CIA ALERT
06. May 2024
August 4, 20191min2920

Related Articles



ગુજરાતમાં ૪૨ જળાશયો ૫૦ ટકા સુધી ભરાયા

Share On :
Print Friendly, PDF & Email

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૫૨ ટકા વરસાદ વરસ્યો હતો જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૨ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે ૪ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૧૫ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૭.૦૮ ટકા ભરાયું હતું તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું હતું.

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨૪,૪૩૮, દમણગંગામાં ૧,૬૫,૯૪૫, ઉકાઇમાં ૪૪,૯૩૭, શેત્રુંજીમાં ૧૮,૮૨૮, કરજણમાં ૫,૮૫૦, ઓઝત-વીઅર(વંથલી)માં ૫,૦૪૩, ઓઝત-વીઅરમાં ૩,૯૯૦, કડાણામાં ૧,૭૧૫, ઝુજમાં ૧,૫૬૭, વણાકબોરીમાં ૧,૫૦૦, વેર- ૨માં ૧,૪૫૦, આજી-૨માં ૧,૪૪૯, ઓઝત-૨માં ૧,૨૮૮ અને આજી-૩માં ૧,૧૯૪ ક્યુસેકનો સમાવેશ થાય છે. 

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૫.૭૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪.૨૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૫.૮૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૮૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૮.૯૫ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૧.૫૭ ટકા એટલે ૧,૭૫,૭૬૯.૮૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :