CIA ALERT
17. May 2024
May 31, 20191min8050

Related Articles



ગુજરાતમાં સ્કુલોને નથી જોઇતું નવરાત્રિ વેકેશન અને સરકારે ફરજિયાત આપવું છે

Share On :
Print Friendly, PDF & Email

ગુજરાત સરકાર દ્વારા 2019માં ફરીવાર શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશન રાખવાની જાહેરાત કરવામાં આવતા શાળા સંચાલકોએ વિરોધ કર્યો છે. નવરાત્રી વેકેશન ટાળવા માટે આગામી દિવસોમાં શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી તેમની રણનીતિ ઘડવા અત્યારથી શાળા સંચાલકો તૈયારીમાં લાગી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નવરાત્રીનું નવ દિવસનું વેકેશન જાહેર કર્યું હતું. જેની અમલવારી સીબીએસઈ અને આઈસીએસઈ જેવા બોર્ડની શાળાઓ માટે મરજિયાત કરાઈ હતી. જ્યારે વેકેશન નહીં રાખનાર રાજ્ય બોર્ડ સંલગ્ન શાળાઓ સામે પગલાં લેવાની તાકીદ કરાઈ હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની સ્કૂલોએ સરકારની વાત માની હતી. જ્યારે સુરતમાં અનેક શાળાઓએ જાહેરનામાની ઉપરવટ જઈને સ્કૂલો ચાલુ જ રાખી હતી. ગત વર્ષના પ્રયોગ બાદ આ વર્ષે સરકાર નવરાત્રી વેકેશન નહિ રાખે તેવી અપેક્ષા વચ્ચે આ વર્ષે ફરી શિક્ષણ વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બરથી સાત ઓક્ટોબર સુધી આઠ દિવસનું નવરાત્રી વેકેશન જાહેર કર્યું છે. જેની સામે દિવાળીના ર1 દિવસના વેકેશનમાંથી કાપ મૂકી 13 દિવસ રજા અપાઈ છે અને ફરી શાળાઓમાંથી વિરોધ વંટોળ ઊઠી રહ્યો છે. નવરાત્રી વેકેશનથી રાજકોટની 466 સ્કૂલના 1.7પ લાખ અને રાજ્યની 1પ હજાર જેટલી સ્કૂલો તેમજ મેડિકલથી માંડી બીએ-બીકોમ સુધીની તમામ કોલેજોના વિદ્યાર્થીઓના ભણતરનું સાતત્ય ખોરવાશે. શિક્ષણ બોર્ડે આ વેકેશન ન આપવા કરેલા ઠરાવને પણ સરકારે ધ્યાનમાં લીધો નથી. આ અંગે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. ઓગસ્ટમાં જન્માષ્ટમીની પાંચ-છ દિવસની રજાઓ આવે, પછી સપ્ટેમ્બરમાં નવરાત્રી અને ઓક્ટોબરમાં દિવાળીનું વેકેશન હોય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે નવરાત્રી પછી તરત જ પરીક્ષા આવે. આ વર્ષે એનસીઈઆરટીનો અઘરો અને લાંબો કોર્સ દાખલ કરાયો છે. બાળકો અને શિક્ષકો કઈ રીતે પહોંચી શકશે ?

તેમણે વધુમાં કહ્યુ હતું કે 1ર વાગ્યા પછી ગરબી બંધ કરી દેવાતી હોય છે. હવે પહેલાની જેમ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ગરબા ચાલુ રહેતા નથી. આમ છતાં રાતે ઉજાગરા થતા હોવાનું લાગે તો સ્કૂલનો સમય સવારે સાતના બદલે બે કલાક મોડો કરવો જોઈએ. વેકેશન આઠ દિવસનું છે પણ તેની આગળનો એટલે કે ર9મી સપ્ટેમ્બર રવિવાર આવે છે અને આઠમી ઓક્ટોબરે દશેરા, એટલે કુલ 10 દિવસની રજા પડે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં હિતમાં નવરાત્રીનું વેકેશન રદ્દ કરવાની રજૂઆત કરવા શિક્ષણપ્રધાન સમક્ષ જવાના છીએ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :