Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
અમદાવાદ શહેરના પશ્ર્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવતી યુવા પીએસઆઇ શ્ર્વેતા જાડેજા બળાત્કારના આરોપી પાસેથી રૂ. ૨૦ લાખનો તોડ કરવા મામલે પોલીસે રિમાન્ડ પર લીધી છે.
જીએસપી ક્રોપ કંપનીના એમડીને બે રેપ કેસમાં પાસા કરવાની ધમકી આપી ૨૦થી ૩૫ લાખનો તોડ કરનાર મહિલા પીએસઆઇ શ્ર્વેતા જાડેજાને એડિ.સેશન્સ જજ એ ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે. કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કરતા નોંધ્યું હતું કે, આરોપીની હાજરીમાં પોલીસ તપાસ થઇ શકે તેમ છે.
મુખ્ય સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ રેપ કેસની તપાસ પીએસઆઇ શ્ર્વેતા જાડેજા કરતા હતાં. તેમણે કેનલ શાહને પાસાની ધમકી આપી રૂ.૨૦ લાખની માગણી કરી હતી. આ રૂપિયા કેનલ શાહે તેમની ઓફિસની એકાઉન્ટન્ટ જૈનાલી શાહ મારફતે સીજી રોડની આર.સી.આંગડિયા પેઢી મારફતે જાનકી નામથી જામજોધપુરના જયુભાને ફેબ્રુઆરી મહિનામાં મોકલ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરીને જૈનાલી શાહ અને આરોપી પીએસઆઈ શ્ર્વેતા જાડેજા વચ્ચે થયેલા વોટ્સ એપ ચેટિંગના સ્ક્રીન શોટ તેમજ કોલ રેકોર્ડિગ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તેમ જ પૈસાની લેવડ-દેવડની તપાસ કરવા બેંક સ્ટેટમેન્ટ અને આંગડિયા પેઢીના માલિકે પણ બે વાર આ વ્યવહારો થયા અંગે નિવેદન આપ્યું છે. આ આખા કેસની વિગત એવી છે કે, પીએસઆઇ શ્ર્વેતા હમીરભાઈ જાડેજાના પોરબંદરના નાના એવા ગામમાંથી આવતી ૨૫ વર્ષીય શ્ર્વેતા જાડેજા અમદાવાદમાં આવીને રાતોરાત રૂપિયા કમાઈ લેવા મોટા તોડકાંડમાં ઝડપાઈ ગઈ છે. રૂપિયાના આ ખેલમાં તેની સાથે તેના કથિત જીજાજી સામેલ હોવાનું પણ બહાર આવ્યું છે. શ્ર્વેતા જાડેજા ૨૦૧૮ના સેટેલાઇટના કથિત ગેંગરેપ પ્રકરણમાં સોશિયલ મીડિયા ચેટ શોધવાની મહત્ત્વની જવાબદારી નિભાવી ચૂકી છે, પરંતુ ઘણા સમયથી રૂપિયાના ખેલમાં તેના પર અલગ અલગ એજન્સી નજર રાખી રહી હતી. શ્ર્વેતા વર્ષ ૨૦૧૭ની બેચમાં પીએસઆઇ બની અને ત્યાર બાદ તેનું પોસ્ટિંગ અમદાવાદમાં થયું હતું. અમદાવાદમાં ૨૦૧૮માં સેટેલાઇટના કથિત ગેંગરેપ કેસમાં પણ શ્ર્વેતા જાડેજાને મહત્ત્વની તપાસ સોંપવામાં આવી હતી. તપાસ એજન્સીને શ્ર્વેતા જાડેજા દ્વારા તોડ કરવામાં આવી રહ્યો હોવાની આશંકા હતી. તપાસ એજન્સી તેના પર સતત નજર રાખી રહી હતી. જે માટે અલગ અલગ તપાસ કરી રહ્યાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
તારીખ 5 જુલાઇને રવિવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા વધીને ૬.૭૩ લાખ અને મૃતકોની સંખ્યા વધીને ૧૯,૨૬૮ થઇ છે. દેશમાં કોરોનાના સાજા થનાર કુલ દરદીની સંખ્યા વધીને ૪,૦૯,૦૮૨ થઇ છે.
ગુજરાતમાં કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર ઊંચો હોવાની વાત કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે રવિવારે જાહેર કરી હતી. આ સાથે એમણે જણાવ્યું હતું કે દેશના ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર વધ્યો છે, પણ એમાં મહારાષ્ટ્રનું નામ સામેલ નથી.
આ સાથે હાલ કોરોનાના સક્રિય દરદીની સંખ્યા રવિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં ૨,૪૪,૮૧૪ હોવાની માહિતી જાણવા મળી હતી.
પાછલા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૧૪,૮૫૬ દરદી સાજા થયા હતા.
જે ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ કોરોનાના દરદીઓ સાજા થવાનો દર ઊંચો છે, એમાં
ચંડીગઢ (૮૫.૯ ટકા),
લદ્દાખ (૮૨.૨ ટકા),
ઉત્તરાખંડ (૮૦.૯ ટકા),
છત્તીસગઢ (૮૦.૬ ટકા),
રાજસ્થાન (૮૦.૧ ટકા),
મિઝોરમ (૭૯.૩ ટકા),
ત્રિપુરા (૭૭.૭ ટકા),
મધ્ય પ્રદેશ (૭૬.૯ ટકા),
ઝારખંડ (૭૪.૩ ટકા),
બિહાર (૭૪.૨ ટકા),
હરીયાણા (૭૪.૧ ટકા),
ગુજરાત (૭૧.૯ ટકા),
પંજાબ (૭૦.૫ ટકા),
દિલ્હી (૭૦.૨ ટકા),
મેઘાલય (૬૯.૪ ટકા),
ઓડિસા (૬૯ ટકા),
ઉત્તર પ્રદેશ (૬૮.૪ ટકા),
હિમાચલ પ્રદેશ (૬૭.૩ ટકા),
પશ્ર્ચિમ બંગાળ (૬૬.૭ ટકા),
આસામ તથા જમ્મુ અને કાશ્મીર(૬૨.૪ ટકા)નો સમાવેશ થાય છે.
વંદે ભારત મિશન અંતર્ગત અમેરીકામાં હાલ કોવીડ-19ની સૌથી માઠી અસર વચ્ચે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે એર ઇન્ડિયાએ ભારત સરકારની સૂચનાથી લોંચ કરેલા વંદે ભારત મિશન અંતર્ગત આગામી તા.11 જુલાઇથી 19 જુલાઇ વચ્ચે કુલ 36 ફ્લાઇટ્સ અમેરિકાથી ભારત ઉડાડશે.
અમેરીકામાં ચીકાગો, સાન ફ્રાન્સિસ્કો અને ન્યુયોર્ક એરપોર્ટથી ભારત પરત ફરવા અંગેની ફ્લાઇટ્સના બુકિંગ તા.6 જુલાઇ 2020ના રોજ જુદાજુદા સમયે શરૂ કરવામાં આવશે. આ તમામ ફ્લાઇટ્સના બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ્સ પરથી કરી શકાશે.
રવિવારે તા.5મી જુલાઇએ એર ઇન્ડિયાએ ટ્વીટર હેન્ડલ પરથી આ મહત્વની જાહેરાત કરી હતી.
#FlyAI : Kind attention please, an important update regarding flights between India and USA under Vande Bharat Mission. pic.twitter.com/O56TqBldvb
તા.5 જુલાઇ 2020ના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે સવારે અમરનાથ બાબાની બર્ફાની ગુફા ખાતે સૌપ્રથમ આરતી સાથે અમરનાથયાત્રાને ઔપચરિક રીતે શરુ કરવામાં આવી હતી. આ તસવીર બાબા અમરનાથની આરતી વખતની સૌથી પહેલી તસ્વીર છે.
વિશ્વભરમાં જેના લાખો નહીં પણ કરોડો ચાહકો છે એ ભારતની શીખર યાત્રા ગણાતી બાબા બર્ફાની, અમરનાથ યાત્રામાં આ વખતે કોવીડ-19ના કારણે જઇ નહીં શકાય એવી સ્થિતિ હોઇ, બાબા અમરનાથ યાત્રા મેનેજમેન્ટએ ભાવિકો માટે એક નવો રસ્તો કાઢ્યો છે અને એ રસ્તો ઘરે બેઠા જ ઓનલાઇન બાબા અમરનાથની લાઇવ આરતીનો લહાવો માણવાનો છે.
ગુરુપૂર્ણિમા એટલે કે આજરોજ તા.5મી જુલાઇથી ઘરે બેઠા જ બાબા બર્ફાનીના દર્શન કરી શકાય એ માટે પવિત્ર ગુફામાં સવાર-સાંજ દિવ્ય આરતીની શરૂઆત થઈ છે. જેનું પહેલીવાર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું છે.
શ્રદ્ધાળુઓ ઘરે બેઠા જ દૂરદર્શન પર પવિત્ર હિમલિંગના દર્શન કરી શકે છે. દૂરદર્શન પર સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આરતીનું લાઈવ પ્રસારણ થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે દૂરદર્શન સાથે મળીને આ માટેની વ્યવસ્થા કરી છે. આ માટેની પૂરતી તૈયારીઓ પણ કરી દેવાઈ છે.
કોરોના વાયરસના પગલે અમરનાથ યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે રોજ માત્ર 500 ભક્તોને જમ્મૂના રોડ પરથી જવા દેવાશે. યાત્રા માટે કઠુઆના લખનપુરમાં ભક્તોનો ટેસ્ટ થશે. ટેસ્ટ બાદ જ તેમને આગળ મોકલાશે. વયોવૃદ્ધ લોકોને યાત્રા માટેની અનુમતિ નથી. યાત્રાના માર્ગ પર સુરક્ષાદળો તહેનાત કરી દેવાયા છે.
દૂરદર્શન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવશે. રોજ સવારે 6થી 6.30 અને સાંજે 5થી 5.30 સુધી પ્રસારણ
Baba Amarnath Aarti will be telecast live on Doordarshan this year every morning and evening. This will be the first time that the aarti will be telecast live. Earlier, recorded videos and visuals were seen. The devotees will be able to watch it from 6:00 am to 6:30 am and 5:00 pm to 5:30 pm daily starting July 6, 2020. \
સાઇબાબાને કરોડો ભાવિકોએ પોતાના આદ્યગુરુ માન્યા છે, માની રહ્યા છે. આ તમામ ભાવિકો આજે પૂર્ણિમાએ દર્શનાર્થે જઇ શક્યા નથી. તેમના માટે અહીં આજે તા.5મી જુલાઇ 2020ને ગુરુપૂર્ણિમાએ સવારે 10 વાગ્યે સાઇબાબાના દર્શનની તસ્વીરો અહીં રજૂ કરી છે.
*श्री साईबाबा संस्थान विश्वस्तव्यवस्था,शिर्डी* *????????!! गुरुपौर्णिमा मुख्य दिवस !!????????* *रविवार दि.०५ जुलै २०२०* *????माध्यान्ह आरती ????* pic.twitter.com/HUHy4rL5WQ
સાઇબાબાને કરોડો ભાવિકોએ પોતાના આદ્યગુરુ માન્યા છે, માની રહ્યા છે. આ તમામ ભાવિકો આજે પૂર્ણિમાએ દર્શનાર્થે જઇ શક્યા નથી. તેમના માટે અહીં આજે તા.5મી જુલાઇ 2020ને ગુરુપૂર્ણિમાએ સવારે 10 વાગ્યે સાઇબાબાના દર્શનની તસ્વીરો અહીં રજૂ કરી છે.
Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)
મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મુંબઈ, ઠાણે અને કોંકણ ક્ષેત્રમાં મેઘકૃપા યથાવત્ રહી છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં રવિવારે સવારથી મેઘો મંડાતા શહેરજનો ખુશખુશાલ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી શહેર તેમજ પરાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. રાજ્યોના છૂટાછવાયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થઈ ગયો છે. દક્ષિણ મુંબઈના કાબામાં રવિવાર સવાર સુધીમાં 129.5 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં પણ 200.8 એમએમ વરસાદ નોંધાયો હતો.
મુંબઈ નજીક આવેલા ઠાણે અને સિંધુદુર્ગ સહિત આસપાસના કોંકણ વિસ્તારમાં ભાર વિરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વિદર્ભમાં પણ મેઘ મહેર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનને પગલે 19 જેટલા સ્થળે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાનું બૃહમુંબઈ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ: ગીર સોમનાથ અને અમરેલીમાં પૂરબહાર
ગુજરાતમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી જારી રહી હતી તેમજ કોડીનારમાં આજે સવાર પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોર સુધીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલી અને દ્વારકામાં પણ જોરદાર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.
રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમુક જ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગત ૨૩મી જૂન સુધી રાજ્યમાં સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. ૪થી જુલાઇ સુધી સરેરાશ વરસાદની ટકાવારી ૧૬.૮૭ ટકા છે. શુક્રવારે કોડીનારમાં ૬ ઇંચ, અમરેલીના જાફરાબાદમાં ૩.૫ ઇંચ, વાડીયામાં ૨.૫ ઇંચ, બાબરામાં બે ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા ૧૦ દિવસમાં માત્ર ૨ ટકા સરેરાશ વરસાદ જ થયો છે. અત્યાર સુધી ૧૦૧ તાલુકાઓમાં બેથી ૫ ઈંચ સુધી, ૧૦૩ તાલુકાઓમાં ૫થી ૧૦ ઈંચ સુધી, ૧૮ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધારે જ્યારે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ્છે. છેલ્લા ૫ વર્ષમાં આ જૂન ૨૩ તારીખ સુધીનો આ સૌથી વધુ વરસાદ હતો. ગત વર્ષે પણ આ સમય સુધી ૧૬ ટકા જેટલો વરસાદ જ થયો હતો.
કોવીડ-19ના કેસો હવે સુરતમાં અમદાવાદ કરતા પણ વધુ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના હેલ્થ કમિશનર જયંતિ રવિ સુરતમાં છે, રાજ્યના અનેક ઉચ્ચાધિકારીઓ સુરત આવ્યા છે. દરમિયાન આજે શનિવાર, તા.4 જુલાઇ 2020ના રોજ સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ચીફ પ્રિન્સીપાલ સેક્રેટરી કૈલાશનાથન સમેત ગાંધીનગરથી અનેક અધિકારીઓનો કાફલો સુરતમાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે કૈલાસનાથન પણ સુરત પહોંચ્યા છે. આજે આખો દિવસ સીએમ સુરત મ્યુ. કોર્પોરેશન, કલેક્ટર ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગો કરશે. આ ઉપરાંત તેઓ નવી સિવિલ હોસ્પિટલ અને અન્ય સવલતોની પણ મુલાકાત લઈ કોરોનાના દર્દીઓને સારવાર આપવા ઉભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરવાના છે.
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સુરત એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કલેક્ટર ડો. ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ અન્ય અધિકારીઓ પાસેથી સુરતનું સ્ટેટસ જાણ્યું હતું.
સુરતની મુલાકાત અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલએ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું
સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણમને કાબુમાં લેવા માટે સુરત માટે આજે નવી નીતિ ઘડાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં હવે કોવીડ-19ના કાયદાઓનું પાલન સખ્તાઇથી કરવામાં આવશે. સુરતમાં લૉ એન્ફોર્સમેન્ટ કરાવવામાં સ્થાનિક મહાનગરપાલિકાનું તંત્ર તેમજ પોલીસ તંત્ર વામણું પુરવાર થયું છે અને તેના કારણે જ સંક્રમણના કેસો વધી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ બન્નેના સ્ટાફ મનસ્વી રીતે જ કોવીડની ગાઇડલાઇન્સનું પાલન કરાવતા હતા.
રહેમ કરતા હોઇ એ રીતે ફેરીયાઓ, કામદારો પર પોલીસ એકશન લેતી નથી, બધુ જોર મિડલ ક્લાસ પર
પોલીસ સ્ટાફ રહેમ કરતા હોય એ રીતે કોરોના સુપર સ્પ્રેડર શાકભાજીવાળા ફેરીયાઓ, લૉઅર ક્લાસના કામદારો વગેરેએ માસ્ક ન પહેર્યો હોય, જાહેરમાં થૂંકીને ગંદકી કરતા હોય તેની સામે કેસો નથી કરતા ફક્ત જે લોકો કાયદાનું પાલન કરતા હોય છે. એવા મિડલ ક્લાસ પર જ ભીંસ વધારી રહ્યા છે.
સુરતમાં મહાનગરપાલિકા નિર્મિત ઇડબલ્યુએસ આવાસોમાં કોવીડ 19ની ગાઇડલાઇન્સનું કશું પાલન થતું નથી. આવા વિસ્તારોમાં જો સંક્રમણ ફેલાશે તો એ કાબૂમાં આવતા મોટી કિંમત સુરતના લોકોએ ચૂકવવી પડશે. હવે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી સમેતનો કાફલો આવ્યો છે ત્યારે તેમના ધ્યાને આ જ વાત લાવવામાં આવી છે કે સુરતમાં લૉ એન્ફોર્સમેન્ટમાં સખ્તાઇના અભાવે પરિસ્થિતિ બગડી જવા પામી છે.
આવતીકાલ તા.5 જુલાઇને રવિવારે ખગોળીય તખ્તા પર ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ આકાર પામશે. રવિવાર તા.5મી જુલાઇએ ગુરૂપૂર્ણિમા અવસર છે જે ભારતમાં રંગેચંગે ઉજવાશે પરંતુ, ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આથી વિધ્વાનો, પંડિતોએ રવિવારના ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂતકના નિયમો માનવા ભાવિકોને ના પાડી છે. ચંદ્ર ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.
5 જુલાઇ રવિવારે ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. એક મહિનાની અંદર આવતું આ ત્રીજું ગ્રહણ છે. આ ગ્રહણ વાસ્તવિક ચંદ્ર ગ્રહણ ન થતાં એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. ઉપછાયા ચંદ્ર ગ્રહણને ધાર્મિક રીતે વધારે માન્યતા આપવામાં નથી આવતી. 5 જુલાઇના લાગનારું આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગ્યે 37 મિનિટે શરૂ થશે જે 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.
ભારતમાં નહીં દેખાય ચંદ્રગ્રહણ
તા.5મી જુલાઇનું ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ ચંદ્ર ગ્રહણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ યૂરોપ અને આફ્રિકાના અમુક ભાગમાં દેખાશે. આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. ગ્રહણ કાળમાં ચંદ્ર ક્યાંયથી પણ કપાયેલું નહીં પણ સંપૂર્ણ આકારમાં દેખાશે. ગ્રહણ કાળ દરમિયાન ચંદ્રમાઁ ધનુ રાશિમાં હશે.
5 જુલાઇના લાગનારું આ ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. શાસ્ત્રોમાં ઉપછાયા ચંદ્ર ગ્રહણને ગ્રહણ માનવામાં નથી આવતું, તેથી આ દિવસે કોઇપણ કાર્ય પર પ્રતિબંધ પણ નહીં હોય. જો કે, જ્યોતિષવિદ કેટલીક સાવચેતીઓ રાખવાની સલાહ આપે છે. આ ગ્રહણ ધનુ રાશિમાં પૂર્વાષાઠા નક્ષત્ર દરમિયાન, શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના લાગશે. ખાસ વાત એ છે કે આ દિવસે ગુરૂપૂર્ણિમા પણ છે. આ ઉપછાયા ચંદ્રગ્રહણને ધનુર્ધારી ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે.
5 જુલાઇના લાગનારું ચંદ્ર ગ્રહણ એક મહિનામાં લાગનારું ત્રીજું ગ્રહણ હશે. 5 જૂનના ચંદ્ર ગ્રહણ હતું, 21 જૂને સૂર્ય ગ્રહણ હતું અને હવે ફરી 5 જુલાઇના ચંદ્ર ગ્રહણ લાગવાનું છે.
ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે
उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून की रात 2 बजकर 32 मिनट के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा।
चंद्र ग्रहण भी सूर्य ग्रहण की तरह ही एक खगोलीय घटना है। वैज्ञानिक रूप से ये जितना महत्वपूर्ण माना गया है उतना ही महत्वपूर्ण ये धार्मिक व ज्योतिषीय दृष्टि से भी है। चंद्रमा पर धरती की छाया पड़ने से चंद्र ग्रहण लगता है। लेकिन 5 जून को लगने वाला ग्रहण उपच्छाया चंद्र ग्रहण होगा। ये ग्रहण भारत, यूरोप, अफ्रीक, एशिया और ऑस्ट्रेलिया में दिखाई देग। उपच्छाया चंद्र ग्रहण होने के कारण सूतक काल का प्रभाव कम रहेगा। ज्योतिष में उपच्छाया को ग्रहण का दर्जा नहीं दिया गया है। जिस कारण इसका सूतक काल भी नहीं माना जाता। ये ग्रहण वृश्चिक राशि और ज्येष्ठा नक्षत्र में लगने जा रहा है। जो भारत में भी दिखाई देगा। जानिए इस ग्रहण के बारे में पूरी डिटेल…
ग्रहण का समय: उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून 2.32 AM के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा। चंद्र ग्रहण का सूतक ग्रहण लगने से 9 घंटे पहले शुरू हो जाता है।
चंद्र ग्रहण और उपच्छाया चंद्र ग्रहण में अंतर? इससे पहले इसी साल 10 जनवरी को भी उपच्छाया चंद्र ग्रहण लगा था और अब 5 जून को ज्येष्ठ पूर्णिमा के दिन लगने वाला ग्रहण भी ऐसा ही होगा। चंद्र ग्रहण तब माना जाता है जब पृथ्वी सूर्य और चंद्रमा के बीच में आ जाती है और धरती की पूर्ण या आंशिक छाया चांद पर पड़ती है। इससे चांद का बिंब काला पड़ जाता है। इसे खुली आंखों से देखा जा सकता है।
तो वहीं उपच्छाया चंद्र ग्रहण देखने में सामान्य पूर्णिमा के चांद की तरह ही नजर आएगा। जिसमें अंतर कर पाना मुश्किल होगा। बता दें कि ग्रहण लगने से पहले चंद्रमा पृथ्वी की उपच्छाया में प्रवेश करता है जिसे चंद्र मालिन्य कहते हैं अंग्रेजी में इसको (Penumbra) कहते हैं। इसके बाद चांद पृथ्वी की वास्तविक छाया यानी भूभा (Umbra) में प्रवेश करता है। जब ऐसा होता है तब ही वास्तविक ग्रहण होता है। लेकिन कई बार चंद्रमा धरती की उपच्छाया में प्रवेश करके बिना भूभा में जाए ही बाहर निकल कर आ जाता है। इसलिए उपच्छाया के समय चंद्रमा का बिंब केवल धुंधला पड़ता है, काला नहीं। इस धुंधलापन को सामान्य रूप से देखा भी नहीं जा सकता है। इसलिए चंद्र मालिन्य मात्र होने की वजह से ही इसे उपछाया चंद्र ग्रहण कहते हैं ना कि चंद्र ग्रहण।
મોટી સંખ્યામાં લોકોને કોરોનાના લક્ષણો જોવા મળતા નથી એની નોંધ લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે અસિમ્પ્ટોમિક પોઝિટિવ દર્દીઓને હળવા અથવા પ્રિ-સિમ્પ્ટોમિક કોરોના ચેપના કેસોની સૂચિમાં સમાવવા માટે હોમ આઇસોલેશનની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.
હવેથી હોમ આઇસોલેશનના દર્દીઓને લક્ષણોની શરૂઆતના દસ દિવસ પછી અને ત્રણ દિવસ સુધી તાવ ન આવે તે પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ત્યાર બાદ તેમને સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવશે. હોમ આઇસોલેશન બાદ ટેસ્ટિંગની જરૂર નથી.
દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે વિવિધ જાહેરાત કરાય છે. આ ઉપરાંત દરેક રાજ્ય પાસેથી મળતા કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અંગે પણ નોંધ રખાય છે. અમુક રાજ્ય દર્દીઓની સંખ્યા ઘણી મોડી જણાવતા હોવાની ફરિયાદ થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લદ્દાખના લેહની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત જાણકારી ખૂબ જ ઓછા લોકોને હતી. શુક્રવારે સવારે જ્યારે તેઓ લેહ પહોંચ્યા ત્યારે જ લોકોને આ અંગે જાણ થઈ. મોદીના આગમન અગાઉ તે લોકોને ફક્ત એટલી જ જાણકારી હતી કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત જ લેહ આવી રહ્યા છે.
સુરતમાં બેકાબુ કોરોનાને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં આજે સુરત મ્યુનિસિપલ કમિશનરે બંછાનિધિ પાનીએ ગુજરાત રાજ્ય એપેડેમિક ડીસીઝ એક્ટ 1897ની કલમ 2-3-4ના આધારે સુરત મહાનગરપાલિકાના નોર્થ ઝોન (કતારગામ), ઈસ્ટ ઝોન (વરાછા-A) અને ઈસ્ટ ઝોન (સરથાણા-B)માં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પાનના લારી/ગલ્લા તથા પાનની દુકાનો 7 દિવસ માટે બંધ રાખવા નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, અન્ય વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ પર 4થી વધારે લોકોની ભીડ ન કરવા અને જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
સુરતમાં આવેલા તમામ પાનના ગલ્લા/ લારી તથા પાનની દુકાનમાં લોકોની ભીડ થાય છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવતું નથી. ઘરથી બહાર નીકળતા લોકો જાહેરમાં માસ્કનો ઉપયોગ કરવાનું પણ ટાળી રહ્યા છે. આ ઉપરાંત પાન મસાલા ખાઈને લોકો જાહેરમાં જ થૂંકતા નજરે પડે છે. જેથી કોરોનાનું સંક્રમણ ભયનજક રીતે ફેલાઈ રહ્યું છે. જેથી શહેરના મ્યુનિસિપલ કમિશનરે ઉપરોક્ત વિસ્તારોમાં પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ 7 દિવસ બંધ રાખવા નિર્ણય કર્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.