CIA ALERT
26. April 2024
December 30, 20221min251

Related Articles



29/12ઃ વડાપ્રધાન મોદીના માતૃશ્રી હીરા બા નું નિધન, પીએમ મોદીએ કાંધ આપી

Share On :
Print Friendly, PDF & Email

આજે તા.29મી ડિસેમ્બર 2022ની વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મોદીનું 100 વર્ષની વયે અવસાન અમદાવાદની હોસ્પિટલમાં થયું છે. અગાઉ ચાલુ સપ્તાહે તેમની તબિયત લથડતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે,

શાનદાર સદીનું ઈશ્વરના ચરણોમાં વિરામ… માતામાં હંમેશામાં ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે.

માતાના નિધનના ખબર મળતા જ પીએમ મોદી પણ તરત દિલ્હીથી ગાંધીનગરના રાયસણ પહોંચ્યા હતા. તેમણે અંતિમ યાત્રા કરી રહેલા માતા હીરાબાની અર્થીને કાંધ આપી હતી.

ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા સ્મશાનગૃહમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, “શ્રીમતી હીરાબા મોદીનું 30/12/2022ના રોજ સવારે 3.30 વાગ્યે (વહેલી સવારે) યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.’ બીજી તરફ, હીરાબાના નિધન બાદ મોદી પરિવારમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.

UN Mehta.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :