CIA ALERT

Blog - Page 13 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 15, 2026
WhatsApp-Image-2026-06-15-at-18.16.32-1280x853.jpeg
12min118

વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 : ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે એક નવી દિશા

SGCCI દ્વારા નીતિનું વિશ્લેષણ

ગુજરાત સરકારે જાહેર કરેલી વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026″ રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટેનું એક મહત્વપૂર્ણ અને દુરંદેશી પગલું છે. આ નીતિ માત્ર રોકાણ આકર્ષવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગુજરાતને આગામી બે દાયકામાં વૈશ્વિક સ્તરે અગ્રણી મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન અને ટેક્નોલોજી હબ તરીકે સ્થાપિત કરવાના વિઝન સાથે તૈયાર કરવામાં આવી છે.

વર્ષ 2020ની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પછી વૈશ્વિક અર્થવ્યવસ્થા, ટેક્નોલોજી અને સપ્લાય ચેઇનમાં મોટા ફેરફારો આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને નવી પોલિસીમાં સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઇ-મોબિલિટી, રોબોટિક્સ, ડ્રોન, R&D અને સ્ટાર્ટઅપ્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

2020 અને 2026ની પોલિસી વચ્ચેના મુખ્ય ફેરફારો

મુદ્દોઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020વિકસિત ગુજરાત પોલિસી 2026
તાલુકા વર્ગીકરણ3 કેટેગરી (Category 1, 2, 3)માત્ર 2 કેટેગરી – A (Developing) અને B (Developed)
MSME વ્યાખ્યાજૂની MSME વ્યાખ્યા આધારિતકેન્દ્ર સરકારની સુધારેલી MSME વ્યાખ્યા સાથે સુસંગત
થ્રસ્ટ સેક્ટર્સEV, Industry 4.0, Green EnergySemiconductor, Green Hydrogen, Robotics, Drones, E-Mobility સહિત વિસ્તૃત ક્ષેત્રો
R&D સહાયમર્યાદિત સહાય50% સુધી કેપિટલ સબસિડી અને વિશેષ R&D સપોર્ટ
Startup સહાય₹20,000 નિર્વાહ ભથ્થું₹25,000 નિર્વાહ ભથ્થું અને મહિલા સ્ટાર્ટઅપ માટે ₹30,000
Mega Projectsમર્યાદિત પ્રોત્સાહનવધુ ઊંચી કેપિટલ, વ્યાજ અને પાવર સબસિડી
Environmental Supportપ્રાથમિક પ્રોત્સાહનોZLD, Wastewater Recycling અને Cleaner Production માટે વિશેષ સહાય

નવી નીતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાત હવે માત્ર ઉત્પાદન આધારિત અર્થતંત્ર નહીં પરંતુ ટેક્નોલોજી અને જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે.

નીતિના મુખ્ય મુદ્દાઓ (Key Policy Highlights)

🔹 તાલુકા વર્ગીકરણ અને MSME વ્યાખ્યા

તાલુકા વર્ગીકરણમાં મહત્વનો ફેરફાર

અગાઉની નીતિમાં તાલુકાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. નવી નીતિમાં તેને સરળ બનાવીને માત્ર બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે:

  • Category A – Developing Talukas
  • Category B – Developed Talukas

આ ફેરફારથી ઉદ્યોગકારો માટે પ્રોત્સાહનોની સમજ વધુ સરળ બનશે અને પછાત વિસ્તારોમાં રોકાણને વધુ પ્રોત્સાહન મળશે.

MSME વ્યાખ્યા

MSME ની વ્યાખ્યાને કેન્દ્ર સરકારની નવી વ્યાખ્યા સાથે સુસંગત બનાવવામાં આવી છે, જેના કારણે વધુ એકમો MSME લાભો મેળવવા માટે પાત્ર બનશે.

🔹 સબસિડી અને પ્રોત્સાહનો

નવી પોલિસીની સૌથી મોટી વિશેષતા એ છે કે હવે માત્ર MSME જ નહીં પરંતુ:

  • MSME
  • Large Industries
  • Mega Projects
  • Ultra Mega Projects

તમામ માટે કેપિટલ, વ્યાજ અને પાવર સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે.

માઇક્રો એન્ટરપ્રાઇઝિસ માટે વિશેષ લાભ

માઇક્રો એન્ટરપ્રાઇઝિસને મળતી કેપિટલ સબસિડી પ્રથમ વર્ષમાં જ મુક્ત કરવામાં આવશે, જેના કારણે શરૂઆતના તબક્કે રોકડ પ્રવાહની સમસ્યા ઓછી થશે.

🔹 થ્રસ્ટ સેક્ટર્સ

રાજ્યે ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને નીચેના ક્ષેત્રોને વિશેષ પ્રોત્સાહન આપ્યું છે:

  • Green Energy
  • Green Hydrogen
  • Semiconductors
  • Electronics
  • E-Mobility
  • Robotics
  • Drones
  • Advanced Manufacturing

આ ક્ષેત્રો આગામી દાયકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થાના મુખ્ય વૃદ્ધિ એન્જિન બનવાના છે.

🔹 Startup Ecosystem માટે વિશેષ સહાય

ગુજરાતે સ્ટાર્ટઅપ ક્ષેત્ર માટે વધુ આકર્ષક સહાય પેકેજ જાહેર કર્યું છે.

સહાયલાભ
Sustenance Allowance₹25,000 પ્રતિ મહિનો
Women-led Startups₹30,000 પ્રતિ મહિનો
Seed Support₹30 લાખ સુધી
Social Impact Startupsવધારાના ₹10 લાખ
Accelerator Supportઉપલબ્ધ
Mentorship Supportઉપલબ્ધ

આ પગલાંઓ ગુજરાતને દેશના અગ્રણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે વધુ મજબૂત બનાવશે.

🔹 Industrial Infrastructure અને R&D

Industrial Parks

ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસાવવામાં આવતા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે:

  • પ્રોજેક્ટ ખર્ચના 25% સુધી સહાય
  • મહત્તમ ₹50 કરોડ સુધી કેપિટલ સબસિડી

આ પગલાંથી રાજ્યમાં નવા ઔદ્યોગિક ક્લસ્ટર્સ વિકસવાની સંભાવના વધશે.

R&D Support

સંશોધન અને વિકાસ ક્ષેત્ર માટે ગુજરાત સરકારે વિશેષ પ્રોત્સાહન જાહેર કર્યું છે.

  • 50% સુધી કેપિટલ સબસિડી
  • વાર્ષિક મહત્તમ ₹50 કરોડ સુધી સહાય
  • પેટન્ટ અને ઇનોવેશન માટે વિશેષ પ્રોત્સાહન

આ જોગવાઈઓ ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબમાંથી ઇનોવેશન હબ બનાવવામાં મદદરૂપ બનશે.

🔹 પર્યાવરણ અને ઊર્જા ક્ષેત્રે સહાય

નવી પોલિસીનો મહત્વપૂર્ણ ભાગ ટકાઉ વિકાસ (Sustainable Development) છે.

સામાન્ય પર્યાવરણ અને ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર

  • વીજળી ટેરિફ સહાય – ₹1 પ્રતિ યુનિટ

💧 Wastewater Recycling

પ્રોજેક્ટ પ્રકારસહાય
70% અથવા વધુ રિસાયક્લિંગ50% સહાય (મહત્તમ ₹75 કરોડ)
અન્ય પ્રોજેક્ટ્સ40% સહાય (મહત્તમ ₹50 કરોડ)

💧 Zero Liquid Discharge (ZLD)

MSMEs માટે

  • 50% સહાય
  • મહત્તમ ₹5 કરોડ પ્રતિ MLD

Large / Mega / Ultra Mega Projects માટે

  • 40% સહાય
  • મહત્તમ ₹7.5 કરોડ પ્રતિ MLD

🌱 Cleaner Production Technologies

MSMEs માટે

  • 50% કેપિટલ સબસિડી
  • મહત્તમ ₹1 કરોડ

Large / Mega / Ultra Mega Projects માટે

  • 25% કેપિટલ સબસિડી
  • મહત્તમ ₹2 કરોડ

આ જોગવાઈઓ રાજ્યના ઉદ્યોગોને ESG અને વૈશ્વિક Sustainability Standards સાથે સુસંગત બનાવવામાં મદદ કરશે.

સુરત અને દક્ષિણ ગુજરાત માટે સંભવિત લાભ

આ નવી પોલિસીથી ખાસ કરીને નીચેના ક્ષેત્રોને મોટો લાભ મળશે:

  • ટેક્સટાઇલ અને ટેક્નિકલ ટેક્સટાઇલ
  • ડાયમંડ અને જ્વેલરી
  • એન્જિનિયરિંગ
  • કેમિકલ અને પેટ્રોકેમિકલ
  • પ્લાસ્ટિક ઉદ્યોગ
  • ફૂડ પ્રોસેસિંગ
  • રિન્યુએબલ એનર્જી
  • ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમેશન

SGCCI નો અભિપ્રાય

વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 માત્ર પ્રોત્સાહન આપતી નીતિ નથી, પરંતુ ગુજરાતને આગામી 20 વર્ષ માટે વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે વિકસાવવાનો રોડમેપ છે.

આ નીતિ દ્વારા:

✔ નવા રોકાણો આવશે
✔ રોજગારીમાં વધારો થશે
✔ MSME ક્ષેત્ર વધુ મજબૂત બનશે
✔ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન મળશે
✔ ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રિયલ વિકાસને વેગ મળશે
✔ ગુજરાતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે

SGCCI ગુજરાત સરકારની આ દુરંદેશી પહેલને આવકારે છે અને માને છે કે આ નીતિ ગુજરાતને ભારતનું સૌથી આકર્ષક રોકાણ ગંતવ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

અશોક જીરાવાલા
પ્રમુખ
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)

June 15, 2026
ઇરાન-અમેરીકા-ડિલ.png
2min113

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઇરાન વચ્ચેના આ ઐતિહાસિક શાંતિ કરાર પર આગામી રવિવારે સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ સમજૂતીથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) ને તાત્કાલિક ફરીથી ખોલવાનો રસ્તો સાફ થઈ જશે.

સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટ્રમ્પે આ આગામી સમજૂતીની સરખામણી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં થયેલા પરમાણુ કરાર સાથે કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જૂના માળખાથી વિપરીત આ નવી ડીલ એ સુનિશ્ચિત કરશે કે ઇરાન પરમાણુ હથિયારો વિકસાવવાથી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહે.

ઇરાનની ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, બંને દેશો વચ્ચેનો આ પ્રસ્તાવિત કરાર નીચે મુજબની 14 મોટી શરતો પર આધારિત છે:

  1. ઓઇલ નિકાસ પરથી પ્રતિબંધો હટશે: ઇરાનના ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે સંકળાયેલી તમામ પ્રોડક્ટ્સની નિકાસ પર લદાયેલા પ્રતિબંધો દૂર કરવામાં આવશે.
  2. નાણાકીય સંસાધનોનો એક્સેસ: ઇરાનને તેના તમામ વૈશ્વિક નાણાકીય સંસાધનો અને બેંકિંગ વ્યવસ્થાઓનો પૂરો એક્સેસ પાછો મળશે.
  3. $24 અબજ ડૉલરનું ફંડ મુક્ત કરાશે: 60 દિવસની મધ્યસ્થી વાટાઘાટો દરમિયાન અમેરિકા દ્વારા ફ્રીઝ (જપ્ત) કરાયેલા ઇરાનના 24 અબજ ડોલર મુક્ત કરાશે, જેમાંથી 12 અબજ ડોલર તો વાતચીત શરૂ થતાં પહેલાં જ રીલીઝ કરવા પડશે.
  4. ઇરાનનું પુનર્નિર્માણ: અમેરિકા અને તેના સાથી દેશોએ ઇરાનના પુનર્નિર્માણ માટે આશરે 300 અબજ ડોલરની યોજનાઓ રજૂ કરવી પડશે.
  5. તમામ મોરચે યુદ્ધવિરામ: લેબનાન સહિતના તમામ સૈન્ય મોરચાઓ પર ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક અને હંમેશા માટે બંધ થઈ જશે.
  6. સાર્વભૌમત્વનું સન્માન: અમેરિકા ઇરાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવા અને ઇરાનના સાર્વભૌમત્વનું સન્માન કરવાનું વચન આપશે.
  7. નૌસૈનિક નાકાબંધીનો અંત: અમેરિકા દ્વારા ઇરાન આસપાસ લગાવવામાં આવેલી નૌસૈનિક નાકાબંધી 30 દિવસની અંદર સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે.
  8. અમેરિકન સેના પાછી ખેંચાશે: અમેરિકન સૈન્ય દળો ઇરાનની આસપાસના વિસ્તારો અને સરહદો પરથી પાછા હટી જશે.
  9. હોર્મુઝની ખાડી ખુલશે: હોર્મુઝ સ્ટ્રેટને ઇરાનની દેખરેખ અને વ્યવસ્થા હેઠળ 30 દિવસની અંદર ફરીથી સત્તાવાર રીતે વ્યાપારી જહાજો માટે ખુલ્લી મૂકી દેવાશે.
  10. 60 દિવસની વાટાઘાટો: પરમાણુ મુદ્દાઓ અને પ્રતિબંધોને કાયમી ધોરણે હટાવવા માટે આખરી કરાર સુધી પહોંચવા 60 દિવસનો ઓફિશિયલ સમયગાળો શરૂ થશે.
  11. પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન: ઇરાન પરમાણુ હથિયાર ન બનાવવાના પોતાના એનપીટી (NPT – પરમાણુ અપ્રસાર સંધિ) ના વચનને વૈશ્વિક સ્તરે ફરીથી દોહરાવશે.
  12. સૈન્ય અને પ્રતિબંધો પર રોક: આ 60 દિવસની વાતચીત દરમિયાન અમેરિકા મિડલ ઇસ્ટ ક્ષેત્રમાં પોતાની સેના નહીં વધારે અને ઇરાન પર કોઈ નવા આર્થિક પ્રતિબંધો નહીં લગાવે.
  13. યુએન (UN) ની મંજૂરી: આ શરતોના અમલીકરણ પર નજર રાખવા એક વિશેષ મોનિટરિંગ સિસ્ટમ બનાવવામાં આવશે, અને આખરી કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવ દ્વારા મંજૂરી આપવામાં આવશે.

14.મિસાઇલ પ્રોગ્રામ ડીલની બહાર: સૌથી મહત્વની વાત એ છે કે, ઇરાનનો વિવાદાસ્પદ મિસાઇલ પ્રોગ્રામ અને તેના દ્વારા પ્રાદેશિક ‘રેઝિસ્ટન્સ ગ્રુપ્સ’ (પ્રતિરોધક જૂથો) ને અપાતું સપોર્ટ આ શાંતિ સમજૂતીનો ભાગ નથી.

અહેવાલો અનુસાર, ઇરાન પોતાની શરતો પર મક્કમ છે. જ્યાં સુધી અમેરિકા શરૂઆતના 12 અબજ ડોલર મુક્ત નહીં કરે, ઓઇલ પરના પ્રતિબંધો નહીં હટાવે અને નૌકાદળની નાકાબંધી ખતમ નહીં કરે, ત્યાં સુધી આખરી તબક્કાની સત્તાવાર વાતચીત શરૂ કરવામાં આવશે નહીં.

June 15, 2026
image-7.png
1min166

ભારતની મહિલા ટી-20 ટીમે અહીં રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાનને 64 રનથી હરાવીને એને વર્લ્ડ કપના ઇતિહાસમાં વધુ એક નાલેશી તરફ મોકલી હતી. ટી-20 વિશ્વ કપ (T20 WC)માં ભારત હવે પાકિસ્તાન કરતાં 7-2થી આગળ છે. બૅટિંગમાં સ્મૃતિ મંધાના (68 રન, 44 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને બોલિંગમાં દીપ્તિ શર્મા (4-0-10-5)નો દમદાર પર્ફોર્મન્સ હતો. દીપ્તિએ વિક્રમજનક બોલિંગમાં પહેલાં બે વિકેટ લીધી હતી અને મૅચની આખરી બનેલી 17મી ઓવરમાં પાંચ બૉલમાં આખરી ત્રણ વિકેટ લઈ લીધી હતી.

પાકિસ્તાન 171 રનના લક્ષ્યાંક સામે 106 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી સ્પિનર શ્રી ચરનીએ ત્રણ અને શેફાલી વર્માએ એક વિકેટ મેળવી હતી. વિકેટકીપર ઓપનર મુનીબા અલીના 41 રન ટીમમાં હાઇએસ્ટ હતા. પાકિસ્તાન વર્લ્ડ કપમાં 10 વર્ષથી ભારત સામે નથી જીત્યું એ જોતાં આ મૅચમાં પણ ભારત જીતવા ફેવરિટ હતું.

ભારતે 171 રનનો ટાર્ગેટ આપ્યા બાદ પાકિસ્તાન (Pakistan)ની 10 ઓવરમાં 72 રનના સ્કોર સુધીમાં ત્રણ વિકેટ લઈ લીધી એને પગલે ફાતિમા સનાની ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી. ભારતને પાકિસ્તાની ખેલાડીઓને વધુ માનસિક દબાણમાં લાવીને આ મૅચ જીતવાની સારી તક હતી અને એવું જ બન્યું હતું.

એ પહેલાં, ભારતે બૅટિંગ પસંદ કરીને છ વિકેટે 170 રન કર્યા હતા. સ્મૃતિ મંધાના ભારત વતી ટી-20માં સૌથી વધુ સિક્સર ફટકારવાનો હરમનપ્રીતનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. હરમનની 86 સામે હવે મંધાનાની 87 સિક્સર છે. ભારતની ઇનિંગ્સમાં હરમનપ્રીત કૌર (36 રન, 35 બૉલ, ચાર ફોર) અને વિકેટકીપર રિચા ઘોષ (34 રન, 17 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ના પણ મહત્વના યોગદાન હતા. વન-ડે વર્લ્ડ કપની સુપરસ્ટાર સ્પિન ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા 12 રન બનાવીને અણનમ રહી હતી. સાદિયા અને કૅપ્ટન ફાતિમા સનાએ બે-બે વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે આ મૅચ પહેલાં ઇંગ્લૅન્ડનો શ્રીલંકા સામે, સ્કૉટલૅન્ડનો આયરલૅન્ડ સામે, ઑસ્ટ્રેલિયાનો સાઉથ આફ્રિકા સામે, વેસ્ટ ઇન્ડિઝનો ન્યૂ ઝીલૅન્ડ સામે અને બાંગ્લાદેશનો નેધરલૅન્ડ્સ સામે વિજય થયો હતો.

June 15, 2026
gujarat-police.jpg
1min174

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ / હથિયારી પોલીસ કોન્સ્ટેબલ / જેલ સિપાઇ /એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની કુલ 12,733 પોસ્ટ માટે આજે 14 જૂનના રોજ લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદ મળી કુલ-7 શહેરોના મળીને કુલ 879 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી હતી. જેમાં, શિક્ષણ વિભાગના આશરે 17000 જેટલા અને પોલીસ વિભાગના આશરે 9000 જેટલા અધિકારી / કર્મચારીઓ દ્વારા ફરજ બજાવી હતી.

આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એ હેતુ દરેક જિલ્લામાં પોલીસ અધિક્ષક કક્ષાએથી તથા પોલીસ કમીશ્નર વિસ્તારમાં આઇ.જી.પી./ડી.આઇ.જી.પી. કક્ષાના અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ યોજવામાં આવી હતી. જેમાં કુલ 19 જેટલા આઇ.પી.એસ. અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પરીક્ષાની પ્રક્રિયાનું CCTV રેકોર્ડીંગ તેમજ લાઇવ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. તેમજ પરીક્ષા આપનાર દરેક ઉમેદવારોનું બાયોમેટ્રીક વેરીફીકેશન પણ કરવામાં આવ્યું હતું.

આ પરીક્ષામાં કુલ 2,63,345 પૈકી, આશરે 2,40,000 ઉમેદવારો એટલે કે કુલ ઉમેદવારોના સરેરાશ 91% ઉમેદવારોએ હાજર રહીને પરીક્ષા આપી હતી. આમ આ સમગ્ર પરીક્ષાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. હાલ બોર્ડ દ્વારા દરેક ઉમેદવારોની OMR શીટની સ્કેનીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 24 કલાકમાં પરીક્ષામાં ભાગ લીધેલ તમામ ઉમેદવારોની સ્કેન કરેલ OMR શીટ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઇન મુકવામાં આવશે. ઉમેદવારો પોતાની OMR શીટ 29 જૂન સુધી ડાઉનલોડ કરી શકશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલની જગ્યાઓ માટે લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર એકંદરે નહિ વધારે અઘરું કે નહિ વધારે સહેલું પણ એકંદરે સંતુલિત અને ઉમેદવારોની તાર્કિક ક્ષમતા ચકાસનારું રહ્યું હતું. પ્રશ્નપત્રના વિષયવાર વિશ્લેષણ પર નજર કરીએ તો, ગણિત (Mathematics) અને રીઝનિંગ (Reasoning) વિભાગને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં કોડિંગ-ડીકોડિંગ , બેઠક વ્યવસ્થા (પઝલ) , લોહીના સંબંધો , નફો-નુકસાન , લ.સા.અ.-ગુ.સા.અ. , સંભાવના , અને સમય-અંતર-ઝડપને લગતા ઊંડાણપૂર્વકના પ્રશ્નો પૂછાયા હતા.

આ ઉપરાંત, ઉમેદવારોની ભાષાકીય અને આકલન શક્તિની ચકાસણી કરવા માટે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ , પર્યાવરણ પ્રદૂષણ , સનદી સેવાઓ અને ગુપ્તચર સંસ્થા ‘રો’ (RAW) આધારિત લાંબા ફકરાઓ (Comprehension) મૂકવામાં આવ્યા હતા , જેના આધારે પ્રશ્નોના જવાબો શોધવાના હતા.

બીજી તરફ, સામાન્ય જ્ઞાન (GK) અને બંધારણ (Constitution) વિભાગમાં પણ પ્રશ્નોનું સ્તર ઘણું પ્રભાવશાળી જોવા મળ્યું હતું. ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો , કટોકટીની જોગવાઈઓ , સંસદીય સમિતિઓ અને ન્યાયતંત્રને લગતા પ્રશ્નો વિગતવાર પૂછવામાં આવ્યા હતા.

ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસામાં ગુજરાતની લોકસંસ્કૃતિ , આદિવાસી મેળાઓ , ભવાઈ અને સ્વાતંત્ર્ય સંગ્રામની ક્રાંતિકારી ઘટનાઓ જેમ કે કાકોરી ટ્રેન લૂંટ અને ભગતસિંહ પર વિશેષ ભાર મૂકાયો હતો. ભૂગોળમાં ખડકો , જ્વાળામુખી અને નદીઓ તેમજ વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહો (Current Affairs) માં વર્ષ 2026ના અંદાજપત્રની જોગવાઈઓ , રાષ્ટ્રીય પુરસ્કારો અને નવીન સરકારી યોજનાઓ અંગેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

June 13, 2026
WhatsApp-Image-2026-06-11-at-15.55.34-1280x853.jpeg
2min165


 આ સફળતા ભવિષ્ય માટે લીડર્સને તૈયાર કરવા માટે કાર્ય-સંકલિત શિક્ષણની અસર પર ભાર મૂકે છે, જેમાં AM/NS India BITS પિલાની સાથે ક્ષમતા વિકાસને આગળ ધપાવી રહ્યું છે.

 સ્નાતકો કાર્યો આવતા પડકારોમાં શૈક્ષણિક શિક્ષણનો ઉપયોગ કરીને વાસ્તવિક દુનિયાની અસર દર્શાવે છે, જે મુખ્ય કાર્યોમાં તેમની કાર્યક્ષમતા વધારે છે.

વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો વચ્ચેના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ BITS પિલાની સાથેની તેની વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ક્ષમતા નિર્માણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રોસેસ એન્જિનિયરિંગમાં તેના બી.ટેક પ્રોગ્રામની સફળતાને આગળ ધપાવતા, AM/NS Indiaએ હવે મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટમાં ઉદ્ઘાટન MBA બેચના સ્નાતક સાથે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

આ દીક્ષાંત સમારોહ ગુરુવારે હજીરામાં AM/NS Indiaના મુખ્ય પ્લાન્ટ ખાતે યોજાયો હતો, અને તેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના પોલીસ કમિશનર, શ્રી અનુપમ સિંહ ગહલૌત, IPS ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટીલ ક્ષેત્રમાં કાર્ય-સંકલિત શિક્ષણ અપનાવવામાં એક અગ્રણી તરીકે, AM/NS India ભવિષ્ય માટે સક્ષમ કાર્યબળ તૈયાર કરવા માટે વર્ક ઇન્ટિગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ્સ (WILP) નો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યું છે. કંપનીએ તેના બી.ટેક પ્રોગ્રામનું સફળ શરૂઆત અને વિસ્તરણ પછી તેના વિવિધ વિભાગોમાં નેતૃત્વ ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટમાં MBA શરૂ કર્યું. આ પ્રોગ્રામમાં હાલમાં અનેક બેચ ચાલી રહ્યા છે, જે કર્મચારીઓની મજબૂત ભાગીદારી અને સતત શિક્ષણ પ્રત્યે સંસ્થાકીય પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પરંપરાગત MBA પ્રોગ્રામ્સથી વિપરીત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS ઇન્ડિયા) માટે BITS પિલાની અભ્યાસક્રમ ખાસ કરીને આધુનિક સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રના જટિલ પડકારોને ઉકેલવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવ્યો હતો. આ સખત પ્રોગ્રામમાં મેનેજમેન્ટના મુખ્ય સિદ્ધાંતો—જેવા કે સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશન, સ્ટ્રેટેજિક ફાઈનાન્સ અને ઓર્ગેનાઈઝેશનલ લીડરશીપ—સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ અને ડેટા-ડ્રિવન ડિસિઝન મેકિંગ ના વિશિષ્ટ મોડ્યુલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પ્રોગ્રામ દ્વારા સહભાગીઓ શૈક્ષણિક શિક્ષણને AM/NS Indiaમાં તેમની ચાલુ ભૂમિકાઓ સાથે જોડવા માટે સક્ષમ બન્યા. પ્રોગ્રામની ફ્લેક્સિબલ મલ્ટિ-મોડલ ડિલિવરી સિસ્ટમનો લાભ ઉઠાવીને, કર્મચારીઓએ વ્યવસાયની મહત્વપૂર્ણ કામગીરીમાં તેમનું યોગદાન આપવાનું ચાલુ રાખવાની સાથે તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, જે સંસ્થાની શિક્ષણ અને પ્રદર્શનની મજબૂત સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે.

ગ્રેજ્યુએટ થયેલી આ બેચ, જે સ્ટીલમેકિંગ અને ડિજિટલ ટેક્નોલોજી જેવા મુખ્ય વિભાગોનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે પહેલેથી જ માપી શકાય તેવો વ્યવસાયિક પ્રભાવ દર્શાવ્યો છે. તેમના કેપસ્ટોન પ્રોજેક્ટ્સ દ્વારા, સહભાગીઓએ કાર્યોમાં આવતા અવરોધોને દૂર કર્યા, કાર્યક્ષમતામાં વધારો કર્યો અને સમગ્ર સંસ્થામાં સતત સુધારણાની પહેલોમાં યોગદાન આપ્યું.

સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંઘ ગેહલોત, IPS એ જણાવ્યું હતું કે: “આ મહત્વપૂર્ણ સફળતા બદલ હું ગ્રેજ્યુએટ થયેલા પ્રોફેશનલ્સને અભિનંદન આપું છું. વ્યવસાયિક જવાબદારીઓની માંગ સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતાનું સંતુલન જાળવવું એ મજબૂત શિસ્ત અને વચનબદ્ધતા દર્શાવે છે. હું બધા સ્નાતકોને શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા, તેમના સંગઠનો અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા અને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં પોતાનો ભાગ ભજવવા પ્રોત્સાહિત કરું છું.”

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ના ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિનેડન્ટ – એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન, આશુતોષ તેલંગે જણાવ્યું હતું કે: “AM/NS India ખાતે, અમે કેવી રીતે ક્ષમતાનું નિર્માણ કરીએ છીએ અને પ્રદર્શનને વેગ આપીએ છીએ તેના કેન્દ્રમાં સતત શિક્ષણ રહેલું છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ એવા લીડર્સ તૈયાર કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે જેઓ વ્યવસાયિક સમજણને ટેકનોલોજીકલ અને કાર્યકારી શ્રેષ્ઠતા સાથે જોડી કરી શકે છે. BITS પિલાની સાથેના મળીને અમે ભવિષ્ય માટે સક્ષમ પ્રતિભાશાળી લોકો તૈયાર કરી રહ્યા છીએ જે નવીનતાને વેગ આપશે અને ભારતમાં વિશ્વસ્તરીય સ્ટીલ એન્ટરપ્રાઇઝ બનાવવા તરફની અમારી સફરમાં નોંધપાત્ર યોગદાન આપશે.”

બિટ્સ પિલાનીના ડેપ્યુટી ડાયરેક્ટર, ઓફ-કેમ્પસ પ્રોગ્રામ્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એન્ગેજમેન્ટ, પ્રોફેસર એસ. ગુરુનારાયણણે જણાવ્યું હતું કે, “BITS પિલાની WILP ખાતે, અમારી શૈક્ષણિક ફિલોસોફી એવા વિશિષ્ટ અભ્યાસક્રમોના સહ-નિર્માણ પર આધારિત છે જે મુખ્ય ઉદ્યોગોની બદલાતી બૌદ્ધિક માંગને પૂર્ણ કરે છે. AM/NS India સાથેની અમારી ભાગીદારી એ કાર્ય-સંકલિત શિક્ષણની સાચી ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે, જે શૈક્ષણિક શ્રેષ્ઠતાને ઉદ્યોગની અગ્રણી પદ્ધતિઓ સાથે જોડે છે. આજના ઝડપથી બદલતા ઔદ્યોગિક પરિદ્રશ્યમાં, નેતૃત્વ માટે માત્ર પરંપરાગત મેનેજમેન્ટ કૌશલ્યો કરતાં કંઈક વધુ જરૂરી છે; તેના માટે ટેક્નોલોજીકલ ઉત્ક્રાંતિ અને ટકાઉ વિકાસની ઊંડી સમજણ જરૂરી છે. આ MBA ગ્રેજ્યુએટ્સ નિઃશંકપણે AM/NS ઇન્ડિયાની વ્યૂહાત્મક અને કામગીરીમાં સફળતાને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

June 9, 2026
image-6.png
1min98

સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટમાં ચાલી રહેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં Date 7 June 2026 રવિવારે સ્ટેજ પાસે આવીને કેટલાક લોકો ધૂણતા તેમ જ એક મહિલાએ ધૂણતાં- ધૂણતાં આસપાસમાં ઊભેલા લોકો પર હુમલો કરતાં હોબાળો થયો હતો અને વિવાદ સર્જાયો હતો. કાર્યક્રમમાં લોકો ધૂણતા હોય એવા વિડિયો વાઇરલ થયા હતા જેના કારણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને લઈને પ્રશ્નો સર્જાયા હતા. આ મુદ્દે વિરોધ કરવા જતાં સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાની પોલીસે અટકાયત કરી હતી.

સ્ટેજ પરથી ધીરેન્દ્ર શાસ્ત્રી કંઈક બોલી રહ્યા હતા એ દરમ્યાન સ્ટેજની સામે કેટલીક મહિલાઓ, પુરુષો અને બાળક આવીને ધૂણવા માંડ્યાં હતાં. ધૂણતાં-ધૂણતાં કેટલાક લોકો ચીસો પાડતા હતા તો કેટલાક લોકો રડતા હતા. એટલું જ નહીં, કેટલાક જમીન પર આળોટતા હતા. ધૂણતા લોકોના વિડિયો વાઇરલ થયા હતા જેમાં એક મહિલાએ ધૂણતાં-ધૂણતાં સ્ટેજની આસપાસ ઊભેલા લોકો પર હુમલો કર્યો હતો. એક પત્રકાર પર પણ આ મહિલાએ હુમલો કર્યો હતો જેના કારણે હંગામો મચી ગયો હતો. જોકે લોકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.

ભૂત-પ્રેતના જે ધંધા છે એ ગુજરાતમાં ગેરકાયદે છે : પુરુષોત્તમ પીપળિયા

રાજકોટના સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘આ ભૂત-પ્રેતના જે ધંધા છે એ ગુજરાતના પ્રવર્તમાન કાયદા હેઠળ ગેરકાયદે છે તો શા માટે પોલીસ નથી રોકતી એને? શા માટે પ્રશાસન નથી રોકતું? શા માટે કલેક્ટર તંત્ર સરકારનું ધ્યાન દોરતી નથી? અને આવા ડખાળા થવા દે છે.’

બાબાએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું : મંગેશ દેસાઈ

કથાના આયોજકો પૈકીના મંગેશ દેસાઈએ કહ્યું હતું કે ‘બાબાએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા મંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપ્યું નહોતું ધૂણવા માટે.’

June 9, 2026
image-5-1280x720.png
1min158

દુનિયાના રાજકીય ઈતિહાસમાં જ્યારે પણ સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાનની ખુરશી સંભાળનારા નેતાઓનો ઉલ્લેખ થાય છે, ત્યારે અનેક રસપ્રદ આંકડા સામે આવે છે. લોકશાહી અને રાજશાહી વચ્ચે સત્તાની આ લાંબી સફર જોવી ખૂબ જ રોમાંચક છે. આજે નવમી જૂન, 2026ના રોજ ભારતના રાજકીય ફલક પર એક નવો ઈતિહાસ રચાયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌથી લાંબો સમય સતત નિર્વાચિત પીએમ રહેવાનો પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપ્યો છે…

સૌથી લાંબો સમય સુધી વડા પ્રધાનપદની ખુરશી સંભાળનારા નેતાઓની વાત કરીએ તો ઐતિહાસિક સફરના આંકડાઓને બારીકાઈથી સમજીએ તો પીએમ મોદીએ પહેલીવાર 26મી મે, 2014ના રોજ દેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આજે નવમી જૂન, 2026ના વડા પ્રધાન તરીકે તેમના કાર્યકાળના પૂરા 4,398 દિવસ એટલે કે 12 વર્ષ અને 15 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ આંકડા સાથે જ તેઓ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા કાર્યકાળવાળા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડા પ્રધાન બની ગયા છે.

આ પહેલાં આ રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નામે હતો. તેઓ 13મી મે, 1952ના રોજ દેશના પ્રથમ લોકસભા ચૂંટણી પછી વડા પ્રધાન બન્યા હતા અને સતત 4,397 દિવસ એટલે કે 12 વર્ષ 14 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. પીએમ મોદીએ આજે 4,398 દિવસ પૂરો કરીને નેહરુના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

પંડિત જવાહરલાલ નેહરુના કુલ કાર્યકાળને લઈને અવારનવાર લોકોમાં મૂંઝવણ રહે છે. નેહરુ હકીકતમાં 15મી ઓગસ્ટ, 1947ના રોજ જ દેશના વડાપ્રધાન બની ગયા હતા, પરંતુ વર્ષ 1952માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ ત્યાં સુધીનો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ એક ઈન્ટિરમ ગર્વન્મેન્ટના વડા તરીકેનો હતો. તે દરમિયાન તેઓ જનતા દ્વારા સીધી ચૂંટણી જીતીને પીએમ નહોતા બન્યા. આ જ કારણે, એક લોકતાંત્રિક રીતે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના વડા તરીકે પીએમ મોદીનો કાર્યકાળ હવે નેહરુના નિર્વાચિત કાર્યકાળથી આગળ નીકળી ગયો છે.

ભારતના સંદર્ભમાં ભલે આ સૌથી મોટો રેકોર્ડ હોય, પરંતુ વૈશ્વિક પટલ પર હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. વૈશ્વિક સ્તરે સૌથી લાંબો સમય વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ બહેરીનના પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના નામે છે. તેઓ 1971થી નવેમ્બર 2020 સુધી એટલે કે લગભગ 50 વર્ષ સુધી સતત પીએમ પદ પર રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ 38 વર્ષ પાછળ છે.

જો શુદ્ધ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોની વાત કરીએ તો આધુનિક ઇતિહાસનું સૌથી મોટું નામ સિંગાપોરના પ્રથમ પીએમ લી કુઆન યૂનું છે. તેઓ 1959થી 1990 સુધી સતત 31 વર્ષ સુધી સિંગાપોરના વડાપ્રધાન રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ આશરે 19 વર્ષ પાછળ ચાલી રહ્યા છે.

June 9, 2026
image-4.png
1min217

વર્ષ 2026માં બે ગ્રહણ લાગી ચૂક્યા છે અને હજુ બે ગ્રહણ લાગવાના બાકી છે. ચિંતાની વાત એ છે કે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ રક્ષાબંધનના દિવસે જ લાગવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે હવે રક્ષાબંધન કેવી રીતે ઉજવાશે? રાખડી ક્યારે બાંધવામાં આવશે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શું છે?

જો તમારા મનમાં પણ આ તમામ મૂંઝવણો અને સવાલો હોય, તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. આ અહેવાલ વાંચીને તમે તમારી તમામ શંકાઓ દૂર કરી શકો છો. હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે અને ગ્રહણ કાળ દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં નથી આવતું.

વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ જ દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં લાગશે. બીજી તરફ વૈજ્ઞાનિક ભાષામાં તેને બ્લડ મૂન કહેવામાં આવશે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે.

ભારતીય સમય પ્રમાણે આ ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ સવારે 6:53 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:32 વાગ્યે પૂર્ણ થઈ જશે. આ ચંદ્રગ્રહણ દિવસે લાગી રહ્યું હોવાથી તે ભારતમાં નહીં દેખાશે.

આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી તેનો સૂતક કાળ પણ માન્ય ગણાશે નહીં. તેથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં કોઈ જ અડચણ આવશે નહીં અને બહેનો કોઈપણ પ્રકારની બાધા વિના પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે.

આ વર્ષે 28 ઓગષ્ટના રોજ રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 6:10 વાગ્યાથી 9:48 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ રાહુકાળ શરૂ થતો હોવાથી તે સમયગાળામાં રાખડી બાંધવી અશુભ ફળ આપી શકે છે. બીજી તરફ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 27 ઓગસ્ટ 2026ની સવારે 9:09 વાગ્યાથી શરૂ થઈને 28 ઓગસ્ટ 2026ની સવારે 9:48 વાગ્યા સુધી રહેશે.

આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, યુરોપ, આફ્રિકા અને અમેરિકાના કેટલાક ભાગોમાં દેખાશે.