CIA ALERT

કિડઝિસ્તાન Archives - Page 3 of 11 - CIA Live

December 7, 2021
dhyan.jpg
2min733

ધ્યાનને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક જ્ઞાનાત્મક ભાગ છે, જે મગજમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજો વર્તણૂકનો ભાગ છે, જે વધુ મૂર્ત ભાગ છે, જેમાં રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે.

વધતી જતી ટેકનોલોજી અને સતત ધ્યાન ભટકાવનારા આ વિક્ષેપજનક યુગમાં, માતા-પિતા માટે બાળકોના ધ્યાનને કેન્દ્રિત રાખવાનું કામ ઘણું મુશ્કેલ છે. તેથી ‘ધ્યાન’નો સાચો અર્થ શું છે તે સમજવું એ તેમના બાળકોમાં યાદશક્તિ, ભાષા, વાંચન, લેખન અને સામાન્ય શિક્ષણ જેવા જટિલ કૌશલ્યો વિકસાવવામાં મદદ કરવા માટે નિર્ણાયક છે, જે તમામ ધ્યાન સાથે સંબંધિત છે.

ધ્યાનની પાઠ્યપુસ્તકમાં આપેલી વ્યાખ્યા એ છે કે, કામ પ્રત્યે યોગ્ય રસ ઊભો કરવાની અને ટકાવી રાખવાની ક્ષમતા. તે સામાન્ય રીતે આપણી પ્રેરણા, પ્રેક્ટિસ, સંવેદનાત્મક એકીકરણ અને ભાષાને પકડવાની ક્ષમતા જેવા ઘણા પરિબળો દ્વારા નિયંત્રિત થાય છે. જોકે, આપણે જમીન પર ઘસરકા કરીએ, તો ધ્યાન ‘ચોક્કસ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા’ની સરળ સમજણથી ઘણું આગળ નીકળી જાય છે. તેમાં સ્પર્ધાત્મક માહિતી, ઉત્તેજના અને સંવેદનાઓની વિશાળ માત્રાને અવગણવી અને ટ્યુનિંગ કરવાનો પણ સમાવેશ થાય છે, જે આ ક્ષણે સંબંધિત નથી.

તો ચાલો જોઈએ કે, ધ્યાનમાં કયા તત્વોનો સમાવેશ થાય છે અને આપણે કેવી રીતે આપણા બાળકોના ધ્યાનના સમયગાળાને વધારીને તેમની શીખવાની ક્ષમતાઓને વધારી શકીએ છીએ અને જીવનભરના શિક્ષણ અને વિકાસને ટેકો આપવા માટે પાયો પૂરો પાડી શકીએ છીએ.

ધ્યાનને સમજવું
આ સંદર્ભમાં, ધ્યાનને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક જ્ઞાનાત્મક ભાગ છે, જે મગજમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં વિવિધ પરિસ્થિતિઓમાં આપણી આસપાસની ઉત્તેજનાને દિશા આપવાની, નિયંત્રણની, ધ્યાન જાળવવાની અને ઊર્જાને લક્ષ્ય બનાવવાની અદ્રશ્ય માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બીજો વર્તણૂકનો ભાગ છે, જે વધુ મૂર્ત ભાગ છે, જેમાં રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમકે, બાળક પોતાનો વારો આવવાની રાહ જોતું હોય, તેમના વર્ગખંડની બહાર ભસતા શ્વાનને અવગણવું, જેથી તેઓ શિક્ષકની સૂચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, અથવા બાળક સતત સળવળાટ કરે છે અને મૂંઝવણ અનુભવે છે.

જ્ઞાનાત્મક બાજુ અને વર્તણૂકીય બાજુ વચ્ચેના ગાઢ આંતર-સંબંધનું ઉદાહરણ એ રીત છે જે રીતે બાળક વિડીયો ગેમ્સ રમવામાં કલાકો પસાર કરી શકે છે. આ રમતો સંગીત, ગ્રાફિક્સ અને સમસ્યાઓના ઉકેલનો ઉપોયગ કરીને મગજના ચોક્કસ ભાગોથી ધ્યાન કેન્દ્રિત કરવા અને જાળવી રાખવા માટે ડિઝાઈન કરવામાં આવી છે, જે જ્ઞાનાત્મક ભાગ છે. પરિણામે, બાળકો ગેમ કન્ટ્રોલરને પકડીને સોફા પર એક જગ્યાએ બસી રહેશે, જ્યારે કેટલીક વખત હતાશામાં આવીને જોરથી બૂમો પાડશે, જે વર્તણૂકનો ભાગ છે.

