CIA ALERT
17. May 2024

Patidar samaj Archives - CIA Live

April 27, 2022
nareshPatel-1280x720.jpg
1min413

‘કાગવડ ખોડલધામ ખાતે 27 એપ્રિલ 2022ને બુધવારે ટ્રસ્ટીઓની બેઠક યોજાઇ રહી છે. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે આ મિટીંગને નિર્ણાયક માનવામાં આવે છે. મહાસભા અંગે આ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે જ્યાં ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં’ પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને સર્વેમાં

સર્વે પૂર્ણ થયા બાદ ટ્રસ્ટી મંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે ત્યારે બુધવાર, તા.22મી એપ્રિલે ખોડલધામ મંદિર ખાતે મળનારી ટ્રસ્ટી મંડળની બેઠકમાં નરેશભાઇએ રાજકારણમાં જવું જોઇએ કે નહીં તે અંગે પણ ચર્ચા થઇ શકે છે તેમજ સમાજમાંથી થયેલા સર્વેનો રિપોર્ટ પણ સોપાઇ શકે છે.

લેઉવા પટેલના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરના ચેરમેન નરેશભાઇ પટેલે જ્યારથી રાજકારણમાં જોડાવાની વાત કરી છે ત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકારણમાં જોડાવવા અંગે તેમણે સમાજમાંથી હા આવશે તો જોડાઇશ એવી વાત કરી છે અને એના માટે સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે સોમવારે પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સર્વે અનુસાર નરેશ પટેલે રાજકારણમાં ન જોડાવું જોઇએ. જ્યારે આજે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, રમેશ ટીલાળાનું સર્વે અંગેનું નિવેદન વ્યક્તિગત છે. ફાઇનલ રિપોર્ટ હાઇકમાન્ડને સોંપવાનો બાકી છે. ઉલ્લખનીય છે કે સર્વેનો રિપોર્ટ આવે તે પહેલા જ ખોડલધામમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે.

નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા અંગે સમાજમાંથી તો વિરોધાભાસી નિવેદન આવી જ રહ્યા છે પરંતુ ખોડલધામના અગ્રણીઓના પણ નિવેદનના કારણે ભારે ચર્ચાઓ શરૂ થઇ છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આજે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રમેશભાઇ ટીલાળાએ આપેલ નિવેદને તેમનું અંગત નિવેદન છે. સર્વેનો રિપોર્ટ હજુ આવ્યો નથી રિપોર્ટ હાઇકમાન્ડને આપવામાં આવશે. હજુ સુધી સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. ખાસ તો યુવાનોનું એવું કહેવું છે કે, નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ.

February 20, 2022
societynews-1280x1040.jpg
1min244

પ્રત્યક્ષ રીતે સુરતમાં ઉપસ્થિત નહીં રહી શકેલા લાખો લોકો સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતમાં પોતાના ઘરે બેઠા બેઠા સૌરાષ્ટ્ર પટેલ સમાજના લગ્નોત્સવના સાક્ષી બનશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અનેક પ્રકારની સામાજિક ક્રાંતિના પ્રણેતા, અનેક કુરિવાજોથી સમાજને મુક્ત કરાવનાર સૌરાષ્ટ્ર પટેલ સમાજનો આવતીકાલ તા.20મી ફેબ્રુઆરી 2022ના રોજ યોજાઇ રહેલો 63મો સમૂહલગ્નોત્સવ પણ એક મોટી ક્રાંતિને આકાર આપશે. પહેલી વખત આ સમગ્ર લગ્નોત્સવ સમારોહ વર્ચ્યુઅલ (ઓનલાઇન) યોજાઇ રહ્યો છે અને કમસેકમ 10 લાખ લોકો જુદા જુદા ડિજિટલ માધ્યમોથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નોત્સવમાં હાજરી આપશે. વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં ઓનલાઇન લોકો જોડાય તેવી આ પહેલી વિક્રમી ઘટના આકાર પામશે.  

વિશ્વની સૌથી મોટી વર્ચ્યુઅલ ઇવેન્ટ બની રહેશે સૌરાષ્ટ્ર પટેલ સમાજનો 63મો સમૂલગ્નોત્સવ, 60 લાખ યુઝર્સનું ફોલોઇંગ ધરાવતા જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ પરથી ઇવેન્ટનું લાઇવ ટેલિકાસ્ટ થશે, અંદાજે 20 ટકા ફોલોઅર્સ પણ જોડાય તો 12 લાખ જેટલા લોકો આ સમૂહલગ્નોત્સવના અપ્રત્યક્ષ વર્ચ્યુઅલ સાક્ષી બનશે

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ, ગ્રુપ્સ, પેજીસ, પર્સનાલિટીઝ, ટીવી ચેનલ્સ વગેરે તમામ મળીને 60 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે એ તમામ પર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત 63માં સમૂહ લગ્નોત્સવનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેમાંથી એવો એક રેન્ડમ અંદાજ છે કે વીસ ટકા લોકો જોડાય તો પણ 12 લાખથી વધુ લોકો અપ્રત્યક્ષ રીતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત સમૂહલગ્નોત્સવમાં અપ્રત્યક્ષ વર્ચ્યુઅલ હાજરી આપશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આોયોજિત વરર્યુઅલ સમુહલગ્નોત્સ્વમાં ૧૨૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સાંજે ૫ થી ૮ના એક જ સમય દરમિયાન કન્યાપક્ષના અનુકુળ સ્થળે મંડપમાં લગ્નવિધિ યોજાશે. તમામ ૧૨૨ મંડપોનું ડીજીટલી જોડાણ કરી સમગ્ર સમુહલગ્નોત્સ્વનું જીવંત પ્રસારણ જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ પરથી કરવામાં આવશે. એક અંદાજે મુજબ એક સાથે દસ લાખથી વધુ લોકો પોતાના મોબાઇલ ફોન, ટેબ્લેટ્સ, હોમ સ્માર્ટ ટેલિવિઝન, લેપ્ટોપ, કમ્પ્યુટર વગેરે પર આ સમૂહ લગ્નોત્સવને લાઇવ નિહાળશે અને તેમાં સહભાગી બનશે.આ પ્રસંગે મુખ્ય સમારોહ, આશીર્વચન સમારોહનું આયોજન વરાછા રોડ, સૌરાષ્ટ્ર પટેલ ભવન કરવામાં આવ્યું છે. રાકેશભાઈ દુધાતના અધ્યક્ષ સ્થાને યોજાનાર કાર્યક્રમમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, દિલીપભાઈ સંઘાણી તથા મનહરભાઈ સાસપરાનું જાહેર બહુમાન આ પ્રસંગે કરવામાં આવશે.

BSC તથા MSC માં કુલ ૪ ગોલ્ડમેડલ મેળવનાર કુ. સર્જીતા ગામી, એપલમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે જોબ મેળવનાર મયુર હસમુખભાઈ શંકર તથા માત્ર ૯ માં ભણતા ક્ષીરાજ દિનેશભાઈ ઠુંમર આઈ.આઈ.ટી કાનપુર માં ટ્યુટર (ઇન્ટરશીપ) તરીકે કાર્યકરે છે. આઈ.ટી ના કોડીંગ એક્ષ્પર્ટ છે. બાળકોને પ્રેરણા મળે તેવી સિદ્ધિનું અભિવાદન કરાશે.સાંજે ૫ કલાકે વરર્યુઅલ માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમુહલગ્નોત્સ્વ માં ઉપસ્થિત રહશે ને ૧૨૨ નવયુગલોને શુભઆશિષ પાઠવશે.