CIA ALERT

Blog - Page 468 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 3, 2019
testtshirt.jpg
1min5840

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ૪૨ વર્ષીય બ્રેટ લીને પણ ટેસ્ટની નવી જર્સી જરાય નથી ગમી. તેણે ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે ‘ખેલાડીઓની સફેદ જર્સી પર નામ અને નંબરની પદ્ધતિ મને તો બહુ હાસ્યાસ્પદ લાગી છે. હું તો ટેસ્ટના ખેલાડીઓની જર્સીની પાછળ નામ અને નંબર લખવાની પ્રથાની વિરુદ્ધમાં છું. કેવું હસવા જેવું લાગે છે! આઇસીસીને કહેવા માગું છું કે તમે ક્રિકેટની પૉપ્યુલારિટી વધારવા સામાન્ય રીતે જે પ્રયત્ન કરી રહ્યા છો એ પ્રશંસનીય છે, આ જર્સીની બાબતમાં તમે થોડી ભૂલ કરી છે.’

ઍશિઝ-સિરીઝની સાથે સૌપ્રથમ ‘વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ’નો પણ આરંભ થયો છે અને એ ટાંણે આઇસીસીએ ખેલાડીઓની જર્સીને થોડી આકર્ષક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ૧૪૨ વર્ષ જૂની ટેસ્ટ-ક્રિકેટની આ અનોખી ઘટના છે.

ક્રિકેટજગતનું સંચાલન કરતી આઇસીસીએ ટેસ્ટ-ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટેના એક નવા નુસખા તરીકે ખેલાડીઓની જર્સી પર નામ અને નંબર લખવાની જે નવી પ્રથા શરૂ કરી છે એ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન ઍડમ ગિલક્રિસ્ટને વાહિયાત લાગી છે. તેણે ટ્વિટર પર જણાવ્યું છે કે ‘મને એ કહેતા જરાય અફસોસ નથી થતો કે ટેસ્ટની જર્સી પર નામ અને નંબર લખવાની જે નવી પ્રથા શરૂ થઈ છે એ સાવ કચરા જેવી છે. આશા છે કે બધા ઍશિઝ સિરીઝ ઍન્જોય કરશે. નવી ટેસ્ટ-જર્સી બહુ જૂનવાણી લાગે છે. એના પર નામ અને નંબર જોવા મને જરાય નથી ગમતા.’ ટેસ્ટમાં પણ જર્સી પર નામ તથા નંબર લખવા પાછળનો આઇસીસીનો હેતુ એ છે કે ચાહકો મનપસંદ પ્લેયરોને તેમ જ કંઈક અસાધારણ કરી દેખાડતા પ્લેયરોને આસાનીથી ઓળખી શકે.

August 3, 2019
weather-forecast.jpg
1min5870

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વરસી રહી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે આગામી ૪૮ કલાકમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહતિ અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. જેને પગલે તંત્ર ઍલર્ટ કરી દેવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં એડીઆરએફ અને પોલીસ તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની કરેલી આગાહીને પગલે સરકારી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે શુક્રવારે પણ ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જ્યારે અમદાવાદનાં પ્રહલાદનગર, એસજી હાઇવેમાં વરસાદ પડ્યો હતો.

August 3, 2019
spw1.jpg
1min4380
સ્પેનિશ નેવીના યુદ્ધ જહાજ મેન્ડેઝ નુનેજ ગોવામાં આવી પહોંચ્યું ત્યારે ભારતીય નેવી દ્વારા બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પેનિશ નેવીનું આ જહાજ ત્રણ દિવસની મુલાકાતે આવ્યું છે.
August 3, 2019
indian_politics.jpg
1min8850

રાજસ્થાન વિધાનસભામાં શુક્રવારે રાજસ્થાનના પ્રધાનોના વેતનમાં (સુધારિત) બિલ મૌખિક મતદાનથી પાસ થયું હતું. જેનો ભાજપે વિરોધ કર્યો હતો. ભૂતપૂર્વ પ્રધાનો તેમની મુદત પૂર્ણ થયાના બે માસ પછી પણ સરકારી બંગલો ખાલી કરશે નહીં તો રોજના રૂ. ૧૦,૦૦૦ની ચુકવણી કરવી પડશે. એવી બિલમાં જોગવાઈ છે. હાલ ભૂતપૂર્વ પ્રધાને રોજના રૂ. ૫૦૦૦ ચૂકવવા પડે છે. આ બિલ કાયદો બન્યા બાદ તેઓએ રૂ. ૩ લાખ ચૂકવવા પડશે.

સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે કહ્યું હતું કે નવા પ્રધાનોને સમયસર રહેઠાણ મળી રહે તે માટે આ બિલ લવાયું છે. ભૂતપૂર્વ પ્રધાનો નિર્ધારિત સમયગાળા બાદ સરકારી રહેઠાણ ખાલી કરતા નથી. કૉંગ્રેસ સરકાર ગત ડિસેમ્બરમાં સત્તામાં આવી હતી.

ભાજપના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું હતું કે રોજની રૂ. ૧૦૦૦૦ની પેનલ્ટી ઘણી ઊંચી છે.

August 3, 2019
bangkok.jpg
1min11480
Police investigation after serial blasts in Bangkok on 2nd August 2019

અગ્નિ એશિયાના રાષ્ટ્રોના સંગઠન એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન)ની બેઠક ચાલી રહી છે ત્યારે શહેરમાં થયેલા અનેક નાના ધડાકામાં ચાર જણ ઘાયલ થયા હતા, પરંતુ વિવિધ દેશના રાજદ્વારીઓના અહીં ચાલી રહેલા કાર્યક્રમને કોઇ અસર નહોતી થઇ.

રાજકીય હિંસાનો ઇતિહાસ ધરાવતા થાઇલેન્ડમાંના દક્ષિણના વિસ્તારમાં મુસ્લિમોની બહુમતી છે અને અહીં અવારનવાર હિંસક ઘટના બનતી રહે છે.

વડા પ્રધાન પ્રયુત ચેન-ઓ-ચાએ જણાવ્યું હતું કે અહીં નવ નાના ધડાકા કરાયા હતા, પરંતુ તે પાછળનો ચોક્કસ હેતુ હજી સુધી જાણવા નથી મળ્યો.

થાઇલેન્ડ પોલીસના વડામથકની બહાર ફૂટ્યા વિનાનો બૉમ્બ, તાર અને બૉલ બેરિંગ્સ મળતા બે જણની ધરપકડ કરાઇ હતી.પોલીસ વડા જાક્થીર ચૈજિન્ડાએ જણાવ્યું હતું કે પકડાયેલા લોકો મલયેશિયા પાસેની સરહદ પરના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી આવ્યા હતા. આ પ્રદેશમાં ૧૫ વર્ષથી બળવાખોરોની સમસ્યા છે. પકડાયેલા લોકો બળવાખોર છે કે નહિ તે હજી નક્કી કરી નથી શકાયું.

થાઇલેન્ડમાં વર્ષોથી ચાલતી બળવાખોરોની હિંસામાં અત્યાર સુધીમાં અંદાજે ૭,૦૦૦ લોકો માર્યા ગયા હતા.

બેંગકોકમાં ધડાકા કરવા માટે ટેબલ ટેનિસના બૉલના કદના ‘પિંગ પોંગ બૉમ્બ’ વપરાયા હોવાનું મનાય છે. મોટા ભાગના આવા નાના બૉમ્બ રસ્તાની બાજુએ ઝાડીમાં છુપાવવામાં આવ્યા હતા.

એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન)ની બેઠકના સ્થળની નજીક કોઇ ધડાકા નહોતા થયા. 

August 3, 2019
CIA_Live_Logo_New2.jpg
1min29570

જયેશ બ્રહ્મભટ્ટ

આજરોજ તા.3 ઓગસ્ટ 2019ને શનિવારના મળસ્કે હજુ તો મોટા ભાગના સુરતીઓ મીઠી નિંદરમાં હતા અને વરસાદે જાણે ટીમ ઇન્ડીયા કરતા પહેલા જ ટી ટ્વેન્ટી રમવી હતી એમ બેટિંગ શરૂ કરી દીધું. હવામાન ખાતાના આંકડા મુજબ તો બે કલાકમાં ત્રણથી સાડાત્રણ ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો નહીં પણ ઝીંકાયો કહેવાય.

મળસ્કે વરસાદે શરૂ કરેલા તોફાનનો ભોગ બનેલા કેટલાક લોકોએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે આજનો વરસાદ એટલો ઝંઝાવતી હતો કે રોડ પર વાહન કે સાઇકલ ચલાવવાની પણ તકલીફ પડતી હતી. વરસાદનું જોર એટલું હતું કે અત્યાર સુધી સુરતમાં ક્યાંયે પાણી ભરાવાની ફરીયાદ ન હતી પણ શનિવારે મળસ્કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરીયાદો ઉઠી હતી.

અડધું સુરત ઉંઘતું હતું ત્યારે તો મેઘરાજાની તોફાની બેટિંગની અસરો સુરત પર વર્તાવાની શરૂ થઇ ચૂકી હતી. પહેલી અસર સુરતના એરપોર્ટ પર વર્તાય હતી. એક પછી એક ચાર ફ્લાઇટને અસર પહોંચી હતી. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સ, ઇન્ડિગો અને સ્પાઇશ જેટ એમ ત્રણેય ફ્લાઇટને અધવચ્ચેથી જ અમદાવાદ ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલીટીને કારણે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સેફ નહીં જણાતા સુરત આવતી દિલ્હીની ત્રણેય ફ્લાઇટ્સને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી.

ભારે વરસાદને કારણે દિલ્હીથી સુરત આવી રહેલા પેસેન્જરોને રિસિવ કરવા માટે એરપોર્ટ પર પહોંચેલા લોકો પણ અટવાય ગયા હતા. મુસાફરો પણ અમદાવાદ એરપોર્ટ લેન્ડ થતા તેમણે પણ મોટી મુશ્કેલીમાં મુકાયાની ફરીયાદ કરી હતી.

સુરતમાં ભારે વરસાદને પગલે ફ્લાઇટ લેન્ડ ન થઇ શકે તેવી સ્થિતિને પગલે જયપુર સુરત ફ્લાઇટને જયપુરથી ઉપડેલી ફ્લાઇટ પણ અમદાવાદ ખાતે ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી.

મેઘરાજાની તોફાની બેટિંગની બીજી મોટી અસર શહેરના શિક્ષણ જગત પર પડી હતી. સવારે સાડા છ વાગ્યે વરસાદનું જોર જોતા સુરત શિક્ષણાધિકારી કચેરીએ જે તે વિસ્તારની ઇફેક્ટેડ સ્કુલોના આચાર્યોને પોતાની વિવેકબુદ્ધિ અને વરસાદી પરિસ્થિતિમાં શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી એ અંગે નિર્ણય કરવાની છુટ આપી હતી. જોકે, વરસાદને પગલે મોટા ભાગની સ્કુલોમાં રજા આપી દેવામાં આવી હતી. સવારના પહોરમાં ઘણાં વિદ્યાર્થીઓ તૈયાર થઇને નીકળ્યા હતા તેઓ પણ વરસાદી તોફાનમાં અટવાય જવા પામ્યા હતા.

સવારે સાડા આઠ વાગ્યે વરસાદી તોફાન થોડુ શમ્યું હતું અને વરસાદે ઝરમરીયા સ્વરૂપ ધારણ કર્યું હતું. અઢી કલાકમાં તો વરસાદે સુરતને ઘમરોળી મૂક્યું હતું.

આજે શનિવાર તા3જી ઓગસ્ટની સવારે સુરતમાં 2:00 કલાક દરમિયાન કોટ વિસ્તારના ઝોનમાં 76.એમ.એમ., વરાછા એ જોન.72 એમ. એમ., વરાછા બી જોન ૪૮ એમ એમ, રાંદેર ઝોન 89 એમ એમ, કતારગામ ઝોન 79એમ.એમ., ઉધના ઝોન ૪૯ એમ.એમ., લિંબાયત 70 એમ એમ, અઠવા ઝોન 56 એમ એમ. વરસાદ ઝીકાયો હતો.

August 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min15250

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

બુદ્ધિશાળી લોકો જે જંગ લડવાની ના પાડતા હતા, કેટલાક ટેક્સ એક્સપર્ટ સુરતના વિવીંગ કારખાનેદારોને મગજ વગરના સમજતા હતા એ સુરતના નાના કારખાનેદારોના બનેલા સંગઠન ફોગવાએ ભારતમાં જી.એસ.ટી. કાઉન્સિલ અને કેન્દ્ર સરકાર સામે સિમાચિન્હ રૂપી પહેલી કાનૂની જીત મેળવી છે. પ્રત્યેક લૂમ્સ દીઠ રૂ.7 હજાર જેવી રકમ ટેક્સ ક્રેડિટ સ્વરૂપે વિવિંગ કારખાનેદારને પાછી મળશે.

Symbolic Photo Weaving Industry

ભારતમાં જ્યારે જીએસટી લાગૂ કરવામાં આવ્યો એ 1 જૂન 2016થી 31 જુલાઇ 2016 સુધી વીવીંગ કારખાનેદારોએ ભરેલો ટેક્સ રિફંડ કે ક્રેડિટ કરવા માટે જીએસટી કાઉન્સિલે નનૈયો ભણી દીધો હતો. દેશના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાર્યરત 24 લાખ જેટલા લૂમ્સ પેટે ભરવામાં આવેલી રૂ.700 કરોડ જેટલી રકમની ટેક્સ ક્રેડિટ લેપ્સ કરી દેવામાં આવી હતી.

સુરતથી મયુર ગોળવાલા, આશિષ ગુજરાતી, રમન મેગોટીયા અને મુકુંદ ચૌહાણ વકીલ પ્રકાશ શાહ સાથે વાતચીત માટે મુંબઇ ગયા હતા

સૌથી મોટો વીવીંગ ઉદ્યોગ સુરતમાં કાર્યરત હોઇ, સુરતમાં ફોગવાએ 13 મહિનાની રૂ.700 કરોડ જેટલી ટેક્સ ક્રેડિટ પાછી મેળવવા માટે કાનૂની માર્ગે લડત આપવાનું નક્કી કર્યું અને સુરતથી ફોગવાના અગ્રણીઓ મયુર ગોળવાલા, આશિષ ગુજરાતી, રમન મેગોટીયા અને મુકુંદ ચૌહાણ મુંબઇ ખાતે ખાસ એક્સપર્ટ એડવોકેટ પીડીએસ લિગલના પ્રકાશ શાહને મળવા ગયા હતા.

મુંબઇના વકીલ પ્રકાશ શાહે 15 લાખ ફી માગી હતી, ફોગવાએ તેમને રૂ.7.50 લાખ ફી માટે સમજાવી લીધા

સુરતના ફોગવાના નેજા હેઠળ રૂ.700 કરોડની ટેક્સ ક્રેડિટ સામે ગુજરાત હાઇકોર્ટમાં કેસ લડવા મુંબઇના ખ્યાતનામ વકીલ પ્રકાશ શાહને રોકવામાં આવ્યા હતા. પ્રકાશ શાહે કુલ રૂ.15 લાખ ફી થશે એમ જણાવ્યું હતું, ફોગવાના અગ્રણીઓએ તેમને રૂ.7.50 લાખ ફી માટે સમજાવ્યા હતા. અને ગુજરાત હાઇકોર્ટમાં કેસ શરૂ થયો હતો.

બે મુદત બાદ જીએસટી કાઉન્સિલ અને કેન્દ્ર સરકારને જ્યારે એફિડેવિટ ફાઇલ કરવા માટે જણાવાયું અને એ મુજબની કાર્યવાહી જીએસટી કાઉન્સિલે કરી, એ પછીની મુદતમાં ગુજરાત હાઇકોર્ટે વિવર્સને 13 મહિનાની ટેક્સ ક્રેડિટ પાછી આપવા સંદર્ભનો આદેશ જારી કર્યો.

કેન્દ્રના નાણાં ખાતું તો અગાઉ અનેક કેસ હારી ચૂક્યું હશે પરંતુ, જીએસટી કાઉન્સિલને પહેલી વખત કાનૂની પછડાટ મળી છે અને એ પણ સિમાચિન્હ રૂપી પછડાટ છે.

દેશમાં 24 લાખ જેટલા લૂમ્સ કાર્યરત છે અને તે મોટા ભાગે 12, 18, 24, 36, 48 જેટલી સંખ્યામાં લૂમ્સ ધારક નાના કારખાનેદારોની વ્યાખ્યામાં આવે છે. જીએસટીનો અમલ થયો ત્યારથી 13 મહિના આ કારખાનેદારોએ ભરેલા જીએસટીની બાકી નીકળતી રકમ ક્રેડિટ આપવા કે રિફંડ આપવાને બદલે સીધી જ લેપ્સ કરી દેવાની પેરવી ખરેખર અન્યાયી હતી, અને ટેક્સના જાણકારો, ચેમ્બરના કેટલાક ભેજાબાજ ટેક્સ કન્સલ્ટન્ટોને વિવર્સની આ લડાઇમાં રસ ન હતો. પણ છેલ્લે વિવિર્સનો વિજય થયો છે.

પ્રત્યેક લૂમ્સ દીઠ અંદાજે રૂ.7 હજારની ટેક્સ ક્રેડિટ મળશે અને તા.1 ઓગસ્ટ 2018થી ભરેલા જીએસટીમાં મળવાપાત્ર રકમ રિફંડ તરીકે મળશે.

ઘણા લોકોને સવાલ થાય છે કે 1400 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો, એની પણ ગણતરી એવી છે કે વિવીંગ કારખાનેદારો જે ટેક્સ ક્રેડિટ માટે લડત ચલાવી રહ્યા હતા એ ટેક્સ તેમણે જ્યારથી જીએસટીનો અમલ શરૂ થયો હતો એ તા.1લી જુન 2017થી તા.31મી જુલાઇ 2018 સુધી ભરેલા જીએસટીની રકમ પૈકી મળવાપાત્ર પરત ક્રેડિટ કે રિફંડ પેટેની રકમ રૂ.700 કરોડ થાય છે. એ પછી તા.1લી ઓગસ્ટ 2018થી જીએસટી કાઉન્સિલે વિવીંગ ઇન્ડસ્ટ્રીને મળવાપાત્ર ટેક્સ રિફંડ આપવાનો સરક્યુલર જારી કર્યો હતો પરંતુ, વિવર્સે હજુ સુધી એ સ્વીકાર્યો નથી કે ક્લેઇમ કર્યો નથી. એટલે એના બીજા રૂ.700 કરોડ મળીને કુલ 1400 કરોડનો આંકડો બોલાય રહ્યો છે.

August 2, 2019
Ukai-1.jpg
2min25310

સુરત અને સુરતવાસીઓના પાણીનો મુખ્ય સ્ત્રોત સમા ઉકાઇ ડેમમાં પાણીની સપાટી અંગે સુરતનો બચ્ચેબચ્ચો સજાગ હોય અને ચર્ચા કરતો હોય છે. ગયા વર્ષે ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઓછી હતી અને ચાલુ વર્ષે પાણીની પ્રવર્તેલી તંગીને જોતા આ ચોમાસામાં ઉકાઇ ડેમની સ્થિતિની ચર્ચા સુરતમાં ચૌરેને ચૌટે થઇ રહી છે.

સુરતવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં પડી રહેલા સતત વરસાદના પાણીનો આવરો થતાં આજરોજ તા.2જી ઓગસ્ટ 2019ની સાંજે 5 કલાકે ઉકાઇ ડેમની સ્થિતિ 304.12 ફૂટને આંબી ગઇ હતી.

ચોમાસાનો વિધિવત જ્યારે આરંભ થયો ત્યારથી લઇને 24મી જુલાઇ સુધી ઉકાઇ ડેમની સપાટીમાં કોઇ વધારો નહીં નોંધાતા સરકાર સમેત સમગ્ર સુરતીવાસીઓમાં ચિંતા પેસી ગઇ હતી. પરંતુ, હવે ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી રહી છે.

સિંચાઇ વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આજે તા.2જી ઓગસ્ટે સાંજે 5 કલાકે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 1.68 લાખ ક્યુસેક્સ નોંધાયો હતો. અને ડેમની સપાટી કૂદકેને ભૂસકે વધી રહી છે.

Ukai Dam.

Dt.02.08.19. Hr: 17.00hrs.

Rule Level : 335.00 ft.

Present Water Level : 304.12 ft.

Inflow: 1,42,933 cusecs.

G.S. : 2290.12 MCM %

Everage filling: 30.89 %

Increase in qty: 1416.39

MCM (w.r.t to mini storage of this yr)

Hathnur Level : 209.670 Mt

Outflow: 31915.58 cusecs

August 2, 2019
IndiGo_logo.png
1min8480

ભારતમાં ઇકોનોમી રેન્જની એરલાઈન્સ ગણાતી IndiGo એ પોતાની 13મી વર્ષગાંઠ એક મોટી ઓફર મુસાફરોને આપી છે. સેલ ઓફરમાં ઈન્ડિગોએ પોતાના ગ્રાહકોને ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય વિમાનો પર ડિસ્કાઉન્ટ ઑફર ઘરેલૂ વિમાન માટે મિનિમમ ભાડું 999 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય વિમાન માટે મિનિમમ ટિકિટ 3499 રૂપિયા કર્યું છે. ઇન્ડિગોની આ ઓફર તેના નીચે દર્શિત પોસ્ટર પરથી વધુ જાણી શકાશે.

ઇન્ડીગોની 13મી વર્ષગાંઠે મુસાફરો માટે ખાસ પેકેજ

ઈન્ડિગોએ 999 અને 3,499 રૂપિયાવાળા ઑફર માટે બુકિંગ આજે 31 જૂલાઈથી શરૂ થઈ રહી છે, જે 4 ઑગસ્ટ 2019 સુધી ચાલશે.

ઈન્ડિગોએ આ ઑફર વિશે ટ્વીટ કરી જણાવ્યું કે આ ઑફર 15 ઑગસ્ટ 2019થી 28 માર્ચ 2020ની વચ્ચે પ્રવાસીઓ માટે વેલિડ રહેશે.

ઈન્ડિગોએ જણાવ્યું કે આ ઑફરથી ઘરેલૂ વિમાનની બુકિંગ દરમિયાન બેન્ક ઑફ બરોડાના ડેબિટ કાર્ડનો યૂઝ કરવા પર કેશબેક ઑફર પણ ઉપલબ્ધ છે.


August 2, 2019
indian-economy.jpg
1min7140

દેશમાં એક તરફ પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાનું સપનું જોવાય રહ્યું છે પરંતુ, ગ્રાઉન્ડ રિયાલીટી કંઇક અલગ જ બયાં કરી રહી છે. વિશ્વની પાંચમાં નંબરની મોટી અર્થ વ્યવસ્થાનો તાજ ધરાવતા ભારતે પાંચમા નંબરને ગુમાવીને 7માં નંબર પર સરકી જવુ પડ્યું છે. બ્રિટન પાંચમા અને ફ્રાન્સ છઠ્ઠા નંબરની મોટી અર્થવ્યવસ્થા બનીને ઉભરી આવ્યા છે, ભારતે તેનો ક્રમ ગુમાવવો પડ્યો છે. આ આંકડા વર્લ્ડ બેંકે જાહેર કરતા મોદી સરકારના પગતળેથી જમીન સરકી જવા પામી છે.

વર્લ્ડબેંકે જાહેર કરેલ આંકડા અનુસાર ભારતે વિશ્વની પાંચમાં નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થાનું સ્થાન ગુમાવી દીધું છે.

આ અગાઉ વર્ષ 2017માં ભારત બ્રિટન અને ફ્રાન્સ બંને દેશોને પછાડીને પાંચમા નંબરે હતું. આંકડાઓ અનુસાર જોવા જઈએ તો વર્ષ 2017માં ભારતની અર્થવ્યસ્થા 2,65,000 કરોડ ડોલરની હતી ત્યારબાદ યુનાઇટેડ કિંગ્ડમ અને ફ્રાન્સ અનુક્રમે 2,64,000 કરોડ ડોલર અને 2,59,000 કરોડ ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતાં હતા.

2018માં ફ્રાન્સની ઇકોનોમી 2.78 ટ્રિલીયન ડોલર અને યુકેની 2.82 ટ્રિલીયન ડોલર રહી છે. તેની સામે ભારતની અર્થવ્યવસ્થા 2.73 ટ્રિલીયન ડોલર રહી હતી. 2018માં ભારતે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું સ્થાન મેળવ્યું હતુ. આ પહેલાના ડેટામાં ભારત 2017માં છઠ્ઠા ક્રમાંકની અર્થવ્યવસ્થા હતી અને ત્યારે ફ્રાન્સને સાતમું સ્થાન મળ્યું હતું. જોકે ત્યારબાદ ભારત બ્રિટનને પછાડીને પાંચમા સ્થાને પહોંચ્યું હતું. જાણકારોનું કહેવું છે કે 2017માં રૂપિયો 3 ટકા વધ્યો હતો જે 2018માં 5 ટકા ઘટ્યો. તેના લીધે ભારતની અર્થવ્યવસ્થા ડોલર ટર્મ્સમાં ધીમી ગતિએ વધી હતી.