CIA ALERT

વાયરલ Archives - Page 20 of 82 - CIA Live

September 26, 2022
dollarvsrupeee.jpg
1min463

મંદીના ભણકારા શેરબજારમાં વેચવાલી અને અન્ય કારણોસર વૈશ્વિક બજારમાં ડોલરમાં સતત ખરીદી જોવા મળી રહી છે. સોમવારે ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે આજે પહેલા નોરતેં જ વધુ એક ઐતિહાસિક નીચી સપાટીએ ખુલ્યો હતો. શુક્રવારે 80.99 બંધ રહ્યા બાદ આજે રૂપિયો 81.52 ખુલ્યો હતો.

વૈશ્વિક બજારમાં પાઉન્ડ 1985 પછીની સૌથી નીચી સપાટીએ છે. એક પાઉન્ડ ડોલર સામે અત્યારે 1.03 ની સપાટીએ છે. 

વિશ્વના છ અન્ય ચલણ સામે ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઈન્ડેક્સ સોમવારે 113.75ની બે દાયકાની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

September 26, 2022
amba.png
1min591

આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજે 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થયો છે. આજથી નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લિન્ન થશે જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. કોરોનાને પગલે છેલ્લા બે વર્ષથી રાસ-ગરબાનું ભવ્ય આયોજન થઇ શક્યું નહોતું. પરંતુ હવે આ વર્ષે કોઇ  નિયંત્રણ વિના રાસ-ગરબાને મંજૂરી આપવામાં આવતા ખેલૈયાઓનો ઉત્સાહ જબરદસ્ત છે.

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર.નવરાત્રિના પ્રારંભ સાથે આવતીકાલથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટશે. જ્યોતિષીઓના મતે ઘટ સ્થાપન, અખંડ દીપ સ્થાપન, જ્વારારોપણ માટે આજે સવારે ૬ઃ૩૦ થી ૮ઃ૦૧ દરમિયાન અમૃત, સવારે ૯ઃ૩૧થી ૧૧ઃ૦૧ શુભ જ્યારે બપોરે ૧૨ઃ૦૭થી ૧૨ઃ૫૫ અભિજીત મુહૂર્તમાં પૂજન અર્ચન હર્ષોલ્લાસભેર થયા હતા..

નવરાત્રિના પ્રારંભે માતાજીના પૂજનમાં અનોખું મહત્વ ધરાવતું મહાન અને શુભ ફળ દેનારું ‘અંબિકા વીસા યંત્ર’ નું શુભ મુહૂર્તમાં સ્થાપન કરી નવરાત્રિ વખતે પૂજન કરવામાં આવે તો માં અંબિકાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. જેના ફળસ્વરૃપે રોગ, શત્રુઓનો નાશ થાય છે. જેની સાથે ધન, ધાન્ય સંતતી, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્યની વૃદ્ધિ થાય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. અમદાવાદ પ્રાચિન ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના નવેય દિવસ દરમિયયાન માતાજીને અલગ શણગાર થશે. શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલે સવારે ૯ થી ૧૦ઃ૩૦ દરમિયાન ઘટ સ્થાપન કરાશે. આ વખતે મહાઅષ્ટમી ૩ ઓક્ટોબર સોમવારના છે.

આ ઉપરાંત ચાચર ચોકમાં દરરોજ સાંજે ગરબા પણ યોજાશે. આમ, આજથી નવ દિવસ માતાજીની આરાધનાનો માહોલ જ જોવા મળશે. નવરાત્રિમાં અનેક સ્થાનેએ બેઠા ગરબાના પણ આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના નવેય નોરતા દરમિયાન અનેક ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે.

September 25, 2022
societynews-1280x1040.jpg
5min3747

Jayesh Brahmbhatt

CIA Live ન્યુઝ વેબ અહીં એવી ગરબા ટ્યુન્સ મૂકી રહ્યા છે જે આ વખતે નવરાત્રી 2022માં નાના મોટા લગભગ દરેક ગરબા ગ્રાઉન્ડસ પર અચૂક સંભળાશે. ગુજરાત પહેલા વિશ્વમાં અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, બ્રિટન ત્યાં સુધી કે આર્યલેન્ડ જેવા દેશમાં પણ ગરબા નાઇટ્સ યોજાઇ ચૂકી છે અને યોજાઇ રહી છે. આ વખતે ગરબા ટ્યુન્સમાં મ્યુઝિક્સ રિમિક્સનો ટ્રેન્ડ જબરદસ્ત ચાલ્યો છે અને તેમાં પણ ગુજ્જુ ગાયકો કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, ઓસમાન મીર, આદિત્ય ગઢવી જેવા અનેક કલાકારોની ગરબા ટ્યુન્સ જબરદસ્ત ક્રેઝી બની ચૂકી છે.

ગૌરી તમે મનડા લીધા મોહી રાજ

હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા…..

મોતી વેરાણા ચોકમાં, આવ્યા અંબે માં..

ગોરી રાધા ને કાળો કાન…

હો આવી ગઇ રાત….ભૂલો બધી વાત…..

ઇંધણા વીણવા ગઇ તી….

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર…

કેસરીયો રંગ તને લાગ્યો એના ગરબા…

રંગ ભીની રાધા ને …..

નોન સ્ટોપ ગરબા પ્લે લિસ્ટ….

કિંજલ દવે….

September 25, 2022
india_vs-aus.png
1min497

ઓસ્ટ્રેલિયાની ટીમ વર્તમાન સમયે ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ભારતના પ્રવાસે છે. આપ્રવાસનો પહેલો મેચ મોહાલીમાં રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે જીત મેળવી હતી. નાગપુરમાં થયેલા બીજા મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે છ વિકેટે જીત નોંધાવીને શ્રેણીમા 1-1થી બરાબરી કરી હતી. હવે ત્રીજો અને નિર્ણાયક મુકાબલો રવિવારે સાંજે’ સાત વાગ્યે હૈદરાબાદમાં રમાશે. આ મુકાબલો જે ટીમ જીતશે તે શ્રેણી ઉપર કબજો કરી લેશે. રોહિત શર્મા પાસે મેચ સાથે સતત નવમી શ્રેણી જીતવાની તક રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ભારતને ઘરમાં જ બીજી વખત શ્રેણીમાં હરાવનારી પહેલી ટીમ બનવાની કગારે છે.

નિર્ણાયક મેચમાં રોહિત શર્મા અને આરોન ફિંચને ટોસની સાથે કિસ્મતનો સાથ જોઈએ. કારણ કે ટોસ હારનારી ટીમ ઉપર બોજ વધી જશે. ભારતે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એક જ મેચ રમ્યો છે. 2019મા રમાયેલા મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મેચ બંગલાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે હતા. જેમાં ત્રણેય મેચમા અફઘાનિસ્તાનને જીત મળી હતી. અફઘાનિસ્તાનની ટીમે બે વખત પહેલા બેટિંગ કરતા અને એક વખત પહેલા બોલિંગ કરતા જીત નોંધાવી હતી.

હૈદરાબાદની પીચ બાટિંગ માટે સારી છે. ઝડપી બોલર કરતા સ્પિન બોલરોને મદદ મળે છે. જો કે ટોસ પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. કારણ કે ટોસ જીતીને પહેલા બોલિંગ કરનારી ટીમ માનસીક રીતે મજબુત બનશે અને ટોસ હારનારી ટીમ કમજોર. રવીન્દ્ર જાડેજા બહાર થયા બાદ પ્લઈંગ ઈલેવનમાં સામેલ અક્ષર પટેલ પોતાની ઉપયોગીતા’ ધીરે ધીરે વધારી રહ્યો છે. મુખ્ય રૂપથી પાવર પ્લેમાં શિકાર કરીને તેણે શ્રેણીમાં વાજબી બોંિલંગ કરી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલ વિશ્વભરની લીગમાં પોતાની આક્રમક બેટિંગથી જાણિતો છે પણ 2020થી તેનું પ્રદર્શન નબળું પડી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં તેની સરેરાશ 20થી નીચની રહી છે. જે ઓસ્ટ્રેલિયા માટે ચિંતાનો વિષય છે.

September 22, 2022
raid.jpg
1min451

આજે તા.22મી સપ્ટેમ્બર 2022ને ગુરુવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ EDએ આતંકવાદ સામેના અભિયાન અંતર્ગત 10થી વધુ રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયા સાથે સંકળાયેલા સેંકડો લોકો પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીઓએ 10 જેટલા રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પદાધિકારીઓના આવાસ અને કાર્યાલયો ખાતે દરોડા પાડ્યા છે. આ દરમિયાન 100થી પણ વધારે કેડરની ધરપકડ પણ કરવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહી બાદ પાર્ટીના કાર્યકરોએ કર્ણાટક અને કેરળમાં ભારે વિરોધ નોંધાવ્યો છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ટેરર ફન્ડિંગ, ટ્રેઈનિંગ કેમ્પ યોજવામાં સામેલ લોકોના આવાસ અને સત્તાવાર સ્થળોએ તલાશી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં NIAની કાર્યવાહી ચાલુ છે. તપાસ એજન્સીઓએ 10થી પણ વધારે રાજ્યોમાં પ્રદેશ પોલીસ સાથે મળીને 100થી પણ વધારે કેડર્સની ધરપકડ કરી છે. તે સિવાય એનઆઈએએ તમિલનાડુમાં પણ કોઈમ્બતૂર, કુડ્ડલોર, રામનાદ, દિંડુગલ, થેની અને થેનકાશી સહિતના અનેક સ્થળોએ પીએફઆઈના પદાધિકારીઓના આવાસ ખાતે દરોડો પાડ્યો છે. તે સિવાય રાજધાની ચેન્નાઈમાં પીએફઆઈના પ્રદેશ હેડક્વાર્ટર ખાતે પણ તપાસ ચાલુ છે.

તપાસ એજન્સીઓએ પીએફઆઈના પ્રદેશ અને જિલ્લા સ્તરીય નેતાઓના ઘરે દરોડો પાડ્યો છે. સાથે જ મલપ્પુરમ જિલ્લાના મંજેરી ખાતે પાર્ટીના ચેરમેન સલામ પર પણ સકંજો કસાયો છે. સલામ સામેની કાર્યવાહીના વિરોધમાં પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રવિવારે પણ આંધ્ર પ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન પીએફઆઈના સદસ્યોને પુછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ હિંસા ભડકાવવા અને ગેરકાયદેસર ગતિવિધિઓ સાથે સંકળાયેલા કેસ અંતર્ગત કાર્યવાહી કરી હતી. તે દરમિયાન એનઆઈએના અધિકારીઓની 23 ટીમોએ નિઝામાબાદ, કુર્નૂલ, ગુંટૂર અને નેલ્લોર જિલ્લામાં આશરે 38 સ્થળોએ તપાસ હાથ ધરી હતી.

September 22, 2022
Cia_business_news-1280x936.jpg
1min499

અમેરિકન ડોલર ઇન્ડેક્સ 112ની બે દાયકાની સૌથી ઊંચી સપાટીએ પહોંચતા, ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધારતા આજે તા.22 સપ્ટેમ્બર 2022ના રોજ ડોલર સામે રૂપિયો 80.28ની સૌથી નીચી સપાટીએ ખુલ્યો હતો. આજે નાણાંકીય બજારો ખુલ્યા પછી ખુલ્યા ડોલર સામે રૂપિયો વધારે નબળો પડી 80.37ની સપાટીએ હતો જે આગલા બંધ કરતા 40 પૈસાનો ઘટાડો દર્શાવે છે. આજે સવારે વૈશ્વિક બજારમાં એક ડોલરની સામે રૂપિયાનો ભાવ 80.44 પર પહોંચી ગયો હતો. ડોલર સામે રૂપિયાના ધોવાણને પગલે અનેક બજારોમાં મોટી ઉથલપાથલ મચી જાય તેવી સંભાવના છે.

ભારતની ચાલુ ખાતાની ખાધ વધી રહી છે, દેશની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે તેની અસર પણ રૂપિયા ઉપર જોવા મળી રહી છે.

તા.21મી સપ્ટેમ્બરે અમેરીકાની ફેડરલ રિઝર્વે અમેરિકામાં ફેડ ફંડના દરમાં 0.75 ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે વ્યાજનો દર હવે 3 થી 3.25 ટકા વધી ગયા છે. આ સાથે અમેરિકામાં આર્થિક વૃદ્ધિ દર ઘટાડી માત્ર 0.25 ટકા કરવામાં આવ્યો છે. આટલા ઉંચા વ્યાજના દર છેલ્લે 2008માં જોવા મળ્યા હતા. 

The Indian rupee is likely to fall further after hitting a record low to the dollar on Thursday as the U.S. Federal Reserve hinted at more aggressive rate hikes to tame inflation.

The rupee opened at a record low of 80.2850 per U.S. dollar, down from 79.9750 in the previous session.

The Fed raised rates by 75 basis points, in line with expectations. More importantly, it hinted that more hikes were coming and that rates would stay elevated until 2024. Asian currencies opened weaker, with the Chinese yuan slipping below 7.10 to the dollar.

September 20, 2022
india_vs-aus.png
1min525

ટીમ ઇન્ડિયા મંગળવારથી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ શરૂ થનાર ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં વિશ્વ કપના ઉચિત સંયોજનની શોધના ઇરાદા સાથે મેદાને પડશે. કપ્તાન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડનું આ સિરીઝ દરમિયાન વિશેષ કરીને મધ્યક્રમના બેટિંગ પર વધુ ફોકસ રહેશે. ટી-20 વિશ્વ કપ પૂર્વે ભારતીય ટીમ 6 મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયા પછી આફ્રિકા સામે ટકકર થશે. આથી કેટલાક સ્ટાર ખેલાડીઓને એકાદ-બે મેચમાં વિશ્રામ મળી શકે છે. કપ્તાન રોહિત શર્મા કહી ચૂકયો છે કે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઇસીસી ટૂર્નામેન્ટ પૂર્વે તેના ખેલાડીઓ તમામ સવાલોના જવાબ શોધવાના પ્રયાસ કરશે. મેચ મંગળવારે સાંજે 7-30થી શરૂ થશે.

એશિયા કપ દરમિયાન ભારતીય ટીમની બેટિંગ-બોલિંગ નબળાઇઓ ખુલીને સામે આવી હતી. હવે ટીમમાં જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલનું આગમન થયું છે. આથી બોલિંગ મજબૂત બની છે. કપ્તાન રોહિત શર્મા સ્પષ્ટ કરી ચૂકયો છે કે વિશ્વ કપમાં તેની સાથે દાવનો પ્રારંભ કેએલ રાહુલ કરશે. આમ છતાં ઘરઆંગણે કેટલાક મેચમાં વિરાટ કોહલી ઓપનિંગમાં જોવા મળી શકે છે. તેણે છેલ્લે યૂએઇમાં ઓપનિંગમાં આવીને સદી ફટકારી હતી.

ભારતની ઇલેવનમાં બેટિંગ ક્રમ નકકી છે, પણ પહેલા મેચમાં વિકેટકીપર ઋષભ પંત અને દિનેશ કાર્તિકમાંથી કોને તક મળશે તે નકકી નથી.’ રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત હોવાથી પંતને ડાબોડી બેટધર હોવાથી મોકો મળી શકે તેવી વકી છે. જો કે એશિયા કપમાં મળેલ મોકાનો લાભ ઉઠાવી શકયો ન હતો. ઓસ્ટ્રેલિયા-આફ્રિકા સામેની શ્રેણીમાં ભારતની નજર રવીન્દ્રનો વિકલ્પ શોધવા પર પણ રહેશે. તેની ગેરહાજરીમાં એશિયા કપમાં ભારતીય ટીમનું સંતુલન બગડયું હતું. જાડેજાના સ્થાને અક્ષર પટેલ પ્રમુખ દાવેદાર છે. અનુભવી અશ્વિન પણ રેસમાં છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયા ડેવિડ વોર્નર વિના ભારત આવ્યું છે. તેને વિશ્રામ અપાયો છે. જયારે મિચેલ સ્ટાર્ક, મિશેલ માર્શ અને માર્કસ સ્ટોઇનિસ ઇજાને લીધે શ્રેણીની બહાર થયા છે. જો કે બધાની નજર કાંગારૂ કપ્તાન એરોન ફિંચના દેખાવ પર રહેશે. તેણે ખરાબ દેખાવને લીધે તાજેતરમાં વન ડેમાંથી સંન્યાસ લીધો છે. અન્ય એક ખેલાડી ટિમ ડેવિસ પર પણ નજર રહેશે. સિંગાપોર તરફથી રમનાર આ બેટર હવે ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કરશે.

September 17, 2022
PM_Modi.jpg
1min576

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૨મો જન્મદિવસ દેશભરમાં ઉજવાય રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બરે દર વર્ષે ભાજપના કાર્યકરો અને કેન્દ્ર સરકાર ૨૦૧૪થી વિવિધ લોકસેવાના કાર્યક્રમો યોજે એ રીતે આજે પણ યોજવામાં આવ્યા છે. આ વર્ષે પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. દિવસ દરમિયાન મોદીના ચાર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

નામિબિયાથી ભારત પહોંચેલા આઠ ચિત્તાને નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડશે. એ સાથે જ દેશમાં ચિત્તાના પુનર્વસનનો પ્રોજેક્ટ શરૂ થશે. ત્રણ નર અને પાંચ માદા ચિત્તાને નામિબિયાથી બોઈંગ ૭૪૭ વિમાનમાં જયપુર લાવવાના હતા પરંતુ આયોજનમાં ફેરફાર થયો હતો. જયપુરને બદલે ચિત્તા ગ્વાલિયર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે મધ્યપ્રદેશ લાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આપબળે આગળ વધેલી મહિલા સાહસિકોના સંમેલનને સંબોધશે. વિશ્વકર્મા જયંતી હોવાથી પીએમ મોદી આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ સંબોધન કરશે. એ કાર્યક્રમમાં ૪૦ વિદ્યાર્થીઓ જોડાશે. મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ લોજિસ્ટિક પોલિસી લોંચ કરશે અને સાથે સાથે ભાષણ પણ આપશે.

દરમિયાન ભાજપે દેશભરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો દેશભરમાં ભાજપના યુનિટો દ્વારા થશે. મોદીના જન્મદિવસે ભાજપ વિવિધતામાં એકતા પ્રોગ્રામ અંતર્ગત ગરીબોને સહાય કરશે, દિવ્યાંગોને પણ મદદ કરશે. તે ઉપરાંત સ્વચ્છતા અભિયાન પણ ચલાવાશે. ભાજપ પીએમ મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ગિફ્ટ ઓફ સેવા નામનું કેમ્પેઈન શરૂ કરશે. એમાં શ્રમદાનનું મહત્ત્વ સમજીને અલગ અલગ ક્ષેત્રમાં શ્રમદાન થશે. યુપી સહિતના ઘણાં રાજ્યોમાં તળાવોની સફાઈ જશે, ક્યાંક નદીકાંઠાનો કચરો સાફ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ સમયે જુદા જુદા લોકોએ આપેલા ઉપહારોની હરાજી તેમના જન્મદિવસથી શરૂ થશે અને ગાંધીજયંતિ સુધી ચાલશે. ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ થોડા દિવસ પહેલાં મોદીએ કર્યું હતું, તેની પ્રતિકૃતિ આ ગિફ્ટમાં સામેલ છે. તે ઉપરાંત અયોધ્યા મંદિરનું મોડેલ, વારાણસીમાં કાશી-વિશ્વનાથના મંદિરનું મોડેલ વગેરે જેવી ગિફ્ટ, જે મોદીને અલગ અલગ સમયે મળી હતી તેની હરાજી નિયત કરાયેલી વેબસાઈટમાં થશે. આ ગિફ્ટમાં રમતવીરોએ પીએમને આપેલા ઉપહારોનો પણ સમાવેશ થાય છે. હરાજી માટે ૧૦૦ રૂપિયાથી ૧૦ લાખ સુધીની બેઝ પ્રાઈઝ નક્કી કરાઈ છે. આ હરાજીથી લગભગ ૨૦ કરોડ રૂપિયા મળે એવી શક્યતા છે. હરાજીમાંથી મળનારી ધનરાશિ નમામિ ગંગે પ્રોજેક્ટમાં આપવામાં આવશે. 

September 14, 2022
askre.jpg
1min550

-એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન 7 શ્રમિકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે. 

મળતી માહિતી પ્રમાણે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનામાં બે શ્રમિકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

  • ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના 
  • એસ્પાયર-2 નામની બિલ્ડીંગનુ કન્ટ્રક્શન વખતે બની ઘટના 
  • મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની 
  • સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7શ્રમિકોના મોત

મૃત્યુ પામનાર શ્રમિકો :

  • મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની હોવાની માહિતી મળી રહી છે.
  • સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​​​​, ઉમર 20 વર્ષ
  • જગદીશભાઈ રમેશભાઈ નાયક,ઉંમર 21 વર્ષ
  • અશ્વિનભાઈ સોમાભાઈ નાયક,ઉમર 20 વર્ષ​​​​​​
  • મુકેશ ભરતભાઇ નાયક​​​​​​​,ઉમર 25 વર્ષ​
  • મુકેશભાઇ ભરતભાઇ નાયક, ઉમર ​​​​​​​25 વર્ષ
  • રાજમલ સુરેશભાઇ ખરાડી,ઉમંર 25 વર્ષ
  • પંકજભાઇ શંકરભાઇ ખરાડી,ઉમર 21 વર્ષ
September 13, 2022
rainingujarat-1.jpg
1min482

કેરળ, તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદથી ભારે તારાજી, ઓરેંજ એલર્ટ

દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર અને અન્ય કેટલાક સમુદ્રી કાંઠા વાળા રાજ્યોમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. પૂણેમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારેથી અતી ભારે વરસાદ પડયો છે. આગામી બે દિવસ માટે પૂણે અને આસપાસના વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત વિદર્ભ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશામાં પણ ભારે વરસાદની આગાહી છે.

બીજી તરફ હાલ તેલંગાણા, કેરળમાં પૂરની સ્થિતિ પેદા થઇ ગઇ છે. તેલંગાણામાં ગોદાવરી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે અને નદીના કાંઠા વાળા વિસ્તારોમાં અનેક ગામડા તળાવમાં ફેરવાઇ ગયા છે.

 હજારો લોકોને ગામડામાંથી સુરક્ષીત રેસ્ક્યૂ કરાઇને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે. જુલાઇ મહિનામાં જ તેલંગાણાના અનેક જિલ્લામાં પૂરે તબાહી મચાવી હતી. 

તેલંગાણા ઉપરાંત કેરળમાં પણ ચક્રાવાતી વાવાઝોડાએ તબાહી મચાવી છે. કેરળના અનેક મકાનોને આ વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્યું છે. કેરળની ચલક્કુડી નદીની આસપાસ આ ચક્રાવાતી વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ છે. આ વાવાઝોડાને પગલે ત્રિશૂર જિલ્લાના કલેક્ટર અને અન્ય અધિકારીઓએ ઇમર્જન્સી બેઠક યોજી હતી. 

હાલ તેલંગાણા અને કેરળમાં અનેક લોકોને રેસ્ક્યૂ કરવા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કેરળમાં વીજળી પડવાની ઘટનાઓને લઇને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંના ઇડુક્કી, મલક્કડ, કોઝીકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.