અમરનાથ યાત્રા રવિવારથી વિધિવત રીતે શરૂ થઈ છે અને યાત્રાળઓનો પહેલો જથ્થો બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થઈ ચૂક્યો છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કેકે શર્માએ લીલીઝંડી બતાવીને સંઘને રવાના કર્યો હતો. અધિકારીઓના કહેવા પ્રમાણે અમરનાથ યાત્રા માટે દેશભરમાંથી દોઢ લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે.’
આ દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને 60,000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં યાત્રાળુઓને રવાના કરતા પહેલા’ સીઆરપીએફ જવાનોએ બાલતાલ અને પહેલગામ માર્ગ ઉપર સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરી હતી.
‘ અમરનાથ માટે બાલતાલથી રવાના થયેલા પહેલા જથ્થામાં 793 પુરુષ, 203 મહિલા, 10 બાળકો, 44 પુરુષ સાધૂ અને એક મહિલા સાધુ સહિત 1051 શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે. જ્યારે પહેલગામથી 1183 શ્રદ્ધાળુ રવાના થયા છે. અધિકારીઓના કહેવા પ્રમાણે દેશભરમાંથી દોઢ લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આ યાત્રા 36 કિમી લાંબી પારંપરિક પહેલગામ માર્ગ અને ગાંદેરબલ જીલના 14 કિમી લાંબા બાલતાલ માર્ગે થાય છે. ચાલુ વર્ષે શરૂ થયેલી અમરનાથ યાત્રા આગામી 15 ઓગષ્ટે પૂર્ણ થશે.
જમ્મુના પોલીસ મહાનિરીક્ષક એમ.કે. સિન્હાએ કહ્યું હતું કે, યાત્રા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આધાર શિબિર, આશ્રય કેન્દ્ર સહિતના સ્થળોએ’ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. સિન્હાએ ઉમેર્યું હતું કે, યાત્રા અવરોધિત કરવા માટે આતંકવાદીઓની યોજના અંગે કોઈ ગુપ્તચર અહેવાલ નથી તેમ છતા વર્તમાન સુરક્ષાને ધ્યાને’ સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે.
કેન્દ્રએ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે 40000 વધારાના જવાનો તૈનાત કર્યા છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર પોલીસ, બીએસએફ અને એસએસબીના જવાનો તૈનાત રહેશે. આમ જમ્મુથી લઈને ગુફા સુધી 60,000 સુરક્ષા જવાન તૈનાત રહેશે.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now