25/10/22: આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ: મંદિરોના દરવાજા બંધ
આજે Date 25/10/22 ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે, જે 2022 વર્ષનું અંતિમ અને ભારતમાં દેખાનારું એકમાત્ર સૂર્યગ્રહણ છે. ગ્રહણ સ્પર્શ બપોરે 2.28 મિનિટે થશે. ગ્રહણ મધ્ય સાંજે 4.29 કલાકે અને ગ્રહણ મોક્ષ સાંજે 6.32 કલાકે થશે. સૂર્યગ્રહણએ ખગોળીય ઘટના છે, જેનું ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ ઘણું મહત્વ રહેલું છે. આ દિવસે સૂતક પાળવામાં આવે છે અને તેથી જ મંદિરોના દરવાજા પણ બંધ રહેશે તેમજ દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે.
દિવાળી ટાણે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે લાખો ભક્તોની ભીડ ઉમટતી હોય છે. જો કે, આખો દિવસ મંદિર બંધ રહેવાનો છું. આજે સવારે 4.00 કલાકે આરતી કરવામાં આવી હતી અને 4.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. પહેલા સાંજની આરતી 6.30 કલાકે થતી હતી પરંતુ સૂર્યગ્રહણના કારણે આજે 9.30 કલાકે કરવામાં આવશે. બેસતા વર્ષે સવારની આરતી 6 વાગ્યે કરવામાં આવશે અને આ દિવસે માતાને અન્નકૂટનો ભોગ પણ ધરાવવામાં આવશે.
દ્વારકાધીશનું મંદિર પણ આજે થોડા કલાકો માટે બંધ રહેવાનું છે. 7.30 વાગ્યે ઉત્પાથન દર્શન, સાંજે 7.30થી 11 વાગ્યા સુધી દર્શન, રાતે 11 વાગ્યે મંદિરના દ્વાર બંધ થઈ જશે. નૂતન વર્ષ પર સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે અને બપોરે 1થી સાંજના છ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.
શામળાજી મંદિર આખો દિવસ ખુલ્લું રહેશે
મધ્યગુજરાતમાં આવેલું પવિત્ર તીર્થસ્થાન પાવાગઢ પણ સૂર્યગ્રહણના કારણે બંધ રહેશે. તો ભક્તો પોઈચામાં આવેલા નીલકંઠ ધામના દર્શન સૂર્યગ્રહણના સમયે પણ કરી શકશે. તો શામળાજી મંદિરમાં આરતી કે દર્શનના સમયમાં સૂર્યગ્રહણના કારણે કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે તેમ મેનેજર કનુભાઈએ જણાવ્યું હતું. જણાવી દઈએ કે, ભારત સિવાય આ ગ્રહણ મોટાભાગે યુરોપ, મધ્ય પૂર્વ એશિયા અને ઉત્તર આફ્રિકા, પશ્ચિમ એશિયા અને ઉત્તર હિંદ મહાસાગરમાં જોવા મળશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now