CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 22 of 44 - CIA Live

December 31, 2021
Cia_business_news-1280x936.jpg
1min567

जयेश ब्रह्मभट्ट 98253 44944

कपडा उधोग को केलेन्डर इयर 2021 के अंतिम दिन आज टेक्षटाइल के व्यापार-उत्पादन से जुडे लोगो को बडी राहत मिली है की जीसे 2022 का साल खुशीयो से हरा-भरां बन पाएगा. आज हूई जी.एस.टी. काउन्सिल के मिटींग में कपडा उधोग पर कल दि. 1-1-2022 से लागू की जानेवाले 12 प्रतिशत टेक्स के संदर्भ में जारी किया गया 18 नवम्बर का नोटिफिकेशन स्थगित करने का निर्णय लीया गया है. फिलहाल कपडा उद्योग में इन्वर्टेड टेक्स स्ट्रक्चर जारी रहेगा. कल दि. 1 जनवरी 2022 से कपडा उधोग में 5 प्रतिशत जीएसटी ही लागू रहेगा.

કપડા અને ફૂટવેર ઉદ્યોગમાં તા.1લી જાન્યુઆરીથી 12 ટકા જીએસટી વસૂલ કરવા સંદર્ભે કેન્દ્ર સરકારે અગાઉ તા.18મી નવેમ્બર 2021ના રોજ જારી કરેલા નોટિફિકેશનને આજે જીએસટી કાઉન્સિલની મિટીંગમાં સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. કપડા ઉદ્યોગમાં હાલનું ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર જ યથાવત રાખવાનો નિર્ણય આજે તા.31મી ડિસેમ્બરના રોજ મળેલ જીએસટી કાઉન્સિલની મિટીંગમાં સર્વાનુમતે લેવામાં આવ્યો હોવાની માહિતી બિનસત્તાવાર રીતે મળી છે. સત્તાવાર રીતે નાણામંત્રી નિર્મલા સીતારમન બપોરે ત્રણ વાગ્યે મિડીયાને બ્રીફીંગ આપશે.

જીએસટી કાઉન્સિલની હવે પછીની મિટીંગમાં કપડા અને ફૂટવેર ઉદ્યોગમાં જીએસટીના ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના વિકલ્પમાં શું કરી શકાય એ અંગે ચર્ચા વિચારણા કરીને ફાઇનલ રોડ મેપ તૈયાર કરવાનું પણ આજની મિટીંગમાં નક્કી કરવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

આજે તા.31મી ડિસેમ્બર 2021ના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની મિટીંગના દ્રશ્યો

ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના વિકલ્પ શોધવા માટે સ્ટેક હોલ્ડર્સ સાથે મિટીંગોનું આયોજન હવે પછીના સમયમાં કરવામાં આવશે.

December 30, 2021
Cia_business_news-1280x936.jpg
1min822

Jayesh Brahmbhatt 98253 44944

નાણામંત્રાયલે ખુબ જ શોર્ટ નોટિસથી આવતીકાલ તા.31મી ડિસેમ્બર 2021ના રોજ જીએસટી કાઉન્સિલની મિંટીગ યોજી છે. આ મિટીંગનો ઉદેશ કેન્દ્ર સરકાર સામે વિકસી રહેલા વધુ એક દેશવ્યાપી આંદોલનને થાળે પાડવાનો હોવાના સ્પષ્ટ સંકેત સમાન છે. ફક્તને ફક્ત ટેક્ષટાઇલ અને ફૂટવેયરમાં ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના મુદ્દે તા.1લી જાન્યુઆરી 2022 પહેલા કોઇ નિર્ણય લઇ શકાય એ માટે જ જીએસટી કાઉન્સિલની તાકીદની અને શોર્ટ નોટિસથી મિટીંગ યોજવામાં આવી છે.

વિકલ્પ -1

જીએસટી કાઉન્સિલની તા.31મી ડિસેમ્બરે મળનારી મિટીંગમાં ટેક્ષટાઇલ અને ફૂટવેર ઇન્ડસ્ટ્રીઝમાં હાલ પ્રવર્તમાન ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર દૂર કરીને 12 ટકા ફ્લેટ દરે જીએસટી વસુલ કરવા સંદર્ભે ગઇ તા.18મી નવેમ્બર 2021ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનનો અમલ તા.1લી જાન્યુઆરી 2022થી નહીં પરંતુ, તેને ત્રણેક મહિના એટલે કે તા.31મી માર્ચ 2022 સુધી મુલતવી રાખીને એ સમયગાળા દરમિયાન સ્ટેક હોલ્ડર્સ સાથે વિચાર વિમર્શ કરીને તા.1લી એપ્રિલ 2022થી કપડા ઉદ્યોગ અને ફૂટવેર ઉદ્યોગમાં નવું ટેક્સ સ્ટ્રક્ચર લાગૂ કરવાનો નિર્ણય લેવાય શકે છે.

