CIA ALERT
05. May 2024
July 26, 20191min4160

Related Articles



એક અબજને પાર કરશે ભારતમાં એરોપ્લેન પ્રવાસીઓની સંખ્યા

Share On :
Print Friendly, PDF & Email

સિવિલ એવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરીએ લોકસભાને જણાવ્યું હતું કે ભારતના વિમાનમાર્ગે પ્રવાસ કરતા પ્રવાસીઓની વાર્ષિક સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે અને આવનાર વર્ષોમાં એ એક અબજની સપાટી વટાવશે. 

એમણે લોકસભાને ગુરુવારે વધુમાં જણાવ્યું હતું કે લખનઊ અને અમદાવાદ સહિત સરકારે દેશના છ હવાઇમથકના ખાનગીકરણનો નિર્ણય લીધો છે.

છમાંથી ત્રણ હવાઇમથક અદાણી જૂથને આપવામાં આવ્યાં છે, અન્ય બે વિશે પણ નિર્ણય લેવાઇ ગયો છે. અદાણીએ ત્રણે હવાઇમથક બીડ કરીને મેળવ્યા હતા. 

સરકારે ૨૦૧૮માં અમદાવાદ, જયપુર, લખનઊ, ગુવાહાટી, મેંગલુરુ અને થિરુવનથપુરમના ખાનગીકરણનો નિર્ણય લીધો હતો. 

હાલ વાર્ષિક દરે હવાઇ યાત્રા કરનાર યાત્રીઓની સંખ્યા ૩૪૫ મિલિયન જેટલી છે અને જે દરે વિકાસ થઇ રહ્યો છે, એ પરથી ટૂંક સમયમાં એક અબજનો આંકડો પસાર કરશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :