Blog - Page 458 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 26, 2019
utubelogo-1.jpeg
1min1913

યુટ્યુબ શરૂ થયું એના શરૂઆતના મહિનામાં એક લોન્લીગર્લ નામની ચેનલ ઉપર એક છોકરી તેના મા-બાપથી છુપાઈને વિડિયો મૂકતી. તણાવભરી સ્થિતિમાં એ છોકરી સખત સ્ટ્રેસ નીચે પસાર થઇ રહી હોય એવું લાગે. એ છોકરી એવું કહેતી કે એ દુનિયાથી અને જિંદગીથી કંટાળી ગઈ છે. છેલ્લા વિડિયોમાં એણે એવું કહેલું કે એ તેનું ઘર છોડીને દૂર ક્યાંક ચાલી જાય છે. દર અઠવાડિયે તેનો વિડિયો આવતો અને પછી તેનો વિડિયો આવ્યો જ નહિ. એ સમયે યુટ્યુબને ગ્લોબલ ઓળખાણ મળી ન હતી પણ યુટ્યુબ વાપરનારાઓની સંખ્યા અમેરિકામાં લાખોમાં થઇ ગઈ હતી. શું એ છોકરીએ આપઘાત કરી લીધો હતો- એવો સવાલ બધાના મનમાં થયો. એફબીઆઈના એક પોલીસ ઓફિસરને પણ લોન્લીગર્લમાં દિલચસ્પી વધી અને તેણે એ છોકરીની શોધખોળ આદરી. શું એ છોકરી ખરેખર ડિપ્રેશનનો શિકાર હતી અને અવિચારી પગલું ભરી લીધું હતું? 

ઘણી મહેનતના અંતે એ છોકરી મળી તો ખબર પડી કે એ આખો સ્ક્રીપ્ટેડ શો હતો. તે આઈડિયા એક ડિરેક્ટરનો હતો અને તે છોકરી એ મુજબ એક્ટિંગ કરતી હતી. બધાએ તે ઘટનાક્રમ સાચો માની લીધો અને એ છોકરીની ચિંતામાં ગરકાવ થઇ ગયા. હવે પોલીસ મૂંઝવણમાં આવી કારણ કે કાયદાની કોઈ કલમ એ લોકો ઉપર લગાડી શકાય એમ ન હતી. યુટ્યુબના સ્થાપકોને આનંદમિશ્રિત ચિંતા થઇ. આનંદ એ વાતનો કે તે છોકરી અને એના કેસને લીધે યુટ્યુબ ન્યૂઝમીડિયામાં આવવા માંડ્યું હતું. ઇન્ટરનેટના શોખીનો હવે ફક્ત યુટ્યુબના વિડિયો જોવા માટે ઇન્ટરનેટ ચાલુ કરતા હોય એવો સમય શરૂ થઇ ગયો હતો. વધુમાં યુટ્યુબના કોન્ટેન્ટને કોઈ આટલી ગંભીરતાથી લે એ પણ તેના માલિકો માટે સારા સમાચાર હતા. પરંતુ ચિંતા એ વાતની થઇ કે પેલી છોકરીએ તો નાનો કહી શકાય એવો પ્રેન્ક કર્યો. તેના ઉપરથી સમજાઈ જાય કે આ માધ્યમનો ગેરઉપયોગ મોટા પ્રમાણમાં થઇ શકે. એ સમયે યુટ્યુબ ઉપર હજુ સુધી હિંસક વિડિયો આવ્યા ન હતા. આતંકવાદીઓ પણ યુટ્યુબના પ્લેટફોર્મને વાપરી શકે એવો અંદાજ એ સમયે કદાચ યુટ્યુબની મેનેજમેન્ટ ટીમને પણ નહિ હોય. 

યુટ્યુબમાં પછી સ્ટીવન અને ફ્રીત્ઝના કોક-મેન્ટોઝ વિડિયોએ કમાલ કરી. કોકાકોલાની હરોળબંધ બોટલોમાં મેન્ટોઝ નાખીએ એટલે ફુવારો થાય. આવા વિડિયો ખૂબ જોવાયા. તેને કારણે કોકાકોલા સોફ્ટડ્રિંક અને મેન્ટોઝનું વેચાણ વધી ગયું. યુટ્યુબ હવે ધીમે ધીમે બીજા ક્ષેત્રોની માર્કેટને અસર કરવા લાગ્યું હતું. આ તો હજુ શરૂઆત હતી. યુટ્યુબ માર્કેટ જ નહિ જમાનો બદલી કાઢવાનું હતું. મ્યુઝિક વર્લ્ડના સમીકરણો યુટ્યુબને કારણે બદલ્યા. સંગીત કઈ રીતે પીરસવું એ ભૂમિકામાં યુટ્યુબ મેદાનમાં ઊતર્યું. એક નાનકડા છોકરાને ઇન્ટરનેશનલ સ્ટાર બનાવ્યો અને ઈતિહાસ રચાઈ ગયો. કઈ રીતે? 

યુટ્યુબ ઉપર એક તેર વર્ષના કેનેડિયન છોકરાએ તેનો વિડિયો મૂક્યો હતો જેમાં તે ગીત ગાઈ રહ્યો હતો. ટેલેન્ટ મેનેજર સ્કૂટર બ્રાઉને તેનો વિડિયો જોયો અને તેનામાં રહેલી ટેલેન્ટને પારખી. તેનો વિડિયો વધુ ચાહકો સુધી પહોંચી શકે એવી વ્યવસ્થા કરી. જસ્ટીન બીબરનો સંપર્ક કર્યો. તેને અમેરિકા બોલાવ્યો. ૨૦૦૮ માં એક મ્યુઝિક કંપની સાથે જસ્ટીન બીબરની ડીલ ફાઈનલ કરાવી. તેનું પહેલું આલ્બમ બહાર પડ્યું. 

આજ સુધી અમેરિકન મ્યુઝિકના ઈતિહાસમાં એક પણ કલાકારના સાત ગીતો એકસાથે બીલબોર્ડ હોટ હન્ડ્રેડમાં સ્થાન પામ્યા ન હતા. આ ઈતિહાસ જસ્ટીન બીબરે રચીને બતાવ્યો. તેના ગીત ‘બેબી’એ તો ઇન્ટરનેશનલ પ્રસિદ્ધિ હાંસિલ કરી. યુટ્યુબે એક મેગાસ્ટારને જન્મ આપ્યો. જે આજની તારીખે પણ રેકોર્ડ બનાવવાની બાબતમાં અજેય છે. યુટ્યુબમાં હવે ટ્રેન્ડ શરૂ થઇ ગયા હતા. કોકાકોલા અને મેન્ટોઝના કે જસ્ટીન બીબરના ગીતો ગાતા હોય એવા અનેક વિડિયો અપલોડ થવા મંડ્યા હતા. સાથે સાથે પર્સનલ લાઈફના, સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ અપલોડ થતા હતા. જસ્ટીન બીબરને પણ કોમ્પ્લેક્ષ થઇ જાય એવો વિસ્ફોટ બાકી હતો જે ટૂંક સમયમાં યુટ્યુબમાં ફાટવાનો હતો. 

એનું નામ પાર્ક-જે સેંગ. સાઉથ કોરીયાનો લોકલ ગાયક. પ્રોફેશનલી તે ‘પીએસવાય’ના નામે ઓળખાતો હતો. તેના વિડિયો યુટ્યુબની એક વ્યક્તિના ધ્યાનમાં આવ્યા. તેણે પીએસવાયને યુટ્યુબની ઓફિસમાં બોલાવ્યો અને તેના નવા ગીતના વિડિયોને હીટ કરવા માટે ડીલ કરી. પીએસવાયનું ગંગનમ સ્ટાઈલ ગીત બહુ મહેનત પછી બન્યું હતું. તેનું લાક્ષણિક ડાન્સ સ્ટેપ પણ વિચિત્ર અને રમૂજી હતું. યુટ્યુબે કેમે કરીને તે વિડિયોને ઉપર લાવવાની કોશિશ કરી. ૨૦૧૨નો એ સમયગાળો હતો. યુટ્યુબ સેંકડો દેશોમાં વપરાતી સાઈટ હતી. અચાનક પીએસવાયના ગીત ગંગનમ સ્ટાઈલના વિડિયોએ રોકેટ સ્પીડ પકડી. યુટ્યુબે વિડિયોના વ્યુઝ કાઉન્ટ કરવા માટે જે કાઉન્ટર મૂક્યું હોય તે ક્રેશ થઇ ગયું, કારણ કે તેઓએ વિચાર્યું જ ન હતું કે કોઈ એક વિડિયોના વ્યુઝ એક અબજ કરતા પણ વધુ થઇ શકે. તે લોકોએ વ્યુઝ કાઉન્ટર રીસેટ કરવું પડ્યું. પીએસવાયને યુએનના મહામંત્રીથી લઇને બિયોન્સ, જસ્ટીન બીબર, લેડી ગાગા જેવા વર્લ્ડ રીનોન પરફોર્મર સાથે પરફોર્મ કરવાનો મોકો મળ્યો. એક અજાણ્યો સાઉથ કોરિયન કલાકાર ગ્લોબલ સેન્સેશન બની ગયો. એ ખુદ અત્યારે કહે છે કે મારે ગંગનમ સ્ટાઈલવાળો ઈતિહાસ રીપિટ કરવો હોય તો થઇ શકે ખરો? કદાચ પચાસ વર્ષ લાગે. 

યુટ્યુબ ઉપર તો દુનિયા આખીમાંથી આક્રમણ થયું. બધી ટીવી-ચેનલો યુટ્યુબમાં પોતાની ચેનલો ખોલવા લાગી. બધા રાજકારણીઓ યુટ્યુબ ઉપર આવી ગયા. એજ્યુકેશનના અનેક વિડિયો યુટ્યુબ ઉપર અપલોડ થવા લાગ્યા. છતાં પણ આજ સુધી યુટ્યુબમાં સૌથી વધુ સર્ચ થયેલો કોઈ વિષય હોય તો તે છે- હાઉ ટુ કિસ! સેક્સથી લઇને આતંકવાદ સુધીના વિષયોના વિડિયોનો યુટ્યુબ ઉપર રાફડો ફાટ્યો. શોર્ટફિલ્મની દુનિયામાં નવું પ્રાણતત્ત્વ ઉમેરાયું. ફિલ્મ બનાવવા માટેની મોનોપોલી તૂટવા લાગી. જેને પણ ફિલ્મ બનાવવી હોય એ બનાવીને યુટ્યુબ ઉપર મૂકી શકે. લોકોને ગમે તો તે ફિલ્મમેકરનું નામ આપોઆપ પ્રચલિત થાય. કોઈ ફેક્ટરીમાં સ્પેસશટલના સ્પેરપાર્ટ્સનું મેન્યુફેકચરિંગ બતાવતા વિડિયોથી લઈને તરબૂચના વેલામાં નાખવામાં આવતા ખાતર સુધીના વિડિયો યુટ્યુબ ઉપર મળવા લાગ્યા. યુટ્યુબર નામનું એક નવું પ્રોફેશન આવ્યું. અમુક હજાર સબસ્ક્રાઈબર્સથી ચેનલને વધુ ઉપભોક્તાઓ મળે તો યુટ્યુબ પોતાનો સ્ટુડિયો તેને વિનામૂલ્યે ઓફર કરવા લાગ્યું. ખૂબ પોપ્યુલર યુટ્યુબરને મહિને હજારો રૂપિયા મળતા થયા. લોકો યુટ્યુબમાંથી પોતાની કરીઅર બનાવવા લાગ્યા. 

યુટ્યુબ ઉપર બિલાડીના બધા વિડિયોઝના ટોટલ વ્યુઝ અબજોમાં છે. ‘ગ્રમ્પી કેટ’ તો મોટા મોટા સ્ટારને કોમ્પ્લેક્ષ આપે એટલી મોટી સેલિબ્રિટી બની ગઈ. બિલાડીઓના વિડિયો યુટ્યુબ ઉપર ખૂબ પોપ્યુલર છે. પ્રાણીઓથી મ્યુઝિક અને માણસોથી ભૂત સુધીના વિડિયો યુટ્યુબ ઉપર મળે. ફિલ્મો તો ખરી જ. યુટ્યુબના બધા જ વિડિયો જોઈ નાખવા હોય તો હજારો વર્ષ જીવવું પડે. યુટ્યુબ પહેલો એવો આઈડિયા જેણે વિશ્ર્વના દરેક નાગરિકને પોતાને અભિવ્યક્ત થવા માટેનું સમાન પ્લેટફોર્મ આપ્યું. યુટ્યુબે દેશની સરકારો પણ ઉથલાવી છે. યુટ્યુબ ફક્ત ડિજિટલ ક્રાંતિ ન હતું. તેણે એકવીસમી સદીને બદલાવી નાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. યુટ્યુબ વિનાની વર્તમાન દુનિયાની કલ્પના કરવી શક્ય છે?

August 26, 2019
Senior-Citizen.jpg
3min22440

આપણા દેશમાં સોશ્યલ સિકયુરિટી જેવી સુવિધા નથી, એટલે નિવૃતિ બાદના જીવન માટે ફાઇનૅન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. ખાસ કરીને જેઓ બિન-સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય. અન્યથા મોટી ઉંમરે પણ માણસે કામ કરતા રહેવું પડે છે. બદલાતા સંજોગોમાં ભારત સરકારે હજી વધુ રાહત માટે વિચારવાની જરૂર જણાય છે. સાઈઠની ઉંમરે ભારતીય નાગરિક વરિષ્ઠ નાગરિક બની જાય છે. અમુક કેસોમાં તો મહિલાઓને ૫૮ની ઉંમરે જ વરિષ્ઠ નાગરિકનો દરજજો અપાયો છે. આ તબક્કે સરકાર તરફથી વિવિધ લાભ અને સુવિધામાં પ્રાધાન્ય મળવાનો આરંભ થાય. 

વરિષ્ઠ નાગરિકોની વસતિ

સેન્સસ ૨૦૧૧ મુજબ ભારતનાં ૬૦ થી વધુ વયના લોકોની સંખ્યા ૧૦ કરોડથી વધુ છે. વરસ ૨૦૨૬ સુધીમાં આ સંખ્યા વધીને ૧૭ કરોડ ઉપર જવાનો અંદાજ મુકાયો છે. ચોકકસ દસ્તાવેજ (જેમાં ઉંમરનું પ્રુફ આવી જાય અને રેસિડન્સનું પ્રુફ પણ આવી જાય) સાથે સરકારી ફૉર્મ ભરીને સિનિયર સિટિઝન કાર્ડ મેળવી શકાય છે, જે તેના લાભ મેળવતી વખતે બતાવવું જરૂરી હોય છે.

પ્રધાનમંત્રી વયવંદના યોજના

બીજી સ્કીમ છે, પ્રધાનમંત્રી વયવંદના યોજના. આ સ્કીમમાં અગાઉ વ્યક્તિદીઠ સાડા સાત લાખના રોકાણની છૂટ હતી, જે હવે પંદર લાખ કરાઈ છે. સ્કીમનો સમયગાળો દસ વરસનો છે. આમાં પણ સરકારની ગેરન્ટી હોવાથી સંપૂર્ણ સલામતી ગણાય. સરકાર તરફથી ૮ ટકાનું વાર્ષિક વ્યાજ પણ નિશ્ર્ચિત. આ વ્યાજ દર મહિને પણ મળી શકે, જો વર્ષેે લેવાનું રાખો તો તે ૮.૩ ટકા મળે. જો કે આ વ્યાજ પર ટૅકસ લાગે છે. આ રોકાણમાં કલમ ૮૦ સીનો લાભ મળતો નથી. આ સ્કીમમાં પણ વચ્ચેથી ચોકકસ શરતો-ધોરણોને આધિન નાણાં ઉપાડવા મળે છે. 

આટલું યાદ રાખો: સિનિયર સિટિઝન સ્કીમ જાહેર ક્ષેત્રની બૅન્કો અને પોસ્ટ ઑફિસોમાં ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી વયવંદના યોજનાનું માત્ર એલઆઈસી (લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન) માર્કેટિંગ-ડિસ્ટ્રીબ્યુશન કરે છે. 

અડધો ટકો વધુ વ્યાજ

બૅન્ક એફડી-રિકરિંગ ડિપોઝિટ, પોસ્ટ ઑફિસ ડિપોઝિટમાં સિનિયર સિટિઝનને અન્ય કરતાં અડધો ટકા વધુ વ્યાજ મળે છે તેમ જ તેમની ૫૦૦૦૦ રૂપિયા સુધીની વ્યાજની આવક સેકશન ૮૦ટીટીબી હેઠળ ટૅક્સ ફ્રી રહે છે જે અન્ય માટે માત્ર ૧૦૦૦૦ રૂપિયા છે.

આર્થિક સ્વતંત્રતાનું મહત્ત્વ

કમાણી શરૂ થાય ત્યારથી જ બચત પણ શરૂ કરી દેવી જોઈએ. એ પછી પચાસ, પાંચસો કે પાંચ હજાર રૂપિયા હોઇ શકે છે. નિવૃત્તિ પછીની આત્મનિર્ભરતા માટે આ પાયાની જરૂર છે. સંતાનોના કે અન્ય કોઈના પણ ભરોસે રહેવાના દિવસોે ગયા. રિટાયરમેન્ટ પછી મળેલા પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટીના પૈસા બૅન્ક એફડીમાં મુકાતા હોય છે. વ્યાજની રકમ ઘર વપરાશ માટે વાપરી શકાય. રોકાણ આયોજનની સમજ ન હોય તો નિષ્ણાત અને વિશ્ર્વસનિય વ્યક્તિની સલાહ લેવી. સરકારી યોજના-સુવિધા: સરકાર તરફથી વરિષ્ઠ નાગરિકોને જે લાભ મળે છે યા તેમની માટે જે ખાસ યોજના કે સુવિધા છે તેને જાણીએ-સમજીએ.

પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના

આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના હેઠળ પેન્શન સ્કીમ લોન્ચ કરી, જેમાં બિન-સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને ૬૦ વરસની ઉંંમર બાદ મહિને ૩૦૦૦ રૂપિયાનું પેન્શન મળે છે. આ પેન્શનનો લાભ મહિલાઓને પણ અપાયો છે. આમાં નોકરીના સમય દરમિયાન કામદારે મહિને ૧૦૦ રૂપિયા જમા કરવાના રહે છે. વધુમાં બૅન્કો તથા પોસ્ટ ઑફિસ ડિપોઝિટ સ્કીમમાં અગાઉ વ્યાજ પર ટીડીએસ માટેની મર્યાદા ૧૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૪૦,૦૦૦ કરાઈ છે. હવે ૪૦ હજાર રૂપિયા સુધી ટીડીએસ લાગુ થતો નથી. ઉપરાંત ટૅકસ સ્લૅબ માટે સુપર સિનિયર સિટિઝન માટેની વયમર્યાદા પણ ઘટાડીને ૭૦-૭૫ કરી છે. 

વરિષ્ઠો માટે સરકારની બે ખાસ રોકાણ યોજના

સિનિયર સિટિઝન બન્યા બાદ નાણાં કયાં રોકવા એ મુંઝવણ હોય અને તેમને નિયમિત આવકની સાથે પૂર્ણ સલામતીની પણ અપેક્ષા હોય તો સૌપ્રથમ તેમણે સરકારની બે યોજના જાણી લેવી જોઈએ. જેમાં એક છે, સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, જેમાં રોકાણકારને વાર્ષિક ૮.૭ ટકાના દરે (દર ત્રિમાસિક ગાળામાં) વ્યાજ મળી શકે છે. આ વ્યાજ કરપાત્ર હોય છે, આમાં એક વ્યક્તિ મહત્તમ ૧૫ લાખ સુધીનું રોકાણ કરી શકે છે. આ રોકાણ એક સાથે કરવાને બદલે ગમે ત્યારે કરી શકાય છે. આ સ્કીમમાં નાણાં રોકયા બાદ પાંચ વરસ રાખી મુકવા પડે છે. પાંચ વરસ બાદ એ નાણાં પરત મળી જાય તેની ગૅરન્ટી સરકાર આપે છે. આ સ્કીમ સંપૂર્ણ સલામત ગણાય. સ્કીમમાં પાંચ વરસ બાદ વધુ ત્રણ વરસનું એકસટેન્શન થઈ શકે એવી જોગવાઈ પણ છે. આમાં વચ્ચેના સમયમાં નાણાં ઉપાડી લેવા હોય તો સરકારના ચોકકસ નિયમો મુજબ અમુક સમયગાળા બાદ એમ થઈ શકે. સિનિયર સિટિઝન પતિ-પત્ની બંને મળીને આ સ્કીમમાં ૩૦ લાખ સુધીની રકમ રોકી શકે છે જેમાં વાર્ષિક ૮.૭ ટકા ના વ્યાજને ગણતરીમાં લઈએ તો મહિને અંદાજે ૨૦ થી ૨૨ હજાર જેવી રકમ તેમને મળી શકે. વધુમાં આ રોકાણમાં દોઢ લાખ સુધીની રકમને કલમ ૮૦ સી હેઠળ કરરાહત પણ મળે છે. 

એર અને રેલ્વે ટ્રાવેલમાં રાહત

વરિષ્ઠ નાગરિકોને ઍર ઈન્ડિયા તરફથી ઍર ટ્રાવેલમાં ૪૦ ટકા ડિસ્કાઉન્ટ ઑફર થાય છે, જયારે રેલ્વે ભાડાંમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ અપાય છે. આમાં રાજધાની અને શતાબ્દી સહિતની દરેક ટ્રેન સામેલ થાય છે. રેલવેમાં ભાડાની સવલત માટે પુરુષ ૬૦ વર્ષની ઉંમરે જ્યારે મહિલા ૫૮ વર્ષની ઉંમરે સિનિયર સિટિઝન ગણાય છે. મહિલાઓને એર ઈન્ડિયા તરફથી એર ટ્રાવેલમાં પણ ૫૮ની ઉંમરે ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. હવે તો ટ્રેન અને બસોની બેઠકમાં પણ સિનિયર સિટિઝન માટે રિઝર્વ બેઠકો રખાય છે. ઘણી જગ્યાએ વરિષ્ઠ નાગરિક માટે અલગ લાઈન રખાય છે. 

આવકવેરાના લાભ

૬૦થી ૮૦ વરસના સિનિયર સિટિઝને ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅકસ ભરવાનો આવતો નથી, ત્રણથી પાંચ લાખ સુધીની આવક પર પાંચ ટકા, પાંચથી વધુ અને દસ લાખ સુધીની આવક પર ૨૦ ટકા અને દસ લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટૅકસ ભરવાનો થાય છે. ૮૦ વરસથી મોટા સિનિયર સિટિઝન માટે પાંચ લાખ સુધીની આવક કરમુકત છે. બાકી ઉપર મુજબ ટૅકસ લાગે છે. સ્ટાન્ડર્ડ ડિડકશન સિંગલ વ્યક્તિ માટે

રૂપિયા ૧૮,૩૫૦ છે, જયારે કપલ સંયુકત રીતે રિટર્ન ફાઈલ કરે તો ૨૪,૪૦૦ છે. 

૮૦ વરસથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટિઝનને પચાસ લાખથી વધુ અને એક કરોડ સુધીની આવક પર ચાર ટકા વધારાનો એજયુકેશન અને હેલ્થ સેસ લાગે છે. દસ ટકા સરચાર્જ લાગે છે. છેલ્લા બજેટમાં સરકારે પાંચ લાખ સુધીની વાર્ષિક આવક કરમુક્ત કરી છે જેમાં વરિષ્ઠ નાગરિક પણ આવી જાય છે. જોકે, પાંચ લાખની ઉપર આવક જાય તો તેને વર્તમાન સ્લૅબ મુજબ ટૅક્સ લાગુ થાય છે.

બચત – રોકાણનાં સલામતી અને જોખમ

રોકાણ અને બચત કઇ રીતે કરવા? આ સવાલ મોંઘવારીના માહોલમાં તેમ જ સંતાનો વિના એકલા રહેતા લગભગ દરેક વરિષ્ઠ નાગરિકને મુંઝવે છે. સરકારી બચતના સાધનોમાં અને બૅન્કોની ફિકસ્ડ ડિપોઝિટના વ્યાજદર ઘટતા રહયા છે. લોકોનું આયુષ્ય વધી રહયું છે એ પરિસ્થિતિમાં મુળભુત જરૂરિયાતો સાથે મેડિકલ ખર્ચ માટેની જોગવાઈ પણ રાખવી પડે છે. મોટાભાગના લોકો તો બચત અને રોકાણ બાબતે સતત મુંઝવણમાં રહે છે. શેરબજાર મોટી ઉંમરે જોખમી લાગે છે. મ્યુચ્યુઅલ ફંડ વિશે ઝાઝું સમજાતું નથી, સરકારી બચત યોજનાઓ કે બૅન્કોની ડિપોઝીટ પૂરતું વળતર નથી આપી શકતા. 

મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમ

જો તમારી પાસે મોટું કોરપસ ફંડ હોય અને તમારે નિવૃત્તિ બાદ નિયમિત આવકની ઈચ્છા હોય તો આ બે સ્કીમ શ્રેષ્ઠ ગણાય. આ પછી તમારું રોકાણ પ્રવાહિતાની સુવિધા ખાતર બૅન્કની એફડીમાં રાખવું જોઈએ. ત્યારબાદ ત્રીજું રોકાણ મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમમાં કરી શકાય. આ સ્કીમમાં પ્રવાહિતા સારી હોવાથી ૨૪ કલાકમાં પણ તમને નાણાં પરત મળી જાય છે. આ સ્કીમમાં રોકાણ કરી ત્રણ વરસ બાદ ઉપાડો તો તેના કેપિટલ ગેઈન પર ઈન્ડેકસેશન સાથે ૨૦ ટકાના દરનો લાભ મળે છે. ડેટ સ્કીમની પસંદગી સમજીને કરવી જોઈએ. 

કૉર્પોરેટ એફડી પણ અજમાવી શકાય

આ ઉપરાંત સારા ટ્રૅક રેકૉર્ડવાળી કંપનીઓની એફડીમાં પણ રોકાણ કરી શકાય, આમાં ૧૦ થી ૧૫ ટકા કરતા વધુ નાણાં રોકવા નહીં અને માત્ર ટ્રિપલ એ રેટિંગવાળી જ એફડી પસંદ કરવી. જોખમ લઈ શકવાની ક્ષમતા હોય તો સારા ફંડામેન્ટલ્સવાળા શેરમાં રોકાણ કરી શકાય અથવા મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમ પસંદ કરી શકાય. અલબત્ત આની પસંદગી સમજી-વિચારીને યા સાચી સલાહ મેળવીને જ કરવી. સિનિયર સિટિઝન બન્યા બાદ કુલ રોકાણપાત્ર ફંડના ૭૫ થી ૮૦ ટકા રોકાણ સિકયોર્ડ સાધનોમાં રાખવું અને બાકીનું ૧૫ થી ૨૦ ટકા ઇક્વિટીમાં કરી શકાય. 

ઈપીએફ મહત્તમ જમા થવા દો

સેલરી કલાસ માટે રિટાયરમેન્ટ પ્લાનિંગને ધ્યાનમા ંરાખતા તેમની નોકરી ચાલુ હોય ત્યારે એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ)માં હિસ્સો કપાવીને મહત્તમ રોકાણનો પ્રયાસ કરવો જોઈએ. આ સાધનમાં ૮.૬૫ ટકા વળતર ટૅક્સ ફ્રી મળે છે. અલબત્ત આમાં સરકાર તરફથી સમયાંતરે ફેરફાર થઈ શકવાની શકયતા હોય છે.

હેલ્થ ઈન્શ્યુરન્સ ખાસ રાખો

જીવન વીમા જેવા સાધનને ઈન્વેસ્ટમેન્ટ ગણવું નહીં. જયારે કે હેલ્થ વીમો પહેલેથી યોગ્ય રકમનો રાખવો અને અમુક ઉમંર બાદ તે ન મળે તો હેલ્થ ખર્ચ માટે અલગથી ફંડ બૅન્ક એફડીમાં જમા કરતા જવામાં શાણપણ ગણાય. સરકારે વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય સંદર્ભે કંઇક અલગ વિચાર કરીને નવી યોજના લાવવી જોઇએ. અત્યારનું માળખું ઘણાં સિનિયર સિટિઝનની પહોંચ બહાર છે.

ટીડીએસના લાભ

હવે પાંચ લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવનાર વરિષ્ઠ નાગરિક બૅન્ક અને પોસ્ટ ઑફિસ ડિપોઝિટના વ્યાજ પરના ટીડીએસમાંથી ફોર્મ ૧૫ એચ ભરીને કરમુક્તિ મેળવી શકે છે. અગાઉ આ મર્યાદા અઢી લાખની હતી.

વરિષ્ઠ પેન્શન બીમા યોજના

એલઆઈસી (લાઈફ ઈન્શ્યુરન્સ કૉર્પોરેશન) એક વરિષ્ઠ પેન્શન બીમા યોજના ચલાવે છે. આ યોજનામાં દસ વર્ષ સુધી આઠ ટકા વ્યાજની ખાતરી હોય છે. અગાઉ આમાં સાડા સાત લાખનું જ રોકાણ થઈ શકતું હતું, જે હવે ૧૫ લાખ રૂપિયા સુધી થઈ શકે છે. આ સાથે આ યોજનામાં મહિને દસ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. પેન્શનરૂપે મળતું વ્યાજ મહિને, ત્રણ મહિને, છ મહિને કે વરસે મેળવવાનો વિકલ્પ અપાય છે. આ યોજનાની વિશેષતા એ છે કે તેમાં મેડિકલ ચેકઅપની ફરજ પડાતી નથી. પાકતી મુદત પહેલાં ધારક કોઈ ગંભીર બિમારીનો શિકાર બને તો તેને નાણાં ઉપાડવાની સવલત અપાય છે. આમાં ચોકકસ શરતોને આધિન લોન પણ મળે છે.

વરિષ્ઠ મેડિક્લેઈમ પૉલિસી

નૅશનલ ઈન્શ્યુરન્સ કંપની ૬૦થી ૮૦ની ઉંમરના વરિષ્ઠો માટે વરિષ્ઠ મેડિકલેઈમ પૉલિસી સાથે હેલ્થ ઈન્શ્યુરન્સ પણ ઑફર કરે છે. એમાં એક લાખ રૂપિયા સુધીનું હૉસ્પિટલ કવરેજ મળે છે અને ગંભીર બિમારીમાં બે લાખ સુધીનું કવરેજ મળે છે. આ પૉલિસીને ૯૦ વરસની ઉંમર સુધી પણ લંબાવી શકાય છે. આમાં દવા, બ્લડ, ઑક્સિજન વગેરે ચાર્જ કવર થાય છે. રૂપિયા ૧૦૦૦ સુધીનો સ્પેશ્યલ એમ્બ્યુલન્સ ચાર્જ પણ અપાય છે. બે લાખ સુધીના કવર સામે કૅન્સર, બ્રેઈન સ્ટ્રોક જેવી ગંભીર બિમારીમાં હૉસ્પિટલાઈઝેશન વિના પણ કલેમ પાસ કરાય છે.

August 26, 2019
gold2.jpg
1min14520

ઓગસ્ટ 2019ના મહિનામાં સોનાના ભાવો જે રીતે ઉછળ્યા છે એ જોતા આવી તેજી અગાઉ ક્યારેય નોંધાઇ નથી. એક જ મહિનાના સમયગાળામાં એક તોલા સોનાના ભાવમાં રૂ.4 હજારથી વધુનો ઉછાળો નોંધાયો છે અને હવે સોનું મધ્યમવર્ગીય પરિવારોથી પણ દૂર થઇ રહ્યું છે.

સોનાના ભાવમાં આવી અભૂતપૂર્વ તેજી અગાઉ ક્યારેય નથી જોવા મળી. જન્માષ્ટમીના એક દિવસ અગાઉ ગઇ તા. 23 ઓગસ્ટ 2019ના રોજ શુક્રવારે ગુજરાતના અમદાવાદ શહેરમાં 24 કેરેટ ગોલ્ડ (સોનુ)નો ભાવ પ્રતિ તોલાએ 38,920 રૂપિયા પર બંધ થયો હતો. એ પછી આજે તા.26મી ઓગસ્ટ 2019ના રોજ માર્કેટ શરૂ થતાં જ સોનાના ભાવમાં રૂ. 1215 રૂપિયાનો ઉછાળો થયો હતો અને ગુજરાતના અમદાવાદમાં ઇતિહાસમાં પહેલી વખત 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ તોલાએ રૂ.40 હજારના માઇલસ્ટોનને પાર કરીને એક તબક્કે 40,175ની સપાટી વટાવી ગયો હતો.

અમદાવાદ સમેત મુંબઇ અને સુરતના વેપારીઓને ચિંતા પેઠી છે કે હવે તહેવારો ખાસ કરીને પુષ્ય નક્ષત્ર અને દિવાળીના તહેવારોમાં લોકોની સોનાની ખરીદી ઘટી જશે અને ધંધો સાવ મંદ પડી જશે.

ગત જુલાઈ 2019માં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.36,000 પ્રતિ 10 ગ્રામ હતો. એક જ મહિનામાં સોનાના ભાવમાં સીધો રૂ 4000નો વધારો જોવા મળ્યો છે.

August 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7780

દાનવીરોની નગરી ગણાતા સુરત શહેરમાં કાર્યરત બ્લડ બેંકો હાલમાં એ પોઝીટીવ અને એબી પોઝીટીવ બ્લડની તંગી અનુભવી રહી છે. સુરત રક્તદાન કેન્દ્ર અને લોકસમર્પણ રક્તદાન કેન્દ્રએ એ પોઝીટીવ અને એબી પોઝીટીવ રક્તદાતાઓને અપીલ કરી છે કે તેઓ સ્વૈચ્છીક રક્તદાન કરે જેથી આ શોર્ટેજ નિવારી શકાય.

A પોઝીટીવ અને AB પોઝીટીવ રક્તદાતાઓને અપીલ કરી છે કે તેઓ સ્વૈચ્છીક રક્તદાન કરે જેથી આ શોર્ટેજ નિવારી શકાય.

વધુ માહિતી આપતા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના મેનેજર શ્રી સંજયભાઇએ જણાવ્યું હતું કે એ પોઝીટીવ અને એબી પોઝીટીવ રક્ત ધરાવતા લોકો આમેય ઓછા હોય છે અને આ વખતે 15મી ઓગસ્ટ કે જે દિવસે સૌથી વધુ રક્તદાન કેમ્પો યોજાતા હોય છે એ યોજી શકાયા ન હતા કેમકે રક્ષાબંધન પર્વ સાથે હતો એટલે એન.જી.ઓ. દ્વારા દર વર્ષે જે કેમ્પો યોજાય છે તેટલી સંખ્યામાં આ વખતે કેમ્પો યોજાય શક્યા ન હતા. એટલે હાલમાં એ અને એ બી પોઝીટીવ રક્તની તંગી વર્તાય રહી છે.

સંજયભાઇએ કહ્યું કે લોકસમપર્ણ રક્તદાન કેન્દ્ર દ્વારા છેલ્લા પાંચ દિવસથી સતત બન્ને રક્ત ગ્રુપ ધરાવતા દાતાઓને ફોન કરીને સ્વૈચ્છીક રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

એવી જ રીતે સુરત રક્તદાન કેન્દ્રના શ્રી અશ્વિન મહેતાએ જણાવ્યું હતું કે રક્તદાન કેન્દ્રએ દરેક દાતાઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે અને ઇમરજન્સીમાં જે રક્તની જરૂર પડે છે એ અંગેની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે.

સુરતમાં એ ગ્રુપ અને એ બી બ્લડ ગ્રુપના રક્તની અછત નિવારવા માટે સનગ્રેસ સ્કુલના સંચાલક શ્રી જયસુખભાઇ કથિરીયા પ્રયત્નશીલ છે, ટૂંક સમયમાં તેઓ આ અંગે મોટો બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું આયોજન કરી રહ્યા છે, રસ ધરાવતા લોકો તેમનો સંપર્ક કરી શકે છે. ફોન નં. 99251 1009

August 26, 2019
magic-1280x1771.jpg
1min12300

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલા એક તાજા પરિપત્રમાં તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં જાદુગરના ખેલો બતાવવા કે જાદુગરના ખેલ બતાવવા વિદ્યાર્થીઓને લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો છે. શાળાઓમાં જાદુના ખેલોના નામે એક મોટો વેપાર પણ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓને 30થી 50 ટકા કન્સેશન આપીને આખીને આખી સ્કુલોમાં જાદુના ખેલો બતાવીને રોકડી કરવાનો ધંધો લાખો રૂપિયા રળી આપતો હોય, ગુજરાતમાં અનેક જાદુગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા હતા. જાદુગરોના શો આમેય ફક્ત શાળાઓ પૂરતા સિમીત બની ચૂક્યા હતા.

સૌરાષ્ટ્રના અમરેલીના એક જાદુગરે શિક્ષણમંત્રીને કરેલી ફરીયાદના અનુસંધાને સમગ્ર રાજ્યમાં શાળાકીય સ્તરે જાદુગર કે જાદુના ખેલો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાદુગરના ખેલમાં કેટલાક આગ સાથે રમતો, તિક્ષ્ણ હથિયાર સાથેના ખેલો હોઇ, સેફ્ટી સિક્યુરિટીના કોઇ પગલાં લેવાતા નથી તેમજ જાદુના ખેલોથી મનોરંજન સિવાય કશું ઉપલબ્ધ થતું  ન હોવાથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને બહાર લઈ જઈને પણ જાદુનો ખેલ નહીં બતાવી શકાય

રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં જાદુના ખેલ બતાવવા પર તેમજ જાદુના ખેલ બતાવવા માટે જાદુગરના ટેન્ટ સુધી વિદ્યાર્થીઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક પરિપત્રનો માત્ર સરકારી જ નહીં પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં પણ અમલ કરવા માટે આદેશ અપાયો કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આ અંગે પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે.

અમરેલી જિલ્લાના એક જાદુગરે રાજ્યના શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જાદુગરો દ્વારા સ્કૂલનો સમય બગાડી જાદુના ખેલ બતાવતા હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે, રાજ્યમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલા જાદુગરો પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને જાદુ બતાવી મનોરંજન પૂરું પાડવું છે તેમ જણાવી અધિકારી-કચેરી ખાતે ખોટી વિગતો રજૂ કરી પરિપત્ર કરાવી કાર્યક્રમો યોજતા હોય છે. આવા જાદુગરો શાળાઓમાં બે કલાકનો ખેલ બતાવી સ્કૂલનો અને વિદ્યાર્થીનો શિક્ષણનો અમૂલ્ય સમય બરબાદ કરતા હોય છે.

આ ઉપરાંત ઘણી જગ્યાએ જાદુગરો ખૂલ્લામાં મોટા ટેન્ટ બાંધી જાદુના ખેલ બતાવતા હોય છે. ત્યાં તાલુકા શિક્ષણને લગતા સ્થાનિક અધિકારીઓ પાસેથી ખોટી વિગતોના આધારે મંજૂરી લઈ વિદ્યાર્થીઓને માલવાહક વાહનોમાં ખૂલ્લામાં શાળામાંથી જાદુના સ્થળ સુધી જીવના જોખમે લાવી જાદુ બતાવતા હોય છે. આવા સ્થળો સુધી પહોંચવા માટે જાદુગર દ્વારા ટ્રેક્ટર અથવા તો ખૂલ્લા ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ભરીને લાવવામાં આવે છે. ઉપરાંત જાદુના સ્થળ પર પણ સુરક્ષાની કોઈ સુવિધા હોતી નથી. ટેન્ટ પણ કપડાનું હોય છે અને આગ જેવી ઘટનામાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ રહેલું હોય છે.

જાદુનો ખેલ બતાવવા માટે સ્કૂલમાં આવતા જાદુગર ખોટી રજૂઆતો કરતા હોય છે. જેમાં તેઓ વિદ્યાર્થીઓના શો દ્વારા આવેલા પૈસા ગાયોના ઘાસચારા માટે અથવા તો અનાથ આશ્રમમાં અપાશે તેમ જણાવતા હોય છે. ત્યારબાદ તેઓ બે કલાકના જાદુના શો માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૩૦થી ૫૦ સુધી પડાવતા હોય છે. આ પૈસા આવ્યા બાદ જાદુગરો પોતાના હિત માટે જ આ રૂપિયાનો ઉપયોગ કરતા હોય છે. આમ, જાદુગરો અધિકારીઓ સમક્ષ પણ ઈમોશનલ રજૂઆતો કરી તેમને ભોળવી મંજૂરી લેતા હોય છે.

August 26, 2019
danh-girl_d.jpg
1min7920
દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગની દિકરી આશા પવાર કે જેણે સાયન્સફેરમાં રજૂ કરેલા ડ્રેેનેજ ક્લીનીંગ મશીનના પ્રોજેક્ટ આંતર રાષ્ટ્રીય સ્તરે જાપાન ખાતે યોજાઇ રહેલા સ્કુલ સાયન્સ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, આ નિમિત્તે નવસારી વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા દગડીઆંબા ગામે રહેતી આશા પવારે પોતાના જિલ્લા સ્તરની શાળાકીય વિજ્ઞાન મેળાની હરીફાઇમાં ગટર સાફ કરવાનું વર્કિંગ મોડેલ બનાવીને રજૂ કર્યું હતું, જે જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે વિજેત બન્યા બાદ ભારતમાં રાષ્ટ્રકક્ષાના સાયન્સ ફેરમાં પણ આ બાળવિજ્ઞાનીનો ડ્રેનેજ ક્લીનીંગ મશીન પ્રોજેક્ટ વાહવાહી લૂંટી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગની દિકરી આશા પવારનો ડ્રેનેજ ક્લીનીંગ મશીનનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી જાપાનના આંતર રાષ્ટ્રીય સ્તરના સ્કુલ સાયન્સફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા દગડીઆંબા ગામે રહેતી આશા પવાર પિતાની છત્રછાયા બાળપણથી ગુમાવી ચૂકી છે. છેવાડાના આદિવાસી જિલ્લાની આશા પવારે ન તો ડ્રેનેજ જોઈ છે કે ભૂગર્ભ ડ્રેનેજ, પરંતુ આ વિદ્યાર્થિનીએ સ્કૂલના વિજ્ઞાન મેળામાં ગટર સાફ કરવા માટેનું યંત્ર બનાવ્યું હતું જેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થઈ છે.

દેશમાંથી આવેલી ૮૫૦ કૃતિઓમાંથી ૬૬ પસંદ કરવામાં આવી હતી, જેમાંની દગડીઆંબા ગામની સ્કૂલની આશાનું ગટર સાફ કરતું યંત્ર પણ પસંદ કરવામાં આવ્યું છે.

એક વર્ષમાં આપણા ભારત દેશમાં સર્વે મુજબ અંદાજિત ૩૦ હજાર સફાઈ કામદારો ગટરમાં ઊતરવાના કારણે મૃત્યુ પામતા હોય છે. જે ન બને એ માટે આશાએ એક આશા બાંધી હતી અને એમાં સફળતા મળતાં આશા પવારે મશીન બનાવ્યું છે જેના થકી ગટરનું પાણી કે કચરો સીધો બહાર આવી શકે છે જે પ્રોજેક્ટને તૈયાર કરવા માટે દગડીઆંબાના શિક્ષકે પણ આશાને સારો સહકાર આપ્યો છે.

નવસારીના વિરવાડી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દત્તક લઈને વધુ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અનેક બાળકીઓમાં રહેલી શક્તિઓને ખિલવવા માટે સદાય અગ્રેસર રહેતા લોકોએ આ દીકરીને સન્માની છે, જેના કારણે કામ કરવાની વધુ ધગશ મળી છે.

August 26, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5640

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન ખાતાએ કરી છે. તા.25 રવિવારથી લઇને આવનારા પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ઉપરોક્ત સ્થળે તથા તા.26 અને 17 ઓગસ્ટે રાજ્યના અનેક પ્રાંતમાં ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

હવામાન ખાતાની આગાહી મુજબ 26-27 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 26મીએ’ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. જ્યારે 27 ઓગસ્ટે અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત જિલ્લામાં વરસાદની આગાહી છે.

28 ઓગસ્ટે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

August 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11290

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના પ્રમુખ પદ માટે આજે સુરતના જીવનભારતી સંકુલ ખાતે યોજાયેલી દ્વીપાંખીયા જંગ સમી ચૂંટણીમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબ ડો.પારુલ વડગામાનો વિજય થયો હતો. ડો. પારુલ વડગામા (916 મતો) એ તેમના હરીફ ડો.યોગેશ દેસાઇ (696 મતો) ને 220 મતોની સરસાઇથી હરાવ્યા હતા.

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના પ્રમુખ પદે આજે ડો.પારુલ વડગામા વિજયી નિવડ્યા હતા. વિજય બાદ પોતાના સમર્થકો સાથે ડો.પારુલ વડગામા વિજયી મુદ્રામાં દ્રશ્યમાન છે.

સુરતના તબીબોની આ ચૂંટણીમાં અદ્દલ રાજકારણીઓને પણ શીખવા મળે તેવું રાજકારણ રમાયું હતું એ અંગે સી.આઇ.એ. લાઇવ એ પહેલા જ રિપોર્ટમાં દર્શાવ્યું હતું. આજની ચૂંટણીમાં હકીકતમાં સૌરાષ્ટ્રવાસી તબીબોનો દબદબો જોવાયો હતો. વેડ, કતારગામ, અમરોલી, વરાછા વિસ્તારના તબીબોએ કરેલા અગ્રેસિવ વોટિંગને કારણે ડો.યોગેશ દેસાઇએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ઇતિહાસ શું હતો?

થોડા વર્ષો અગાઉ સુરત મેડીકલ કન્સલ્ટન્ટ એસોસીએશન (એસ.એમ.સી.એ.) જે સુરતના તબીબોનું જ એક સંગઠન છે અને એ ક્યાંયે રજિસ્ટર્ડ કે કોઇ સંસ્થા સાથે સંકળાયેલું નથી, પોતાની રીતે કાર્યક્રમો પોતાના ખર્ચે પાર પાડે છે. આ સંગઠનમાં ખર્ચ તેમજ હિસાબો બાબતે એક સૌરાષ્ટ્રવાસી તબીબને સુરતી તબીબો સાથે માથાકૂટ થઇ હતી. અને એ સમયે સૌરાષ્ટ્રવાસી તબીબે એવી ચેલેન્જ કરી હતી કે એક દિવસ તેઓ સુરતી તબીબોને હરાવીને બદલો વાળશે. એ સમયે આજે ચૂંટણી જીતેલા ડો.પારુલ વડગામા કોના તરફે હતા એ તમામ તબીબો જાણે જ છે.

બસ આ ઘટનાને પગલે આજે આઇ.એમ.એ. સુરત પ્રેસિડેન્ટની ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસી તબીબોએ સુરતી તબીબો સાથેનો હિસાબ ચૂક્તે કર્યો હતો. મૂળ સૌરાષ્ટ્રવાસી તબીબોએ મૂળ સુરતી ડો. યોગેશ દેસાઇ સામે એગ્રેસીવ વોટિંગ કર્યું હોવાના સગડ મળ્યા હતા.

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટની ચૂંટણી આ ચાર મુદ્દાઓને કારણે ભારે વિવાદિત થઇ હતી.

  • ડો.પારુલ વડગામાના પતિ અને શહેરના એક અનેસ્થેટીસ્ટ ડો.હીરલ વચ્ચે આઇ.એમ.એ. ઇલેક્શન બાબતે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો ઇરાદાપૂર્વક વાઇરલ કરાયો
  • તા.5મી ઓગસ્ટ 2019થી અચોક્કસ મુદતની સીક લિવ મૂકીને ડો.પારુલ વડગામા ઇલેકશન લડ્યા, મતદાનના બે દિવસ અગાઉ ઇ.એલ. મૂકી
  • ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓના લોકલ અધિકારીઓ કર્મચારીઓએ સેલ્સ પ્રમોશનની આડમાં કેટલીક ચોક્કસ પ્રકારની ફેસેલિટીઝ પૂરી પાડી
  • કોઇપણ ચોક્કસ પ્રકારની આચારસંહિતા વગર આઇ.એમ.એ.ની ચૂંટણી યોજાઇ હતી, આ ચૂંટણી બાદ આઇ.એમ.એ.ની ચૂંટણીમાં કેટલીક આચારસંહિતાની જોગવાઇઓ ઉમેરાશે એ બાબત ચોક્કસ છે.

August 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8700

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના સુરતના પ્રેસિડેન્ટની આજરોજ તા.25મી ઓગસ્ટ 2019ના રોજ ચૂંટણી યોજાઇ રહી છે.

જીવનભારતી રોટરી હોલ ખાતે યોજાઇ રહેલી ચૂંટણીમાં મતદાન બપોરે બે વાગ્યા સુધી ચાલશે અને એ પછી મતગણતરી યોજાશે. મતદાન પૂરું થયું ત્યાં સુધીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 3500 તબીબ મતદારો પૈકી 1650 તબીબોએ મતદાન કર્યું હોવાની માહિતી મળી છે.

સુરતના તબીબોની આજની ચૂંટણીમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ચૂંટણીને હેમખેમ આટોપવા માટે બાઉન્સર્સ (પ્રાઇવેટ ભપકાદાર સિક્યુરીટી)નો સહારો લેવો પડ્યો છે. આમેય બાઉન્સર્સ કલ્ચર ભારત જેવા દેશોમાં સિક્યુરિટી કરતા વધુ શૉમેનશીપ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

આજે સવારે જ્યારે ચૂંટણી શરૂ થઇ ત્યારે મતદાન કરવા આવેલા ખુદ તબીબોને પણ આશ્ચર્ય થયું હતું કે તબીબો એટલા માથાભારે છે કે તેમની ચૂંટણી યોજવા માટે બાઉન્સર્સને રાખવા પડે. પહેલા તો બન્ને ઉમેદવારોના કેમ્પમાં એકબીજાએ બાઉન્સર રાખ્યા હોવાની ગેરસમજ થઇ હતી પછી જાણવા મળ્યું કે ચૂંટણી કરાવનારાઓએ બાઉન્સર્સને રાખ્યા છે.

જીવનભારતી ખાતે આજે સવારથી યોજાયેલા મતદાનને શહેરના તબીબો, મતદારો એક ફેસ્ટિવલની જેમ માણી રહ્યા હતા. ક્યાંયે કોઇ હો-હલ્લો થયો ન હતો કે ક્યાંય કોઇ ચકમક ઝરી ન હતી. આવી સ્થિતિમાં બાઉન્સર રાખવાનું ચૂંટણી અધિકારીઓનું લોજિક તબીબોને પણ ગળે ઉતરતું ન હતું. આજની ચૂંટણીમાં તબીબોએ મતદાન કરવા સાથે ટેસ્ટી લંચ પણ એન્જોય કર્યું હતું.

ડો.પારુલ વડગામાના નામે અનેક વિવાદોએ ચૂંટણીને ટોક ઓફ ધ ટાઉન બનાવી

નવી સિવિલ હોસ્પિટલના એક ઇન્ચાર્જ વિભાગીય વડા ડો.પારુલ વડગામા જેઓ ગઇ તા.5મી ઓગસ્ટ 2019થી ગરીબ દર્દીઓની સેવા કરવાની પ્રાથમિક ફરજ છોડીને, પહેલા માંદગીની રજા અને ગઇ તા.23મી ઓગસ્ટથી ઇ.એલ. રજા પર છે. ચૂંટણી લડવા અને જીતવા માટે તેઓ એટલી હદે ડેસ્પરેટ છે. તેમની સામે નિવડેલા તબીબ, બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહેતા ડો. યોગેશ દેસાઇ છે.

ડો. યોગેશ દેસાઇની ઉંમરને ચૂંટણીનો મુદ્દો બનાવાયો

ડો. યોગેશ દેસાઇ માટે હરીફ ડોક્ટરો પાસે કોઇ મુદ્દો હતો નહીં એટલે તેમની ઉંમરનો મુદ્દો બનાવ્યો. પ્રેસિડેન્ટ ઇલેક્ટ એનેસ્થેટીસ્ટ ડો.હિરલ અને ડો.પારુલ વડગામાના પતિ વચ્ચેની વાઇરલ થયેલી ટેલિફોનિક વાતચીતોમાં તો ડો.હિરલએ ડો.યોગેશ દેસાઇ માટે જે શબ્દ પ્રયોગ કર્યા એ દર્શાવે છે કે સૌથી બુદ્ધિશાળી અને પૃથ્વી પર જેને ભગવાન માનવામાં આવ્યા છે, એ લોકો સુરતમાં ચૂંટણી જીતવા માટે કેટલી હદે નીચલી પાયરીએ જઇ શકે છે. ડો. હિરલ ક્યારેય વૃદ્ધ થવાના ન હોય એ રીતે ઓડિયો ક્લીપમાં તેમણે ડો. યોગેશ દેસાઇને હ્યુમિલીએટ કર્યા.

એવું કહેવાની કોઇ જરૂરીયાત નથી કે આ વિડીયો કયા કેમ્પમાંથી વાઇરલ થયો. પણ શહેરના તબીબોએ સમગ્ર ડર્ટી પોલિટિક્સની અનુભૂતિ જરૂર કરી લીધી છે.

આજે ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રેસિડેન્ટની ચૂંટણીની સાથે એ વાત પણ નક્કી થશે કે શહેરના ભદ્ર સમાજના ગણાતા તબીબો કેવા પ્રકારની માનસિકતાના ટેકેદારો છે.

C.I.A. Live ન્યુઝ એલર્ટસ માટે 98253 44944 નંબર આપના મોબાઇલમાં સેવ કરી લેશો તો આપને ઓટોમેટિકલી ક્વોલિટી ન્યુઝ મળવાના શરૂ થશે, ગુજરાતના તમામ તબીબોના નંબરનો ડેટાબેઝ અમારી પાસે છે, આપે ફક્ત આપના મોબાઇલમાં અમારો નંબર સેવ કરવાનો રહેશે. આભાર

August 24, 2019
nirmala.jpg
1min5230

અર્થતંત્રમાં વ્યાપી રહેલી મંદીને દૂર કરવા માટે મુખ્ય આર્થિક સલાહકારે ગઇકાલે પેકેજ આપવાની ના ભણ્યા બાદ આજે નાણાપ્રધાન નિર્મલા સીતારામને થોકબંધ રાહતલક્ષી જાહેરાત કરી હતી. સરકારે ઉદ્દીપક પેકેજ નથી આપ્યું પરંતુ ટેક્સમાં સુધારાની અનેક જાહેરાતો કરતા હવે રાહત મળવાની આશા બંધાઇ છે.

અસંખ્ય નિર્ણયો કે જે અંદાજપત્રમાં કરવામાં આવ્યા હતા તે પાછા ખેંચવામાં આવ્યા છે. સૌથી મોટાં નિર્ણયમાં નાણાપ્રધાને બેંકોને રૂ. 5 લાખ કરોડ આપીને મૂડીકરણ કરવાની જાહેરાત કરી છે. એમાંથી પ્રથમ તબક્કે રૂ. 70 હજાર કરોડ છૂટ્ટા કરાયા છે. સરકારના આ નિર્ણયથી અર્થતંત્રમાં રોકડની તરલતા વધશે. બેંકો, શેરબજાર અને ઓટો ક્ષેત્રને સૌથી વધારે લાભ મળી શકે તેમ છે.

દેશમાં મંદીની અસર નથી એવું નાણાપ્રધાન સતત કહી રહ્યા હતા પરંતુ આજની આ જાહેરાતો સાથે જ સરકારે પણ મંદી હોવાનું સ્વીકારી લીધું હોવાની છાપ સ્પષ્ટપણે ઉપસી છે.
અંદાજપત્ર પૂર્વે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ઉપર 15 ટકા સરચાર્જ લાગતો હતો તે 25 ટકા કરાયો હતો. અંદાજપત્રના આ નિર્ણયને નાણાપ્રધાને પાછો ખેંચી લીધો છે.

ટૂંકમાં હવે 15 ટકા જ રહેશે. એ જ રીતે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ઉપર સરચાર્જ પણ પાછો ખેંચી લીધો છે. કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી અર્થાત સીએસઆરના ઉલ્લંઘનને ગુનાહિત કૃત્ય ગણવામાં આવતું હતુ તેને સ્થાને નાગરિક અપરાધ ગણવામાં આવશે. એના ઉપર કોઇ દંડની કાર્યવાહી નહીં થાય.

સ્ટાર્ટ અપ્સ ઉપર એન્જલ ટેક્સની અંદાજપત્રીય જાહેરાત પણ પરત ખેંચાઇ છે. અંદાજપત્રમાં ઉક્ત નિર્ણયોમાં બદલાવ કરાયા પછી શેરબજારમાંથી કરોડો રૂપિયાનું રોકાણ પરત ખેંચાય ગયું હતુ, હવે રોકાણકારો પાછા આવશે. સોમવારે ખૂલતામાં શેરબજારમાં મોટો ઉછાળો આવે એવા સંકેત સ્પષ્ટપણે મળી રહ્યા છે.

નાણાપ્રધાને કહ્યું કે, બેંકોને તત્કાળ રૂ. 70 હજાર કરોડનું પેકેજ આપવામાં આવશે. એનાથી સિસ્ટમમાં ફરીથી નાણાં ફરતા થઇ જશે. બેંકો નાણા લોન સ્વરુપે આપે જરુરીયાતમંદોને આપે તે માટે પણ તાકિદ કરવામાં આવી છે. જીએસટીમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે પણ સીતારામને કહયું છે. ટેક્સ તથા મજૂર કાયદામાં સરકાર સતત સુધારા કરી જ રહી છે. સંપતિનું સર્જન કરનારા લોકોનું અમે સન્માન કરીએ છીએ અને કંપનીઓના વિલય તથા અધિગ્રહણની પ્રક્રિયા પણ ઝડપથી અમે કરીશું.

બેંકો દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામા ંઆવે છે પણ બેંકો તે ગ્રાહકો સુધી પહોંચાડતી નથી ત્યારે બેંકોએ આ લાભ પસાર કરવો પડશે એ મતલબની સૂચનાઓ તેમણે આપી હોવાનું કહ્યું હતુ. લોન ક્લોઝરના 15 દિવસમાં સિક્યુરીટી માટે જમા કરાવેલા દસ્તાવેજો ગ્રાહકોને પાછા આપી દેવાના રહેશે.

ઓટો ક્ષેત્રમાં સૌથી વધારે મંદી ચાલી રહી છે ત્યારે એ માટે સીતારામને કહ્યું કે, માર્ચ 2020 સુધી ખરીદવામાં આવતાબીએસ 4 એંજીનવાળા વાહનોને ચલાવવામાં કોઇ પરેશાની આવશે નહીં. નોંધણી ફીમાં વધારો કરવાનો નિર્ણય પણ જૂન 2020 સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે તે રાહતકારી છે. ઇલેકટ્રીક વ્હીકલ પર સરકાર જોર આપી રહી છે પણ તેનાથી પરંપરાગત ઇંધણથી ચાલતા વાહનો બંધ થઇ જશે તેવી આશંકા દૂર કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્રનો જીડીપી 3.2 ટકા રહેવાની ધારણા છે. વૈશ્વિક માગ ઓછી છે. ચીન અને અમેરિકા જેવા દેશો કરતા ભારતનો જીડીપી ઉંચો છે. અર્થતંત્રમાં મંદી વિસ્તરી ન જાય તે માટે સરકાર કામકાજ કરી રહી છે. ભારત ગ્રોથના ટ્રેક ઉપર જ છે. આર્થિક સુધારા ચાલુ રાખવામાં આવશે.