CIA ALERT

Blog - Page 617 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 27, 2018
dinesh-bambhaniya.jpg
1min5120

દિનેશ બાંભણિયાએ હાર્દિકના ઉપવાસને રાજકીય નાટક ગણાવતા પાસના જ આગેવાન દિનેશ બાંભણિયા સંગીન આરોપ લગાડતા કહ્યું છે કે અનામતનો મુદ્દે ભૂલીને હાર્દિક રાજનીતિ કરે છે. જેડી યુ સાથે મળીને હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજો મોરચો ઉભો કરવા સક્રિય હોવાનો આક્ષેપ પણ બાંભણિયાએ કર્યો છે.

બાંભણિયાના કહેવા મુજબ હાર્દિક પટેલનું JDU સાથે કનેક્શન છે. જેથી JDUના મહામંત્રીએ હાર્દિકના સારવાર માટે ખર્ચો કર્યો છે. દિનેશે આ મુદ્દે કહ્યું કે, હાર્દિકને કેમ ખબર પડી કે તેને સારવાર લેવા જવું પડશે. બેંગ્લોરમાં હાર્દિકે 3.60 લાખનો ખર્ચ સારવાર પાછળ ખર્ચ્યા છે,જ્યારે મસાજ પાછળ હાર્દિકે 50 હજારનો ખર્ચો કર્યો છે.

એટલું જ નહીં હાર્દિક સારવારના બહાને દિલ્હી આનંદ કરવા ગયો હોવાનો આડકતરો આક્ષેપ પણ બાંભણિયાએ કર્યો છે. દિનેશ બાંભણિયાનું કહેવું છે કે,’આ સિવાય 19 સપ્ટેમ્બરે કિડનીની સારવારના બહાને હાર્દિક દિલ્હી ગયો હતો. અને દિલ્હીમાં ભરપૂર ડાંસ કર્યો હતો તેનો વીડિયો હાલ મારી પાસે છે. તો દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે હાર્દિકની બેઠક થઈ હતી.’

October 27, 2018
rajkot.jpg
1min7290

રાજકોટના 6 ગામના ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 56 જેટલા ખેડૂતોએ એક સાથે આત્મવિલોપનની ચીમકી આપતા ખળભળાટ મચ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2016-17નો મગફળીનો વીમો 123 જેટલા ખેડૂતોને હજી મળ્યો નથી. આ મામલે સરકાર પણ મદદ ન કરતી હોવાની ખેડૂતોની રાવ છે. ખેડૂતોના કહેવા મુજબ વીમાની રકમ અંદાજે દોઢ કરોડ જેટલી થવા જાય છે.

લાંબા સમયથી વીમાની રકમ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. ગુસ્સે થયેલા ખેડૂતો આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ના દિવસે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આત્મવિલોપનની ચિીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જયેશ રાદડિયા થોડા સમય પહેલા ખેડૂતો સાથે એસબીઆઇ બેંકમાં જઈને બેંક મેનેજરનો કડક ભાષામાં વાત કરીને ચીમકી ઉચ્ચારી હતી કે, જો એક મહિનામાં ખેડૂતોને વીમાની રકમ નહીં મળે તો જેતપુરની અંદર તમામ એસબીઆઈ બેંકને તાળા મારી દેવામાં આવશે.

ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડિયાનું કહેવું હતું કે 150 ખેડૂતોએ સમયસર બેંકને પ્રિમિયમ ભરી દીધું હતું. આ પ્રિમિયમ કોઈ કારણને લીધે બેંક તરફથી વીમા કંપનીને મળ્યું ન હતું. બેંક અને વીમા કંપનીની તકરારમાં ખેડૂતો છેલ્લા 11 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે.

October 27, 2018
dps2-1280x853.jpg
1min16680

सूरत । छात्रों के सर्वांगी विकास के लिए हमेशा आगे रहने वाली दिल्ली पब्लिक स्कूल के कक्षा 5 और 6 के छात्रोंने दो विशिष्ट और महत्वपूर्ण मुद्दों को ध्यान में रखते हुए वार्षिक समारोह का आयोजन किया। जिसमें पर्यावरण की सुरक्षा तथा युवा पेढ़ीमें पुस्तक वांचन के प्रति प्रेम को जीवंत रखने पर विशेष ध्यान दिया गया।

गौर तलब है कि तत्वम-गाथा ऑफ एलिमेन्ट्स विषय पर आयोजित कार्यक्रम में जाति अस्तित्व के लिए कारणभूत सृष्टि के पांच तत्व शक्ति से भरपुर पृथ्वी, अनन्त अवकाश, पानी का अविरत प्रवाह, अग्नि और वायुको समाविष्ट किया गया था। इन सभी के सुन्दर तालमेल के कारण पृथ्वी पर मानव का अस्तित्व संभव बना है । परन्तु मानव ने हमेशा सृष्टि को नुकसान पहुंचाने का ही काम किया है । पर्यावरण की सुरक्षा के बारे में जागृति फैलाते हुए कक्षा 5 और 6 के ए, बी, सी, और डी क्लास के तत्वम-गाथा ऑफ एलिमेन्ट्स की सुन्दर प्रस्तुति के साथ प्रकृति की सुरक्षा के प्रति मानव की जिम्मेदारी समझाने वाला संदेश दिया था। इसके अलावा किताबे करती हैं बातें थी मद्वारा छात्रोंने समझाया कि आज के डिजीटल और तिव्र विश्व में पुस्तक के प्रति लोगों की रूचि घट रही है । आज के दौर में सब कुछ ऑनलाइन उपलब्ध है, ऐसे में पुस्तक हमारे लिए महत्व पूर्ण हैं उसकी जानकारी दी गई थी।

कक्षा 5 और 6 केइ, एफ, जी और एच क्लास के छात्रोंने किताबें बातें करती है विषय पर चर्चा की थी । इसी के साथ डांस और स्किट द्वारा उन्होंने पुस्तकों के प्रति प्रेम, वांचन के आनंद और प्राप्त होने वाले ज्ञान के बारे में गहरायी से प्रस्तुति दी । इस प्लेटफोर्म के माध्यम से उन्होंने सुन्दर विचार और आत्मविश्वास को प्रदर्शित किया।

-x-x-x-x-

News in Gujarati

દિલ્હી પબ્લિક સ્કૂલ સુરતના વિદ્યાર્થીઓએ બે મહત્વપૂર્ણ થીમ ઉપર વાર્ષિક સમારોહની ઉજવણી કરી

સુરત, ઓક્ટોબર, 2018: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રણી દિલ્હી પબ્લિક સ્કૂલ સુરતના ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓએ બે વિશિષ્ટ અને મહત્વપૂર્ણ મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને વાર્ષિક સમારોહની ઉજવણી કરી હતી, જેમાં પર્યાવરણની સુરક્ષા તથા યુવા પેઢીમાં પુસ્તક વાંચન પ્રત્યેનો પ્રેમ જીવંત રાખવા ઉપર વિશેષ ધ્યાન અપાયું હતું.

ઉલ્લેખનીય છે કે તત્વમ્-ગાથા ઓફ એલીમેન્ટ્સ વિષય ઉપર આયોજિત કાર્યક્રમમાં મનુષ્ય જાતિના અસ્તિત્વ માટે કારણભુત સૃષ્ટિના મુખ્ય પાંચ તત્વો-શક્તિથી ભરપૂર પૃથ્વી, અનંત અવકાશ, પાણીના અવિરત પ્રવાહ, અગ્નિ અને વાયુને આવરી લેવાયા હતાં. આ તમામ વચ્ચેના સુંદર તાલમેલને કારણે પૃથ્વી ઉપર માનવીનું અસ્તિત્વ શક્ય બન્યું છે જોકે, મનુષ્યો હંમેશાથી કુદરતને નુકશાન પહોંચાડ્યું છે. પર્યાવરણની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવતા ધોરણ 5 અને 6ના એ,બી, સી અને ડી ક્લાસના વિદ્યાર્થીઓએ તત્વમ્-ગાથા ઓફ એલીમેન્ટ્સની સુંદર રજૂઆત સાથે પ્રકૃતિની સાચવણી પ્રત્યે માનવીની જવાબદારી સમજાવતો સંદેશો પાઠવ્યો હતો.

આ ઉપરાંત કિતાબેં કરતી હૈ બાતેં થીમ દ્વારા વિદ્યાર્થીઓએ સમજાવ્યું હતું કે આજના ડિજિટલ અને ઝડપી વિશ્વમાં પુસ્તક પ્રત્યે લોકોની રૂચિ ઘટી રહી છે. આજના સમયમાં બધું જ ઓનલાઇન ઉપલબ્ધ છે તેવા સંજોગોમાં આપણા માટે પુસ્તક કેટલાં મહત્વપૂર્ણ છે તેની આવશ્યકતા અંગે જાણકારી અપાઇ હતી. ધોરણ 5 અને 6ના ઇ,એફ, જી અને એચ ક્લાસના વિદ્યાર્થીઓએ કિતાબેં કરતી હૈ બાતેં વિષય ઉપર માહિતીસભર ચર્ચા કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં. આ સાથે ડાન્સ અને સ્કિટ દ્વારા તેમણે પુસ્તક પ્રત્યે પ્રેમ, વાંચનના આનંદ અને પ્રાપ્ત થતાં જ્ઞાન વિશે ઉંડાણપૂર્વકની રજૂઆત કરી હતી. આ પ્લેટફોર્મ મારફતે તેમણે સુંદર વિચારો અને આત્મવિશ્વાસ પ્રદર્શિત કર્યો હતો.

-x-x-x-

October 27, 2018
mahendra2-1280x960.jpg
1min6390

સચિનના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મહેન્દ્રભાઇ ડી. રામોલિયાનની અધ્યક્ષતામાં સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટી લિ.ની આજે મળેલી કારોબારીની બેઠકમાં આગામી તા.4 નવેમ્બરથી તા.17 નવેમ્બર 2018 સુધીના દિવાળીના તહેવારોમાં રજા રહેવાની હોઇ, આ સમયગાળા દરમિયાન ચોરી-લૂંટફાટ કે અન્ય કોઇ ઘટનાઓ ન બને તેની તકેદારી કેવી રીતે રાખી શકાય, આગોતરા શું પગલાં ભરી શકાય તે અંગે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભામાં સચીન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજા વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં શ્રી મહેન્દ્રભાઇ રામોલિયાએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ માટે એક ગાડીનો ખર્ચ સચીન ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોશીએશન અને ગ્લોબ એન્વીરો કેર લિ. તરફથી ઉઠાવવામાં આવશે જ્યારે એક ગાડી નોટિફાઇડ સોસાયટીના સંચાલન અન્વયે તૈનાત રહેશે. આ ઉપરાંત જરૂરીયાત મુજબ સિક્યુરીટી ગાર્ડ્સ તેમજ ગનમેનની વ્યવસ્થા પણ નોટિફાઇડ એરીયા ઓથોરિટીમાંથી કરાવવામાં આવશે. હાલ મંદીના માહોલમાં સચિન ઇન્ડસ્ટ્રીલય ખાતે આવેલા યુનિટ્સ તા.4 નવેમ્બરથી તા.17 નવેમ્બર સુધી બંધ રહે તેવી શક્યતાઓ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસ સ્ટેશન દ્વારા જાળવવામાં આવશે.

વધુમાં શ્રી મહેન્દ્રભાઇ રામોલિયાએ સચીન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શ્રી વસાવાને સૂચન કરવામાં આવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીયલ  સોસાયટીમાં રોડ નં.6-4 જંકશન પાસે મોટા ભાગની બેંકો આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન બેંકોમાંથી રોકડ ઉપાડ થતો હોઇ અહીં ખાતેદારોની સલામતિ માટે પોલીસ બેંક કામકાજ સમય દરમિયાન તૈનાત રહે તો અનિચ્છનીય ઘટના નિવારી શકાશે. આ સૂચનના પ્રતિસાદમાં સચીન પી.આઇ શ્રી વસાવા સાહેબે યોગ્ય વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

બેઠકમાં શ્રી મહેન્દ્રભાઇ રામોલિયા ઉપરાંત સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ઉપપ્રમુખ શ્રી મુકેશ સોજિત્રા, સેક્રેટરી શ્રી નિલેશ કોરાટ, કમિટી સભ્યો શ્રી વિનોદભાઇ ભુવા, કાળુભાઇ રૂડાણી, બોની અંટાળા, હિરેન માવાણી, સચીન ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી વિનોદભાઇ અગ્રવાલ, ગ્લોબ એન્વીરો કેરના ચેરમેન શ્રી પારસ મહેતા અને ચેતન દેસાઇ સમેત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

October 27, 2018
tarik.jpg
1min5470

લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે છેડો ફાડ્યા બાદ આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ને શનિવારે સવારે  રાજકીય નેતા તારિક અનવર સત્તાવાર રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મળીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અનવર તેમના સમર્થકો સાથે તુઘલક લેન ખાને રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા અને રાહુલ ગાંધીએ તેમને કોંગ્રેસમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શરદ પવારના રાફેલ મુદ્દે મોદી તરફી નિવેદન બાદ 28 સપ્ટેમ્બર અનવરે એનસીપીમાંથી છેડો ફાડ્યો હતો

 

 

October 27, 2018
rbi_modi.jpg
1min10920

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યે સરકારની દરમિયાનગીરી મુશ્કેલીજનક હોવાનો સાફ મત વ્યક્ત કર્યો

સીબીઆઇ બાદ હવે આરબીઆઇમાં કેન્દ્ર સરકારની દરમિયાનગીરી સામે વાંધો ઉઠ્યો છે અને વાંધો અન્ય કોઇએ નહીં પણ રિઝર્વ બેંકના ઉચ્ચ અધિકારીએ ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેન્દ્ર સરકારની ડખલગીરીને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નરેન્દ્ર મોદી સરકાર માટે સારા દિવસો નહીં હોવાની સ્થિતિ હવે સાર્વત્રિક રીતે જોવા મળી રહી છે.

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ તા.26મી ઓક્ટોબર 2018ના રોજ મધ્યસ્થ બેન્કની સ્વતંત્રતા અને ઓછો અધિકારોને લઈને સરકાર પર કટાક્ષ કર્યો અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા. આચાર્યએ જણાવ્યું કે સરકાર ચૂંટણી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને T-20 મેચ જેવા વિચારો સાથે નિર્ણયો લે છે, જ્યારે આરબીઆઈ ટેસ્ટ મેચ રમે છે. તેમનો ઈરાદો હંમેશા જીત મેળવવાનો રહે છે, પરંતુ ભવિષ્યના પડકારોને પણ ધ્યાનમાં રાખવા પડે છે.

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર આચાર્યએ કહ્યું હતું કે જે સરકાર મધ્યસ્થ બેન્કની સ્વાયત્તાનું સન્માન નથી કરતી, તેને આર્થિક મોરચે નુકસાની સહન કરવી પડે છે. આવુ કરવું કોઈપણ સરકાર માટે સેલ્ફ ગોલ કરવા જેવું પુરવાર થાય છે.

આચાર્યએ જણાવ્યું હતું કે આરબીઆઈ ટૂંકા ગાળાના લાભની અવગણના કરે છે કારણ કે લાંબા ગાળામાં સારા પરિણામો મેળવી શકાય અને નાણાકીય સ્થિરતા જળવાઈ રહે. આરબીઆઈના ડેપ્યુટી ગર્વનરે વધુમાં ઉમેર્યું હતું કે સરકારના ચંચૂપાતથી આરબીઆઈનું કામ પ્રભાવિત થાય છે. તેમણે કેન્દ્રીય બેન્કથી અલગ પેમેન્ટ રેગ્યુલેટર નિયુક્ત કરવાના સરકારના પ્રયારો પર પણ નિશાન સાધ્યું હતું.

October 27, 2018
The-Institute-of-Cost-Accountants-of-India.jpg
1min12730
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)નું પ્લેસમેન્ટ તાજેતરમાં મુંબઈમાં થયું હતું. જેમાં મૂળ રાજકોટના જસ્મીન કુબાવતને ઓએનજીસીમાં રૂ. ૧૮ લાખનું પેકેજ મળ્યું હતું. ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓને સરેરાશ રૂ. ૬થી ૮.૫૦ લાખના પેકેજ મળ્યા હતા. અમદાવાદ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટટ્સ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે. જેમાં જૂન-૨૦૧૮માં પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને જોબ ઓફર આપવા માટે ૬ કંપનીઓ આવી છે.

CMA પ્લેસમેન્ટમાં ઓએનજીસી દ્વારા આંશિક રીતે દિવ્યાંગ એવા જસ્મિન કુબાવતને 18 લાખના પેકેજની ઓફર

મુંબઈમાં થયેલા પ્લેસમેન્ટમાં ૧૮ લાખનું પેકેજ મેળવનારા જસ્મીન તુલશીભાઈ કુબાવતે જણાવ્યું હતુ કે, મારું CMA ક્વોલિફીકેશન જૂન-૧૮માં પૂર્ણ થયું છે અને મારું સિલેક્શન ONGCમાં વાર્ષિક રૂ. ૧૮ લાખના પેકેજથી થયું છે. CMAના આ અભ્યાસક્રમ દરમિયાન મને અમદાવાદ ચેપ્ટરે ખૂબ જ મદદ કરી છે. અમદાવાદ ચેપ્ટર દ્વારા મોક ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જે મને ખૂબ જ મદદરૂપ થયા હતા.
CMA કોણ કરી શકે કેવી રીતે કરી શકાય
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ અકાઉન્ટસ કોર્સ ધો.12 પાસ કોઇપણ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કરી શકે. સી.એ., સી.એસ. ની જેમ સીએમએ ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમ આધારિત કોર્સ છે. સી.એમ.એ. સાથે અન્ય રેગ્યુલર ડિગ્રીનો અભ્યાસ પણ કરી શકાય છે. વધુ માહિતી માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સર્ફ કરવી.
October 27, 2018
mahuva.jpg
1min7000
  • ભાવનગર મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યા બાદ મામલો બિચક્યો
  • આગજની, તોડફોડના બનાવો
  • તોફાનીઓને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના 19 સેલ છોડયા
  • મહુવામાં પાંચ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ
  • મોરારી બાપુની તલગાજરડા કથા પૂર્વે પૂર્વવત સ્થિતિ સ્થાપવા પોલીસના પ્રયાસો

ભાવનગર મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યાનો મામલે તા.26મીની રાતથી આગજની, તોડફોડના બનાવ બન્યા હતાં. તેના પગલે તોફાની ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના 19 સેલ છોડયા હતાં.રાત દરમિયાન દસ જેટલી દુકાનમાં તોડફોડ અને આગ લગાડવા અંગે 45 શખસની અટકાયત કરાઇ હતી. તા.26મી ઓક્ટોબર 2018ના રોજ આખો દિવસ મહુવા ગામ સજ્જડ બંધ રહ્યું હતું કલેકટર દ્વારા પાંચ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં હુકમ થયો છે.

ત્રણ દિવસ પહેલા મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ચાર શખસે હત્યા કરી હતી. આ ખૂનના બનાવના પગલે મહુવામાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમિયાન 26મીએ રાત્રે લોકોનું ટોળુ રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને’ હોસ્પિટલ રોડ પર સાજન સજની નામની દુકાનમાં આગ લગાડી હતી. નેસવડ ચોકડી પાસે તોડફોડ કરી હતી. આ ઉપરાંત એક વાહન સળગાવવામાં આવ્યું હતું અને રેંકડી, લારીઓ અને કેબીન, દુકાનોમાં તોડફોડ કરી હતી. પોલીસના કહેવાતા ચાંપતા બંદોબસ્તની પરવા કર્યા વગર ટોળાએ શરૂ કરેલી તોડફોડ અને આગજનીના પગલે પોલીસે તોફાની ટોળા પર કાબુ લેવા માટે ટીયર ગેસના 19 સેલ છોડયા હતાં. એ પછી તોફાન કાબુમાં આવ્યા હતાં.

રાતના દસ વાગ્યાથી શરૂ થયેલા તોફાન સવારે ચાર વાગ્યાની આસપાસ કાબુમાં આવ્યા હતાં. આ છ કલાક દરમિયાન દસ જેટલી દુકાનમાં તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી. જેમાં મોબાઇલ ફોન, કપડા, કરિયાણા વગેરેની દુકાનોનો સમાવેશ થાય છે. આ તોફાનના પગલે આજે શુક્રવારે મહુવા ગામ સજ્જડ બંધ રહ્યું હતું.’ હાલમાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ છે. એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તોફાનના પગલે જિલ્લા કલેકટરે એક જાહેરનામુ બહાર પાડીને મહુવામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરાવી છે.

શાંતિ માટે અપીલ: મહુવામાં ફરી ફેલાયેલી તંગદિલીના પગલે જિલ્લા પોલીસ વડા, ધારાસભ્યો અને રાજકીય આગેવાનોએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આવતીકાલથી તલગાજરડામાં મોરારીબાપુની કથા શરૂ થઇ રહી છે ત્યારે તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તેવી લોકમાગણી ઉઠી છે.

October 26, 2018
destiny.jpg
2min16790

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

કોઇપણ શહેરના વિકાસમાં તેની અસલ પેઢીઓ યોગદાન મહત્વપૂર્ણ હોય છે અને એ અસલ પેઢીઓ અનેક તડકી-છાંયડી, તેજી-મંદીના દૌર વચ્ચે પણ સતત, અવિરત, અડગ, અણનમ પેઢી દર પેઢી જોવા મળતી હોય છે. સુરતની આવી જ એક પેઢી છે ડેસ્ટિની પરીવારની મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ શોપ, જે આજે રેડીમેડ ગારમેન્ટ્સના ચૌતરફા આક્રમણ વચ્ચે અને ઓનલાઇન શોપિંગના જમાનામાં પણ અડીખમ પ્રોગ્રેસ કરી રહી છે.

જીવન વર્ષની અડધી સદીના વર્ષ વટાવી ચૂકેલી પેઢી હોય કે આજના યંગસ્ટર્સની પેઢી હોય ક્લોધિંગ અને ટેલરિંગમાં ડેસ્ટિની પરિવારે શહેરના ગ્રાહકોમાં જે શાખ બનાવી છે એ આજે પણ વિશ્વસનીય બની છે. 1977થી એટલે કે આજથી 41 વર્ષ પહેલા સુરતના ચોકબજાર ખાતે ડેસ્ટિની મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ શોપ શરૂ થઇ હતી. આજે એ વટવૃક્ષ બનીને ઉભરી આવી છે.

મહેશભાઇ ભગવાકર, કિરીટભાઇ ભગવાકર અને રાજુભાઇ ભગવાકર, આ ત્રણેય ભાઇઓએ સિંચેલી સંસ્થા એટલે ડેસ્ટિની મેન્સ ક્લોધિંગ. ચોકબજાર ખાતેની ડેસ્ટિની શોપ બાદ ડેસ્ટિનીએ શહેરના પારલે પોઇન્ટ વિસ્તારમાં મેન્સ ક્લોધિંગ અને ટેલરિંગ શોપ શરૂ કરી હતી. કહેવાય છે કે એ સમયે સમગ્ર પારલે પોઇન્ટ વિસ્તારમાં મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ ઓફર કરતી તેમની આ પહેલી બ્રાન્ચ હતી અને આજ ઇતિહાસને દોહરાવતા ડેસ્ટિની પરિવારે તાજેતરમાં નવરાત્રીમાં જ શહેરના પોશ એરીયા વીઆઇપી રોડ પર એમ્બ્રોઝિયા બિઝનેસ હબ ખાતે એજ ડેસ્ટિની વેન્ચર નામથી નવી મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ શોપ શરૂ કરી છે.

વીઆઇપી રોડ પર એમ્બ્રોઝિયા બિઝનેસ હબમાં એજ ડેસ્ટિની વેન્ચર

વીઆઇપી રોડ પર એમ્બ્રોઝિયા બિઝનેસ હબમાં એજ ડેસ્ટિની વેન્ચર ખાતે શહેરીજનોને મળશે ટ્રેન્ડી ફેબ્રિક, શૂટિંગ, શર્ટિંગ, ડિઝાઇનર્સ કલેકશન, કોટન, લિનન દરેક વેરાયટીમાં વિશાળ રેન્જમાં ઉપલબ્ધ બનશે. એજ ડેસ્ટિની વેન્ચર ખાતે મેન્સ ક્લોધિંગ, ટેલરિંગ અન્ડર એ રુફ એટલે કે બધું જ એક સ્થળે ઉપલબ્ધ હશે. શૂટિંગ-શર્ટિંગમાં વાઇડ રેન્જમાંથી સિલેકશન કરવાનો મોકો મળશે. ખાસ કરીને મેરેજ ફંકશન, કોર્પોરેટ લૂક માટેના શર્ટિંગ, શૂટિંગ વગેરે તમામ વિકલ્પો માટે એક વખત એજ ડેસ્ટિની વેન્ચરની મુલાકાત લેવી રહી.

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ ખાતે મળશે આલ્હાદક અને કમ્ફર્ટેબલ એમ્બિયન્સ, સિલેકશન માટે બેસ્ટ માહોલ )

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ આપનો શોપિંગ મૂડ બનાવે તેવા ઇન્ટિરીયર સાથે )

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ ખાતે વાઇડ રેન્જ સ્ટોકને કારણે સિલેક્શનમાં અનેક વિકલ્પો મળે છે.)

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ ખાતે ટ્રેન્ડ, ફેશન બધું જ અન્ડર એ રૂફ ઉપલબ્ધ )

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપનું ઇન્ટિરીયર આપને શોપિંગ માટે બેસ્ટ સિચુએશન ક્રિએટ કરે એવું.)

આ અંગે વધુ માહિતી આપતા ડેસ્ટિની બ્રાન્ડના શ્રી મહેશભાઇ ભગવાકરે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ડેસ્ટિની પેઢીનું નવું સોપાન ડેસ્ટિની એજ નવું સાહસ છે એટલે તેનું સંચાલન પણ અમારા પરિવારની નવી પેઢી જ કરી રહી છે. જુગલ ભગવાકર, મિહિર ભગવાકર, વ્યોમલ (વિકી) ટેલર અને મોહિત (મોન્ટુ) ટેલર, ચારેય યંગસ્ટર્સ વીઆઇપી રોડ ખાતે એજ ડેસ્ટિનીનું સંપૂર્ણ સંચાલન કરી રહ્યા છે.

ડેસ્ટિની પરિવારના જ અને પારલે પોઇન્ટ ખાતેની શોપનું સંચાલન કરતા શ્રી રાજુભાઇ ભગવાકરે જણાવ્યું કે ડેસ્ટિની બ્રાન્ડ આજે સુરતના લોકોમાં વિશ્વસનીય નામ એટલે જ બન્યું છે કેમકે અમે કાપડથી લઇને સિલાઇ, ફિટિંગ્સ, ટ્રેન્ડ, ગ્રાહકોની જરૂરીયાત બધા જ ફેક્ટર્સને કેન્દ્રમાં રાખીને કાળજીપૂર્વક બિઝનેસ કરી રહ્યા છીએ. ડેસ્ટિની પરિવાર સાથે આજે શહેરના હજારો ગ્રાહકો જોડાયેલા છે, રેડીમેડ ગારમેન્ટસ ગમે તેટલા આકર્ષક કે સસ્તા દરે મળતા હોય, ડેસ્ટિની ક્લોધિંગ અને ટેલરિંગ જેવો સંતોષ ગ્રાહકોને બીજે મળતો નથી હોતો, આ જ અમારી બ્રાન્ડ વેલ્યુ કહો કે ઇમેજ કહો. એમ રાજુભાઇએ ઉમેર્યું હતું.

ચોકબજાર ખાતેની ડેસ્ટિની શોપ ચલાવતા કિરીટભાઇ ભગવાકરે કહ્યું કે ડેસ્ટિની ક્લોધિંગ અને ટેલરિંગની વિશેષતા જ એ છે કે રેડીમેડ ગારમેન્ટસ ગમે તેટલા આકર્ષક હોય પણ ડેસ્ટિનીમાંથી લીધેલું કપડું અને તેની સિલાઇ બાદ જ્યારે ગારમેન્ટ તૈયાર થઇને ગ્રાહક પાસે પહોંચે છે ત્યારે એ રેડીમેડ કરતા પણ વધુ આકર્ષક અને ફિટેડ એપેરલ બની જાય છે.

 

www.cialive.in is Surat based news portal. CIA live is the most surfed News Portal of Surat. CIA is getting Almost 25 thousands views & hits daily and it is growing daily…

We are promoting Surat’s Brands particularly those brands who are in business since 60’s or 70’s. If You would like to promote your brand, products, Service, institutions like this feel free to contact us on 98253 44944.

October 26, 2018
textile.jpg
1min8750

જીએસટી ક્રેડિટ લેપ્સના મુદ્દા પર થાકી જવાય એટલી રજૂઆતો રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કરી ચૂકેલા ફોગવાએ હવે 2012 અને 2015ની ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે સ્થાનિક વિવર્સને મળવાપાત્ર ઇન્ટ્રેસ્ટ સબસિડી અને કેપિટલ સબસિડીના જે પડતર કેસો છે તેને તાત્કાલિક અસરથી રિલીઝ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને રજૂઆતો કરી છે.

ફોગવાના પ્રેસિડેન્ટ અશોક જીરાવાળાએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે ગઇ તા.23મી ઓક્ટોબર 2018ના રોજ ફોગવાનું પ્રતિનિધિ મંડળ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને મળ્યું હતું ત્યારે ભૂતકાળની પોલીસી અન્વયે પડતર કેસો અંગેના મુદ્દા પર પણ વાટાઘાટો થઇ હતી. નવી ટેક્સટાઇલ પોલિસીનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે ફોગવાએ કેટલાક મુદ્દાઓ સમાવિષ્ટ કરવા માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆતો કરી છે.

ઇન્ડસ્ટ્રીલય પોલિસી 2015, ટેક્સટાઇલ પોલિસી 2012 અને નાના અને મધ્યમકદના ઉદ્યોગ માટેની ઇન્ટ્રેસ્ટ સબસિડી સ્કીમ 2009 ઓફલાઇન અન્વયે અંદાજે રૂ.650 કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી રહે છે. જો આ ચૂકવણી થાય તો સેંકડો કારખાનેદારોને અટકી ગયેલો લાભ ફરીથી મળી શકે તેમ છે.

ધ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી 2015 અન્વયે એપ્રિલ 2017 બાદ સુરત ડિસ્ટ્રીક ઇન્ડસ્ટ્રીઝ સેન્ટરમાં લાગુ થયેલા નવા કેસોને પણ મંજૂરી આપવાની બાબત પેન્ડીંગ છે, જો આ કામ હાથ પર લેવામાં આવે તો ઇન્ડસ્ટ્રીઝમાં સોફ્ટવેર અપડેશનની કાર્યવાહીને વેગ મળી શકે તેમ છે.

નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે 2009માં લાગૂ કરવામાં આવેલી ઇન્ટ્રેસ્ટ સબસિડી સ્કીમના કેસીસમાં હજુ સુધી સેંકશન થયેલી ફાઇલ્સ માટે ફંડ એલોકેશન કરવામાં આવ્યું નથી. ઘણાં વર્ષોથી આ લાભાર્થીઓને યોજનાના લાભથી વંચિત રહેવું પડી રહ્યું છે. આ મુદ્દાને પણ તાત્કાલિક રીતે ઉકેલવાના પ્રયાસો થવા જોઇએ.

તા.13મી જુલાઇ 2016ના રોજ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમક્ષ કરાયેલી રજૂઆતો કે જેમાં સબસિડી આપવાની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી મળી ગઇ હતી, પરંતુ, ડીઆઇસીમાં ફાઇલ્સ ગેરવલ્લે થવાને કારણે લાભાર્થીઓ સુધી લાભ પહોંચી શક્યા નથી. આ મામલામાં પણ દરમિયાનગીરી કરવા માટે ફોગવા દ્વારા મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે.