CIA ALERT
29. April 2024

IIT Delhi passout Sandip bhatt Archives - CIA Live

September 30, 2022
sandeep-bhatt-iit-delhi.jpg
1min255

ભારત જ નહીં પણ વિશ્વભરના બુદ્ધિજીવીઓને માથું ખંજવાળતા કરી દે તેવી ઘટના બની છે. ગોલ્ડ મેડાલિસ્ટ એન્જિનિયર કે જેણે આઈઆઈટી દિલ્હીમાંથી બી.ટેક.નો અભ્યાસ ગોલ્ડ મેડલ મેળવીને પૂર્ણ કર્યો હતો એ સંદીપ કુમાર ભટ્ટે સંસારી જીવન ત્યજી દઇને સાધુ બની ગયા છે. તેમણે લગ્ન પણ કર્યા નથી. સાધુ બની ગયા બાદ સંદીપ ભટ્ટે પોતાનું નામ બદલી નાંખ્યું છે હવે તે સ્વામી સુંદર ગોપાલદાસથી ઓળખાય રહ્યા છે.
સંદીપ ભટ્ટ મૂળ બિહારના રહેવાસી છે. તેમણે કહ્યુ કે 2002માં આઈઆઈટી દિલ્હીમાંથી બીટેક કર્યુ, બીટેકમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા. 2004માં એમટેક કમ્પલીટ કર્યુ. 2004થી 2007 વચ્ચે તેમણે એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કર હતી.

સંદીપ ભટ્ટે કહ્યુ કે મશીનની ક્વોલિટી તો વધી રહી છે પરંતુ માણસની ક્વોલિટી ઘટી રહી છે. દર વર્ષે લાખો ક્રાઈમ થાય છે. આ એ વાતનુ પ્રમાણ છે કે માણસની ક્વોલિટી ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યુ, હુ માનુ છુ કે ભણેલા ગણેલા લોકોએ સાધુ-સંત બનવુ જોઈએ. આખરે શુ કારણ છે કે મોટી-મોટી કંપની આઈઆઈટીના લોકો હાયર કરે છે. જો સમાજમાં સારાપણુ વધારવુ છે તો એવા લોકોએ પણ આગળ આવવુ જોઈએ.

જ્યારે તે એન્જિનિયરિંગ કરી રહ્યા હતા તો તેમણે નોટિસ કર્યુ કે તેમની આસપાસ એન્જિનિયર, ડોક્ટર, IAS, જજ, સાયન્ટિસ્ટ, નેતા તો ઘણા છે પરંતુ કોઈ એવી વ્યક્તિ નથી જે સમાજને અલગ રીતે માર્ગ બતાવી શકે. લોકોના ચરિત્રને સારુ કરી શકે. ધાર્મિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેઓ સંન્યાસી બન્યા.