Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
રાજ્યમાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા ન હોવાનું ધ્યાનમાં આવતા સરકારે હવે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. જેમાં જો કોઇ ખાનગી કે સરકારી વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો વાહન ચાલક અને મુસાફર બંને પાસેથી નક્કી કરવામાં આવેલો દંડ વસૂલ કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યમાં આવેલા નાના શોપિંગ મોલ્ક કે દુકાનોમાં પણ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. જો સ્ટોર્સમાં કે મોલમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનદાર, સ્ટોરમાલિક, મોલ મેનેજર પાસેથી દંડ વસૂલવામાં આવશે.
મોલ, દુકાનોમાં એરકન્ડિશન હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે હાઇકોર્ટના નિર્દેશ મુજબ શોપિંગ મોલ્સ કે દુકાનમાં આવતા તમામ મુસાફરો સહિત દુકાનદાર, સ્ટાફ અને ત્યાં હાજર તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઇ માસ્ક વગર પ્રવેશ કરશે અને ધ્યાનમાં આવશે તો હવેથી માલિક સહિત વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે.
બે દિવસમાં ૨૨૧૪ કોરોના પોઝિટિવ કેસ, ૩૯ દર્દીના મૃત્યુ, અમદાવાદમાં કુલ ૩૨૬ કેસ, ૭ મૃત્યુ, સુરતમાં ૪૬૨ કેસ અને ૧૭ મૃત્યુ, વડોદરા ૨૧૫ ને ૩ મૃત્યુ, રાજકોટ ૧૯૪ કેસ અને એક મૃત્યુ, બે દિવસમાં મોરબી-ગીર સોમનાથમાં ૨-૨, મહેસાણા, કચ્છ, પાટણમાં એક એક દર્દીના મૃત્યુ, કુલ ટેસ્ટ ૧૩.૧૨ લાખ, કેસ ૭૮ હજાર, ડિસ્ચાર્જ ૬૧ હજારને પાર, મૃત્યુ ૨૭૮૭ થયાં
ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાકમાં કોરોના પોઝિટિવ નવા ૨૨૧૪ કેસ નોંધાયા છે જ્યારે સારવાર હેઠળના કુલ ૩૯ દર્દીઓના આ સમયગાળામાં મૃત્યુ થયાં છે. બે દિવસમાં કુલ ૧,૦૧,૭૭૭ ટેસ્ટ થયા હતાં. આને પગલે કુલ ટેસ્ટનો આંક વધીને ૧૩,૧૨,૮૨૯ થયો છે જ્યારે કુલ કેસનો આંક ૭૮૭૮૩ સુધી પહોંચ્યો છે. અલબત્ત, બે દિવસમાં ૧૦૯૪ સાથે કુલ ૬૧,૪૯૬ દર્દી ડિસ્ચાર્જ થતાં રાજ્યનો રિવકરી રેટ ૭૮.૦૬ ટકાને પાર થયો છે. જોકે, મૃત્યુ આંક પણ સતત વધતો રહી ૨૭૮૭ સુધી પહોંચ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૪૫૦૦ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર છે જ્યારે બાકીના ૧૪૧૮ સ્ટેબલ છે.
શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન સૌથી વધારે કેસ સુરતમાંથી ૪૬૨ નવા ઉમેરાયા છે જ્યારે ૧૭ દર્દીઓના કોવિડ સંક્રમણને લઇ મૃત્યુ થયા છે. એમાં શનિવારે ૨૩૪ કેસ અને કુલ નવ દર્દીના મૃત્યુ તેમજ રવિવારે વધુ ૨૨૮ કેસ અને ૮ દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. આ જ રીતે અમદાવાદમાં કુલ ૩૨૬ કેસ અને સાત દર્દીના મરણ નોંધાયા છે એમાં શનિવારે ૧૬૨ કેસ તથા ત્રણ દર્દી તથા રવિવારે નવા ૧૬૪ કેસ તથા ચાર દર્દીના મૃત્યુ નોંધાયા છે.
વડોદરામાં કુલ ૨૧૫ કેસમાં શનિવારે ૧૦૭ કેસ અને બે દર્દી તેમજ રવિવારે ૧૦૮ કેસ અને એક દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં કુલ ૫૮ નવા કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં જોઇએ તો રાજકોટમાં બે દિવસમાં જ કુલ ૧૯૪ નવા કેસ ઉમેરાયા છે. જોકે, બે દિવસમાં માત્ર એક જદર્દીના કોવિડ સંક્રમણથી મોતને સરકારે પુષ્ટી આપી છે. આ જ રીતે જામનગરમાં નવા ૧૧૪ કેસ, ભાવનગરમાં ૬૨ કેસ અને બે દર્દીના મૃત્યુ તેમજ જૂનાગઢમાં ૬૧ કેસ તથા એક દર્દીના મૃત્યુની જાહેરાત કરવામાં આવી છે. બે દિવસમાં આ સિવાય ગીર સોમનાથ અને મોરબીમાં ૨-૨, કચ્છ, મહેસાણા અને પાટણમાં એક એક દર્દીના મૃત્યુ કોવિડથી થયા હોવાનું સરકારે સ્વીકાર્યું છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો બે દિવસમાં સૌથી વધુ કેસ પંચમહાલ જિલ્લામાંથી કુલ ૮૮ કેસ ઉમેરાયા છે એમાં શનિવારે ૪૩ કેસ હતા. જ્યારે મોરબીમાં કુલ બાવન કેસમાં શનિવારે જ ૩૯ કેસ નોંધાયા હતા. અમરેલી જિલ્લામાં ૫૫ કેસમાં શનિવારે ૩૦ કેસ ઉમેરાયા હતા. કચ્છ જિલ્લમાં શનિવારે ૨૯ અને રવિવારે ૩૧ મળી કુલ ૬૦ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં ૫૪ કેસમાં રવિવારે ૩૦ નવા કેસનો સમાવેશ થાય છે.
ભારતમાં ગતરોજ તા.15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ચોવીસ કલાક દરમિયાન
કોરોનાના નવા 67,000
કરતા વધારે કેસ નોંધાયા છે. આ પાછલા
અઠવાડિયાના સૌથી વધુ કેસ છે, જે પહેલા ગુરુવારે 66,037 કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 26 લાખની નજીક પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 50,000ને પાર થઈ ગયો છે.
ભારતમાં ગુરુવારે 67,103 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સાથે કુલ પોઝિટિવ
કેસનો આંકડો 25,90,572
થયો છે. દેશમાં કોરોના વાયરસના કારણે
થયેલા કુલ મૃત્યુમાંથી 27%
મૃત્યુ ઓગસ્ટના 15 દિવસમાં નોંધાયા છે. આ 15 દિવસમાં દેશમાં 13,500 કરતા વધારે લોકોના
મોત નોંધાયા છે. જ્યારે જુલાઈ મહિનામાં થયેલા કુલ મૃત્યુનો આંકડો 19,122 હતો.
મહારાષ્ટ્રમાં 300થી વધુ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા જ્યારે 12,000 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા વધુ 322 મોત નોંધાયા જે 13 ઓગસ્ટે નોંધાયેલા 413 કરતા નીચો આંકડો છે, રાજ્યમાં કુલ
મૃત્યુઆંક 19,749
થયો છે, જ્યારે 12,614 નવા કેસ નોંધાયા છે, આ પહેલા 8 ઓગસ્ટના રોજ 12,822
નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ
પોઝિટિવ કેસનો આંકડો 5,84,754
થયો છે.
આ તરફ કર્ણાટકમાં 8,818 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં પહેલીવાર
નવા કેસનો આંકડો 8,000ને પાર ગયો છે.
રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા
સતત વધી રહી છે જેમાં શનિવારે 55,000 કરતા વધારે દર્દીઓએ
કોરોના વાયરસને માર આપી છે આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 18.5 લાખ કરતા વધુ થયો છે.
1. MS Dhoni attended DAV Jawahar
Vidya Mandir in Ranchi. Played badminton & basketball too. He was
goalkeeper & once his school coach KR Banerjee asked him if he would like
to keep wickets for the cricket team. MS agreed & that’s how his cricketing
journey began #MSDhoni
2. MS Dhoni made a name for
himself & was selected in Bihar U-19 team for Cooch Behar Trophy in
1998-99. In the tournament, Dhoni scored 185 runs in 5 matches at an avg of 37
with 1 fifty! The next year was his last chance of getting in the India U-19
team!
3. MS Dhoni scored 488 runs in 9
matches in the 1999/2000 Cooch Behar Trophy which included 4 fifties!He scored
84 in the final against Punjab. He was hoping to make it in the India U-19 side
for the World Cup in Sri Lanka. It was so close, yet so far for MSD
4. For the wicket-keeper spot in
the squad it was a three-way race between Ajay Ratra, MS Dhoni and Amit
Deshpande from Vidarbha. MSD was the aggressive of the three but didn’t score
much in the CK Nayudu Trophy.
5. MS Dhoni made his List A &
FC debut v Assam at Jamshedpur in 2000. On his FC debut, MSD’s first victim as
a ‘keeper was Parag Das who was stumped. 19 years later, MSD caught Parag Das’
son Riyan Parag in the IPL game in Jaipur!
6. Before Dhoni played for Bihar,
he represented Central Coal Limited. MSD scored a double hundred in school
match & put 378* with Shabir Hussain. He was picked in CCL under sports
quota. MSD would get monthly stipend of 2K + 200 extra (for being a
match-winning player)
7. Dhoni scored his first FC
century at the Eden Gardens against formidable Bengal. MSD scored 195 runs in 4
Ranji Trophy games in 2000/01 season. He was picked in the East Zone side for
the Duleep Trophy game v South Zone in Agartala. MSD came to know about this
news very late.
8. With just 20 hours to go for
the game, MSD needed to go from Ranchi to Agartala. MSD couldn’t reach on time
& had to miss the game. He went with the team to Pune where MSD first saw
Sachin Tendulkar–one of his idols. Sachin even asked MSD for water during the
drinks break
9. Dhoni moved to Kharagpur as a
train ticket examiner.He was part of the South Eastern Railways team. In 2002,
MSD went for selection of the Railways team.The selectors weren’t impressed
with his batting or ‘keeping skills.
10. Dhoni also played tennis ball cricket for Durga Sporting. He learnt helicopter shot (called ‘thappad’ shot) from his childhood friend Santosh Lal. MSD was fond of Santosh’s aggressive batting style. Unfortunately Santosh succumbed to pancreatitis & died in 2013.
11. Talent Resource Development
Wing was an initiative by the BCCI to fast-tack talent around India. Dhoni was
discovered by TRD Officer Prakash Poddar (former Bengal skipper) & his
report was sent to the National Cricket Academy.The year 2004 was the turning
point in MSD’s life
12. Dhoni hit his 1st List A ton
v Assam (128*) & hit 114 v CZ in the Deodhar Trophy 2004. His consistent
performances earned him a place in the India A team on the tour of Kenya and
Zimbabwe. Dhoni hit 2 tons v Pakistan A in the quadrangular series & was
Player of the Tournament
13. In 2004, Dhoni was part of
the Indian side which took part in the Hong Kong Super Sixes. His Indian
teammates – Pravin Amre, Subroto Banerjee, Iqbal Siddiqui, Nikhil Chopra,
Debasis Mohanty #MSDhoni
14. Dhoni was included in the
Board President XI side v the visiting South Africa at Jaipur. MSD scored 39 in
a 3-day game. In Ranji Trophy 2004/05, he scored 48 v J&K, (97, 6*) v
Kerala, (128 & 9) v Orissa. His name was announced in the Indian team for
the Bangladesh ODI series
15. On December 23, 2004, MS
Dhoni became India’s 157th ODI cricketer. He made his debut against Bangladesh
in Chittagong. He was run-out of the very first delivery in international
cricket. MS Dhoni scored 12 & 7* in the next two ODIs. 3 ODIs, 19 runs
16. Before MSD made his India
debut he was struggling to find sponsor for his cricket kit. His friend
Paramjit Singh helped him get a sponsor. In 2004,in a Inter-Railway Cricket
tournament in Nagpur,MSD had a great tournament. His name had created a buzz in
the cricketing circles
17. #MSDhoni hit 148 off 56 &
124 off 48 in the tournament. When a photographer asked him to pose Dhoni said:
“Mera photo paper mein aaye na aaye, iss bat ka zarur aana chahiye.”
Dhoni wanted to make sure his bat logo was clicked by the photographer
18. In 2005, Dhoni was part of
the India Seniors team led by Sourav Ganguly in the Challenger Trophy. In the
game v India B, Seniors needed 276 to win. Dhoni scored 102*(96)–10 fours
& 4 sixes–opening the innings
19. Dhoni failed in his 4th ODI,
scoring just 3 v Pakistan at Kochi. In the four ODIs he batted low down the
order. Ganguly had seen MSD’s fearless strokeplay in the Challenger Trophy at
the top of the order. Ganguly decided to promote MSD at No.3 in Visakhapatnam
20. MS Dhoni scored 148 in his
5th ODI batting at No.3. #MSDhoni became
the second Indian wicket-keeper to hit a ton in ODIs. The first one–Rahul
Dravid — was the non-striker when Dhoni completed the milestone
21. In 2005, Dhoni was part of
the Bradman XI in Bradman T20 Cup. He opened with Dean Jones v KSCA XI. In the next game v Chemplast
Recreation Club he scored 91*(61) opening the innings as Bradman XI chased 133!
22. In the ODI series v SL, Dhoni
scored 183* in Jaipur which included 15 fours & 10 sixes.This is still the
highest individual score by ‘keeper in ODIs. Dhoni scored 346 runs in 5 inns
& was named the Player of the Tournament-his 1st in international cricket
#MSDhoni
23. MS Dhoni became India’s 251st
Test cricketer when he made his debut v Sri Lanka at the Chepauk in 2005. In
2006, playing only his 5th Test, Dhoni scored 148 v Pakistan in Faisalabad. He
scored 148 in his 5th ODI v Pakistan as well!
24. India lost 4-0 in ODI series
v SA, lost the Test series 2-1 and won the one-off T20 match. In 2007, India
were knocked out of the 50-over WC with Dhoni getting out on ducks v Ban &
SL. A mob of angry fans attacked his new house. But soon there was going to be
a big change
25. After the senior players
decided to take rest, a young team was selected to go to the World T20 in South
Africa. MS Dhoni was chosen the captain of this young side. India won the WT20
& soon things changed for the better #MSDhoni
26. During the 2008 IPL auction,
MS Dhoni was picked by @ChennaiIPL for USD $1.5 million. CSK had in fact kept
1.1 mn USD for MSD but were okay to pay till 1.8 mn USD. This was the highest
amount bid for any cricketer in the 2008 IPL auction
27. India won the first ever
tri-series in Australia under MS Dhoni. Soon Dhoni became the captain in all
three formats. India became the World No.1 in Test cricket in 2009 when they
beat Sri Lanka at the CCI. This was a pinnacle of glory for Team India #MSDhoni
28. During the CCI Test, MSD
spotted his old Railways coach. MSD went upto him & asked the coach if
there was any problem in his game.The coach had no answers & he passed the
buck to the selectors. MSD was rejected by the Railways
29. MS Dhoni as a bowler: His
only international wicket: Travis Dowlin Dismissed Wriddhiman Saha in the
Challenger Trophy 2009 in Nagpur Kevin Pietersen (Lord’s 2011) & Mahela
Jayawardene (CT 2013) were given out off MSD’s bowling but the decisions were
overturned!
30. Led Chennai Super Kings to
the Playoffs every single IPL season.
CSK won the titles in 2010, 2011
and 2018
Played under Suresh Raina in only
ONE game for CSK v Yorkshire in Champions League 2012 at Durban
ધોની સુરતની કાજુકતરીનો દિવાનો હતો, કાજુકતરી ભલે આખા દેશમાં મળતી હોય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી. સમાચાર વિશ્વભરમાં એટલા વાઇરલ થયા કે સોશ્યલ મિડીયામાં જ્યાં જુઓ ત્યાં, ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ બધી જગ્યાએ ધોની જ ધોની જોવા મળ્યો હતો.
સી.આઇ.એ લાઇવ સુરત બેઝ ડિજીટલ મિડીયા છે. ગુજરાતી વ્યૂઅર્સ, વાચકો માટે અમે ધોની અને સુરતના કેટલાક સંભારણા રજૂ કરી રહ્યા છે.
ડુમસના ભાવિક (B.K.) પટેલ સાથે ધોનીની દિલોજાન દોસ્તી
સુરતના ભાવિક પટેલ (બી.કે.) સાથે ધોનીને એટલી ગાઢ દોસ્તી છે કે 2011ની વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચની બે વીવીઆઇપી ટિકીટ આઇ.સી.સી.એ કેપ્ટન હોવાના નાતે મહેન્દ્રસિંહ ધોનીને આપી હતી. ધોનીએ આ બે ટિકીટ પૈકી એક તેની પત્નીને આપી હતી જ્યારે બીજી ટિકીટ સુરતના ડુમસમાં રહેતા અંગત મિત્ર ભાવિક બી.કે. પટેલને આપી હતી.
સુરત ડુમસના ભાવિક (B.K.) પટેલ અને મહેન્દ્રસિંહ ધોનીની યારી બયાં કરતી તસ્વીર www.cialive.in
સુરતના ડુમસમાં રહેતા અને ક્રિકેટના જબરદસ્ત ચાહક ભાવિક (બી.કે.) પટેલ અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે ગજબની દોસ્તી છે. ભાવિક પટેલ અને ધોનીના ફોટા જોઇએ તો એમ જ લાગે કે બન્ને બાળપણના મિત્રો છે.
ધોનીની રિટાયરમેન્ટની ઘોષણા પછી સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ડુમસના ભાવિક (B.K.) પટેલે જણાવ્યું કે ધોની સુરતમાં બે વખત આવી ચૂક્યા છે. એક વખત સુરતની એક જાણિતી હોટેલના ઉદઘાટન માટે આવ્યા હતા. ભાવિક પટેલે કહ્યું કે ડુમસ રોડ પર ધોનીએ કાર સેલ્ફ ડ્રાઇવ કરી અને અમે મારા ઘરે પહોંચ્યા હતા. ધોનીએ ભાવિક પટેલને કહ્યું હતું કે કોઇ ટેલેન્ટેડ ક્રિકેટર હોય અને તકલીફમાં હોય તો તેને ખાસ જણાવશો જેથી તેને હેલ્પ કરી શકાય.
ભાવિક પટેલે કહ્યું કે જ્યારે ધોનીને મળવા જતો ત્યારે ખાસ કંઇને કંઇ લઇ જતો. ધોની થોડો ફૂડી પણ છે. એક વખત તેણે મારા ઘરે બનાવેલા થેપલા અને કેરીનો છુંદો (મુરબ્બો) ખાધો હતો અને પછી ધોની માટે સુરતી થેપલા અને કેરીનો મુરબ્બો ફેવરીટ બની ગયા છે. કોરોનાકાળ દરમિયાન લૉકડાઉન પછી પણ ભાવિક પટેલે સુરતથી ખાસ ધોની માટે મુરબ્બો મોકલી આપ્યો હતો.
ધોની સુરતમાં એક હોટેલના ઉદઘાટનમાં આવ્યો હતો ત્યારે ડુમસના ભાવિક બી.કે. પટેલના ઘરે ડુમસ કાર સેલ્ફ ડ્રાઇવ કરીને ગયો હતો એ વેળાની તસ્વીર www.cialive.in
કાજુકતરી આખા દેશમાં મળે પણ ધોનીને સુરતની જ બહુ ભાવે
ભાવિક પટેલે કહ્યું કે એક વખત તેને મળવા ગયો ત્યારે કાજુકતરીનું બોક્સ લઇને ગયો હતો. બધા મિત્રો વચ્ચે તેણે પેકેટ ખોલીને એક પીસ ખાધો. તેને કાજૂકતરી એટલી ભાવી ગઇ કે પછી હું જ્યારે તેને મળવા જાઉ ત્યારે મારા તેના માટે ખાસ કાજુકતરી લઇ જવી પડે. કાજુ કતરી આમ તો આખા દેશમાં મળે પરંતુ, તેને સુરતનો ટેસ્ટ ભાવી ગયો છે.
સૌરાષ્ટ્રમાં બુધવારની રાતથી શરૂ થયેલો વરસાદ આજે દિવસ દરમિયાન પણ ચાલુ રહેતા લગભગ મોટા ભાગના જિલ્લાઓ તરબોળ થયાં હતા. રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. રાજકોટમાં ચાર ઈંચ, ગોંડલમાં ચાર ઈંચ, વીરપુરમાં ત્રણ ઈંચ, ઉપલેટામાં ત્રણ ઈંચ, જસદણમાં બે ઈંચ, લોધીકામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
બીજી બાજુ આજે ગુરૂવારે સવારથી રાજ્યના ૨૧૭ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ૧૮૨ મિમી એટલે કે સાડા સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં ગુરૂવારે અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ સહિતના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ૧૧૩ મિમી એટલે કે સાડા ચાર ઇંચ અને ધ્રાંગધ્રામાં ચાર ઇંચ પાણી વરસ્યું હતું.
રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરનાં બસ સ્ટેન્ડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. બીજી તરફ ગોંડલ, વીરપુર, ધોરાજી, જસદણ સહિતના ગામોમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ પંથકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય ગયા છે. વીરપુરમાં ૩ ઈંચ વરસાદ પડતા સિમ વિસ્તારમાં નદી-નાળા છલકાયા હતા, આ સાથે જ લોધિકામાં ૨ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા.
આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી જ ભાવનગર, તળાજા, ઘોઘા, સિહોર, પાલિતાણા, ગારીયાધાર, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
વડા પ્રધાન તરીકે સૌથી લાંબો સમય સેવા આપનાર નરેન્દ્ર મોદી દેશના ચોથા વડા પ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય વડા પ્રધાન તરીકે સેવા આપનાર ચોથા પીએમ બન્યા છે.
બિનકૉંગ્રેસી વડા પ્રધાન તરીકે સૌથી વધુ સમય હોદ્દા પર રહેવાનું માન મોદીને જાય છે. અગાઉ અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન તરીકેની તેમની તમામ મુદત દરમિયાન કુલ ૨૨૬૮ દિવસ હોદ્દા પર રહ્યા હતા. ૧૩ ઑગસ્ટે મોદીએ વાજપેયીના કુલ ૨૨૬૮ દિવસ વડા પ્રધાન રહેવાના વિક્રમને પાર કર્યો હતો, એમ ભાજપના આવકવેરા ખાતાનો હવાલો સંભાળતા અમિત માલવિયાએ ટ્વિટર પરના સંદેશામાં જણાવ્યું હતું.
અગાઉ જવાહલાલ નહેરુ, ઈંદિરા ગાંધી અને મનમોહનસિંહ (તમામ કૉંગ્રેસી) વડા પ્રધાનના હોદ્દા પર સૌથી લાંબો સમય રહ્યા હતા.
ભારતની આઝાદીની લડતમાં યોગદાન આપનાર વિશ્વ વિખ્યાત ચળવળકાર સુભાષચંદ્ર બોઝનું સનાતન વિધાન-અપીલ तुम मुझे खून दो, में तुम्हे आझादी दूंगा આજે કોરોના સામેના યુદ્ધની સ્થિતિમાં પણ એટલું જ પ્રસ્તુત થઇ પડ્યું છે. આજે ભલે સુભાષચંદ્ર બોઝ આપણી વચ્ચે નથી પણ, તેમની લોહી માટેની અપીલ અને આઝાદી બન્નેના મહાત્મ્યમાં સામ્યતા છે. સુભાષચંદ્ર બોઝે આઝાદી અપાવવાનો કોલ આપ્યો હતો, આજે પણ લોહી (પ્લાઝમા)ના બદલામાં આઝાદી મળશે પણ એ કોરોનાથી. આજે કોરોનાને મહાત કરનારા લોકોને સુભાષચંદ્ર બોઝની જેમ જ સાદી પડી રહ્યો છે, તુમ મુઝે ખૂન (લોહી-પ્લાઝમા) દો, હમ કિસી કો કોરોના સે મુક્તિ દેંગે. અને કોરોનાને મહાત કરનારા સુરતીઓ પણ આ અપીલને જબરદસ્ત રિસ્પોન્સ આપી રહ્યા છે. યોગ-સંયોગ પણ એવો રચાયો છે કે વર્તમાન સમયમાં ભારત તેનો 73મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યું છે. સુરતીઓના આ સ્પીરીટમાં પ્લાઝમા ડોનેશન જેવી નિસ્વાર્થ પ્રવૃતિથી વિશેષ સ્વતંત્રતા પર્વની ઉજવણી શું હોઇ શકે.
સુરતના 531 કોરોના મહારથી ( કોરોનાને મહાત કરનાર)ઓએ તા.13મી ઓગસ્ટ સુધીમાં પોતાના લોહી પ્લાઝમાનું દાન કરીને અનેક લોકોને નવજીવન બક્ષ્યું છે.
ઇતિહાસ સાક્ષી છે કે સુરત અનેક સામાજિક ક્રાંતિઓનું પ્રણેતા બન્યું છે
ઇતિહાસ સાક્ષી છે કે સુરત અનેક સામાજિક ક્રાંતિઓનું પ્રણેતા બન્યું છે. એક સમયનું ગંદુ ગોબરું સુરત સ્વચ્છ શહેરમાં પહેલા નંબરે આવી ચૂક્યું છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી સુરતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પણ શાળાઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં પ્લાઝમા ડોનેશનમાં પણ સુરત સમગ્ર ભારત જ નહીં વિશ્વ માટે અનુકરણીય કાર્ય કરી શકવા સમર્થ છે. સુરતમાંથી અત્યાર સુધીમાં 12,740 સુરતીઓ કોરોનાને મહાત આપી ચૂક્યા છે, જેમાંથી ફક્ત 4-5 ટકા સુરતીઓએ જ પ્લાઝમા ડોનેશન કર્યું છે, પ્લાઝમા ડોનેશનનો આ આંકડો વધવાનો છે એમાં બેમત નથી. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે સુરતમાં પોટેન્શિયલ છે એ વાતની પ્રતીતી સંકટ સમયે થઇને જ રહે છે. જો કોરોનાને મહાત કરનારા સુરતીઓ મોટા પાયે પ્લાઝમા ડોનેશન કરે તો 15મી ઓગસ્ટનો 73મો સ્વતંત્રતા પર્વે સુરતીઓ ભારતમાં જ નહીં વિશ્વમાં અનુકરણીય બની રહેશે.
12,740 સુરતીઓ કોરોનાને મહાત આપી ચૂક્યા છે, જો આ લોકો પ્લાઝમા ડોનેશનમાં ઉતરી આવે તો સુરત વિશ્વ માટે ફરી અનુકરણીય શહેર બની શકે
કોરોનાના ક્રિટીકલ પેશન્ટ્સની સારવાર માટે સૌથી કારગત નિવડી રહેલી પ્લાઝમા થેરાપીને વધુ ઇંજન મળે એ માટે સુરતને કર્મભૂમિ બનાવનારા સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારો દિલોજાનથી આગળ આવ્યા છે. સુરતની હીરા પેઢી, યુનિક જેમ્સના કુલ 41 રત્નકલાકારોએ પોતાના લોહીમાં ડેવલપ થયેલા એન્ટીબોડીઝ પ્લાઝમા અન્ય દર્દીઓનો જીવ બચાવી શકે તે હેતુથી પ્લાઝમા ડોનેશન કરીને ઉદાહરણીય કાર્ય કર્યું છે.
યુનિક જેમ્સને સલામ
સુરતના કતારગામ વિસ્તારમાં કાર્યરત યુનિક જેમ્સ કંપનીના 41 હીરાના કારીગરો એક યા બીજા કારણોથી કોરોનામાં સપડાયા હતા અને બાદમાં સાજા થઈને નિર્ધારીત સમયગાળા બાદ તેમના બ્લડમાં રહેલા પ્લાઝમા દાન કર્યું છે. તા.12મી ઓગસ્ટ સુધીમાં સુરતમાં 541 કોરોનામુક્ત લોકો પ્લાઝમાનું દાન કરી ચૂક્યા હતા.
કતારગામની યુનિક જેમ્સ હીરાની પેઢીના 41 કર્મચારીઓએ પ્લાઝમા ડોનેશન કરીને સમાજમાં અનુકરણીય દાખલો બેસાડ્યો છે. આ અંગે યુનિક જેમ્સના જયેશભાઇ સાથે વાતચીતમાંથી મળેલી માહિતી આ મુજબ છે.
યુનિક જેમ્સના જયેશભાઈ મોણપરાનો તા.30 જુનના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. એ પછી તેઓ ટ્રીટમેન્ટ લઇને સાજા થયા હતા. બાદમાં તેમના નજીકના સંબંધીનો કોલ આવ્યો હતો કે તેમના નજીકના સંંબંધી કોરોનાગ્રસ્ત છે અને તેમના માટે પ્લાઝમાની તાતી જરૂરિયાત છે. જયેશભાઈએ તૈયારી બતાવીને સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું હતું.
યુનિક જેમ્સના કર્મચારીઓનું ટેસ્ટીંગ કરાયું
છેલ્લા બેથી ત્રણ મહિના દરમિયાન કંપનીમાં જેટલા પણ રત્નકલાકારોને શરદી, ખાંસી કે તાવના લક્ષણો થયા હોય તેઓનો હેલ્થ ડેટા કલેક્ટ કરીને કંપનીએ સ્વખર્ચે તમામના એન્ટીબોડી રીપોર્ટ કરાવ્યા હતા. જે પૈકી 80થી વધુ રત્નકલાકારોમાં રોગ પ્રતિકાકર કોષો-પ્લાઝમા બની ચૂક્યા હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. પ્રથમ તબક્કે 66 રત્ન કલાકારોના એન્ટી-બોડી ટેસ્ટ કરાવીને તબક્કાવાર 41 રત્ન કલાકારોના પ્લાઝમા કલેક્ટ કર્યા છે જ્યારે બાકી 25 રત્નકલાકારો આગામી સમયમાં પોતાના પ્લાઝમાનું દાન કરશે.
એક શાળા સંચાલક જયસુખ કથિરીયાનું પ્લાઝમા ડોનેશન, આવા વીરલાઓથી ભર્યું છે સુરત
મારે શું, મને શું મળશે જેવી વિચારધારાથી પર સુરતીઓનો મિજાજ કંઇક અલગ છે. તાપી તટે વસેલા આ શહેરને વરદાન મળ્યું છે કે એ નિસ્વાર્થ સેવા એવી રીતે કરી જાણે છે કે જેમાંથી બીજાને પ્રેરણા મળે. ઉપરોક્ત તસ્વીર જયસુખ કથિરીયાની છે. વ્યવસાયે શાળા સંચાલક છે, ખાધે પીધે સુખી સંપન્ને. સંજોગોવસાત્ તેઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જેવા 14 દિવસ પૂરા થયા, કોઇની રાહ જોયા વગર પ્લાઝમા ડોનેશન કર્યું અને હવે પ્લાઝમા ડોનેશન માટે સક્રીય. આવા તો કંઇ કેટલા વીરલાઓથી ભરેલું છે સુરત.
અમારે એ દાવો પણ નથી કરવો કે સૌથી પહેલા અમે આ સમાચાર પ્રકાશિત કર્યા હતા
CiA Live અને શિક્ષણ સર્વદા પરીવાર એવી દરેક બાબતોને નિસ્વાર્થપણે પ્રકાશિત કરે છે, પ્રોત્સાહિત કરે છે અને તેમાં તન-મન-ધનથી જોડાય છે, જેનાથી સમાજની સેવા થતી હોય
ગુજરાત સમેતના કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા અંગે વડાપ્રધાન શ્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કરેલી ટકોરનો પ્રતિસાદ બે જ દિવસમાં ગુજરાતમાં દેખાયો છે. તા.12 અને તા.13 એમ બે જ દિવસના સમયગાળામાં ગુજરાતમાં એક લાખ કોરોના ટેસ્ટ કરાયા અને તેમાંથી 2244 દર્દીઓ મળ્યા. આમ ગુજરાતમાં ટેસ્ટીંગ વધ્યા પછી પણ કોરોનાના કેસો વધ્યા નથી એ સુખદ કહી શકાય તેવી બાબત બહાર આવી છે. તા.13મીએ સાંજે ગુજરાતમાં કોરોના કુલ કેસનો આંક ૭૫૦૦૦ને પાર થયો છે. જ્યારે મૃત્યુ આંક વધીને ૨૭૦૦ને પાર થઇ ૨૭૩૨ થઇ ગયો છે.
12 ઓગસ્ટે 50,124 કોરોના ટેસ્ટ 1152 નવા કેસ 18ના મોત
13 ઓગસ્ટે 50,817 કોરોના ટેસ્ટ 1092 નવા કેસ 18ના મોત
ગુજરાતમાં કોવીડ પેન્ડેમિકની સ્થિતિમાં અત્યાર સુધીમાં તા.12મી ઓગસ્ટને બુધવારે પહેલી વખત એક સાથે ૫૦,૧૨૪ ટેસ્ટ કરાયા હતા. ગુરુવારે ૫૦,૮૧૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે, આ ટેસ્ટમાં આરટીપીસીઆર કરાયા છે કે એન્ટીજેનનો સમાવેશ પણ કરી દેવાયો છે એના અંગે કોઇ ફોડ પડાયો નથી.
કોરોના ટેસ્ટસમાં 8માં ક્રમે છે ગુજરાત
છેલ્લા ૧૨ દિવસમાં કરવામાં આવેલા ટેસ્ટને ધ્યાનમાં લઇ તો ૬૦ હજારથી વધુ કેસ ધરાવતા ૧૧ રાજ્યોમાં ટેસ્ટિંગના મામલે ગુજરાત આઠમાં ક્રમે આવે છે. આ ૧૨ દિવસમાં સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં ૧૦૮૬૯૧૮ ટેસ્ટ કરાયા છે,
મહારાષ્ટ્રમાં ૭૭૯૯૬૬,
તમિલનાડુમાં ૭૭૩૮૮૭,
બિહારમાં ૭૨૪૮૦૮,
આંધ્ર પ્રદેશમાં ૬૯૭૯૯૧,
આસામમાં ૬૫૬૪૦૫,
કર્ણાટકમાં ૪૭૫૫૨૫ ટેસ્ટ
ગુજરાતમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરાયા છે.
એવી જ રીતે આસામમાં ૧૨ દિવસમાં ૬૫૬૪૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આસામમાં પણ ઘનિષ્ઠ ટેસ્ટીંગ
છેલ્લા બે દિવસમાં જ આસામમાં ૧૯૫૧૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામની સરખામણીએ ગુજરાતમાં ૧૨ દિવસમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ૯૧૭૭૧ ટેસ્ટ કરાયા છે. આ ૧૨ દિવસમાં જોઇએ તો આસામમાં ગુજરાત કરતા લગભગ બે ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામમાં અત્યાર સુધીમાં કુલ ૬૯૦૦૦ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જો કે, ગુજરાતમાં ૧૨ ઓગસ્ટ સુધીમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જોકે પશ્ર્ચિમ બંગાળ અને દિલ્હીની કરતા ગુજરાતમાં ટેસ્ટ વધારે કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ૨૦૯૯૫૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને પશ્ર્ચિમ બંગાળમાં ૨૯૩૫૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં બે દિવસમાં અનુક્રમે ૯૭૭ તથા ૧૦૪૬ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ડિસ્ચાર્જ કરાયા હતા આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ ૭૫૪૮૨ કેસમાંથી કુલ ૫૮,૪૩૯ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ રિવકરી રેટ ૭૭.૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૪૩૧૦ છે એમાંથી ૭૯ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૪૨૩૧ સ્ટેબલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં નવી કર વ્યવસ્થાનો પ્રારંભ કરાવતા એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મને ઓનલાઈન લોન્ચ કર્યું હતું જેમાં ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિનીનો આજની પ્રારંભ કરવામાં આવ્યો છે અને ફેસલેસ ટેક્સ અપીલ સેવાનો 25 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાને આ પ્રસંગે દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા પણ આહ્વાન કર્યું હતું.
આ ઉપરાંત આવકવેરા વિભાગ ‘ટેક્સપેયર ચાર્ટર’ને અપનાવશે જે કરદાતા અને આવકવેરા કચેરી બન્નેના અધિકારો તેમજ જવાબદારીઓની રૂપરેખા નિર્ધારિત કરશે. વડાપ્રધાને પોતાના સંબોધમાં જણાવ્યું કે, દેશમાં ગુલામીકાળથી કર વ્યવસ્થા અમલમાં છે અને તેમાં સમયાંતરે ઓછાવત્તા બદલાવો થતા રહ્યા પરંતુ તેનું મૂળ માળખું જૂનું જ રહ્યું હતું અને વ્યવસ્થા જૂનવાણી ઢબે જ ચાલી રહી હતી.
આ માળખાને પગલે દેશના પ્રામાણિક કરદાતાઓ સાથે હંમેશા અન્યાય થતો રહ્યો. જો કે આ પ્લેટફોર્મથી હવે પ્રામાણિક કરદાતાઓને ન્યાય મળી શકશે તેમ પીએમે વધુમાં જણાવ્યું હતું. મોદીએ લોકોને સમયસર કર ચૂકવવા માટે પણ જણાવ્યું હતું. જેમ કરદાતા સાથે સમ્માનપૂર્વક વ્યવહાર કરવો તે કરવેરા અધિકારીની જવાબદારી છે તેમ પોતાનો બાકી કર આપવો તે કરદાતાની જવાબદારીમાં આવે છે.
ભારતમાં વર્તમાન સમયે કોર્પોરેટ ટેક્સનો દર સૌથી ઓછો છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની શું છે?
ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની વ્યવસ્થામાં કરદાતા કોણ છે તેમજ કરવેરા અધિકારી કોણ છે તેનો કોઈ અર્થ રહેતો નથી. જૂની વ્યવસ્થા હેઠળ શહેરમાં રહેલા આવકવેરા વિભાગ દ્વારા કરદાતાની તમામ તપાસ થતી હતી પરંતુ હવે કોઈપણ રાજ્ય અથવા શહેરના અધિકારી કોઈપણ સ્થળે તપાસ કરી શકે છે. કમ્પ્યૂટર મારફતે આ નક્કી થશે કે ક્યા ટેક્સ અધિકારીએ કોની સ્ક્રૂટિની કરવી. આ એસેસમેન્ટનો રિવ્યૂ ક્યા અધિકારી પાસે જશે તે પણ કોઈ જાણી શકશે નહીં. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે આવકવેરા અધિકારીઓ સાથે પરિચય કેળવીને તેમને પ્રલોભનો આપનારા તત્વો હવે ફાવી નહીં શકે. આ વ્યવસ્થાને પગલે બિનજરૂરી કાયદાકીય ગૂંચવણથી પણ બચી શકાશે. જે લોકો ખોટા વિકલ્પો અપનાવતા હતા અને કરચોરી કરતા હતા તેમને આ વ્યવસ્થાથી મુશ્કેલી પડી શકે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.