Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના સરકારી નોકરી ઇચ્છતા લોકો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ ટૉલ ફ્રી હૅલ્પલાઇન શરૂ કરી છે.
હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧
દેશના બ્યુરોક્રેટ્સ, ડિપ્લોમેટ્સ અને પોલીસ અધિકારીઓ અને અન્ય પદો માટે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ માટેની તથા અન્ય સરકારી અધિકારીઓની નિમણૂક માટે પરીક્ષાઓ લેવામાં આવે છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ હૅલ્પલાઇન સપ્તાહના બધા જ દિવસો દરમિયાન ઑફિસ અવર્સ દરમિયાન કાર્યરત રહેશે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યાના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહી છે અને આ હૅલ્પલાઇન ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. આ હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧ છે.
રાજ્યના શાળાકીય શિક્ષણ ક્ષેત્રમાં સંકળાયેલા તમામ સરકારી, ખાનગી કર્મચારીઓ, વ્યવસાયિકોને આગામી તા.25મી ઓક્ટોબર 2021ના રોજ ખાદીના વસ્ત્ર પરિધાન કરીને ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન અભિયાનમાં સંમેલિત થવા માટે રાજ્યના નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકે એક પરિપત્ર દ્વારા અપીલ કરી છે. 25મી ઓક્ટોબરે એક દિવસ પૂરતું જો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો જો ખાદી પરિધાન કરશે તો તેનાથી સ્વરોજગારી પણ વધશે અને આત્મનિર્ભર અભિયાનને પણ વેગ મળશે.
એક પરિપત્રમાં નાયબ શિક્ષણ નિયામકે દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવ્યું છે કે ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનના મંત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમથી રાજ્યના વણાટ ક્ષેત્રે કાર્યરત જરૂરીયાતમંદ લોકોને રોજગારી મળી રહે, આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી ખાદી ખરીદવા તથા ખાદી પહેરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિભાગ હસ્તકના ખાતાના વડાની કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ટેકનિકલ શિક્ષણ સાથે સંકળાયેલા અને કાર્યરત તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોદ્દેદારો, આચાર્યો, અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક સ્ટાફને વ્યક્તિગત તથા સામૂહિક રીતે ખાદી ખરીદવા તથા ખાદી પહેરવા માટેના અભિયાનમાં સ્વેચ્છાએ બહોળી સંખ્યામાં સહભાગી થવા તથા આગામી તા.25મી ઓક્ટોબરના રોજ સામૂહિક રીતે ખાદીના વસ્ત્રો પહેરવા માટે સૌને પ્રેરિત કરવા અપીલ કરવામાં આવે છે.
મુંબઈની સ્પેશિયલ કોર્ટે આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના પણ જામીન નામંજૂર કર્યા છે. હવે જામીન મેળવવા માટે આર્યનના વકીલ હાઈકોર્ટમાં અરજી કરી શકે છે.
મુંબઈની સેશન્સ કોર્ટે આર્યનના જામીન નામંજૂર કર્યા છે. આર્યન ખાનને 7 ઓક્ટોબરના રોજ 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. 8 ઓક્ટોબરથી આર્યન આર્થર રોડ જેલમાં બંધ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મજબૂતાઈથી આર્યનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આર્યનના વકીલોએ દલીલ કરી હતી કે તેની પાસેથી કોઈ પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો નથી અને તે પુરાવા સાથે છેડાછાડ નહીં કરે. જોકે, સ્પેશિયલ NDPS કોર્ટે જામીન નામંજૂર કર્યા છે એટલે હજી પણ આર્યનને આર્થર રોડ જેલમાં રહેવું પડશે.
આર્યન ખાનની સાથે મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટના જામીન પણ નામંજૂર થયા છે. હવે આર્યનના વકીલ જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે.
ચોર્યાસી વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ માટે આજનો દિવસ ભાવુક બની રહ્યો હતો. આજે તેમણે તેમના સ્વર્ગીય પિતા અને કાંઠા વિસ્તારના લોકનેતા સ્વ. રાજાભાઇ (ડુમસ)એ સેવેલું એક સ્વપ્ન સાકાર કર્યાનો આત્મસંતોષ મેળવ્યો હતો.
પોતાના પિતાએ સેવેલા સ્વપ્ન અંગે ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે જણાવ્યું હતું કે મારી બેઠકના પૂર્વ ધારાસભ્ય અને મારા પિતાશ્રી સ્વર્ગીય રાજાભાઈ પટેલનું સ્વપ્ન હતું કે હજીરા ગામના 47 જેટલા નવયુવાનો કે જેઓ જે તે સમયે એસ્સાર સ્ટીલ કંપનીમાં હંગામી કર્મચારીઓ તરીકે કાર્યરત હતા જે આજે AM/NS (આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલ) કંપનીમાં પણ કાર્યરત છે. હજીરા કાંઠા વિસ્તારના આ યુવાનોને કંપનીમાં તમામ મળવા પાત્ર લાભો સાથે નોકરીમાં કાયમી કરવામાં આવે એ સ્વપ્ન મારા પિતા સ્વ. રાજાભાઇએ જોયું હતું. જેને આજે તા.20મી ઓક્ટોબર 2021ના રોજ પૂર્ણ થતા મને આત્મસંતોષ છે કે મારા પિતાના લોકકાર્યોને પૂર્ણ કરવામાં હું નિમિત બની શકું છું.
હજીરા સ્થિત આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલ કંપનીમાં યોજાયેલા એક સમારોહમાં ગુજરાત બીજેપી ચીફ સી.આર. પાટીલના હસ્તે હજીરાના 47 નવયુવાનોને કંપનીમાં સ્થાયી નોકરીના નિમણૂંક પત્રો એનાયત કરાવીને ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે પોતાના પિતા સ્વ. રાજાભાઇનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. સીઆઇએ લાઇવ
આજે હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલના હસ્તે 23 જેટલા સ્થાનિક નવયુવાનો કે જેઓ એન્જીનિયરીંગ અને ડિપ્લોમા ડિગ્રી ધારકો ધરાવતા હતા તેમને કંપનીમાં કાયમી ધોરણે અને 24 જેટલા એન્જીનિયર્સને ટ્રેઇની તરીકે જોબ લેટર એનાયત કરવામાં આવ્યા હતા.
વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ પેઢી કિરણ જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાવજીભાઈ પટેલ, ડાયરેક્ટર શ્રી દિનેશ લાખાણી અને શ્રી રાજેશ લાખાણીએ સુરતના ખજોદ ખાતે નિર્માણાધીન સુરત ડાયમંડ બુર્સની સાઇટની ગઇ તા.16 ઓક્ટોબર 2021ના રોજ શનિવારે રૂબરુ મુલાકાત લીધી હતી. કિરણ જેમ્સ ડાયમંડ કંપનીએ સુરત ડાયમંડ બુર્સમાં અંદાજે 1 લાખ ચો.ફૂટ જેટલી વિશાળ ઓફિસ સ્પેશ ખરીદી છે અને તેના ઇન્ટીરીયર ડેકોરેશન માટે કિરણ જેમ્સના ટોપ મેનેજમેન્ટ ઓફિશયલ્સે ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. કંપનીનો પ્લાન છે કે ડાયમંડ બુર્સ ખાતે સાકાર થઇ રહેલી કિરણ જેમ્સની ઓફિસમાં વૈશ્વિક સ્તરની તમામ અત્યાધુનિક સુવિધાઓ હશે જ્યાં કર્મચારીઓને કામ કરવા માટેનું બળ મળે તેવું વાતાવરણ હશે.
કિરણ જેમ્સના સૂત્રોએ જણાવ્યુ હતું કે સુરત ડાયમંડ બુર્સના પ્રોજેક્ટમાં આકાર પામી રહેલી કિરણ જેમ્સની ઓફિસ અત્યાધુનિક સુવિધાઓ અને વેલ ઇકવીપ્ડ હશે. ઓફિસ સ્પેસની ડિઝાઇનનું કામ જાણીતા મનીષ ચોક્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કિરણ જેમ્સએ 15 માળની ઇમારતના ચાર માળમાં ફેલાયેલી 100,000 ચોરસ ફૂટથી વધુ ઓફિસ સ્પેસ કબજો મેળવીને ઇન્ટીરીયર ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાવી દીધી છે.
કિરણ જેમ્સના મેનેજમેન્ટ દ્વારા જણાવાયા મુજબ સુરત ડાયમંડ બુર્સ જેવા મોટા સંકુલમાં જવા માટે કંપની ઉત્સાહિત છીએ. ડાયમંડ બુર્સ ખાતેની કિરણ જેમ્સની ઓફિસમાં 2000 થી વધુ હીરા સહાયકો અને 500 વેચાણ અને સહાયક ટીમને સમાવશે. કિરણ જેમ્સ સુરત ડાયમંડ બુર્સની નવીનત્તમ ઓફિસ ખાતે પોતાની વેચાણ ટીમ, ખાતાઓ, માનવ સંસાધન અને માર્કેટિંગ ટીમને સંપૂર્ણપણે શીફ્ટ કરવાની યોજના ધરાવે છે. કિરણ જેમ્સ પોતાના કર્મચારીઓએ શ્રેષ્ઠત્તમ માહોલમાં કાર્ય કરી શકે તેવું વાતાવરણ આપવા માટે કટિબદ્ધ છે. કિરણ પરિવારના દરેક સભ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને કાર્યસ્થળની રચના કરવામાં આવશે તેમ કિરણ જેમ્સના નિયામક માવજીભાઇ પટેલે જણાવ્યું હતું.
રોટરેક્ટ ડિસ્ટ્રિકટ 3060, જેમાં ૬૮ જેટલી ક્લબ આવેલી છે જેમની વાર્ષિક એવોર્ડ સેરેમનીનું આયોજન સેલવાસ સ્થિત ટ્રીટ રિસોર્ટ ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું.
રોટરેક્ટ ડિસ્ટ્રીક્ટ 3060ની એવોર્ડ સેરેમનીમાં રોટરેક્ટ ક્લબ સુરત ઈસ્ટને 6 એવોર્ડ સાથે છવાઇ ગયું હતું. રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઇસ્ટને નીચે મુજબના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
સૌથી વધુ નવા મેમ્બર માટે એવોર્ડ, તેમજ
નીતિન ધામેલિયા ને બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રેસિડેન્ટ નો એવોર્ડ ,
ભાવેશ ઘેલાણી ને આઉટસ્ટેન્ડિંગ ડિસ્ટ્રિકટ ઓફિસર, તેમજ
કોરોના કાળ માં અવિરત પણે ચાલતું ભોજન નો પ્રોજેક્ટ સેવા ને બેસ્ટ કૉમ્યુનિટી પ્રોજેક્ટ આપવામાં આવ્યો સાથે સાથે
ડી.આર.આર સાઈટેશન તેમજ પ્રતીક વસોયા, અને
કેયુર કુકડીયા ને રેકેગનાઇજેશન ના એવોર્ડ પ્રાપ્ત થયા હતા.
સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરના પ્રેસિડેન્ટ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રી શ્રી કિશોર બિંદલ, શ્રી મુકેશભાઇ દલાલ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આજે તા.20મી ઓક્ટોબર 2021ને બુધવારની સવારે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર. ૧૦ ( અડાજણ – પાલ – ઈચ્છાપોર ) નાં કોર્પોરેટર શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલાનાં જનસંપર્ક કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ સંપન્ન કરવામાં આવ્યો હતો.
આ સરનામે સંપર્ક કરી શકાશે
સુરત મહાનગરપાલિકા વોર્ડ નં.10, અડાજણ, પાલ, ઇચ્છાપોરીયા વિસ્તારના કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલાના જનસંપર્ક કાર્યાલયનું સરનામું નીચે મુજબ છે.
પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી ચૂકેલા કેપ્ટન અમરિન્દર સિંહે તા.19-10-21ને મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી બનાવશે. કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠકરાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ખેડુતો સહિત પંજાબ અને તેમના લોકોના હિતોની સેવા માટે જલ્દી નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરવામાં આવશે. કેપ્ટને ભાજપ સાથે સશર્ત ગઠબંધન કરવાની પણ વાત કરી છે. સીએમ પદેથી રાજીનામુ આપ્યા પછી કેપ્ટને નવી પાર્ટી બનાવાના સંકેત આપ્યા હતા.
અમરિન્દર સિંહે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે રીતે મારી સાથે કોંગ્રેસમાં વ્યવહાર થયો, સાડા દસ વાગે મને કોંગ્રેસ હાઈકમાન કોલ કરે છે કે તમે રાજીનામુ આપી દો. મેં એક વાર પણ ન પૂછ્યું કે કેમ? મેં તરત જ રાજીનામુ લખીને ચાર વાગે રાજ્યપાલને સુપરત કર્યુ. જે નિરીક્ષકો આવ્યા હતા તેઓએ તમામને કોલ કર્યા, પરંતુ સીએમ હાઉસમાં કોઈને ખબર ન પડી. જો 50 વર્ષ બાદ મારી વિશ્વસનીયતા પર શંકા થઈ રહી છે તો પછી કંઈ બચ્યુ નથી.
પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, જો આગામી વર્ષની શરૂઆતમાં યોજનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડુતોના હિતમાં ત્રણેય કૃષિ કાયદા પર ચાલી રહેલા વિવાદનું સમાધાન કરી દેવામાં આવે તો તેઓ ભાજપ સાથે સીટો શેર કરવા પર વિચાર કરશે. તેઓએ કહ્યું કે, તેઓ સમાન વિચારધારા ધરાવતા દળો જેવા અલગ થયેલા અકાલી સમૂહો, ખાસ કરીને ઢીંડસા અને બ્રહ્મપુરા સમૂહની સાથે ગઠબંધનની સંભાવના પણ જોઈ રહ્યાં છે.
અમરિન્દર સિંહે કહ્યું કે, જ્યાં સુધી હું અમારા લોકો અને અમારા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત નથી કરી લેતો, ત્યાં સુધી આરામથી બેસીસ નહીં. પંજાબને રાજકીય સ્થિરતા અને આંતરીક તથા બહારના ખતરાથી સુરક્ષાની જરૂર છે. હું આપણાં લોકોને વચન આપું છું કે, એની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એ બધું જ કરીશ કે જે આજે દાવ પર લાગેલું છે.
પૂર્વ ચેમ્પિયન શ્રીલંકાનો બુધવારે ટી-20 વર્લ્ડ કપના રાઉન્ડ-વનમાં આયરલેન્ડનો સામનો થશે. આ મેચની વિજેતા ટીમ સુપર-12 રાઉન્ડમાં પહોંચવાની નજીક પહોંચી જશે. શ્રીલંકા અને આયરલેન્ડની ટીમ તેમના પહેલા મેચમાં જીત મેળવી ચૂકી છે. શ્રીલંકાએ નામીબિયાને અને આયરલેન્ડસે નેધરલેન્ડ્સને 7-7 વિકેટે હાર આપી હતી. શ્રીલંકાએ બોલરોના શાનદાર દેખાવથી અને આયરલેન્ડે રમતના દરેક વિભાગમાં સક્ષમ દેખાવ કરીને જીત અંકે કરી હતી.
યરલેન્ડના મીડિયમ પેસર કર્ટિસ કેમ્ફરે ચાર દડામાં ચાર વિકેટ લઇને રેકોર્ડ કર્યો હતો. શ્રીલંકાના સુકાની દાસુન શનાકાને ખબર છે કે આયરલેન્ડ સામે રાહ આસાન નહીં હોય. આથી તેની ટીમે આ મુકબલામાં ભૂલોથી બચીને રમવું પડશે. ટીમને કુસાલ પરેરા, પથુમ નિસંકા અને અનુભવી દિનેશ ચંદિમાલ પાસેથી શાનદાર ઇનિંગની આશા રહેશે. વિશ્વ કપમાં શ્રીલંકા માટે બે સ્પિનર મહેશ થેકશાના અને વાનિંદુ હસંરાગની જોડી હુકમના એક્કા જેવી છે. તેમનાં પ્રદર્શન પર ટીમની નજર રહેશે.
નેધરલેન્ડસ સામેની શાનદાર જીતથી આયરલેન્ડની ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. શ્રીલંકા સામેના મેચમાં આયરલેન્ડની બોલિંગથી વધુ બેટિંગની કસોટી થશે. શ્રીલંકાની બોલિંગમાં વિવિધતા છે. તેની સામે આયરલેન્ડે મોટો સ્કોર કરવો પડશે.
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના બે સુરતી ક્રિકેટરો, ચિરાગ ગાંઘી (મિડલ આેડૅર બેટ્સમેન), હાર્દિક પટેલ (લેફટ આમૅ સ્પિનર)ની ગુજરાત ક્રિકેટ ટીમમાં બી.સી.સી.આઈ. દ્રારા આયોજીત સૈયદ મુસ્તાક અલી ટી – ૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યા છે. આ ટુર્નામેન્ટ તારીખ ૨૮ આેકટોબર, ૨૦૨૧ આેકટોબર દિલ્હી મુકામે રમાશે.
ચિરાગ ગાંઘી આ પહેલા ગુજરાત માટે ૨૬ રણજી ટ્રોફી, ૩૬ વન-ડે, ૫૫ ટી-૨૦ મેચોમાં તેમજ હાર્દિક પટેલ ૧૭ રણજી ટ્રોફી, ૩૦ વન-ડે, ૩૨ ટી-૨૦ મેચોમાં ગુજરાતની ટીમ વતી રમી ચુકયા છે. તેમજ આ બંને અનુભવી ખેલાડી ગુજરાત રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફીઅને સૈયદ મુસ્તાક અલી ટી – ૨૦ની વિજેતા ટીમમાં મહત્વની ભુમિકા અદા કરી હતી.
આ તમામ ખેલાડીઆે એસ.ડી.સી.એના ચીફ સિલેકટર મેહુલ પટેલ(સિનીયર), વિમલ પટેલ, હિરેન પટેલ, પ્રફુલ પટેલ તથા હેડ કોચ શ્રી પ્રતિક પટેલ અને કોચ શ્રી વિપુલ પટેલનાં દેખરેખ હેઠળ તાલીમ લે છે.
આ બંને ખેલાડીઆેને એસ.ડી.સી.એ.ના માનનીય પ્રમુખ હેમંતભાઇ કોન્ટ્રાકટર, મેન્ટર કનૈયાભાઇ કોન્ટ્રાકટર, ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષભાઇ દેસાઇ તેમજ મેનેજીંગ કમિટી સભ્યો અને ક્રિકેટ કમિટી સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.