CIA ALERT

Blog - Page 443 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 8, 2019
income_tax-1280x853.jpg
1min6150

આવકવેરા વિભાગે સોમવારે ઇ-એસેસમેન્ટ સ્કીમ લોન્ચ કરી હતી જેમાં કરદાતા અને તેના એસેસિંગ ઑફિસર વચ્ચે કોઇ કડી રહેશે નહીં. રેવેન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટર (એનઇએસઇ) લોન્ચ કર્યું હતું અને શરૂઆતમાં નવી સ્કીમ હેઠળ ૫૮,૩૨૨ કેસની પસંદગી કરવામાં આવી હતી.

આ યોજનાના અમલ માટે આઇટી વિભાગના ૨,૬૮૬ અધિકારીઓને નિમવામાં આવ્યા છે. એસેસમેન્ટ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇ-નોટિસો મોકલી આપવામાં આવી છે. કરદાતાઓને તેમના નોંધાયેલા ઇ-ફાઇલિંગ એકાઉન્ટ અને ઇમેઇલ ચેક કરવાની સૂચના આપવામાં આવી છે અને ૧૫ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. પાંડેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, સ્ક્રુટિની માટે જેમનો પણ કેસ પસંદ કરવામાં આવ્યો હોય તેઓ બધા ડૉક્યુમેન્ટ્સ ઓનલાઇન ફાઇલ કરી શકશે જે તે કેસના એસેસમેન્ટ અધિકારી પણ ડ્રો કરીને પસંદ કરવામાં આવશે. આમાં એસેસમેન્ટ અધિકારી અને કરદાતા વચ્ચે કોઇ સંપર્ક ન હોવાથી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ કહેવામાં આવે છે અને નાણાં પ્રધાન સીતારામને જુલાઇમાં પોતાના બજેટ પ્રવચનમાં આ અંગેની જાહેરાત કરી હતી.તેમણે તે વખતે કહ્યું હતું કે વર્તમાન પ્રણાલિમાં કરદાતા અને આવકવેરા અધિકારી વચ્ચે સંપર્ક થતો હોવાથી કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિ થવાની સંભાવના છે. આવી પ્રવૃત્તિ નિવારવા ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ તબક્કાવાર દાખલ કરવામાં આવશે.

October 7, 2019
mbbs.jpg
3min7820

ચીનમાં ભારતના 21000 વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ કરી રહ્યા છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ એજ્યુકેશન ખાસ કરીને એમ.બી.બી.એસ. અભ્યાસ માટે હાલમાં ચીનમાં અભ્યાસ કરી રહેલા ભારતના લગભગ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓના માથે મોટી આફત આવી છે. ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટએ રાતોરાત એવો ફતવો જારી કર્યો છે કે ચીનની ફક્ત 45 મેડીકલ કોલેજો જ એમબીબીએસનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં ચલાવી શકશે. બાકીની યુનિવર્સિટીઓએ ચાઇનીઝ ભાષામાં જ ફરજિયાત એમબીબીએસ અભ્યાસક્રમ ચલાવવો પડશે. ચીનના સત્તાવાળાઓએ કોલેજોનો સંચાલકોને ચાઇનીઝ અને અંગ્રેજી એમ બે ભાષામાં પણ કોર્સ ચલાવવાની મંજૂરી આપી નથી. ચાલુ વર્ષથી જ આ બાબતનો અમલ કરી દેવાની સૂચના આપવામાં આવી હોઇ, ભારતના હજારો વિદ્યાર્થીઓના ભાવિ સામે મોટી મુશ્કેલી ઉપસ્થિત થઇ છે.

મેડીકલ ભણવા ચીનની 200 યુનિવર્સિટીમાં ભારતના 21000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે

ભારતીય એમ્બેસીની સત્તાવાર માહિતી મુજબ ચીનની જુદી જુદી 200 યુનિવર્સિટીઓમાં ભારતના હાલમા 23000 વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે. આ પૈકી 21000 વિદ્યાર્થીઓ ચીનમાં મેડીકલ, એમબીબીએસ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. ભારતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સરખામણીમાં ચાઇનીઝ મેડીકલ કોલેજોની ફી સસ્તી હોઇ, ભારતમાંથી મોટા પાયે વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ માટે ચીન ગયા છે. હવે ફક્ત 45 કોલેજો જ અંગ્રેજીમાં એમબીબીએસ ભણાવી શકે એવી સૂચના આપવામાં આવી હોઇ બાકીની કોલેજોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

ચીનની આ 45 મેડીકલ કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવાની મંજૂરી અપાઇ છે

University: (no of international students)
Jilin University: 62 (school year 2018-2019 was 100, 38 fewer)
Chinese Medical University: 100
Dalian Medical University: 100
Capital Medical University: 100
Tianjin Medical University: 100
Shandong University: 78 (school year 2018-2019 100, 22 fewer)
Fudan University: 100
Xinjiang Medical University: 100
Nanjing Medical University: 100
Jiangsu University: 100
Wenzhou Medical University: 100
Wenzhou Medical University (Overseas Schools): 50
Zhejiang University: 100
Wuhan University: 100
Huazhong University of Science and Technology: 100
Xi’an Jiaotong University: 100
Southern Medical University: 100
Jinan University: 100
Guangxi Medical University: 100
Sichuan University: 100
Chongqing Medical University: 100
Harbin Medical University: 60
Beihua University: 40
Jinzhou Medical University: 60
Qingdao University: 60
Hebei Medical University: 60
Ningxia Medical University: 60
Tongji University: 60
Shihezi University: 60
Southeast University: 60
Yangzhou University: 60
Nantong University: 60
Suzhou University: 60
Ningbo University: 60
Fujian Medical University: 60
Anhui Medical University: 60
Xuzhou Medical College: 60
Three Gorges University: 20
Zhengzhou University: 60
Guangzhou Medical University: 60
Sun Yat-sen University: 60
Shantou University: 20 (school year 2018-2019 was 60, 40 fewer)
Kunming Medical University: 60
North Sichuan Medical College: 40
Southwest Medical University: 60
Xiamen University: 60

હાલમાં ભારતીય એમ્બેસી ચીન સાથે વાટાઘાટો કરી રહી છે

ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે રાતોરાત નિર્ણય લઇને ફક્ત 45 કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવા માટેની મંજૂરી આપી હોઇ, બાકીની મેડીકલ કોલેજોમાં હાલ અંગ્રેજીમાં મેડીકલ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓનું શું થશે એ મુદ્દે ભારતીય એમ્બેસી દ્વારા હાલમાં ચીન સરકાર સાથે વાટાઘાટ શરૂ કરવામાં આવી છે.

October 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13020

ઉકાઇ ડેમમાં કાબિલે તારીફ વોટર મેનેજમેન્ટ, ચોકસાઇપૂર્વક ડેમ 100 ટકા ભરાયો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજરોજ તા.7મી ઓક્ટોબર 2019 ને સોમવાર, નવમું નોરતું જાણે માં અંબાના આશીર્વાદ સૂરતીઓને મળ્યા હોય એ રીતે સુરતની 60 લાખ અને જિલ્લાની 40 લાખ મળીને 1 કરોડથી વધુ વસતિ માટે પાણીનો સૌથી મોટા અને અગત્યના સ્ત્રોત સમા ઉકાઇ ડેમ 100 એ 100 ટકા પાણીથી ભરાઇ ગયો છે.

તા.7મી ઓક્ટોબર સોમવારે સવારે 8 વાગ્યે જ્યારે ઉકાઇ ડેમના સત્તાવાર સૂત્રોએ સવારે 8 વાગ્યે માહિતી રજૂ કરી, જેમાં ડેમમાં ભયજનક સપાટી 345 ફૂટ અને સવારે 8 વાગ્યાની પાણીની સપાટી 345 પૂટ નોંધાઇ હતી. ડેમમાં 12553 ક્યુસેક્સ પાણીનો આવરો હતો અને તેટલી જ જાવક શરૂ કરવામાં આવી છે. સૌથી અગત્યના વાત એ છે કે હવે વરસાદની શક્યતા નહીવત્ છે. ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં જતું ચોમાસું છે અને પાછોતરો વરસાદ પડી રહ્યો છે જેની આવક થઇ રહી છે. ટૂંકમાં યોગ્ય સમયે ઉકાઇ ડેમ 100 ટકા ભરાઇ ગયો છે.

7મી ઓક્ટોબર 2019ની સવારે 8 વાગ્યે ઉકાઇ ડેમ 100 ટકા પાણીથી ભરાઇ ગયો

ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટનું કામ કાબિલે તારીફ

2019નું વર્ષ ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ માટે હંમેશા માટે યાદ રાખવામાં આવશે. એક તબક્કે ઉકાઇ ડેમમાં 20 દિવસમાં 40 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું. ઓગસ્ટ મહિનાના પહેલા જ અઠવાડીયામાં ઉકાઇ ડેમની સપાટી 330 ફૂટ પર પહોંચી ચૂકી હતી. એ પછી ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણી આવી રહ્યું હતું. જો ડેમ સત્તાવાળાઓ, સિંચાઇ વિભાગ કે કલેક્ટરેટના અધિકારીઓ, કર્મચારીઓએ નાની પણ માનવ સહજ ભૂલ કરી હોત તો કદાચ સૂરતને મોટી અસર થઇ હોત.

પણ સતત ફોલોઅપ, સતત વોચ રાખીને ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ ચીવટાઈપૂર્વક અને ચોકસાઇથી કરવામાં આવ્યું અને તેના કારણે જ સૂરત શહેરમાં આ વખતે ફ્લડ લાઇક સિચુએશન હતી, જે નિવારી શકાઇ છે.

આજે તા.7મી ઓક્ટોબર 2019ના રોજ ઉકાઇ ડેમમાં પાણીનું હાઇએસ્ટ લેવલ સિદ્ધ કરી શકાયું. હવામાન ખાતું કહે છે કે દેશમાંથી લગભગ ચોમાસાએ વિદાય લીધી છે અને બરાબર એ જ સમયે દક્ષિણ ગુજરાતમાં પાણીનો તેમજ ખેતી સિંચાઇનો એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમ છલોછલ ભરાઇ જવા પામ્યો છે. આ પરિસ્થિતિએ પહોંચવા માટે છેલ્લા 45 દિવસથી સૂરતના સરકારી તંત્રોએ જડબેસલાક કામગીરી કરી.

October 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min24600

લોકનેતા હકીકતમાં એને કહેવાય કે એની એક હાકલથી લોકો તેમની સાથે ઉમટી પડતા હોય છે. ગુજરાત ભાજપ જ નહીં પણ ગુજરાતના રાજકીય તખ્તે વર્તમાન સમયમાં એવા આંગળીના વેઢે ગણાય તેટલા પણ નેતા નથી કે જેની હાકલ પડી હોય ને 50 માણસ પર ભેગું થાય. લોકોને પરાણે તેડાવા પડે ત્યારે માથા દેખાય. પણ સુરતના લોક નેતા સી.આર. પાટીલની વાત અનોખી છે. કોઇ ગમે તે કહે પણ ભાજપના કેન્દ્રીય હાઇકમાન્ડ પણ એ વાત સ્વીકારે છે કે નવસારીના સાંસદ સી.આર. પાટીલ એક જમીની નેતા છે, સંગઠનના માણસ છે અને તેની હાકલથી લોકો ઉમટી પડે છે. સી.આર. પાટીલએ પોતે જમીની નેતા છે એવું પુરવાર કરવાની ક્યારેય જરૂર પડતી નથી. એવા અનેક દાખલાઓ મળી આવે છે, જેમાં સી.આર. પાટીલની હાકલ પડી હોય અને માનવ કીડીયારું ઉભરાયું હોય. આજે તેમના મત વિસ્તારમાં કાઢવામાં આવેલી ગાંધી સંકલ્પ યાત્રા જ જોઇ લો.

સી.આર. પાટીલના નેતૃત્વમાં નીકળેલી ગાંધી સંકલ્પ યાત્રામાં કીડીયારાની જેમ મેદની ઉમટી પડી

નવસારી સંસદીય મત વિસ્તારમાં આવતા લિંબાયત ખાતે ગાંધી સંકલ્પ પદયાત્રા આજરોજ તા.6 ઓક્ટોબર 2019ના રોજ યોજવામાં આવી હતી. નવસારીના સાંસદ સી.આર. પાટીલએ જ્યાંથી યાત્રા શરૂ કરી ત્યારથી હકડેઠઠ માનવ મેદની ઉમટી હતી અને જ્યારે પૂર્ણ થઇ ત્યારે યાત્રા શરૂ થઇ તેનાથી 20 ગણા વધુ લોકો હતા. રવિવારની રજા, નવરાત્રીનો પર્વ અને દુર્ગાઅષ્ઠમી હોવા જેવા સંયોગ હોય ત્યારે રાજનેતા હોય તો એને ડર લાગે કે પબ્લિક આવશે કે કેમ, પણ લોક નેતાને એની ચિંતા હોતી નથી. આજે ના તો કોઇ ચૂંટણી યાત્રા હતી કે ના તો કોઇ રાજકીય કાર્યક્રમ, સી.આર. પાટીલના નેતૃત્વમાં ગાંધી સંકલ્પ યાત્રામાં હજારોની માનવ મેદની સ્વયંભુ ઉમટી પડી.

રવિવારે આમેય રજાના દિવસો આરામ કરવાનો મૂડ હોય, ગુજરાતી લોકો નવરાત્રીમાં મોડે સુધી ગરબે ઘૂમ્યા હોઇ, રવિવારની રજાના દિવસો આરામ કરવાના મૂડમાં હોય, બીજી તરફ પરપ્રાંતીય પરિવારોમાં આજે દુર્ગાઅષ્ઠમીનો ભારે મહિમા હોય. સી.આર. પાટીલના સમર્થકોમાં આ ત્રણેય વર્ગના લોકો આજે હર્ષોલ્લાસભેર ગાંધી સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.

રવિવારની રજા, નવરાત્રી અને દુર્ગાઅષ્ઠમી હોવા છતાં લોકો સ્વયંભુ ઉમટ્યા

સાંસદ શ્રી સી.આર. પાટીલએ જણાવ્યું કે સંકલ્પમાં ખૂબ તાકાત હોય છે. રાષ્ટ્રપિતા ગાંધીજીનાં વિચારો અને સિધ્ધાંતો લોકો સુધી પહોંચાડવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન હેઠળ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું. આ સંકલ્પ યાત્રા પરવત કોમ્યુનિટી હોલથી શરૂ થઇ રામભરણજીની સ્કૂલ ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌએ સત્ય, અહિંસા અને એકતાની વાત કરી. ભારત માતાની જયનાં પોકારોથી આકાશ ગૂંજી ઉઠ્યું હતું.

આ સંકલ્પયાત્રા અંતર્ગત સ્વચ્છ અને સ્વસ્થ ભારત બનાવવાનો સંકલ્પ પણ લેવાયો હતો.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પ અર્પણ કરી એમનાં સિધ્ધાંતો અને વિચારોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પૂજ્ય મહાત્મા ગાંધીજીને કોટિ કોટિ વંદન.

October 6, 2019
Yala-court.jpg
1min4920

થાઇલેન્ડના એક ન્યાયાધીશે ખીચોખીચ ભરેલી અદાલતમાં ન્યાયતંત્રની ટીકા કરી, પોતાના ફૉનમાંના ફેસબુક દ્વારા તેનું સીધું પ્રસારણ કરીને છાતીમાં ગોળી મારી હતી. ન્યાયાધીશે પોતાને મરતાં પહેલાં રાજાશાહીની ન્યાય પદ્ધતિની આકરી ટીકા કરી હતી અને હત્યાના અનેક આરોપીને છોડી દીધા હતા. તેમણે આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલાંના પ્રવચનનું ફેસબુક પર સીધું પ્રસારણ પણ કર્યું હતું. ટીકાકારોએ જણાવ્યું હતું કે થાઇલેન્ડની અદાલતો શ્રીમંત અને શક્તિશાળી લોકોની તરફેણમાં વધુ ચુકાદા આપે છે, જ્યારે સામાન્ય નાના માણસોને હેરાન કરે છે. આમ છતાં, ન્યાયાધીશે ન્યાયતંત્રની આ રીતે જાહેરમાં ટીકા કરી હોવાનો કદાચ આ પ્રથમ બનાવ હતો.

યાલા શહેરની અદાલતના ન્યાયાધીશ કાનાકોમ પિંચાનાએ આત્મહત્યાની કોશિશ કરતા પહેલાં હત્યાના કેસના પાંચ આરોપીની દલીલની સુનાવણી કરી હતી. તેમણે આરોપીઓને છોડી દીધા હતા, ભ્રષ્ટાચારથી મુક્ત ન્યાયતંત્રની હિમાયત કરતું પ્રવચન આપ્યું હતું અને તે પછી બંદૂક કાઢીને પોતાની છાતીમાં ગોળી મારી હતી. ન્યાયાધીશે પોતાના ફૉન પરથી ફેસબુક પર કરેલા સીધા પ્રસારણમાં દેશની ન્યાય પ્રક્રિયાની જાહેરમાં ટીકા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે કોઇને ગુનેગાર ઠેરવવા માટે વિશ્ર્વસનીય પુરાવાની જરૂર છે. હું એમ નથી કહેતો કે આરોપીઓ નિર્દોષ છે, પરંતુ ગુનો સાબિત કરવા માટે નક્કર પુરાવાની જરૂર હોય છે. ન્યાયની પ્રક્રિયા પારદર્શક હોવી જોઇએ અને કોઇને પણ બલિનો બકરો બનાવવો ન જોઇએ.

ન્યાય મંત્રાલયની કચેરીના પ્રવક્તા સૂર્યન હોંગવિલાઇએ જણાવ્યું હતું કે ડૉક્ટરોએ ઘાયલ ન્યાયાધીશની સારવાર કરી હતી અને હવે તેમની તબિયત સારી છે. આ ન્યાયાધીશે માનસિક તાણને લીધે પોતાને ગોળી મારી હતી. આમ છતાં, માનસિક તાણનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું.

October 6, 2019
IndSA.jpg
1min6790

ભારતે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ 203 રનથી જીતી લીધી છે. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. બેટિંગ અનો બોલિંગ બન્ને ક્ષેત્રે ભારતીય પ્લેયર્સના નોંધપાત્ર પ્રદર્શનને લીધે ભારતે પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારત તરફથી મોહમ્મદ શમી (5/35) અને રવિન્દ્ર જાડેજાએ (4/87) સાથે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. મેચની પાંચમા અને અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાને જીત માટે નવ વિકેટની જરૂર હતી. પ્રથમ બે સેશનમાં જ ભારતે જીતનો ઝંડો ફરકાવ્યો હતો.  

મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાના ઘાતક બોલિંગ સામે આફ્રિકન ખેલાડીઓને સેટ થવાની કોઈ તક મળી નહી. પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ સાથે રવિચંદ્રન અશ્વિને સૌથી ઝડપી 350 વિકેટ ઝડપવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી પણ કરી હતી.
શનિવારે ભારતે પોતાની બીજી ઈનિંગમાં રોહિત શર્માના (127) રનની મદદથી 323/4ના સ્કોરે દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગની 71 રનની લીડ સાથે ભારતે આફ્રિકાને જીત માટે 395 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આફ્રિકાએ બીજી ઈનિંગમાં 11 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રવિવારે જાજેડા અને શમીના બોલિંગ આક્રમણ સામે આફ્રિકાના પ્લેયર્સે ઘૂંટણીયા ટેકવી દીધા હતા.  

October 4, 2019
india_first_private_train.jpg
3min5020

Features of Tejas:

•          Reservation till five minutes before departure

•          Rs 25 lakh free insurance for the passengers

•          IRCTC would give Rs 100 as refund if train is more than one hour late and Rs 250 as refund if train is more than            two hours late.

•          Would run six days a week except Tuesdays

•          No concession under any category

•          Reservation would start 60 days in advance

•          Will cover the Lucknow-New Delhi distance in 6 hours and 15 minutes

•          50 Chair char and 5 Executive class seats would be reserved for foreign tourists

•          CCTV camera installed

•          Smoke and fire detection system

•          Sensor based automatic doors

•          GPS-based passenger information display system

•          Tea-coffee vending machine

•          Free Wi Fi

•          Special catering for passengers matching airline standards

October 4, 2019
edication.jpg
1min6280

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના લિવિંગ સટિર્ફિકેટમાં નામ, અટક અને જન્મ તારીખમાં ધો.૧૨ સુધી ફેરફાર કરી શકાશે તેવી જાહેરાત રાજ્ય શિક્ષણ વિભાગે કરી હતી. તેમજ આ સત્તા જે તે જિલ્લાના ડીઇઓને આપવામાં આવી હતી. અગાઉ ધો.૧૦ પહેલા જ આ પ્રકારનો ફેરફાર કરી શકાતો હતો.

શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં ફેરફાર કરવા અંગેની પ્રવિધિમાં જણાવ્યું હતું કે, વિનિમય ૧૨(ક)(૬)ની જોગવાઈ આ મુજબ વિદ્યાર્થીએ શાળા છોડી દીધા પછી શાળા રેકર્ડમાંની નોંધોમાં ફેરફાર કરી શકાશે નહિ. વિનિમય ૧૨(ક)(૬)ની જોગવાઈ ધ્યાને લેતા વિદ્યાર્થી ખરેખર શાળામાં હાલ ધો.૯થી ૧૨ પૈકી કોઈપણ ધોરણમાં અભ્યાસ ચાલુ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંની નોંધોમાં ફેરફાર કરવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને રહેશે.

October 4, 2019
uka_london-1280x960.jpg
1min18640

ઉચ્ચ અભ્યાસમાં વિદેશની સ્ટડી ટૂરનું એક્સપોઝર અત્યંત જરૂરી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓએ કેવા પ્રકારની સંસ્થામાં પ્રવેશ લેવો જોઇએ એ અંગેની ગડમથલ વચ્ચે મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ સસ્તી, ફી માફી આપતી, ક્લાસ ભરવામાંથી મુક્તિ આપતી વગેરે પ્રકારની કોલેજો શોધતા હોય છે, પણ એવા વિદ્યાર્થીઓ અને વાલીઓની સંખ્યા હવે વધી રહી છે જેઓ અભ્યાસ સાથે એક્સપોઝર, બાહ્ય જ્ઞાન, વર્કિંગ અનુભવ, ફોરેન સ્ટડી ટૂર પર લઇ જતી સંસ્થાઓમાં પ્રવેશ લેતા હોય છે.

યુનાઇટેડ કિંગ્ડમ (લંડન)ની વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટી સમેતની યુનિવર્સિટીઓની 10 દિવસની સ્ટડી ટૂર પર નીકળતા પૂર્વે ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 24 વિદ્યાર્થીઓ સંસ્થાના પોવૉસ્ટ શ્રી ડો.દિનેશ શાહને મળ્યા હતા. શ્રી દિનેશ શાહે વિદ્યાર્થીઓને સ્ટડી ટૂપની આ તકને બન્ને હાથે શક્ય એટલી વધુ નોલેજ ગેઇનિંગ તરીકે લેવાની અપીલ કરી હતી.

સુરત નજીક બારડોલી મહુવા રોડ પર આવેલું માલીબા વિદ્યાસંકુલ અને તેમાં ચાલી રહેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના વિદ્યાર્થીઓને આ વખતે એવી અમૂલ્ય તક મળી છે કે એ તક ઝડપીને 24 કોલેજીયન યુવક યુવતિઓ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)ની 10 દિવસની સ્ટડી ટૂર પર ઉપડી રહ્યા છે. ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના વિદ્યાર્થીઓને લંડનની સ્ટડી પર પર જે એક્સપોઝર, નોલેજ ગેઇનિંગ મળશે એ લગભગ બીજે ક્યાંયથી નહીં મળી શકે.

વધુ મળતી માહિતી મુજબ ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU) સંચાલિત કોલેજોમાં આ વખતે એક વર્કશોપ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓની કમ્યુનિકેટિંગ સ્કીલ્સ, અવેરનેસ, ઇંગ્લિશ કમ્યુનિકેશન્સ, બેઝિક નોલેજ વગેરે બાબતનો સ્ટડી કર્યા પછી તેમાં સફળ રહેલા વિદ્યાર્થીઓને બ્રિટીશ હાઇકમિશનરની કચેરી, ગ્લોબલ ટ્રેનિંગ એજ્યુકેશન પ્રોગ્રામના ભાગરૂપે અને ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના પ્રયાસોથી લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાઓની સ્ટડી ટૂર પર મોકલવાનો પ્રોગ્રામ ઓફર કરવામાં આવ્યો.

ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ની મેનેજમેન્ટ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, કોમર્સ કોલેજ, ફાર્મસી કોલેજ વગેરે મળીને કુલ 24 યુવક યુવતિઓએ આ તક ઝડપી લીધી અને હવે તેઓ યુ.કે. જઇ રહ્યા છે.

યુ.કે. (U.K.)માં શું જોશે-જાણશે ઉકા તરસાડીયા યુનિ. (UTU)ના વિદ્યાર્થીઓ

10 દિવસના પ્રવાસ દરમિયાન ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું રોકાણ હોટેલ હોલિડે ઇન ખાતે રહેશે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી, કોન્વેન્ટ્રી યુનિવર્સિટી તેમજ ફોરેસ્ટ્રી યુનિવર્સિટીની મુલાકાત લેશે, આ દરમિયાન ત્યાં યોજાનારા ગ્લોબલ સેમિનાર અને વર્કશોપ્સ પણ તેઓ એટેન્ડ કરશે.

October 3, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5770

अन्नदान, वस्त्रदान, ब्लड डॉनेशन केम्प्स, वृक्षारोपण, हेल्थ चेकअप केम्प्स ईत्यादि सामाजिक उत्कर्ष के कार्य करके अपना सामाजिक उत्तरदायित्व बखूबी निभा रहे सूरत के दिगंबर जैन सोशल ग्रुप द्वारा अब अकस्मातो में जिन लोगो के हाथ कट चूके है, कोहनी से नीचे का हाथ गवां चूके लोगो के लिए अमेरिकन सिस्टम से तैयार किए गए कुत्रिम हाथ बिलकुल मुफ्त में मुहैया कराने के लिए केम्प आयोजित कर रहा है.

अधिक जानकारी देते हूए दिगंबर जैन सोशल ग्रुप के मेनेजमेन्ट ने पत्रकार परिषद में कहा की दि. 22 डिसम्बर 2019, रविवार को सूरत के पारले पाईन्ट, जानी फरसाण के सामने, सुरत मेरियोट होटेल वाली रोड पर स्थितविद्या सुधा भवन में कुत्रिम हाथ के जरूरीयातमंद लोगो के लिए स्पेशल केम्प का आयोजन किया गया है. जिन लोगो ने अपना एक हाथ अकस्मातः गवां दिया हो और जिनको कुत्रिम हाथ कि आवश्यकता हो वे ईस केम्प में अपना रजिस्ट्रेशन करवा कर अमेरीकन सिस्टम से तैयार किया गया मल्टी पर्पज प्रोस्थेटिक हाथ की सुविधा ले शक्ता है.

रूटिन कामकाज कर शक्ते है कुत्रिम हाथ से

दिगंबर जैन सोशल ग्रुप के मेनेजमेन्ट ने कहा की अमेरिकी सिस्टम से तैयार किए गए कुत्रिम हाथ की मदद से रूटिन कामकाज जैसे ब्रश करना, कुछ पकडना, चाय पीना, कोइ चीज केरी करना, लिखना जैसे इत्यादी कार्य सरलता से किए जा शक्ते है. कुत्रिम हाथ से छोटे छोटे रोजगार देने वाले कार्य भी आसानी से किए जा शकेगें. कुत्रिम हाथ से काम करने के लिए कोइ सर्जरी की आवश्यकता नहीं. सिर्फ एक बार कुत्रिम हाथ कैसे इन्स्टाल किया जा शक्ता है उसके लिए केम्प में आना पडता है.

कुत्रिम हाथ के लिए कैसे रजिस्ट्रेशन करें

कुत्रिम हाथ के जरूरीयातमंद लोग, कोइ परिवार अपने परिवार के कीसी सभ्य के लिए कुत्रिम हाथ का रजिस्ट्रेशन करवा शक्ते है. ईसके लिए दिगंबर जैन सोशल ग्रुप के श्री सुरेशजी अगरवाल 98240-45641 और श्री दिलीपजी जैन 93747-20571 पर संपर्क करके रजिस्ट्रेशन प्रोसेस पूर्ण कर शक्ते है.

कुत्रिम हाथ वितरण केम्प के हेतु कोई अन्य जानकारी के लिए श्री अजीतजी जैन 98251-25134 पर संपर्क किया जा शक्ता है.

સૂરતનું દિગમ્બર જૈન સોશ્યલ ગ્રુપ જરૂરીયાતમંદોને કુત્રિમ હાથ મફતમાં ઉપલબ્ધ કરાવશે

અન્નદાન, વસ્ત્રદાન, રક્તદાન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા સામાજિક કાર્યક્રમો થકી પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહેલા સૂરતના દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા અકસ્માતઃ એક હાથ ગુમાવી ચૂકેલા લોકો માટે અમેરિકન સિસ્ટમથી નિર્માણ કરવામાં આવેલા કુત્રિમ હાથને બિલકુલ નિશુલ્ક ઉપલબ્ધ કરાવવા માટે એક કેમ્પનું આયોજન કર્યુું છે.

સૂરતના દિગમ્બર જૈન સોશ્યલ ગ્રુપના સભ્યોએ યોજેલી પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે તા.22મી ડિસેમ્બર 2019 ને રવિવારે, સૂરતના પારલેપોઇન્ટ, જાની ફરસાણની સામે, સુરત મેરીયોટ હોટેલ રોડ પર સ્થિત વિદ્યા સુધા ભવન ખાતે કુત્રિમ હાથ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં લાભાર્થીઓને તા.12મી ડિસેમ્બર 2019 સુધી પોતાના કે પોતાના પરિવારજન કે જેઓ એક હાથ ગુમાવી ચૂક્યા છે તેમના નામનું રજિસ્ટ્રેશન સૂરત દિગંબર જૈન સોશયલ ગ્રુપના શ્રી સુરેશ અગરવાલ 98240-45641 અને શ્રી દિલીપભાઇ જૈન 93747-20571 પર સંપર્ક કરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી શકાશે.

અકસ્માતમાં કોણી સુધીનો એક હાથ ગૂમાવી ચૂકેલા લોકો માટે આ કેમ્પ આશીર્વાદ રૂપ નિવડશે. જે લોકો સંજોગોવસાત્ એક હાથ ગુમાવી ચૂક્યા છે તેમને વધુને વધુ કુત્રિમ હાથ વિતરણ કેમ્પનો લાભ લેવા માટે માહિતી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમેરિકન સિસ્ટમથી તૈયાર થયેલા કુત્રિમ હાથ મલ્ટી પર્પઝ છે અને તેને પહેરતાની સાથે જ વ્યક્તિ રોજબરોજના રૂટીન કામકાજ કરી શકશે, જેમકે બ્રશ કરવું, શાકભાજી સમારવું, કોઇ વસ્તુ પકડવી, ચા-કોફી નો મગ પકડવો, લખવું, નાના મોટા રોજગારીના કામો વગેરે કુત્રિમ હાથથી થઇ શકશે.