CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 37 of 42 - CIA Live

October 12, 2018
gd_agarwal.jpeg
1min6350

ગંગા નદીને સાફ કરાવવાની માગણી સાથે બાવીસમી જૂનથી આમરણ ઉપવાસ પર ઉતરેલા પ્રખ્યાત ૮૭ વર્ષના પર્યાવરણવાદી અને સમાજસેવક જી.ડી. અગરવાલનું ઋષિકેશમાં આવેલી એઇમ્સની હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. બાવીસમી જૂનથી ઉપવાસ પર ઉતરેલા અગરવાલને બુધવારે દસમી ઑક્ટોબરે ૧૧ ઉપવાસ પછી બળજબરીથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેઓ ગંગાની સુરક્ષા માટે અને ગંગોત્રીથી ઉત્તરકાશી સુધી ગંગાના વહેણમાં કોઇ અડચણ ન આવે એ માટે કાયદો ઘડવાની માગણી કરી રહ્યા હતા. તેઓ સ્વામી જ્ઞાન સ્વરૂપ સાણંદ તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા. ૧૧૧ દિવસના ઉપવાસ બાદ બુધવારે પોલીસે એમને હરિદ્વારથી ઋષિકેશના એઇમ્સમાં ખસેડયા હતા.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગંગાને સાફ કરવાની માગણી કરતા આ મહાનુભાવ ઉપવાસ દરમિયાન ફક્ત મધ મેળવેલું પાણી જ પીતા હતાં. એમની માગણી માટેની વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ કથિત રીતે બે દિવસ અગાઉ એમણે પાણી પીવાનું પણ બંધ કર્યું હતું. તેઓ આઇઆઇટી, કાનપુરના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને એમણે કેન્દ્રીય પ્રદૂષણ ક્ધટ્રોલ બૉર્ડમાં સભ્ય, સચિવ તરીકે પણ કામ કર્યું હતું.

આ અગાઉ પણ એમણે નદીઓને બચાવવા ઉપવાસ આંદોલન કર્યા હતા. ૨૦૦૯માં ભાગીરથી નદી પર બંધાતા બાંધને રોકવા માટે એમણે કરેલા ઉપવાસ સફળ થયા હતા.

October 11, 2018
a_k_chauhn.jpg
1min8120

સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં સામાન્ય રીતે એવી પરંપરા છે કે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે પુરુષ અધિકારીની જ નિમણૂંક થતી આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અસ્તિત્વમાં આવી ત્યારથી પુરુષ પી.આઇ.ની જ પરંપરા જળવાયેલી રહી છે. પરંતુ, હાલના પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ તા.10મી ઓક્ટોબર 2018ના રોજ પ્રથમ નોરતે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ જેવી હાઇપ્રોફાઇલ પોસ્ટ પર એક બાહોશ મહિલા પોલીસ ઇન્સપેક્ટર  શ્રીમતી એ.કે. ચૌહાણની નિયુક્તિ કરી છે.

સુરત પોલીસ કમિશ્નર સતીષ કુમાર શર્માએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં  શ્રીમતી અંજનાબેન કુલદીપસિંહ ચૌહાણની પી.આઇ તરીકે  નિમણું કરી છે. કમિશ્નરે કહ્યું હતુ કે ક્રાઇમ બ્રાન્ચમાં કોઇ મહિલાની નિમણુંક થઇ હોય તેવી આ પહેલી ઘટના છે.

ક્રાઇમ બ્રાન્ચમાં એક મહિલાને  નિમણુંક આપવા પાછળનું કારણ એ માનવામાં આવે છે કે સોશિયલ મિડીયમાં મહિલાઓ સાથે પરેશાનીના બનાવો વધી રહ્યા છે ઉપરાતં મહિલાઓની સતામણી અને છેડતી જેવા બનાવો રોકવા એક મહિલા પોલીસની જરૂર હતી.

October 5, 2018
bhimrad.jpg
1min27810

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બાપુની દાંડીકૂચને પુનર્જીવિત કરવા માર્ચ, 2019માં ‘કર કે દેખે’ સોલ્ટ માર્ચનું આયોજન

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

ગાંધીજીના પ્રપોત્ર તુષાર ગાંધીએ અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એવી જાહેરાત કરી છે કે તેઓ ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઇ રહ્યા છે અને માર્ચ 2019માં કર કે દેખે નામની મીઠા સત્યાગ્રહનું આયોજન કરી રહ્યા છે. આ મીઠા સત્યાગ્રહનો ઉદ્દેશ એ છે કે સુરત નજીક (હકીકતમાં સુરત સિટીમાં સમાવિષ્ટ) આવેલા ભીમરાડ ગામને ઇતિહાસમાં સ્થાન મળે, ઐતિહાસિક સ્થળોમાં તેનો સમાવેશ થાય એ છે. ભીમરાડને એટલે ઇતિહાસમાં સ્થાન અપાવવું છે કેમકે ભીમરાડથી જ હકીકતમાં ગાંધી બાપૂએ મીઠા સત્યાગ્રહના શ્રીગણેશ કર્યા હતા. અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તુષાર ગાંધીએ કહ્યું હતું કે, આજે દુનિયાભરમાં જે ફોટો ‘નમક કા કાનૂન તોડ દીયા’ કરીને દાંડીના નામે જાણીતો છે, એ ખરેખર ભીમરાડનો ફોટો છે.

(અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકારપરિષદમાં તુષાર ગાંધીએ જાહેરાત કરી હતી એ વેળાની તસ્વીર)

એ પહેલાં રામદાસ કાકાની ધરપકડ થયેલી એટલે ભીમરાડમાં બાપુએ મીઠાની ચપટી ભરીને કાનૂનભંગ કર્યો હતો. મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતાં, ત્યારે તેમણે દાંડીમાં સ્મારક બનશે તેવી જે જાહેરાત કરી હતી તે જાન્યુઆરીમાં ખુલ્લુ મૂકાશે. અમારી ઇચ્છા એવી છે કે, આ ભીમરાડ ગામને ઇતિહાસમાં સ્થાન મળે. એ વખતે બાપુ સાથે 80 લોકો જોડાયા હતા અને મેં 2005માં દાંડીયાત્રાના 75માં વર્ષ નિમિત્તે દાંડી યાત્રા કરી હતી. હવે સામાન્ય લોકો અને યુવાનો સહિત વિદેશના લોકોને ગાંધી મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને બાપુનો પરિચય કરાવવા માટે આ સોલ્ટ ચેલેન્જ શરુ કરવી છે.

  • ભીમરાડ ખરેખર ક્યાં આવેલું છે
  • ઘણાં વાચકોને સવાલ ઉપસ્થિત થાય કે ભીમરાડ હકીકતમાં ક્યાં આવેલું છે, એમને જણાવી દઇએ કે ભીમરાડ સુરત ખાતે આવેલું છે.

  • દુનિયાભરમાં જે ફોટો ‘નમક કા કાનૂન તોડ દીયા’ કરીને દાંડીના નામે જાણીતો છે, એ ખરેખર ભીમરાડનો ફોટો છે.

‘કર કે દેખે’ ચેલેન્જ વિશે વાત કરતાં તુષાર ગાંધીએ જણાવ્યું કે, જ્યારે ગાંધી બાપુએ આ કૂચની વાત કરી તો સૌથી પહેલા તેનો વિરોધ સરદારે કરેલો, પરંતુ બાપુ તેમની વાત ન માન્યા અને સરદાર કામે લાગ્યા, સરદારે જ સમગ્ર દાંડીયાત્રાનો માર્ગ નિશ્ચિત કરીને બધી વ્યવસ્થા કરી આપેલી. ત્યાર બાદ મોતીલાલ નહેરુએ બાપુને આ કૂચના વિરોધમાં 22 પાનાનો પત્ર લખેલો. જેના જવાબમાં બાપુએ માત્ર એટલું જ લખેલું ‘કર કે દેખે’. .

શું કાર્યક્રમો થશે કર કે દેખે સોલ્ટ માર્ચ અન્વયે

સમગ્ર દેશમાં 150મી ગાંધીજયંતીની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બાપુની દાંડીકૂચને પુનર્જીવિત કરવા માર્ચ, 2019માં ‘કર કે દેખે’ સોલ્ટ માર્ચનું આયોજન કર્યું છે. આ માર્ચમાં વોકેથોન, મેરેથોન અને સાઇક્લોથોન યોજાશે.

આ પ્રસંગે તુષાર ગાંધી સાથે ચેલેન્જમાં જોડાયેલા મુંજાલ શ્રોફે જણાવ્યું કે, જ્યારે દાંડી માર્ચ શરુ થયેલી એ જ દિવસે 12 માર્ચે મેરેથોન શરૂ થશે. તેઓ સાબરમતીથી દાંડી સુધી 400 કિમીનું અંતર 23 માર્ચ સુધીમાં કાપશે. સાયક્લોથોન 20થી 23 માર્ચ સુધીમાં પુરી થશે, વોકેથોન 19થી 23 દરમિયાન ભીમરાડથી દાંડી સુધી 70 કિમીના અંતરમાં પુરી થશે.

ભીમરાડ સ્થિત ગાંધી સ્મારક સમિતિ, સુરતનું પરિવર્તન ટ્રસ્ટ, કાંઠા વિસ્તારના ગામો વર્ષોથી ચળવળ ચલાવી રહ્યા છે

ભીમરાડને ઐતિહાસિક દરજ્જો મળે તે માટે ભીમરાડ ગામની ગાંધી સ્મારક સમિતિ દ્વારા પાછલા ઘણાં વર્ષોથી ઝુંબેશ ચલાવવામાં આવે છે. ભીમરાડના બળવંતભાઇ પટેલ તેમજ અન્ય આગેવાનો અનેક વખત સત્તામંડળોમાં રજૂઆતો કરી ચૂક્યા છે તેમજ કાર્યક્રમો આપી ચૂક્યા છે. સુરત શહેરમાં આવેલા પરિવર્તન ટ્રસ્ટના યુવા કાર્યકરો પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટર તેમજ અન્ય આગોવાનોના નેજા હેઠળ છેલ્લા ઘણાં વર્ષોથી ભીમરાડને ઐતિહાસિક મૂલ્ય મળે, ઐતિહાસિક સ્થળનો દરજ્જો મળે તે માટે ચળવળ ચલાવી રહ્યા છે. અનેક વખત તેઓ તંત્રવાહકો જોર જુલ્મીનો ભોગ પણ બન્યા છે. તેમણે અહીં ગાંધીજીની પ્રતિમાને પણ પ્રસ્થાપિત કરી છે. હજુ સુધી તંત્રવાહકોએ આ પ્રતિમા માટે થયેલા બાંધકામને મંજૂરી આપી નથી. એવી જ રીતે કાંઠા વિસ્તારના ગામવાસીઓ ઉપરાંત ભીમરાડના રહેવાસીઓએ પણ મીઠા સત્યાગ્રહના પ્રણેતા સ્થળ ગણાતા ભીમરાડને તેની અસ્મિતા પરત મળે તે માટે અનેક વખત પ્રયાસો કર્યા છે.

(પરિવર્તન ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ભીમરાડથી દાંડી કૂચ દરમિયાન અપાયેલા કાર્યક્રમનીની ફાઇલ તસ્વીર)

October 3, 2018
modi_award.jpeg
1min6300

 

પીએમ મોદીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણ મામલે ઐતિહાસિક કામ કરવા બદલ ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે પીએમ મોદીને સન્માનિત કર્યા. ગુટેરેસે કહ્યું કે પીએમ મોદીએ સ્વીકાર્યું છે કે જળવાયુ પરિવર્તન આપણા માટે ખતરો છે. આપણે જાણીએ છીએ કે આપણને શેની જરૂર છે. ગ્રીન ઈકોનોમી આવનારા દાયકામાં મહત્વની બનવાની છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું,’આ સન્માન પર્યાવરણની સુરક્ષા માટે ભારતની સવા સો કરોડની જનતાની પ્રતિબદ્ધતાનું સન્માન છે. ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ એવોર્ડ ભારતની એ જ પૌરાણિક પરંપરાનું સન્માન છે, જેમાં પ્રકૃતિમાં પણ પરમાત્માનો વાસ મનાયો છે. જેણે સૃષ્ટિના મૂળમાં પંચતત્વના અધિષ્ઠાનનું આહવાન કર્યું છે.’

પીએમ મોદીએ કહ્યું, ‘જુઓ હાલના સમયની માગ છે કે વસ્તીને પર્યાવરણ પર, પ્રકૃતિ પર વધારાનું દબાણ આપ્યા વગર વિકાસ સાથે જોડવામાં આવે. આ માટે હું પર્યાવરણ સાથે ન્યાયની વાત કરું છું. જળવાયુ પરિવર્તનનો પડકાર જળવાયુ સાથે ન્યાય કર્યા વગર ન કરી શકાય.’ તેમણે કહ્યું કે આ સંવેદના અમારા જીવનનો ભાગ છે. ઝાડ પાનની પૂજા કરવી, હવામાન, ઋતુઓનું વ્રત લોકગાથાઓમાં પ્રકૃતિ સાથેના સંબંધની વાત આપણે પ્રકૃતિને હંમેશા સજીવ અને સહજીવ માની છે’

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે ‘આજે ભારત માટે ગૌરવનો દિવસ છે. આજે આપણા વડાપ્રધાનને પર્યાવરણ ક્ષેત્રમાં નેતૃત્તવ બદલ ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ એવોર્ડથી સન્માનિત કરાઈ રહ્યા છે. પૃથ્વી આપણા માટે ગ્રહ નથી, પરંતુ માતા છે. ભારતમાં જ્યારે મકાન બને છે, તો ભૂમિપૂજન કરાય છે.’

September 18, 2018
balwan.jpeg
1min8270

એ દિવસ હતો 18મી સપ્ટેમ્બર, 1965નો અને શહીદ થયા હતાં બળવંતરાય મહેતા કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં. આજે તેમનો 49મો શહીદી દિવસ છે. એપ્રિલ-1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ છેડાયુ હતું અને સપ્ટેમ્બર-1965 સુધી ચાલ્યુ હતું. યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સાથે જોડાયેલી દરેક સરહદે સૈન્યનો ધમધમાટ ચાલતો હતો. તેમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલી પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે પણ સેના પાકિસ્તાન સામે યુદ્ધે ચડી હતી. યુદ્ધ તો ભારત જીતી ગયું. પરંતુ આ યુદ્ધે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન છીનવી લીધા

ઘટના 1965ની છે. આઝાદીના 18 વર્ષ બાદ 1965માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સામસામે હતા. 1965ના એપ્રિલ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયેલું હતું. સરહદો સળગતી હતી. હજી આઝાદી બાદ દેશ ધીરે ધીરે સ્થાયી થઈ રહ્યો હતો. ત્યારે અપલખણું પાકિસ્તાન સરહદ પર કાંકરીચાળો કરતું હતું. જે સ્થિતિ વકરતા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ યુદ્ધ તો ભારત જીતી ગયું. પરંતુ આ યુદ્ધે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન છીનવી લીધા.

એપ્રિલ 1965થી શરૂ થયેલું યુદ્ધ સપ્ટેમબર 1965 સુધી ચાલ્યુ હતું. સરહદ પર સૈનિકો પાકિસ્તાનને પરાસ્ત કરવા લડી રહ્યા હતા. ત્યારે કચ્છની પાકિસ્તાન બોર્ડર પર પણ સૈનિકોની બંદૂકો અને તોપો ધણધણી રહી હતી.  સરહદી રાજ્ય હોવાને કારણે ગુજરાત પણ અસરગ્રસ્ત હતું. એટલે તત્કાલીન સીએમ બળવંતરાય મહેતાએ સૈનિકોનો જુસ્સો વધારવા કચ્છ બોર્ડર જવાનું નક્કી કર્યું. 18 સપ્ટેમ્બર, 1965ના રોજ બળવંતરાય મહેતા પત્ની સરોજિની મહેતા સાથે કચ્છની મુલાકાત માટે નીકળ્યા. બરાબર આ જ સમયે પાકિસ્તાનના મેરીપુર એરબેઝ પરથી એક પાકિસ્તાની ફાઈટર જેટ પણ ટેક ઓફ થયું. આ ફાઈટર જેટના પાઈલટ હતા કૈસ મઝહર હુસૈન. જેમને ભારતની સરહદ નજીક ઉડી રહેલા પ્લેનની બાતમી મેળવવાનું કામ સોંપાયું હતું. BBC Radioને આપેલા એક ઈન્ટરવ્યુમાં કેન્સે કહ્યું હતું,’ ટેક ઓફ બાદ રડાર સ્ટેશનથી મને 20 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડવાની સલાહ અપાઇ હતી. આ જ ઉંચાઈ પર હું ફાઈટર જેટ લઈ ભારતીય સરહદમાં પણ ઘૂસ્યો. ત્રણ ચાર મિનિટ બાદ મને નીચે આવવા કહેવાયું. 3 હજાર ફૂટની ઉંચાઈ પર મને એક ભારતીય જેટ દેખાયું, જે ભૂજ તરફ જઈ રહ્યું હતું. જો કે સિવિલિયન એરક્રાફ્ટ હોવાથી મેં તેના પર ફાયરિંગ ન કર્યું અને કંટ્રોલરને જાણ કરી. જો કે કંટ્રોલરે પણ તાત્કાલિક આદેશ ન આપ્યો’ . કેન્સ કહે છે કે, ‘જ્યારે મેં જહાજને ઈન્ટરસેપ્ટ કર્યું તો પાઈલટે પ્લેનની બંને વિંગ્સ હલાવવાની શરૂઆત કરી. સાંકેતિક રીતે તેનો અર્થ થાય છે કે અમને જવા દો. આ દરમિયાન થોડીવાર રહીને મને તે પ્લેનને શૂટ કરવા ઓર્ડર મળ્યા. પરંતુ એક સિવિલિયન પ્લેનને ટાર્ગેટ કરવા માટે હું સજ્જ નહોતો.હું હજુ પણ અસમંજસમાં હતો, પરંતુ કંટ્રોલરનો આદેશ માન્યા વગર છૂટકો નહોતો આખરે 100 ફૂટ દૂરથી મેં ફાયર કર્યું. અને ગણતરીની સેકન્ડમાં પ્લેન સીધું જમીન પર પછડાયું.’

(તસ્વીરમાં ડાબેથી પાઇલોટના યુનિફોર્મમાં પાકિસ્તાની પાઇલોટ કે જેણે ગુજરાતના મુખ્યમંત્રીનું વિમાન તોડી પાડ્યું હતું)

‘શેષ’ નામના આ વિમાનમાં સવાર બળવંતરાય મહેતા સાથે પ્લેનમાં પત્ની સરોજિની ઉપરાંત પાયલટ એમ.જે એન્જિનિયર સહિત 9 જણા મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે જ પાકિસ્તાની એરફોર્સના વિમાને આ પ્લેન પર હુમલો કર્યો. આ હુમલો એટલો જબરજસ્ત હતો કે પ્લેન ક્રેશ થયું. અને ગુજરાતના તત્કાલીન સીએમ બળવંતરાય મહેતા સહિત તમામ 9 મુસાફરો શહીદ થઈ ગયા.

You can find us on Google Play store too

September 5, 2018
Drrupal.jpg
1min7210

 Jayesh Brahmbhatt   98253 44944

ગોકુળ અષ્ઠમી એવો પવિત્ર પર્વ છે કે આ દિવસે બધા જ યોગ, સંયોગ, સંજોગ, ચોઘડીયા, મૂહૂર્ત, ઘડી, ક્ષણ તમામને શુભ-લાભ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આ દિવસે સુરતના પાંચ પરિવારો એવા હતા કે જેઓ સંતાનપ્રાપ્તિ માટે વર્ષો સુધી ઝઝુમ્યા, જીવનદિપ બુઝાઇ શકે તેવા સ્વાસ્થય વચ્ચે પણ સુરતના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. રૂપલ શાહના માર્ગદર્શનમાં આઇ.વી.એફ. થકી ડિવાઇન બાળકોને જન્મ આપવામાં સફળ રહ્યા છે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહની યાદગાર તસ્વીર)

સુરતના ખ્યાતિપ્રાપ્ત ગાયનેક ડો.રૂપલ શાહએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં જન્માષ્ટમીનો પર્વ ખુશાલીઓ લઇને આવ્યો હતો. એવા પાંચ દંપતિને સંતાન પ્રાપ્તિ થઇ કે જેમને બાયોલોજિકલી સંતાન મેળવવામાં વર્ષો સુધી સ્ટ્રગલ કરવી પડી હતી. ડો.રૂપલે કહ્યું કે અમારી હોસ્પિટલમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વે ચાર બેબી ગર્લ, (રાધા) અને એક બેબી બોય (ક્રિષ્ણ)નો જન્મ થયો છે. આ પૈકી 4 બેબીઓને આઇ.વી.એફ.ની મદદથી તેમની માતાઓએ જન્મ આપ્યો છે અને એક બેબીને એવી માતાએ જન્મ આપ્યો કે જેઓ અગાઉ 5 વખત આઇ.વી.એફ.ની મદદથી બાળકને જન્મ આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા અને માતાને જીવનું જોખમ હતું.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની તસ્વીર)

ડો.રૂપલ શાહે કહ્યું કે, આ માતાની શારીરિક સ્થિત ક્રિટિકલ હતી કેમકે તેઓ આઇ.ટી.પી. નામની ખતરનાક બિમારી કે જેમાં પ્લેટલેટ કાઉન્ટસની સંખ્યા જરૂરીયાતથી ખૂબ ઓછી હતી. આવા સંજોગોમાં બાળકને જન્મ આપવો એ માતા માટે જીવનું જોખમ સમાન હતું. આમ છતાં એ દંપતિએ હિંમત હાર્યા વગર આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ પર ભરોસો રાખીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. છેવટે ગઇ તા.2 સપ્ટેમ્બર 2018ના રોજ ગોકુલ અષ્ઠમીના પવિત્ર પર્વે અમારી હોસ્પિટલમાં 5 ડિવાઇન બાળકો અવતર્યા, આનાથી મોટી ખુશી અમારા પરિવાર માટે કઇ હોઇ શકે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહ અને તેમની ટીમની તસ્વીર)

All these babies are born on auspicious day of Janmashtami. Out of 5, 4 r Radhas n 1 Krishna. 4 r ivf babies ,who are born to their parents after their long difficult fight to overcome their childlessness after 8-10 years of marriage life. One baby is born to mother, who had undergone previous 5 failed ivf cycles.

One baby is born to a mother having life threatening medical condition known as ITP in which platelet counts go on fluctuating to Lower limits & if platelet count is very low ,delivery is very risky . So I m happy that on auspicious day so many infertile couples made their dreams of parenthood real.

August 29, 2018
nitin-gadkar.jpg
1min5100

નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી કરોડો રૂપિયા ઉભા કર્યા છે.

ટૉઈલેટ ફ્લશ કર્યા બાદ ગટરમાં વહી જતું કહેવાતું ગંદુ પાણી ઘણું અત્યંત ઉપયોગી છે. નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી બાયો સીએનજી ગેસ બનાવીને તેનાથી પરિવહન નિગમની બસ દોડાવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે અને હવે દેશભરમાં સંડાસના ગંદા પાણીમાંથી ગેસ પેદા કરીને એ બળતણથી બસો દોડાવવાનો પ્રયોગ શરૂ કરાઇ રહ્યો હોવાનું રાષ્ટ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.

Union Minister of Drinking water and Sanitation Nitin Gadkari addressing a press conference on the achievements of the NDA government during the last six months at YB Chavan on Thursday. Express Photo by Prashant Nadkar. 01.01.2015. Mumbai.

આપણે જેને ટૉયલેટનું ગંદુ પાણી સમજીને ગટરમાં વહાવી દેઇએ છીએ એ ગંદા ગટરના પાણીને નાગપુરની સરકારી એજન્સીએ 78 કરોડમાં વેચ્યુ છે. એટલું જ નહીં પણ નાગપુરની ગટરમાંથી વહેતા ગંદા પાણી માંથી ઉત્પન કરાયેલા ગેસમાંથી શહેરમાં 50 એસી બસ ચાલી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે નાગપુરમાં વૈકલ્પિક ઈંધણને લઈ પ્રયોગ કરાઈ રહ્યા છે. જેમાંથી એક છે ટૉઈલેટના પાણીથી બાયો સીએનજી કાઢીને બસ ચલાવવાની યોજના. આવી 50 બસ રોડ પર ચાલી રહી છે.

ગંગાની ગંદકીથી 26 શહેરમાં ચાલશે બસ

ગડકરીએ કહ્યું કે પેટ્રોલિયમ મંત્રાલય અંતર્ગત આવતી તેલ અને ગેસ કંપનીઓ સાથે થયેલા કરાર મુજબ ગંગા કિનારે વસેલા 26 શહેરોને લાભ મળશે. જે મુજબ પાણીમાંથી ગંદકી સાફ કરીને મિથેન ગેસ દ્વારા બાયો સીએનજી તૈયાર કરાશે. જેનાથી 26 શહેરોમાં સિટી બસ ચાલશે. આ કામથી 50 લાખ યુવાનોને રોજગારી મળશે. અને ગંગાની સફાઈ પણ થશે.

કોલસાથી સિટી બસ ચલાવવાની તૈયારી

ગડકરીએ ઉમેર્યું કે દેશમાં કોલસાની કમી નથી. કોલસામાંથી મિથેન બનાવીને મુંબઈ, પૂણે અને ગુવાહાટીમાં સિટી બસ ચલાવવાની તૈયારી શરૂ કરાઈ છે. ગડકરીના કહેવા મજુબ દેશમાં 62 રૂપિયા પ્રતિ લિટર ડીઝલની જેટલું જ કામ કરનાર મિથેનની કિંમત 16 રૂપિયા જેટલી પડે છે.

August 22, 2018
maulin.jpg
1min8190

સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુરતના વર્તમાન પ્રમુખ શ્રી હેતલ રુમેન્દ્ર મહેતાના પુત્ર મૌલિન કે જેમણે હાલમાં એસ.એસ.સી.ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી તેઓ હવે રોટરી ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અમેરિકાના ઓહિયોના કોલંબસ ખાતે સ્ટડી કરવા માટે સિલેક્ટ થયા છે અને તેઓ હવે ધો.11નો સ્ટડી 11 મહિના માટે અમેરિકા ભણશે. મૌલિન મહેતા આજરોજ તા.22મી ઓગસ્ટ 2018ના રોજ સુરતથી અમેરિકા ખાતે તેમની 11 મહિનાની ટ્રીપ માટે રવાના થયા છે.

મોલિન હેતલ મહેતા એક સારા રોલબોલ પ્લેયર પણ છે અને રોટરી સ્ટુડન્ટ એક્ટિવિટીઝમાં તેઓ સક્રિય રહીને રચનાત્મક પ્રવૃતિ કરી રહ્યા છે. તેઓ ભારતના લાખો વિદ્યાર્થીઓમાંથી અમેરિકાના ઓહિયો ખાતે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એક્સચેન્જ માટે સિલેક્ટ થયા છે. બહું જૂજ વિદ્યાર્થીઓ આ પ્રકારની સિદ્ધિ મેળવી શકતા હોય છે. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3060-6690 અન્વયે તેમની પસંદગી કરવામાં આવી છે.

રોટરી ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ એક એવો પ્રોગ્રામ છે કે જે વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ અને એક્સપોઝર આપે છે કે વિદ્યાર્થીઓ એક બીજાના દેશમાં જઇને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, ફેસ્ટિવલ, લાઇફસ્ટાઇલ અને અન્ય અધતન રીતરસમોથી વાકેફ થઇ શકે છે.

Traveling today to Columbus, Ohio, USA as a Rotary International Youth Exchange Student till July -2019 from RI dist. 3060 to 6690

August 22, 2018
sau.jpg
1min7360

 

ભારતનો માત્ર ૧૬ વર્ષની ઉંમરનો સૌરભ ચૌધરી ગઈ કાલે એશિયન ગેમ્સના ઇતિહાસમાં શૂટિંગનો ગોલ્ડ મેડલ જીતનારો પાંચમો ભારતીય શૂટર બન્યો હતો. તેણે અહીં ૧૦ મીટર ઍર પિસ્તોલની ફાઇનલ્સમાં વર્લ્ડ તથા ઑલિમ્પિક ચૅમ્પિયનોને પાછળ રાખીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. સૌરભે કુલ ૨૪૦.૭નો સ્કોર નોંધાવ્યો હતો જે એશિયાડનો નવો વિક્રમ છે. સૌરભની આ પહેલી જ સિનિયર ઇવેન્ટ હતી.

આ જ ઇવેન્ટમાં ભારતના ૨૯ વર્ષીય અભિષેક વર્માએ કુલ ૨૧૯.૩ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. જાપાનનો તોમોયુકી માત્સુદા આ હરીફાઈમાં સૌરભથી જરાક જ પાછળ રહી ગયો હતો અને ૨૩૯.૭ના સ્કોર સાથે બીજા સ્થાને આવતાં સિલ્વર મેડલ જીત્યો હતો. સૌરભ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના કાલિના ગામમાં રહે છે. તેના પિતા ખેડૂત છે.

સૌરભે એશિયન ગેમ્સનો ગોલ્ડ જીતીને ભારતના જસપાલ રાણા, રણધીર સિંહ, જિતુ રાય અને રોન્જન સોઢીની બરાબરી કરી છે. જોકે, સૌરભ માત્ર ૧૬ વર્ષનો છે અને એશિયાડમાં શૂટિંગનો ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો સૌથી યુવાન નિશાનબાજ બન્યો છે.

સૌરભે તા.21મી ઓગસ્ટ 2018ના દિવસે એશિયાડ સ્પર્ધામાં બે ચૅમ્પિયન ખેલાડીઓને પાછળ રાખીને પહેલું સ્થાન પ્રાપ્ત કરીને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો. ફાઇનલ્સ પહેલાંના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં સૌરભની સાથે સાઉથ કોરિયાનો ચાર વખત ઑલિમ્પિક ચૅમ્પિયન અને ત્રણ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલો જિન યૉન્ગ-ઓહ પણ હરીફાઈમાં હતો. જોકે, સૌરભે તેને પાછળ રાખી દીધો હતો.

ફાઇનલ્સમાં બીજા નંબરે આવીને સિલ્વર જીતનારો જાપાનનો ૪૨ વર્ષીય માત્સુદા અગાઉ બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો, પરંતુ ગઈ કાલે સૌરભને તે હરાવી નહોતો શક્યો.

દરમિયાન, શૂટિંગની મિક્સ્ડ ઇવેન્ટમાં અભિષેક વર્મા અને મહિલા શૂટર મનુ ભાકરની જોડી ફાઇનલ્સ માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડલ-વિજેતા ભારતીય નિશાનબાજોને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા અને લખ્યું હતું કે ‘તમે બધાએ દેશને અનેરું ગૌરવ અપાવ્યું છે.’

સૌરભ ખેતીમાં પપ્પાને મદદ કરવાનું ન ચૂકે

સૌરભ ચૌધરી અગિયારમા ધોરણમાં ભણે છે. એશિયન ગેમ્સ પછી તે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે. ભારતની ટોચની મહિલા શૂટર મનુ ભાકરની જેમ સૌરભ પણ વેજિટેરિયન છે.

સૌરભે ભારતીય શૂટિંગના લેજન્ડ જસપાલ રાણા પાસે તાલીમ લીધી છે. સૌરભે તા.21મી ઓગસ્ટ 2018ના દિવસે સુવર્ણચંદ્રક જીત્યા પછી પત્રકારોને કહ્યું હતું કે ‘મને ખેતી કરવી ખૂબ ગમે છે. શૂટિંગની તાલીમમાંથી મને બહુ સમય તો નથી મળતો, પરંતુ જ્યારે પણ મળે છે ત્યારે હું ગામમાં પહોંચીને મારા પપ્પાને મદદ કરવા ખેતરમાં દોડી જાઉં છું.’

August 19, 2018
Nurturing-Little-Humans-Book1.jpg
1min9200

સુરત, ઓગસ્ટ, 2018: શું તમારું બાળક શાળાએ જઇ રહ્યું હોય ત્યારે તેના શુઝની દોરી તમારે બાંધવી જોઇએ કે પછી બાળક શાળામાંથી પરત ફરે ત્યારે સ્કૂલ બસમાંથી તેના ઉતરતાની સાથે જ તમારે તેની બેગ ઉંચકી લેવી જોઇએ? શું તમે તમારા બાળકની વધુ પડતી કાળજી રાખો છો અથવા બાળકને વધુ પડતી સુવિધાઓ પૂરી પાડો છો?

જ્યારે બાળકોને આ પ્રકારની દૈનિક કામગીરી કરતાં રોકવામાં આવે ત્યારે માતા-પિતા સમક્ષ મોટી સમસ્યા અને પડકારો સર્જાય છે. શા માટે મા-બાપ બાળકોની વધુ પડતી કાળજી રાખે છે? શા માટે મા-બાપ બાળકોને જીવનમાં નિષ્ફળતાનો સામનો કરીને આગળ વધવાની પ્રેરણા લેતા રોકે છે?21મી સદીમાં બાળકના ઉછેરમાં કઇ સમસ્યાઓ છે? આ તમામ પ્રશ્નોના જવાબ શિક્ષણ અને તાલીમ ક્ષેત્રમાં 14 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ઇનોવેટર અને વિઝનરી લેખક જય લીલાવાલાના 23મી ઓગસ્ટે રિલિઝ થતાં પુસ્તક ‘નર્ચરિંગ લિટલ હ્યુમન્સ’માં મળી રહેશે.શહેરના રાહુલરાજ મોલ ખાતે પુસ્તકનું અનાવરણ કરાશે.

ગુજરાતની અગ્રમી પ્રી-સ્કૂલ ચેઇન પૈકીની એક પરવરિશ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલના સ્થાપક જય લીલાવાલાના આ પુસ્તકમાં બાળકોના સર્વાંગી ઉછેર અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી છે. જય લીલાવાલાનું માનવું છે કે તમારા બાળકની બાળપણની યાદોમાં રહેવા માટે તમારે તેની સાથે સમય વિતાવવો પડશે. બાળકો સાથેની સુંદર યાદો, નાટકો, યાદગાર પળો, કારકિર્દી, કૌશલ્યો, પત્રો, સવાર, સાંજની યાગો, રમતો, ખુશીના પળોને આવરી લેતાં કુલ 27 ચેપ્ટર્સને આવરી લેવાયા છે. મહત્વપૂર્ણ છે કે નર્ચરિંગ લિટલ હ્યુમન્સને લોન્ચ થતાં પહેલાં જ ફેસબુક ઉપર 500થી વધુ લોકોએ તેને લાઇક કરીને વાંચવાની ઇચ્છા પ્રગટ કરી છે.

આ પુસ્તક અગ્રણી ઇ-કોમર્સ પોર્ટલ ફ્લિપકાર્ટ, એમેઝોન, ઇન્ફીબીમ, નોશનપ્રેસ તથા ઇનગ્રામ ઉપર ટૂંક સમયમાં વેચાણ માટે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંતwww.myparvarish.com ઉપરથી પણ વાચકો તેને ખરીદી શકશે. એમેઝોન કિંડલ ઉપર પણ આ પુસ્તક વાંચન માટે ઉપલબ્ધ બનશે.

ઉલ્લેખનીય છે કે જય લીલાવાલા એક અગ્રણી કમ્યુનિકેટર અને મોટિવેટર છે, જેઓ આદિત્ય બિરલા ગ્રુપ, ફ્યુચર ગ્રુપ વગેરે જેવી અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સંકળાયેલા છે. તેઓ શિક્ષણની સાથે-સાથે ઓપરેશન, ફાયનાન્સ અને મેનેજમેન્ટમાં પણ નિપૂંણતા ધરાવે છે.

-x-x-x-