CIA ALERT
06. May 2024

solar eclipse Archives - CIA Live

October 25, 2022
Solar-Eclipse-Surya-Grahan.jpg
1min243

આજે Date 25/10/22 ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે, જે 2022 વર્ષનું અંતિમ અને ભારતમાં દેખાનારું એકમાત્ર સૂર્યગ્રહણ છે. ગ્રહણ સ્પર્શ બપોરે 2.28 મિનિટે થશે. ગ્રહણ મધ્ય સાંજે 4.29 કલાકે અને ગ્રહણ મોક્ષ સાંજે 6.32 કલાકે થશે. સૂર્યગ્રહણએ ખગોળીય ઘટના છે, જેનું ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ ઘણું મહત્વ રહેલું છે. આ દિવસે સૂતક પાળવામાં આવે છે અને તેથી જ મંદિરોના દરવાજા પણ બંધ રહેશે તેમજ દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે.

દિવાળી ટાણે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે લાખો ભક્તોની ભીડ ઉમટતી હોય છે. જો કે, આખો દિવસ મંદિર બંધ રહેવાનો છું. આજે સવારે 4.00 કલાકે આરતી કરવામાં આવી હતી અને 4.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. પહેલા સાંજની આરતી 6.30 કલાકે થતી હતી પરંતુ સૂર્યગ્રહણના કારણે આજે 9.30 કલાકે કરવામાં આવશે. બેસતા વર્ષે સવારની આરતી 6 વાગ્યે કરવામાં આવશે અને આ દિવસે માતાને અન્નકૂટનો ભોગ પણ ધરાવવામાં આવશે.

દ્વારકાધીશનું મંદિર પણ આજે થોડા કલાકો માટે બંધ રહેવાનું છે. 7.30 વાગ્યે ઉત્પાથન દર્શન, સાંજે 7.30થી 11 વાગ્યા સુધી દર્શન, રાતે 11 વાગ્યે મંદિરના દ્વાર બંધ થઈ જશે. નૂતન વર્ષ પર સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે અને બપોરે 1થી સાંજના છ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.

શામળાજી મંદિર આખો દિવસ ખુલ્લું રહેશે
મધ્યગુજરાતમાં આવેલું પવિત્ર તીર્થસ્થાન પાવાગઢ પણ સૂર્યગ્રહણના કારણે બંધ રહેશે. તો ભક્તો પોઈચામાં આવેલા નીલકંઠ ધામના દર્શન સૂર્યગ્રહણના સમયે પણ કરી શકશે. તો શામળાજી મંદિરમાં આરતી કે દર્શનના સમયમાં સૂર્યગ્રહણના કારણે કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે તેમ મેનેજર કનુભાઈએ જણાવ્યું હતું. જણાવી દઈએ કે, ભારત સિવાય આ ગ્રહણ મોટાભાગે યુરોપ, મધ્ય પૂર્વ એશિયા અને ઉત્તર આફ્રિકા, પશ્ચિમ એશિયા અને ઉત્તર હિંદ મહાસાગરમાં જોવા મળશે.

October 9, 2022
solar.jpeg
1min254

પુષ્યનક્ષત્રથી દિવાળીના પર્વની શરૂઆત થશે. આ વર્ષે દિવાળીના પર્વમાં તિથિમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ધનતેરસ 22 અને 23 ઓક્ટોબર એમ બે દિવસ ઉજવાશે. 22 ઓક્ટોબરે સાંજે 6.05 કલાકથી આસો વદ તેરસ તિથિ શરૂ થઈ રહી છે. જે 23 ઓક્ટોબરને સાંજે 6.03 કલાક સુધી રહેશે. એટલે કે 22 અને 23 ઓક્ટોબર એમ દિવસ ધનતેરસ રહેશે.
દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે ધોખો છે. એટલે કે એક દિવસ પડતર છે. એ ખાલી દિવસમાં સૂર્યગ્રહણ થવાનું છે. 24 ઓક્ટોબરે દિવાળી છે અને 26 ઓક્ટોબરે બેસતું વર્ષ છે. 25 ઓક્ટોબરને મંગળવારના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે. સંવત 2078નું અંતિમ અને એકમાત્ર સૂર્યગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું છે. પરિણામે મંદિરો અને ધાર્મિક ક્રિયાઓમાં વેધ પાળવાનો રહેશે.

ગ્રહણ જેવી ખગોળીય ઘટનાનું ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ મહત્વ રહેલું છે. 25 ઓક્ટોબરે થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ચર્ચાનો વિષય બન્યું છે કારણકે તે દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે છે. બંને શુભ તહેવારોની વચ્ચે ગ્રહણ આવી જતાં લોકોમાં પણ શુભ કાર્યોને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. સંવત 2078માં કુલ પાંચ ગ્રહણ થયા છે, જે પૈકીનું છેલ્લું 25 ઓક્ટોબરને મંગળવારે થશે. તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારત, પશ્ચિમ એશિયા, યુરોપ, ઉત્તર-પૂર્વ આફ્રિકામાં દેખાશે.

ગ્રહણ સ્પર્શ બપોરે 2.28 મિનિટે થશે. ગ્રહણ મધ્ય સાંજે 4.29 કલાકે અને ગ્રહણ મોક્ષ સાંજે 6.32 કલાકે થશે. અગાઉ 19 નવેમ્બર 2021ના રોજ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થયું હતું, 4 ડિસેમ્બર 2021ના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ હતું. 30 એપ્રિલ 2022ના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને 16 મેએ થયેલું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાયું નહોતું. હવે, 25 ઓક્ટોબરે થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે. જેથી મંદિરમાં ધાર્મિક વિધિ પ્રમાણે ક્રિયાઓ થશે. વેધ પાળવાનો હોવાથી મંદિરના મુખ્ય દ્વાર ગ્રહણ વખતે બંધ રખાશે.

આ વર્ષે કાળી ચૌદશ અને દિવાળી તેમજ નૂતન વર્ષ પણ તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે ઉજવાશે. સોમવારે 24 ઓક્ટોબરે સાંજે 5.28 કલાક સુધી ચૌદશની તિથિ છે. રવિવારે સાંજે 6.04 કલાકથી સોમવારે સાંજે 5.28 સુધી ચૌદશની તિથિ છે. 24 ઓક્ટોબરે જ સાંજે 5.29 કલાકથી દિવાળી શરૂ થાય છે. એ જ દિવસે દિપમાલા અને દિપદાન થશે. ચિત્રા નક્ષત્રમાં દિવાળી પર્વ ઉજવાશે. મંગળવારે સાંજે 4.19 કલાક સુધી અમાસ ચાલશે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ હોવાથી વચ્ચેનો દિવસ ખાલી છે. બુધવારે નૂતન વર્ષ ઉજવાશે અને એ જ દિવસે બપોરે 2.43 કલાકથી બીજનો પ્રારંભ થશે.