થોડા મહિના અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકાર્પિત કરેલા ગુજરાતના રાજ્યના ઇકોનિક પ્રોજેક્ટ અને સૌપ્રથમ કેબલ બ્રિજના ડેકોરેશનમાં લગાવાયેલી લાઈટોની ચોરી થયાની વિગતોએ મનપાની મુશ્કેલી વધારી દીધી છે.

રાત્રીના સમયે બ્રિજને આકર્ષક બનાવતી લાઇટ્સનું આકર્ષણ હતું. છેલ્લા ઘણાં સમયથી કેટલાક સ્પોટ પર કલર બરાબર દેખાતા નહોતા.
અચાનક તે કેમ બરાબર નથી દેખાતું તેવું જાણવા મળતા કોર્પોરેશનના અધિકારીઓએ તેની તપાસ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, બ્રિજની શોભા વધારવા નાખેલી મોંઘી લાઈટોની ચોરી થઈ જવાના કારણે લાઈટિંગ ઇફેક્ટ જોવા મળી ન હતી.
કેબલ સ્ટેઇડ બ્રિજની જે એલઈડી લાઈટો ચોરાઈ છે તેની કિંમત સાડા ચાર લાખ રુપિયા જેટલી થવા જાય છે. લાઈટોની ચોરી થઈ જતાં કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આ મોંઘી લાઈટો ચોરી ન થઈ જાય તે માટે બ્રિજ બન્યો તે વખતે લોખંડની મજબૂત જાળીમાં તેને ફિટ કરવામાં આવ્યા હતા. જોકે, ચોર તે જાળીને પણ કાપીને લાઈટો કાઢી ગયા છે.











સીનિયર સરકારી અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મોટાભાગના લોકો દિવાલ ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામ્યા. જ્યારે બે લોકો વીજળી પડવાના કારણે મર્યા.






