CIA ALERT

રમત જગત Archives - Page 38 of 44 - CIA Live

April 30, 2019
russel-1.jpg
1min14410

કોલકતા નાઇટ રાઇડર્સનો સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ આઇપીએલની એક સિઝનમાં પ0 છક્કા પૂરા કરનારો ફકત બીજો બેટસમેન બન્યો છે. આ પહેલા કેરેબિયન ઓપનર ક્રિસ ગેલે 2012ની સિઝનમાં પ9 અને 2013ની સિઝનમાં પ1 છક્કા ફટકાર્યાં હતા. રસેલના આ સિઝનમાં પ0 છક્કા થયા છે. આ સિઝનમાં ગેલ 32 છક્કા સાથે બીજા નંબર પર છે. રસેલે આઇપીએલના ગઇકાલના મેચમાં મુંબઇ સામે 8 છક્કાથી અણનમ 80 રન કર્યાં હતા. જેથી કોલકતાને સતત 6 હાર બાદ પહેલી જીત મળી હતી.
રસેલે 40 દડામાં અણનમ 80 રનની ઇનિંગ તેના જન્મદિનની પૂર્વ સંધ્યા પર રમી હતી. મેચ બાદ કેરેબિયન ઓલરાઉન્ડર રસેલની પત્ની જેસિમ સાથે આઇપીએલ ટી20 ડોટકોમ વેબસાઇટ પર વાતચીત કરી હતી. જેમાં રસેલે તેની પત્નીને પૂછયું કે હું આતશી છક્કા મારી રહ્યો હતો ત્યારે તને કેવું લાગી રહ્યંy હતું. જવાબમાં પત્ની જેસિમે કહ્યંy કે મને ખબર હતી કે ઇડન ગાર્ડન પર આ આખરી મેચ છે એટલે તું મોટી ઇનિંગ રમીશ તેવો વિશ્વાસ હતો. હું દરેક સિકસ પર રોમાંચિત બની જતી હતી. રસેલે એવું કહ્યંy કે હું દબાણમાં હતો. મારો જન્મદિન સાથે ખેલાડીઓ રાત્ર 12-00 પછી ઉજવવાના હતા. મારા પર પત્નીને ખુશ કરવાનું દબાણ હતું.
બાદમાં આંદ્રે રસેલનો જન્મદિન ખેલાડીઓએ હોટેલમાં મનાવ્યો હતો. રસેલ અત્યાર સુધીમાં 12 મેચમાં પ0 છક્કાથી કુલ 486 રન બનાવી ચૂકયો છે.
April 23, 2019
ipl-2019-min-1024x585.jpg
1min5510

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી મેની ફાઇનલનું સ્થળ ચેન્નઈથી બદલીને હૈદરાબાદ કરવામાં આવ્યું છે. તમિળનાડુ ક્રિકેટ એસોસિયેશન (ટીએનસીએ) ત્રણ બંધ પડેલા સ્ટૅન્ડ ખોલવા સંબંધમાં સરકારની જરૂરી મંજૂરી લેવામાં નિષ્ફળ જતાં ક્રિકેટ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સ પૉઇન્ટ્સ-ટેબલમાં સતતપણે નંબર વન પર રહ્યું છે અને જો નિર્ધારિત કુલ 14 લીગ મૅચને અંતે ટોચના બે સ્થાનમાં જળવાઈ રહેશે તો એને ઘરઆંગણે ક્વૉલિફાયર-વનમાં રમવાનો મોકો મળશે. જોકે, એલિમિનેટર (8 મે) તથા ક્વૉલિફાયર-ટૂ (10 મે) મૅચનું સ્થળ બદલીને વિશાખાપટનમ કરવામાં આવ્યું છે.

કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાયે સોમવારે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘નૉકઆઉટ મૅચોમાં સ્ટેડિયમો ખાતે જે ગેટ-સેલ્સ (પ્રેક્ષકોના પ્રવેશ)ની આવક થતી હોય છે એના પર ક્રિકેટ બોર્ડનો હક હોવાથી અમે ફાઇનલના નવા સ્થળ વિશેનો નિર્ણય લીધો છે.’

સરકાર તરફથી જે ત્રણ સ્ટૅન્ડ ખોલવાની મંજૂરી નથી મળી એ જો ખુલ્યા હોત તો એમાં 12,000થી વધુ પ્રેક્ષકો બેઠા હોત. એ જોતાં, 12,000 ટિકિટોના વેચાણ ન થતાં જો ચેન્નઈમાં જ મૅચ રખાઈ હોત તો ક્રિકેટ બોર્ડે ઘણી કમાણી ગુમાવી હોત.

ત્રણ સ્ટૅન્ડ 2012ની સાલથી (સાત વર્ષથી) બંધ છે.

April 22, 2019
archery-1280x720.jpg
1min7920

તીરંદાજીના વર્લ્ડ કપ માટે કૉલમ્બિયા જવા તૈયાર થયેલી ભારતના ૨૩ તીરંદાજોની ટીમ વિમાન મોડું થવાને કારણે આર્ચરી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટેની મુદત ચૂકી ગઈ હતી. એ સાથે, વિશ્ર્વકપમાં ભાગ લેવાનું તેમનું સપનું રોળાઈ ગયું હતું.

સિનિયર રિકર્વ અને કમ્પાઉન્ડ ટીમોએ શનિવારે સવારે દિલ્હીથી ઍમ્સ્ટરડેમ જતી રૉયલ ડચ ઍરલાઇનની ફ્લાઇટ (કેએલએમ ૮૭૨)માં બેસવાનું હતું, પરંતુ ‘કામકાજને લગતા મુદ્દાઓને કારણે’ એ ફ્લાઇટ બે કલાક ત્રેપન મિનિટ મોડી થઈ હતી. ઍમ્સ્ટરડેમ ઍરપોર્ટ પર પહોંચવા માટે તેઓ વધુમાં વધુ સવા કલાક મોડા આવત તો ચાલી જાત, પરંતુ ફ્લાઇટ લગભગ ત્રણ કલાક મોડી થઈ હતી. તેઓ સમયસર ઍમ્સ્ટરડેમ પહોંચી ગયા હોત તો ત્યાંથી બોગોટાની ફ્લાઇટમાં બેસીને કૉલમ્બિયાના મેડેલિન ખાતે પહોંચ્યા હોત, પણ તેમનો એ પ્રવાસ રદ થયો હતો.

April 21, 2019
Tokyo-2020-Olympics.png
1min467

રમતના આ મહાકુંભમાં ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિક 2020ના કાર્યક્રમની જાહેરાત, આ દિવસથી થશે શરૂ
ટોક્યોમાં યોજાશે ઓલમ્પિક 2020

જાપાનની રાજધાની ટોક્યોમાં 2020ની ઓલિમ્પિક ગેમ્સ રમાશે, તાજેતરમાં ઓલમ્પિક્સની મહત્વની તારીખો અને કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી હતી.

 

ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઇ 2020 થી શરૂ થશે અને અંતિમ મુકાબલો તા. 9 ઑગસ્ટ 2020ના રોજ રમાશે. ટોક્યો ઓલમ્પિક્સના ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભિક દિવસ તા. 24 જુલાઇના રોજ રોવિંગ અને તીરંદાઝીની હરીફાઇ યોજાશે. 10 મીટર એર રાઇફલ મહિલા નિશાનબાઝી સ્પર્ધાનું આયોજન પહેલા દિવસે જ થશે. પહેલા દિવસે કુલ 11 પદક દાવ પર હશે, જેમાં તીરંદાઝી, સાઇક્લિંગ ફેસિંગ જુડો, તાયક્વાન્ડો પદકોમાં સ્પર્ધા થશે. જણાવીએ કે આ દિવસે પદક રાઉન્ડ પર રમવામાં આવશે. બીજા દિવસથી બાસ્કેટ બૉલની શરૂઆત થશે. એક ઑગસ્ટના 21 પદક માટે સ્પર્ધા થશે. આ દિવસે જુડો, ટ્રાઇથોલોન, નિશાનેબાજીના પદકો પર નજર રહેશે. આગલા દિવસે મેરૉથૉન, પુરુષ એથલેટિક્સ 100 મીટર, જિમ્નાસ્ટિક અને પુરુષ ટેનિસ વર્ગ એમ કુલ મળીને 26 પદક દાવ પર હશે.

ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાનું આયોજન થશે

8 ઑગસ્ટના કુલ 30 સ્પર્ધાઓના ખિલાડી ફાઇનલમાં સંઘર્ષ કરશે. આ દિવસે રિદમ જિમ્નાસ્ટિક, મહિલા ગોલ્ફ, પુરુષ બાસ્કેટબૉલ, પુરુષ બાસ્કેટ બૉલ, પુરુષ ફુટબૉલ, પુરુષ વૉલીબૉલ, અર્ટિસ્ટિક સ્વીમિંગમાં ફાઇનલ રમવામાં આવશે. આ રમતો સિવાય અન્ય ઘણી રમતોના ફાઇનલ આ જ દિવસે ફાઇનલ ઓયોજિત કરવામાં આવશે. 9 ઑગસ્ટના રમતોનું સમાપન થશે. આ દિવસે પુરુષ મેરૉથૉન આયોજિત કરાશે. ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાઓનું આયોજન કરવાનું છે.

April 21, 2019
rahane_smith.jpeg
1min6040

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની રાજસ્થાન રોયલ્સના સુકાની તરીકે અજિંક્ય રહાણેની બદલીમાં શનિવારે નિમણૂક કરાઈ હતી અને આશા કરાય છે કે આ ફેરફારથી આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં ટીમના અત્યાર સુધીના નિરાશાજનક સંગ્રામમાં પલટો લાવશે.

પોતાના રાષ્ટ્રની ટીમના દક્ષિણ આફ્રિકા ખાતેના છેલ્લાં પ્રવાસ દરમિયાન કેપટાઉન ટેસ્ટ મેચમાં બોલ ટૅમ્પરિંગના કૌભાંડમાં પોતાની સંડોવણી બદલ પોતાની પર મુકાયેલા એક વર્ષના પ્રતિબંધની મુદત પૂરી કરી ફરી રમતા થયેલા સ્મિથને ટીમનું ફરી સુકાન સોંપવામાં આવ્યું છે અને આ અંગેની જાહેરાત મુંબઈ ઈન્ડિયન્સ સામે અહીં મેચ પહેલા કરવામાં આવી હતી.

રોયલ્સની ટીમ તેની છેલ્લી આઠ મેચમાંથી છ હારી ગઈ હતી અને સ્પર્ધાના નોક-આઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે તેણે પોતાની છ મેચમાંથી ઓછામાં ઓછી પાંચ મેચ જીતવાની રહે છે.

સ્મિથને 2018ની સ્પર્ધાની શરૂઆતમાં પણ સુકાન સોંપાયું હતું, પણ બોલ ટૅમ્પરિંગના બનાવના પગલે તેની ગેરહાજરીમાં આ જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી હતી.

પણ, સ્મિથ 1લી મે સુધી સ્પર્ધાની મેચો માટે ઉપલબ્ધ હશે અને ત્યાં સુધીમાં રોયલ્સની ટીમે તેની ઘણીખરી લીગ મેચ રમી લીધી હશે.

સ્મિથે સાત મેચમાં ભાગ લઈ 37.20 રનની બૅટિંગ સરેરાશ સાથે કુલ 186 રન કર્યા છે જેમાં 73 રન તેનો શ્રેષ્ઠ દેખાવ રહે છે. રહાણેએ 25.12 રનની સરેરાશ સાથે કુલ 201 રન કર્યા છે જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 70 રનનો છે.

April 21, 2019
rahul_pandya1.jpg
1min4930

શહીદોની વિધવાઓ અને નેત્રહીન ક્રિકેટરોને ભંડોળ ફાળવવા આદેશ

બૉર્ડ ઑફ ક્ધટ્રૉલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના લોકપાલ ડી. કે. જૈને ટીવી કાર્યક્રમમાં વાંધાજનક જાતીય ટિપ્પણી કરનારા હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલને વ્યક્તિ દીઠ રૂપિયા 20 લાખનો દંડ કર્યો હતો. જૈને ભારતીય ક્રિકેટ બૉર્ડની સત્તાવાર વૅબસાઇટ પર લખ્યું હતું કે વિવાદાસ્પદ જાતીય ટિપ્પણી બાદ પાંચ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ નહિ રમી શકેલા પંડ્યા અને રાહુલની સામે કોઇ વધુ પગલાં નહિ ભરાય. અગાઉ, બન્ને ક્રિકેટરે બિનશરતી માફી માગી લીધી હતી.

હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલે અર્ધ લશ્કરી દળોના ફરજ દરમિયાન શહીદ 10 કૉન્સ્ટેબલની વિધવાને વ્યક્તિ દીઠ રૂપિયા એક લાખ ‘ભારત કે વીર ઍપ’ દ્વારા ચૂકવવાના રહેશે, જ્યારે બાકીના રૂપિયા દસ લાખ ‘ક્રિકેટ એસૉસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ’ માટે ઊભા કરાયેલા ભંડોળમાં જમા કરાવવાના રહેશે.

બન્ને ક્રિકેટરે 2019ની 19મી એપ્રિલના આદેશથી ચાર અઠવાડિયાંમાં દંડ ભરવાનો રહેશે અને જો તેઓ આ દંડ નહિ ભરે તો તેઓની મૅચ ફીમાંથી કાપી લેવાશે.

હાર્દિક પંડ્યા (પચીસ વર્ષ) અને કે. એલ. રાહુલ (27 વર્ષ)એ સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલા લોકપાલની સમક્ષ ચાલુ મહિને પોતાની રજૂઆત કરી હતી.

બન્ને ક્રિકેટરને માત્ર રૂપિયા 20 લાખનો દંડ જ થયો છે અને અન્ય કોઇ પગલાં નહિ ભરાવાના હોવાથી તેઓ યુકેમાં 30મી મેએ શરૂ થનારા ક્રિકેટના વિશ્ર્વકપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

April 20, 2019
english.jpg
1min13340
આઇપીએલ-12ની સિઝન રોમાંચક તબકકામાં પ્રવેશી ચૂકી છે. અત્યાર સુધીમાં અરધાથી વધુ એટલે કે 33 મેચ રમાઇ ચૂકયા છે. પ્લેઓફમાં પહોંચવા માટે બેંગ્લોર અને રાજસ્થાન સિવાયની 6 ટીમ વચ્ચે કાંટે કી ટકકર ચાલી રહી છે. આઇપીએલ-12 જ્યારે ચરમ પર છે, ત્યારે જ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આઇપીએલ રમી રહેલ તેના તમામ ખેલાડીઓને દેશ પરત ફરવાનો આદેશ આપ્યો છે. આથી આઇપીએલમાં તા. 23 એપ્રિલ પછીના મેચોમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓ રમતા જોવા મળશે નહીં. ઇંગ્લેન્ડના ખેલાડીઓને 24 એપ્રિલ સુધીમાં સ્વદેશ પરત ફરવાનું છે. આગામી વિશ્વ કપને ધ્યાને રાખીને ઇસીબીએ તેના ખેલાડીઓને પરત બોલાવી લીધા છે.
ઇંગ્લેન્ડના ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાની સ્થિતિમાં સૌથી મોટુ નુકસાન રાજસ્થાન રોયલ્સને થશે. આમ પણ તેની સ્થિતિ સારી નથી અને સાતમા સ્થાને છે. તેના ત્રણ મુખ્ય ખેલાડી જોસ બટલર, બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડના છે. જે તેમના દેશ પરત ફરી રહયા છે. બટલરે 8 મેચમાં311 રન કર્યાં છે. સ્ટોકસ ટીમનો ઓલરાઉન્ડર છે. તો આર્ચર મુખ્ય બોલર છે. રાજસ્થાન ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદને પણ મોટો ફટકો પડશે. તેનો ઇનફોર્મ બેટસમને જોની બેયરસ્ટો ઇંગ્લેન્ડ પરત ફરી રહયો છે. તે હાલ શાનદાર ફોર્મમાં છે. બેયરસ્ટોએ 8 મેચમાં 36પ રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા નંબર પર છે. સેમ બિલિંગ પણ ચેન્નાઇનો સાથ છોડશે. જો કે આથી ચેન્નાઇને બહુ ફરક પડશે નહીં. મોઇન અલીને પણ આરસીબીનો સાથ છોડવો પડશે. જો કે કોહલીના સુકાનીપદ હેઠળની આરસીબી ટીમ આમ પણ પ્લેઓફની લગભગ બહાર થઇ ચૂકી છે. મોઇન અલીનું પણ આઇપીએલમાં આ સિઝનમાં નોંધપાત્ર પ્રદર્શન રહયું નથી.
April 15, 2019
bcci_logo.jpg
1min12260

આગામી મહિનાથી ઇંગ્લેડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ ક્રિકેટ માટે આજે બીસીસીઆઇ દ્વારા ભારતની સ્કવોડ જાહેર કરવામાં આવી હતી. રિષભ પંત, અજિક્ંય રહાણે વગેરે જેવા ક્રિકેટરોને સાઇડ પર મૂકવામાં આવ્યા છે.

વિરાટ કોહલી (સુકાની),

રોહિત શર્મા,

શિખર ધવન,

લોકેશ રાહુલ,

વિજય શંકર,

મહેન્દ્રસિંહ ધોની,

કેદાર જાધવ,

દિનેશ કાર્તિક,

યુઝવેન્દ્રસિંહ ચહલ,

કુલદીપ યાદવ,

ભુવનેશ્વર કુમાર,

જસપ્રિત બુમરાહ,

હાર્દિક પંડ્યા,

રવીન્દ્ર જાડેજા,

મોહમ્મદ શમી.

April 12, 2019
ipl-2019-min-1024x585.jpg
1min8100

વર્તમાનમાં રમાતી આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ટ્વેન્ટી-૨૦ સ્પર્ધામાં ક્રિકેટની રમતનો ભારોભાર કસબ અને ફટકાબાજીની આવડતમાં મોટી સંખ્યામાં સિક્સરોનો વરસાદ જોવા મળ્યો છે.

સૌથી વધુ સિક્સર વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ ફટકારી છે. ક્રિસ ગેઈલ (૧૮), કીરૉન પોલાર્ડ (૧૭) અને આન્દ્રે રસેલ (૨૫) વચ્ચે સ્પર્ધાના આ બારમા વર્ષમાં પહેલા ત્રણ સપ્તાહની અત્યાર સુધીની મેચોમાં કુલ ૬૦ સિક્સર નોંધાઈ છે.

આઈ. સી. સી. વર્લ્ડ કપ હવે ફક્ત દોઢ મહિનો દૂર હોવાથી વેસ્ટ ઈન્ડિઝના સિલેક્ટરોના વડા તથા ભૂતપૂર્વ કેપ્ટન જીમ્મી એદમ્સ મર્યાદિત ઓવરની મેચોના નિષ્ણાત ગણાતા રાષ્ટ્રના આ ખેલાડીઓના બૅટિંગ ફોર્મથી ખુશ છે.

April 12, 2019
polard.jpg
1min7050

મુંબઈ ઇન્ડિયન્સના હાર્ડ-હિટર કીરૉન પોલાર્ડે બુધવારે ૧૦ સિક્સરની મદદથી બનાવેલા આક્રમક ૮૩ રન સાથે મુંબઈને દિલધડક જીત અપાવી ત્યાર બાદ તેનો પુત્ર કેઇડન મેદાન પર આવ્યો હતો અને પિતા સાથે તેણે વાતચીત કરીને સૌકોઈને મોહિત કર્યા હતા. કેઇડન પિતાની ફટકાબાજી જોવા ખાસ કૅરેબિયનથી મુંબઈ આવ્યો હતો. કેઇડને મૅચ બાદ માઇક હાથમાં લઈને પિતાને કહ્યું, ‘વેલ ડન, કૉન્ગ્રેચ્યૂલેશન!’ પોલાર્ડની પત્નીનો બુધવારે ૩૨મો જન્મદિન હતો અને પોલાર્ડે તેમ જ પુત્ર કેઇડને તેને બર્થ-ડેની ગિફ્ટ તરીકે મુંબઈની જીત અર્પણ કરી હતી. હવે પછી મુંબઈની મૅચ વાનખેડેમાં ૧૩મી એપ્રિલે રાજસ્થાન સામે (બપોરે ૪.૦૦થી) રમાશે.