વિકલ્પ -2

જીએસટી કાઉન્સિલ એવો પણ નિર્ણય લઇ શકે કે કપડા અને ફૂટવેર ઉધોગમાં 12 ટકા જીએસટીના અમલ કરવા અંગે તા.18મી નવેમ્બરના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનને કાયમી રીતે રદબાતલ કરીને પ્રવર્તમાન ટેક્સ સ્ટ્રક્ચરનો અમલ યથાવત રાખવામાં આવે.

બે વિકલ્પ સિવાય ત્રીજો વિકલ્પ માટે તાકીદની મિટીંગ યોજાઇ જ ન હોત

જીએસટી કાઉન્સિલ જો 18 નવેમ્બરના નોટિફિકેશનનો અમલ કરાવવા માંગતી જ હોત તો આવતીકાલ તા.31મી ડિસેમ્બરે શોર્ટ નોટિસથી મિટીંગ યોજવાનો કોઇ મતલબ કે હેતુ જ ના હોત

ટૂંકમાં એ વાત કન્ફર્મ છે કે ક્યાં તો 12 ટકા જીએસટી જાહેરનામાનો અમલ મુલતવી રાખવામાં આવે અથવા તો જાહેરનામું જ રદ કરીને પ્રવર્તમાન ટેક્સ સ્ટ્રક્ચર યથાવત રાખવામાં આવે. જાણકારો કહે છે કે નોટિફિકેશન રદ કરવા જેવું પગલું કેન્દ્ર સરકાર કે કાઉન્સિલ નહીં ભી શકે. પરંતુ, ત્રણેક મહિના મુલતવી રાખીને સ્ટેક હોલ્ડર્સ સાથે વિચાર મંથન કરીને બાદમાં તેનો અમલ કરવામાં આવે.

ટેક્સટાઇલ માર્કેટોએ આજે 30 સજ્જડ બંધ પાળ્યો

12 ટકા જીએસટીના વિરોધમાં સુરત શહેરની 98 ટકા જેટલી ટેક્ષટાઇલ માર્કેટોના વેપારીઓએ આજે તા.30મી ડિસેમ્બર 2021ના રોજ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો હોવાના અહેવાલો મળ્યા છે. દરમિયાન ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા) મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જીએસટી દર ન વધારવા માટે અમે એક દિવસ માટે ટોકન સ્ટ્રાઇક રાખી છે. અમે અમારી વાત જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા આ બંધના એલાનમાં કોઈપણ પ્રકારનું કોઈનું રાજકીય હિત નથી. માત્ર ને માત્ર વેપારી સંગઠનો જ સક્રિય છે અને અમને પૂરતી અપેક્ષાઓ છે કે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ટેક્સટાઇલમંત્રીની રજૂઆતને કારણે જીએસટી કાઉન્સિલ લીધેલા નિર્ણયમાં તેઓ ફરી એક વખત ફેરવિચારણા કરશે. તમામ વેપારી સંગઠનો કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કોઈપણ જગ્યાએ મોટી સંખ્યામાં એકત્રિત થવાના નથી.

થાળી વગાડી, કાળા વાવટી બતાવીને જીએસટીનો વિરોધ

December 27, 2021
cia_multi-1280x1045.jpg
1min862

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાજેતરમાં સંપન્ન થયેલી ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓમાં સુરત શહેર પાસે 5200 સી.એ.નું જંગી સંખ્યાબળ હોવા છતાં સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં સુરતના બન્ને ઉમેદવારો હાર્દિક શાહ અને બાલકૃષ્ણ અગ્રવાલ ચૂંટણી હારી ગયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાવા માટે 4100 મતોનો ક્વોટા હતો તેની સામે એકલા સુરત ચેપ્ટર-બ્રાન્ચમાં 5200થી વધુ સી.એ. (મતદારો) હોવા છતાં બન્ને ઉમેદવારો હારી જતા 9 વર્ષ પછી સુરત જેવા મહત્વના ચેપ્ટર-બ્રાન્ચનું પ્રતિનિધિત્વ સેન્ટ્રલ કાઉન્સિલમાં રહ્યું નથી. આ વખતે સુરતમાંથી વિક્રમી સંખ્યામાં 3500થી વધુ સી.એ.એ મતદાન કર્યું હોવા છતાં સુરતમાંથી એકપણ ઉમેદવાર સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી જીતી શક્યા નથી. આશ્ચર્યની વાત એ છે કે સુરતથી નાની બ્રાન્ચ ગણાતા વડોદરા કે જ્યાં ફક્ત 2500 સી.એ. (સુરતથી અડધા) અને ઔરંગાબાદ કે જ્યાં ફક્ત 1000 સી.એ. છે ત્યાંના સી.એ. પણ સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી જીતવામાં સફળ નિવડ્યા છે.

હાલમાં જય છૈરા છેલ્લા 9 વર્ષ (ત્રણ ટર્મ)થી આઇ.સી.એ.આઇ.ની સેન્ટ્રલ કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમની ટર્મ આગામી તા.12મી ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ રહી છે.

નેટવર્કિંગથી વેસ્ટર્ન કાઉન્સિલની ચૂંટણી જીત્યા ઇશ્વર જીવાણી

આઇ.સી.એ.આઇ.ની વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલમાં સુરતમાંથી સી.એ. ઇશ્વર જીવાણી ચૂંટણી લડ્યા હતા, ગતરોજ જાહેર થયેલા પરીણામોમાં તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. એક તરફ સુરતમાંથી સેન્ટ્રલ કાઉન્સિલમાં હાર્દિક શાહ અને બાલકૃષ્ણ અગ્રવાલ બન્ને ઉમેદવારો ચૂંટણી હારી ગયા છે તો બીજી તરફ સુરતના ઇશ્વર જીવાણીએ વેસ્ટર્ન કાઉન્સિલની ચૂંટણી જીતીને સુરતનો રંગ રાખ્યો છે. ઇશ્વર જીવાણીએ સુરતમાંથી તો મતો મેળવ્યા સાથોસાથ તેમને સૌરાષ્ટ્રના સી.એ. તેમજ અમદાવાદ ખાતેથી પણ સારી સંખ્યામાં સી.એ.ના મતો મેળવી શક્યા છે જે તેમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શક્યા છે.

5200 મતો હોવા છતાં સુરતના ઉમેદવારોની સેન્ટ્રલ કાઉન્સિલમાં હારના અનેક કારણો

સુરતમાં હાલ કુલ 5200 સી.એ. સક્રિયા છે અને આ તમામ તાજેતરમાં યોજાયેલી આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીની મતદાર યાદીમાં સમાવિષ્ટ હતા. આ વખતની ચૂંટણીમાં સુરતમાંથી અંદાજે 3500 જેટલા સી.એ. એ રેકોર્ડ બ્રેક મતદાન કર્યું હતું. પરંતુ, હાર્દિક શાહ કે બાલકૃષ્ણ અગ્રવાલ મતદારોને રીઝવવામાં નિષ્ફળ નિવડ્યા છે. રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી શકે તેટલું ટેકનિકલ નોલેજ, એપીરીયન્સ, નેટવર્કિંગ અને એક્સેપ્ટન્સ હોય તેવા ઉમેદવારો જ આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીમાં જીતી શકે છે.

વડોદરા બ્રાન્ચમાં 2400 સી.એ. છતાં ત્યાંના ઉમેદવારનો વિજય

આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીમાં આ વખતે સુરતના સી.એ. ફ્રેટરનિટીએ વિચારવા જેવી સ્થિતિ પેદા થઇ છે. કેમકે સુરતથી નાની બ્રાન્ચ ગણાતા વડોદરામાં ફક્ત 2400 સી.એ. (વોટર) હોવાછતાં વડોદરાના સી.એ. સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે. સુરતના ઉમેદવારો અને વડોદરાના ઉમેદવાર વચ્ચે ફરક એટલો જોઇ શકાયો છે કે વડોદરાના ઉમેદવારએ અમદવાદ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાંથી અનેક મતદારોના મત મેળવવામાં સફળતા સાંપડી છે. અત્રે એ ઉલ્લેખનીય છેકે વડોદરા બ્રાન્ચમાંથી પહેલી વખત કોઇ ઉમેદવાર સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે.

December 25, 2021
vacrus.jpg
2min568

ગુજરાતમાં કોરોના ઇફેક્ટ

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કોરોના કેસમાં અસાધારાણ વધારો તેમ જ ઓમાઇક્રોનની અન્ટ્રીને પગલે હવે ધીરે ધીરે સરકારે પણ કોરોના ગાઇડ લાઇનમાં આપેલી કેટલીક છૂટ પણ પાછી ખેંચવાની શરૂઆત કરી છે. અમદાવાદ સહિતનાં આઠ મહાનગરોમાં યથાવત્ રખાયેલા રાત્રિ કરફ્યુમાં હવે આવતીકાલે ૨૫મી ડિસેમ્બરથી  બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શુક્રવારે જાહેરનામું બહાર પાડીને આ નિર્ણયની જાહેરાત કરી છે.

ગુજરાતમાં કોરોનાને લીધે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં નાઇટ કરફ્યુ લાદ્યો હતો. કોરોના કેસ ઘટતા તેમાં ક્રમશ: ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લે આ આઠ મહાનગરોમાં રાતના એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીનો કરફ્યુ અમલમાં મુકાયો હતો, પરંતુ શુક્રવારે સરકારે હવે રાતના ૧૧ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીનો કરફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં આઠ મહાનગરોમાં આવતીકાલે ૨૫મી ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવું જાહેરનામું ૩૧મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જોકે ૨૦મી ડિસેમ્બરે   રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કરફ્યુનો સમય રાતના એકથી સવારના ૫ વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે ચાર  દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું. જ્યારે રેસ્ટોરાંને રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન ૩૧મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

ઉત્તર પ્રદેશમાં આજ 25/12/21થી નાઈટ કરફ્યુ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સંપૂર્ણ રાજ્યમાં શનિવારથી કડક નિયંત્રણો અને નાઈટ કરર્ફ્યુ લાદવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. 
સમગ્ર રાજ્યમાં રાત્રે ૧૧:૦૦ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કરફ્યુ લાગુ રહેશે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધન કરતા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લગ્ન સમારોહ કે મેળાવડાઓમાં હાજર રહેનારાંઓની સંખ્યા મર્યાદિત કરીને ૨૦૦ કરવાની સૂચના આપી હતી. 

સમારોહ અને મેળાવડાઓમાં કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેની તકેદારી રાખવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે. આયોજકોએ કાર્યક્રમ અંગે સ્થાનિક વહીવટકર્તાઓને આગોતરી જાણ કરવાની રહેશે, એમ અધિકારીઓએ કહ્યું હતું. 
તમામ વેપારીઓ તેમની દુકાન 

તેમ જ સંસ્થાનોમાં ‘નૉ માસ્ક, નૉ ગુડ્સ’ની નીતિ અપનાવે તેની ખાતરી કરવાનું પણ અધિકારીઓને જણાવી દેવામાં આવ્યું છે. 
રસ્તા અને બજારમાં નીકળનાર તમામ માટે માસ્ક ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. 
માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે પોલીસને સતત દેખરેખ રાખવાનું જણાવી દેવામાં આવ્યું છે. 
અન્ય રાજ્યમાંથી ઉત્તર પ્રદેશ આવતા લોકો શોધી કાઢી તેમનો કોરોના ટૅસ્ટ કરવામાં આવે તેની ખાતરી કરવાનો અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. 

બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને ઍરપોર્ટ પર વિશેષ રીતે ચાંપતી નજર રાખવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. 
હાલને તબક્કે રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧.૯૧ લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાંથી ૪૯ નમૂનાનો ટૅસ્ટ પૉઝિટીવ આવ્યો હતો.

આ જ સમયગાળામાં કોરોનાના ૧૨ દરીદી સાજા થઈ ગયા હતા. રાજ્યમાં કોરોનાના ૨૬૬ સક્રિય કેસ છે. રાજ્યના ૩૭ જિલ્લામાં કોરોનાનો એકપણ દરદી ન હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં નવેસરથી નિયંત્રણો

રાજ્યમાં વધી રહેલા કોરોનાના રોગચાળાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કોરોનાનો પ્રસાર રોકવા માટે કેટલાક નિયંત્રણો શુક્રવારે મધરાતથી લાગુ કરવામાં આવ્યા છે, જેમાંથી રાતે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી રાજ્યમાં જમાવબંધી લાગુ કરવા ઉપરાંત અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. 

યુરોપ અને બ્રિટનમાં ઓમાઈક્રોન વેરિયેન્ટને કારણે દરદીની સંખ્યા બમણી ઝડપથી વધી રહી છે. વિશ્ર્વના ૧૧૦ દેશોમાં ઓમાઈક્રોનનો પ્રસાર થયો છે. આ વાઈરસનો પ્રસાર ઝડપથી થતો હોવાથી અત્યારે કેટલાક નિયંત્રણો લાદવા અને આગામી સમયમાં તેનો પ્રસાર જોઈને વધુ આકરા નિયંત્રણો લાદવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે રાતે જણાવ્યું હતું. 

તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય ખાતાએ પણ બધા જ રાજ્યોને રોગચાળો રોકવા માટે પૂરતા પગલાં લેવા માટે જણાવ્યું છે. અત્યારે આપણે લગાવી રહ્યા છીએ તે નિયંત્રણો પ્રાથમિક સ્વરૂપના છે અને અત્યારે તેને લાગુ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આનાથી પણ કઠોર નિયંત્રણો લાદવા પડે એવી સ્થિતિ સર્જાવાની ભિતી છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. 

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં એક હજારથી વધુ પોઝિટિવ દરદી મળી આવ્યા છે અને તેની વચ્ચે ક્રિસમસ, લગ્નો, નવા વર્ષનું સ્વાગત વગેરેને કારણે ગરદીમાં વધારો થઈને રોગચાળો ફેલાવાની શક્યતા રહેલી હોવાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદો, ૨૦૦૫ લાગુ કરીને વધારાના નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. 

  • આખા રાજ્યમાં સાર્વજનિક સ્થળો પર પાંચથી વધુ લોકોને એકઠા થવા પર રાતે ૯ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પ્રતિબંધ
    લગ્ન સમારંભ માટે બંધ હોલમાં એક સમયે ૧૦૦થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં, ખુલ્લા સ્થળોમાં વધુમાં ૨૫૦થી વધુ લોકો અથવા કુલ ક્ષમતાના ૨૫ ટકા લોકોને પરવાનગી આપવામાં આવશે
  • અન્ય સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો માટે પણ હાજર લોકોની સંખ્યા ૧૦૦થી વધુ નહીં અને ખુલ્લા મેદાનમાં ૨૫૦થી વધુ અથવા ક્ષમતાના ૨૫ ટકાથી વધુ નહીં, જે ઓછી હશે તેની પરવાનગી આપવામાં આવશે
  • ઉપરોક્ત બંને બાદ કરતાં અન્ય કાર્યક્રમો માટે જ્યાં બેઠકોની સંખ્યા નિશ્ર્ચિત છે ત્યાં બેઠકોની ક્ષમતાના ૫૦ ટકા ક્ષમતા અને જ્યાં બેઠકોની સંખ્યા નિશ્ર્ચિત નથી ત્યાં ક્ષમતાના ૨૫ ટકા લોકોને પરવાનગી આપવામાં આવશે. 
  • રમત સ્પર્ધા, રમતોત્સવ વગેરે માટે કાર્યક્રમ સ્થળની ક્ષમતાના ૨૫ ટકા લોકોને પરવાનગી
  • ઉપરોક્ત કોઈપણ પ્રકારમાં ન આવતા કાર્યક્રમોમાં કેટલા લોકોને પરવાનગી આપવી તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ નક્કી કરશે
  • હોટેલ, જિમ, સ્પા, થિયેટરો, સિનેમા હોલ વગેરે સ્થળે ક્ષમતાના ૫૦ ટકા લોકોને પ્રવેશ આપવામાં આવશે. આ બધાને તેમની પૂર્ણ સંખ્યા અને ૫૦ ટકા ક્ષમતા જાહેર કરવી પડશે.
  • આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને આવશ્યક જણાશે ત્યાં વધારાના નિયંત્રણો લાદી શકશે. 

December 24, 2021
samajwadi_perfume.jpg
1min757
પિયુષ જૈને સમાજવાદી પાર્ટી નામથી પરફ્યુમ લોન્ચ કર્યું હતું. અખિલેશ યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે જણાવ્યું હતું.

IT ટીમને તિજોરીઓમાં ખચોખચ ભરેલા નોટોના બંડલો મળી આવ્યા, રોકડ ગણવા માટે 4 મશીનો પણ ઓછા પડ્યા

કાનપુરનાં પરફ્યુમના વેપારી અને સપા નેતા પીયૂષ જૈનના ઘરેથી ઈન્કમટેક્સને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પીયૂષ જૈનના ઘરેથી નોટોના મોટ-મોટા બંડલ મળી આવ્યા છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. ખાસ વાત એ છે કે પીયૂષ જૈન અખિલેશ યાદવની નજીકના છે. અને તેણે હાલમાં જ સમાજવાદી પરફ્યુમ પણ લોન્ચ કર્યું હતું.

તિજોરીઓમાં આ રીતે ભરેલાં કરોડો રુપીયા મળી આવ્યા હતા.

દરોડાની જે તસવીરો સામે આવી છે તેમાં તિજોરીમાં નોટોનાં બંડલો પેક કરીને રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું છે. 500 રૂપિયાની નોટોના બંડલ બનાવીને રોકડ રાખવામાં આવી હતી. આ બંડલોને એ રીતે પેક કરવામાં આવ્યા હતા જેથી તેને આરામથી ગમે ત્યાં કુરિયર કરી શકાય. સૂત્રોએ જણાવ્યું હતું કે આઈટીની ટીમ ચાર નોટ કાઉન્ટીંગ મશીન સાથે આવી પહોંચી હતી. બાદમાં નોટો ગણવા માટે બીજા પણ મશીનો મંગાવવામાં આવ્યા હતા.

IT નાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ રકમ એટલી વધારે છે કે મોડી રાત સુધી તેઓ 4 મશીનોમાંથી 40 કરોડ રૂપિયા ગણી શક્યા છે. બાકીની નોટોની ગણતરી આજે થશે. ગણતરી કર્યા પછી, રકમ 150 કરોડથી વધુ નીકળવાની આશંકા છે. SBIના અધિકારીઓને પણ નોટો ગણવા માટે બોલાવવામાં આવ્યા છે. તેમની મદદથી રોકડની ગણતરી કરવામાં આવી રહી છે.

બિઝનેસમેન પીયૂષ જૈન સપા પ્રમુખ અખિલેશ યાદવના નજીકના છે. થોડા દિવસો પહેલા પીયૂષ જૈને સમાજવાદી પાર્ટી નામનું પરફ્યુમ લોન્ચ કર્યું હતું. આ માટે તે ચર્ચાઓમાં પણ રહ્યા છે. અધિકારીઓનામ જણાવ્યા મુજબ પીયૂષ જૈનની લગભગ 40 કંપનીઓ છે. આમાં ઘણી શેલ કંપનીઓ પણ સામેલ છે. આ કંપનીઓ દ્વારા કરચોરી કરવામાં આવી છે. પરફ્યુમ કન્નૌજમાં બને છે અને મુંબઈમાં તેમનો શોરૂમ છે. જ્યાંથી દેશ-વિદેશમાં પરફ્યુમ સપ્લાય કરવામાં આવે છે.

December 24, 2021
allahabad-high-court.jpeg
1min638

અલ્હાબાદ હાઈકોર્ટે દેશ-વિદેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના વધતા પ્રભાવને લઈને 23/12/21 ગુરૂવારે દેશના વડાપ્રધાન અને ચૂંટણી પંચને અનુરોધ કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે રાજકીય પક્ષો તરફથી ભીડ એકત્રિત કરીને કરવામાં આવતી રેલીઓ ઉપર રોક લાદવામાં આવે. કોર્ટે કહ્યું છે કે, પક્ષો ચૂંટણી પ્રચાર ટીવી અને સમાચાર પત્રો મારફતે કરે. વડાપ્રધાનને અનુરોધ કરતા કોર્ટના જજે કહ્યું હતું ક,ઁ તેઓ પક્ષની ચૂંટણી સભાઓ અને રેલીઓ રોકવા માટે કોઈ પગલા ભરે. સાથે જ ચૂંટણી ટાળવા ઉપર વિચાર કરવા કહ્યું હતું.

December 23, 2021
farmers.jpg
1min729

આખા દેશમાં આજે 23/12/21 રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર દેશભરમાં ખેડૂતોના યોગદાનને લઈને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

23 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?

હકીકતમાં ભારતના 5મા વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણ સિંહની જન્મ જયંતીના અવસર પર દર વર્ષે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય ખેડૂતોની સ્થતિમાં સુધારો લાવવાનો શ્રેય ચૌધરી ચરણ સિંહને આપવામાં આવ્યો છે. તેઓ પોતે ખેડૂત પરિવારમાંથી હોવાના કારણે તેઓ ખેડૂતોની સમસ્યાઓ અને પરિસ્થિતિથી સારી રીતે વાકેફ હતા જેના કારણે તેમણે ખેડૂતો માટે અનેક સુધારાના કામો કર્યા છે.

ખેડૂતોનું દેશના વિકાસમાં મોટું યોગદાન હોય છે તેથી આપણે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ ખાસ દિવસનો હેતુ ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરવાનો જ છે. દેશમાં આ પ્રસંગે ખેડૂત જાગરૂકતાથી લઈને અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે.

આ દિવસને ઉજવવા પાછળનો એક બીજો ઉદ્દેશ્ય એ છે કે, તે નવીનતમ શિક્ષણ સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનવાનો વિચાર આપે છે. ખેડૂત દિવસની ઉજવણી લકોને ખેડૂતો સામે આવતા અલગ-અલગ મુદ્દાઓ વિશે શિક્ષિત કરવાનું કામ કરે છે.

December 23, 2021
aap.jpg
1min644

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રેસિડેન્ટ ગોપાલ ઇટાલિયા સમેત 70થી વધુ કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય પર બબાલ કરવાના ગુનામાં હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી જેલમાં છે, અમદાવાદ સ્થિત આપના પ્રદેશ કાર્યાલય પર ઉપવાસ આંદોલન શરૂ થયું છે અને એ દરમિયાન આજે તા.23મી ડિસેમ્બરે સવારે સુરતમાં આપ ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.

આજે ગુરુવાર તા.23 ડિસેમ્બરની સવારે સુરતના આપ ના કેટલાક કાર્યકરો દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાના રાજીનામાની માગ સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં આપના કાર્યકરો- નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. મારામારી દરમિયાન ઉમરાના પીઆઈને પણ ઈજા પહોંચી હતી. બે દિવસ પહેલાં ગાંધીનગરમાં પણ પોલીસ-ભાજપના કાર્યકર્તાઓ અને આપ વચ્ચે મારામારીની ઘટના બની હતી.

આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોએ અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે ભેગા થયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાની યોજના હેઠળ તેઓ આવેદનપત્ર આપે તે પહેલા જ કચેરી સંકુલમાં પ્રવેશ દ્વારા પરથી જ તેમને ડિટેઈન કરી લેવાયા હતા. પેપર લીકમાં અસિત વોરા સહિતના દોષિતો સામે તાત્કાલિક પગલા લેવા માટે માંગ કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા સહિતના અલગ-અલગ હોદ્દેદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા પહેલા જ પોલીસે ધરપકડ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. જિલ્લા સેવા સદનના ગેટ પર જ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પોલીસની સામે પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમના અંદર જવા દેવામાં આવ્યા. ભાજપ પાર્ટી ચોર છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ચોર છે. આ પ્રકારના સતત નારાઓ લગાડવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ બૂમાબૂમ કરીને સુત્રોચ્ચાર પોકાર્યા હતા.

December 21, 2021
gopal.jpg
1min742

તા.20મી ડિસેમ્બર 2021ને સોમવારે બપોરે અમદાવાદના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તોફન મચાવવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આપ અને આપની યુથ વિંગના નેતાઓ તથા કાર્યકર્તાઓએ કમલમનો ઘેરાવ કર્યો હતો. એ પછી ભાજપાએ પોલીસની મદદથી આપના તોફાનીઓને એવા ભગાડ્યા હતા કે ધમાચકડીમાં અનેકને માર પણ પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતા ગોપાલ ઈટાલિયા સહિત ઘણા કાર્યકરો ઘવાયા હતા. પોલીસે આપના નેતા ઈસુદાન ગઢવી સહિત ઘણા કાર્યકરોની અટકાયત કરી હતી. હવે આ મામલો ઝડપથી સૂલઝે એમ જણાતો નથી

આપના નેતા ઈસુદાન ગઢવી પર ભાજપના મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂતે છેડતીનો આરોપ લગાવ્યો હતો. તેમણે તેવો પણ દાવો કર્યો હતો કે ઈસુદાન ગઢવી નશાની હાલતમાં હતા. પોલીસે ઈસુદાનની અટકાયત કરી હતી અને ટેસ્ટ માટે તેમને લઈ જવામાં આવ્યા હતા.

બાદમાં પોલીસે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, શિવકુમાર અને નિખીલ સવાણી સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે બિનજામીન પાત્ર કલમ પણ ઉમેરી છે.

ભાજપના મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂત અને શ્રદ્ધા રાજપૂતે ઈસુદાન નશાની હાલતમાં હોવાનો દાવો કરી પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા આ આક્ષેપોને AAPના નેતાને બદનામ હોવાનું કાવતરું હોવાનો દાવો કરતા આ આક્ષેપોને ફગાવી દેવાયા હતા.

December 21, 2021
bankloan_recovery.jpg
1min660

વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ભાગેડુઓની ઍસેટ્સના વેચાણ મારફતે બૅન્કોએ રૂ. ૧૩,૧૦૦ કરોડ રિકવર કર્યા છે, એમ નાણાં પ્રધાન નિર્મલા સીતારમને Dated 20/12/21, સોમવારે કહ્યું હતું. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે મંજૂર કરવામાં આવેલી સૅક્ધડ બૅચ ઑફ સપ્લિમેન્ટરી ડિમાન્ડ્સ ફૉર ગ્રાન્ટ્સ અંગેની ચર્ચાનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે સપ્લિમેન્ટરી ડિમાન્ડ્સ ફૉર ગ્રાન્ટ્સે સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં વધુ રૂ. ૩.૭૩ લાખ કરોડનો ખર્ચ કરવાની સત્તા આપી છે.


રૅસિડ્યૂઅલ ઍસેટ્સ ધરાવતી કંપની અને ઍર ઈન્ડિયાની લાયાબિલિટીમાં રૂ. ૬૨,૦૦૦ કરોડ ઠાલવવા, ખાતર પર વધારાની સબસિડી પેટે રૂ. ૫૮,૪૩૦ કરોડ, નિકાસના ઈન્સેન્ટિવની બાકી રહેલી ચુકવણી પેટે રૂ. ૫૩,૧૨૩ કરોડ અને નેશનલ રૂરલ ઍમ્પ્લોયમેન્ટ 
ગૅરેન્ટી ફંડમાં ટ્રાન્સફર કરવા ગ્રામીણ વિકાસ ખાતાને રૂ. ૨૨,૦૩૯ કરોડ આપવાનો વધારાના ખર્ચમાં સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું. 

ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી મુજબ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ભાગેડુઓની ઍસેસ્ટના વેચાણમાંથી રૂ. ૧૩,૧૦૯.૧૭ કરોડ વસૂલવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. 

વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મોંઘવારીના મુદ્દા અંગે જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ખાદ્યતેલ સહિત જીવનજરૂરિયાતની વસ્તુઓનાં ભાવ નીચા લાવવા સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. 

નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ) ઘટાડવા અને રિકવરી વધારવા સરકારે વ્યાપક પગલાં લીધા હોવાને કારણે જાહેરક્ષેત્રની બૅન્કોએ છેલ્લાં સાત વર્ષમાં રૂ. ૫.૪૯ લાખ કરોડ કરતા પણ વધુ રિકવર કર્યા હોવાની માહિતી સરકારે સોમવારે લોકસભામાં આપી હતી. 
લોકસભામાં આપેલા લેખિત ઉત્તરમાં રાજ્ય કક્ષાના નાણા પ્રધાન ભાગવત કરાડે જણાવ્યું હતું કે એનપીએના રિકવરી દરની વિગતો અંગે માહિતી આપતા આરબીઆઈએ કહ્યું હતું કે બૅન્કિંગ ઉદ્યોગમાં એનપીએના પરીપ્રેક્ષ્યમાં રિઝર્વ બૅન્કે રિકવરી રૅટની ઔપચારિક વ્યાખ્યા નથી કરી. 

એનપીએ અસરકારક રીતે ઘટાડવા અને રિકવરી વધારવા સરકારે વ્યાપક પગલાં લીધા હોવાને કારણે જાહેરક્ષેત્રની બૅન્કો છેલ્લા સાત વર્ષમાં રૂ. ૫.૪૯ લાખ કરોડ કરતા પણ વધુ રિકવર કરી શકી છે, એમ તેમણે કહ્યું હતું.  રિકવર કરવામાં આવેલાં નાણાંમાંથી ૮૬.૪ ટકા રકમ જાહેરક્ષેત્રની બૅન્કોમાં પાછી ઠાલવવામાં આવી હોવાને કારણે જાહેરક્ષેત્રની બૅન્કો હવે ખાતાદારો અને થાપણદારો માટે વધુ સુરક્ષિત બની છે, એમ તેમણે કહ્યું હતું.