CIA ALERT

Blog - Page 533 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 21, 2019
sgcci3-1280x887.jpg
1min12860

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આજે તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહેલી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીનું મતદાન બરાબર સવારે 10ના ટકોરે શરૂ કરી દેવામાં આવ્યું છે.

પહેલા કલાકમાં જ 515 વોટ પડ્યા

સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ચૂંટણી પૂર્વે સવારે 9 વાગ્યાથી જ સી.એ. મિતિષ મોદી અને દિનેશ નાવડીયા કેમ્પન સમર્થકો સરસાણા પ્લેટિનમ હોલ પર પહોંચી ચૂક્યા હતા. પહેલા કલાકમાં જ 515 ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકોએ પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો. ચેમ્બરના જાણકારોનું કહેવું છે કે આટલું સ્પીડમાં વોટિંગ અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હતું.

મતદાનના પહેલા જ કલાકમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેનાથી વધારે ઉત્સાહ બન્ને પક્ષોના સમર્થકોમાં જોવા મળ્યો હતો. કેમકે મિતિષ મોદી તરફે અબકી બાર મોદી સરકાર જેવા સૂત્રોચ્ચાર શરૂ થયા હતા તો સામે દિનેશ નાવડીયા તરફે પણ સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. મતદારો પણ પહેલા કલાકમાં મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હતા.

પહેલું મતદાન આ મેમ્બરે કર્યું

સવારે 10ના ટકોરે મતદાન શરૂ થયું ત્યારે પહેલું મતદાન નિમ્નદર્શિત ફોટોવાળા મેમ્બરે કર્યું હતું.

બન્ને ઉમેદવારો વચ્ચે સોહાર્દભર્યું વાતાવરણ સર્જાયું

ચેમ્બરની ચૂંટણીના અધિકારી પૂર્વ પ્રમુખ પી.એમ. શાહ સાથે વર્તમાન પ્રમુખ હેતલ મહેતા, ભાવિ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ કેતન (કલ્લુભાઇ દેસાઇ) તેમજ બન્ને ઉમેદવારો સી.એ. મિતિષ મોદી અને ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા મતદાન પૂર્વે આ પ્રકારે મળ્યા હતા.

મિતિષ મોદીએ મતદાન કર્યું

સરસાણા પ્લેટિનમ હોલ ખાતે મતદાન શરૂ થતાંની સાથે જ સી.એ. મિતિષ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિનેશ નાવડીયાએ પણ ત્વરિત મતદાન કર્યું

શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયાએ પણ મતદાન શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો.

April 21, 2019
baps_logo.jpg
2min15440

યુનાઇટેડ આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ શ્રી સ્વામીનારાયણ મંદિરના સ્વરૂપમાં પહેલા હિંદુ મંદિરનું ખાત મુહૂર્ત મહંત સ્વામી મહારાજના હસ્તે તાજેતરમાં જ સંપન્ન કરવામાં આવ્યું છે. અબુધાબી ખાતે બીએપીએસ હિન્દુ મંદિરના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલા દબદબાભર્યા સમારોહમાં સાધુ સંતો અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેક જાયેદ પણ હાજર રહ્યા હતા. આ સાથે 5000થી વધુ ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

કયા લોકેશન પર હશે મંદિર

દુબઈ-અબુધાબી હાઈ-વે પર અલ રાભા ઉપનગરના કિનારે, આજે 27 એકરની ભૂમિ પર. આ મંદિર અબુધાબીથી 20 અને દુબઈથી 45 મિનિટના અંતરે બનશે. મંદિરનું નિર્માણકાર્ય 55 હજાર વર્ગ મીટરમાં તૈયાર થશે. જેમાં પાર્કિંગ માટે અલગથી જગ્યા રહેશે.

જુઓ વિડીયો, ભવ્યાતિભવ્ય હશે યુ.એ.ઇ.ના અબુધાબીમાં બનનારું બી.એ.પી.એસ. સ્વામી નારાયણ મંદિર

અબુધાબીમાં બનાવા જઈ રહેલા સ્વામિનારાયણ મંદિરનો ફાઈનલ પ્લાન

અબુધાબીમાં બની રહેલું મંદિર આટલું ભવ્ય હશે, જુઓ મંદિરની અંદરનો પ્લાન

Posted by Mahant Swami Na Ashirwad on Saturday, 20 April 2019

 

April 21, 2019
Tokyo-2020-Olympics.png
1min479

રમતના આ મહાકુંભમાં ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિક 2020ના કાર્યક્રમની જાહેરાત, આ દિવસથી થશે શરૂ
ટોક્યોમાં યોજાશે ઓલમ્પિક 2020

જાપાનની રાજધાની ટોક્યોમાં 2020ની ઓલિમ્પિક ગેમ્સ રમાશે, તાજેતરમાં ઓલમ્પિક્સની મહત્વની તારીખો અને કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી હતી.

 

ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઇ 2020 થી શરૂ થશે અને અંતિમ મુકાબલો તા. 9 ઑગસ્ટ 2020ના રોજ રમાશે. ટોક્યો ઓલમ્પિક્સના ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભિક દિવસ તા. 24 જુલાઇના રોજ રોવિંગ અને તીરંદાઝીની હરીફાઇ યોજાશે. 10 મીટર એર રાઇફલ મહિલા નિશાનબાઝી સ્પર્ધાનું આયોજન પહેલા દિવસે જ થશે. પહેલા દિવસે કુલ 11 પદક દાવ પર હશે, જેમાં તીરંદાઝી, સાઇક્લિંગ ફેસિંગ જુડો, તાયક્વાન્ડો પદકોમાં સ્પર્ધા થશે. જણાવીએ કે આ દિવસે પદક રાઉન્ડ પર રમવામાં આવશે. બીજા દિવસથી બાસ્કેટ બૉલની શરૂઆત થશે. એક ઑગસ્ટના 21 પદક માટે સ્પર્ધા થશે. આ દિવસે જુડો, ટ્રાઇથોલોન, નિશાનેબાજીના પદકો પર નજર રહેશે. આગલા દિવસે મેરૉથૉન, પુરુષ એથલેટિક્સ 100 મીટર, જિમ્નાસ્ટિક અને પુરુષ ટેનિસ વર્ગ એમ કુલ મળીને 26 પદક દાવ પર હશે.

ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાનું આયોજન થશે

8 ઑગસ્ટના કુલ 30 સ્પર્ધાઓના ખિલાડી ફાઇનલમાં સંઘર્ષ કરશે. આ દિવસે રિદમ જિમ્નાસ્ટિક, મહિલા ગોલ્ફ, પુરુષ બાસ્કેટબૉલ, પુરુષ બાસ્કેટ બૉલ, પુરુષ ફુટબૉલ, પુરુષ વૉલીબૉલ, અર્ટિસ્ટિક સ્વીમિંગમાં ફાઇનલ રમવામાં આવશે. આ રમતો સિવાય અન્ય ઘણી રમતોના ફાઇનલ આ જ દિવસે ફાઇનલ ઓયોજિત કરવામાં આવશે. 9 ઑગસ્ટના રમતોનું સમાપન થશે. આ દિવસે પુરુષ મેરૉથૉન આયોજિત કરાશે. ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાઓનું આયોજન કરવાનું છે.

April 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13910
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલાં મુસ્લિમ માતા – પુત્રને રિમાન્ડ પર લેવામાં આવ્યા બાદ મોરફિન ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખુલ્યું હતું. રાજસ્થાનના વણઓળખાયેલા સપ્લાયરે રાજકોટના રફિકને અગાઉ બે વખત ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
રાજસ્થાનનો સપ્લાયર ઉધારીમાં પણ માલ સપ્લાય કરવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે રાજકોટ ઉપરાંત – જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતનાં ગામોમાં રાજસ્થાની સપ્લાયરના સંપર્કમાં રહેતી વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી.
જંગલેશ્વરના તવક્કલ ચોકમાં રહેતા રફિક ઇબ્રાહિમ બેલિમ અને જુબેદા ઇબ્રાહિમ બેલિમ નામનાં મુસ્લિમ માતા – પુત્રને ગત તા.16/4ના એસઓજીના સ્ટાફે રૂ. રર.ર3 લાખની કિંમતના રરર.370 ગ્રામ મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
પીઆઈ આર. વાય. રાવલ તથા ફોજદાર એચ. એમ. રાણા તથા સ્ટાફે હાથ ધરેલી તપાસમાં રફિક બેલિમ રાજસ્થાનના ફકીર શખસ પાસેથી મોરફિન ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો અને એક જ વખત લાવ્યાનું રટણ કરતા પોલીસે મોબાઈલની કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી હતી અને રફિક બેલિમ રાજસ્થાની ફકિર શખસના સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું અને ચારથી પાંચ વખત ડ્રગ્સ ખરીદ્યાનું ખૂલ્યું હતું.
રાજકોટ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખૂલતા મોરફિન ડ્રગ્સ સપ્લાયરનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખૂલ્યું હતું. રાજકોટ પોલીસ રાજસ્થાન પોલીસની પણ મદદ માગી હતી અને રાજસ્થાની ફકીર શખસની શોધખોળ શરૂ કરી હતી તેમજ મોરફિન ડ્રગ્સનો મામૂલી જથ્થો ઉધારીમાં પણ આપવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ડ્રગ્સ નેટવર્ક ભેદવા માટેથી દોડધામ શરૂ કરી હતી.
April 21, 2019
rahane_smith.jpeg
1min6200

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની રાજસ્થાન રોયલ્સના સુકાની તરીકે અજિંક્ય રહાણેની બદલીમાં શનિવારે નિમણૂક કરાઈ હતી અને આશા કરાય છે કે આ ફેરફારથી આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં ટીમના અત્યાર સુધીના નિરાશાજનક સંગ્રામમાં પલટો લાવશે.

પોતાના રાષ્ટ્રની ટીમના દક્ષિણ આફ્રિકા ખાતેના છેલ્લાં પ્રવાસ દરમિયાન કેપટાઉન ટેસ્ટ મેચમાં બોલ ટૅમ્પરિંગના કૌભાંડમાં પોતાની સંડોવણી બદલ પોતાની પર મુકાયેલા એક વર્ષના પ્રતિબંધની મુદત પૂરી કરી ફરી રમતા થયેલા સ્મિથને ટીમનું ફરી સુકાન સોંપવામાં આવ્યું છે અને આ અંગેની જાહેરાત મુંબઈ ઈન્ડિયન્સ સામે અહીં મેચ પહેલા કરવામાં આવી હતી.

રોયલ્સની ટીમ તેની છેલ્લી આઠ મેચમાંથી છ હારી ગઈ હતી અને સ્પર્ધાના નોક-આઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે તેણે પોતાની છ મેચમાંથી ઓછામાં ઓછી પાંચ મેચ જીતવાની રહે છે.

સ્મિથને 2018ની સ્પર્ધાની શરૂઆતમાં પણ સુકાન સોંપાયું હતું, પણ બોલ ટૅમ્પરિંગના બનાવના પગલે તેની ગેરહાજરીમાં આ જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી હતી.

પણ, સ્મિથ 1લી મે સુધી સ્પર્ધાની મેચો માટે ઉપલબ્ધ હશે અને ત્યાં સુધીમાં રોયલ્સની ટીમે તેની ઘણીખરી લીગ મેચ રમી લીધી હશે.

સ્મિથે સાત મેચમાં ભાગ લઈ 37.20 રનની બૅટિંગ સરેરાશ સાથે કુલ 186 રન કર્યા છે જેમાં 73 રન તેનો શ્રેષ્ઠ દેખાવ રહે છે. રહાણેએ 25.12 રનની સરેરાશ સાથે કુલ 201 રન કર્યા છે જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 70 રનનો છે.

April 21, 2019
rahul_pandya1.jpg
1min5090

શહીદોની વિધવાઓ અને નેત્રહીન ક્રિકેટરોને ભંડોળ ફાળવવા આદેશ

બૉર્ડ ઑફ ક્ધટ્રૉલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના લોકપાલ ડી. કે. જૈને ટીવી કાર્યક્રમમાં વાંધાજનક જાતીય ટિપ્પણી કરનારા હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલને વ્યક્તિ દીઠ રૂપિયા 20 લાખનો દંડ કર્યો હતો. જૈને ભારતીય ક્રિકેટ બૉર્ડની સત્તાવાર વૅબસાઇટ પર લખ્યું હતું કે વિવાદાસ્પદ જાતીય ટિપ્પણી બાદ પાંચ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ નહિ રમી શકેલા પંડ્યા અને રાહુલની સામે કોઇ વધુ પગલાં નહિ ભરાય. અગાઉ, બન્ને ક્રિકેટરે બિનશરતી માફી માગી લીધી હતી.

હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલે અર્ધ લશ્કરી દળોના ફરજ દરમિયાન શહીદ 10 કૉન્સ્ટેબલની વિધવાને વ્યક્તિ દીઠ રૂપિયા એક લાખ ‘ભારત કે વીર ઍપ’ દ્વારા ચૂકવવાના રહેશે, જ્યારે બાકીના રૂપિયા દસ લાખ ‘ક્રિકેટ એસૉસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ’ માટે ઊભા કરાયેલા ભંડોળમાં જમા કરાવવાના રહેશે.

બન્ને ક્રિકેટરે 2019ની 19મી એપ્રિલના આદેશથી ચાર અઠવાડિયાંમાં દંડ ભરવાનો રહેશે અને જો તેઓ આ દંડ નહિ ભરે તો તેઓની મૅચ ફીમાંથી કાપી લેવાશે.

હાર્દિક પંડ્યા (પચીસ વર્ષ) અને કે. એલ. રાહુલ (27 વર્ષ)એ સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલા લોકપાલની સમક્ષ ચાલુ મહિને પોતાની રજૂઆત કરી હતી.

બન્ને ક્રિકેટરને માત્ર રૂપિયા 20 લાખનો દંડ જ થયો છે અને અન્ય કોઇ પગલાં નહિ ભરાવાના હોવાથી તેઓ યુકેમાં 30મી મેએ શરૂ થનારા ક્રિકેટના વિશ્ર્વકપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

April 21, 2019
modi.jpg
1min4780

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર હુમલોે કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ સ્પીડબ્રેકર દીદીની ઊંઘ ઊડી ગઈ છે. મા, માટી અને માનુષના નામે જનતાને છેતરી રહ્યાનો આક્ષેપ મોદીએ કર્યો હતો. દીદીએ ટીએમસીના પ્રચાર માટે પડોશી દેશમાંથી લોકોને બોલાવ્યા છે જે શરમજનક છે. બંગલાદેશના અભિનેતા ફરદોશ તેના પક્ષનો પ્રચાર કરી રહ્યો છે, આવું ભારતમાં પ્રથમવાર બન્યું છે.

પાકિસ્તાનના બાગલકોટ સ્થિત આતંકી કેમ્પ પર હવાઈ હુમલાનો મમતા બેનરજી પુરાવા માગે છે તેની ટીકા કરતા મોદીએ કહ્યું હતું કે ચીટફંડ કૌભાંડ પાછળના લોકોના પુરાવા દીદીએ લાવવા જોઈએ.

એનડીએ સરકાર આવ્યા બાદ સરહદપારથી થતી ઘૂસણખોરીને અટકાવાશે, એમ તેમણે કહ્યું હતું. 23 મે બાદ સરહદ પર વાડ બાંધવા અડચણરૂપ તત્ત્વોને વાસ્તવિકતાનું ભાન કરાવાશે.

શરણાર્થીઓને નાગરિકતાનો દરજ્જો આપવા એનડીએ સરકાર પ્રતિબદ્ધ છે. દેશના વિભાજન વખતે અમુક લોકો અન્ય દેશમાં રહ્યા હતા, પરંતુ ધર્મ અને આસ્થાના કારણે તેઓ બીજા દેશમાં હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ લોકો ક્યાં જશે? એમ તેમણે પ્રશ્ર્ન કર્યો હતો. તમામ ભારતીય અને સરકારની ફરજ છે કે આવા લોકોને બચાવવામાં આવે. સંસદમાં નાગરિકતા બિલ પસાર કરવા એનડીએ પ્રતિબદ્ધ છે. અમુક પાર્ટી આ બિલ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરે છે.

ટીએમસી, કૉંગ્રેસ અને ડાબેરીઓ વિભાજનની નીતિ અપનાવે છે. અમે જોડવાની અને સાથે લઈને ચાલવામાં માનીએ છીએ.

April 21, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5530

દેશના તમામ રાજ્યોમાં મુસ્લિમ વોટબૅંક નિર્ણાયક પરિબળ ગણાય છે ત્યારે ગુજરાતમાં મુસ્લિમ વોટબૅંકનું મહત્ત્વ લગભગ ખતમ થઈ ચૂક્યું છે.

હાલમાં પણ બંને મુખ્ય પક્ષો પૈકી કૉંગ્રેસે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ભરૂચની બેઠક પરથી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે તો એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી.

ગુજરાતમાં 9 ટકા જેટલાં મુસ્લિમો હોવા છતાં છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ લોકસભામાં ગયો નથી. અગાઉ કૉંગ્રેસના અહમદ પટેલ મુસ્લિમ વોટબૅંકના મજબૂત પ્રતિનિધિ તરીકે 1977, 1980 અને 1985માં ભરૂચ બેઠક પરથી લોકસભાની બેઠક પર ચૂંટાઈને આવ્યા હતા. એ પછી અહેમદ પટેલ રાજ્યસભામાંથી ચૂંટાઈને સંસદમાં ગયા છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરતા નથી. જ્યાં છ ટકા જેટલાં મુસ્લિમો છે એવા બનાસકાંઠામાંથી ભૂતકાળમાં જોહરાબેન ચાવડા (1962માં) લોકસભામાં ચૂંટાયાં હતાં અને 1977માં અમદાવાદમાંથી અહેસાન જાફરી લોકસભામાં પહોંચ્યા હતા. એ પછી કોઈ મુસ્લિમ ઉમેદવાર લોકસભમાં ચૂંટાઈને ગયો નથી.

April 21, 2019
rahul_gandhi-1.jpg
1min4570

દેશના લોકોએ ચોકીદારને ફરજમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવી કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નવેસરથી આક્રમક પ્રહાર કર્યા હતા.

મોદીએ ચોકીદારની ભૂમિકા ભજવવાનું વચન આપીને લોકો પાસે મત માગ્યા હતા, પરંતુ તેઓ માત્ર અનિલ અંબાણીના ચોકીદાર બનીને રહી ગયા હોવાને કારણે હવે દેશના લોકોએ તેમને ચોકીદારની ફરજમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
આજની તારીખમાં ચોકીદારના ચહેરા પર ભય સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હોવાનું રાહુલે કહ્યું હતું.

પરાજય, લોકો સામે ખુલ્લા પડી જવાનો અને એક વખત રાફેલ સોદાની યોગ્ય રીતે તપાસ શરૂ થશે પછી અનિલ અંબાણીની સાથેસાથે ચોકીદાર પોતે પણ જેલમાં જશે એવો ભય તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, એમ રાહુલે કહ્યું હતું.

મોદીજીને જેટલા પ્રયાસ કરવા હોય તેટલા કરી લેવા દો. બિહાર અને દેશના લોકોએ હવે તેમને ચોકીદારની ફરજમાંથી મુક્ત કરવાનો અને બીજી મુદત માટે તેમને ચૂંટી ન કાઢવાનો નિર્ણય લઈ લીધો છે, એમ રાહુલે કહ્યું હતું. બિહારમાં ભાજપ સત્તા પર હોવા છતાં મનમોહનસિંહના વડપણ હેઠળની યુપીએ સરકાર બિહારને સહાય કરવામાં એનડીએ સરકાર કરતા વધારે ઉદાર રહી હતી, એમ રાહુલે કહ્યું હતું. રાહુલે દાવો કર્યો હતો કે વર્ષ 2008માં જ્યારે કોશી વિસ્તારમાં પૂર આવ્યાં હતાં ત્યારે યુપીએ સરકારે બિહારને રૂ.100 કરોડ કરતા પણ વધુની સહાય કરી હતી, પરંતુ વર્ષ 2017માં બિહારમાં જ્યારે કુદરતી આફત આવી હતી ત્યારે મોદી સરકારે બિહારને પાંચ રૂપિયાની પણ મદદ નહોતી કરી.

April 21, 2019
PM-Modi-web.jpg
1min4930

ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો હવાલો આપી ચૂંટણીપંચે શનિવારે વડા પ્રધાન મોદીના જીવનઆધારિત વેબસિરીઝ હટાવી દેવા નિર્માતાને આદેશ કર્યો હતો.

‘મોદી-જર્ની ઑફ ઍ કોમન મેન’ (મોદી-એક સામાન્ય માનવીનું જીવન) નામની પાંચ પ્રકરણ ધરાવતી વેબ સિરીઝનું સ્ટિમિંગ (પ્રસારણ) તાત્કાલિક બંધ કરવાનો ચૂંટણીપંચે આદેશ આપ્યો હતો.

ચૂંટણીપંચના સભ્યોએ વેસસિરીઝનું ટ્રેઈલર જોયું હતું. અને તેના આધારે લોકસભા ચૂંટણી ચાલુ છે ત્યાં સુધી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ચૂંટણીપંચે આદેશમાં કહ્યું કે ‘જીવનકથાના સ્વરૂપમાં કોઈના જીવન આધારિત સામગ્રી જે કોઈ પણ રાજકીય પક્ષને લાભ થઈ શકે અથવા ચૂંટણી દરમિયાન બધાને સમાન તક ન આપે તેવી સામગ્રીને આદર્શ આચારસંહિતાના અમલ દરમિયાન દર્શાવવી જોઈએ નહીં.’ચૂંટણીપંચે અગાઉ વડા પ્રધાન મોદીના જીવનઆધારિત ‘પીએમ નરેન્દ્ર મોદી’ દર્શાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.