ્રફુલ દોશી અને ડો.મિત્સુ દોશી પોલીસ કાર્યવાહીથી બચવા માટે લાપતા થઇ જતા તેમનો બહોળો પેશન્ટ વર્ગ મુશ્કેલીમાં મૂકાઇ ગયો છે. અનેક ગર્ભવતી મહિલાઓના રૂટિન ચેકઅપ ખોરવાય જવા પામ્યા છે. અનેક મહિલા પેશન્ટસની એપોઇન્ટમેન્ટ કેન્સલ થઇ જવા પામી છે.

તબીબને સામાન્ય માણસો ભગવાન ગણે છે અને જ્યારે તબીબ પાસે સારવાર-ચિકિત્સા ચાલતી હોય ત્યારે દર્દીઓને તેમના પર અથાગ શ્રદ્ધા હોય છે. આવી સ્થિતિમાં ડો. પ્રફુલ દોશી સામે દુષ્કર્મની ગંભીર ફરીયાદ સામે આવતા તેમના બહોળા પેશન્ટ વર્ગમાં દ્વિધાભરી સ્થિતિ સર્જાવા પામી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ જ્યારથી ગર્ભ ધારણ કરે ત્યારથી બાળકના જન્મ સુધી એક જ તબીબની સારવાર લેતી હોય છે આવી સ્થિતિમાં ડો. પ્રફુલ દોશી સામે ફરીયાદ થતા અનેક મહિલા પેશન્ટસની શ્રદ્ધા ડો. પ્રફુલ દોશી પરથી ડગી ગઇ છે. ડો. પ્રફુલ દોશીની સાથે તેમના પત્ની ડો.મિત્સુ દોશી પણ ભૂગર્ભમાં ઉતરી જતા કશુંક રંધાય રહ્યાની અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.

હાલ તો મી એન્ડ મમ્મી હોસ્પિટલ ખાતે તેમના આસિસ્ટન્ટ ક્લાયન્ટ્સની દેખરેખ કરી રહ્યા છે પરંતુ, તેમના બહોળા પેશન્ટ વર્ગમાં દોશી દંપતિ પ્રત્યેની શ્રદ્ધા ડગી જવા પામી છે.

ડો. પ્રફુલ દોશી પર મંગળવાર તા.4 ઓગસ્ટ 2018ની મધરાતે એક પરણિતાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. એ પછી ગઇકાલ બુધવાર તા.5 અને આજે તા.6 સપ્ટેમ્બર 2018ના રોજ ડો. પ્રફુલ દોશી અને ડો. મિત્સુ દોશી દંપતિનો કોઇ અતોપતો ન હતો. તેમનો સ્ટાફ એવું જણાવી રહ્યો છે કે તેઓ બહારગામ ગયા છે પરંતુ, હકીકતમાં ડો. પ્રફુલ દોશી પોલિસ કાર્યવાહીથી બચવા માટે અને કાયદાકીય રીતે આગળ વધવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયેલા હોય એમ જણાય આવે છે.

September 6, 2018
lowestair.jpg
1min5620
  • એતિહાદ અને ઇન્ડીગો દ્વારા ઇન્ટરનેશનલ રુટ્સના ફ્લાઇટ રેટસનું સેલ શરૂ થઇ રહ્યું છે
  • જેટ એરવેઝ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના ઘટાડેલા દરો જાહેર કરી દીધા છે

 

આંતર રાષ્ટ્રીય ફ્લાઇટ્સના દરો અત્યંત ઘટાડી દઇને હવે ભારતીય પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે. જેટ એરવેઝ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રિટર્ન ટિકીટના ભાવે અસામાન્ય રીતે ઘટાડાયા બાદ હવે એતિહાદ અને ઇન્ડીગો દ્વારા પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના દરો ઘટાડવાની ઘોષણા કરવામાં આવી છે અને આ બન્ને એરલાઇન્સની ટિકીટમાં સેલ આગામી બે દિવસમાં શરૂ થઇ રહ્યું છે. શરત ફક્ત એ છે કે ચેન્નઇથી ઉડવાનું રહેશે.

ઇન્ડીગો અને એતિહાદ દ્વારા મિડલ ઇસ્ટ કન્ટ્રીઝની ટિકીટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે જ્યારે જેટ એરવેઝ દ્વારા ડાયરેક્ટ યુરોપીયન દેશોની ફ્લાઇટ્સના દરો ઘટાડી દેવાયા છે.

જેમકે આગામી મહિનાથી ચેન્નઇ થી દુબઇની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.12 હજારથી રૂ.15 હજાર જેટલા ઘટી રહ્યા છે. એવી જ રીતે ચેન્નઇથી પેરીસની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.45 હજાર જેટલા વધુ હતા તેમાં રૂ.32 હજાર જેટલો ઘટાડો થયો છે. હવે ચેન્નઇથી પેરીસની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.59 હજારથી રૂ.62 હજાર છે જે પહેલા રૂ.65 હજારથી વધુ હતા.

ડેસ્ટીનેશન         નવા દરો                       જૂના દરો

ચિકાગો           57થી 67 હજાર                60થી 75 હજાર

પેરીસ              30થી 35 હજાર                 35થી 38 હજાર

ફ્રેન્કફર્ટ            41થી 46 હજાર                 45થી 50 હજાર

લંડન               37થી 44 હજાર                 40થી 49 હજાર

દુબઇ               11થી 15 હજાર                   13થી 16 હજાર

અબુ ધાબી      17,700થી 20 હજાર         18થી 25 હજાર

વધુમાં એતિહાદ દ્વારા એવી પણ ઘોષણા કરવામાં આવી છે કે કંપની દ્વારા એરલાઇન્સના નેટવર્ક વિસ્તારમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના દરજ્જાઓમાં ઇકોનોમી ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ભારતના ટ્રાવેલ ઓપરેટર્સ પણ જણાવે છે કે ચેન્નઇથી ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સ પર ફરવા જવા માટેની આ સૌથી સસ્તી ઇન્ટરનેશનલ એરટિકીટ હશે.

September 6, 2018
we1.jpg
1min35530

બિઝનેસમાં ઇનોવેશન જરૂરી : ડો.જગદીશ સખીયા

સુરત :વર્લ્ડવાઈડ આંત્રપ્રિન્યોર(WE)ની પહેલા ચેપ્ટર “આગાજ”સાથે જોડાયેલા સભ્યોની બેઠક મળી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ અને વક્તા તરીકે શહેરના જાણીતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ જગદીશ સખીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમને તમામ ઉદ્યોગસાહસિકો સમક્ષ પોતાની સકસેસ સ્ટોરી “સંઘર્ષ સે શિખર તક” વર્ણવી હતી.

ડો.જગદીશ સખિયાએ જણાવ્યું હતું કે તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે ત્યારે તેઓ જ્યારે ભણતા હતા ત્યારે પરિવારની આવકનો સ્ત્રોત માત્ર ખેતી જ હતો. એવામાંય ભણતર કર્યું અને ઉચ્ચ અભ્યાસ માટે વાત આવી ત્યારે પરિવારની માસિક આવક દોઢસો રૂપિયા જેટલી હતી. જે પૈકી ૫૦ રૂપિયાની માગણી એડમિશન માટે કરતાં પિતાએ ના પાડી દીધી હતી. ઉચ્ચ અભ્યાસની ખેવના મનમાં હતી. પણ એન્જીનીયરીંગ માં જવું કે મેડીકલમાં એ દુવિધા હતી. આખરે સિક્કો ઉછાળીને નિર્ણય લીધો તો નસીબમાં મેડિકલમાં જવાનો આવ્યો. પણ અહીં પણ તમામ બેઠકો હાઉસફુલ હતી. માત્ર ડર્મેટોલોજિસ્ટ વિભાગમાં પ્રવેશ મળે એમ હતું. એટલે તે શાખામાં જ પ્રવેશ લીધા અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડર્મેટોલોજિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી. પણ આ ક્ષેત્રમાં સામાન્ય કરતાં કઈ નવું કરવું હતું એટલે ૪૦ દેશોના પ્રવાસ ખેડ્યો અને આ ક્ષેત્રમાં નવી ઇનોવેશન કરવાની સાથે આજે આજે ડર્મેટોલોજિસ્ટ ક્ષેત્રે એ બ્રાંડનેમ બની ગયું છે.

ડો.જગદીશ સખીયાએ ઉદ્યોગસાહસિકોને આહવાન કર્યું હતું કે હંમેશા બિઝનેસમાં ઇનોવેશન કરતા રહેવું. કારણકે ઉદ્યોગના વિકાસનો પાયો અને ગતિ હંમેશાં ઇનોવેશન પર જ આધાર રાખે છે. ત્યારે હંમેશા કંઈક નવું આપવાની ક્ષમતા દરેક ઉદ્યોગસાહસિકોમાં હોવી જરૂરી છે. આ વચ્ચે પ્રશ્નોત્તરી શેસનમાં ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના પણ તેમને ખુબ રસપ્રદ અને પ્રેરક ઉત્તર આપ્ય હતા. કોઈ વ્યક્તિને આપના બિઝનેસ વિશેની માહિતી આપવી અને તમામ બાબતશીખવાડવાથી તે વ્યક્તિ જ પોતાનો પ્રતિસ્પર્ધી બની શકે છે? આ સવાલનો જવાબ આપતાં ડૉ જણાવ્યું હતું કે શીખવેલી બધી જ વસ્તુ સામેની વ્યક્તિ કોપી કરી શકે પણ આપની બુદ્ધિમતા અને સ્કીલ એ ક્યારેય કોઈ ની કોપી કરી નહિ કરી શકે છે. એટલે આવી બાબતોથી ડરવાની જરૂર નથી. અંતે તેમને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે ઉદ્યોગસાહસિકોને આવ્હાન કર્યું હતું.

-x-x-x-x-

September 6, 2018
ra1.jpg
1min15680

 

 

 

 

 

 

 

 

ડુ બીફોર ડાઈ એનજીઓ અને સ્કોલર ઇંગ્લિશ એકેડેમી દ્વારા કરાયું એવોર્ડ સેરેમનીનું આયોજન

સુરત :શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ સુરત જ નહીં પણ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સરાહનીય  કામગીરી કરી માઇલસ્ટોન સ્થાપિત કરનાર આઠ હસ્તીઓને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એજ્યુકેશન એક્સેલેન્સી એવાર્ડ એનાયત કરાયો હતો. શહેરની ડુબીફોર ડાઈ એનજીઓ અને સ્કોલર ઇંગ્લિશ એકેડેમી દ્વારા આ એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું.

પીપલોદ ખાતેના સ્વસ્તિક હાઉસ ખાતે આયોજીત એવોર્ડ સેરેમનીમાં અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં સી.એ. રવી છાવછરિયા, સોનલ વૈદ્ય કુલકર્ણી, ડૉ. સંજય મેહતા, પ્રહર્ષા મેહતા, માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણી, મિનાક્ષી વખારિયા, તૃપ્તિ વ્યાસ  અને નિર્મલ મોટવાણીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એજ્યુકેશન એક્સેલેન્સી એવાર્ડથી સન્માનિત કરાયા હતા.

-x-x-x-x-

September 6, 2018
SGFI-sketing-competition-winners-1280x853.jpeg
1min9970

શહેરના કતારગામ ખાતે આવેલા એસએમસી જરીવાલા કોમ્પ્લેક્સમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસજીએફઆઇ) દ્વારા તાજેતરમાં સ્પીડ સ્કેટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં લગભગ 20 શાળાઓના 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓના વિકાસ માટે હંમેશા અગ્રેસર શાંતિ એશિયાટિક સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં અન્ડર-11 ક્વાડ બોઇઝ કેટેગરીમાં ભાવાર્થ દેસાઇએ પ્રથમ ક્રમ તથા અન્ડર-11 ગર્લ્સ કેટેગરીમાં નેન્સી મિસ્ત્રીએ ત્રીજો ક્રમ હાંસલ કરીને શાળાને ગૌરવ અપાવ્યું છે.આ વિદ્યાર્થીઓની વડોદરા ખાતે ચાલુ મહિને યોજાનારી રાજ્ય સ્તરિય કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી છે.

September 5, 2018
funds.jpg
1min5950

મુંબઇ અને સુરત જેવા શહેરોમાં હાલ ગણપતિ ઉત્સવના નામે ફંડ-ફાળા ઉઘરાણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગણપતિ ઉત્સવ માટે ફંડફાળો ઉઘરાવવા માટે યુવક મંડળો ક્યાં જોર-જુલ્મી ક્યાંક પ્રેમ-મુહોબ્બત તો ક્યાંક સ્વૈચ્છીક સહારો લેતા હોય છે પરંતુ, છેલ્લા ત્રણેક વર્ષમાં મોટા ભાગે સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે ગણપતિ બેસાડતા યુવક મંડળો ફિક્સ ફાળો અને એ પણ દાબદબાણથી ઉઘરાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિને કારણે જ ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં ગણપતિના ફાળાની ઉઘરાણીમાં જ એક યુવાનનું મર્ડર થઇ ગયું હોવાની વિગતો જાણવા મળે છે.

વડોદરામાં યુવાનનું મર્ડર

વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે ભૈરવનગર પાસે રહેતા કેટલાક યુવાનો દ્વારા બહુચર્ચીત ઉકાજીના વાડીયામાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે. તેના માટે ફાળો ઉઘરાવવાના મામલે વિવાદમાં આ વિસ્તારના સંજુ ચંદુભાઇ કહાર, કાલુ કહાર અને અજય કહાર રવિવારે રાત્રે ઉકાજીના વાડીયામાં જ રહેતા રમેશ ઉર્ફે ટીનો રણછોડભાઇ ભોઇની સાથે બોલાચાલી થઇ હતી. જાહેર રસ્તા પર આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે, મારામારીની સાથે આસપાસમાં ઉભી રહેલી લારીઓની તોડફોડની પણ ઘટના બની હતી. આ મામલો પોલીસ મથક સુધી પહોચી ગયો હતો. બંન્ને પક્ષે પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઇ હતી. પરંતુ પોલીસ પગલા ભરે તે અગાઉ તો ફરીથી સોમવારે સવારે પણ મામલો બિચક્યો હતો. એક તબક્કે તો આસપાસના લોકોએ વચ્ચે પડીને ટીના અને સંજુને છોડાવ્યા હતા. ટીનો ત્યાંથી રવાના થઇ ગયો હતો.

સુરતમાં દાદાગીરી કરીને ગણપતિ ઉત્સવના ફાળાની ઉઘરાણું

સુરત શહેરમાં અનેક માર્ગો પર ગણેશજીની સ્થાપના કરતા યુવકો દ્વારા આસપાસના દુકાનદારો, વ્યવસાયિકો પાસેથી દાદાગીરી કરીને ફંડફાળાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી ચૂકી છે. દુકાનદારો કે વ્યવસાયિકો ગણેશ મંડળોને તેમના માગ્યા મુજબનો ફાળો નહીં આપે તો તેના ધંધાકીય સ્થળની સાથે તોડફોડ કરવામાં આવતી હોવાની પણ ફરીયાદો ઉઠી છે. કેટલાક યુવક મંડળો દ્વારા રૂ.1100થી લઇને રૂ.10 હજાર સુધીનો ફાળો દુકાનદારો, વ્યાપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યાની બુમો ઉઠી છે. કેટલાક યુવક મંડળોએ તો ફંડ ઉઘરાણાની આખેઆખી રશીદ બુકો જ બજારમાં ફરતી કરી દીધી છે. પોતાના વિસ્તારમાંથી તો ફાળો ઉઘરાવતા હોય છે પરંતુ, મંડળો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોથી લઇને સુરત અને આજુબાજુના ગામડાઓમાંથી પણ ગણેશના નામે ફંડફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે.

September 5, 2018
HDFCergo-1.jpg
2min9500

Jayesh Brahmbhatt  98253 44944

એચડીએફસી અર્ગોએ સાઇબર જોખમ સામે રક્ષણ અપાવવા માટે એક વીમા પોલિસી લોન્ચ કરી છે. તેમાં બિનસત્તાવાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ફિશિંગ અને ઇ-મેઇલ સ્પૂફિંગ, ઇ-એક્સટોર્શન, આઇડેન્ટિટી થેફ્ટ, ઇ-રેપ્યુટેશનને નુકસાન સામે રક્ષણ આપવામાં આવશે.

આ પોલિસીમાં વ્યક્તિઓને અને તેમના પરિવારોને નાણાકીય અથવા પ્રતિષ્ઠાનું નુકસાન પહોંચાડી શકે તેવા સાયબર એટેક, સાયબર ફ્રોડ અને ડિજિટલ જોખમો સામે સંપૂર્ણ રક્ષણ આપવાનો વિકલ્પ છે. તેના હેઠળ સમ એસ્યોર્ડ ₹50,000થી લઈને એક કરોડ સુધી છે. ₹50,000ની પોલિસી ઉતરાવવાનો વાર્ષિક ખર્ચ ₹1,410 આવશે જ્યારે એક કરોડના કવર માટેનું પ્રીમિયમ ₹25,198 છે. સમ એસ્યોર્ડના 0.14 ટકાથી લઈને ત્રણ ટકા સુધી પ્રીમિયમ રહેશે.

એચડીએફસી અર્ગોના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે ભારત બીજા ક્રમનું સૌથી મોટું ઓનલાઇન માર્કેટ છે અને જોરદાર વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સાથે સાથે સાયબર રિસ્ક અને ફ્રોડના પ્રમાણમાં પણ વધારો થયો છે. આ ઇન્શ્યોરન્સ પોલિસી વ્યક્તિને આધુનિક કનેક્ટેડ લાઇફની સાથે આવતાં જોખમો સામે રક્ષણ પૂરું પાડશે. સાયબર સતામણી કે ધમકીના કારણે વ્યક્તિએ મનોવૈજ્ઞાનિકની મદદ લેવી પડે તો તેના કાઉન્સેલિંગ સત્રમાં ઉઠાવવા પડતા સત્રનો ખર્ચ આવરી લેશે. આ ઉપરાંત જોખમના કારણે કોઈ વિવાદ થાય તો તેના લીગલ ખર્ચને પણ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના 2016ના અહેવાલ પ્રમાણે ૨૦૧૬માં સાયબર ક્રાઇમના કેસમાં એક વર્ષમાં 6.3 ટકા વધારો થયો હતો અને 12,317 ગુના નોંધાયા હતા.

 

E@Secure Insurance Policy

The word INTERNET has turned our existence upside down. It has changed the way we work, socialize, create and share information and organize the flow of people, ideas, and things around the globe. Today, we spend much of our time on the internet surfing, shopping, sharing and even meeting new people. There is no doubt that internet has given us convenience and improved our life enormously, but at the same time it has also proven as a dangerous place which exposes us to the risks that exist in cyber space, such as the risk of damage to your e-reputation, fraudulent transactions with your credit cards, debit cards, theft of your personal information, etc.

HDFC ERGO brings to you E@Secure Insurance, a product designed to provide protection to individual customers in the event of online breach (arising directly from the use of internet) by the third parties resulting due to covered risk.

Key Features

  • Protection against cyber risks and frauds carried out from any device anywhere in the world
  • Coverage for entire family including spouse, 2 dependent children (no age limit)
  • Pays for legal advice and covers legal cost / expenses arising out of any covered risks
  • Covers unauthorized online transactions
  • Covers loss due to phishing and email spoofing
  • Covers online reputation & identity theft
  • Covers cyber bullying, internet trolling & harassment
  • Covers loss due to E-extortion
  • Covers cost for consulting psychologist
  • Various pre-determined limits to choose from

 

September 5, 2018
congress.jpg
1min8740

Jayesh Brahmbhatt 98253 44944

 

સિનિયર કોંગ્રેસી નેતા શ્રી બાબુભાઈ રાયકાને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવ્યા બાદ આવતીકાલે તા.6 સપ્ટેમ્બરના રોજ પહેલો પબ્લિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

કોંગ્રેસના નેતા શ્રી અસદ કલ્યાણીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આવતીકાલે તા. ૬/૯/૨૦૧૮ ગુરુવાર ના રોજ બપોરે ૩:૩૦-કલાકે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ડૉ. બાબા આંબેડકર પ્રતિમા, માન દરવાજા, રિંગ રોડ, સુરત ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં રોજેરોજ વધતા પેટ્રોલ ડિઝલના ભાવો ડામવામાં નિષ્ફળ નિવડેલી કેન્દ્ર સરકાર સામે ઉગ્ર દેખાવો યોજવામાં આવશે.

કોંગ્રેસ ના તમામ કાર્યકરમિત્રોએ હાજર રહેવા વિનંતી. શ્રી બાબુભાઇ રાયકા (પ્રમુખ_સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ)

September 5, 2018
Ravi_chaav.jpg
3min11800

A well known Educational Personality of Surat CA Ravi Raghav Chhawchharia

“No deserving student should ever be deprived of an opportunity to get educated and build a successful life merely because of financial disability.” This has been the most prominent motto of my life and today, on Teacher’s day, I want to share with you my extremely dear and visionary project – CA STARS.

‘CA STARS’, is the dream of my life, the mission of my life – India’s only wholistic free CA education program for the talented but financially weak aspirants.

From my very first year, I have always provided free education to financially underprivileged students, who are talented and have strong desire to learn.
Many of such past students are today successful professionals and working well in practice and industry.

Later on, I increased the number of such beneficiary students and designed a structured and dedicated program for them which came to be known as – CA STARS to enable them to compete one of the most toughest exams of the country.

Under CA STARS, a written analytical test is conducted across Gujarat and Rajasthan, in which students from cities, small towns and villages appear.
The selected students are interviewed and a visit to their residence is conducted.

They are then provided complete free education for full 4 years of CA course along with free accommodation and food in Surat. They are given special attention and facilities.

No sort of donations or financial assistance is taken from anyone.

Under CA STARS, six months before, out of 38 students, 27 passed and in recent exam out of 34 students, 24 passed the CA Intermediate(IPCC) exam.

Thus, last year, out of total 72 students, 51 passed the CA Intermediate exam and are now continuing Final.

Selection to CA STARS is not just based on Merit, but on the will power and inner potential of the student.
In coming years, we will increase such students and will select them from across India.

Regards,
RaviRaghav Chhawchharia

September 5, 2018
prafuldoshi.jpg
1min14490

Contact for more information  98253 44944

સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતા ગાયનેક તબીબી વર્તુળ ગણાતા સુરતના મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડો. પ્રફુલ દોશી સામે ગઇ મધરાત્રે પરણિતા સાથે દુષ્કર્મ કર્યાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે.

અઠવાલાઇન્સ પોલીસમાં એક પરણિતાએ નોંધાવેલી પોલીસ ફરીયાદ અનુસાર પરણિત મહિલા પુત્ર પ્રાપ્તિની ટ્રીટમેન્ટ માટે નાનપુરા ડક્કા ઓવારા નજીક આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં ડો. પ્રફુલ દોશી પાસે ગઇ હતી. જ્યાં ડો. પ્રફુલ દોશીએ તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરીયાદમાં નોંધાવાયું છે. ડો. પ્રફુલ દોશીએ તેણીને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. પરણિતાએ પોલીસને જણાવ્યું કે મંગળવાર તા.4 સપ્ટેમ્બર 2018ના રોજ એ જ્યારે ડો. દોશીની હોસ્પિટલમાં ગઇ હતી ત્યારે પહેલા તેણીને ઇન્જેકશન આપવામાં આવ્યું હતું. એ પછી પરણિતાને ડો. પ્રફુલ દોશીની ચેમ્બરમાં લઇ જવાઇ હતી જ્યાં ડો.પ્રફુલ દોશીએ નર્સિંગ સ્ટાફને ચેમ્બરની બહાર કાઢી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરણિતાની ફરીયાદને પગલે પોલીસે મધરાત્રે ડો. પ્રફુલ દોશી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસ મથકે ફરીયાદ દાખલ કર્યા બાદ આજે તા.5મી સપ્ટેમ્બર 2018ના રોજ સવારથી જ ડો. પ્રફુલ દોશી ગાયબ જણાયા હતા. તેમનો મોબાઇલ ફોન પણ બંધ હતો અને તેઓ હોસ્પિટલ પર પણ ઉપલબ્ધ ન હતા. બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં અઠવાલાઇન્સ પોલીસની ટીમ નાનપુરા ખાતે આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં તપાસ માટે ગઇ હતી જ્યાં સ્ટાફે પણ ડો. પ્રફુલ દોશી સવારથી હોસ્પિટલ આવ્યા ન હોવાનું જણાવ્યું હતું.