CIA ALERT
17. May 2024
November 2, 20191min3000

Related Articles



DGCA : ૨૩ વિમાનના ઍન્જિન બદલો : ઈન્ડિગોને આદેશ

Share On :
Print Friendly, PDF & Email

૧૯મી નવેમ્બર સુધીમાં ૨૩ એ ૩૨૦ નિયો વિમાનના પ્રાટ્ટ એન્ડ વ્હીટની (પીડબલ્યૂ) ઍન્જિન બદલવા ઉડ્ડયન ક્ષેત્રના નિયામક ડીજીસીએએ શુક્રવારે ઈન્ડિગોને નિર્દેશ આપ્યા હતા. કોઈપણ રીતે આગામી વર્ષની ૩૧મી જાન્યુઆરી સુધીમાં ઈન્ડિગોના તમામ ૯૭ વિમાનમાં મોડીફાઈડ (સુધારેલા) પીડબલ્યૂ ઍન્જિન હોવા જોઈએ, તેવી પણ ડીજીસીએએ સૂચના આપી હતી. ડિરેકટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને (ડીજીસીએ)એ એક પ્રેસ નોટમાં કહ્યું કે ‘૨૩ વિમાનમાં ઓછામાં ઓછું એક એલપીટી (લૉ પ્રેસર ટર્બાઈન) ફિટ ન કરેલું હોય તો એક પણ વિમાનને ઉડ્ડયનની પરવાનગી આપવામાં આવશે નહીં.’

એક સપ્તાહમાં એ ૩૨૦ નિયો વિમાનના ઍન્જિનમાં ક્ષતિ આવવાના ચાર કિસ્સા નોંધાયા

છેલ્લા એક સપ્તાહમાં એ ૩૨૦ નિયો વિમાનના ઍન્જિનમાં ક્ષતિ આવવાના ચાર કિસ્સા નોંધાયા છે જેનાથી પરિણામ સ્વરૂપ ઉડ્ડયન સમયપત્રક ખોરવાઈ જતું હોય છે આની જાણ થયા પછી ડીજીસીએએ નિર્દેશ આપ્યો હતો. બુધવારે કોલકાતાથી પુણે જતુ ઈન્ડિગો એ ૩૨૦ નિયો પ્લેનનું એક ઍન્જિન આકાશ મધ્યે ખોટકાઈ જતા વિમાનને કોલકાતા ઍરપોર્ટ પર પાછું વાળવામાં આવ્યું હતું. આ જ રીતે લાગલગાટ ૨૪થી ૨૬મી ઑક્ટોબરના ત્રણ દિવસ ત્રણ વિમાનના ઍન્જિનમાં ક્ષતિ ઊભી થવાના બનાવ નોંધાયા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :