Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
સુરત, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને દુનિયાભરમાં પોતાની કામગીરીને લઇને લાખો ચાહકો ઉભા કરનાર ગોવિંદ કાકા ધોળકીયાએ પોતાનો એક વિડીયો ફેસબુક પર સમસ્ત લેઉઆ પટેલ સમાજના પેજ પર પોસ્ટ કરીને કેટલીક પ્રેરકવાતો કરી છે.
સુરતની ખ્યાતનામ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદ કાકા ધોળકીયાએ હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને જાગૃતિ અંગે કેટલીક પ્રેરક વાતો કરી છે. સંપૂર્ણ વિડીયો નિહાળવા નીચેની લિંક ક્લીક કરો.
સુરતની ડાયમંડ કંપની એસ.આર.કે.ના સ્થાપક શ્રી ગોવિંદ ધોળકીયાએ હાલમાં ઉદભવેલી કોવીડ-19ના સંક્રમણને લઇને કરેલી વાતો અનેક લોકોને કોરોનાથી બચાવી શકે તેવી સક્ષમ છે. તેમણે કહ્યું કે હાલમાં હીરાના કારખાનાઓમાંથી કોરોના ફેલાય રહ્યો છે એવી વાતો ઉડી છે. તેમણે દાખલાઓ અને હકીકતો સાથે જણાવ્યું છે કે હીરાના કારખાનાઓમાં નહીં પણ બિનજરૂરી રખડપટ્ટી કરવાથી કોરોના આભડી જાય છે.
ગામડે (સૌરાષ્ટ્ર) ખોટી નાસભાગથી બચો
શ્રી ગોવિંદકાકાએ કહ્યું કે હાલમાં હીરા ઉદ્યોગમાં એક અઠવાડીયાનું વેકેશન મળ્યું છે એટલે ઘણાં એવું માને છે કે લાવ ને ગામડે આંટો મારી આવું. આવું વિચારનારાએ એ પણ વિચાર કરવો જોઇએ ક્યાં તો એ ગામડે જઇને સંક્રમણ આપી આવશે અગર તો ગામડેથી એ વ્યક્તિ સંક્રમણ લઇને સુરત પરત આવશે. તેમણે કહ્યું કે બિનજરૂરી અવરજવર બંધ કરવી જોઇએ. ગલી, મહોલ્લા, સોસાયટીના નાકે બેસવાવાળા ખાસ ચેતી જાય.
અમીર, ગરીબ, મોટા, નાના કોઇને કોરોના છોડતો નથી
તેમણે કહ્યુ કે કેટલાક લોકો એવું માને છે આપણને કશું થવાનું નથી, આ લોકો બહુ જોખમી જીવન જીવી રહ્યા છે. કોરોનાએ કોઇને છોડ્યા નથી. અમીર, ગરીબ, પુરુષ, સ્ત્રી, વૃદ્ધ, બાળકો, તબીબ કોઇને પણ કોરોના થઇ શકે છે. એ માનવું ભૂલ ભરેલું છે કે કોરોના આપણને નહીં થાય.
સાંભળો કોરોના સંક્રમણ પૂર્વે ગોવિંદ કાકા પોતાના વિડીયો થકી લોકજાગૃતિ લાવી રહ્યા છે
ખુબ સરસ ગોવિંદકાકા એ વાત કરી બધા જ મિત્રો આ વિડિયો શેર જરૂર કરજો
ગુજરાતમાં કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે
અસરગ્રસ્ત અમદાવાદમાં હવે સ્થિતિ ઝડપથી સુધરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદમાં હવે કોરોનાના નવા કેસની સંખ્યા કરતા ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા વધી
રહી છે. તો બીજી તરફ સુરતમાં સતત ત્રીજા દિવસે 200થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 201 નવા કેસ નોંધાયા છે.
અમદાવાદમાં હવે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોવિડ-19ના 168 નવા કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 235 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ જિલ્લાની
વાત કરીએ તો 15
નવા કેસ નોંધાયા છે અને
પાંચ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સાત લોકોના મૃત્યુ થયા છે. આમ
અમદાવાદમાં કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યો છે.
કોરોના વાયરસના કેસની સંખ્યામાં ગુજરાતમાં હવે
સુરત પ્રથમ ક્રમે આવી ગયું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 201
કેસ નોંધાયા છે જ્યારે 42 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લાની વાત
કરીએ તો 40
નવા કેસ નોંધાયા છે અને
44
દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24
કલાકમાં સુરતમાં ચાર
અને સુરત જિલ્લામાં બે લોકોના મૃત્યુ થયા છે.
સુરતમાં કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે રાજ્ય સરકાર પણ એક્શન
મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાતે
સુરતની મુલાકાતે જઈ આવ્યા છે. મુખ્યમંત્રીએ સુરતમાં 100 કરોડના ખર્ચે બે કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ
બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સુરત માટે 200 વેન્ટિલેટર્સ મોકલવામાં આવ્યા છે.
બેન્કો અને નોન-બેન્ક ધિરાણકારોનું સિસ્ટમ લેવલ મોરેટોરિયમ 30 ટકાની નીચે પહોંચી ગયું છે કારણ કે, મોટા ભાગના ધિરાણકારો ગ્રાહકોને છ મહિનાનું ફુલ મોરેટોરિયમ નહીં લેવાની સલાહ આપે છે. બેન્કો ગ્રાહકોને સમજાવે છે કે, આટલું લાંબું મોરેટોરિયમ લેવાથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે અને ભવિષ્યમાં ઇન્ટર્નલ રેટિંગ્સ ઘટી શકે છે. ધિરાણકારોને બીક પણ છે કે, છ મહિના સુધી લોનના હપતા નહીં ભરવાને કારણે ગ્રાહકોની પેમેન્ટ કરવાની વર્તણૂક પર અસર પડી શકે છે.
એક એક્સપર્ટ ઓપિનિયન એવો પણ છે કે બેન્કો કોઈ ગ્રાહક જૂનથી ઓગસ્ટ માટે પણ મોરેટોરિયમ માંગે તો તેની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીને પછી જ રાહત આપવાનો નિર્ણય લે છે.
જે ગ્રાહકો બીજી વખત મોરેટોરિયમનો વિકલ્પ અપનાવવા માંગે છે અમે તેમનું વિગતવાર મૂલ્યાંકન કરીએ છીએ. ગ્રાહકને બીજી વખત રાહત આપતાં પહેલાં તેની પાસે કેટલી રોકડ છે તે ચકાસીએ છીએ. જે ગ્રાહકોએ મોરેટોરિયમ લીધું હોય અને ટોપ-અપ લોન મેળવવા માંગતા હોય તેવા કિસ્સામાં અમે વધારે સાવધાની રાખીએ છીએ.”
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ મે મહિનામાં તમામ ધિરાણ સંસ્થાઓને ઓગસ્ટ સુધીના વધુ ત્રણ મહિના સુધી લોનધારકો પાસેથી લોન વસૂલવામાં રાહત આપવાની છૂટ આપી હતી. પ્રથમ મોરેટોરિયમ પિરિયડ (માર્ચથી જૂન)માં ધિરાણકારો પાસેથી લેવાયેલા કુલ લોનનો 50 ટકા જેટલો હિસ્સો સિસ્ટમ લેવલ મોરેટોરિયમનો હતો.
બેંકો ગ્રાહકોને મોરેટોરિયમ નહીં લેવા માટે પ્રોત્સાહિત કરે છે કેમકે આ મફતના પૈસા નથી. મોરેટોરિયમની રકમ પર વ્યાજ પણ લાગે છે, જે ગ્રાહકોને આની સમજ છે તેઓ મોરેટોરિયમ લેતા નથી. મને લાગે છે કે, હવે મોરેટોરિયમ લેવલમાં નોંધપાત્ર ઘટાડો થશે.
જાણકારો કહે છે કે ગ્રાહકોને હવે મોરેટોરિયમનું ગણિત સમજાઈ ગયું છે અને એક સમયે 35 ટકા લોનધારકોએ મોરેટોરિયમ લીધું હતું, જે હવે ઘટીને 20 ટકા છે. એપ્રિલથી મે મહિનામાં કલેક્શન અસરકારક રીતે બમણું થઈ ગયું છે અને ફરીવાર મેથી જૂનમાં પણ તે બમણું થયું હતું. હવે કલેક્શન પ્રિ-કોવિડ પહેલાંના લેવલના 60 ટકાએ પહોંચ્યું છે.
એક સરવે રિપોર્ટ કહે છે કે હોમ લોનના હપતા ભરવા એ કોઈ પણ ગ્રાહક માટે સૌથી મહત્ત્વની બાબત હોય છે ત્યારે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના માત્ર 20 ટકા ગ્રાહકોએ જૂનમાં મોરેટોરિયમ લીધું હતું, જે ઘણું ઓછું કહેવાય.
મોરેટોરિયમ લેવલ પણ 93 ટકાની ટોચથી ઘટીને જૂનના અંતે 50 ટકા થયું હતું. તેના MFI બિઝનેસનું મોરેટોરિયમ 100 ટકાથી ઘટીને 56 ટકા થયું હતું, જ્યારે સ્મોલ બિઝનેસિસમાં આ લેવલ 42 ટકા થયું હતું.
વર્તમાન લોન મોરેટોરિયમને કારણે ધિરાણકારોની એસેટ ક્વોલિટી અંગેની અનિશ્ચિતતા ઘણી વધી ગઈ છે. જો આમાંથી 10-20 ટકા ડિફોલ્ટ થશે તો બેન્કોનો સ્લિપેજ રેટ વધીને 3-8 ટકા થઈ શકે છે. એજન્સીને અંદાજ છે કે, ગ્રોસ બેડ લોન માર્ચ ’20ના 8.6 ટકાથી વધીને માર્ચ ’21 સુધીમાં 11.6 ટકાએ પહોંચી શકે છે.
છ મહિનાનો મોરેટોરિયમ ઓફર કરવા માટે ઉત્સાહી નથી, તેના કારણે ગ્રાહકની પેમેન્ટ કરવાની વર્તણૂકમાં ફેરફાર થઈ શકે છે. ગ્રાહકને ખરેખર રાહતની જરૂર છે કે નહીં તેનો વિગતે અભ્યાસ કરીને અમે રાહત આપવાનો નિર્ણય કરીએ છીએ. એમ નિષ્ણાંતો કહી રહ્યા છે.
ભારતમાં ગતરોજ તા.5મી જુલાઇને રવિવારે બધા રાજ્યો મળીને કુલ 1 કરોડ (10 મિલિયન) કોવીડ-19 લેબોરેટરી ટેસ્ટ પૂરા કરવામાં આવ્યા હતા. આ એક કરોડ ટેસ્ટમાંથી ભારતમાં કોરોના પોઝીટીવ હોય તેવા 6 લાખ 97 હજાર 413 લાખ દર્દીઓ મળી આવ્યા હોવાની અધિકૃત માહિતી આઇ.સી.એમ.આર. દ્વારા આપવામાં આવી હતી.
આઇ.સી.એમ.આર. સંસ્થાના અધિકારીએ આપેલી માહિતી મુજબ દેશમાં હાલ દૈનિક 3 લાખ કોવીડ ટેસ્ટિંગની કેપેસીટી છે જે વધુ વિકસાવવામાં આવી રહી છે. હાલની ટેસ્ટીંગ માટેની માળખાગત સુવિધાઓમાં કુલ 1105 લેબોરેટરી થકી દેશભરમાં કોવીડ ટેસ્ટિંગ થઇ રહ્યા છે. જેમાં 788 સરકારી લેબોરેટરીઝ, 317 પ્રાઇવેટ લેબોરેટરીઝ, 592 આર.ટી.-પીસીઆર લેબ્સ, ટ્રુનેટ લેબ્સ 421 અને સીબીનાટ લેબ્સ 92નો સમાવેશ થાય છે.
રવિવાર તા.5મી જુલાઇના દિવસે ભારતમાં એક દિવસમાં સૌથી વધુ પરીક્ષણનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. કુલ 1 લાખ 80 હજાર 596 કોવીડ ટેસ્ટીંગ રવિવાર તા.5મી જુલાઇના દિવસે હાથ ધરવામાં આવ્યા હતા.
છેલ્લા 14 દિવસોમાં ભારતમાં આક્રમક ટેસ્ટીંગ અપનાવાયું હતું. જેમાં દૈનિક સરેરાશ 2.15 લાખ ટેસ્ટ અને છેલ્લા પાંચ દિવસમાં જ 1 મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
” As per the Health Ministry, there are 2,53,287 active cases in the country while 4,24,432 patients have been cured or discharged, while one patient has migrated. ”
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર સક્રિય થયું છે. ઉપરાંત અન્ય સિસ્ટમ પહેલેથી જ સાયક્લોનિક સર્ક્યૂલેશન સ્વરૂપમાં સક્રિય છે. આ રીતે ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે બધા જીલ્લાઓમાં આવનારા 48 કલાક એટલે કે તા.8 જુલાઇને બુધવારે રાત સુધી ભારે વરસાદની આગાહી હાલ તુરત કરી છે. જેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો પણ તહેનાત કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થશે. 8 જૂલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થશે. પવન સાથે ભારે વરસાદની શક્યતાને લઈ તંત્ર અલર્ટ પર છે. દરિયાઇકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 18.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ પડયો હતો. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હતુ અને 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે વહેલી સવારથી અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.
સોમવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ગુજરાતના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અમરેલીના જાફરાબાદમાં સૌથી વધારે બે ઇંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ થઈ શકે છે. આજે પણ દ્વારકા અને જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને ભરૂચમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સુરતની મુલાકાત બાદ પરત ગાંધીનગર ગયાના 36 કલાક બાદ આજે તા.6 જુલાઇને સોમવારે બપોરે સુરતના મજુરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ એક ટ્વીટ કર્યું હતું, સોમવારે બપોરે 12.31 મિનિટે કરવામાં આવેલા ટ્વીટમાં હર્ષ સંઘવીએ લખ્યું છે કે કોઇની નજરમાં આવવા માટે મહેનત ન કરો, તમારામાં કાંઇક હશે તો, નજરમાં આવી જ જશો..
Surat Majura MLA Harsh Shanghvi file photo
હર્ષ સંઘવીએ આ ટ્વીટ કોઇને પણ ઉદ્દેશીને લખ્યું નથી. કે નથી હર્ષ સંઘવીએ આ ટ્વીટ સાથે કોઇક હેશટેગ કર્યું. આમ છતાં ભાજપના સુરત સમેત સમગ્ર ગુજરાતના ગ્રુપોમાં તેમની આ ટ્વીટને તીર તરીકે લઇને તેમની ટ્વીટની ઇમેજ જોરદાર રીતે ફરી રહી છે. કહેવા વાળા કહી રહ્યા છે કે સુરતમાં હર્ષ સંઘવી જે ગતિએ આગળ વધી રહ્યા છે એ જોતા ભાજપાના અનેક નેતાઓના પેટમાં તેલ રેડાય રહ્યું છે. હર્ષ સંઘવીએ પોતાના ટ્વીટ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી ફક્ત એ નોર્મલ ટ્વીટ સ્ટેટસ અપડેટ છે પરંતુ, ભાજપામાં હવે આ ટ્વીટ એક તીરની જેમ ચાલી રહ્યું છે.
ખુબ સામાન્ય ભાવે ટ્વીટ કર્યું છે : હર્ષ સંઘવી
સી.આઇ.એ લાઇવ સાથે વાતચીતમાં હર્ષ સંઘવીએ સાહજિકતાથી કહ્યું કે ભાઇ એકદમ સામાન્ય ભાવે આ ટ્વીટ કર્યું છે, આમા કોઇને કશું સંભળાવાનો કે ટોન્ટીંગનો કોઇ ઇરાદો નથી.
ધારાસભ્ય હર્ષ સંઘવીની ટ્વીટ માટે નીચેની લિંક પર ક્લીક કરો
કોઈની નજરમાં આવવા માટે મહેનત ન કરો, તમારામાં કાંઈક હશે તો, નજરમાં આવી જ જશો..
હર્ષ સંઘવીનું આ ટ્વીટ ગણતરીની મિનિટોમાં 60 વખત રીટ્વીટ થઇ ચૂક્યું હતું
સુરતના મજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીની ટ્વીટનો ફોટો હાલ સુરત અને ગુજરાતના પોલીટીકલ વ્હોટ્સએપ ગ્રુપ્સમાં ગરમાગરમ રીતે વાઇરલ થઇ રહ્યો છે, જેની જેપીજી ઇમેજ નીચે પ્રસ્તુત છે
હર્ષ સંઘવી હાઇપ્રોફાઇલ વર્કિંગ પોલિટીકલ લિડર છે, સુરતમાં સાંસદને પણ ઝાંખા પાડે તેવો પ્રભાવ ધરાવે છે
સુરત મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પ્રભાવશાળી નેતા છે અને ધૂંઆધાર કામગીરી માટે વખણાય છે. કોવીડ 19 જનતા કરફ્યુથી શરૂ કરીને અત્યાર સુધી અત, તત્ર, સર્વત્ર તેઓ જ બધે કામ કરતા દેખાયા છે, લોકોએ તેમના કામની સરાહના ખૂબ કરી છે. કોવીડ-19માં સતત સક્રિય રહેલા નેતાઓમાં સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીનો નામોલ્લેખ બધા કરી રહ્યા છે ત્યારે હર્ષ સંઘવીએ આજે જે ટ્વીટ કરી છે એ કોને ઉદ્દેશીને કરી હશે એ બાબતને લઇને અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.
ગુજરાતના સૌરાષ્ટ્રના ખંભાળીયામાં શનિવારથી શરૂ થયેલા સાંબેલાધાર વરસાદે રવિવારે તો ફક્ત 2 કલાકમાં જ 12 ઇંચ પાણી નાંખી દેતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ જવા પામી છે. રાજ્ય સરકારે એન.ડી.આર.એફ.ની ટીમોને ખંભાળીયા, દ્વારકામાં ઉતારીને બચાવ રાહતની કામગીરી હાથ ધરી છે.
ખંભાળિયામાં રવિવાર તા.5 જુલાઇના રોજ આભ ફાટવા જેવી સ્થિતિમાં થયેલા ઝીકાયેલા ભારે વરસાદે ભારે ખાનાખરાબી સર્જી છે. આવામાં ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકામાં ઘણાં ઠેકાણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આવામાં ભારે વરસાદની સ્થિતિમાં જીવનું જોખમ ઉભું થાય તે પહેલાથી લોકોની મદદ માટે NDRFના જવાનો તૈનાત કરાયા છે.
આ સાથે આગામી સમયમાં પણ ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે જેના કારણે ઘણી ટીમોને સ્ટેન્ડબાય પણ રાખવામાં આવી છે.
રિપોર્ટ્સ મુજબ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને પોરબંદરમાં NDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. જેથી જો આગામી સમયમાં સ્થિતિ વિકટ બને તો આ ટીમો મદદમાં જોડાઈ શકે છે. આ ટીમમાં 21 સભ્યો છે. આ ટીમ સંપૂર્ણ રીતે સજ્જ થઈને ગુજરાત પોહોંચી છે. ટીમ પાસે બોટ, લાઈફ જેકેટ સહિતની વસ્તુઓ છે જે આપત્તિના સમયમાં લોકોની મદદ કરવામાં મહત્વની સાબિત થતી હોય છે.
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના ચાર મહિનામાં જ પોઝિટિવ કેસ હવે રોજ પોતાનો જ નવો વિક્રમ સર્જી રહ્યા છે. રવિવારે અત્યાર સુધીના સર્વોચ્ચ ૭૨૫ સંક્રમિત દર્દીઓ મળી આવતાં કુલ કેસનો આંક ૩૬૦૦૦ને પાર થઇ ૩૬૧૨૩ સુધી પહોંચી ગયો છે. રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વધુ ૧૮ દર્દીઓના કોવિડના કારણે મૃત્યું થતાં કુલ આંક ૧૯૪૫ થયો છે. આ સર્વોચ્ચ સપાટીમાં અમદાવાદને ફરીથી પાછળ રાખી સુરત કુલ ૨૫૪ કેસ અને ૬ દર્દીના મૃત્યુ સાથે ટોપ ઉપર પહોંચ્યું છે. અમદાવાદમાં ‘કન્ટ્રોલ્ડ’ ૧૭૬ કેસ અને ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. આ સિવાય રાજ્યના જામનગર, ગાંધીનગર અને ખેડામાં એક એક દર્દીના કોવિડના સંક્રમણને લીધે મૃત્યું થયા છે.
અન્ય મહાનગરો અને એના જિલ્લાની સ્થિતિ જોઇએ તો સંક્રમણ હવે ધીમે ધીમે વ્યાપક બન્યું છે. વડોદરમાં સંક્રમિત નાગરવાડા સિવાયના અન્ય વિસ્તારોમાંથી રોજેરોજ ચાળીસ પચાસ કેસ મળી રહ્યા છે જ્યારે જિલ્લામાં ઓચિંતુ સંક્રમણ નિયંત્રણમાં આવી ગયું હોય એમ કેસની સંખ્યા ઘટીને ૮ થઇ ગઇ છે જ્યારે શહેરમાંથી નવા ૫૬ કેસ મળ્યા છે. અલબત્ત, વડોદરામાં થતાં રોજેરોજના મૃત્યુંમાં આજે કોવિડથી સંક્રમિત દર્દીના મોતની પુષ્ટી કરાઇ નથી.