ધ્યાન તેમના ભાવનાત્કમ સ્વાસ્થ્ય, તેમની આસપાસ બનેલી કે બનતી ઘટનાઓ, જેવિકે પરિબળો જેવા કે ભૂખ્યા હોવું, ઊંઘમાં હોવું અથવા થાકેલા હોવું, ઉંમર, વિષયમાં વ્યક્તિગત રસ, શીખવાની અક્ષમતા, મૂડ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓ જેવા અન્ય પરિબળો દ્વારા પણ સંચાલિત થાય છે. બાળકના ધ્યાનના સમયગાળાને અસર કરતા ઘણાબધા પરિબળો હોવાથી બાળકને સતત મુશ્કેલીઓ આવી રહી હોય , જે તેમના શિક્ષણ અને વિકાસને અસર કરી શકે છે, ત્યારે તેને ઓળખવી મુશ્કેલ બની શકે છે. ત્યારે બાળક શીખતું હોય અને લાંબો સમય કામ કરતું હોય તે દરમિયાન માતા-પિતાનું સક્રિય અવલોકન અને બાળક સાથે તેમની સહભાગિતા મહત્વપૂર્ણ બની જાય છે. ઉપરાંત, જાણીતી ઓસ્ટ્રેલિયન ડિજિટલ હેલ્થ કંપનીની Tali Detect એપ જેવીનવી ટેકનોલોજીનો ઉપયોગ, માતા-પિતાને એ સમજવામાં મદદ કરી શકે છે કે તેમનું બાળક ધ્યાન કૌશલ્યના વિકાસ સાથે કેવી રીતે આગળ વધી રહ્યું છે.

અલગ-અલગ બાળકોમાં ધ્યાન કઈ રીતે કામ કરે છે
આપણે બધા જાણીએ છીએ કે, બાળકનું ધ્યાન પુખ્ત વયના લોકો કરતાં ઘણું ઓછું હોય છે, પરંતુ ધ્યાન પણ દરેક બાળકમાં બદલાય છે. TALiના ક્લિનિકલ લીડ, ડો. સિમોન ગિન્ડિડિસે સમજાવ્યું કે, ધ્યાન સમજવાની સરળ રીત એ છે કે, ફ્લોર પર બેઠેલા બાળકોના વર્ગખંડની કલ્પના કરવી અને રૂમની આગળના ભાગમાં તેમના શિક્ષક સૂચનો આપે છે. વર્ગખંડમાં ઝાંખો પ્રકાશ છે અને ઓરડામાં મોટાભાગના બાળકોના માથા પર સ્પોટલાઈટ હોય છે. દરેક સ્પોટલાઈટ અલગ-અલગ કદની હોય છે, પરંતુ ચોરસ રીતે રૂમની આગળની તરફ લક્ષિત હોય છે. સ્પોટલાઈટ બાળકો બાકીના રૂમને ફિલ્ટર કરવામાં સક્ષમ છે (કારણ કે ત્યાં તદ્દન અંધારું છે) અને જ્યાં તે હોવું જરૂરી છે, ત્યાં પ્રકાશ ફેંકે છે. ધ્યાનમાં નબળા બાળક માટે, તેમના પ્રકાશનો સ્ત્રોત વાસ્તવમાં સ્પોટલાઈટને બદલે મીણબત્તી છે. તેથી, જ્યારે તે બાળક તેના પ્રકાશને શિક્ષક તરફ દિશામાન કરે છે, ત્યારે આખો ઓરડો પણ પ્રકાશિત થાય છે. આખો ઓરડો ઝળહળતો હોવાથી, બાળક જોઈ શકે છે કે બીજી હરોળમાં રહેલો નાનો જોની તેના બૂટની દોરી સાથે રમી રહ્યો છે, અને ડેસ્ક પર એક રમકડું પડ્યું છે, જેની સાથે તેઓ રમવાનું પસંદ કરે છે, અને તેમને એ પણ ખ્યાલ આવે છે કે તેમને ભૂલ લાગી છે અને દિવાલ પરની ઘડિયાળ જોરથી અવાજ કરી રહી છે.

ડો. સિમોન આ કલ્પનામાં જે મુખ્ય બાબત પર પ્રકાશ પાડે છે, તે એ છે કે, બાળકોના મગજ અલગ-અલગ હોય છે, અને કેટલાકમાં પ્રકાશનો સ્ત્રોત બાકીના કરતા અલગ હોય છે. આપણે આ બાળકોને તેમના વિશ્વને સમજવા માટે વ્યુહરચનાઓ અને સાધનોને એક્સેસ કરવામાં જેટલી વહેલી મદદ કરી શકીએ, તેટલી જ તેઓ તેમના જીવનમાં અન્ય પડકારોને દિશા આપવામાં સક્ષમ થવાની શક્યતા વધારે રહે છે.

બાળકોમાં રહેલી ધ્યાનની નબળાઈઓમાં શરૂઆતથી હસ્તક્ષેપ શા માટે મહત્વપૂર્ણ છે
સંખ્યાબંધ અભ્યાસો સૂચવે છે કે, ધ્યાનની મુશ્કેલીઓ ધરાવતા લોકો તેમના સમગ્ર શાળાકીય વર્ષો દરમિયાન સંઘર્ષ કરે તેવી શક્યતા વધુ હોય છે અને તેઓ યુવાન પુખ્ત વયના અને તેના કરતા મોટ થાય ત્યારે તેઓ માનસિક સમસ્યાઓ અને ઓછા આત્મસન્માનનો અનુભવ કરે છે. વધતા પુરાવા દર્શાવે છે કે, બાળકોમાં શક્ય તેટલું વહેલી તકે ધ્યાનના મુદ્દાઓને ઓળખવા અને તેના પર કામ કરવું એ તેમની ભાવિ સફળતા માટે ઘણું મહત્વપૂર્ણ છે, અને તેનાથી માત્ર તેમને જ નહીં, પરંતુ તેમના પરિવાર, શિક્ષકો અને વ્યાપક સમુદાયને પણ લાંબા ગાળાના લાભ થાય છે.

