CIA ALERT

Blog - Page 444 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 3, 2019
Loan-Mela-3-10-19.jpg
1min7270

દેશના ૨૫૦ જિલ્લાઓમાં બૅન્કો દ્વારા લોન મેળા તા.3જી ઓક્ટોબર 2019 એટલે કે આજથી શરૂ કરવામાં આવ્યા છે.

તહેવારોના સમયગાળામાં ગ્રાહકોની માગને પહોંચી વળવા એમએસએમઈ અને રિટેલ ગ્રાહકોને ધિરાણ આપવાના કાર્યક્રમના ભાગરૂપે આ લોન મેળા યોજાશે. ચાર દિવસ દરમિયાન કૃષિ, વાહનો, ઘર, રીટેલ, એમએસએમઈ, શિક્ષણ અને વ્યક્તિગત કેટેગરીમાં સ્થળ પર જ લોન મંજૂર થશે.

પ્રથમ તબક્કામાં સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા કામગીરી હાથ ધરશે

પંજાબ નેશનલ બૅન્ક, સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા અને કોર્પોરેશન બૅન્ક સહિત તમામ બૅન્કો લોન મેળા માટે સજ્જ થઈ છે. પ્રથમ તબક્કામાં ૨૫૦ જિલ્લા પૈકી ૪૮ જિલ્લામાં સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા ૧૭ જિલ્લામાં કામગીરી હાથ ધરશે. બરોડા કિશાન પખવાડાનુું પણ આયોજન થયું છે. બૅન્કની બ્રાન્ચ કૃષિ લોનને પ્રમોટ કરવા પર વિશેષ ધ્યાન આપશે.

ખાનગી ક્ષેત્રની બૅન્કોએ પણ રસ દર્શાવ્યો છે. બૅન્ક રિફોર્મનું વ્યવસ્થિત પ્રોસેસ થતું રહે છે. તમામ કેટેગરીમાં લોન મંજૂરીના કામ લોન મેળામાં થશે. ગ્રાહકોને તહેવારોમાં નાણાં સરળતાથી મળી રહેશે.

લોન વિતરણમાં તમામ નાણાકીય નોર્મ્સનું પાલન વિશે જાગૃતતા કેમ્પનું પણ આયોજન થશે. જાહેર ક્ષેત્રની બૅન્કો ઉપરાંત એનબીએફસી, સીડબી, એમએફ વિ. પણ ભાગ લેશે.

બીજા તબક્કામાં ૧૫૦ જિલ્લાને આવરી લેવાશે જે દિવાળી પહેલા ઑકટોબરની ૨૧થી ૨૫ દરમિયાન યોજાશે.

October 2, 2019
nutfarmars.jpg
1min6870

નવેમ્બરથી ટેકાના ભાવથી મગફળીની ખરીદી માટે સરકારે નોંધણીનું કામકાજ શરું કર્યું હતુ. પરંતુ ખાટલે મોટી ખોટ હોય એમ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો હતો. કેટલાક સેન્ટરોમાં સર્વર સાવ ધીમા હતા. ક્યાંક પૂરતી જાણકારીના અભાવે ખેડૂતો હેરાન થયા હતા. જનરેટ થયેલા ઓટીપી ખેડૂતોના મોબાઇલમાં જતા હતા અને મોબાઇલ ખેડૂતો ઘેર મૂકી આવતા પણ પરેશાની થઇ હતી.

ગુજરાતભરમાં આશરે 19થી 20 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી.

રાજકોટના જૂના યાર્ડમાં રાતથી જ ખેડૂતો આવી પડયા હતા. સવારે 10 વાગ્યે નોંધણી માટે સર્વર ડાઉન થઇ જતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જોકે અર્ધી કલાકમાં પૂર્વવત થઇ જતા નોંધણી આરંભાઇ હતી. જિલ્લાના 11 યાર્ડોમાં 815 નોંઘણી થઇ હતી. ગ્રામસેવકોનો ઉમેરતા કુલ આંકડો 4000 નજીક પહોંચ્યો હતો.

પુરવઠા નિગમના અધિકારીએ કહ્યું કે, ખેડૂતો ઉમટી પડતા લોડ વધી ગયો હતો અને કામકાજ ખોરવાયું હતુ. જોકે એ પછી પૂર્વવત થયુ હતુ. બાદમાં ઓટીપીને લઇને સમસ્યા થઇ હતી. નોંધણીમા ઓટીપી બનતા હતા તે મોબાઇલમાં જતા હતા અને ઘણા ખેડૂતોના મોબાઇલ ઘેર હતા એટલે સર્વર ઠપ થઇ જતા હતા. જોકે જે ખેડૂતોની સમસ્યા થઇ તેમને ટોકન આપી દેવાયા હતા.

ગુજરાતમાં કુલ 124 જેટલા કેન્દ્રો પર થનારી ખરીદી માટે નોંધણી શરું થતા આરંભે નોંધણી શરું થઇ હતી. સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોએ સમસ્યા ભોગવી હતી. જૂનાગઢના કેન્દ્રમાં ખેડૂતોને અપૂરતી જાણકારી હોવાને લીધે હજારો ખેડૂતો એકત્ર થઇ ગયા હતા. જોકે યાર્ડના સત્તાવાળાઓએ દોડી જઇને ગ્રામ સેવકોને ત્યાં પણ નોંધણી થતી હોવાનું સમજાવતા મામલો થાળે પડયો હતો. સરકારે ગ્રામસેવકનો પ્રચાર ન કરતા અસંખ્ય ખેડૂતોને ધરમધક્કો થયો હતો.’ જામકંડોરણામાં શાંતિપૂર્વક નોંધણી શરું થઇ હતી.

જામનગરના હાપા માર્કાટિંગ યાર્ડમાં પણ 200 જેટલા ખેડૂતો પોતાની મગફળી વેચાય તે માટે રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા પરંતુ નોંધણી થઇ નહીં અને અંતે પુરવઠા અધિકારી અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ ગઇ હતી.

ખેડૂતોએ કહ્યું’ કે, નોંધણી વખતે દરેક કેન્દ્રો ઉપર પાંચ પાંચ ટીમ રાખવાની વાત થઇ હતી પણ કોઇ ટીમ દેખાતી ન હતી.એ કારણે નોંધણી વિના ખેડૂતોને પરત ફરવું પડયું હતુ.

ગ્રામપંચાયત ઉપરથી પણ રજીસ્ટ્રેશન વ્યવસ્થા કરવાની જાહેરાત તો થઇ હતી પરંતુ પહેલા દિવસે કશં’ થયું ન હતુ. હવે સરકારે વ્યવસ્થા સઘન બનાવવી પડશે.

October 2, 2019
Fake_reveiws_banner-1280x750.png
1min5910

વેસુ વિસ્તારમાંથી ફ્રેન્ડશિપ કરાવી આપવાનાં નામે ગ્રાહકોને છેતરતાં એક કૉલ સેન્ટરનો પર્દાફાશ કરીને પોલીસે કૉલ સેન્ટરમાં કામ કરતાં ૨૦ યુવક યુવતીઓની ધરપકડ કરી હતી.

સુરત પોલીસને ગૌતમ નામના અરજદારેએ ફરિયાદ આપી હતી કે તેમને એક નંબર પરથી દોસ્તી કરાવી આપવાનો મૅસેજ આવ્યો હતો. કૉલ સેન્ટર દ્વારા તેમની પાસેથી પાંચ લાંખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા આ ફરિયાદના આધારે વેસુના એક બિલ્ડિંગમાં દરોડો પાડી કૉલ સેન્ટરને નિશાનમાં લેવાયું હતું.

કૉલ સેન્ટરમાંથી ૧૨ જેટલા કમ્પ્યૂટર, ૧૭ મોબાઇલ અને કાર્ડ પકડવામાં આવ્યા છે. આ કૉલ સેન્ટર અજાણ્યા નંબર પરથી મૅસેજ કરી યુવક અથવા યુવતી સાથે ફ્રેન્ડશિપ કરવાની વાત કરવાની લાલચ આપતું હતું. ત્યારબાદ ભોગ બનનારની રસના વિષયોની વાતો કરી અને તેમની સાથે મેમ્બરશિપ અને ચાર્જીસના નામે પૈસા ખંખેરી લેવામાં આવતા હતા.

આ કૉલ સેન્ટર પરના દરોડામાંથી અમરેલી જિલ્લાના કેલ્વિન અને ભાવેશ કાકડિયાને મુખ્ય આરોપી તરીકે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કૉલ સેન્ટરે ફેબ્રુઆરીથી શરૂ કર્યું હતું. સેન્ટરે ૧૮ જેટલા યુવક યુવતીને પગાર પર રાખ્યા હતા. તેમને કૉલ સેન્ટરમાં બેસાડી તાલીમ આપી તેમને વાતચીત કરવાનું કામ આપવામાં આવ્યું હતું.

October 2, 2019
GST-1280x720.png
1min12660

જીએસટી વસૂલાત સપ્ટેમ્બરમાં ઘટીને રૂ. ૯૧,૯૧૬ કરોડ થઇ છે. જે અગાઉના મહિને રૂ. ૯૮,૨૦૨ કરોડ હતી.સપ્ટેમ્બરમાં જીએસટી રેવન્યૂ રૂ. ૯૧૯૧૬ કરોડ થઇ છે તેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૬૬૩૦ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૨૫૯૮ કરોડ અને આઈજીએસટી રૂ. ૪૫૦૬૯ કરોડનો સમાવેશ છે, એમ સરકારી આંકડામાં જણાવાયું છે.

October 2, 2019
moneco_gandhi.jpg
1min9280

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની બીજી ઓક્ટોબર, ૨૦૧૯ના ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે પશ્ર્ચિમ યુરોપમાં આવેલા ફ્રેન્ચ રિવિએરાનું નાનું રાજ્ય મોનેકોની સરકારે ગાંધીજીની સ્મૃતિમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવાની જાહેરાત કરી છે.

આ સ્ટેમ્પની કિંમત ૨.૧૦ યૂરો હશે. બીજી ઓક્ટોબરે ૪૦,૦૦૦ સ્ટેમ્પ વેચાણ માટે મૂકવામાં આવશે.

આ અગાઉ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીને ધ્યાનમાં રાખીને ત્યાંના કુંવર શેખ મોહમદ બિન ઝયૈદ અલ નાહયાનની હાજરીમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી.

October 1, 2019
lata.jpg
1min13910

ભારતના વિશ્વ પ્રસિદ્ધ કોકિલકંઠી ગાયક ગણાતા લતા મંગેશકર સોશ્યલ મિડીયા પર છાશવારે ધૂમ મચાવે છે.

ટ્વીટર ઉપર લતા મંગેશકરના ટ્વીટ ગણતરીના સમયમાં લોકો માટે ચર્ચાનો વિષય બને છે. હવે લતા મંગેશકરે 90 વર્ષની ઉંમરે સોશ્યલ મિડીયામાં એક મહત્વના માધ્યમ ગણાતા ઈન્સ્ટાગ્રામ પર આગમન ( ડેબ્યૂ ) કર્યું છે.

લતા મંગેશકરે 28મી સપ્ટેમ્બરે 90મો જન્મદિવસ મનાવ્યો હતો. જન્મદિનના બે દિવસ બાદ હવે લતા મંગેશકર’ ઈન્સ્ટાગ્રામ ઉપર આવ્યા છે. આ સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર લતા મંગેશકરે તસવીરો પણ પોસ્ટ કરી હતી.

તસવીરના કેપ્શનમાં લતા મંગેશકરે લખ્યું હતું કે નમસ્કાર, આજે પહેલી વખત લોકો સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે જોડાઈ છું. ઈન્સ્ટાગ્રામમાં લતા મંગેશકર જોડાયાના બે કલાકની અંદર 48 હજાર ચાહકો ફોલો કરી ચૂક્યા હતા. સોશિયલ મીડિયા ઉપર લતા મંગેશકરનું લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું અને શુભકામનાઓ પણ આપી હતી.

October 1, 2019
Apprenticeships-Logo.png
1min6920

પ્રેન્ટિસશિપ નિયમોમાં સુધારાનું જાહેરનામું

સરકાર દ્વારા તાલીમાર્થી (ટ્રેઇની-એપ્રેન્ટિસશિપ) નિયમ -1992માં સુધારાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ દેશમાં કુશળ શ્રમબળ વધારવા અને પ્રશિક્ષુઓની તાલીમવૃત્તિ (સ્ટાઇપેન્ડ)માં વધારો કરવાનો છે.

ટ્રેઇની નિયમ 2019 અંતર્ગત કોઈપણ એકમમાં તાલીમાર્થીની ભરતીની સીમા વધારીને કુલ શ્રમબળના 1પ ટકા જેટલી કરવામાં આવશે. આ ઉપરાંત તેમને ચૂકવાતું સ્ટાઇપેન્ડ પણ વધારીને માસિક 9 હજાર રૂપિયા કરવામાં આવશે.

આ ઉપરાંત ફરજિયાત પ્રતિબદ્ધતા હેઠળ ટ્રેઇનીની સેવા લેવા માટે કોઈપણ સંસ્થાના કદની મર્યાદા પણ 40થી ઘટાડીને 30 કરવામાં આવી છે.

કૌશલ્ય વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડે દ્વારા આજે એક કાર્યક્રમના ઉપક્રમે કહેવામાં આવ્યું હતું કે, કાયદામાં નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા છે અને તેનાથી સ્ટાઇપેન્ડની રકમ બમણા જેટલી વધી જશે. આ ઉપરાંત ટ્રેઇનીની સંખ્યા પણ વધીને 2.6 લાખ જેટલી થવાનો અંદાજ છે.

October 1, 2019
bajrang_dal.png
1min6830

બજરંગ દળે ગુજરાતમાં ગરબાના આયોજકોને તેમના આયોજનના સ્થળે ‘બિન-હિન્દુઓ’ને પ્રવેશવા નહીં દેવા કહ્યું છે. બજરંગ દળનો એવો દાવો છે કે નવ દિવસ લાંબો નવરાત્રિનો ઉત્સવ હિન્દુ મહિલાઓને ફસાવવા માટેનો મંચ બની ગયો છે.

આ જમણેરી જૂથે ગુજરાતભરમાં રાસ-ગરબા માટેના તમામ સ્થળોની બહાર સતતપણે દેખરેખ રાખવા ટુકડીઓ તૈયાર કરી છે અને ‘લવ જેહાદ’ વિશે લોકોને સતર્ક કરતા પોસ્ટરો પણ લગાવ્યાં છે.

અમદાવાદમાં ગરબાની ઇવેન્ટના તમામ મોટા સ્થળોની નજીક અને ખાસ કરીને મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારોની નજીકના ગરબાના સ્થળોની આસપાસ આવા પોસ્ટરો લગાડી દેવામાં આવ્યા છે. આ જાણકારી બજરંગ દળના અમદાવાદ ઝોનના કો-ઑર્ડિનેટર જ્વલિત મહેતાએ સોમવારે આપી હતી.

મહેતાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે આ પોસ્ટરો દ્વારા વ્યાપક પ્રમાણમાં લોકોને એવા પેંતરા વિશે સાવચેત કરી દેવા માગીએ છીએ કે જેમાં નવરાત્રિ દરમિયાન બિન-હિન્દુઓ દ્વારા હિન્દુ છોકરીઓ અને મહિલાઓને લક્ષ્યાંક બનાવવામાં આવતી હોય છે. દર વર્ષે ત્રણ લાખ કરતાં પણ હિન્દુ ક્ધયાઓ અને મહિલાઓ લવ જેહાદનો શિકાર બનતી હોય છે.’

બજરંગ દળે હિન્દુ છોકરીઓના માતા-પિતાને પણ સતર્ક રહીને પોતાની છોકરીઓને લવ જેહાદથી બચાવવા ચેતવ્યાં છે. આ દળે અમદાવાદમાં ગરબાના તમામ મોટા સ્થળે દેખરેખ રાખવા ટુકડીઓ પણ બનાવી છે. મહેતાએ વધુમાં કહ્યું હતું કે ‘ગરબાના સ્થળે બિન-હિન્દુઓને પ્રવેશ ન આપવા અમે ગરબાના આયોજકોને કહી દીધું છે. જો અમે કોઈ છોકરી કે મહિલા સાથે કોઈ વિધર્મીને પકડીશું તો પહેલાં તો અમે એ છોકરીના મમ્મી-પપ્પાને તેમ જ મહિલાના પરિવારને વાકેફ કરીશું અને પછી પેલા બિન-હિન્દુ છોકરા કે પુરુષનો કોઈ ગુપ્ત ઇરાદો છે કે કેમ એ વિશે બનતી બધી જ વિગતો મેળવવાની કોશિશ કરીશું.’

બજરંગ દળે હિન્દુ ધર્મની પવિત્રતા જાળવવા અને છોકરીઓ-મહિલાઓને લવ જેહાદથી બચાવવા બાબતમાં સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટતંત્રને પણ અરજ કરી છે.

બજરંગ દળના ઉત્તર ગુજરાતના સંકલનકાર એમ. કે. પટેલે પીટીઆઇને કહ્યું હતું કે ‘નવરાત્રિ હિન્દુઓનો ખૂબ મહત્ત્વનો તહેવાર છે અને આ ઉત્સવ લવ જેહાદ માટેનો મંચ ન બની જવો જોઈએ. બિન-હિન્દુઓને આ હિન્દુ તહેવાર સાથે કંઈ જ લેવાદેવા નથી, પરંતુ તેઓ ફાયદો ઉઠાવીને અમારા ધર્મની છોકરીઓ/મહિલાઓને ફસાવતા હોય છે.’

દળના નેતાઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ તેમ જ સ્થાનિક સત્તાધીશોને હિન્દુ છોકરીઓ/મહિલાઓની સલામતી જળવાય એની કાળજી લેવાની વિનંતી કરતા આવેદનપત્ર મોકલ્યા છે.

વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના ભૂતપૂર્વ વડા પ્રવીણ તોગડિયા દ્વારા રચાયેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (એએચપી) પણ ગુજરાતમાં ગરબાના સ્થળો ખાતે બિન-હિન્દુઓને પ્રવેશ ન આપવા સંબંધમાં કાર્ય કરી રહી છે.

એેએચપીના મહામંત્રી રણછોડ ભરવાડે કહ્યું હતું કે ‘અમે ગરબાના આયોજકોને સૂચિત કરી દીધા છે કે આ હિન્દુ પર્વની પવિત્રતા સાથે કોઈ પણ વ્યક્તિ છેડછાડ ન કરે એનું ધ્યાન રાખજો. જો કોઈ બિન-હિન્દુ વ્યક્તિ ગરબા રમવા ઇચ્છે તો તેણે સૌથી પહેલાં તો હિન્દુ ધર્મ અંગીકાર કરવો પડશે, ગૌમૂત્રનું પાન કરવું પડશે અને પછી જ તે ગરબા રમી શકશે. અમે કોઈપણ બિન-હિન્દુ પુરુષની લવ જેહાદની પ્રવૃત્તિ નહીં સાંખી લઈએ.’

એએચપીના બીજા નેતા જિતેન્દ્ર પ્રજાપતિએ કહ્યું હતું કે ‘બિન-હિન્દુઓને ગરબાની ઇવેન્ટના સ્થળે આવતા રોકવા એએચપીએ ચોકીપહેરા માટેની ટુકડીઓ તૈયાર કરી છે જે ગરબાના સ્થળોની બહાર ખેલૈયાઓ પર ગૌમૂત્ર છાંટે છે.’

ગુજરાતમાં બજરંગ દળની આયોજકોને ચેતવણી ક હિન્દુ છોકરીઓને ‘લવ જેહાદ’માં ફસાવવામાં આવતી હોવાનો આક્ષેપ

October 1, 2019
jitu_vaghani.jpg
1min10400

ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને ફાધર ઓફ ઇન્ડિયા કહ્યા હતા, ગાંધીજીનું બીજું વિશેષણ મોદીને મળ્યું

આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ પૂર્વે આજરોજ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ગુજરાતની ધરતી પર મહાત્મા ટુ મહાત્મા, નરેન્દ્રભાઇ મોદી ગાંધી બાપૂની 150મી જન્મજયંતિના કાર્યક્રમોમાં ઉપસ્થિત થઇ રહ્યા છે, ગુજરાત માટે તેમણે આ ઘટના ગૌરવવંતી ગણાવી હતી.

ભાજપાના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીએ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે તા.2જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ પર્વે ગુજરાત આવી રહેલા વડાપ્રધાન શ્રી મોદીના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જીતુભાઇ વાઘાણીએ નરેન્દ્ર મોદીને મહાત્મા ગણાવ્યા હતા.

થોડા દિવસો અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસે હતા ત્યારે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધીજીનું એક વિશેષણ ફાધર ઓફ ધ નેશન શબ્દ પ્રયોગ શ્રી નરેન્દ્ર મોદી માટે કર્યો હતો. એ વાત સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ હતી. આજે તા.1લી ઓક્ટોબર 2019ના રોજ ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ મહાત્મા ગાંધીને અપાયેલું એક વિશેષણ મહાત્મા શબ્દ પ્રયોગથી શ્રી નરેન્દ્ર મોદીને નવાજ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લીધેલા કાશ્મીરમાંથી 360મી કલમ દૂર કરવા સંદર્ભે લીધેલા પગલાંને સમગ્ર વિશ્વએ સ્વીકૃતિ આપી હોવાનું જણાવીને સમગ્ર દુનિયામાં ભારતનું સ્વાભિમાન વધારનાર નેતા તરીકે શ્રી મોદીને ગણાવ્યા હતા. અમેરીકાના સફળ પ્રવાસ બાદ પહેલી વખત ગુજરાત આવી રહેલા શ્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત ભાજપા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર તા.2જી ઓક્ટોબર 2019ના રોજ જોરદાર બહુમાન કરવામાં આવશે.

ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન

ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખાદી પ્રિય મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યોમાં સૌથી મહત્વની ખાદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન સૂત્ર આપીને ખાદી ખરીદીને દેશભરમાં પ્રચલિત કરનાર નેતા શ્રી નરેન્દ્ર મોદીને ગણાવ્યા હતા.

જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન શ્રી મોદીના આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના ગુજરાતના ટૂંકા પ્રવાસ અંગેના ટેન્ટીટીવ કાર્યક્રમ પત્રકાર પરીષદમાં ઘોષણા કરી હતી.

શ્રી મોદીના તા.2જી ઓક્ટોબરના સંભવિત સૂચિત કાર્યક્રમની રૂપરેખા

  • 5.30થી 5.45 વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર આગમન સમયે એરપોર્ટ પ્રીમાઇસીસમાં જ ભાજપા પ્રદેશ એકમ દ્વારા ભવ્યાતિભવ્ય સમારોહ
  • 6.15 વાગ્યે સાબરમતિ આશ્રમ ખાતે મહાત્મા ગાંધી પ્રતિમાને ફૂલહાર, સૂતરની આંટી પહેરાવવાના કાર્યક્રમોમાં હાજરી આપશે
  • 7થી 7.30 દરમિયાન વડાપ્રધાન શ્રી મોદી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પહોંચશે. જ્યાં સ્વચ્છતાના આગ્રહી એવા દેશભરના 20000 ગામડાઓના સરપંચોના સમારોહને સંબોધશે
  • 8.40 સુધીમાં અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા ગુજરાત સરકારના નવરાત્રી ઉત્સવમાં હાજરી આપશે. માં અંબાની આરતી ઉતારશે.
  • 9.10 પછી અનુકૂળ સમયે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે

6 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોના વિજય માર્જીન વધારે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા હોવાનું જણાવતા જીતુ વાઘાણી

સુરત ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પર કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપાના ઉમેદવારો 6 એ બેઠકો પર માર્જિન વધારીને જીત મેળવશે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા છે. તેમનો કહેવાનો મતલબ એ હતો કે કોંગ્રેસના ઉમેદવારો હારેલા, જાકારો પામેલા છે, ભાજપાની જીતને આસાન બનાવી દીધી છે.

September 30, 2019
marriottt.jpg
2min18490

ध मेरीयोट इंटरनेशनल ब्रांड की प्रोपर्टी लिस्ट में अब से सूरत की दो होटेल दिखाइ देगी

जयेश ब्रह्मभट्ट 98253 44944

सुरत में मेरीयोट इन्टरनेशनल के कोटयार्ड मेरीयोट होटेल लोंचिंग के दो साल बाद मेरीयोट इन्टरनेशनल और ऑरो होटेल्सने मेरीयोट कि सूरत में दूसरी सिग्नेचर होटेल, धी सुरत मेरीयोट होटेल को लॉंच कीया है. ताज ग्रुप के साथ ऑरो होटेल्स का 30 सप्टम्बर 2019 तक का कोन्ट्रेक्ट था अब कल से यानी दि. 1 अक्टुबर 2019 से ताज गेट वे की जगह पे सुरत मेरीयेट होटेल कार्यान्वित हो जाएगा.

सुरत मेरीयोट होटेल के ग्रांड लॉचिंग पूर्व आयोजित प्रेस कान्फरेन्स का द्रश्य

सुरत में मेरीयोट की दूसरी होटेल के लॉंचिग पर आयोजित की गई प्रेस कान्फरन्स में डी.जे. रामा ने जानकारी दे ते हुए कहा की सुरत से हमारे परिवार की बहूत मीठीं यादें जुडी हूई है, सुरत की मिट्टी से जो लगाव है वो हमें यहां जूडे रखने का इंजन देती है.

सुरत मेरीयोट होटेल को लोंच करने के पूर्व इन्फ्रास्ट्रक्चर से लेकर फूड एन्ड फेसेलिटीझ सब में नवीनीकरण किया गया है और इसके चलते सुरत के लोगो को और सुरत आने वाले लोगो को इन्टरनेशनल स्टेन्डर्ड की सर्विस और एक्सपिरीयन्स उपलब्ध करवा सकेंगे.

डाईनिंग की बडी रेन्ज उपलब्ध होगी धी सुरत मेरीयोट होटेल मे

सुरत के लोग खाने के शोखीन है और इसको मद्दे नजर रखते हुए धी सुरत मेरीयोट होटेल में डाईनिंग की बहुत बडी रेन्ज उपलब्ध कराई गई है. यहां तक की सुरत के आसपास के गांवो की जानी मानी रेसीपीझ के लिए नानीमाज के नाम से एक स्पेशयल फूड कोर्ट भी शुरु किया जा रहा है. यहां तक की सुरत के लारी कल्चर, यानी सूरत शहर के लोग रात को 12 बजे के बाद भी खाने पीने की चीजो के लिए नीकलते है, उसको ध्यान में रखते हूए धी सुरत मेरीयोट होटेलमां खास लारी स्पेश भी कुछ दिनो में शरू करने कि योजना है.

दि. 1 अक्टुबर 2019 से सूरत की यह प्रोपर्टी धी सुरत मेरीयोट होटेल से जानी जाएगी
  • टेबल 101-ए , धी सुरत मेरियोट होटेल में इस नाम से जानी जाने वाली स्पेश में पूरा दिन इन्डियन, एशियन, वेस्टर्न कुजिन के वेरायटी उपलब्ध होगी
  • सुरत बेकींग कंपनी, धी सूरत मेरियोट होटेल में सुरत बेकिंग कंपनी ब्रेडस, मफिन्स, सेन्डविचीझ, पेस्ट्रीज, बेवरेजीस की तरोताजा रेन्ज उपलब्ध होगी
  • विन्टेज एशिया, धी सूरत मेरीयोट होटेल में विन्टेज एशिया नामक स्पेश में माडर्न एवं सिग्नेचर लजीज वेराइटी पेश कि जाएगी. तदपश्चात इसी स्पेश में जापानीज ट्रेडिशनल टेप्पान्याकी स्टाइल वेराइटी भी उपलब्ध होगी
  • ध एम क्लब, यह स्पेश में महेमानो को रेस्ट एन्ड प्लेझर मिलेगा
  • एम वेलनेस, मेरीयोट बोनवाइ इलाइट मेम्बर्स के फीटनेस, स्पा, स्टीम, सॉना बाथ इत्यादि सुविधाए परोसी जाएगी.
  • 3000 पेक्स के लिए बेंकवेट फेसेलिटीझ और पूरी तरह से रिडिझाइन इन्टिरीयर के साथ रूमो की विशाल श्रेणी महेमानो की सेवा में उपलब्ध कराइ जाएगी.

58 प्रतिशत का ऑक्युपेन्सी रेट 75 प्रतिशत तक बढेगा

सुरत मेरीयोट होटेल के अमित महेता ने जानकारी देते हूए कहा की फिलहाल इस प्रोपर्टी में ऑक्युपेन्सी रेट 58 प्रतिशत है, सुरत मेरीयोट होटेल में यह बढा के 75 प्रतिशत तक ले जाए इतना पोटेन्शियल है और नवीनीकरण में इस तरह से काम किया गया है. गेस्ट को हमारा इन्फ्रास्ट्रक्चर, फैसेलिटीझ, फूड और सर्विस इन सब में एक नवीनतम अनुभूति होगी.

अमीत महेताने यह भी कहा की पहेले के मुकाबले धी सुरत मेरीयोट होटेल में रुम टेरीफ में 18 से 25 प्रतिशत तक बढौतरी भी कि गई है.

ऑरो युनिवर्सिटी के छात्रो को मेरीयोट ब्रान्ड का एक्सपोजर मिलेगा

सुरत में मेरीयोट इन्टरनेशनल ब्रांड की दूसरी होटेल के आने के बाद ऑरो युनिवर्सिटी के छात्रो को शिक्षा के साथ एक्सपिरीयन्स और एक्सपोजर के लिए मेरीयोट इन्टरनेशनल जैसी बहूत बडी ब्रान्ड का नेटवर्क मिलेगा. स्वाभाविक है की मेरीयोट ब्रांड कि होटेल्स का वर्क एक्सपिरीयन्स छात्रो की प्रोफेशनल करीयर में बहूत अहम फेक्टर बनेगा.

सुरत मेरीयोट होटेल के ग्रान्ड लॉंचिंग के पूर्व आयोजित प्रेस कान्फरेन्स में श्री सुरेशजी माथूर, श्री अमित महेता, श्री डी.जे. रामा, श्री हेमंतजी, श्री नयन बेंकर और अन्य डिग्नेटरीज उपस्थित रहे थे.

सुरत मेरीयोट कि आफिश्यल प्रेस रिलीज

मेरियोट इन्टरनेशनल ने सूरत में सिग्नेचर ब्रान्ड सूरत मेरियोट होटेल का शुभारंभ किया सूरत। मेरियोट इन्टरनेशनल और ओरो होटल्स ने अपनी सिग्नेचर ब्राण्ड मेरियोट होटल्स और रिसोट्र्स ब्रान्ड की सूरत में अपनी दूसरी होटल सूरत मेरियोट होटल के शुभारंभ की घोषणा की है।

यह प्रोपर्टी सूरत एयरपोर्ट से केवल 15 मिनट के फासले पर है और सिटी सेन्टर से केवल 20 मिनट दूर है। प्रीमियम, फूल सर्विस होटल के तौरपर बनायी गई इस सूरत मेरियोट होटल में समकालीन शैली और आरामदायक अद्भूत मिश्रण है। होटल में इनोवेटिव और विचारपूर्वक तैयार किए 209 गेस्टरूम है जिसमें से शहर और तापी नदी के अद्भूत दृश्य देख सकते है। जो अत्याधुनिक सुविधा और सेवाओं से सुसज्ज है होटल के रूम डिजाइन और सुशोभन को एक उत्कृष्ट स्टैण्डर्ड दिया है, जो वास्तविक तौरपर आरामदायक और स्टाइल को प्रतिबिंबित करता है।

इस लॉन्चिंग के अवसर पर मेरियोट इन्टरनेशनल के साउथ एशिया के सीनियर एरिया वाइस प्रेसिडेन्ट श्रीमान निरज गोविल ने बताया कि भारत के सबसे विकसित शहरों में से एक सूरत ने उंच क्षमता वाला बाजार है। यहां हाल के दिनों में बिजनेस ट्रावेल की ट्रैफिक देखने को मिलती है। इस बिजनेस में अग्रसर रहे GJHM इन्टरनेशनल की भागीदारी में हम हमारी ब्रान्ड को इस शहर की हमारी दूसरी होटल के तौरपर शुरूआत करने के पिए अत्यंत उत्साही है।

सुरत की मेरीयोट होटेल में स्थानिय फूड वेराइटी के लिए खास प्रावधान, लारी कल्चर भी उपलब्ध

सूरत मेरियोट होटल का उद्घाटन हमारे भारत के पोर्टफोलिया में 119 वां स्थान है। हमारे प्रयास हमारे सेवाओं के साथ आतिथ्य के आंतरराष्ट्रीय नीति को लाने पर ध्यान केन्द्रित करते है। यह होटल डाइनिंग रेन्ज का ऑप्शन देता है, टेबल 101 पूरे दिन के लिए खुला रहेगा। इसमें भारतीय, पूर्व, पच्छिम का चयन के व्यंजनों का उत्कृष्ट बुफे होगा। इसमें पसंद के लिए कई विकल्प होंगे।

सूरत बैंकिंग कंपनी (SBC) सभी बेक की गयी ताजी व्यंजन मुहैया करवाता है इसमें ब्रेड/ मफिन्स/सेन्डविच और पेस्ट्रीज का लुफ्त उठा सकते है। इसके अलावा इसमें समृद्ध कॉफी और चाय में से पसंद करने का विकल्प भी शामिल किया गया है। एक शांत बिजनेस मीटिंग या आपकी पसंदीदा पुस्तक को पढऩे के लिए एक आदर्श स्थल है। विन्टेज एशिया-मोर्डन और सिग्नेचर व्यंजनों के साथ, आपके टेबल पर एशिया के सभी श्रेष्ठ व्यंजन पेश करता है, परंपरागत और टेप्पान्याकी स्टाइल का आनंद उठा सकेंगे।

द एम-क्लब, मेरियोट बोनवोई इलाइट मेम्बर्स को विशेष केटरिंग और बिज़नस सेण्टर की सुविधा उपलब्ध करता है। फिटनेस का विभाग शामिल करने के लिए हमारे पास एम-वेलनेस है। इसमें एक स्पा है, जो सभी साधनों से सुसज्ज, स्टेट ऑफ़ धी आर्ट फिटनेस सेन्टर और लक्जुरियस और ओपन एयर स्विमिंग पुल शामिल है।

सूरत के नक्शे पर 3,000 गेस्ट समा सके ऐसे विशाल बैंकविट होल की सुविधा के साथ अतिथियों नदी किनारे के परिदृश्य की सुंदरता और कार्यक्रम की जगह का लाभ ले सकेंगे। यहाँ बड़ी जगह के साथ कुदरती प्रकाश और फेक्सिबल डेकोर ऑप्शन्स मिलेगा। इस मल्टी पर्पज वेन्यू ने इस होटल को शहर में पहले कभी नहीं देखने को मिला विशाल कॉन्वेकेशन, सामाजिक और शादी समारोह का स्थान के लिए श्रेष्ठत्तम स्थल बना दिया है ।

ओरो होटल्स के चेयरमेन श्रीमान एच.पी.रामा ने कहा कि हाल में कोर्टयार्ड मेरियोर्ट होटल की शुरूआत करने के बाद सूरत मेरियोट होटल का उद्घाटन रोमांचक है । गुजरात में ओरो होटल्स की दूसरी होटल है। ओरो होटल ने सूरत में ओरो यूनिवर्सिटी की स्थापना की है जहां स्कूल ऑफ हॉस्पिटालिटी मैनेजमेन्ट के मजबूत पाठ्यक्रम प्रदान किया जाता है, हॉस्पिटालिटी इन्डस्ट्रीज के लिए उंचे लक्ष्यांक वाले एक नई पेढ़ी तैयार करता है। सूरत के समुदाय का एक हिस्सा बनने पर खुशी अनुभव कर रहे है और दक्षिण गुजरात के शैक्षणिक और हॉस्पिटालिटी की जरूरत मुहैया करने में खुशी हो रही है।