રાજ્યના સૌ પ્રથમ જાહેર થયેલા પાંચ હોટ સ્પોટમાં ભાવનગર પછી પાંચમા ક્રમે આવતા રાજકોટમાં હવે ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કથળી રહી છે. અહીં જંગલેશ્વર પછી સૌથી મોટું ક્લસ્ટર ધોરાજી બની ગયું છે. જિલ્લામાં ૩૨ કેસ મળ્યા છે એમાંથી અડધા કેસ ધોરાજીના છે જ્યારે મહાનગરમાં પંદર કેસ મળ્યા છે, પરંતુ સત્તાવાર જાહેરાત દસ કેસની કરાઇ છે.
આ જ રીતે ગ્રીન ઝોન પૈકીના જૂનાગઢમાં રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. જૂનાગઢ મહાનગરમાંથી નવા ૯ કેસ અને ગ્રામ્યમાંથી ૪ સંક્રમિત દર્દી મળ્યા છે. આ જ સ્થિતિ ભાવનગરમાં અનુક્રમે ૭ અને ૯ કેસની છે. જામનગર શહેરમાંથી વધુ છ દર્દી મળ્યા છે. ગાંધીનગરમાં સેક્ટર્સમાંથી બે, પણ જિલ્લામાંથી નવા નવ કેસ આવ્યા છે. જિલ્લામાં એક દર્દીનું મૃત્યું પણ થયું છે. આ જ રીતે જામનગરમાં એક દર્દીનું મૃત્યું નોંધાયું છે.
મહાનગરો અને એના ગ્રામ્ય વિસ્તારો પછી રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થિતિ ધીમે ધીમે વધારે ચિંતાજનક રીતે વકરી રહી છે. વલસાડમાં નવા ૧૮ કેસ, ભરૂચમાં ૧૫, ખેડા ૧૨, પાટણ ૧૧, મહેસાણા, સુરેન્દ્રનગર અને એક પખવાડિયા પછી તાપીમાંથી ૯-૯ કેસ મળ્યા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદમાંથી ૮-૮, પંચમહાલમાંથી વધુ ૬, અરવલ્લી અને મોરબીમાંથી ૫-૫ કેસ એક્ટિવ સર્વેલન્સમાંથી મળ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી ચાર, મહીસાગર, નવસારી, બોટાદમાંથી ૩-૩, કચ્છ ૨, નર્મદા, અમરેલી, છોટા ઉદેપુર અને દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ મળ્યો છે.
અમદાવાદ મહાનગરમાંથી નવા ૧૬૨ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ કેસ પશ્ચિમ વિસ્તારમાંથી સૌથી વધારે છે. કોટ વિસ્તારમાંથી હવે નવા કેસ નહીવત થઇ ગયા છે. જોકે, હવે અમદાવાદમાં બોપલ, ઘુમા ભળ્યા છે એના સંક્રમિત વિસ્તારોના કેસ ગણાય છે એની સાથોસાથ થલતેજ, વેજલપુર, નારણપુરા, સાબરમતી, શાહીબાગમાંથી વધારે કેસ આવ્યા છે. આઠ દર્દીના મૃત્યું થયા છે. આ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં વિરમગામ, ધોળકા અને સાણંદમાં ૩-૩, માંડલ ૨, બાવળામાં ૪ મળી કુલ ૧૫ કેસ મળ્યા છે. એક દર્દીનું મૃત્યું થયું છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ૭૭૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે એની સાથે કુલ આંક ૪,૧૨,૧૨૪ સુધી પહોંચ્યો છે. દર દસ લાખ વસતિએ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ પ્રથમ દસમાં પણ ગુજરાતનું સ્થાન નથી. ૬૨૩૯ ટેસ્ટ પ્રતિ દસ લાખ ટેસ્ટ થયા. ૪.૧૨ લાખ ટેસ્ટથી ૩૬૧૨૩ પોઝિટિવ કેસ આવ્યા છે એમાં ૪૬૮ નવા ડિસ્ચાર્જ સાથે કુલ આંક ૨૫,૯૦૦ થયા છે. અત્યાર સુધીમાં ૧૯૪૫ મૃત્યું થયા છે. એક્ટિવ કેસ ૮૨૭૮ છે એમાં ૭૨ વેન્ટીલેટર પર છે અને ૮૨૦૬ સ્ટેબલ છે.
હવે અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં નવા ક્લસ્ટર્સ વધ્યા અમદાવાદમાં હવે વ્યુહાત્મક રીતે સંક્રમિત કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, પરંતુ અત્યાર સુધી શહેરના કોટ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં વધેલા ક્લસ્ટર્સ નહીવત થઇ ગયા છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં જુદી જુદી ચાળીસથી વધારે વસાહતો માઇક્રો કન્ટેન્ટમેન્ટ તરીકે જાહેર કરાઇ છે. આવા ક્લસ્ટર્સ હવે સુરત અને વડોદરા ઉપરાંત જિલ્લાઓમાં ધોળકા, વાપી, જંબુસર, ધોરાજી, સાણંદ, બેચરાજી, કડી, મોડાસા, હિંમતનગર, જામનગર, સુરેન્દ્રનગર, ભૂજમાં બીએસએફ કેમ્પ, કેવડીયામાં એસઆરપી કેમ્પ વગેરે જેવા નવા હોટ સ્પોટ બની ગયા છે.
ભારત દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ફરી એકવાર 24,000ને પાર કરી ગયો છે. સોમવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 24,248 નવા કેસ નોંધાયા હતા અને 425 દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 6,97,413 કેસ નોંધાયા છે. જેમાંથી 2,53,287 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4,24,433 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને 19,693 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 6,555 નવા કેસ નોંધાયા છે અને 151 લોકોના મોત થયા છે. જ્યારે 3,658 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,06,619 થઈ ગયો છે. તેમાંથી 86,057 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 8,822 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,11,740 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 725 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત થયા હતા. જ્યારે 486 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 36,123 થઈ ગયો છે. જેમાંથી 8,202 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 1,945 લોકોના મોત થયા છે અને 25,902 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 5 જુલાઈ સુધીમાં કોરોનાના 99,69,662 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 1,80,596 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટો શરૂ રાખવાના વેપારીઓના નિર્ણય બાદ સોમવાર તા.6 જુલાઇ 2020ના રોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે જો કોઇ ટેક્સટાઇલ માર્કેટમાં એક કરતા વધુ કેસો મળી આવશે તો તેને 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવશે.
એ પૂર્વે રવિવારે સુરતમાં સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ટેક્સટાઇલ વ્યાપારીઓની બેઠક યોજાઇ હતી.
જેમાં લોકડાઉન બાદ શરૂ થયેલ ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગો છેલ્લા છ દિવસથી બંધ કરવામાં આવ્યા છે પરંતુ કોરોના પોઝિટિવ કેસમાં ચોંકાવાનારો વધારો જોવા મળતા હવે સોમવારે સાતમા દિવસે આ ઉદ્યોગો ચાલુ થશે તો પણ નવી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાની શરતને પાળવી પડશે. જોકે કારખાનદાર કે એકમમાં ગાઇડલાઇનું પાલન નહીં થાય તો તેને તાત્કાલીક બંધ કરી દેવાની ચીમકી તંત્ર દ્વારા અપાઇ ચૂકી છે. સુરતમાં કામદારોમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા. શનિવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સુરતની મુલાકાત કરી હતી. જેના બાદ આજે ડાયમંડ અને કાપડ ઉદ્યોગોના અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. કોરોનાની વિકટ બનતી સ્થિતિ વચ્ચે ઉદ્યોગો શરૂ રાખવા કે બંધ તે અંગે નિર્ણય લેવા ચર્ચા વિચારણા કરાઈ હતી. હીરા અગ્રણીઓ મીટિંગમાં કોરોના મહામારી વચ્ચે કઈ રીતે ઉદ્યોગ ચાલુ રાખી શકાય તે અંગે વાતચીત કરી હતી. સાત દિવસ પૂર્ણ થાય છે. તેઓએ જણાવ્યું હતુ કે, હીરા ઉદ્યોગ નવી ગાઈડલાઇન સાથે શરૂ થશે. આ ગાઈડલાઇનનું કડકપણે પાલન કરવું પડશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.