Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
ગુજરાતમાં કોરોનાના કારણે શાળા કૉલેજો બંધ હોવાથી ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે શાળાઓમાં માત્ર ટ્યુશન ફી લેવાના હાઇકોર્ટના આદેશને પગલે હવે ટેક્નિકલ કોલેજોમાં પણ ટ્યુશન ફી જ લેવા માટે સરકારે સૂચના આપી છે, જેના પગલે હવે ટેક્નિકલ કોલેજો પણ વધારાની ફી ના લે તે માટેની સૂચના સંચાલકોને આપવામાં આવશે.
વૈશ્વિક મહામારી કોરોનાના સંજોગોમાં સાવચેતીના પગલારૂપે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને હાલ ઘે૨ બેઠા ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવી ૨હ્યું છે. ત્યારે હવે ગુજરાત હાઈ કોર્ટના ચુકાદા બાદ શાળાઓની જેમ એઆઇસીટીઇ હેઠળ આવતી કોલેજોનું ફીનું માળખું પણ નિયમન સાથે ક૨વા ગુજરાત સ૨કા૨ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવેલ છે. આ સંદર્ભે ટેક્નિકલ કોલેજોની ફી નિયત ક૨તી એફઆરસીને કોરોનાને લઈને ફીનું મોડલ સ્ટ્રકચ૨ નક્કી ક૨વા માટે સ૨કા૨ દ્વારા પરિપત્ર ઈશ્યૂ કરી દેવાતા આગામી દિવસોમાં એફઆ૨સીની તાકીદની બેઠક આયોજિત ક૨વામાં આવેલ છે.
એઆઇસીટીઇ હેઠળ આવતી ટેક્નિકલ કોલેજોનું ફીનું જેમાં રાજ્યની ટેક્નિકલ કોલેજોનું ફીનું મોડલ સ્ટ્રકચ૨ નિયત કરાશે. કોલેજ સંચાલકોને નુકસાન ન થાય અને વિદ્યાર્થીઓને પ૨વડે તેવું ફીનું સ્ટ્રકચ૨ નક્કી ક૨વામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છેકે, સ્કૂલ ફીના મુદે ગુજરાત હાઈ કોર્ટ ચુકાદો આપી માત્ર ટ્યુશન ફી સિવાયની ફી નહીં લેવા જણાવેલ છે. તેમજ રાજ્ય સ૨કા૨ અને સંચાલકો વચ્ચે યોજી આ પ્રશ્નનું નિરાક૨ણ લાવવા જણાવેલ હતું. ગુજરાત હાઈ કોર્ટના આ ચુકાદા બાદ શાળાઓની જેમ ટેક્નિકલ કોલેજોનું મોડેલ ફી સ્ટ્રકચ૨(ફી માળખું) નિયત ક૨વા રાજ્ય સ૨કારે કાર્યવાહી આરંભી આ અંગે એફઆરસીને સૂચના આપી દીધી હતી. કોરોનાના કહે૨ના પગલે હાલ માત્ર ઓનલાઈન શિક્ષણ અપાતું હોવાથી વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ કોલેજોનું આ ફીનું સ્ટ્રકચ૨ નિયત કરાશે અને આ માટે આગામી દિવસોમાં એફ.આ૨.સી. (ફી નિર્ધા૨ણ કમિટી)ની ખાસ બેઠક આયોજિત ક૨વામાં આવી છે.
પ્રખ્યાત શાયર રાહત ઈન્દોરીને ઉપરા ઉપરી ત્રણ હાર્ટ એટેક આવતા તેઓએ અંતિમ શ્વાસ ભર્યા છે. તેઓ કોરોના વાયરસથી પણ સંક્રમિત હતા. મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે 10 ઓગસ્ટના રોજ મોડી રાત્રે તેમને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાહત ઈન્દોરીના પુત્ર સતલજે સોમવારે આ અંગેની જાણકારી આપી હતી. ત્યારબાદ ખુદ રાહત ઈન્દોરીએ પણ મંગળવારે સવારે આ વિશે ટ્વીટ કર્યું હતું.
રાહત ઈન્દોરીએ સોમવારના રોજ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મને કોરોનાના શરૂઆતી લક્ષણો દેખાતા કાલે મારો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓરબિંદો હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવ્યો છે. મારા માટે દુઆ કરજો કે હું જલ્દીમાં જલ્દી આ બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ શકું. અન્ય એક અપીલ એ છે કે, મને કે મારા ઘરના લોકોને ફોન કરીને તકલીફ ના આપવી, મારી તબિયતના સમાચાર તમને ટ્વિટર અને ફેસબૂક પર મળતા રહેશે.
નોંધનીય છે કે રાહત ઈન્દોરી પ્રખ્યાત શાયર હતા, આ સાથે જ તેમણે બોલિવૂડમાં પણ કેટલાક ગીતો લખ્યા છે. તેઓ 70 વર્ષના હતા અને ડોક્ટરની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થયા હતા.
તા.11મી ઓગસ્ટ 2020ના રોજ રશીયાના વડાપ્રધાન વાલ્દીમીર પુટીને વિશ્વની પહેલી કોરોના વેક્સિન રજિસ્ટર્ડ થયાના સમાચાર દુનિયાને આપ્યા. રશીયાની કોરોના વેક્સિન રસીના સમાચારો વિશ્વમાં વાયુવેગે પ્રસર્યા. પહેલી કોરોના રસીના આ સમાચારોમાં એક મહત્વની વાત એ પણ ઢંકાઇ ગઇ કે રશીયાએ વિશ્વની પહેલી રજિસ્ટર્ડ કોરોના વેક્સિનનું નામ પણ આપ્યું છે.
સ્પુટનિક-5 નામથી ઓળખાય છે રશીયાની રજિસ્ટર્ડ કોરોના વેક્સિન. કોરોના વેક્સિનને સ્પુટનિક-5 નામ આપવા પાછળ રશીયાએ પોતાની સ્પેશ સિદ્ધીનું અનુસંધાન ટાંક્યું છે. હકીકતમાં વિશ્વમાં સૌથી પહેલી વખત અંતરીક્ષમાં સેટેલાઇટ લોંચ કરવાનું શ્રેય પણ રશીયાના શિરે લખાયેલું છે. વિશ્વના પહેલા સેટેલાઇટનું નામ સ્પુટનિક રાખવામાં આવ્યું હતું. એ સિદ્ધિ વિશ્વના પહેલા સેટેલાઇટને લોંચ કરવાની હતી અને એ જ રીતે આજે દુનિયાભરના દેશોને કનડી રહેલા કોરોનાની પહેલી રજિસ્ટર્ડ વેક્સિનનું નામ પણ રશીયાએ સ્પુટનિક-5 રાખ્યું છે.
ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળતાનો દાવો
આ અગાઉ રશિયાએ કહ્યું હતું કે, તેની કોરોના વાયરસની વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળ છે. આ વેક્સીનને રશિયન સંરક્ષણ મંત્રાલય અને ગમલેયા રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. રશિયાએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં આ કોરોના વેક્સીન મેળવનારા તમામ લોકોને SARS-CoV-2ની પ્રતિરોધક ક્ષમતા હોવાનું જણાયું છે.
આ ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ થયો હતો. તે સમયે, વોલેન્ટિયર્સનો મોસ્કોની બર્ડેન્કો લશ્કરી હોસ્પિટલમાં કોરોના વેક્સીન દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ લોકો સોમવારે ફરીથી હોસ્પિટલમાં આવ્યા હતા અને સઘન તપાસ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન જાણવા મળ્યું કે બધા લોકોમાં કોરોના વાયરસ સામે પ્રતિરોધક ક્ષમતા ઉભી થઈ છે. આ તપાસના પરિણામ બાદ સરકારે રશિયન વેક્સીનની પ્રશંસા કરી છે.
રશિયા બુધવારે તા.11 ઓગસ્ટ 2020ના રોજ પોતાની કોરોના વેક્સીન લોન્ચ કરી છે. સ્પુટનિક-5 દુનિયાની પહેલી રજિસ્ટર્ડ કોરોના વેક્સીન બની છે, પરંતુ, રશિયાના આ દાવા પર WHO સહિત સમગ્ર દુનિયાના ઘણા જાણકારોને શંકા કરી રહ્યા છે
વેક્સીન બનવામાં સામાન્ય રીતે વર્ષો કે દાયકાઓ લાગતા હોય છે. પરંતુ, દુનિયાભરમાં કોરોનાની ભયાનક મહામારીના કારણે તબીબી જગત ઉતાવળમાં છે, પરંતુ રશિયા આટલી જલદી લોન્ચ કરવાની સ્થિતિમાં આવી ગયું એ વાત ગળે ઉતરતી નથી.
આ વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ પૂરી થયાનો દાવો કરનારી ઈન્સ્ટિટ્યૂટે હજુ સુધી બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલના આંકડા જાહેર કર્યા નથી. આ બંને ફેઝ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે કે વેક્સીન કેટલી સુરક્ષિત અને સફળ છે. ડબલ્યુએચઓએ પણ કહ્યું કે, તેની પાસે રશિયાની વેક્સીનના માત્ર ફેઝ વનના આંકડા છે. ડબલ્યુએચઓએ રશિયાને આગ્રહ કર્યો છે કે તે બધા માપદંડોનું પાલન કરે.
ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની ભાળ મળ્યા પછી ગુજરાતે માર્ચ મહિનાના આરંભથી ચેપગ્રસ્ત શંકાસ્પદોને શોધવા માટે શરૂ કરેલા ટેસ્ટનો આંક તા.10મી ઓગસ્ટ 2020ના રોજ ૧૦ લાખને પાર થયો છે.
ગુજરાતના પડોશી રાજ્યોએ આ આંક દોઢ મહિના પહેલા પાર કરી દીધો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૯,૬૦૪ ટેસ્ટ કરાયા અને એમાંથી વધુ ૧૦૫૬ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે કુલ ટેસ્ટનો આંક ૧૦,૧૭,૨૩૪ થયો છે જ્યારે કેસનો આંક ૭૨૧૨૦ સુધી પહોંચ્યો છે.
કોરોનાની સારવાર લઇને અત્યાર સુધીમાં નવા ૧૧૩૮ દર્દીઓ મળી કુલ ૫૫૨૭૬ ડિસ્ચાર્જ થયા છે એના પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૬.૬૪ ટકા થયો છે. અલબત્ત, વધુ ૨૦ દર્દીઓના સારવાર દરમિયાન પાછલા ચોવીસ કલાકમાં મૃત્યુ થયા છે એનો કુલ આંક પણ ૨૬૭૪ સુધી પહોંચ્યો છે જે ૩.૯૬ ટકા સાથે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.
તા.10મી ઓગસ્ટનો રિપોર્ટ
10મી ઓગસ્ટના ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી નોંધાયા છે મહાનગરમાંથી ૧૭૬ અને ગ્રામ્યમાંથી નવા ૬૦ કેસ ઉમેરાતા કુલ ૨૩૬ કેસ થયા છે જ્યારે ૪-૪ દર્દીઓના મૃત્યુ પણ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૩ કેસ અને ગ્રામ્યમાંથી ૧૧ નવા કેસ મળી કુલ ૧૪૪ કેસ નોંધાયા છે જ્યારે વધુ ચાર દર્દીના કોવિડ સંક્રમણને લીધે મૃત્યુ થયાં છે. વડોદરા મહાનગરમાંથી નવા ૯૩ કેસ અને ગ્રામ્યમાંથી વધુ પંદર કેસ મળી ૧૦૮ કેસ થયા છે. મહાનગરના બે દર્દીઓના મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૮ અને ગ્રામ્યમાંથી ૧૮ કેસ નવા ઉમેરાયા છે.
સૌરાષ્ટ્રના મહાનગરો અને એના જિલ્લામાં જોઇએ તો સૌથી વધુ રાજકોટમાંથી ૬૧ કેસ અને ગ્રામ્યમાંથી ૩૫ કેસ મળી કુલ ૯૬ કેસ થવા જાય છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યુ થયું છે. આ જ રીત ભાવનગર શહેરમાંથી નવા ૩૦ દર્દી નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્યમાંથી વધુ ૧૮ કેસ ઉમેરાયા છે. જામનગર શહેરમાંથી નવા ૩૦ કેસ અને ગ્રામ્યમાંથી એક જ કેસ ઉમેરાયો છે. જૂનાગઢ શહેરમાંથી ૨ અને ગ્રામ્યમાંથી ૧૬ મળી ૧૮ કેસ નવા નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાંથી ૪૨ કેસ વધુ ઉમેરાયા છે એટલું જ નહીં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગીર સોમનાથમાંથી નવા ૨૯ કેસ, મોરબી અને પોરબંદરમાંથી નવા ૨૫-૨૫ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ ૨૦ કેસ, દેવભૂમિ દ્વારકામાંથી ૫ અને બોટાદમાંથી ૩ નવા કેસ નોંધાયા છે. પોરબંદરના એક દર્દીનું કોવિડના લીધે મૃત્યુ થયું છે. કચ્છ જિલ્લામાંથી સતત નવા કેસ આવી રહ્યા છે અહીં વધુ ૩૨ કેસ ઉમેરાયા છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાંથી ૧૯ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. પડોશી પાટણ જિલ્લામાંથી વધુ ૧૩, બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી એક જ કેસ નવો ઉમેરાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ ૨૦, પંચમહાલ અને વલસાડમાંથી ૧૮-૧૮, ખેડા ૧૫, દાહોદ ૧૪, નર્મદા ૧૧, મહીસાગર અને નવસારીમાંથી ૯, છોટાઉદેપુર ૨, તાપી ૧ કેસ નોંધાયો છે.
આમ, હાલ રાજ્યમાં ૧૪૧૭૦ એક્ટિવ કેસ છે એમાંથી ૭૬ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૦૯૪ સ્ટેબલ છે
ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનું પાક વીમા પ્રીમિયમ ઉઘરાવ્યા બાદ નુકસાન થવા છતાં ખાનગી વીમા કંપનીઓ પૂરતું વળતર ચૂકવતી નહીં હોવાથી ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળતો હતો જેને પગલે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ફરજિયાત ને બદલે મરજિયાત બનાવવી પડી હતી, પરંતુ હવે ખુદ ભાજપની ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સમાંતરે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી છે.
જોકે મુખ્ય પ્રધાન રૂપાણીએ આ યોજનામાં સરકાર પોતે જ કિસાને નુકસાન વળતરની સહાય ચૂકવશે. જોકે સરકાર કઇ ખાનગી વીમા કપની પાસેથી આ અંગે વીમો લેશે તેની કોઇ સચોટ ખુલાશો કરવામાં આવ્યો નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે વર્તમાન સીઝન માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલની ઘોષણા કરી છે. પોતાના જ પક્ષના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોએ પાક વીમા માટે પ્રીમિયમ ભરી પાક વીમો મળે એવી યોજના શરૂ કરી હતી. એને બદલે રૂપાણીએ સરકારી તિજોરીમાંથી જ તમામ પ્રીમિયમની રકમ ભરવાનું નક્કી કર્યું છે.
દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. પાકવીમા પદ્ધતિમાં ઘણી મુશ્કેલીઓનો સામનો ખેડૂતોએ કરવો પડતો હતો. ૫૬ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને આ યોજનાનો સીધો લાભ મળશે.
વડા પ્રધાન મોદીએ સોમવારે ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડનારી અંડરસી ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જેની લંબાઈ ૨,૩૧૨ કિમી છે અને તેનો ખર્ચ ૧૨૨૪ કરોડ રૂપિયા આવ્યો છે. ૨૦૧૮માં તેનો પાયો પીએમ મોદીએ રાખ્યો હતો, જેના દ્વારા ભારતીય દ્વીપ વચ્ચે સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી થઈ શકે.
આ કેબલથી પોર્ટ બ્લેયરને સ્વરાજ દ્વીપ, લિટલ આંદામાન, કાર નિકોબાર, કમોર્તા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઈલેન્ડ અને રંગત સાથે પણ જોડી શકાશે.
‘ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદામાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર. આજનો દિવસે આંદામાન નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્ત્વનો દિવસ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા લગભગ દોઢ વર્ષ પહેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાર્પણની પણ તક મળી’, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
સ્વતંત્રતા દિવસ પહેલા આને હું આંદામાનના લોકોને પ્રેમથી આપવામાં આવેલી ભેટ તરીકે જોઉં છું. સમુદ્રની અંદર લગભગ ૨૩૦૦ કિમી કેબલ લગાવવાનું કામ સમય પહેલા પૂરું કરવું પ્રશંસનીય છે. ઊંડા સમુદ્રમાં સર્વે કેબલની ક્વોલિટી મેઈન્ટેન કરવી અને વિશેષ જહાજો દ્વારા કેબલ લગાવવો સરળ નહોતું. જેટલો મોટો આ પ્રોજેક્ટ હતો એટલા જ મોટા પડકારો હતા. આ પણ એક કારણ હતું કે વર્ષોથી આની પર કામ નહોતું થઈ શકતું, પણ ખુશી છે કે તમામ અવરોધો છતા આ કામને પાર પાડવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
દેશના દરેક વ્યક્તિ, વિસ્તાર સુધી આધુનિક સુવિધાઓ પહોંચે અને દરેક નાગરિકનું જીવન સરળ બને એ અમારો ધ્યેય
છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બોર્ડર વિસ્તાર અને સમુદ્રના સરહદ વિસ્તાર પર આવેલા વિસ્તારોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આંદામાન નિકોબારના બાકીના દેશ અને દુનિયાને જોડનારા આ પ્રોજેક્ટ ‘ઈઝ ઓફ લિવિંગ’ પ્રત્યે અમારી કટિબદ્ધતાનું પ્રતીક છે. હવે અહીંયાના લોકોને મોબાઈલ કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટની સસ્તી અને સારી સુવિધાઓ મળી શકશે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું. આંદામાનને જે સુવિધા મળી છે, તેનો મોટો લાભ ત્યાં જનારા પર્યટકોને પણ મળશે. સારી ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી કોઈ પણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની પહેલી પ્રાથમિકતા હોય છે. મને પુરો વિશ્વાસ છે કે પર્યટક ત્યાં જાય છે તો લાંબા સમય સુધી રોકાવાનું પસંદ કરે છે. લોકો વધારે રોકાશે તો તેનો પ્રભાવ રોજગાર પર પણ પડશે. હિન્દ મહાસાગર હજારો વર્ષોથી ભારતના વેપાર અને સામરિક સામર્થ્યનું કેન્દ્ર રહ્યું છે, એમ મોદીએ જણાવ્યું હતું.
આંદામાનના ૧૨ આઈલેન્ડ્સમાં હાઈએન્ડ પ્રોજેક્ટનો વિસ્તાર કરાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય આંદામનની રોડ ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે બે મોટા બ્રિજ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. પોર્ટ બ્લેયર એરપોર્ટમાં એક સાથે ૧૨૦૦ યાત્રિઓને હેન્ડલ કરવાની ક્ષમતા થોડા મહિનામાં તૈયાર કરાશે. સ્વરાજ દ્વીપ, શહીદ દ્વીપ અને લોન્ગ આઈલેન્ડમાં વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ થોડા સમયમાં બનીને તૈયાર થઈ જશે. આનાથી આઈલેન્ડ્સ વચ્ચે ક્નેક્ટિવિટી સારી થઈ જશે. કોચ્ચિ શિપયાર્ડમાં જે ચાર જહાજ બનાવવામાં આવી રહ્યા છે તેની ડિલેવરી પણ ઝડપથી થઈ જશે.
આવા અનેક પ્રયાસના કારણે દેશના પોર્ટ નેટવર્કની કેપેસિટી અને કેપેબિલિટીનો વિસ્તાર થઈ રહ્યો છે. ગ્રેટ નિકોબારમાં લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચના પોર્ટનો પ્રસ્તાવ છે. આ પોર્ટ-બંદર બનીને તૈયાર થઈ જશે તો સમુદ્ર વેપારમાં ભારતની ભાગીદારી વધશે, યુવાનોને નવી તક મળશે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યમાં કોરોનાના સંકટને ધ્યાનમાં લઇને આ વખતે ગણેશોત્સવની ઉજવણી સાદાઇપૂર્વક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે પુણના પ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ હલવાઇ સાર્વજનિક ગણપતિ મંડળે ૧૨૭ વર્ષ જૂની વૈભવશાળી પરંપરાને બદલીને આ વખતે મંદિરમાં જ ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે.
આ અંગે મંડળના અધ્યક્ષ અશોક ગોડસેએ જણાવ્યું હતું કે દર વર્ષે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, પણ આ વર્ષે પરિસ્થિતિ અલગ છે. શહેરમાં કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધી રહ્યા હોવાથી પ્રશાસને આપેલા આદેશ અનુસાર ગણેશોત્સવ મુખ્ય મંદિરમાં સાદાઇથી ઉજવવામાં આવશે. ગણેશભકતોએ મંદિરમાં પ્રવેશ કર્યા વગર બહરાથી બાપ્પાના દર્શન કરવાના રહેશે અને તેઓ ભગવાનને હાર, ફૂલ, નારિયેળ અને પ્રસાદ અર્પણ કરી શકશે નહીં, એવી સ્પષ્ટતા તેમણે કરી હતી.
સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં વાઇસ ચેરમેન સંદીપ દેસાઇ ડિસ્ટ્રીક્ટ બેંકની સિસ્ટમનો ઉપયોગ કરીને પોલિટીકલ પાર્ટી ભાજપાના કામો કરી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ ખુદ સંદીપ દેસાઇએ ફેસબુક પર મૂકેલી પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ભાજપાની ઓનલાઇન મિટીંગ એટેન્ડ કરી હતી. આ પોસ્ટના ફોટામાં સંદીપ દેસાઇ જે આલીશાન કેબિનમાં બેઠા છે એ સુરત જિલ્લાના ખાતેદારોના રૂપિયામાંથી બનેલી ડિસ્ટ્રીક્ટ બેંકની માલિકીની છે. નૈતિકતાની વાતો કરીને સહકારી ક્ષેત્રની સંસ્થાઓમાં ઘૂસી રહેલા સંદીપ દેસાઇ ની બેંકમાં બેસીને પોલિટીક્સ કરવાની પ્રવૃતિ સામે ડિસ્ટ્રીક્ટ બેંકના ખાતેદારો દ્વારા રિઝર્વ બેંકમાં ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં વાઇસ ચેરમેન તરીકે મળેલી ચેમ્બરમાં બેસીને બેંકના જ કમ્પ્યુટર પર ભાજપાની ઓનલાઇન મિટીંગ એટેન્ડ કરી
પ્રસિદ્ધીના ભૂખ્યા સંદીપ દેસાઇને એટલું ભાન ન રહ્યું કે તેમણે ફેસબુક પર જે ફોટાઓ અપલોડ કર્યા એ જ તેમની સામે પુરાવા બન્યા છે. ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના વાઇસ ચેરમેન તરીકે આલીશાન ઓફીસમાં બેસીને બેંકના કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરીને તેઓ ભાજપાની મિટીંગ એટેન્ડ કરતા પોતાના જ ફોટા ફેસબુક પર અપલોડ કર્યા છે.
સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં વાઇસ ચેરમેન પદે મળતી સત્તાઓનો બેફામ ઉપયોગ
સુરત ડિસ્ટ્રીક્ટ બેંક નાના ખાતેદારોથી ચાલતી બેંક છે. બેંકમાં ભાજપાના નેતાઓના આધારે ઘૂસી ગયેલા સંદીપ દેસાઇ હવે બેંકની મશીનરીનો ઉપયોગ બેફામ રીતે કરી રહ્યા છે. ડિસ્ટ્રીક્ટ બેંકના ખાતેદારોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની અમદાવાદ અને દિલ્હી કચેરીને કરવામાં આવી રહેલી ફરીયાદમાં આ બાબતનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે સંદીપ દેસાઇ સુરત જિલ્લા ભાજપાના મહામંત્રી છે અને તેઓ બેંકની મશીનરી, બેંકમાં તેમને વાઇસ ચેરમેન પદે મળતી સત્તાઓ વગેરેનો ઉપયોગ કરીને રાજકીય કામો બેરોકટોક કરી રહ્યા છે. બેંકના ચેરમેન નરેશ પટેલ તેમજ અન્ય ડિરેક્ટરો પણ તેમની આ પ્રવૃતિથી વાજ આવી ગયા છે છતાં તેમની સામે કોઇ પગલાં ભરતા નથી.
પોતાની આ પોસ્ટ કદાચ સંદીપ દેસાઇ ડિલીટ કરી દે તો નવાઇ નહીં
NEW ADDITIONS: Sam Curran (5.50 crore), Piyush Chawla, Josh Hazlewood, R. Sai Kishore
Players bought in: FIVE
Full squad: CSK
Narayan Jagadeesan,
Ruturaj Gaikwad,
KM Asif,
Ravindra Jadeja,
M Vijay,
MS Dhoni,
Josh Hazlewood,
Kedar Jadhav,
Harbhajan Singh,
Karn Sharma,
Piyush Chawla,
Ambati Rayudu,
Suresh Raina,
Imran Tahir,
Deepak Chahar,
Faf du Plessis,
Shardul Thakur,
Mitchell Santner,
Dwayne Bravo,
Lungi Ngidi,
Sam Curran,
Monu Kumar,
Shane Watson,
Sai Kishore.
2. Mumbai Indians (MI)
NEW ADDITIONS: Chris Lynn (2 crores), Saurabh Tiwary (50 lakhs), Digvijay Deshmukh, Prince Balwant Rai Singh, Nathan Coulter-Nile, Mohsin Khan.
Players bought in: SIX
Full squad: MI
Rohit Sharma,
Sherfane Rutherford,
Suryakumar Yadav,
Anmolpreet Singh,
Chris Lynn,
Saurabh Tiwary,
Dhawal Kulkarni,
Jasprit Bumrah,
Lasith Malinga,
Mitchell McClenaghan,
Rahul Chahar,
Trent Boult,
Mohsin Khan,
Fabian Allen,
Prince Balwant Rai Singh,
Digvijay Deshmukh,
Hardik Pandya,
Jayant Yadav,
Kieron Pollard,
Krunal Pandya,
Anukul Roy,
Nathan Coulter-Nile,
Ishan Kishan,
Quinton de Kock,
Aditya Tare.
3. Kolkata Knight Riders (KKR)
NEW ADDITIONS: Eoin Morgan (5.25 crore), Pat Cummins (15.50 crore), Varun CV, Chris Green, Rahul Tripathi, Tom Banton, Pravin Tambe, M Siddharth, Nikhil Shankar Naik.
Players bought in: NINE
Full squad: KKR
Andre Russell,
Dinesh Karthik,
Harry Gurney,
Kamlesh Nagarkoti,
Kuldeep Yadav,
Lockie Ferguson,
Nitish Rana,
Prasidh Krishna,
Rinku Singh,
Sandeep Warrier,
Shivam Mavi,
Shubman Gill,
Siddhesh Lad,
Sunil Narine,
Pat Cummins,
Eoin Morgan,
Varun Chakravarthy,
Tom Banton,
Rahul Tripathi,
Chris Green,
M Siddharth,
Praveen Tambe,
Nikhil Naik.
4. Sunrisers Hyderabad (SRH)
NEW ADDITIONS: Priyam Garg, Virat Singh, Mitchell Marsh, Fabian Allen, Sandeep Bavanaka, Sanjay Yadav, Abdul Samad
Players bought in: SEVEN
Full squad: SRH
Kane Williamson,
David Warner,
Manish Pandey,
Virat Singh,
Priyam Garg,
Abdul Samad,
Bhuvneshwar Kumar,
Khaleel Ahmed,
Sandeep Sharma,
Siddharth Kaul,
Billy Stanlake,
T Natarajan,
Abhishek Sharma,
Shahbaz Nadeem,
Mitchell Marsh,
Fabian Allen,
Vijay Shankar,
Mohammad Nabi,
Rashid Khan,
Sanjay Yadav,
Jonny Bairstow,
Wriddhiman Saha,
Shreevats Goswami,
Bavanaka Sandeep.
5. Rajasthan Royals (RR)
NEW ADDITIONS: Robin Uthappa (3 crore), David Miller (75 lakhs), Anuj Rawat, Yashasvi Jaiswal, Tom Curran, Jayadev Unadkat, Anirudha Ashok Joshi, Akash Singh, Kartik Tyagi, Andrew Tye, Oshane Thomas.
Players bought in: ELEVEN
Full squad: RR
Mahipal Lomror,
Manan Vohra,
Riyan Parag,
Steve Smith,
Robin Uthappa,
David Miller,
Ankit Rajpoot,
Mayank Markande,
Jofra Archer,
Shreyas Gopal,
Varun Aaron,
Jaydev Unadkat,
Kartik Tyagi,
Akash Singh,
Oshane Thomas,
Andrew Tye,
Ben Stokes,
Rahul Tewatia,
Shashank Singh,
Yashasvi Jaiswal,
Anirudha Joshi,
Tom Curran,
Jos Buttler,
Sanju Samson,
Anuj Rawat.
6. Kings XI Punjab (KXIP)
NEW ADDITIONS: Glenn Maxwell (10.75 crore), Sheldon Cotrell (8.50 crore), Deepak Hooda (50 Lakhs), Ishan Porel (20 lakhs), Ravi Bishnoi (2 crore), Jimmy Neesham (50 lakhs), Chris Jordan (3 crore), Tajinder Singh (20 lakhs) and Prabhsimran Singh (55 lakhs)
Player bought in: NINE
Full squad: KXIP
Chris Gayle,
Mayank Agarwal,
Karun Nair,
Sarfaraz Khan,
Mandeep Singh,
Sheldon Cottrell,
Ishan Porel,
Ravi Bishnoi,
Mohammed Shami,
Mujeeb ur Rahman,
Arshdeep Singh,
Hardus Viljoen,
M Ashwin,
J Suchith,
Harpreet Brar,
Darshan Nalkande,
Glenn Maxwell,
James Neesham,
Chris Jordan,
Krishnappa
Gowtham,
Deepak Hooda,
Tajinder Singh Dhillon,
KL Rahul,
Nicholas Pooran,
Prabhsimran Singh.
7. Royal Challengers Bangalore (RCB)
NEW ADDITIONS: Aaron Finch (4.4 crore), Chris Morris (10 crore), Kane Richardson, Dale Steyn, Isuru Udana, Pavan Deshpande, Shahbaz Ahamad, Joshua Philippe
Players bought in: EIGHT
Full squad: RCB
Virat Kohli,
AB de Villiers,
Gurkeerat Mann,
Devdutt Padikkal,
Aaron Finch,
Yuzvendra Chahal,
Mohammed Siraj,
Umesh Yadav,
Navdeep Saini,
Kane Richardson,
Dale Steyn,
Isuru Udana,
Moeen Ali,
Pawan Negi,
Shivam Dube,
Washington Sundar,
Chris Morris,
Pavan Deshpande,
Parthiv Patel,
Joshua Philippe,
Shahbaz Ahamad.
8. Delhi Capitals (DC)
NEW ADDITIONS: Jason Roy (1.50 crore), Chris Woakes (1.5 crores), Shimron Hetmyer (7.75 crores), Alex Carey, Marcus Stoinis, Lalit Yadav, Mohit Sharma, Tushar Deshpande
રાજ્યમાં 11 ઓગસ્ટ પછી એટલે કે જન્માષ્ટમીના દિવસથી આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સારા પ્રમાણમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
જન્માષ્ટમીથી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિત વડોદરા, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે, પાછલા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં કેટલાક ઠેકાણે સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.