CIA ALERT

યંગિસ્તાન Archives - Page 27 of 37 - CIA Live

June 4, 2019
neet.jpeg
2min6530

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કર્યું છે કે મે 2019માં ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવેલી મેડીકલ અને ડેન્ટલ માટેની ફરજિયાત એન્ટ્રન્સ ટેસ્ટ નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એકઝામ) નું પરીણામ તા.5મી જુન 2019ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી ક્વોલિફિકેશન ઉપરાંત એ.આઇ.આર. (ઓલ ઇન્ડિયા રેન્ક) પણ જાહેર કરશે. નેશનલ મેરિટ્સ રેન્કથી જ દરેક રાજ્યોમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. એ.આઇ.આર. કેટેગરીવાઇઝ જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાને લગભગ એક મહિનો પૂરો થઇ રહ્યો છે ત્યારે બાયોલોજી ગ્રુપ ધરાવતા વિદ્યાર્થીઓ મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થાય એ પૂર્વે નીટ સ્કોરની આતૂરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, તેમની આતૂરતાનો અંત આવતીકાલ બુધવાર તા.5મી જુને આવી જશે.

5મી મે 2019ના રોજ ભારતમાં લેવામાં આવી હતી નીટ પરીક્ષા

13 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી નીટ પ્રવેશ પરીક્ષા

મેડીકલ, ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં (ગુજરાતમાં હોમિયોપેથી અને આયુર્વેદિક સમેત) પ્રવેશાર્થીઓ તા.5મી જુન 2019ના રોજ પોતાનું પરીણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઇટ NTA- ntaneet.nic.in પરથી જાણી શકશે.

National Testing Agency (NTA) is going to release the National Eligibility Cum Entrance Test (UG) 2019 results tomorrow, i.e., June 5, 2019, on its official website. Once results are released, the candidates who have appeared for the NEET 2019 examination can visit the official website of NTA- ntaneet.nic.in- to check and download the
results.

NTA had conducted NEET examination on May 5, 2019, at various centres across the country. This year, around 13 lakh candidates had written NEET exam. The NEET 2019 was held at 154 centres from 2.00 pm to 5.00 pm in
pen and paper mode. The total duration of the NEET examination was three hours.

Candidates should note that NEET result and other NEET related information would be available only on the official website of NEET- ntaneet.nic.in.

As per the information bulletin, “Merely appearing and qualifying in NEET (UG) – 2019 does not confer any right to the candidate for admission to MBBS/BDS Courses. The selection and admission to MBBS/BDS seats in any Medical Institution recognized for offering MBBS/BDS Courses is subject to fulfilling the admission criteria, eligibility, rank in merit list, medical fitness and such other criteria as may be prescribed by the Government of India, respective States, Universities, Institutions and Medical/Dental Colleges.”

May 29, 2019
vnsgu_logo.jpg
1min11570

ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ) પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.કોમ. (બેચલર ઓફ કોમર્સ) , બી.બી.એ. (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બી.સી.એ. (બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન) કોલેજોમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

કોઇપણ કોલેજમાં પ્રવેશ માટે પ્રવેશાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશ  તા.3 જુન 2019થી 13 જુન 2019 સુધીમાં કરી શકાશે.

યુનિવર્સિટી તમામ પ્રવેશાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને કોલેજોને સુપરત કરશે. કોલેજોએ મેરિટ લિસ્ટ અનુસાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

વીર નર્મદ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીની સઘળી માહિતી આ મુજબ છે.

 

M.Sc. Information Technology (M.Sc.I.T.)માં પ્રવેશ કાર્યવાહી અંગે

 

May 29, 2019
gujarat_map-1280x1023.png
1min6310

વર્ષ ર018- 19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપ્યો છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.30/9/ર019 થી તા.7/10/ર019 સાથે આઠ દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.રપ/10/ર019 થી તા.6/11/ર019ના સમયગાળા દરમિયાન 13 દિવસનું વેકેશન આપવામાં આવશે.

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9110

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ તા.25મી મે 2019ને શનિવારે વહેલી સવારથી જ પોતાની વેબસાઇટ પર ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર કર્યા હતા. પરીણામોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.

ગુજરાતનું સામાન્ય પ્રવાહનું પરીણામ   73.27 ટકા આવ્યું છે.  2018નુ ગુજરાતનું પરીણામ  68.96   ટકા હતું

સુરત શહેર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરીણામ   81.67   ટકા

સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  792

સુરત શહેર જિલ્લામાંથી એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  294

સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, કે જે ગુજરાતી મિડીયમમાં આવે છે. ઇંગ્લિશમાં કુલ 57,769 વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે.

એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 1 હજાર 966 છે.

વિગતવાર પરીણામની ઝલક આ મુજબ છે.

રાજ્યનું જિલ્લાવાર પરીણામ આ મુજબ

 

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12850

જયેશ બ્રહ્મભટ્ટ

આજે જાહેર થયેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં સુરત શહેર જિલ્લામાંથી કુલ  294 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. એ-વન ગ્રેડ હાંસલ કરનારા કેટલા વિદ્યાર્થીઓ કઇ સ્કુલના છે એ અંગે સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા વહેલી સવારથી જ ગ્રાસરૂટ સરવે શરૂ કર્યા છે અને જેમ જેમ શાળાઓ તરફથી વિદ્યાર્થીઓની માર્કશીટની ઇમેજ સાથે અમને માહિતી મોકલવામાં આવી રહી છે તેમ તેમ અમે એ-વન ગ્રેડર્સની યાદી અપડેટ કરતા રહીએ છીએ.

એ-વન ગ્રેડ હાંસલ કરવો કે કરાવવો એ કંઇ ખાવાના ખેલ નથી

સુરત શહેર જિલ્લામાં અંદાજે 550થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે જે ધો.11-12 કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહના વિવિધ પ્રવાહોનું શિક્ષણ આપી રહી છે, જેમાંથી વધુમાં વધુ 35 સ્કુલો હોય છે જેના વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ હાંસલ કરી શકે છે. એ-વન ગ્રેડ હાંસલ કરવો અને કરાવવો એ કંઇ ખાવાના ખેલ નથી. એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓ ટોચના એક ટકામાં આવતા હોય છે જેઓ સમગ્ર ગુજરાતના ટોપર્સ કહેવામાં આવે છે.

સ્કુલનું નામ                                                  વિસ્તાર                     એ-વન ગ્રેડ

આશાદીપ ગ્રુપ                                          નાના વરાછા                    64

આઇ.એન.ટેકરાવાળા શાળા                  પાલનપુર પાટીયા                14

તપોવન ગ્રુપ                                                    વરાછા                         12

ભૂલકાભવન સ્કુલ                                        અડાજણ રોડ                   11

મૌની ઇન્ટનરનેશનલ સ્કુલ                            ઉત્રાણ                           10

લુર્ડઝ કોન્વેન્ટ સ્કુલ                                અઠવાલાઇન્સ                       09

સંસ્કારભારતી વિદ્યાલય                                તાડવાડી                        08

અંકુર હાઇસ્કુલ                                              હીરાબાગ                       07

ભૂલકા વિહાર શાળા                                      પાલ                               06

જીવનભારતી વિદ્યાલય                                  નાનપુરા                         06

વનિતા વિશ્રામ                                               અઠવાગેટ                      05

એલ.પી.ડી.પૂણા હાઇસ્કુલ                         પૂણા ગામ                         05

પી. પી. સવાણી સ્કુલ                                     હીરાબાગ                      05

ડાયમંડ ગર્લ્સ સ્કુલ                                      વરાછા રોડ                        04

જ્ઞાનજ્યોત વિદ્યાલય                                 ગોદાડરા                              04

પીપી સવાણી સ્કુલ                                        અબ્રામા                          04

કેસી કોઠારી માધ્ય. શાળા                           હીરાબાગ                          03

વી.એન. ગોધાણી કન્યા વિદ્યાલય                 કતારગામ                        03

સિંધુ સેવા સમિતિ સ્કુલ                               અડાજણ                           03

લીલાબા કન્યા વિદ્યાલય                             લાલદરવાજા                       03

સીસી શાહ ઇંગ્લિશ મીડીયમ                     પાર્લે પોઇન્ટ                       03

નિલ માધવ વિદ્યાલય                               નાના વરાછા                         02

ઉમરીગર ઇંગ્લિશ મીડીયમ સ્કુલ                     ઉમરા                            02

સરસ્વતી વિદ્યાલય                                        અડાજણ                         02

લીયો સ્કુલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ             ઉધના                           02

ડી.આર. રાણા વિદ્યાસંકુલ                        પાલનપુર પાટીયા                02

ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમ                કતારગામ                     02

એલ.પી. સવાણી વિદ્યાભવન                            અડાજણ                     02

ભૂલકાસાગર વિદ્યાલય                                  વરાછા રોડ                       02

સ્વામીનારાયણ એચ.વી વિદ્યાલય                  અડાજણ                        02

ડીજીટલ શુભલક્ષ્મી હાઇસ્કુલ                           પૂણાગામ                      02

શિશુકુંજ હાઇસ્કુલ                                           પૂણાગામ                      02

ગુરુકૃપા વિદ્યાસંકુલ   હિન્દી મિડીયા ગુજ              ઉધના                      01

રૂસીમા પૂણાવાલા એક્સપેરિમેન્ટલ             પાર્લે પોઇન્ટ                     01

પ્રેસિડેન્સી સ્કુલ                                              અડાજણ                         01

ગજેરા વિદ્યાભવન ગુજ.મા.                             ઉત્રાણ                           01

સ્વામીનારાયણ ગુરુકુળ                              સિંગણપોર                        01

એચ.એમ.બી. સરદાર ઇંગ્લિશ                   પાલનપુર પાટીયા               01

વશિષ્ઠ વિદ્યાલય                                          વાવ-કામરેજ                      01

સંસ્કારદીપ વિદ્યાલય                                   મોટા વરાછા                      01

ટી.એન્ડ ટી.વી. સાર્વ. વિદ્યાલય                    ગોપીપુરા                         01

કેએલએસ બાલાજી ગર્લ્સ સ્કુલ                       ગોપીપુરા                        01

અક્ષરજ્યોતિ હાયર સ્કુલ                                કતારગામ                       01

પ્રેરણા હાઇસ્કુલ                                            પૂણાગામ                         01

ક્રિષ્ણા સ્કુલ                                                  પૂણાગામ                          01

હરેકૃષ્ણ વિદ્યાલય                                         યોગીચોક                          01

યુનિટી પબ્લિક સ્કુલ                                        કામરેજ                          01

ભક્તિ ઇન્ટરનેશનલ                                        પાસોદરા                       01

અંબાબા ગર્લ્સ સ્કુલ                                        હરીપુરા                          01

વશિષ્ઠ હાઇસ્કુલ                                              પૂણાગામ                       01

આર.કે. વિદ્યાભવન                                      પૂણાગામ                          01

સરસ્વતી વિદ્યાલય                                     અશ્વનિકુમાર રોડ                01

એસ્પાયર પબ્લિક સ્કુલ                                   મોટા વરાછા                   01

આપની શાળાના ધો.12 એ-વન ગ્રેડર્સની માહિતી અહીં ન હોય તો અમને સ્કુલનું નામ અને વિદ્યાર્થીની માર્કશીટની ઇમેજ 98253 44944 નંબર વ્હોટ્સએપ કરો

May 25, 2019
Surat1-1.jpg
1min6800

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ચાલતા એક ડ્રોઈંગ ક્લાસમાં એકાએક લાગેલી ભયાનક આગમાં 21 વિદ્યાર્થીઓનાં મોત થઈ ગયા જ્યારે 19 જેટલા લોકો ઘાયલ થયા છે. સુરતની આ હૃદયદાવક ઘટનામાં એવી ચોંકાવનારી વાત જાણવા મળી રહી છે કે, ફાયર બ્રિગેડની ગંભીર બેદરકારીને કારણે આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્યોને બચાવવામાં મોડું થયું અને મૃતકોનો આંકડો વધી ગયો. દરમિયાનમાં ડ્રોંઈગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર હરસુખ વેકરિયા સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. FSLની ટીમ ઘટનાની તપાસ કરશે અને તેમના રિપોર્ટના આધારે જવાબદારો સામે પણ પગલાં લેવામાં આવશે તેવી પણ માહિતી મળવા પામી છે.

કેટલાક ટીવી રિપોર્ટ મુજબ, ક્લાસીસમાં આગ લાગ્યાની જાણ કરાયા બાદ ફાયર બ્રિગેડ અડધો કલાક જેટલી મોડી આવી હતી અને એટલું જ નહીં, આગ બૂઝાવવાની કામગીરી દરમિયાન પાણી પણ ખૂટી ગયું હતું. જેના કારણે બચાવ કામગીરીમાં મોડું થયું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. તેમ છતાં ફાયર બ્રિગેડ દ્વારા પહોંચવામાં મોડું કરાતા અને તે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો લઈને ન આવી હોવાથી બચાવ કામગીરીમાં મોડું થયું હતું અને જેના કારણે મૃત્યુઆંક વધી ગયો હતો તેવો લોકોનો આક્ષેપ છે.

જાણવા મળ્યા મુજબ, એસી ડક્ટ્સ અને કોમ્પ્રેસરમાં આગ લાગી હતી, જે ધીમે-ધીમે આખા ફ્લોરમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે, બાળકો ક્લાસમાંથી બહાર નીકળી દાદર તરફ પણ જઈ શકે તેમ નહતા. એટલે, કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ત્રીજા માળે આવેલા ક્લાસિસની બારીમાંથી નીચે કૂદકો મારી દીધો હતો. જેમાં બે બાળકોનો મોત થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા એ વાતથી જ સમજી શકાય છે કે, આગથી બચવા 9 જેટલા વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી કૂદકો મારી દીધો હતો. ફાયર બ્રિગેડના આઠ ટેન્કરો આગ બૂઝાવવા પહોંચ્યા હતા. ઘટના સ્થળે એમ્બુલન્સોનો પણ ખડકલો કરી દેવાયો હતો. જણાવાયા મુજબ, જ્યાં આગ લાગી ત્યાં રમત-ગમતના સાધનો અને ટાયરો પણ હતા, જેના કારણે વધુ ધૂમાડો પ્રસર્યો હતો.

દરમિયાનમાં આ ક્લાસિસમાં જેમના બાળકો હતા તે વાલીઓ પણ ઘટનાની જાણ થતાં ત્યાં દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5350

ગુજરાતના શિક્ષણ જગત માટે વણજોઇતા નવરાત્રી વેકેશનને આખરે રાજ્ય સરકારે 2019-20ના શૈક્ષણિક સત્રથી રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. પહેલી વખત એવું બન્યું હતું કે જેમાં રાજ્ય સરકારે ફરજિયાત સ્કુલો બંધ કરીને નવરાત્રી વેકેશન માણવાનો ફતવો બહાર પાડ્યો હતો અને સ્કુલોએ વેકેશન લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ખોટો દાખલો સરકારે બેસાડ્યો હતો અને હવે એ સરકારે ફરીથી સાચો દાખલો ગણવાની ફરજ પડી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં શુક્રવારે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠકમાં અન્ય એક નિર્ણયમાં હવેથી ધોરણ-9 અને 11માં રિટેસ્ટ નહીં લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતા. ગત વર્ષથી નવરાત્રિમાં વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી નવરાત્રિમાં વિદ્યાર્થીઓને વેકેશન મળતું હતું, પરંતુ હવે નહીં મળે.

May 22, 2019
Keval-Kakka.jpg
1min6010

28 વર્ષના કેવલ કક્કા નામના યુવા ભારતીય પર્વતારોહકે ચાલી રહેલી સિઝનમાં માત્ર છ જ દિવસમાં માઉન્ટ ઍવરેસ્ટ સહિત 8000 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા બે પર્વત સર કરી લીધા હોવાનું નેપાળના પ્રસારમાધ્યમના અહેવાલમાં મંગળવારે જણાવવામાં આવ્યું હતું.

કેવલ હીરેન કક્કાએ મંગળવારે તા.21મી મે 2019ના રોજ વિશ્વમાં ચોથા ક્રમાંકનો સૌથી ઊંચો માઉન્ટ લ્હાત્સે પર્વત સર કરી લીધો હતો.

નવ સભ્યની ટીમનું નેતૃત્વ કરી રહેલા મુંબઈસ્થિત પર્વતારોહક હીરેને મંગળવારે તા.22મી મે 2019ની સવારે 6:30 વાગ્યે પર્વતના શિખર પર પગ મૂક્યો હતો, એમ આ પર્વતારોહણ અભિયાનનું આયોજન કરનાર સતોરી ઍડવેન્ચર્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રિશી ભંડારીએ કહ્યું હતું. 16મી મેએ કક્કાએ માઉન્ટ ઍવરેસ્ટનું શિખર સર કર્યું હોવાનું સમાચારપત્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

કૅનેડિયન પર્વતારોહક મૅથ્યુસ વનૉર્નના નેતૃત્વ હેઠળ માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર 13 સભ્યની ટીમનો પણ તે હિસ્સો હતો, એમ ભંડારીએ કહ્યું હતું

કક્કાએ માઉન્ટ ટિબ્બા (6001 મીટર), માઉન્ટ હનુમાન ટિબ્બા (5932 મીટર), માઉન્ટ ફ્રૅન્ડશિપ (5289 મીટર), માઉન્ટ લૉબુચે ઈસ્ટ (6019 મીટર), માઉન્ટ સ્ટૉક કાન્ગરી (6049 મીટર), માઉન્ટ માનાસ્લુ (8163 મીટર)ના પર્વતારોહણ અભિયાનથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

નેપાળની પર્વતારોહણ માર્ગદર્શકોની આઠ સભ્યની ટુકડીએ સફળતાપૂર્વક માઉન્ટ ઍવરેસ્ટ સર કર્યા બાદ આ વરસે 14 મેએ પર્વતારોહણની સિઝન શરૂ થઈ હતી.

માઉન્ટ ઍવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર અને માઉન્ટ લ્હાત્સેની ઊંચાઈ 8526 મીટર છે.

May 17, 2019
admission-1280x1360.jpg
1min17330

આખરે ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષ માટે તેમજ ફાર્મસી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર (14 આંકડાનો પીન) તેમજ બુકલેટનું વિતરણ તેમજ સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની તારીખોનું એલાન એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ધો.12 પીસીએમ પાસ કરનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉચાટમાં હતા, કેમકે અનેક જાહેરાતો થઇ પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકી ન હતી. એડમિશન કમિટીએ તા.17મી મે શુક્રવારે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી છે જેના સત્તાવાર કાર્યક્રમો નીચે મુજબ છે.

ગુજરાતમાં ઇજનેરી પ્રવેશ કાર્યક્રમ

એન્જિનિયરિંગમાં પ્રવેશ લાયકાત

એન્જિનિયરિંગમાં મેરીટ કેવી રીતે બનશે

ગુજરાતમાં ફાર્મસી પ્રવેશ કાર્યક્રમ

ફાર્મસીમાં એ ગ્રુપ અને બી ગ્રુપ બન્નેના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે, ફાર્મસીમાં પ્રવેશ માટેનું લઘુત્તમ ધોરણ ધો.12 પીસીએમ, પીસીબી પાસ છે. 

એગ્રિકલ્ચર કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી 24મી મે 2019થી

 

મેડીકલ-પેરામેડીકલમાં પ્રવેશ પ્રક્રિયા નીટના પરીણામ સાથે શરૂ થશે

May 17, 2019
shastri.jpg
1min7810
ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલીની કપ્તાનીમાં આઇસીસી વર્લ્ડ કપનો તેનો ત્રીજો ખિતાબ જીતવા 22મીએ અહીંથી ઇંગ્લેન્ડ જવા રવાના થશે. 30 મેથી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતનો પહેલો મેચ તા.પ જૂને દ. આફ્રિકા સામે સાઉથમ્પટનમાં છે. એ પહેલા ભારતીય ટીમ બંગલાદેશ અને ન્યુઝિલેન્ડ સામે અભ્યાસ મેચ રમશે.
આઇપીએલને લીધે ટીમ ઇન્ડિયાના પસંદ થયેલા 1પ ખેલાડીનો કોઇ કન્ડિશનિંગ કેમ્પ યોજાયો નથી. બધા ખેલાડી 21મીએ મુંબઈમાં ભેગા થશે. 21મીએ સાંજે બીસીસીઆઈના ક્રિકેટ સેન્ટરમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની પત્રકાર પરિષદ યોજાશે. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે ઇજાગ્રસ્ત કેદાર જાધવ ટીમ સાથે ઇંગ્લેન્ડ જશે કે નહીં ?
ભારતને વિશ્વ કપમાં જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. કેદાર જાધવની ફિટનેસ સમસ્યા એકમાત્ર ટીમનું ચિંતાનું કારણ છે. જો તે ઇજામાંથી બહાર આવી જશે તો ટીમ સાથે જ ઇંગ્લેન્ડ રવાના થશે. તેના વિકલ્પે રીષભ પંતને સ્થાન મળી શકે છે.
હાલમાં જ સમાપ્ત થયેલ આઇપીએલમાં કેટલાક સ્ટાર ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. સૌથી વધુ કેએલ રાહુલે પ93 અને શિખર ધવને પ21 રન કર્યા હતા. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડયાએ દમદાર દેખાવ કર્યો હતો જ્યારે બોલિંગમાં બુમરાહ અને શમીએ જોરદાર દેખાવ કર્યો હતો.