CIA ALERT

Blog - Page 503 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 31, 2019
pakwindies.jpg
1min5410

પાકિસ્તાનની ટીમ શુક્રવારે જયારે તેના પહેલા મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે ટકરાશે ત્યારે ઇંગ્લેન્ડમાં બે વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરેલ તેના ચમત્કારિક પ્રદર્શનમાંથી પ્રેરણા લેવાની કોશિશ કરશે. પાકિસ્તાનની ટીમે તેના પાછલા 10 ઈન્ટરનેશનલ વન ડે મેચમાં પરાજય સહન કર્યોં છે. જેમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 0-પ અને ઇંગ્લેન્ડ સામે 0-4ની હાર સામેલ છે. આ ઉપરાંત વોર્મઅપ મેચમાં પણ અફઘાનિસ્તાન સામે આંચકારૂપ હાર મળી હતી. આથી વર્લ્ડ કપના તેના પહેલા મેચમાં પાકિસ્તાનની કસોટી થશે.

બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ વોર્મઅપ મેચમાં ન્યુઝીલેન્ડ સામેની જોરદાર જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે અને પાક.ને હાર આપવાનો મકકમ મનસૂબો ધરાવે છે.

આ મેચ પૂર્વે પાક.ના સુકાની સરફરાઝ અહેમદે કહયું છે કે અમે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રદર્શનની પ્રેરણા લેવા કોશિશ કરશું કારણ કે ત્યારે પણ આવી જ સ્થિતિ હતી અને આખરે અમે વિજેતા બન્યા હતા ત્યારે પાક. ટીમે ભારત સામેના પહેલા લીગ મેચની હાર બાદ આફ્રિકા, શ્રીલંકા અને ઇંગ્લેન્ડને હાર આપીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. સરફરાઝે એમ પણ કહયું કે મોહમ્મદ આમિરની આગેવાની હેઠળની અમારી બોલિંગ લાઇનઅપ વેસ્ટ ઇન્ડિઝની આક્રમક બેટિંગ હરોળને ધ્વંશ કરવા સક્ષમ છે. અમારા નિશાન પર ક્રિસ ગેલ અને શાઈ હોપ રહેશે.

બીજી તરફ બે વખતની વિશ્વ વિજેતા વેસ્ટ ઇન્ડિઝની ટીમનો રેકોર્ડ પાક. સામે સારો રહયો છે. બન્ને વચ્ચેની વિશ્વ કપની 10 ટકકરમાં વિન્ડિઝનો સાતમાં વિજય થયો છે. છેલ્લે 201પના વર્લ્ડ કપમાં ક્રાઇસ્ટચર્ચમાં કેરેબિયન ટીમે પાકિસ્તાનને 1પ0 રને મોટી હાર આપી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં આ વખતે ક્રિસ ગેલ, એવિન લૂઇસ, શાઇ હોપ, શિમરોન હેટમાયર અને આંદ્રે રસેલ જેવા સારા બેટસમેન છે. સુકાની હોલ્ડરની આગેવાનીમાં તેની બોલિંગ લાઇન પણ મજબૂત છે. આથી મુકાબલો બરોબરીનો બની રહેશે. નોર્ટિંગહામની વિકેટ જો ઘાસવાળી હશે તો વેસ્ટ ઇન્ડિઝને ફાયદો થઇ શકે છે.

May 31, 2019
2018_5large_gujarat_map.jpg
1min5780

ગુજરાતમાંથી અમિત શાહ સહિત કુલ 3 નો સમાવેશ: માંડવિયા, રૂપાલા રાજ્યમંત્રી

પ્રધાનમંડળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરની હાઇપ્રોફાઇલ તેમજ વીવીઆઇપી બેઠક પર જંગી લીડ સાથે જીતેલા અમિત શાહ સહિત પૂર્વ પ્રધાન મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. જ્યારે 2014ના નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના સભ્ય જશવંતસિંહ ભાભોરને પડતા મુકવામાં આવ્યા છે.’ રૂપાલા અને માંડવિયાને રિપીટ કરાયા અને એ કારણે કોઇ નવા ચહેરાનો સમાવેશ થયો નથી. આ બન્ને સૌરાષ્ટ્રના નેતા છે.
2014ના મોદી પ્રધાનમંડળમાં ગુજરાતમાંથી છ પ્રધાનોનો સમાવેશ કરાયો હતો. જેમાં રાજ્યસભાના સાસંદ અરૂણ જેટલી અને સ્મૃતિ ઇરાની, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, હરીભાઇ ચૌધરી અને જશવંતસિંહ ભાભોરનો સમાવેશ થયો હતો જ્યારે હરીભાઇ ચૌધરી સામે સીબીઆઇ દ્વારા કથિત ભ્રષ્ટાચારના મામલે આક્ષેપ થતા તેઓ પાસેથી રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું.
2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે 26 એ 26 બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ આજે મોદી પ્રધાનમંડળમાં કોને સ્થાન મળશે તેની ચર્ચાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જેમાં નવસારીના સી.આર. પાટીલ, બનાસકાંઠાની બેઠક’ પર પ્રથમવાર ચૂંટાયેલા પરબત પટેલનો સમાવેશની ચર્ચા ચાલતી રહી હતી પરંતુ આ ચર્ચાને આખરી સ્વરૂપ ન મળી શક્યું અને પ્રધાનમંડળ કાર્યાલય તરફથી માત્ર બે જ સાસંદોને ફોન કરીને પ્રધાન પદના શપથ લેવા માટે આમંત્રિત કરાયા હતા.
May 31, 2019
agri.jpg
1min8260

આર્થિક ભીંસના સમયે સરકારે ખેડૂતોને પૂરતો પાક વીમો ય ન ચૂકવતા ખેડૂતો અને ખેડૂત સંસ્થાઓમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. દુષ્કાળને લીધે ખેડૂતો એકતરફ ભારે હાડમારી અનુભવી રહ્યા છે. 2018ની ખરીફ સીઝનના હજુ 33.65 ટકા દાવાઓ બાકી છે. એટલું જ નહીં કપાસની વીમાની હજુ ગણતરી જ થઇ નથી

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 2018ની ખરીફ સીઝનમાં 12.91 લાખ ખેડૂતોએ 22.37 લાખ હેક્ટર જમીનમાં કપાસ અને મગફળીના વાવેતર માટે વીમો મેળવ્યો હતો. એ પૈકી ખેડૂતોએ રૂ.365.53 કરોડનું પ્રિમીયમ ચૂકવ્યું હતુ. કેન્દ્ર અને રાજ્યએ સરખેભાગે રૂ.2667.20ની કુલ સબસિડી ભોગવી છે. આ રીતે કુલ પ્રિમિયમ રૂ. 3032.72 કરોડ ભરવામાં આવ્યું હતુ. જોકે એમાંથી અત્યાર સુધીમાં રૂ. 2038 કરોડના દાવા જ મંજૂર થયા છે.

રાજકોટ જિલ્લા બેંક વડે સમગ્ર જિલ્લામાંથી રૂ. 639 કરોડનું પ્રિમીયમ ભરાયું હોવાનો અંદાજ છે. એમાંથી ફક્ત રૂ. 319 કરોડ મગફળીના મંજૂર’ થઇને આવ્યા છે. ઉપલેટા, ધોરાજી અને પડધરી જેવા તાલુકાઓને તો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે છતાં કોડીનો ય વીમો મંજૂર થયો નથી.

સમગ્ર જિલ્લાની બધી બેંકોનો રૂ. 305 કરોડનો મગફળીનો વીમો મંજૂર થયો છે. એમાંથી અમરેલી જિલ્લા બેંકનો હિસ્સો રૂ. 141 કરોડનો છે. કપાસના વીમાની હજુ ગણતરી ચાલી રહી છે.

પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેનારા રાજ્યના 49.23 લાખ ખેડૂતેની 77.34 લાખ હેકટર વિસ્તાર જમીનમાં પકવેલા ખરીફ પાક માટે આ રકમ વીમા પ્રિમિયમ પેટે ચૂકવાઇ હતી.’ 2016-17માં 19.79 લાખ, જ્યારે વર્ષ 2017-18માં રૂા.16.53 લાખ’ તેમજ ખરીફ 2018માં 12.91 લાખના પ્રિમિયમ ખેડૂતોએ ભર્યા હતા. 2016-17માં 28.42 લાખ હેકટર, વર્ષ 2017-18માં 26.56 લાખ હેકટર અને ખરીફ 2018માં 22.37 લાખ હેકટર જમીનમાં થયેલા વાવેતર માટે વીમો લેવામાં આવ્યો હતો.

May 31, 2019
england.jpg
1min6480

વર્લ્ડ કપ-2019ના પ્રારંભિક મેચમાં યજમાન દેશ ઇંગ્લેન્ડે દ. આફ્રિકા સામેના મેચમાં નિર્ધારિત પ0 ઓવરમાં 8 વિકેટે 311 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં આફ્રિકાની આખી ટીમ 209ના જુમલે તંબુ ભેગી થઇ ગઇ હતી.

એ પૂર્વે ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 89 રન ઓલરાઉન્ડર બેન સ્ટોકસે કર્યાં હતા. આ ઉપરાંત બીજા ત્રણ ઇંગ્લીશ બેટધર ઓપનર જેસન રોય (પ4), જો રૂટ (પ1) અને કેપ્ટન ઇયાન મોર્ગન (પ7)ના નામે અર્ધસદી રહી હતી. આફ્રિકાના સુકાની ફાક ડૂ પ્લેસિસનો ટોસ જીતીને ઇંગ્લેન્ડને દાવ આપવાનો નિર્ણય અમુક અંશે નિષ્ફળ રહયો હોવાનું કહી શકાય. કારણ કે ઓવલની પિચ પર તેના ફાસ્ટ બોલરો સ્વિંગ મેળવી શકયા ન હતા. આથી આફ્રિકાને વિજય માટે કઠિન 312 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું.

આજે પહેલીવાર વર્લ્ડ કપની ઓપનિંગ બોલર કોઇ સ્પિનરે ફેકી હતી. આફ્રિકાના 40 વર્ષીય સ્પિનર ઇમરાન તાહિરે પહેલી ઓવરના બીજા જ દડે ઇંગ્લેન્ડના ઓપનર બેયરસ્ટોને વિકેટ પાછળ કેચઆઉટ કરાવ્યો હતો. 1 રને પહેલી વિકેટ ગુમાવ્યા બાદ જેસન રોય અને જો રૂટ વચ્ચે બીજી વિકેટમાં 106 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. રોય પ3 દડામાં 8 ચોકકાથી પ4 રન કરીને અને રૂટ પ9 દડામાં પ ચોકકાથી પ1 રન કરીને આઉટ થયા હતા.

સુકાની ઇયાન મોર્ગન અને ઓલરાઉન્ડર બેન સ્ટોકસે આફ્રિકા બોલરો પર દબાણ બનાવીને ચોથી વિકેટમાં 106 રનની આક્રમક ભાગીદારી નોંધાવી હતી. સુકાની મોર્ગન 60 દડામાં 4 ચોકકા અને 3 છકકાથી પ7 રને તાહિરનો શિકાર બન્યો હતો. ડીપ મીડલઓર્ડરના બેટસમેનોની આવન-જાવન વચ્ચે બેન સ્ટોકસ 49મી ઓવરમાં 79 દડામાં 9 ચોકકાથી 89 રને આઉટ થયો હતો. આમ છતાં ઇંગ્લેન્ડ 8 વિકેટે 311 રને પહોંચવામાં સફળ રહયું હતું. આફ્રિકા તરફથી એન્ગીડીએ 3 અને તાહિર-રબાડાએ 2-2 વિકેટ લીધી હતી.

May 31, 2019
jdu.jpg
1min8530

બિહારમાં ભાજપનાં મુખ્ય સહયોગી દળ રહેલા જેડીયુએ નવી મોદી સરકારમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. ભાજપે એનડીએનાં ઘટક પક્ષોને એક-એક મંત્રીપદનો પ્રસ્તાવ આપ્યો હતો. જે જેડીયુને માફક આવ્યો નથી. વડાપ્રધાન મોદીનાં શપથ સમારોહને થોડી વાર પહેલા જ જેડીયુનાં અધ્યક્ષ અને નીતિશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, તેમનાં પક્ષને કેન્દ્ર સરકારનો હિસ્સો બનવું નથી. તેમણે સાથે એમ પણ ઉમેર્યુ હતું કે આમાં નારાજગીનો કોઈ જ સવાલ નથી પણ જેડીયુને માત્ર સાંકેતિક હિસ્સેદારીમાં કોઈ રુચિ નથી. બિહારમાં ભાજપ અને જેડીયુ સારી રીતે મળીને સરકાર ચલાવે છે અને જેડીયુ એનડીએમાં પણ યથાવત જ રહેશે. આમાં નારાજગીનો કોઈ સવાલ જ નથી.

May 31, 2019
garba.jpg
1min10330

ગુજરાત સરકાર દ્વારા 2019માં ફરીવાર શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશન રાખવાની જાહેરાત કરવામાં આવતા શાળા સંચાલકોએ વિરોધ કર્યો છે. નવરાત્રી વેકેશન ટાળવા માટે આગામી દિવસોમાં શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી તેમની રણનીતિ ઘડવા અત્યારથી શાળા સંચાલકો તૈયારીમાં લાગી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નવરાત્રીનું નવ દિવસનું વેકેશન જાહેર કર્યું હતું. જેની અમલવારી સીબીએસઈ અને આઈસીએસઈ જેવા બોર્ડની શાળાઓ માટે મરજિયાત કરાઈ હતી. જ્યારે વેકેશન નહીં રાખનાર રાજ્ય બોર્ડ સંલગ્ન શાળાઓ સામે પગલાં લેવાની તાકીદ કરાઈ હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની સ્કૂલોએ સરકારની વાત માની હતી. જ્યારે સુરતમાં અનેક શાળાઓએ જાહેરનામાની ઉપરવટ જઈને સ્કૂલો ચાલુ જ રાખી હતી. ગત વર્ષના પ્રયોગ બાદ આ વર્ષે સરકાર નવરાત્રી વેકેશન નહિ રાખે તેવી અપેક્ષા વચ્ચે આ વર્ષે ફરી શિક્ષણ વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બરથી સાત ઓક્ટોબર સુધી આઠ દિવસનું નવરાત્રી વેકેશન જાહેર કર્યું છે. જેની સામે દિવાળીના ર1 દિવસના વેકેશનમાંથી કાપ મૂકી 13 દિવસ રજા અપાઈ છે અને ફરી શાળાઓમાંથી વિરોધ વંટોળ ઊઠી રહ્યો છે. નવરાત્રી વેકેશનથી રાજકોટની 466 સ્કૂલના 1.7પ લાખ અને રાજ્યની 1પ હજાર જેટલી સ્કૂલો તેમજ મેડિકલથી માંડી બીએ-બીકોમ સુધીની તમામ કોલેજોના વિદ્યાર્થીઓના ભણતરનું સાતત્ય ખોરવાશે. શિક્ષણ બોર્ડે આ વેકેશન ન આપવા કરેલા ઠરાવને પણ સરકારે ધ્યાનમાં લીધો નથી. આ અંગે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. ઓગસ્ટમાં જન્માષ્ટમીની પાંચ-છ દિવસની રજાઓ આવે, પછી સપ્ટેમ્બરમાં નવરાત્રી અને ઓક્ટોબરમાં દિવાળીનું વેકેશન હોય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે નવરાત્રી પછી તરત જ પરીક્ષા આવે. આ વર્ષે એનસીઈઆરટીનો અઘરો અને લાંબો કોર્સ દાખલ કરાયો છે. બાળકો અને શિક્ષકો કઈ રીતે પહોંચી શકશે ?

તેમણે વધુમાં કહ્યુ હતું કે 1ર વાગ્યા પછી ગરબી બંધ કરી દેવાતી હોય છે. હવે પહેલાની જેમ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ગરબા ચાલુ રહેતા નથી. આમ છતાં રાતે ઉજાગરા થતા હોવાનું લાગે તો સ્કૂલનો સમય સવારે સાતના બદલે બે કલાક મોડો કરવો જોઈએ. વેકેશન આઠ દિવસનું છે પણ તેની આગળનો એટલે કે ર9મી સપ્ટેમ્બર રવિવાર આવે છે અને આઠમી ઓક્ટોબરે દશેરા, એટલે કુલ 10 દિવસની રજા પડે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં હિતમાં નવરાત્રીનું વેકેશન રદ્દ કરવાની રજૂઆત કરવા શિક્ષણપ્રધાન સમક્ષ જવાના છીએ.

May 31, 2019
modisworn.jpg
1min5600

modi sworn in guests માટે છબી પરિણામ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના સભ્યોએ ગુરુવારે દેશ-વિદેશના નેતાઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મળીને અંદાજે 8,000 મહેમાનની હાજરીમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

રાષ્ટ્રપતિભવનના ફોર કૉર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 68 વર્ષીય મોદી અને પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મોદીએ બીજી વખત આ સ્થળે શપથ લીધા હતા.

અહીં યોજાયેલા ભવ્ય સમારંભમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, અનેક રાજ્યના મુખ્ય પ્રધાન, વિદેશી મહાનુભાવો, ફિલ્મ અને રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મહેમાન તરીકે હાજર રહ્યા હતા. શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરીસેના અને ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ આ કાર્યક્રમમાં હાજર રહેવા ગુરુવારે આવ્યા હતા, જ્યારે બંગલાદેશના પ્રમુખ અબ્દુલ હમીદ બુધવારની રાતે જ આવી ગયા હતા.

મોરિશસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ ગુરુવારે સવારે ભારતની રાજધાનીમાં આવ્યા હતા. ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ દિલ્હી આવ્યા ત્યારે વિદેશ સચિવ વિજય ગોખલેએ તેમનું સ્વાગત કર્યું હતું.

થાઇલેન્ડના ખાસ દૂત તરીકે ત્યાંના પ્રધાન ગ્રીસદા બૂનરાચનું ગુરુવારે સવારે રાજધાનીમાં આગમન થયું હતું.

સ્પૉટર્સ ક્ષેત્રના રાહુલ દ્રવિડ, સાઇના નેહવાલ, પી. ટી. ઉષા, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, પુલેલ્લા ગોપીચંદ, દીપા કરમાકર, ફિલ્મ ક્ષેત્રના બોની કપૂર, સુશાંતસિંહ રાજપૂત, રાજકુમાર હીરાની, રજનીકાંત, શાહરુખ ખાન, કંગના રનોટ, સંજય ભણસાલી, કરણ જોહર, ઉદ્યોગપતિઓમાં રતન તાતા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અજય પિરામલ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અધ્યક્ષ ક્રિશ્ર્ચિયન લેગાર્ડ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ગેટ્સને આ સમારંભમાં આમંત્રણ અપાયું હતું.

રાષ્ટ્રપતિભવનના પ્રવક્તા અશોક મલિકે જણાવ્યું હતું કે ગુરુવારે રાતે 7 થી 8.30 વાગ્યા સુધી યોજાયેલા શપથવિધિ સમારંભમાં આટલી મોટી સંખ્યામાં કદાચ સૌપ્રથમ વખત મહેમાનો હાજર રહ્યા હતા. ભોજન સમારંભ રાતે 9 વાગ્યે શરૂ કરાયો હતો અને તેની પહેલાં નાસ્તો પણ અપાયો હતો.

કિર્ગીઝસ્તાનના પ્રમુખ સૂરોનબય જીનબેકોવ, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી અને મ્યાનમારના પ્રમુખ યુ. વિન મિન્ટ પણ હાજર રહ્યા હતા.

શપથવિધિ સમારંભ આશરે 90 મિનિટ ચાલ્યો હતો અને તે પછી મહેમાનોને રાત્રિભોજન પીરસાયું હતું.

રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા યોજાયેલા ભોજન સમારંભમાં ‘દાળ રાયસીના’, પનીર ટીક્કા, રાજભોગ, લેમન ટાર્ટ સહિત અનેક વાનગીઓ હતી. ભોજનની પહેલાં નાસ્તો પણ અપાયો હતો. દાળ રાયસીનાની મુખ્ય સામગ્રી લખનઊથી લવાઇ હતી.

અગાઉ, ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મોદીના શપથવિધિ સમારંભમાં ગેરહાજર રહેવાની જાહેરાત કરી હતી.

નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદની 30મી મેએ યોજાયેલી શપથવિધિમાં બંગલાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડનો સમાવેશ કરતા સંગઠન – બૅ ઑફ બંગાળ ઇનિશિયેટિવ ફૉર મલ્ટિ-સૅક્ટરલ ટૅક્નિકલ એન્ડ ઇકૉનૉમિક કૉઑપરેશન (બીઆઇએમએસટીઇસી)ના સભ્ય દેશના વડાઓ, શાંઘાઇ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશનના હાલના વડા કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશસના વડા પ્રધાન સહિત વિદેશના અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું હતું, પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ નહોતું અપાયું.

બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના આ સમય દરમિયાન અન્ય ત્રણ વિદેશની યાત્રાએ ગયા હોવાથી તેઓ મોદીના શપથવિધિ સમારંભમાં હાજર રહી નહોતા શક્યા.

બંગલાદેશના મુક્તિસંગ્રામને લગતી બાબતોના પ્રધાન એ. કે. એમ. મોઝામ્મેલ હક મોદીના શપથવિધિ સમારંભમાં બંગલાદેશ સરકારના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા.

modi sworn in માટે છબી પરિણામ

 

 

May 31, 2019
modi_govt.jpg
1min6440

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૬૮ વર્ષીય નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદની બીજી મુદત માટે ગુરુવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મોદીની સાથેે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન, નીતિન ગડકરી સહિત અનેક પ્રધાને પણ શપથ લીધા હતા.

મોદીના પ્રધાનમંડળમાં ૨૪ કેબિનેટ કક્ષાના છે, જ્યારે એટલા જ પ્રધાન રાજ્ય કક્ષાના છે. રાજ્ય કક્ષાના નવ પ્રધાનને સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

ભૂતપૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરનો પ્રધાનમંડળમાં સમાવેશ થતાં કેટલાકને આશ્ર્ચર્ય થયું હતું.

નવા કેન્દ્રીય પ્રધાનમંડળમાં ડી. વી. સદાનંદ ગોવડા અને રામ વિલાસ પાસવાનનો પણ સમાવેશ થાય છે.

અગાઉની મોદી સરકારમાંના કેન્દ્રીય પ્રધાનો સુષમા સ્વરાજ, રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને મેનકા ગાંધીને નવા પ્રધાનમંડળમાંથી હાલમાં બાકાત રખાયા છે.

મોદી પોતાના પ્રધાનમંડળમાં કુલ ૮૦ પ્રધાન રાખી શકે છે. બંધારણમાંની જોગવાઇ મુજબ વડા પ્રધાન સહિત કેન્દ્રીય પ્રધાનમંડળમાંના પ્રધાનોની કુલ સંખ્યા લોકસભાના કુલ (૫૪૩) સભ્યમાંના ૧૫ ટકા સુધી રાખી શકાય છે.

નવા કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્ય તરીકે શપથ લેનારા અન્ય નેતાઓમાં નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરતકૌર બાદલ, થાવરચંદ ગેહલોત, રમેશ પોખરિયાલ, અર્જુન મુંડા, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નક્વી, પ્રહ્લાદ જોશી, મહેન્દ્રનાથ પાણ્ડેય અને ગિરિરાજ સિંહનો સમાવેશ થાય છે.

મોદીના પ્રધાનમંડળમાંના નવ રાજ્ય કક્ષાના પ્રધાનને સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

અરવિંદ સાવંત અને ગજેન્દ્રસિંહ શેખાવતનો કેન્દ્રીય પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો હતો.

નિત્યાનંદ રાય, રતનલાલ કટારિયા, વી. મુરલીધરન, રેણુકાસિંહ સરુતા અને સોમ પ્રકાશે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.

મોદી સરકારમાં ૨૪ કેબિનેટ પ્રધાન છે.

સંતોષ ગંગવાર, રાવ ઇન્દ્રજિત, શ્રીપાદ નાયક અને જિતેન્દ્ર સિંહને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

કિરણ રિજીજુ, પ્રહ્લાદસિંહ પટેલ, આર. કે. સિંહ, હરદીપસિંહ પુરી અને મનસુખલાલ માંડવિયાને પણ સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

ફાગણસિંહ કુલહસ્તે, અશ્ર્વિની ચૌબે, અર્જુન મેઘવાલ, વી. કે. સિંહને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે.

કૃષ્ણપાલ ગુર્જર, રાવસાહેબ દાનવે, જી. કૃષ્ણ રેડ્ડી, પુરુષોત્તમ રૂપાલા અને રામદાસ આઠવલે પણ રાજ્ય કક્ષાના પ્રધાન છે.

નિરંજન જ્યોતિ, બાબુલ સુપ્રિયો, સંજીવ બલયાન, સંજય ધોત્રે, અનુરાગ ઠાકુર અને સુરેશ આંગડીએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

રામેશ્ર્વર તેલી, પ્રતાપચંદ્ર સારંગી, કૈલાસ ચૌધરી અને દેવશ્રી ચૌધરીને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે.

May 30, 2019
modirajghat.jpg
1min10080

આજે સાંજે સાત વાગ્યે વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ એ પૂર્વે ઐતિહાસિક દિવસે સવારે નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઇને સ્વ. રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીની સમાધિ પર જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. એ પછી તેઓ અટલ બિહારી વાજપેયીની સમાધિ ‘સદૈવ અટલ’ પર જઈને તેમને શદ્ધાંજલિ આપી.

ભાજપાના અનેક મોટા નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધી બાપૂ અને વાજપેયીને શ્રદ્ધાંજલી આપ્યા બાદ વડાપ્રધાન મોદી નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદોને પ્રણામ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન અને ત્રણેય સેનાઓના વડાઓ પણ હાજર રહ્યા હતા.

May 30, 2019
rtgs-facilitation.jpg
1min16350

આરબીઆઈએ આપેલી માહિતીમાં RTGSમાં ગ્રાહકોનો સમય સાંજે 4:30 થી વધારીને સાંજે 6:00 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી RTGS દ્વારા સાંજે 4.30 સુધી જ લેવડ-દેવડ થઈ શકતી હતી. 1 જૂનથી બધા જ ગ્રાહકો સાંજે 6.00 વાગ્યા સુધી RTGS કરી શકશે.

RTGS સિસ્ટમના માધ્યમથી દેશના કોઈપણ ખુણે પૈસા ટ્રાન્સફર કરવા માટે આરબીઆઈ તરફથી ખાસ સુવિધા આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેન્ક હવે RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટના સમયમાં ફેરફાર કર્યો છે. આરબીઆઈએ RTGSનો સમય દોઢ કલાક વધારીને સાંજે 6 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 1 જૂનથી અમલમાં આવશે. આ વિશે RBI દ્વારા માહિતી આપવામા આવી હતી.

RTGS સિસ્ટમ દ્વારા કોઈ પણ વ્યક્તિ રિયલ ટાઈમ એટલે કે પૈસા મોકલતાની સાથે જ બેનિફિશયરી પાર્ટીને મળી જાય છે. RTGSનો ઉપયોગ મોટા ટ્રાન્ઝેક્શન માટે કરવામાં આવતો હોય છે. RTGSમાટે ઓછામાં ઓછી રકમ 2,00,000 રુપિયા છે. 2,00,000થી ઓછી રકમના ટ્રાન્સફરને NEFT કહેવાય છે. જેની ટાઈમ લિમિટ પહેલાથી જ સાંજે 6.00 વાગ્યા સુધીની છે. RTGSમાં મની ટ્રાન્સફરની કોઈ લિમિટ નથી. 2,00,000થી ઉપર ગમે તેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે.