CIA ALERT

Blog - Page 289 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 11, 2020
backtoschool.png
1min5030

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા 23 નવેમ્બરથી સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. જોકે, સ્કૂલે આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહીં હોય. સ્કૂલો શરુ થાય ત્યારે આચાર્યએ તમામ તકેદારી રાખવાની રહેશે તેમ પણ સરકાર દ્વારા જણાવાયું છે.

સ્કૂલો દ્વારા રોજેરોજ શિક્ષકોના ટેમ્પ્રેચર પણ લેવામાં આવશે. આ સિવાય બાળકને સ્કૂલે મોકલતા પહેલા વાલીઓની લેખિત મંજૂરી પણ ફરજિયાત બનાવાઈ છે. સ્કૂલો ઉપરાંત, પીજી, મેડિકલ, પેરામેડિકલ કોલેજ અને સ્નાતક કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરુ કરાશે.

ઠંડીમાં કોરોનાના કેસ વધે તેવી શક્યતા વચ્ચે સ્કૂલો શરુ કરવાના નિર્ણય સામે કચવાટ જોવા મળી રહ્યો છે.

November 11, 2020
CIA_Live_Logo_New2.jpg
5min597

ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ડિગ્રી માટે નો ક્રેઝ વધી રહ્યો છે. હાલ માં બધી કોલેજ અને યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર બ્રાન્ચ માં જગ્યા નથી ત્યારે ભારતના જ ખર્ચે વિદેશમાં ભણવા ની તક આપતો AUPP Pathway ભણવા, કમાવાવ અને સ્થાઈ થવા માટે ખુબ જ લાભ કારક છે.

ધોરણ 12 સાયન્સ કોમર્સ માં પાસ થયેલા વિદ્યાર્થીઓ ને હાલમાં કોમ્પ્યુટરની ખૂબ જ વધારે ડિમાન્ડ હોવાથી ભારતની બહાર ભણવા જવાની સરસ તક AUPP Pathway નો BIT ( Bachelor in Information Technology) પ્રોગ્રામ આપી રહ્યો છે જેમાં પ્રથમ વર્ષ ભારતમાં રહી ભણી શકાય અને અભ્યાસ ક્રમ નું બીજું અને ત્રીજું વર્ષ વર્લ્ડ ક્રમાંક 500 ની અંદર આવેલી Western Sydney University (WSU)  કરી શકાય અને ડિગ્રી Western Sydney University દ્વારા એનાયત કરવામાં મા આવશે.

જેથી કરોના ના કારણે સમય અને પૈસાની બચત થઈ શકે અને ડાયરેક્ટ Bachelor Degree કરવા જનારા વિદ્યાર્થીઓ ને મળતા તમામ લાભો જેવા કે વર્ક પરમિટ,TR, PR  ના લાભ સરખા હોવા થી તે પણ મેળવી શકાય તો એડમિશન મેળવવાની છેલ્લી તારીખ ખૂબ જ નજીક હોવાથી તાત્કાલિક AUPP સેન્ટર નો સંપર્ક કરવો.

Benifit of AUPP Bachelor Degree Pathway Programme 

Courses Available 

  • ✓ Bachelor in Leadership  Management 
  • ✓ Bachelor in IT (BIT) with many specialisation 
  • ✓ 1st year in Surat & finish Degree ( 2nd & 3rd year) in Australia or NZ 
  • ✓ 1st International degree to 1st international Job
  • ✓ World recognize degree 
  • ✓ Bachelor Degree fromTop rank & Public University
  • ✓ Study-Save-Settle
  • ✓ 2 years work permit (TR)  in Australia & 3 years in NZ
  • ✓ Indian cost & Australian syllabus during 1st year
  • ✓ Zero cost and saving degree
  • ✓ Chance for 2019 & 20 pass out 
  • ✓ Group travelling 
  • ✓ Save time & money 
  • ✓ IELTS/PTE not required for 1st year

Note –

We have vocational courses leading to Bachelor Degree also and IELTS required is 5.5 band only

Please visit AUPP Surat Centre 

  • National Group,
  • 407-409, Aagam Emporio |
  • Nr.J H Ambani School BRTS bus stop |
  • University road |
  • Vesu, Surat
  • Mail- info@nationalgroupindia.org

આજે કમ્પ્યુટર ટેક્નોલોજીનું ફિલ્ડ એ વિશ્વવ્યાપી અને સાર્વત્રિક બની ચૂક્યું છે. મેડીકલ, એન્જિનિયરિંગ કે કોમર્સનો અભ્યાસ કરો, પહેલા બધા જ કોર્સમાં કમ્પ્યુટર ટ્રેનિંગ, આઇ.ટી. ટ્રેનિંગ આવશ્યક છે. અને કોવીડ-19 પેન્ડેમિક બાદ હવે શક્ય એટલી તમામ કાર્યવાહીઓ ઓનલાઇન થઇ રહી છે ત્યારે કમ્પ્યુટર ફિલ્ડમાં કરીયર બનાવવું એટલે ગ્લોબલ કરીયર સાથે નાતો જોડવા બરાબર છે.

ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ જો કોમ્પ્યુટર ફિલ્ડમાં જવું હોય તો ભારતમાં ભણવા માટે જે ખર્ચ થાય તેટલા જ ખર્ચમાં વિદેશમાં ભણવાની તક મેળવી શકે છે.

AUPP Pathway Programme for 12th std

  • Bachelor in Leadership Management &
  • Bachelor in IT

1st year in India & finish Degree ( 2nd & 3rd year) in Australia or NZ 1st International degree to 1st international Job

World recognize degree 

Bachelor Degree from Top rank & Public University

Federation University

  • Western Sydney University…
  • word rank in 500 Or
  • Low cost fees …
  • Study-Save-Settle
  • 2 years work permit (TR)  in Australia &
  • 3 years in NZ
  • Indian cost & Australian syllabus during 1st year
  • Zero cost and saving degree
  • Chance for 2019 & 20 pass out Group travelling Save time & money IELTS/PTE not required for 1st year

AUPP Surat, National Group,

407-409, Aagam Emporio |Nr.J Ambani School BRTS bus stop |University road|Vesu, Surat-395007

Contact- 93 77 88 00 93

November 10, 2020
bjp_logo.png
1min5560

ગુજરાતમાં ફરી BJPનું કેસરીયા રોલર ફરી વળ્યું :

ગુજરાતની તમામ 8 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે તમામ આઠેય બેઠકો પર વિજય મેળવીલીધો છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘આવનારા દિવસોમાં હવે ભાજપના 111 ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.’

મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું કે ‘પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ’

સી.આર. પાટીલે જણાવ્યું કે ‘કોઈ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્ત્વનો ભાગ છે. વડાપ્રાન મોદીની કામ કરવાની જે રીતની પદ્ધતિ છે. તેમના દ્વારા બનેલી યોજનાઓ દરેક તબક્કાને મળે તેવું કામ કર્યુ છે. મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યુ છે તેનું આ પરિણામ છે’

કોરોના મહામારી વચ્ચે પેટા ચૂંટણીમાં 60.75 ટકા મતદાન થયું હતું. ધારી બેઠક પર ભાજપના જેવી કાકડિયાની જીત થઈ હતી. કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી હતી અને ટ્વીટરમાં આ બાબતે પોતાનો વિચાર પણ વ્યક્ત કર્યો હતો.

November 9, 2020
breaking_CIA-1280x831.jpg
1min8060

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનના આજે તા.9મી નવેમ્બરે અંતિમ દિવસે સાંજે 7 કલાકે પ્રવેશ સમિતિએ મહત્વની જાહેરાત કરી છે.

મેડીકલ અને પેરામેડિકલ એડમિશનના નિયમમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આપેલી માર્ગદર્શક સૂચનાનું પાલન કરતા આ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે.

એડમિશ કમિટીની વેબસાઇટના હોમ પેજ પર મૂકવામાં આવેલી સૂચના મુજબ 2017માં ધો.10 ગુજરાત રાજ્યની બહારથી પાસ કર્યુ હોય તેવા વિદ્યાર્થીઓને ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવ્યા ન હતા. જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટીશન થતાં ગુજરાત હાઇકોર્ટે ફક્ત આ વર્ષ માટે જેમણે ધો.10 ગુજરાત બહારના રાજ્યોમાંથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને અન્ય નિયમોની પૂર્તતાની શરતે પ્રવેશ કાર્યવાહીમાં સમાવવા માટે સૂચના આપી છે.

એડમિશન કમિટીના હોમપેજ પર રજૂ કરાયેલી સૂચનાનો સ્ક્રીન શોટ

નવા નિયમનું નોટિફિકેશન તા.9મી નવેમ્બરે જાહેર કરાયું

Online Registration પ્રક્રિયા લંબાવવામાં આવી, તા.10મી નવેમ્બર સુધી રજિસ્ટ્રેશ થઇ શકશે

November 9, 2020
mayur_golwala.jpg
1min9320

SGCCI વીજળી કમિટીના ચેરમેન બન્યા મયુર ગોળવાલા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની દક્ષિણ ગુજરાત વીજકંપની તેમજ ટોરન્ટ પાવર કંપનીને લગતા કામકાજ માટેની કમિટીના ચેરમેન તરીકે સચિન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના યુવા ઉદ્યોગપતિ મયુરભાઇ ગોળવાલાની વરણી કરવામાં આવી છે.

સુરતના મુખ્ય ઉદ્યોગ ટેક્સટાઇલમાં ખાસ કરીને પ્રોડકશન સેક્ટરમાં વીજ કંપનીઓને લગતા અને પ્રશ્નો છાશવારે ઉપસ્થિત થાય છે. નવા જોડાણો, મીટર, મીટર રિડિંગ, ફોલ્ટ રિપેરિંગ વગેરે પ્રશ્નોથી સુરતના વિવર્સ, પ્રોસેસર્સ સમેતના ઉદ્યોગકારો વાજ આવી ગયા છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રીસિટીના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ઘણા વર્ષોથી સતત સંઘર્ષ કરતા આવેલા મયુરભાઇ ગોળવાલાની નિમણૂંક ચેમ્બર ઓફ કોમર્સે પોતાની વીજકંપનીઓ માટેની ખાસ કમિટીના ચેરમેન તરીકે કરી છે.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કાર્યરત મયુરભાઇ ગોળવાલાની સિદ્ધિ એ છે કે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના વિશાળ વિસ્તારમાં વીજ સમસ્યાના કાયમી નિરાકરણ માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગના પ્રોજેક્ટમાં રૂ.47 કરોડની પ્રોજેક્ટ કોસ્ટ પૈકી રૂ.25 કરોડની માતબર રકમની ગ્રાન્ટ સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી માટે મંજૂર કરાવી લાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેમના આ પ્રયાસોને કારણે સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઝીરો ટ્રીપિંગ પાવર ઉપલબ્ધ બની શકશે.

આ ઉપરાંત સુરતના ટેકસ્ટાઇલ ઉદ્યોગકારોને વીજળીના પોષણક્ષમ રેટ મળે તે માટે મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હૈદરાબાદ વગેરે રાજ્યોના વીજદરોનો ઘનિષ્ઠ સરવે પણ તેમણે કરીને સરકારમાં ધારદાર રજૂઆતો કરી છે.

November 9, 2020
niranjanbhai_with_pmmodi.jpg
1min6360

Jayesh Brahmbhatt 98253 44944

સુરતના પૂર્વ મેયર નિરંજનભાઇ ઝાંઝમેરાની નિમણૂંક ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરના પ્રમુખ તરીકે કરવામાં આવી છે. ભાજપાના પ્રદેશ મોવડીમંડળ દ્વારા તા.9મી નવેમ્બર 2020ની સાંજે ગુજરાત ભાજપાના જુદા જુદા 39 સંગઠન ઘટકોના પ્રમુખોની નિયુક્તિ જાહેર કરવામાં આવતા ગુજરાત ભાજપામાં જબરદસ્ત હલચલ મચી ગઇ છે.

નિરંજનભાઇ ઝાંઝમેરા સુરતના મેયર રહી ચૂક્યા છે અને તેમને સુરતના વહીવટ અંગે બહોળો અનુભવ પણ ધરાવતા હોઇ, ભાજપા પ્રદેશ મોવડીમંડળે સુરત ભાજપાના પ્રમુખનો કળશ તેમના શિરે ઢોળ્યો છે.

રાષ્ટ્રીય અને પ્રદેશ મોવડીઓના વિશ્વાસને સાર્થક કરી બતાવીશ નિરંઝનભાઇ

સુરત ભાજપાના નવા પ્રમુખ તરીકેની ઘોષણા બાદ પત્રકારો સમક્ષ પ્રથમ પ્રતિક્રિયા વ્યક્ત કરતા શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મોવડીમંડળ, વડાપ્રધાન શ્રી મોદી, શ્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, શ્રી ભીખુભાઇ વગેરેએ તેમને જે જવાબદારી સોંપી છે એ સુપેરે પાર પડશે એની હું ખાતરી આપું છું. તેમણે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ સાર્થક કરી દેખાડીશ.

ગુજરાતના જુદા જુદા જિલ્લા અને શહેરોના ભાજપ સંગઠન પ્રમુખોની વરણી

November 9, 2020
carlos-g-valls.jpeg
1min1102

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ફાધર કાર્લોસ જી. વાલેસને સવાયા ગુજરાતી તરીકે સંબોધવા પડે. કેમકે તેઓ જન્મે અને નખશીખ સ્પેનિશ (સ્પેન દેશના) પણ કર્મે અસ્સલ ગુજરાતી, કેમકે ગુજરાતમાં રહ્યા, કર્મભૂમિ ગુજરાતી બનાવી, ગુજરાતી ભાષામાં 75 જેટલા પુસ્તકો લખ્યા અને ક્યારેય બેસ્ટ સેલરનો દાવો કર્યો નહીં આ છતાં આજેય એ પુસ્તકોની લોકપ્રિયતાનો ગ્રાફ ક્યારેય નીચે નથી જોવાયો, એવા સવાયા ગુજરાતી ફાધર વાલેસનું આજે તા.9મી નવેમ્બર 2020ના રોજ તેમના મૂળ વતન સ્પેન ખાતે નિધન થયાના સમાચારે ગુજરાતી સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી દીધી છે.

મૂળ સ્પેનના ફાધર કાર્લોસ જી. વાલેસે ગુજરાતીમાં 75 પુસ્તકો લખ્યા છે અને બેસ્ટ સેલરનો એકેય દાવો કર્યો ન હોવા છતાં આજેય એ પુસ્તકો લોકપ્રિય

ફાધર વાલેસે ગુજરાતમાં 1958થી અમદાવાદની સેંટ ઝેવિયર્સ સ્કુલમાં ગણિત વિષયના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી એ પછી તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અનેક પુસ્તકોનું પ્રદાન કર્યું.

ગુજરાતી સાહિત્યમાં ફાધર વાલેસે કરેલા પ્રદાન માટે તેમને કુમાર ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ નવાજવામાં આવ્યા હતા.

તેઓ નિવૃત્તિ બાદ વતન સ્પેન પરત ફર્યા હતા. કાર્લોસ જી વાલેસને ગુજરાતની પ્રજાએ પણ ભરપૂર પ્રેમ આપ્યો હતો. સ્પેનિશ હોવા છતાં તેઓ ગુજરાતી શીખ્યા હતા, અને સવાયા ગુજરાતી બની રહ્યા હતા.

November 8, 2020
kesubhai.jpg
3min13240

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતના રાજકીય તખ્તે સર્વોચ્ચ પદે રહીને સમાજ ઉત્થાન માટે જીવન સમર્પિત કરી દેનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે સુરતના વરાછા રોડ, મિનિબજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે સર્વજ્ઞાતિ સમાજ પ્રેરિત 24 કલાકનો શ્રદ્ધાંજલિ સમારોહ ખરા અર્થમાં સાર્થક બન્યો છે.

શનિવાર તા.7મી નવેમ્બરે સાંજે 6 ના ટકોરે શરૂ થયેલો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શનિવારે આખી રાત ધમધમતો રહ્યો. ગુજરાતના રાજકીય, સામાજિક, ધંધાકીય ક્ષેત્રના આગેવાનો એક પછી એક પોતાના કેશુબાપા સાથેના સંસ્મરણો વાગોળતા રહ્યા અને બીજી તરફ, રક્તદાન કરવા માટે સર્વજ્ઞાતિજનો સ્વયંભુ ઉમટી પડ્યા હતા.

કેશુબાપાના પરિવારજનો સાથે કાર્યક્રમ સંયોજક શ્રી કાનજીભાઇ ભાલાળા અને હરીભાઇ કથિરીયાની યાદગાર તસ્વીર

સુરત ખાતે શ્રી કેશુભાઇ પટેલ શ્રદ્ધાંજલિ આયોજન સમિતિ, સુરત સંકલિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઇ ભાલાળાની રાહબરી હેઠળ યોજાઇ રહ્યો છે અને કાર્યક્રમ શરૂ થયો ત્યારથી લઇને આજે સવારે 11 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે સ્વયંભુ લોકો કેશુબાપાને ભાવાંજલિ, શબ્દાંજલિ, રક્તાજંલિ અર્પણ કરવા માટે ઉમટી રહ્યા હતા.

સેંકડો લોકો આખી રાત મિનીબજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવનમાં કેશુબાપાના માનમાં બેસી રહ્યા, કેટલાકે શ્રમદાન કર્યું, કેટલાકે રક્તદાન કર્યું કેટલાકે મૌન રહીને પણ કેશુબાપાને ખરા અર્થમાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને કરી રહ્યા છે.

તા.8મીએ બપોરે 12 વાગ્યા સુધીમાં 511 યુનિટ રક્ત એકત્રિત

કેશુબાપાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમને સમાંતર ચાલી રહેલા રક્તદાન શિબિરમાં શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 511 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. વધુને વધુ લોકો રક્તદાન માટે સ્વયંભુ જોડાઇ રહ્યા છે.

શનિવાર તા.7મી નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી શરૂ થયો 24 કલાકનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

■ 24 કલાક રક્તદાન કેમ્પમાં રક્ત આપવા માટે સર્વજ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

■ 24 કલાક ભાવાંજલી કાર્યક્રમમાં ગુજરાતના જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોએ કેશુબાપાના સત્કાર્યોની સુવાસ શબ્દો દ્વારા મહેકાવી હતી

■ 24 કલાક લાઈવ, જુદી જુદી ગુજરાતી ચેનલો પર સમગ્ર કાર્યક્રમ લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યો છે

■ 24 કલાક સ્વ.કેશુભાઈ પટેલના જાહેરજીવનનું તાદ્શ રજૂ કરતા ચિત્રો, પ્રસંગોની સરવાણી હજારો લોકોએ જોઇને કેશુબાપા સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા

92 કિ.મી. દોડ લગાડીને યુવાને કેશુબાપાને અંજલી અર્પી

કેશુબાપાને 24 કલાક ભાવાંજલિ અર્પણ કરવાના અનોખા કાર્યક્રમના સંયોજક કાનજીભાઇ ભાલાળા

રિયલ ચેનલના ફેસબુક લાઇવ પર 15 હજારથી વધુ વિદેશી ગુજરાતીઓએ સુરતનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ લાઇવ નિહાળ્યો

November 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7790

આગામી તા.8મી નવેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે અને ભાજપવાળાઓ જેના નામે શ્રેય ખાટી રહ્યા છે એ હજીરા ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરી સર્વિસ આજે તા.6 નવેમ્બર 2020ના રોજ ટ્રાયલ રન વખતે જ દરિયામાં ટેકનિકલ ખામીને કારણે ખોટકાઇ રહ્યું છે.

દહેજ ઘોઘા ખાતે ગણતરીના મહિના સર્વિસ ચાલ્યા બાદ એ અચોક્કસ મુદત માટે બંધ થઈ ચૂકી છે, હવે હજીરા ઘોઘા વચ્ચે રૉ પેક્સ ફેરી સેવા શરૂ થાય એ પહેલા ટ્રાયલ રન વખતે જ બંધ થતાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. રૉ પેક્સ સર્વિસ માટે જે જહાજ આપવામાં આવ્યું છે તેની આવરદા અને તેની ક્ષમતા બન્ને અંગે નિષ્ણાંતો સવાલો ઉઠાવી રહ્યા છે.

8/11/2020 થી શરૂ થનારી રૉ પેક્સ ફેરી સર્વિસનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું

https://www.dgseaconnect.com/ વેબસાઇટ પર હજીરા અને ઘોઘા વચ્ચેની આ દરીયાઇ સેવા ભલે તા.8મી નવેમ્બરથી શરૂ થવાની હોય પરંતુ, તેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. હવે આ સર્વિસ તા.8મીથી શરૂ થાય છે કે કેમ તે અંગે શંકાઓ પ્રવર્તી રહી છે.

November 6, 2020
whasapppay.jpg
4min8610

નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ગઇકાલ તા. 5 નવેમ્બર 2020ના રોજ ભારતમાં ફેસબુકને ઓનલાઇન મની ટ્રાન્સફરની સુવિધા શરૂ કરવા સંદર્ભે મંજૂરી આપી છે. ફેસબુકની માલિકીની એપ્લિકેશન WhatsAppPay ટૂંક સમયમાં યુઝર્સને નાણાંકીય લેવડદેવડની સુવિધા આપશે. નાણાંકીય લેવડ-દેવડ માટે Unified Payments Interface (UPI) methodનો ઉપયોગ કરવાનો રહેશે.

NPCI દ્વારા થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ પર 30 ટકાની કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે. જેનો અસરકારક અર્થ એ છે કે યુપીઆઈએ નવા ગ્રાહકોને સ્વીકારવાનું બંધ કરવું પડશે અને તે સરળતા રહેલ ટ્રાન્ઝેક્શનની સંખ્યાને પ્રતિબંધિત કરવી પડશે.

ફેસબુકની માલિકીના વ્હોટ્સએપ પે એપને નાણાંકીય લેવડદેવડની મંજૂરી મળતા જ પેટીએમ, ગૂગલ એપ, ફોન પે, જિયો એપ, એમેઝોન પે વગેરેમાં ફફડાટ મચી ગયો છે કેમકે હાલમાં વ્હોટ્સ એપ જેટલો વ્યાપ વિસ્તાર કોઇ અન્ય સોશ્યલ મેસેજિંગ સાઇટનો નથી. વ્હોટ્સએપનો વિશાળ યુઝર બેઝ જોતા તેની પેમેન્ટ એપને પણ જબરદસ્ત પ્રતિસાદ સાંપડે એમ છે.

જેમને હજુ સુધી UPI એટલે શું એ ખબર ન હોય તેમના માટે

National Payments Corporation of India NPCI

National Payments Corporation of India (NPCI), an initiative of the Reserve Bank of India (RBI) and Indian Banks‘ Association (IBA), is an umbrella organisation for operating retail payments and settlement systems in India.

How to Make a Payment Using WhatsApp In-Chat Payment?

To transfer funds using the WhatsApp In-Chat Payment system, click on the ‘Rupee’ symbol under the ‘Attachment’ option. After this step, money transfers can be made in a single step by entering the transaction amount and the UPI PIN. The main advantage of this type of payment system is that users will not have to navigate out of the chat window to make a payment.

Let us now understand the step-by-step process involved in making payments via Whatsapp (for Android users):

Step 1: Go to the chat window of the person to whom you want to make a payment and click on the attachment icon

Step 2: Proceed to click on the ‘Payment’ option in the chat window and accept terms and conditions

Step 3: Enter the amount you want to transfer, UPI PIN and send the money For those with iOS phones, click on the plus symbol in the chat window and follow the procedure from step 2.

Features and Benefits of WhatsApp In-Chat Payment

  • Make payment to anyone on WhatsApp contact list from anywhere and at anytime
  • User-friendly ‘pay’ feature that makes transferring funds as simple as sending a photo or a message
  • The payee/beneficiary will receive a payment notification on their chat window once the fund transfer has been made
  • There is no need to ask the payee for account details such as account number or IFSC Code. All you need is a virtual address to make payment
  • The WhatsApp In-Chat Payment application is a one-of-a-kind payment feature