છેલ્લા 48 કલાકથી મહારાષ્ટ્રમાં વરસી રહેલા દેમાર વરસાદે સમગ્ર મહારાષ્ટ્રનું જનજીવન ખોરવી નાંખ્યું છે. ભારે વરસાદને પગલે પૂના અને મુંબઇમાં દિવાલો તૂટી પડતા 30થી વધુ લોકોના મોત નિપજ્યા હતા, તો અન્ય મોટી હોનારતમાં મંગળવારે ભારે વરસાદ બાદ રાત્રે રત્નાગીરી ખાતે એક ડેમ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાવા પામી છે.
ભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર વેરણછેરણ સ્થિતિમાં આવી ગયું છે.
મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા વરસાદના કારણે સ્થિતિ વધારે ને વધારે બગડી રહી છે. મંગળવારે પુણે સિવાય મુંબઈના મલાડ અને કલ્યાણમાં દિવાલ પડવાની ઘટનામાં બે ડઝલથી વધુના મોત થયા હતા. હવે ભારે વરસાદના કારણે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યો છે. આ કારણે ડેમની આસપાસ રહેતા 7 ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અચાનક બનેલી આ ઘટનામાં 24 જેટલા લોકો ગાયબ છે. સ્થાનિક તંત્રને બે મૃતદેહ મળ્યા છે.
મોડી રાત્રે ડેમ તૂટવાની ઘટનાના કારણે અચાનક પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ છતાં જ એનડીઆરએફ, વોલેન્ટિયર્સ અને પોલીસે બચાવ કામગીરી શરુ કરી હતી. સ્થિતિની ગંભીરતાને જોતા મૃત્યુ આંકમાં વધારો થવાની શક્યાતા દેખાઈ રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તિવરે ડેમમાં વરસાદના કારણે જળ સ્તર વધી ગયું હતું, જે પછી આ દુર્ઘટના સર્જાઈ છે.
અચાન ડેમ તૂટવાના કારણે ઝડપથી આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અને જેના કારણે નજીકમાં આવેલા 12 ઘરો એક ઝાટકે ધોવાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ટૂકડીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now