CIA ALERT
17. May 2024

પતિની પુણ્ય તિથિ પર પત્નીએ રુદ્રાક્ષના 41 સહિત 100 છોડ વાવ્યા

Share On :
Print Friendly, PDF & Email

ક્લીન ઇન્ડિયા-ગ્રીન ઇન્ડિયા અભિયાનના પ્રણેતા યુવા ઉદ્યમી વિરલ દેસાઈના સહયોગથી ચૌહાણ પરિવારે પાલ રોડના અટલ આશ્રમ ખાતે કર્યું કાર્યક્રમનું આયોજન

સુરત :સમાજમાં આવી રહેલા આમુલ પરિવર્તનનું સહભાગી આજે શહેરનું વધુ એક પરિવાર બન્યું હતું. પતિની પુણ્યતિથિના અવસરે પત્નીએ પરિવાર સાથે મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. જેમાં ક્લીન ઇન્ડિયા-ગ્રીન ઇન્ડિયા અભિયાનના પ્રણેતા અને ગ્રીનમેન તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી ચૂકેલા યુવા ઉદ્યમી વિરલ દેસાઈના સહયોગથી આપરિવારે પાલ રોડ સ્થિત પાર્દેશ્વર મહાદેવ મંદિર અટલ આશ્રમ ખાતે રુદ્રાક્ષના 41 સહિત કુલ 100 છોડ વાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રિતેશચૌહાણનું 7 વર્ષ અગાઉ નિધન થયું હતું.જો આજે તે જીવિત હોત તો તેમની ઉમર 41 વર્ષની હોત ત્યારે પત્ની કવિતા ચૌહાણને તેમની યાદમાં રુધ્રાક્ષના 41 છોડ વાવ્યા હતા. આ પ્રસંગે પ્રિતેશની પત્ની કવિતા, પુત્રી યુકતા સહિતના પરિવારજનો તેમજ ગ્રીનમેન વિરલ દેસાઈ અને તેમની ટીમ તથા અટલઆશ્રમના મહંત બટુક ગિરિજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે યુવા ઉદ્યમી વિરલ દેસાઈએ હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશનની સ્થાપના કરીને ક્લીન ઇન્ડિયા-ગ્રીન ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે અને અત્યાર સુધી તેઓ વિવિધ જગ્યાએ 21 હાજરથી વધુ છોડ વાવી ચૂકેલા છે.આજે તેમના આ અભિયાન થકી સમાજમાં જાગૃતિ ફેલાઈ રહી છે અને લોકો સારા નરસા અંગત પ્રસંગોને પણ સમાજ સેવા સાથે જોડીને કાર્યક્રમનું આયોજન કરતા થયા છે ત્યારે તેનું શ્રેય ગ્રીનમેન વિરલ દેસાઈને જ જાય છે.

-x-x-x-x-

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :