CIA ALERT

યંગિસ્તાન Archives - Page 13 of 37 - CIA Live

November 21, 2020
cbse1.jpg
1min848

સીબીએસઇના બૉર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા ચોક્કસ યોજાશે અને એની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોવિડ-૧૯ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અનેક લોકો ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા રદ કરવાની અથવા એની તારીખ લંબાવવાની માગણી કરી રહ્યા છે અને એના જવાબમાં ત્રિપાઠીએ આ વાત કહી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ ક્યારે અને કઇ રીતે યોજાશે એ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં પરીક્ષાપત્રક જાહેર કરવામાં આવશે તથા પરીક્ષા કઇ રીતે લેવાશે એ વિશેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.

જોકે, દર વર્ષની જેમ આ વખતે પણ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાશે કે નહીં એ વિશે એમણે મગનું નામ મરી નહોતું પાડયું, પણ એમ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં કોરોનાને કારણે પ્રતિબંધ લદાયા બાદ આગળ કઇ રીતે વધવું એ વિશે અવઢવ હતી ત્યારે અમારા શિક્ષકોએ પોતાની જાતને નવી ટૅકનોલોજીમાં ઢાળીને ભણાવવાનું ચાલું રાખ્યું હતું તથા થોડા જ મહિનામાં વિવિધ ઍપ્સનો ઉપયોગ કરીને ઑનલાઇન ભણાવવાની વાત સામાન્ય બની ગઇ હતી.

કેટલાંક રાજ્યોમાં ૧૫મી ઑક્ટોબરથી આંશિક રીતે શાળાઓ શરૂ કરવામાં આવી છે, પણ કોરોનાને લીધે અમુક રાજ્યોમાં શાળાઓ સદંતર બંધ જ રહી છે.

જે બૉર્ડની પરીક્ષાઓની તારીખ લંબાવાઇ હતી, એ છેવટે રદ કરાઇ અને પર્યાયી અસેસમેન્ટને આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

November 5, 2020
ipl.jpeg
1min495

મુંબઇ ઇન્ડિયન્સની મજબૂત ટીમ અને આઇપીએલની વર્તમાન સિઝનમાં શાનદાર દેખાવ કરનાર દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે ગુરૂવારે ફાઇનલમાં પહોંચવા માટે પહેલા ક્વોલીફાયરમાં કાંટે કી ટક્કર થશે. લીગ રાઉન્ડના બન્ને મેચમાં મુંબઇએ દિલ્હીને હાર આપી છે. આથી આવતીકાલના મેચમાં પણ તે ફેવરિટ માનવામાં આવે છે. જો કે સુકાની રોહિત કહે છે કે તે ઇતિહાસ છે. અહીં પહોંચ્યા બાદ જે સારો દેખાવ કરશે તેને જીત મળશે.

આ મુકાબલાની વિજેતા ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચશે. જ્યારે પરાજીત ટીમને આ માટે વધુ એક તક મળશે. કારણ કે બન્ને ટીમ પોઇન્ટ ટેબલ પર પહેલા-બીજા સ્થાને છે.

આઇપીએલની ચાર વખતની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ ટીમને લીગ રાઉન્ડમાં હાર આપવી કોઇ ટીમ માટે આસાન ન હતી, પણ મંગળવારના મેચમાં હૈદરાબાદના હાથે 10 વિકેટે મળેલી હારથી ચેમ્પિયન ટીમનો આત્મવિશ્વાસ થોડો ડગમગી ગયો છે.

બીજી તરફ પોતાના પહેલા ખિતાબ માટે ઝઝુમી રહેલી દિલ્હી કેપિટલ્સ સતત ચાર મેચ ગુમાવ્યા બાદ નિર્ણાયક મુકાબલામાં બેંગ્લોરને પરાજીત કરીને નંબર ટૂ ટીમ બની છે. આ જીતથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. મુંબઇની ટીમ માટે સકારાત્મક વાત એ છે કે તેનો કેપ્ટન રોહિત શર્મા વાપસી કરી ચૂકયો છે. હેમસ્ટ્રિંગને લીધે તે ચાર મેચ રમી શકયો ન હતો. જો કે આ સ્ટાર બેટ્સમેન હૈદરાબાદ સામે પ રન જ કરી શકયો હતો. મુંબઇ પાસે સારી બેટિંગ લાઇન અપ છે. યુવા ઇશાન કિશન (428 રન) તેનો મહત્ત્વનો બેટધર બનીને ઉભરી આવ્યો છે. કિવંટન ડિ’કોક (443 રન) તેની ભૂમિકા બખૂબી નિભાવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ (410 રન) શાનદાર ફોર્મમાં છે. જ્યારે કિરોન પોલાર્ડ, હાર્દિક પંડયા અને કુણાલ પંડયા બિગ હિટર છે.

સુકાની રોહિત શર્મા દબાણગ્રસ્ત મેચનો મોટો ખેલાડી ગણાય છે. મુંબઇની બોલિંગને જસપ્રિત બુમરાહ (23 વિકેટ) અને ટ્રેંટ બોલ્ટ (20 વિકેટ) ધારદાર બનાવે છે. આ બન્નેને હૈદરાબાદ વિરૂધ્ધ વિશ્રામ અપાયો હતો.

બીજી તરફ દિલ્હી તરફથી અનુભવી શિખર ધવન (પ2પ રન) શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. જો કે તેને બીજા બેટ્સમેનો તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. દિલ્હીની ચિંતા પૃથ્વી શો અને ઋષભ પંતના નબળા ફોર્મની છે. સુકાની શ્રેયસ અય્યર (421 રન) લીગ રાઉન્ડના બીજા તબક્કામાં ચમકદાર દેખાવ કરી શકયો નથી. વિદેશી ખેલાડી હેટમાયર અને સ્ટોઇનિસે મહત્ત્વના મેચમાં ફોર્મ બતાવવું પડશે. રબાડા (2પ વિકેટ) અને નોત્ઝે (19 વિકેટ) સાથે સારી બોલિંગ કરી રહ્યા છે. આ આફ્રિકી જોડી દિલ્હી માટે હુકમના એક્કા સમાન છે.

October 30, 2020
neetresults-1280x1168.jpg
2min12460

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ ગઇ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયા બાદ 15 ટકા ઓલઇન્ડિયા ક્વોટા માટે પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રવેશ કાર્યવાહી તા.2 નવેમ્બરથી શરૂ થશે.

સી.આઇ.એ. લાઇવ સાથે શિક્ષણ સર્વદાએ અહીં નીટ-2020ના પરીણામનું એવું એનાલિસીસ રજૂ કર્યું છે કે જેને યોગ્ય રીતે એસેસ કરવામાં આવે તો ઉમેદવાર ખુદ જાણી શકશે કે આ વખતે તેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ મળશે કે નહીં.

નીટ-2020માં 500 પ્લસ માર્કસ લાવનારાઓનો રાફડો ફાટ્યો

નીટ-2020માં વ્યક્તિગત ટોપ સ્કોર ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અધધ એટલે કે જંગી પ્રમાણમાં વધી છે. નીટ 2020માં કુલ 97,093 વિદ્યાર્થીઓએ 500 પ્લસ સ્કોર હાંસલ કર્યો છે. 2019 નીટમાં 500 પ્લસ સ્કોર કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 49,581 હતી. આમ ગયા વર્ષ 2019માં નીટમાં 500 પ્લસ સ્કોર ધરાવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતા આ વખતે 2020માં 37,512 વધુ વિદ્યાર્થીઓ 500 પ્લસ સ્કોર ધરાવે છે. આ જ સૂચવે છે કે નીટ-2020માં મેડીકલ કોલેજોના કટઓફ અકલ્પ્ય રીતે ઉંચા જશે.

ગત વર્ષ 2019 કરતા આ વખતે 400 પ્લસ સ્કોરર વધ્યા

નીટ 2020માં 400 પ્લસ સ્કોર કરનારાઓની સંખ્યા 56,857 જેટલી વધી છે.

બીજા રાજ્યોના ટોપ સ્કોરર ફેક્ટર પર નજર કરો

  • કેરળમાં 2019માં નીટમાં 650 કે તેથી વધુ માર્કસ મેળવનારાઓની સંખ્યા 115 હતી જે 2020માં વધીને 643 થઇ છે.
  • રાજસ્થાનમાં 2019માં નીટમાં 500 કે તેથી વધુ માર્કસ લાવનારાઓની સંખ્યા 7,659 હતી જે 2020માં વધીને 11,698 પર પહોંચી ગઇ છે.
  • તમિળનાડુમાં નીટમાં 600 પ્લસ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2019માં ફક્ત 146 હતી જે 2020માં વધીને 1,029 જેટલી થઇ ગઇ છે.
  • મહારાષ્ટ્રમાં 600 પ્લસ સ્કોર ધરાવતા 2019ના વિદ્યાર્થીઓની સંખ્યામાં 2020માં 220 ટકા જેટલો જંગી વધારો થયો છે.
October 21, 2020
icai_logo.jpeg
1min5750

આઇસીએઆઇ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા સીએના ફાઉન્ડેશન કોર્સ માટે નવી વ્યવસ્થાને મંજૂરી આપી હોવાથી વિદ્યાર્થીઓ હવે ૧૦મા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે અરજી કરી શકશે. અગાઉ બારમું પાસ કરનારા વિદ્યાર્થીઓને જ ફાઉન્ડેશન કોર્સમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

વૈશ્ર્વિક બજારને વધુ સુસંગત બનાવવા આઇસીએઆઇ સમય અનુસાર તેની શૈક્ષણિક પદ્ધતિની સમીક્ષા કરીને વારંવાર ફેરફાર કરતું હોય છે. દસમા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે વારંવાર કરવામાં આવતી માગણી પર વિચારણા કર્યા બાદ સંસ્થાએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન, ૧૯૮૮ ઍક્ટના નિયમોમાં સરકારને એડ્મિશનમાં જરૂરત પડ્યે ફેરફાર કરવા બાબતે એક પ્રસ્તાવ મોકલ્યો હતો. આઇસીએઆઇ અધ્યક્ષે મંગળવારે જણાવ્યાનુસાર, નિયમોમાં ફેરફાર કરવા માટે સરકારની મંજૂરી મળી ગઇ હોવાથી દસમું પાસ કરનારા વિદ્યાર્થીઓ સીએના ફાઉન્ડેશન કોર્સને પાત્ર છે. જોકે, બારમાની પરીક્ષા બાદ ફાઉન્ડેશન કોર્સ માટે તેમના પ્રવેશને નિયમિત કરવામાં આવશે.

October 18, 2020
adm_guide-1280x874.jpg
1min19960

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ અને ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની ભારતની સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ-2020નું પરીણામ જાહેર થઇ ગયા બાદ થોડા જ દિવસોમાં ગુજરાતમાં નીટ- સ્કોરથી પ્રવેશ મળે એ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ધો.12 બાયોલોજી પાસ વિદ્યાર્થીઓ જો ઉપરોક્ત અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો તેમણે કયા ડોક્યુમેન્ટસ હાથ પર રાખવાના છે એની વિગતો ખુદ એડમિશન કમિટીએ જાહેર કરી છે જે અત્રે પ્રસ્તુત છે.

એડમિશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશ તેમજ અન્ય માહિતી માટે એડમિશન કમિટીની આ વેબસાઇટ સતત જોતા રહો

http://medadmgujarat.org/ug/home.aspx

October 11, 2020
govt_jobs.jpg
1min5640

 દેશના ર3 રાજયો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો (યૂટી) માં સરકારી નોકરીઓમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરી દેવાઈ છે. સરકારી નોકરીમાં પસંદગીનો આધાર લેખિત પરીક્ષાને બનાવવામાં આવ્યો છે. કાર્મિક બાબતોના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે શનિવારે કહ્યું ર016 બાદથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (નોન ગેઝેટેડ) તથા ગ્રુપ-સી પદો માટે ઈન્ટરવ્યૂ બંધ કરી દેવામાં આવ્યા છે.

વર્ષ 2015 સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરવા સૂચન કરી લેખિત પરીક્ષાને આધારે પસંદગી કરવા પર ભાર મૂકયો હતો. જેને ધ્યાને લઈ પર્સોનેલ અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે વ્યાપક કવાયત હાથ ધરી ત્રણ મહિનામાં 1 જાન્યુઆરી, 2016 થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથાને બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.

જીતેન્દ્રસિંહે ઉમેર્યુ કે આ મામલે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયો નિયમને લાગુ કરવા તત્પર હતા તો કેટલાક રાજયો ઈચ્છુક ન હતા.રાજય સરકારો સાથે સમજાવટ અને વારંવાર રિમાઈન્ડરને પગલે જમ્મુ કાશ્મીર અને લદાખ સહિત ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દેશના ર8માંથી ર3 રાજયોમાં સરકારી ભરતીમાં ઈન્ટરવ્યૂ પ્રજા બંધ કરાઈ છે. ભરતીમાં લેખિત પરીક્ષાને આધાર બનાવવાથી દરેક ઉમેદવારને સમાન તકો ઉપલબ્ધ થાય છે. પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધતાં સરકારી તિજોરીને આર્થિક લાભ થયાનું અનેક રાજયોએ કહ્યું છે.

October 6, 2020
gseb-1280x720.jpg
1min6220

કોરોના પેન્ડેમિકની પરિસ્થિતિમાં 2020-21ના શૈક્ષણિક વર્ષનું પહેલું સત્ર સાવ જ ધોવાય જતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12માં 30 ટકા જેટલો અભ્યાસક્રમ ચાલુ શૈક્ષણિક વર્ષમાંથી કાઢી નાંખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના પેન્ડેમિકને કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બિલકુલ સંભવી ન શકવાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને 27 જૂલાઈ, 20 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બરે બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદો અને અધિકારીઓની ચર્ચાના નિષ્કર્ષ રૂપે કોર્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાંથી ઘટાડેલા મુદ્દાઓ પરીક્ષાના હેતુંથી ઘટાડવામાં આવ્યા છે અને તે પરીક્ષામાં પૂછાશે નહીં. જોકે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ તે મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. કયા મુદ્દાઓ અને પ્રકરણ અભ્યાસક્રમમાંથી રદ્દ કરવામાં આવશે તેની માહિત જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઈટ પર પણ તેને મૂકવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવે છે તે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ વર્ષે મે મહિનામાં લેવાઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની પરીક્ષા જૂનમાં યોજાઈ શકે છે જેથી કરીને સ્કૂલોમાં અભ્યાસક્રમ પૂરો થઈ શકે, તેમ શિક્ષણ મંત્રીએ કમલમ ભાજપની ઓફિસ ખાતે જણાવ્યું હતું.

September 19, 2020
rupani-1280x789.jpg
1min4890

ગુજરાતનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હિલર-થ્રી વ્હિલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી છે.

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હિલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હિલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે.

September 17, 2020
Schoolsclosed4.jpg
1min5840

16/9/20 મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખૂલે. કેન્દ્ર સરકારે અનલોક 4માં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવા મંજૂરી આપી છે. જોકે, તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત છે. તેવામાં ગુજરાત સરકારે કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. કેબિનેટે એવું પણ નક્કી કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોરોનાના કેસો ઘટે ત્યારે જ સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવાશે.

Indiana schools closed for rest of academic year

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર 9થી 12ના વર્ગો શરુ કરવા મરજિયાત છે. તેવામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનથી સ્કૂલો ખૂલી જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે હજુ સુધી સ્કૂલો નથી ખૂલી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

September 12, 2020
neet.jpg
6min19000

સુરતમાં અંબાણી સ્કુલની જગ્યાએ રેડીયન્ટ પીપલોદ ખાતે પરીક્ષા લેવાશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેર જિલ્લા કે દક્ષિણ ગુજરાતમાંથી નીટ 2020 પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી એ વાત પહોંચાડવી જરૂરી છે કે જે બાળકોની હોલ ટિકિટમાં પરીક્ષાનું કેન્દ્ર સુરત શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલી જે.એચ. અંબાણી સ્કુલનું કેન્દ્ર દર્શાવવામાં આવ્યું છે એ પરીક્ષા કેન્દ્ર છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું છે. હવે જે.એચ.અંબાણી સ્કુલની જગ્યાએ પરીક્ષા કેન્દ્ર રેડીયન્ટ ઇંગ્લિશ એકેડેમી, રાજહંસ સિનેમા સામે, પીપલોદ, સુરત ખાતે બદલવામાં આવ્યું છે.

જે વિદ્યાર્થીઓની હોલટિકીટમાં જે.એચ. અંબાણી સ્કુલનો પરીક્ષાકેન્દ્ર તરીકે ઉલ્લેખ છે તેમણે પરીક્ષા આપવા માટે રેડીયન્ટ ઇંગ્લિશ એકેડેમી, રાજહંસ સિનેમા સામે, પીપલોદ, સુરત ખાતે જવાનું હોવાની જાહેરાત અખબારોમાં પણ આપવામાં આવી છે.

ઉપરોક્ત જાહેરાત તા.12મી સપ્ટેમ્બર 2020ના દિવ્યભાસ્કર દૈનિક, સુરત આવૃતિના પાના નં.9 પર પ્રકાશિત કરવામાં આવી છે

સૂચના મુજબના કપડા નહીં પહેરીને જશો તો કાઢી પણ મૂકી શકે, નીટ કેન્દ્રો પર ખૂબ કડકાઇ હોય છે, સહેજેય ઓવરકોન્ફીડન્સમાં ન રહેતા

ઉપરોક્ત સૂચનાઓ સત્તાવાર રીતે ગુજરાતીમાં જાહેર કરવામાં આવેલા નીટ-2020 પરીક્ષાના નોટિફિકેશનના પેજ નં.29 પર ઉપલબ્ધ છે. એ પેજની જેપીજી ઇમેજ અહીં રજૂ કરવામાં આવી છે.

નીટ પરીક્ષા 2020નું ગુજરાતી ભાષામાં સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ફાઇલમાં જોઇતું હોય તો 98253 44944 પર નીટ શબ્દ વ્હોટસએપ કરવો

The candidates should to follow the following dress code while appearing for NEET (UG) – 2020

a) Light clothes with long sleeves are not permitted. However in case, candidates come in cultural/customary dress at the Examination Centre, they should report at least an hour before the last reporting time i.e. 12.30 pm so that there is enough time for proper frisking without any inconvenience to the candidate while maintaining the sanctity of the examination.

b) Slippers, sandals with low heels are permitted. Shoes are not permitted.

c) In case of any deviation required due to unavoidable (medical, etc.) circumstances, specific approval of NTA must be taken before the Admit Cards are issued.

It is desired that the candidates follow instructions issued by the NTA strictly. This will help NTA in the fair conduct of examination.

NEET 2020 in Brief

The National Testing Agency (NTA) is all set to conduct the National Eligibility Cum Entrance Test Undergraduate (NEET-UG), 2020 on Sunday, September 13, 2020.

Apart from following the Standard Operating Procedure (SOP) for the examination, candidates are required to follow the dress code on the examination day.
NEET (UG) – 2020 is a Pen & Paper-based test, to be answered on the specially designed machine gradable sheet using Ball Point Pen.

An All India Merit List of the qualified candidates shall be prepared on the basis of All India Rank in the Merit List of the NEET (UG) – 2020 and candidates shall be admitted to Undergraduate Medical Courses from the said list only, with existing reservation policy.

NTA will only provide All India Rank to candidates, while Admitting Authorities will invite applications for Counselling and merit list shall be drawn based on All India Rank by the Admitting Authorities. Admission to Undergraduate Medical Courses within the respective categories shall be based solely on All India Rank as per merit list of NEET (UG) – 2020.

Admission to AIIMS/JIPMER/Deemed Universities/Central Universities/ESIC including Delhi University (DU), BHU & AMU will be conducted by DGHS/MoA/AACCC and reservation policy will be as per rules and regulations of the concerned University or Institutions.

Candidates should register on MCC website for admission to Deemed /Central University/ ESIC and AFMC for MBBS/BDS courses and AACCC website for admission to Deemed Universities/Central Universities/National Institutes for Undergraduate Medical Courses.

Admission to AFMC, Pune shall be subject to the norms prescribed by the Directorate General of Armed Forces Medical Services, Ministry of Defence, Government of India. Candidates who apply for NEET (UG) – 2020 and/or for seeking admission in AFMC also need to apply to AFMC on www.afmc.nic.in/www.afmcdg1d.gov.in.