CIA ALERT

યંગિસ્તાન Archives - Page 35 of 37 - CIA Live

December 8, 2018
google_Play_Store_Logo.png
3min6729

મોબાઇલ ધારક માટે ગુગલ પ્લે સ્ટોર એટલે જાણે એવો ડિપાર્ટમેન્ટલ સ્ટોર કે મનમાં જે શબ્દ આવે તેને પ્લે સ્ટોર પર નાંખીને એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર  પરથી મફતમાં મેળવી તેનો આનંદ ઉઠાવતા હતા. પરંતુ, હવે ગુગલ પ્લે સ્ટોર પરથી મફતમાં મળતી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાથી મોટું નુકશાન જાય તેવી ભીંતી છે. ખુદ ગુગલ પ્લે સ્ટોરે પોતાના નેટવર્કમાથી સાફસૂફી કરતા 22 જેટલી એપ્લિકેશન્સને કાઢી નાંખી છે જે યુઝર્સને ભારે નુકસાન કરે તેમ હતી.

વિશ્વ વિખ્યાત ગુગલ કંપનીએ સ્માર્ટ ફોન માટેના પોતાના એપ્લિકેશન પ્લેટફોર્મ ગુગલ પ્લે સ્ટોરમાંથી 22 એપ્લિકેશનને તાત્કાલિક અસરથી કાઢી નાંખી છે. આ 22 એપ્લિકેશન એવી છે જે યુઝર્સ સાથે છેતરપીંડી કરીને રૂપિયા પડાવી લેતી હતી. આ 22 એપ્લિકેશનન્સની યાદી અત્રે સામેલ છે.

ગુગલ પ્લે સ્ટોરમાંથી કાઢી નાંખવામાં આવેલી એપ્લિકેશન્સમાં કેટલીક એટલી બધી પ્રચલિત એપ્લિકેશન્સ છે જે તેને ડાઉનલોડ કરનારાઓની સંખ્યા પરથી જાણી શકાય છે. જેમકે સ્પાર્કલ ફ્લેશલાઇટ. અંદાજે 10 લાખથી વધુ લોકોએ સ્પાર્કલ ફ્લેશલાઇટ (ટોર્ચ) એપ્લિકેશન પોતાના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી રહ્યા હતા.

ગુગલ દ્વારા પ્લે સ્ટોરમાંથી કાઢી નાંખવામાં આવેલી 22 એપ્લિકેશન્સ યુઝર્સને કેવી રીતે ચૂનો ચોપડતી હતી તેની વિગતો આપતા સોફોસ નામની કંપનીએ સંશોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે એપ્લિકેશન્સ યુઝર્સના વધુ પડતા ડેટા ખર્ચી કાઢતા હતા. એથી વિશેષ બેટરીની અવધિ પણ ફટાફટ ઘટાડી દેતી હતી. આ એપ્લિકેશન્સ અનેક વખત યુઝર્સના મોબાઇલ ફોનને હેંગ કરી દેતી કે તેનો ડેટા ચોરી લેતી હતી.

Google recently removed 22 apps from its Play Store. The search giant removed the apps after security researcher Sophos found that these apps are being used for ad fraud by hackers. The list includes some of the popular apps like Sparkle Flashlight with 1 million-plus downloads. “From the user’s perspective, these apps drain their phone’s battery and may cause data overages as the apps are constantly running and communicating with servers in the background. Furthermore, the devices are fully controlled by the C2 server and can potentially install any malicious modules upon the instructions of the server,” warned the Sophos report.

Application Title

Sparkle FlashLight

Snake Attack

Math Solver

ShapeSorter

Tak A Trip

Magnifeye

Join Up

Zombie Killer

Space Rocket

Neon Pong

Just Flashlight

Table Soccer

Cliff Diver

Box Stack

Jelly Slice

AK Blackjack

Color Tiles

Animal Match

Roulette Mania

HexaFall

HexaBlocks

PairZap

December 7, 2018
GPSC_logo.png
1min17940
  • વર્ગ-૧ અને વર્ગ-ર તથા આશરે ૧૨ જેટલા સંવર્ગોની વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા
  • સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટી અને ત્યારબાદ ઇન્ટરવ્યુ હોય
  • વર્ગ-૧ અને ર ની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ
  • આયોગ દ્વારા યોજાતી પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી પ્રકારની હોય છે અને OMR પદ્ધતિથી લેવાતી હોય
  • મુખ્ય લેખિત પરીક્ષામાં એક કરતાં વધારે પ્રશ્નપત્રો હોય છે અને વર્ણનાત્મક ઢબે લેવાય

જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-ર તથા આશરે ૧૨ જેટલા સંવર્ગોની વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટી અને ત્યારબાદ ઇન્ટરવ્યુ હોય છે જયારે વર્ગ-૧ અને ર ની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ યોજાય છે. વર્ગ-૩ ની પરીક્ષામાં પ્રાથમિક કસોટી તથા પરીક્ષા નિયમોની જોગવાઈ પ્રમાણે મુખ્ય લેખિત પરીક્ષા હોય છે. આયોગ દ્વારા યોજાતી પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી પ્રકારની હોય છે અને OMR પદ્ધતિથી લેવાતી હોય છે જયારે મુખ્ય લેખિત પરીક્ષામાં એક કરતાં વધારે પ્રશ્નપત્રો હોય છે અને વર્ણનાત્મક ઢબે લેવાય છે.

પ્રાથમિક કસોટી પૂરી થયાના ગણતરીના કલાકોમાં OMR

આયોગ દ્વારા ડીસેમ્બર-૧૬ પછીથી યોજાયેલ તમામ પ્રાથમિક કસોટીઓની OMR પરીક્ષા પુર્ણ થયાના ગણતરીના કલાકોમાં આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. જો પરીક્ષા રાજયવ્યાપી હોય તેવા કિસ્સામાં ૨૪ કલાકમાં OMR વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં સંપન્ન થયેલ વર્ગ-૧ અને ર ની પ્રાથમિક કસોટી ગુજરાતના ૩૨ જિલ્લાઓમાં સવારે ૧૧ થી ૧ તથા બપોરે ૩ થી ૫ દરમ્યાન યોજવામાં આવેલ હતી. આયોગની કચેરીથી ઘણાં દૂર અંતરે આવેલા ડાંગ-આહવા કે ભૂજ ખાતે જો પેટા કેન્દ્રો હોય તે પેટાકેન્દ્રો પરથી જિલ્લાના મુખ્ય કેન્દ્રો પર OMR ઉત્તરવહીઓ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પહોંચાડવામાં આવી અને જિલ્લા કેન્દ્રો ખાતેથી આયોગની કચેરી ખાતે લાંબા કિ.મી. નું અંતર કાપી અને આ OMR ઉત્તરવહીઓ આયોગની કચેરી પર લાવવામાં આવી હતી અને કચેરી ખાતે તાત્કાલિક તેનું સ્કેનિંગ કરીને બીજા દિવસે સવારમાં કેટલાક ઉમેદવારો પરીક્ષાના સખત થાકને લીધે નિંદ્રાધીન હતાં તેવી વેળાએ સવારે ૧૦.૦૦ કલાકે આયોગની વેબસાઇટ પર આ OMR અપલોડ કરવામાં આવેલ છે. આયોગ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓની પારદર્શિતાનો આ એક બેજોડ નમૂનો છે.

તંત્રને શું તકલીફો ઉપસ્થિત થાય

સામાન્ય રીતે એવું લાગે કે સોફ્ટવેર દ્વારા જ બધી પ્રક્રિયા થતી હોય તો પરિણામ પ્રસિદ્ધ કરવામાં આટલો સમય શા માટે ? પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી હોય છે જેમાં ઉમેદવાર પોતાનો રોલનંબર OMR ઉત્તરપત્ર (જવાબવહી) પર આંકડામાં લખે છે અને લખેલ રોલનંબર એનકોડ કરવાનો હોય છે. OMR (Optical Mark Reader) ટેકનોલોજીથી એનકોડ કરેલ Bubble રીડ કરવામાં આવે છે તથા આકડામાં લખેલ નંબર ICR (Intelligent Character Recognition) ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. ઘણી વાર ઉમેદવાર Bubble એનકોડ કરવામાં ભૂલ કરે છે જેને કારણે આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબર એ બંન્નેમાં વિસંગતતા થાય છે. પરીક્ષા પછી ઉમેદવારને માલૂમ પડે કે બેઠક નંબર એનકોડ કરવામાં ભૂલ કરી છે તો આવા ઉમેદવારો આયોગને લેખિત રજુઆત પણ કરતાં હોય છે અને આયોગ આ રજુઆતોને ગ્રાહ્ય પણ રાખતું હોય છે. જો ચોકસાઇ ના રાખવામાં આવે તો કદાચ એવું બને કે ગેરહાજર રહેલ ઉમેદવારની સામે માર્કસ મૂકાય અથવા એક જ નંબરના બે ઉમેદવારો જણાય. આવું ના બને એટલા માટે આયોગ દ્વારા તમામ ઉમેદવારોએ આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબરને સરખાવવામાં આવે છે તદ્દઉપરાંત OMR શીટ પર છાપેલ બારકોડ અને એટેન્ડન્ટ શીટ પરના નંબર OMR/ICR ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. કોઈપણ કલ્પના કરી શકે કે ૪ લાખ કે તેથી વધુ OMR ઉત્તરવહીનું physical verification પ્રક્રિયા કેટલી tedious અને સમય માંગી લેનારી હોય શકે ! સમગ્ર પરીક્ષાના સંચાલનમાં આયોગના અધિકારીઓની મહેનત કાબિલેતારીફ છે, સરાહનીય છે.

પરીક્ષા પુર્ણ થયા બાદ Final Answer Key

આયોગ દ્વારા યોજાતી પરીક્ષા પુર્ણ થયા બાદ Final Answer Key અને એ પછી પરિણામ પ્રસિદ્ધ કરતા પહેલા આયોગની વેબસાઇટ પર Provisional Answer Key મૂકવામાં આવે છે. આ Provisional Answer Key પર ઉમેદવારોના વાંધાઓ મંગાવવામાં આવે છે અને એના માટે ૧૦ કામકાજના દિવસ જેટલો સમય આપવામાં આવે છે. વાંધા મંગાવવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તમામ વાંધાઓ એકાદ અઠવાડિયામાં સંકલિત કરી વિષયવાર નિષ્ણાંતોને મોકલવામાં આવે છે. વિષય નિષ્ણાંત ઉમેદવારોના વાંધાઓ અને તેની સાથે રજૂ કરેલ સ્ત્રોતની ખરાઇ કરી પોતાનો અભિપ્રાય આપતા હોય છે. જરૂર જણાયે કેટલીક વખત આયોગ વધારાના વિષય નિષ્ણાંતનો પણ અભિપ્રાય લે છે. વાંધાઓની સંખ્યાને જોઈને વિષય નિષ્ણાંત માટે ૧૦-૧૫ દિવસ નો સમય જરૂરી છે. એક સાથે ઘણી બધી પરીક્ષાની પ્રક્રિયા આયોગ ખાતે સમાંતર ચાલતી હોય છે. છેલ્લા ૩ વર્ષમાં ૨૦૦ કરતા વધુ પરીક્ષા આયોગે લીધી છે અને આશરે ૧૦,૦૦૦ જેટલા અધિકારીઓને પસંદ કરી સરકારને ભલામણ કરી છે.

જયાં સુધી જા.ક્ર. ૪૦/૧૮-૧૯ ગુજરાત મુલ્કી સેવા તથા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ર નો સવાલ છે ત્યાં સુધી જુલાઇ ૨૦૧૮ માં જાહેરાત પ્રસિદ્ધ કરતી વખતે જણાવવામાં આવેલ કે આ જગ્યાની પ્રાથમિક કસોટી તા.૨૧.૧૦.૧૮ ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનું પરિણામ સંભવતઃ ડીસેમ્બર-૨૦૧૮ માં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ જાહેરાત અન્વયે મુખ્ય લેખિત પરીક્ષા તા. ૧૭, ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી-૨૦૧૯ ના રોજ યોજવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ સંભવતઃ જૂન -૨૦૧૯ માં પ્રસિદ્ધ કરવામાં આવશે અને રૂબરૂ મુલાકાત જુલાઇ-૨૦૧૯ માં ગોઠવામાં આવશે. આ જાહેરાત અન્વયેની પ્રાથમિક કસોટી જાહેરાતમાં જણાવેલ સમયમર્યાદામાં પુર્ણ કરવામાં આવેલ છે. બાકીના તબકકાઓ પણ નિર્ધારિત સમયમર્યદામાં જ પુર્ણ કરવામાં આવશે. રાત્રે ૧૨ વાગ્યે ડિસેમ્બર શરુ થાય છે એમ સમજી કેટલાંક વીરલાઓએ તો તા. ૩૦ નવેમ્બરે રાત્રે ૧૧.૫૯ મિનિટે પરિણામ કયારે આવશે તેની Tweet પર પૃચ્છા કરવા લાગ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે જા.ક્ર. ૯/૧૪-૧૫ ના ઉમેદવારો કે જેઓ અત્યારે નાયબ કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સેકશન અધિકારી કે ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર તરીકે ફરજો બજાવી રહ્યાં છે તે ઉમેદવારોએ પણ આખરી પરિણામ તા. ૩૧, મે ૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ થવાનું હતું પરંતુ એક લીટીગેશન ના કારણે ૩૧મી મે એ પરિણામ પ્રસિદ્ધ કરી શકાય તેમ ન હતું તે જાણતા હોવા છતાં તો પણ લગભગ રાત્રે ૧૨ થી ૨ ની વચ્ચે સીન્ડીકેટ બનાવી અને ૧૫૦ થી ૨૦૦ Tweet કરેલ.

કયારેક કયારેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વર્તમાન પેઢીની મને ઇર્ષા આવે છે કે અમારી પેઢી વીસમી સદીના છેલ્લા દસકાના ઉત્તરાર્ધમાં જયારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે GPSC ની જાહેરાત કયારે આવશે ? પરીક્ષા કયારે લેવાશે ? GPSC ની ઓફિસ કયાં છે ? GPSC ના ચેરમેન કોણ છે ? આવી કોઇ પણ માહિતી ન હતી ક્યાં તો ગતાગમ ન હતી. જયારે એકવીસમી સદીના બીજા દસકામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરનાર ઉમેદવારો પાસે પુર્વ નિર્ધારિત પરીક્ષા કાર્યક્રમ તથા અન્ય આનુસાંગિક સુવિધાઓ ઉપલબ્ધ છે. રાત્રે ૧૨ વાગ્યે કે ૨ વાગ્યે જી.પી.એસ.સી.ના ચેરમેન દિનેશ દાસા ને પરિણામ કયારે પ્રસિદ્ધ કરશો એવું Tweet કરી પૂછી શકાય છે. ૨૦ મી સદીમાં હિંસાના જે પ્રકારો હતાં તેમાં ૨૧ મી સદીમાં એક હિંસાનો ઉમેરો થયો છે અને તે છે ડીજીટલ હિંસા. રાત્રે ૧૨ થી ૨ વચ્ચે બીપ…બીપ…કરીને Twitter પર ૧૦૦-૨૦૦ નોટિફિકેશન નોટીફાય કરવા એને હિંસા ગણવી કે નહીં તે બાબતમાં હજુ અવઢવમાં છું. પણ હું તમામ બાબતોને હકારાત્મકતાથી મૂલવું છું.આ પેઢીના યુવાનો તકની રાહ જોય રહ્યા છે તક મળ્યેથી પોતાની જવાબદારી નીભાવવા માટે ઉત્સુક છે. ભવિષ્યમાં સરકારી અધિકારી બન્યા પછી પણ આવી જ તત્પરતા રાખશે અને રાત્રે ૧૨.૦૦ વાગ્યે પણ પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે તત્પર રહેશે એવા હકારાત્મક વિશ્વાસ સાથે આનંદની લાગણી અનુભવું છું.

16 ડિસેમ્બર 2018ના રોજ લેવાનારી પરીક્ષાના ઉમેદવારો જોગ

આગામી ૧૬ ડીસેમ્બર, ૨૦૧૮ના રોજ જયારે નાયબ મામલતદાર અને નાયબ સેકશન અધિકારીની પ્રાથમિક કસોટી યોજાઇ રહી છે ત્યારે ઉમેદવારોને ખાસ વિનંતી કે પોતાના બેઠક નંબર એનકોડ કરવામાં ધ્યાન રાખે. જેટલી ઉમેદવારો ઓછી ભૂલો કરશે તેટલી આયોગને ઉત્તરવહીની ચકાસણી/બેઠક નંબરની સરખામણી કરવામાં ઓછી મહેનત કરવી પડશે અને પરિણામ વધુ ઝડપથી પ્રસિદ્ધ કરી શકાય. સૌ ઉમેદવારોને હૃદય પૂર્વકની શુભેચ્છાઓ….

સાભાર ઃ શ્રી દિનેશભાઇ દાસાની ફેસબુક પોસ્ટ…ગુજરાતના યુવાઓના વિશાળ હિતમાં પ્રકાશિત

December 6, 2018
CIA_Live_Logo_New2.jpg
1min8620

ડિજીટલ ન્યુઝ ક્ષેત્રમાં મોબાઇલ યુઝર્સમાં માનીતી બની ગયેલી ગુજરાતી ન્યુઝ પોર્ટલ  www.cialive.in ને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પત્રકારો, માર્કેટિંગ મેનેજર્સ તેમજ આસિસ્ટન્ટસની આવશ્યકતા છે. રસ ધરાવતા ઉમેદવારોએ મેઇલ આઇ.ડી. cialive@yahoo.com પર તા.16 ડિસેમ્બર 2018 સુધીમાં પોતાની એપ્લિકેશન મોકલવાની રહેશે. જોબ માટે વ્હોટ્સ એપ પર બિલકુલ સંપર્ક કરવો નહીં.

રસ ધરાવતા ઉમેદવારો ગુજરાતી ટાઇપિંગ તેમજ ફોટોગ્રાફી કરી શક્તા હોવા જરૂરી છે. ઉમેદવાર પાસે પોતાનું ટુ વ્હીલ વાહન હોવું જરૂરી.

નીચે મુજબ સ્ટાફની આવશ્યકતા છે

બારડોલી પત્રકાર સંખ્યા 02

વ્યારા પત્રકાર સંખ્યા 02, માર્કેટિંગ સંખ્યા 01

નવસારી પત્રકાર સંખ્યા 02

વલસાડ પત્રકાર સંખ્યા 02

વાપી પત્રકાર સંખ્યા 02, માર્કેટિંગ સંખ્યા 01

દમણ પત્રકાર સંખ્યા 01, માર્કેટિંગ સંખ્યા 01

ભરૂચ પત્રકાર સંખ્યા 01

અમદાવાદ  પત્રકાર સંખ્યા 01

ગાંધીનગર પત્રકાર સંખ્યા 01

રાજકોટ પત્રકાર સંખ્યા 02

ભાવનગર પત્રકાર સંખ્યા 01

જૂનાગઢ પત્રકાર સખ્યા 01

મુંબઇ પત્રકાર સંખ્યા 01

અરજી મોકલવા માટેનો ઇમેઇલ આઇ.ડી. cialive@yahoo.com

November 29, 2018
GOVT-JOBS.jpg
1min9020

  • ગુજરાત ત્રીજા વર્ગની 12 હજાર જગ્યાઓ માટે 38 લાખ અરજી
  • તલાટીની કુલ 1800 જગ્યા માટે 19 લાખ અરજીઓ
  • ફોરેસ્ટ બીટ ગાર્ડની 334 જગ્યાઓ માટે 4, 84, 000 અરજી
  • પોલીસ કોન્સ્ટેબલની 9, 713 જગ્યાઓ માટે માત્ર 8, 76, 000

સરકારી નોકરી મેળવવા માટે આજકાલ યુવાનોમાં કેટલી હોડ મચી ગઇ છે એની પ્રતીતિ કરાવતી ઘટના આકાર પામી છે. આજના જમાનામાં સરકારી કર્મચારી પછી ભલે એ ક્લાસ-થ્રી પદની કેમ ન હોય, લાઇફ સ્ટાઇલ, કાયદેસરની આવક એટલે કે પગાર અને આકસ્મિક આવક એટલે કે બેનંબરી આવક, ઠાઠ માઠ વગેરે જોઇને યંગસ્ટર્સ પણ હવે સરકારી નોકરી મેળવવા માટે ભારે પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે ક્રિમ ખાતું ગણાય. રેવન્યુ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારથી ખદબદતું ખાતું છે, સૌથી વધુ એન્ટી કરપ્શનના કેસો પણ રેવન્યુ ખાતામાં જ થતાં હોય છે. રેવન્યુ ખાતામાં આવતા તલાટીઓ ભ્રષ્ટાચાર આચરવા માટે સૌથી વધુ કુખ્યાત હોય છે. જમીનના દફતરમાં કોઠા કબાડા કરવા માટે તલાટીઓ ભારે બદનામ હોય છે. અને હવે એ જ તલાટી બનવા માટે શિક્ષિત બેરોજગારોએ કેવી પડાપડી કરી છે તેની વિગતો તલાટી માટે ગુજરાત સરકારે હાથ ધરેલી ભરતી પ્રક્રિયા અન્વયે મળેલી અરજીઓની સંખ્યા પરથી થઇને રહે છે.

ગુજરાતમાં તલાટીની નોકરીને વૈભવી માનવામાં આવે છે અને તલાટીઓને વૈભવશાળી. એવી બહું ઓછી જીવતી વારતા સાંભળવા મળે છે જેની પહેલી લાઇન એમ હોય કે, એક ગરીબ તલાટી હતો. જમીનના કોઠા કબાડા બહાર આવે ત્યારે પહેલું કુકર્મ જો કોઇએ કર્યું હોય તો એ તલાટીનું નામ છાપરે ચઢીને પોકારે. આવી સ્થિતિમાં હાલમાં ગુજરાતમાં તલાટીઓની ખાલી પડેલી 1800 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તલાટી બનવા માટે ભલભલા ઉમેદવારોએ ઝુકાવ્યું છે.

ગુજરાતમાં તલાટીની 1800 જેટલી જગ્યાઓ માટે કુલ 19 લાખ જેટલી અરજીઓ મળી છે.

તલાટી બનવા માટે આટલી મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગારોએ કરેલી અરજી એ બાબત પણ સૂચવે છે કે યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષાઓને અઘરી ગણતા યંગસ્ટર્સ માને છે કે તલાટીની પરીક્ષા સરળતાથી પાસ કરી દેવાશે.

ગુજરાતમાં બેકારીના આંકડા જાણે સતત વધી રહ્યા છે. તા.28મી નવેમ્બરના રોજ મળેલી ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતી હેરત પમાડે એવી છે. રાજ્યમાં ત્રીજા વર્ગની 12 હજાર ખાલી પડેલી જગ્યાઓ માટે અધધધ 38 લાખ અરજીઓ મળી છે. જેમાંથી 50 ટકા એટલે કે 19 લાખ અરજી તલાટીની પોસ્ટ માટે છે. જેમાં માત્ર 1800 જગ્યાઓ છે. અરજી કરવાની અંતિમ તારીખને હજુ સમય હોવાથી આ આંકડો હજુ વધી શકે છે.

તલાટીની પોસ્ટ માટે સૌથી વધુ અરજીઓ મળી છે. આંકડાઓ પ્રમાણે એક જગ્યાઓ માટે આશરે 1, 055 ઉમેદવારોએ અરજી કરી છે. જ્યારે ફોરેસ્ટ બીટ ગાર્ડની 334 જગ્યાઓ માટે 4, 84, 000 અરજી મળી છે. એટલે કે એક પોસ્ટ માટે આશરે 1, 449 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની 9, 713 જગ્યાઓ માટે માત્ર 8, 76, 000 અરજીઓ આવી છે.

સરકારી નોકરી માટેની અરજીઓ અને વાસ્તવિક બેકારી વચ્ચે સીધો સંબંધ ન હોય શકે. કારણ કે ઘણી વાર સારી નોકરીની શોધમાં લોકો એક નોકરી હોવા છતા બીજી માટે અરજી કરે છે. જો કે કૉંગ્રેસે આ આંકડાઓને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ‘ આ આંકડાઓ પરથી સાબિત થાય છે કે રાજ્યમાં બેકારીએ ભરડો લીધો છે. ‘

 

November 20, 2018
alpesh-kathiriya-1280x720.jpg
1min8660
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને હાઇકોર્ટે જામીન આપ્યા
  • જામીનના એક દિવસ પૂર્વે જ સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને અેરેસ્ટ કર્યા હતા
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન મળ્યા હોવા છતાં હજુ તેઓ સુરત પોલીસની કસ્ટડીમાં રહેશે

સુરતના યુવા આગેવાન અને પાસના નેતા અલ્પેશ કથિરીયાને આખરે રાજદ્રોહના કેસમાં આજરોજ તા.20મી નવેમ્બર 2018ના રોજ ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ જેલમાંથી સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને બીજા કેસમાં એરેસ્ટ કર્યા હતા, એટલે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં સુરતના કેસમાં અલ્પેશ કથિરીયાએ હજુ કસ્ટડીમાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

ગુજરાત હાઇકોર્ટે રાજદ્રોહના કેસમાં પાસના મોટા નેતા સુરતના અલ્પેશ કથિરીયાને જામીન આપ્યા હોવાની વિગતો આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ભારે વાઇરલ થઇ હતી. પાસના વ્હોટ્સ એપ ગ્રુપમાં અલ્પેશ કથિરીયાના ચાહકોએ અલ્પેશ ગબ્બરની મુક્તિના સમાચારોને વાઇરલ કરી મૂક્યા હતા. પાસના નેતાઓએ અલ્પેશ કથિરીયાને અન્ય કેસોમાં પણ જામીન મળી જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અલ્પેશ કથિરીયા 19મી ઓગસ્ટ 2018ના રોજ પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિનાનો સમય અલ્પેશ કથિરીયા અમદાવાદની સાબરમતી જેલમાં બંધ રહ્યા હતા.

November 19, 2018
bmef_ravishankar.jpg
1min8630

આર્ટ ઓફ લિવિંગ અને સુરતના ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના ઉપક્રમે આાગામી તા. 3 ડિસેમ્બર 2018ના રોજ વેસુ રોડ સ્થિત ભગવાન મહાવીર સંકુલ ખાતે યુવા રંગ નામે એક ગ્રાન્ડ યુથ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા રંગ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના વિશ્વગુરુ શ્રી શ્રી રવિશંકર સંબોધન કરશે. યુવાઓ માટે આ યુથ ઇવેન્ટમાં એન્ટ્રી બિલકુલ ફ્રી છે પણ અગાઉથી તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

સુરતના આંગણે યોજાઇ રહેલી આ યુથ ઇવેન્ટને ગુજરાત રાજ્યની ગ્રાન્ડ યુથ ઇવેન્ટ તરીકે માનવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં ગુજરાતભરમાંથી યુવાઓ આ ઇવેન્ટમાં જોડાય એમ માનવામાં આવે છે. યુથ ફોર ગુજરાત સંસ્થાનું સંચાલન કરી રહેલા શ્રી જિજ્ઞેશ પાટીલ અને તેમની ટીમે આ ઇવેન્ટને સપોર્ટ જાહેર કર્યો છે. યુથ ફોર ગુજરાતના હજારો મેમ્બર્સ આ ઇવેન્ટસમાં ઉપસ્થિત તો રહેશે જ સાથોસાથ શ્રમદાન પણ કરશે.

પંડિત શ્રી શ્રી રવિશંકરના સાનિધ્યમાં તા.3જી ડિસેમ્બર 2018ના રોજ યોજાનારા કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સાર્વજનિક કરી રહેલા જિજ્ઞેશ પાટીલ, ભગવાન મહાવીર સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલ જૈન તેમજ અન્ય સહાયકો દ્રશ્યમાન છે.

તા.3જી ડિસેમ્બર 2018ના રોજ સવારે 9થી 11 દરમિયાન સુરત ખાતે યોજાનારા યુવા રંગ કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર યુવાનોમાં રહેલી અસલામતીની લાગણી દુર કરવા , તેમનામાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જળવાઇ રહે તે માટે પ્રેરક પ્રવચન આપશે. સુરતનો કાર્યક્મ વિશ્વભરમાં 155+ દેશોમાં આર્ટ ઓફ લિવિંગના સત્તાવાર સોશિયલ  મીડિયા હેન્ડલ્સ પર લાઇવ થશે.

વધુ માહિતી માટે www.yuvarang.com પર લોગઇન કરવા માટે જણાવાયું છે.

November 5, 2018
modij.jpg
1min19390

દિવાળી અને નવા વર્ષે ખાસ કરીને નવા વસ્ત્રો તેમજ આકર્ષક અને ફેન્સી વસ્ત્રો પહેરવાની પરંપરા છે, આ વખતે યંગસ્ટર્સમાં વેસ્ટર્ન કે કેઝ્યુઅલ નહીં બલ્કે મોદી જેકેટ્સ, મોદી કુર્તા તેમજ મોદી સ્ટાઇલ પાઇપિંગ બોટમ લહેંગાનો જબરદસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 500 રૂપિયાથી શરૂ કરીને 25 હજારના મોદી સ્યુટ્સ યંગસ્ટર્સ ખરીદી રહ્યા છે. આ વખતે દિવાળીમાં મોદી કુર્તા, મોદી જેકેટ્સની ભારે બૂમ સંભળાય રહી છે.

મોદી જેકેટ્સની ડિમાંડને જોતા ખુદ ખાદી ઇન્ડિયાએ પણ મોદી સ્ટાઇલ જેકેટ્સની આખી રેન્જ ભારતીય બજારોમાં મૂકી છે. સુરતમાં પણ ઠેકઠેકાણે ખાદીથી લઇને લીનન ફેબ્રિક્સમાંથી તૈયાર થયેલા મોદી જેકેટ્સ ધૂમ વેચાય રહ્યા છે. નાના બાળકોથી લઇને યંગસ્ટર્સ તેમજ સિનિયર સિટીઝન્સ, બિઝનેસમેન, નોકરીયાત કોઇપણ વર્ગમાં આ દિવાળીમાં ટ્રેડિશનલ વેયર્સ કરતા પણ વધુ મોદી જેકેટ્સ ચાલી રહ્યા છે.

 

ઇન્ટરનેશનલ લેવલ  પર પણ મોદી જેકેટ્સની ધૂમ

ઇન્ટરનેશનલ લેવલ પર પણ હાલમાં ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પહેરે છે એવા મોદી જેકેટ્સની ધૂમ જોવા મળી રહી છે. દક્ષિણ કારીયોના પ્રેસિડેન્ટએ મોદી જેકેટ્સ પહેરવાનો શરૂ કર્યું ત્યારથી તો વિશ્વનો એવો કોઇ દેશ નથી કે જ્યાંથી મોદી જેકેટ્સની ડિમાન્ડ ન આવતી હોય.

ખાદી ઇન્ડિયાની કુલ સાત દુકાનોમાંથી રોજની લગભગ  ૧૪૦૦ જોડી કુર્તા-જૅકેટનો ઉપાડ થાય છે. ખાદી ઇન્ડિયાએ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બરે કનૉટ પ્લેસના એના સ્ટોરમાં મોદી જૅકેટ્સ અને મોદી કુર્તાની સિરીઝ લૉન્ચ કરી હતી. ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના ચૅરમૅન વી. કે. સક્સેનાએ મોદી કુર્તા-જૅકેટની શ્રેણીને દેશભરની તમામ દુકાનોમાં વેચવાની યોજના હોવાનું જણાવ્યું હતું.

કનૉટ પ્લેસના સ્ટોરમાં ઑક્ટોબર મહિનામાં કુલ ૧૪.૭૬ કરોડ રૂપિયાનું વિક્રમી વેચાણ નોંધાયું છે જે ગયા વર્ષના સમાન મહિનાના વેચાણની તુલનાએ ૩૪.૭૧ ટકા વધુ છે.

દેશનાં સાત મોટા શહેરો દિલ્હી, કલકત્તા, જયપુર, જોધપુર, ભોપાલ, મુંબઈ અને અર્નાકુલમના સ્ટોર્સમાંથી રોજના ૨૦૦ના હિસાબે કુલ ૧૪૦૦ કુર્તા-જૅકેટ્સનું વેચાણ થાય છે. એ આંકડાના આધારે મોદી સિરીઝને મળેલા પ્રતિસાદનો ખ્યાલ આવી શકે છે.

November 2, 2018
iitmadra.jpg
1min14540

ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ટૂંક સમયમાં તમારા મૉબાઇલ ફૉન, સર્વિલન્સ કૅમૅરા અને સ્માર્ટ મીટર ચલાવી શકશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) મદ્રાસ દ્વારા સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ની ડિઝાઇન તૈયાર કરી છે અને તેને વિકસાવ્યું છે. તેની માઇક્રૉચિપ ચંડીગઢમાંની ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની સૅમી-ક્ધડક્ટર લેબૉરેટરીમાં તૈયાર કરાઇ છે. સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ને લીધે આયાત કરાતી માઇક્રૉચિપ્સ પર આધાર રાખવાનું ઓછું થવાની અને સાયબર હુમલા ઘટવાની આશા જન્મી છે. આ ઉપરાંત, સંદેશવ્યવહાર અને સંરક્ષણ ક્ષેત્ર માટે સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ઉત્તમ સાબિત થશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસની ‘રાઇઝ લેબૉરેટરી’ના અગ્રણી સંશોધનકાર પ્રાધ્યાપક કમલકોટી વીઝીનાથને જણાવ્યું હતું કે અલગ-અલગ સાધનો (ડિવાઇસ)ને જુદા જુદા પ્રકારના હાર્ડવૅરની અથવા નવા ફિચર્સ કે ઇન્સ્ટ્રક્શન્સની જરૂર પડે છે અને અમે આ બાબતને ધ્યાનમાં રાખીને માઇક્રૉપ્રૉસેસરની ડિઝાઇન તૈયાર કરી છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસ આ માઇક્રૉપ્રૉસેસરની સ્ટ્રૅટૅજિક અને કૉમર્શિયલ ઍપ્લિકૅશન્સ માટે 13થી વધુ કંપનીના સંપર્કમાં છે. આઇઆઇટીની ટીમ સુપર કમ્પ્યુટર માટેનું અત્યાધુનિક માઇક્રૉપ્રૉસેસર ‘પરાશક્તિ’ 2018ના ડિસેમ્બર સુધીમાં તૈયાર કરવાની છે.

November 1, 2018
gold_mannn.jpg
1min11640

મધ્યપ્રદેશના દેવાસમાં એક ગોલ્ડ મેનને બે કિલોથી વધારે સોનું પહેરીને બહાર નીકળવું ભારે પડી ગયું હતું. લુઈસ પોલ નામનો શખસ પોતાની કારમાં ઝાંસીથી મુંબઈ જઈ રહ્યો હતો અને ગળામાં સોનાના બે મોટા ચેન, બ્રેસલેટ, ઘડિયાળ, વીંટી જેવા ઘરેણા પહેર્યા હતા. જેની કિંમત 70 લાખ જેવી થતી હતી.’ આ દરમિયાન ફ્લાઈંગ સ્કોડે આચારસંહિતા ભંગનો દાષિત ગણીને કાર્યવાહી કરી હતી અને તેની અટકાયત કરીને આવકવેરા વિભાગને સોંપવામાં આવ્યો હતો. હકીકતમાં આચાર સંહિતા દરમિયાન મહિલાઓ 500 ગ્રામ અને પુરુષો 250 ગ્રામ સોનાના આભૂષણ પહેરી શકે છે. પરંતુ અટકાયત થયેલો લુઈલ બે કિલોથી પણ વધારે ઘરેણા પહેરીને ફરી રહ્યો હતો.

November 1, 2018
swiggy.png
1min8020

ઑનલાઇન ફૂડ ઑર્ડરની ડિલિવરી કરવા માટે બાઇકર્સ છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે શહેરમાં જોતજોતામાં સેંકડો નહીં પણ હજારો યુવાનો સ્વિગ્ગી અને ઝોમાટો સર્વિસના ડિલિવરી – બૉય્ઝ તરીકે જોડાઇ ગયા છે અને તેઓ મોટા ભાગે ટુ વ્હીલર્સ પર ઉતાવળે ફૂડ ડિલીવરી કરવાની લ્હાયમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા હોવાની ગંભીર ફરીયાદો સામે આવી છે. સ્વિગ્ગી અને ઝોમાટે બન્નેના ડિલીવરી બોયઝ તેમના ડ્રેસ કોડ અને બાઇક્સને કારણે નિયમ તોડતા હોય ત્યારે તરત જ લોકોની નજરમાં આવી જાય છે. સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝ શહેરમાં ઠેકઠેકાણે રૉન્ગસાઇડ, ફુટપાથ પરથી બાઇક ચલાવતા હોવાની, ઓવરસ્પીડ કરતા હોવાની, રોંગ સાઇડ ઓવરટેકિંગ કરતા હોવાની ગંભીર ફરીયાદો ઉઠવા પામી છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ માટે ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ માથાનો દુખાવો ઉભો કરી રહ્યા છે. અત્યાર સુધી ડોમીનોઝ કે અન્ય સ્પેશિફિક બ્રાન્ડના જ ફુડ ડિલીવરી બોયઝ શહેરમાં છુટા છવાયા જોવા મળતા હતા પણ હવે તો સ્વિગ્ગી અને ઝોમાટો જેવી ફૂડ ડિલીવરી સર્વિસના હજારો બાઇકર્સ શહેરમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે તેઓ શહેર પોલીસ માટે ઉપદ્રવ સમાન બન્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

શહેરમાં પીક અવર્સ દરમિયાન અઠવાલાઇન્સ, રિંગ રોડ, ઘોડદોડ રોડ, સિટીલાઇટ, અડાજણ, એલ.પી. સવાણી રોડ, વરાછા રોડ, કતારગામ વગેરે વિસ્તારમાં જુદી જુદી હોટેલો પરથી ખાણું મંગાવનારા લોકોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. બહારનું ખાણું ગ્રાહકના સરનામે ઝડપથી ડિલીવરી કરી આપવાની સર્વિસ આપતા સ્વિગ્ગી અને ઝોમાટોએ શહેરમાં ફુડ ડિલિવર કરવા માટે હજારો યુવાનોને રોક્યા છે. આ સ્વિગ્ગી અને ઝોમાટોના ફુડ ડિલિવરી બોયઝ એટલી વ્યાપક સંખ્યામાં વધ્યા છે કે તેઓ હવે શહેરમાં ટ્રાફિકના અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે. ઝડપથી ફૂડ ડિલીવરી કરવાનું પ્રેશર લઇને બાઇકો દોડાવી રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ફૂડ ડિલિવરી કરતા યુવાનો સામે અનેક ફરીયાદો ઉઠી છે. હોટેલો કે રેસ્ટોરેન્ટ તેની જવાબદારી લેવા તૈયાર નથી જ્યારે આ બન્ને કંપનીઓના સ્થાનિક અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી રહ્યા છે. બેદરકારીભર્યું અને રફ ડ્રાઇવિંગ કરીને સામાન્ય રાહદારીઓ તેમજ શહેરના વાહનચાલકોને બાનમાં લઇ રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝની આ પ્રવૃતિ સામે હવે ટ્રાફિક પોલીસે જ લાલ આંખ કરવી પડે તેમ છે.

સ્વિગ્ગી અને ઝોમાટોની નીતિઓને કારણે જ ડિલીવરી બોયઝ ઓવર સ્પિડીંગ કરતા હોય છે

ફુડ ડિલીવરી કરી આપતી કંપનીઓ તેમની કામગીરીનો વ્યાપ વધારવા માટે ડિલીવરી બોયઝને ઝડપી ડિલીવરી કે રોજની સ્પેશિફિક ડિલીવરી કરતા વધુ સંખ્યામાં ફુડ ડિલીવર કરનારને વધુ ઇન્સેન્ટીવ આપતી હોવાથી સ્થાનિક યુવકો વધુ સંખ્યા માટે ઝડપથી ઓર્ડર પૂરો કરવા માટે ઓવર સ્પિડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, વન-વેમાં ઘૂસી જતા હોય છે.

મુંબઇમાં ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ બોયઝને ડામવા માટે ઝુંબેશ આ રીતે ચાલી રહી છે

બાઇકર્સ દ્વારા છડેચોક કરાતા નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને મુંબઈના કેટલાક નાગરિકોએ પોતાનું રોડ સેફ્ટી કૅમ્પેન શરૂ કર્યું હતું. ત્રણ મહિના પહેલાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અનેક વખત જોવા મળ્યું હતું કે ડિલિવરી કરનારા લાંબો રૂટ ટાળવા માટે નો એન્ટ્રીમાં ઘૂસી જતા હોય છે અથવા તો ફુટપાથ પર બાઇક ચલાવતા હોય છે. રોડ સેફ્ટી કૅમ્પેન સાથે સંકળાયેલા ૫૫૦ સ્વયંસેવકો આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા બાઇકર્સના વિડિયો બનાવે છે અને પછી એને મુંબઈ પોલીસના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરે છે. આમાંથી મોટા ભાગના બાઇકર્સ આવી રીતે ફૂડ ડિલિવરી કરનારા હોવાનું જાણવા મળ્યું છે. વૉલન્ટિયર્સ આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ઈ-ચલાન મોકલીને કાર્યવાહી કરવામાં આવે એ માટે દબાણ બનાવી રહ્યા છે. પોલીસની માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં આવા ૨૦૦થી વધુ બાઇકર્સને ઈ-ચલાન મોકલવામાં આવ્યાં છે.