એટલે જ, માતા-પિતા બાળકોને તેમના નાનપણથી જ ધ્યાન આપવાની કુશળતા વિકસાવવામાં અને ઓળખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ તેમના બાળકને જે રીતે ટેકો આપી શકે છે, તેમાં સૂચનાઓને તોડીને ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો સમાવેશ થાય છે, જેથી કરીને બાળકો હાથમાં રહેલા કાર્યોમાં સફળ થઈ શકે અને જ્યારે તેઓ સફળ થાય ત્યાર તેમને સકારાત્મક પ્રતિસાદ આપી શકે. ક્લિનિકલ મનોવૈજ્ઞાનિકો પણ માતાપિતાને ભલામણ કરે છે કે, બાળકો સામાન્ય રીતે જે વિક્ષેપો અનુભવે છે તેમાં ઘટાડો કરે. અતિશય ઉત્તેજના બાળકના ધ્યાનના સમયગાળા સામે પણ કામ કરી શકે છે અને આ અનુભવને ઉત્તેજિત કરતી પ્રવૃત્તિઓમાં બાળકોના એક્સેસને મર્યાદિત કરવી શ્રેષ્ઠ બાબત છે.

આ બધા ઉપરાંત, એ યાદ રાખવું જરૂરી છે કે, દરેક બાળકનું મગજ અલગ હોય છે અને જેટલી વહેલી તકે આપણે તેમને તેમની દુનિયાને સમજવામાં મદદ કરવા માટે વ્યુહરચનાઓ અને સાધનોને એક્સેસ કરવામાં મદદ કરી શકીએ, તેમના જીવનમાં અન્ય પડકારોને નેવિગેટ કરવામાં તેઓ સફળ થવાની શક્યતા વધી જાય છે.

તમારું બાળક ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે કે કેમ તે જાણવું
ધ્યાન મગજના ઘણા અનન્ય ક્ષેત્રોને સમાવે છે અને ધ્યાનની મુશ્કેલી ઘણીવખત બીજા પડકારોની સાથે ઊભી થાય છે. તેથી તે હંમેશા સ્પષ્ટ નથી હોતું કે ધ્યાનની મુશ્કેલીઓ અન્ય નબળાઈઓને ઢાંકી રહી છે કે તેનાથી ઉલટું છે. આથી જ ક્લિનિકલ સ્તરે, ત્યાં ઘણી મુખ્ય વર્તણૂકો છે, જે માપવામાં આવે છે, તે સૂચવે છે કે, શું બાળક ધ્યાનની મુશ્કેલીઓ અનુભવી રહ્યું છે. માતા-પિતા તેમના બાળકો પર વધારે ધ્યાન આપીને આ પ્રક્રિયામાં મદદ કરી શકે છે અને તેમનું બાળક કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે, તે વિશે દેખાતા હોય તેવા કોઈપણ સંકેતોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.

માતા-પિતા ઘણીવાર તેમના બાળકની જ્ઞાનાત્મક શૈક્ષણિક અને વર્તણૂકીય શક્તિઓ અને નબળાઈઓને સમજનારા સૌ પ્રથમ લોકો હોય છે. જો તેમને લાગતું હોય કે કંઈક સારી રીતે કામ કરી રહ્યું નથી, તો યોગ્ય હેલ્થકેર પ્રેક્ટિશનરને મળવું યોગ્ય છે, જે ધ્યાન અને શીખવાની સમસ્યાઓ માટે તેમના બાળકનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે. સારા સમાચાર એ છે કે, માતા-પિતા પાસે હવે TALi DETECT દ્વારા તેમના બાળકના ધ્યાનનું મૂલ્યાંકન કરવાની વધારાની રીત છે. Tali ઓસ્ટ્રેલિયાની ટોચની યુનિવર્સિટીઓમાંથી એકમાં અગ્રણી બાળપણ સંશોધનો દ્વારા વિકસિત ધ્યાન મૂલ્યાંક એપ્લિકેશન પ્રદાન કરે છે. સતત વ્યસ્ત રાખતી ગેમ આધારિત પ્રવૃત્તિઓની શ્રેણી દ્વારા માતા-પિતા તેમના બાળકનું ધ્યાન તપાસી શકે છે અને તેમની ઉંમરના અન્ય બાળકો સાથે તુલના કરી શકે છે. Taliનું બિનહાનિકારક, ડિજિટલ ધ્યાન મૂલ્યાંક સાધન મફત ઉપયોગ કરી શકાય છે અને તે એન્ડ્રોઈડ અને એપલ બંને ટેબ્લેટ્સ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. એકવખત માતા-પિતા સમજી લે કે કઈ રીતે તેમનું બાળક સરખામણી કરે છે, ત્યારે તેમની પાસે ક્લિનિકલી સાબિત 5 અઠવાડિયાના તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરવાનો વિકલ્પ હોય છે, જે તેમન બાળકના ધ્યાન કૌશલ્યને મજબૂત કરવા માટે ઈન્ટરેક્ટિવ ગેમ આધારત કસરતોનો ઉપયગો કરે છે અને તે ગૂગલ પ્લે અને એપ સ્ટોર બંને પરથી ડાઉનલોડ કરવા અને ખરીદવા માટે પણ ઉપલબ્ધ છે.

December 6, 2021
coronaupdate.jpg
1min368

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસનો આંકડો ભારતમાં 20ને પાર થઈ ગયો છે. આવામાં એક તરફ સ્કૂલો ખોલવામાં આવી છે ત્યારે કર્ણાટકમાં એક જ સ્કૂલમાં વિદ્યાર્થી અને સ્ટાફ મળીને 94 કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી ગયો છે. કર્ણાટકાના નરસિમ્હારાપુરામાં આવેલા સ્કૂલમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. હવે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના પણ રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે જેથી આ ચેઈનને તોડી શકાય.

મળતી વિગતો પ્રમાણે સ્કૂલમાં વધુ 35 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા નરસિમ્હારાજપુરાની કેન્દ્રીય સ્કૂલમાં કોરોનાના કુલ કેસનો આંકડો 94 પર પહોંચ્યો છે. સ્કૂલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 100ની નજીક પહોંચી જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલનો સ્ટાફ ચિંતામાં મૂકાયો છે. એક તરફ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે ત્યારે એક સાથે આટલા બધા કેસ એક જ સ્કૂલના કેમ્પસમાં આવતા કેસમાં થતો વધારો અટકાવવા માટેના જરુરી પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.

એક સામટા આટલા કેસ એક જ સ્કૂલમાંથી આવતા હવે વધુ 418 લોકોના ટેસ્ટ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફનો સમાવેશ થાય છે. સ્કૂલનો કોરોનાના કેસનો આંકડો સદીની નજીક પહોંચી જતા કર્ણાટકની આ સ્કૂલને વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે નરસિમ્હારાજપુરાની સ્કૂલમાં ભણતા 59 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ સોમવારે વધુ 35 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે. આમાં સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફ મળીને 13 લોકો થાય છે કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે 81 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓ એસિમ્પ્ટોમેટિક છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 8,306 કેસ નોંધાયા છે, જેની સામે 8,834 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 98,416 થઈ ગયો છે. આમ એક્ટિવ કેસનો આંકડો 552 દિવસના તળિયે પહોંચી ગયો છે.

October 15, 2021
cbse.jpg
1min417

સીબીએસઇના ૧૦મા અને ૧૨મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની પહેલા સત્રની ઓફલાઇન પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવશે એવી બૉર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરીક્ષાનું ટાઇમ ટેબલ ૧૮ ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે. 

સીબીએસઇ બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષાઓ ઑબ્જેક્ટિવ ટાઇપની હશે અને તેનો સમયગાળો ૯૦ મિનિટનો રહેશે. શિયાળાનો સમય ધ્યાનમાં રાખતા પરીક્ષાઓ સવારે ૧૦.૩૦ને બદલે ૧૧.૩૦થી શરૂ  થશે. 

‘પ્રથમ સત્રની પરીક્ષા બાદ જાહેર કરવામાં આવશે. કોઇ પણ વિધાર્થીને પાસ, કમ્પાર્ટમેન્ટ કે એસેન્શિયલ રીપિટ કેટેગરીમાં મૂકવામાં નહીં આવે. 

ફાઇનલ પરિણામ પ્રથમ અને દ્વિતિય સત્રના અંતે જાહેર કરાશે તેમ સીબીએસઇ એક્ઝામ કંટ્રોલર સન્યામ ભારદ્વાજે જણાવ્યું હતું. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજા સત્રની પરીક્ષા માર્ચ-એપ્રિલ, ૨૦૨૨ દરમ્યાન લેવામાં આવશે. એ ઑબ્જેક્ટિવ કે સબ્જેક્ટિવ પ્રકારની હશે કે કેમ એ તે સમયની કોવિડ-૧૯ની પરિસ્થિતિ પર આધાર રાખશે.

August 25, 2021
backtoschool.png
1min418

શિક્ષણમંત્રીએ આજે તા.25મી ઓગસ્ટ 2021ના રોજ જાહેરાત કરી છે કે આગામી ગુરુવાર તા.2 સપ્ટેમ્બરથી રાજ્યભરની શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ થઈ જશે. હાલ 9થી 12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે.

આજે થયેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળામાં હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક ફરજિયાત રહેશે, તેમજ 50 ટકા હાજરી સાથે ક્લાસ ચલાવાશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જાળવવાનું રહેશે. ધોરણ છથી આઠમાં 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ આગામી ગુરુવારથી સ્કૂલે આવવાનું શરુ કરશે. જોકે, શાળાએ આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી, અને ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે.

સ્કૂલે જવું ફરજિયાત નહીં, ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત

August 13, 2021
bilungualpic-2.jpg
4min1145

એવું જોવાયું છે, અનુભવાયું છે, વર્તાયું છે કે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે હાયર એજ્યુકેશનમાં જાય, પ્રવેશ પરીક્ષા આપે, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે ત્યારે તેમનું પરફોર્મન્સ નબળું પડતું જતું, કારણ એક જ હતું કે અંગ્રેજી. પ્રાથમિક શાળાના સ્તરથી જ અંગ્રેજીના બેઝિક શબ્દો કે જે આપણે વ્યવહારુ ભાષામાં પણ ઉપયોગ કરીએ છીએ એવા જ શબ્દો અભ્યાસક્રમમાં પણ હોય છે અને તેને બેઝિક ટર્મિનોલોજી કહેવાય છે. જેમકે ટેબલને આપણે ગુજરાતીમાં પણ ટેબલ કહીએ છીએ ભલે એ અંગ્રેજી વર્ડ હોય એવી જ રીતે મેડીકલ અને એન્જિનિયરિંગ સહિત તમામ ક્ષેત્રે બેઝિક વર્ડનું ગુજરાતી થતું નથી અને એ શબ્દો પારખવામાં, ઓળખવામાં ગુજરાતી વિદ્યાર્થીઓ થાપ ખાતા જોવા મળતા પરંતુ, સુરતની સાત શાળાઓએ શરૂ કરેલું દ્વિભાષી માધ્યમ હવે સમગ્ર ગુજરાતની સ્કુલો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પરવાનગી આપી છે કે દ્વિભાષી માધ્યમ એટલે કે અંગ્રેજી અને વિજ્ઞાન બે વિષયોને ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ધો.12 સુધી અભ્યાસ કરાવવાનો જેથી કરીને વિદ્યાર્થીઓ ધો.12 પછી કોઇપણ ક્ષેત્રમાં બેઝિક ટર્મિનોલોજીને કારણે પછડાય નહીં.

આજરોજ સુરતમાં દ્વિભાષી માધ્યમ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આ સમગ્ર કન્સેપ્ટ લાગૂ કરનાર સુરતની ભૂલકાવિહાર શાળા, ભૂલકાભવન સ્કુલ, સંસ્કારભારતી વિદ્યાલય સમેતની સ્કુલોના સંચાલકો અને ડો. રઇશ મણિયારે નીચે મુજબની માહિતી દ્વિભાષી માધ્યમ અંગે આપી હતી.

ગુજરાતના વાલીઓની એ કાયમની મૂંઝવણ રહી છે કે કે બાળકને માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી શાળાઓએ ગ્લોબલ મિડિયમના નામથી એક નવા માધ્યમની મંજૂરી લઈ છ વરસ આ પ્રોજેક્ટ સફળતાથી ચલાવ્યો. 

2020માં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ દ્વિભાષી (માતૃભાષા અને અંગ્રેજી)  સજ્જતાની હિમાયત કરવામાં આવી હોવાથી ગુજરાતે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈ તા. 29 જુલાઈના રોજ એક પરિપત્ર બહાર પાડી આ વરસથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે તે મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે, એ મુજબનો નિર્ણય કર્યો છે.

શું છે આ દ્વિભાષી માધ્યમ?

દ્વિભાષી માધ્યમની મુખ્ય જોગવાઈ આ મુજબ છે.

1.  ગણિત અને વિજ્ઞાન દ્વિભાષી માધ્યમથી ભણાવવા.

2.  અંગ્રેજી વિષય શિક્ષણની ગુણવત્તા શરૂઆતથી સુધારવી. લિસનિંગ સ્પીકીંગ રીડીંગ રાઈટીંગ એ ક્રમમાં, એ પદ્ધતિથી અંગ્રેજી વિષય  શીખવવો.

3. અન્ય અભ્યાસ (ગુજરાતી સમાજવિદ્યા અન્ય ભાષા વગેરે વિષયો)પ્રવર્તમાન ગુજરાતી માધ્યમ પ્રમાણેજ કરાવવાનો રહે છે.

બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે પરંતુ શરૂઆતથી અંગ્રેજી વિષય પણ હાયર લેવલનો ભણાવવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાન ધોરણ ત્રણથી સાત સુધી દ્વિભાષી પુસ્તકોની મદદથી ભણાવવામાં આવે છે. ધોરણ આઠ નવ અને દસમાં ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે.

આમ દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક માતૃભાષા દ્વારા પરંપરા સાથે જોડાયેલું પણ રહેશે અને વિશ્વભાષા પણ સારી રીતે શીખશે.

પ્રવર્તમાન માધ્યમો ચાલુ જ રહેશે

જે ખાનગી શાળાઓ સજ્જ અને તત્પર હોય સ્વૈચ્છિક ધોરણે, સરકારની મંજૂરી મેળવીને, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે.પ્રવર્તમાન બન્ને માધ્યમો ચાલુ જ રહેશે. આ માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે. 

દ્વિભાષી માધ્યમનો ફાયદો શું?

શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં થાય એજરૂરી છે. સાથેસાથે બીજી ભાષા તરીકે અંગ્રેજીને જલદી શરૂ કરવી એ પણ એટલીજ જરૂરી છે તેમજ અંગ્રેજી શિક્ષણનીગુણવત્તાને સુધારવાની તાતી જરૂર છે. બાળકો બન્ને ભાષા (માતૃભાષા અને અંગ્રેજી) એક સાથે સારી રીતે શીખી શકે એમ હોવાથી એક ને અપનાવવા માટે બીજાની અવગણના કરવી જરૂરી નથી.  દ્વિભાષી માધ્યમના હાર્દ વિશે એકવાક્યમાં કહી શકાય કે જ્યારે ગુજરાતી અથવા અંગ્રેજી એદ્વિધા હોય તો ઉકેલ ગુજરાતી વત્તા અંગ્રેજીજ હોઈ શકે.

ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના સાંપ્રતપ્રવાહો અને સંશોધનો વૈશ્વિકકક્ષાના હોય છે. એની સાથે તાલમિલાવવા અંગ્રેજી પરિભાષા અનિવાર્ય છે. તેમજ આગળ જતાં આ વિષયો વિદ્યાર્થીઓ અંગ્રેજી પરિભાષાનો ઉપયોગ કરીનેજ ભણવાના હોવાથી, શાળાકક્ષાએ બાળક આ બન્ને વિષયો દ્વિભાષી પદ્ધતિથી શીખે એ ઈચ્છનીય અને સલાહભર્યું છે. આમ કરવાથી વિદ્યાર્થી સમયસર વૈશ્વિકકક્ષાના જ્ઞાનની સાથે ખભા મિલાવી શકશે. આ પગલું લેવાથી વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાન વિષયને લગતાં અંગ્રેજીભાષામાં ઉપલબ્ધ વિશાળ જ્ઞાન સમુદ્રનો, સંદર્ભ સાહિત્યનો સારો લાભ ઉઠાવી શકશે.

સરકારે કયા મુદ્દાઓને આધારે મંજૂરી આપી?

સુરતની સાત શાળાના સફળ પ્રોજેક્ટનો થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન રિપોર્ટ કરવામાં આવ્યો. ડો.વિનોદ જી પટેલની અધ્યક્ષતામાં એ રિપોર્ટના તારણો પોઝીટીવ હતા.

સરકાર આ પદ્ધતિની સમીક્ષા કરવા માટે શિક્ષણવિદ  ડો. રાજેંદ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક સમિતિ નીમી. જેમા અગિયાર જેટલા તજજ્ઞોએ સાતેક જેટલી મીટીંગ કરીને ડો. રઈશ મનીઆરની રજૂઆતોને આધારે હકારાતમક રિપોર્ટ આપ્યો હતો તેમજ સુરતના  પૂર્વ ડી.ઈ.ઓ. શ્રી. યુ. એન. રાઠોડ વગરેના ધરખમ પ્રયાસોને પરિણામે સરકારને આ પદ્ધતિની ઉપયોગિતા સમજાઈ. માનનીય શિક્ષણ મંત્રી શ્રી. ભુપેંદ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી બેન દવે, ભૂતપૂર્વ નાયબ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાંણી તેમજ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ તથા જી.સી.ઈ.આર.ટી.ના વડાશ્રી. ટી. એસ. જોશી તેમજ એમ.આઈ. જોશી તેમજ આ માટે તત્કાલીન સુરત D.E.O સાહેબશ્રી એચ. એચ. રાજ્યગુરુ તેમજ ડી.પી.ઈ.ઓ સાહેબશ્રી ડી.આર. દરજી સાહેબના  માર્ગદર્શનથી સરકારે આ દ્વિભાષી માધ્યમને રાજ્યવ્યાપી સ્વૈચ્છિક મંજૂરી આપવાનું નક્કી કર્યું. સરકારની સ્કૂલ ઓફ એક્સેલંસ શાળાઓમાં પણ આ માધ્યમ ક્રમશ: દાખલ કરાશે.

ખાનગી શાળાઓ દ્વિભાષી માધ્યમ કઈ રીતે શરૂ કરી શકે?

ગુજરાતની કોઈ પણ સજ્જ અને તત્પર ખાનગી શાળાઓ નીચેની શરતો પર દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે છે.

1. તેઓએ સરકારે મંજૂર કરેલ દ્વિભાષી માધ્યમના મોડેલનું પાલન કરવું પડશે.

2. તેઓએ તમામ સરકારી ઓનલાઈન તાલીમ શિબિરમાં ભાગ લેવો પડશે અથવા એમ ન થઈ શકે તો ખાનગી રીતે તેમની પોતાની તાલીમની વ્યવસ્થા કરવી પડશે.

3. તેઓએ તેમના અંગ્રેજી શિક્ષકોને દ્વિભાષી તાલીમ આપવી પડશે અને જો જરૂરી હોય તો નવા શિક્ષકોની ભરતી કરવી પડશે. જૂના શિક્ષકોને છૂટા કરી શકાશે નહીં,.

4. તેઓએ તેમના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને સરકારે જાહેર કરેલા દ્વિભાષી માધ્યમના ધારાધોરણ પ્રમાણે તાલીમ આપવી પડશે.

5. તેઓએ નીચેના દસ્તાવેજો સાથે જીલ્લાશિક્ષણાધિકારીની પરવાનગી લેવી પડશે.

. ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ, કે “તેમને સૂચિત દ્વિભાષી માધ્યમ કોઈ વાંધો નથી અને તેઓ દ્વિભાષી માધ્યમ  

શરૂ કરવા અને એમાટેની સરકારે સૂચવેલી તમામ વ્યવસ્થાને અનુસરવા તૈયાર છે.”

બી. જે તે વર્ગના વાલીમંડળ દ્વારા ઉપર મુજબનો ઠરાવ.

સી. જે તે વર્ગના શિક્ષકો દ્વારા ઉપર મુજબનો દ્વારા ઠરાવ.

દ્વિભાષી માધ્યમ અંગે વિગતવાર માર્ગદર્શન ક્યાંથી મળશે

સુરતની શાળાઓ દ્વારા એક માર્ગદર્શક વેબસાઈટ શરૂ કરવામાં આવશે

https://bilingualmedium.in/

જેનાથી આ માધ્યમ વિશે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહેશે.

July 27, 2021
CIA_Live_Logo_New2.jpg
1min521

રાઇટુ એજ્યુકેશન એક્ટ અન્વયે સુરત શહેરની પ્રાથમિક શાળાઓના પહેલા ધોરણમાં ગરીબ બાળકો માટે રિઝર્વ રાખવામાં આવેલી કુલ 25 ટકા બેઠકો પર આજરોજ તા.27મી જુલાઇએ અંદાજે 7956 ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન અન્વયે પહેલા ધોરણમાં ઓનલાઇન એડમિશન સ્લીપ લઇને આવનાર વાલીઓના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કુલોએ પહેલા ધોરણમાં બિલકુલ ફ્રીમાં પ્રવેશ આપવો જ પડશે.

રાઇટ એજ્યુકેશન એક્ટ અન્વયે ગરીબ વર્ગના બાળકોને કહેવાતી હાઇફાઇ, સેન્ટ્રલ બોર્ડની, ઉંચી ફી ધરાવતી કોઇપણ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલના પહેલા ધોરણમાં પ્રવેશ મળી શકે છે, પણ શરત એક જ છે કે એ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ વાલી-વિદ્યાર્થીના રહેઠાણથી એકથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતી હોવી જોઇએ.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે જાહેર કરાયેલી પહેલી એડમિશન યાદી અન્વયે જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓના વાલીઓએ તેમને ફાળવેલી સ્કુલે જઇને જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવીને પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પ્રવેશ મેળવવા માટેની અંતિમ તારીખ 4 ઓગસ્ટ રાખવામાં આવી છે.

July 26, 2021
kids-social.jpg
1min433

નવી પેઢીના ભાવિ સાથે જોડાયેલા ચિંતા જગાવતા સમાચારમાં ભારતમાં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સોશ્યલ મીડિયા પર સક્રિય છે તેવો ખુલસો દેશના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ દ્વારા કરાયો છે. પંચના અભ્યાસ અનુસાર દેશમાં 10 વર્ષની વયના 37.8 ટકા બાળકો ફેસબૂક એકાઉંટ અને 24.3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામ એકાઉંટ ધરાવે છે.

બાળ અધિકાર સંરક્ષણ પંચનો સર્વે : 37.8 ટકાનાં ફેસબુક, 24.3 ટકાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

ખાસ ઉલ્લેખનીય છે કે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર અકાઉંટ ખોલવા માટે નિર્ધારિત માપદંડો મુજબ ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષની નક્કી કરાઇ છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે મોટાભાગના બાળકો પોતાના માતા-િપતાના મોબાઇલ ફોન પરથી ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા પર સક્રિય છે.

કોરોના મહામારી વચ્ચે આ સર્વેમાં જણાવાયું છે કે, સોશ્યલ મીડિયા પરની ઘણી સામગ્રી હિંસક, અશ્લીલ, ઓનલાઇન દુર્વ્યવહારની હોય છે જે બાળકો માટે યોગ્ય નથી.

કોરોના કાળમાં શાળાઓ બંધ રહેતાં ઓનલાઇન શિક્ષણ ચાલ્યું છે એ જોતાં શિક્ષણ માટે ઉપયોગ ભલે યોગ્ય હોય પરંતુ સોશ્યલ મીડિયામાં ઘણી નાની વયે બાળકો સક્રિય થતાં હોઇ યોગ્ય નિરીક્ષણ અને કડક નિયમો જરૂરી હોવાનું પંચ સૂચવે છે.

June 17, 2021
covid_cia.jpg
1min393

સરકારે કોરોનાવાઇરસની સારવાર માટે dt 17/6/21, બુધવારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કોવિડ-૧૯ના પુખ્ત વયના દરદીઓને સારવારમાં અપાતી આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સ બાળકોને હાલમાં નહિ આપવાની સલાહ આપીએ છીએ.

કોરોનાવાઇરસની ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થવાની હોવાના ભયને ધ્યાનમાં રાખીને સરકારે સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી હતી.

બાળકોને કોરોનાવાઇરસ સામેની રસી આપવા મંજૂરી મળી જાય તે પછી અન્ય બીમારીઓ ધરાવતા બાળકોના રસીકરણને પ્રાધાન્ય આપવા માગીએ છીએ.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સનું બાળકોમાં કોવિડ-૧૯ની સારવાર માટે જરૂરી પરીક્ષણ હજી પૂરું નથી કરાયું અને તેથી આ દવા બાળકોને નહિ આપવાની સલાહ આપીએ છીએ.

7 more children die of AES in Bihar; govt starts survey | Latest News India  - Hindustan Times

આગામી ત્રણથી ચાર મહિનામાં લૉકડાઉન ઉઠાવી લેવાય અને શાળાઓ ખોલાય તે પછી જો કોરોનાવાઇરસનો રોગચાળો ફરી વધુ ફેલાય તો બધાએ (ખાનગી અને જાહેર ક્ષેત્રે) તેનો સાથે મળીને સામનો કરવો જોઇએ.

માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે બાળકોમાં કોવિડ-૧૯ના વધતા દૈનિક કેસને ધ્યાનમાં રાખીને તેઓની સારવાર માટેના બૅડ્સ વગેરે સુવિધાને વધારવી જોઇએ. તેણે જણાવ્યું હતું કે કોરોનાથી અસરગ્રસ્ત બાળકોની સારવાર માટે જરૂર પડે તો ડૉક્ટરો અને નર્સને પણ વધારાની સુવિધા પૂરી પાડવી જોઇએ. કોવિડ-૧૯નો ચેપ જે બાળકોને લાગ્યો હોય તેઓની સારવાર માટે હૉસ્પિટલમાં અલગ બૅડ્સ સહિતની સુવિધા રાખવી જોઇએ.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જે બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય પરંતુ તેના લક્ષણ દેખાતા ન હોય અથવા ઓછી અસર દેખાતી હોય તેઓને માતા-પિતા ઘેર રાખીને પણ ડૉક્ટરોની મદદથી સારવાર અપાવી શકે છે.

તેણે જણાવ્યું હતું કે કોરોનાના દરદીઓને તાવમાં પેરાસિટામોલ જેવી દવા અપાય છે અને તેઓના શ્ર્વાસોચ્છ્વાસ તેમ જ ઑક્સિજન પર સતત નજર રાખવી જરૂરી છે.

June 11, 2021
kids-mask.png
1min609

ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમની અટકળો વચ્ચે ભારતમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે જણાવ્યું છે કે, પાંચ વર્ષથી નાની વયના બાળકોને બચવા માટે માસ્ક પહેરવાની ભલામણ નથી કરાઈ.

વધુમાં છથી 11 વર્ષનાં બાળકો માવતરો, તબીબોનાં નિરીક્ષણ હેઠળ માસ્ક પહેરી શકે, તેવું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસ્થાએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે ખાસ બાળકોને કોવિડથી બચાવવા માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા જારી કરી છે, તે મુજબ રેમડેસીવીર જેવી દવાઓ બાળકોને આપવાની નથી.

ઉપરાંત બાળકને કોરોના છે કે નહીં તે જાણવા માટે એચઆરસીટી ઈમેજિંગનો ઉપયોગ પણ જરૂર પડે તો જ વિવેકપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

કેન્દ્રની નવી માર્ગદર્શિકામાં લક્ષણ વગરના કે હળવાં લક્ષણવાળા સંક્રમિત બાળકમાં સ્ટીરોઈડનો ઉપયોગ નુકસાન કરી શકે છે તેવી ચેતવણી અપાઈ છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (ડીજીએચએસ) દ્વારા માત્ર હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તેવા ગંભીર અસરવાળા બાળકોમાં જ સ્ટીરોઈડ આપવાની ભલામણ કરાઈ છે. માર્ગદર્શિકામાં હાઈરિઝોલ્યુશન’ સીટીસ્કેન (એચઆરસીટી) ફેફસાં પર અસર ગંભીર હદે થઈ હોવાની શક્યતા જણાય તેવા સંજોગોમાં જ બુદ્ધિપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

June 2, 2021
cbse1.jpg
1min419

દેશભરમાં કોરોનાની મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો સરકારે મંગળવારે નિર્ણય લીધો હતો.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીઆઈએસસીઈ બોર્ડે પણ બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું બોર્ડના સેક્રેટરી ગેરી અરથાનુ કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તેમ જ વિદ્યાર્થીઓ અને વાલીઓની બેચેનીનો અંત આણવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સીબીએસઈ બૉર્ડ નિર્ધારિત સમયમર્યાદામાં પરિણામ તૈયાર કરવા પગલાં લે એવો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં થયેલા વધારા અને ભવિષ્યમાં આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી થવાની આશંકા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓનું આરોગ્ય અને તેમની સુરક્ષા સર્વોપરી છે અને તેની સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં મોદીને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની બેચેનીનો અંત આણવો જોઈએ અને આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.

મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે સંબંધિત લોકોએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે સંવેદનશીલતા દર્શાવવી જોઈએ.

સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ રાજ્ય સરકાર સહિત, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અભિપ્રાય અને કરવામાં આવેલી વ્યાપક ચર્ચાવિચારણાની વિગતો રજૂ કરી હતી.

આ વિગતોની સમીક્ષા કર્યા બાદ સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની મહામારીએ શૈક્ષણિક વર્ષ પર વિપરીત અસર કરી હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે બૉર્ડની પરીક્ષાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં તીવ્ર બેચેની ઊભી કરી હતી જેનો અંત આણવાની જરૂર હતી.

આ પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આરોગ્ય અંગે ચિંતિત હતા એમ જણાવતાં મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે આવી તણાવપૂર્ણ સ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.